Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
મહાશિવરાત્રિ
મહાશિવરાત્રિ

ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ. રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’ નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ. પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા એવું નક્કી થયું. ભગવાન શિવ નિર્ણાયક હતા. શિવલિંગ તેનું સ્વરૂપ હતું. ઘણી મહેનત પછી શિવલિંગનું માપ આદિ-અંત નક્કી કરી શકાયું નહીં. છેવટે બ્રહ્મા-વિષ્ણુએ સ્વીકાર્યું કે ભગવાન શિવ જ મોટા છે. બધા દેવોમાં પણ શિવ ‘મહાદેવ’ કહેવાયા. મહાશિવરાત્રિ માં શિવલિંગની પૂજા શ્રેષ્ઠ મનાય છે, કારણકે શિવલિંગની પૂજા કરવાથી શિવ અને શક્તિ બંનેની પૂજા એક સાથે થઈ જાય છે. શિવરાત્રિ ના વ્રતની કથા શિવપુરાણમાં રુદ્રસંહિતા અંતર્ગત અધ્યાય 37માં વર્ણવેલી છે. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર મહાશિવરાત્રિ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. એક સમયની વાત છે: એક શિકારી શિકાર માટે જંગલમાં ગયો. જંગલની મધ્યમાં એક બિલીનું વૃક્ષ હતું તેની નીચે શિવલિંગ સ્થાપિત હતું. શિકારી શિકારની વાટ જોતાં જોતાં અજાણતા બીલીનાં પાન તોડી તોડીને નીચે સ્થાપિત શિવલિંગ પર નાખી રહ્યો હતો અને આ ક્રિયા સતત ચાર પ્રહર સુધી ચાલુ રહી. આમ, અજાણતાં જ શિકારીથી રાત્રિના ચાર પ્રહર સુધી શિવલિંગની પૂજા થઈ તેથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા. આ રીતે શિવરાત્રિ ની પૂજા ચાર પ્રહરની પૂજા ગણવામાં આવે છે.બીજી માન્યતા અનુસાર દરેક મનુષ્યના જીવનમાં ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મહાશિવરાત્રિની રાત્રે ચાર પ્રહર શિવપૂજન કરવાથી મનુષ્યના આ ચાર પુરુષાર્થ સિદ્ધ થાય છે. મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવના મંદિર પાસે ગિરનારની તળેટીમાં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં દેશના વિવિધ સંપ્રદાયના સાધુઓ અને દિગંબર સાધુઓ આવે છે. આ દિવસે નીકળતા નાગાબાવાઓનુ સરઘસ કે રવાડીમાં હથિયારોના વિવિધ દાવ અને કરતબ પણ દેખાડવામાં આવે છે. આ મેળાનું સમાપન નાગાબાવાઓ સહિત સાધુ સંતોના મૃગીકુંડમાં સ્નાનથી થાય છે. આ સિવાય પણ ગુજરાતમાં ઘણાં શિવાલયોની આસપાસ મેળાનું આયોજન થતું હોય છે.

15th February

Read more
મહાશિવરાત્રિ
15th February

ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ. રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’ નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ.

પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા...

Read more
મિરઝા ગાલીબ પુણ્યતિથિ
મિરઝા ગાલીબ પુણ્યતિથિ

મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ - ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદ-ઉલ્લાહ બેગ ખાન 'ગાલીબ' હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર, ૧૭૯૭ ના રોજ આગ્રામાં થયો હતો. બાળપણથી જ શાયરીનો શોખ હતો. ગાલીબ ૧૨ કે ૧૩ વર્ષની ઉમરથી જ ગઝલો લખતા થઇ ગયા હતાં. શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતાં. તેમણે એવા અનેક એકથી એક ચઢિયાતા શેર આપ્યા કે તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન રહી જાય. ગાલીબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. ગાલીબ બિનસાંપ્રદાયિક હતા. પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ન હતા. કોઇ કવિતા કે ગઝલને સમજવી હોય તો સર્વ પ્રથમ તેના રચનાકારને સમજવો પડે. 'મિરઝા ગાલીબ' ની ગઝલોને સમજવાની લોકો એટલા માટે જ ભૂલ કરે છે કે તેઓ 'ગાલીબ' ના જીવનથી બહુ પરિચિત નથી હોતા. ગાલીબ જે રીતે તેમના સમયના તમામ ગઝલકારોથી નોખા તરી આવતા હતા તે રીતે તેમનું જીવન પણ સામાન્ય માણસ કરતા તદ્દન નોખું હતું. એટલે જ 'ગાલીબ'ની ગઝલોનો અંદાજ પણ અલગ હતો. ગાલીબના જીવને દરેક તબક્કે અલગ વળાંક લીધો હતો અને તેની સમગ્ર અસર તેમની રચનાઓ પર જોવા મળી છે . તેઓ પરંપરામાથી મુક્ત થઇને આધુનિક જીવન શૈલી તરફ જવા માંગતા હતા અને તેનો સંઘર્ષ પણ તેમની રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓમાં મુખ્ય વિષયો પ્રેમ અને આધ્યાત્મ રહ્યા હતા. ઉર્દૂમાં તેઓએ આશરે ૨૩૫ જેટલી ગઝલો લખી છે. તેમને દબીર-ઉલ-મુલ્ક અને નઝમ-ઉદ-દૌલાનું બિરુદ મળ્યું હતું. ૧૫ ફેબ્રુઆરી,૧૮૬૯ ના રોજ તેમનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. ૧૯૬૯માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની મૃત્યુ શતાબ્દીના અવસર પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ૨૭ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે તેમની ૨૨૦મી જન્મ તિથી નિમિત્તે ગુગલે તેમને ગુગલ ડુડલ સ્વરૂપે યાદ કર્યા હતા.

15th February

Read more
મિરઝા ગાલીબ પુણ્યતિથિ
15th February

મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ - ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદ-ઉલ્લાહ બેગ ખાન 'ગાલીબ' હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર, ૧૭૯૭ ના રોજ આગ્રામાં થયો હતો. બાળપણથી જ શાયરીનો શોખ હતો. ગાલીબ ૧૨ કે ૧૩ વર્ષની ઉમરથી જ ગઝલો લખતા થઇ ગયા હતાં. શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતાં. તેમણે એવા અનેક એકથી એક ચઢિયાતા શેર આપ્યા કે તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન રહી જાય. ગાલીબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. ગાલીબ બિનસાંપ્રદાયિક હતા. પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ન હતા.

કોઇ કવિતા કે ગઝલને સમજવી...

Read more
રામકૃષ્ણ પરમહંસ જન્મજયંતી
રામકૃષ્ણ પરમહંસ જન્મજયંતી

અંગ્રેજોના શાસનની સાથે ભારતમાં પાશ્ચાત્ય સભ્યતા અને વિદેશી ધર્મનું આક્રમણ શરૂ થયું હતું. આવી કટોકટીના સમય દરમિયાન 18 ફેબ્રુઆરી, 1836 ના રોજ બંગાળ પ્રાંતમાં આવેલા કામારપુકુર ગામમાં રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. રામકૃષ્ણ પરમહંસ ભારતના પ્રખ્યાત સંતોમાંના એક છે. તેમના પિતાનું નામ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચંદ્રમણી હતું. તેમનું બાળપણનું નામ ગદાધર હતું. રામકૃષ્ણ પરમહંસના વિચારો પર તેમના માતાપિતાના વિચારોની ઊંડી અસર જોવા મળતી હતી.. તેમનાં માતા પિતા અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ અને ખૂબ જ સરળ સ્વભાવનાં હતાં. માતાપિતાની જેમ બાળક ગદાધર પણ ખૂબ જ ગુણવાન હતા. સાત વર્ષની નાની વયમાં જ તેમના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. એ પછી તેમનું મન અભ્યાસમાં લાગ્યું નહીં તેથી કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના પુરોહિત તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી. તેમનાં લગ્ન શારદામણી સાથે કરવામાં આવ્યાં હતાં. થોડા સમય બાદ એમના મોટાભાઈનું અકાળે અવસાન થયું. આથી અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી કાલીમાતાના મંદિરની પૂજા તેમજ અર્ચના કરવા લાગ્યા હતા અને આમ તેઓ કાલીમાતાના આરાધક બની ગયા. વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં કાલીમાતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. આધ્યાત્મિક સત્ય અને જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથપ્રદર્શક બન્યા હતા. કાલીમાતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા. તેમણે તમામ ધર્મોને એકસમાન કહ્યા છે. તેમણે ફક્ત પોતાના ધર્મનો જ નહીં પણ અન્ય ધર્મોનો પણ અભ્યાસ કર્યો હતો. તેના ફળસ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મોના પાયાના સિદ્ધાંતો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી. ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે. સ્વામી વિવેકાનંદ તેમના વિચારોથી પ્રેરિત હતા, તેથી જ વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા અને તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માટે બેલુર મઠ દ્વારા સંચાલિત રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થા સમગ્ર વિશ્વમાં લોકોના કલ્યાણ અને તેમના આધ્યાત્મિક વિકાસ માટે કામ કરે છે. સ્વામી વિવેકાનંદ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસની પ્રેરણાથી દરિદ્ર નારાયણની સેવામાં લાગી ગયા હતા. રામકૃષ્ણ પરમહંસ તેમના જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા. તેને કારણે તેમનું શરીર દુર્બળ થતું ચાલ્યું. પછીથી તેમને કૅન્સર થતાં 1886માં 50 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. રામકૃષ્ણ પરમહંસ મહાન યોગી, ઉચ્ચકોટિના સાધક અને વિચારક હતા. સેવા માર્ગને જ ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો માનતા હતા. તેમના મનમાં હમેંશાં માનવજાતના કલ્યાણની જ ભાવના રહેલી હતી. એમના અવસાનના વર્ષો પછી પણ તેમણે જગાડેલી માનવતાની મશાલ આજે પણ તેમના અનુનાયીઓ દ્વારા વિશ્વમાં પ્રકાશ આપે છે.

18th February

Read more
રામકૃષ્ણ પરમહંસ જન્મજયંતી
18th February
અંગ્રેજોના શાસનની સાથે ભારતમાં પાશ્ચાત્ય સભ્યતા અને વિદેશી ધર્મનું આક્રમણ શરૂ થયું હતું. આવી કટોકટીના સમય દરમિયાન 18 ફેબ્રુઆરી, 1836 ના રોજ બંગાળ પ્રાંતમાં આવેલા કામારપુકુર ગામમાં રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. રામકૃષ્ણ પરમહંસ ભારતના પ્રખ્યાત સંતોમાંના એક છે. તેમના પિતાનું નામ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચંદ્રમણી હતું. તેમનું બાળપણનું નામ ગદાધર હતું.
રામકૃષ્ણ પરમહંસના વિચારો પર તેમના માતાપિતાના વિચારોની ઊંડી અસર જોવા મળતી હતી.. તેમનાં માતા પિતા અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ અને ખૂબ જ સરળ સ્વભાવનાં હતાં. માતાપિતાની જેમ બાળક ગદાધર પણ ખૂબ જ ગુણવાન હતા. સાત...
Read more
છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતી
છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતી

છત્રપતિ શિવાજી મહારાજ એક ભારતીય યોદ્ધા, રાજા અને દેશના શૌર્યપુત્રોમાંના એક હતા જેમને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક પણ હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630 ના રોજ હાલના મહારાષ્ટ્રના મરાઠા પરિવારમાં શિવનેરીના પહાડી કિલ્લામાં થયો હતો. તેમનાં માતાનું નામ જીજાબાઇ તથા પિતાનું નામ શાહજી ભોંસલે હતું. છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ઉજવણી 1870 માં પૂણેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે પૂણેથી લગભગ 100 કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી. પાછળથી સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર તિલકે જયંતીની ઉજવણીની પરંપરા આગળ ધપાવી તેમણે બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા રહીને શિવાજી મહારાજ જયંતીના માધ્યમથી સ્વતંત્રતા આંદોલન દરમિયાન લોકોને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારથી દર વર્ષે તેમની જયંતી ઉજવવામાં આવે છે. શિવાજી તેમના લશ્કરી પરાક્રમ, રાજકીય કુનેહ અને તેમની લોકકલ્યાણ માટેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. તેઓ એવા ભારતીય શાસકોમાંના એક હતા, જેમણે મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રની રક્ષા માટે નૌકાદળની કલ્પના રજૂ કરી હોવાનું કહેવાય છે. તેઓ પશ્ચિમ ભારતમાં સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપવા માટે મુઘલ સામ્રાજ્ય અને બીજાપુરના આદિલ શાહી વંશ સામે લડ્યા. શિવાજીની લશ્કરી ઝુંબેશ, ગેરિલા યુદ્ધની રણનીતિ અને વ્યૂહાત્મક આયોજન થકી તેઓએ મોટી સેનાઓ સામે પણ લડાઈમાં જીત મેળવી હતી. તેમણે પોતાની સેનાને સારી રીતે પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ દળમાં પુનઃસંગઠિત કરી, જેને મરાઠા સેના તરીકે ઓળખવામાં આવે છે. શિવાજી તેમના લોકોના કલ્યાણ માટે ખૂબજ પ્રતિબદ્ધ હતા તેથી તેમણે લોકોના જીવનને સુધારવા માટે ઘણાં પગલાં ભર્યા હતાં. તેમણે અન્યાયી કર નાબૂદ કર્યા અને ન્યાયિક વ્યવસ્થા યોગ્ય હોવાની ખાતરી કરી. તેમણે મરાઠી ભાષાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપ્યું. તેમજ મહારાષ્ટ્રની કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું. શિવાજી ધર્મનિષ્ઠ હિંદુ હતા. તેઓ મૂલ્યોના રક્ષણમાં માનતા હતા. તેઓ અન્ય ધર્મો માટે આદર ધરાવતા હતા. તેમના રાજ્યમાં તમામ સમાજના લોકો વચ્ચે સહિષ્ણુતા હતી, તેમજ તમામ ધર્મોને આદર આપવામાં આવતો હતો. તેમની સેનામાં પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના લોકો સામેલ હતા. શિવાજીનો વારસો ભારતીય રાષ્ટ્રીય ચેતનામાં ઊંડે સુધી વિસ્તરેલો હોવાથી તેમને રાષ્ટ્રીય નાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રવાદના હેતુ માટે તેમની હિંમત, નિશ્ચય અને પ્રતિબદ્ધતા માટે તેમને યાદ કરવામાં આવે છે. તેમનું જીવન અને કાર્ય અસંખ્ય ભારતીયોને સામાજિક ન્યાય, માનવ અધિકારો અને લોકતાંત્રિક મૂલ્યો માટે લડવાની પ્રેરણા આપતા રહે છે.

19th February

Read more
છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતી
19th February
છત્રપતિ શિવાજી મહારાજ એક ભારતીય યોદ્ધા, રાજા અને દેશના શૌર્યપુત્રોમાંના એક હતા જેમને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક પણ હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630 ના રોજ હાલના મહારાષ્ટ્રના મરાઠા પરિવારમાં શિવનેરીના પહાડી કિલ્લામાં થયો હતો. તેમનાં માતાનું નામ જીજાબાઇ તથા પિતાનું નામ શાહજી ભોંસલે હતું.
છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ઉજવણી 1870 માં પૂણેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે પૂણેથી લગભગ 100 કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની સમાધિ...
Read more
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન

દર વર્ષે 21મી ફેબ્રુઆરી નો દિવસ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન' તરીકે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ 17 નવેમ્બર, 1999 ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી 2000 થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવાનો અને માતૃભાષાને જાળવી રાખવાનો છે. માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત વગેરે માતૃભાષા દ્વારા વિકાસ પામે છે. બાળક જે કાંઈ સર્જન કરે છે, સમસ્યાનો ઉકેલ મેળવે છે, પોતાનાં કૌશલ્યો વિકસાવે છે તે બધું માતૃભાષા દ્વારા સહજ રીતે શક્ય બને છે. દરેક વ્યક્તિના જીવનમાં જ્ઞાનનો આરંભ માતૃભાષાથી થાય છે. વ્યવહારનું જ્ઞાન પણ દરેક વ્યક્તિ માતૃભાષામાં સહજતાથી મેળવે છે. મનના ભાવોને માતૃભાષામાં યોગ્ય રીતે વ્યક્ત કરી શકાય છે. વળી, સંકટના સમયે અથવા દુ:ખના સમયે મુખમાંથી માતૃભાષામાં જ સહજ ઉદગારો સરી પડે છે. વિચારોની મૌલિકતા અને સ્પષ્ટતા માતૃભાષામાં સરળતાથી મેળવી શકાય છે. સંશોધન દ્વારા એવું સિદ્ધ કરવામાં આવ્યું છે કે જો બાળકને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળે તો તેનો સર્વાંગી વિકાસ થઈ શકે છે, કારણકે માતૃભાષા એક શક્તિશાળી સાધન છે, જે બાળકની શીખવાની કુશળતાને આગળ વધારવામાં મદદ કરે છે. માતૃભાષામાં વાત કરવાથી બાળકોમાં પ્રત્યાયન કૌશલ્યનો વિકાસ પણ સરળતાથી થાય છે, જે તેમને વર્ગખંડમાં અન્ય બાળકો સાથેની સહભાગિતા વધારવામાં મદદ કરે છે. રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું કે, "માતૃભાષા તો માતાનું ધાવણ છે, જે રીતે બાળકને માતાનું દૂધ વધારે વિકસાવે છે. મજબૂત બનાવે છે તે જ રીતે માતૃભાષા સુપોષિત કરે છે. માતૃભાષા તો સંસ્કૃતિ, વ્યવહાર, ધર્મ, પ્રેમ, સંસ્કાર અને સ્નેહને સાંકળતી એક કડી છે." સંસ્કૃતિ અને ધર્મને ટકાવી રાખવા, સમજવા માતૃભાષા જરૂરી છે. માતૃભાષા ન આવડે તો વ્યક્તિ પોતાના સમાજ, ધર્મ, સંબંધો, સંસ્કૃતિ અને પરંપરાઓથી વિમુખ થતો જાય છે. તેથી માતૃભાષા દિવસની ઉજવણી દ્વારા લોકોને માતૃભાષાની અગત્ય સમજાવવામાં આવે છે. આજે કેટલીક ભાષાઓ લુપ્ત થઈ જતાં ભાષાકીય વિવિધતા વધુ જોખમમાં આવી ગઈ છે. યુએનના અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે 40% વસ્તી તેઓ બોલે છે અથવા સમજે છે એ ભાષામાં શિક્ષણ મેળવતી નથી. તેથી જ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી દ્વારા લુપ્ત થતી માતૃભાષાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી માટે એક થીમ (વિષય) નક્કી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. વિશ્વના બધા દેશો આ દિવસે પોતાની માતૃભાષાનું ગૌરવગાન કરે છે અને તેના વિકાસ તેમજ સંવર્ધન માટેની વિવિધ પ્રવૃત્તિઓ યોજે છે અને તે દ્વારા માતૃભાષાનું મહત્વ જન-જન સુધી પહોંચે તેવા પ્રયત્નો કરે છે. ગુજરાત રાજ્યમાં પણ દર વર્ષે અલગ અલગ શહેરોમાં ગુજરાતી લેખકો, કવિઓ અને માતૃભાષાના સંવર્ધન માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો યોજી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

21st February

Read more
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન
21st February
દર વર્ષે 21મી ફેબ્રુઆરી નો દિવસ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન' તરીકે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ 17 નવેમ્બર, 1999 ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી 2000 થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવાનો અને માતૃભાષાને જાળવી રાખવાનો છે.
માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત વગેરે માતૃભાષા દ્વારા વિકાસ પામે છે. બાળક જે કાંઈ સર્જન કરે છે, સમસ્યાનો ઉકેલ મેળવે છે,...
Read more
વિશ્વ સ્કાઉટ દિન
વિશ્વ સ્કાઉટ દિન

વિશ્વભરમાં દર વર્ષે લાખો સ્કાઉટ્સ અને ગાઈડ્ઝ દ્વારા રોબર્ટ બેડન-પોવેલના જન્મદિવસ 22 ફેબ્રુઆરીને 'વિશ્વ સ્કાઉટ દિન' ઉજવવામાં આવે છે. સ્કાઉટિંગની શરૂઆત 11 થી 18 વર્ષની વયના છોકરાઓ માટે એક કાર્યક્રમ તરીકે થઈ હતી. સૌ પ્રથમ 1907 માં રોબર્ટ બેડન-પોવેલ દ્વારા યુનાઈટેડ કિંગડમ ખાતે 20 છોકરાઓ સાથે આયોજિત પ્રથમ પ્રાયોગિક શિબિર ખૂબ જ સફળ રહી હતી. ત્યારબાદ 1908 માં બેડન પોવેલે "સ્કાઉટિંગ ફોર બોયઝ" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે ખૂબ પ્રચલિત થયું. અમેરિકાના બોય સ્કાઉટ્સનો ફ્લેગશિપ પ્રોગ્રામ, જે અગાઉ "બોય સ્કાઉટિંગ" તરીકે ઓળખાતો હતો, તે 1 ફેબ્રુઆરી, 2019 ના રોજ સ્કાઉટ્સ BSA (Boy Scouts Of America) તરીકે જાણીતો બન્યો.   ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ (BSG) વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ સ્કાઉટ મૂવમેન્ટ (WOSM) નામની વિશ્વ સ્કાઉટીંગ સંસ્થા સાથે જોડાયેલ છે. તેની સ્થાપના 4 સપ્ટેમ્બર, 1909 ના રોજ રોબર્ટ બ્રેડન-પોવેલ દ્વારા ભારતમાં લેક મસૂરી ખાતે કરવામાં આવી હતી . તે વિશ્વભરના વિવિધ દેશોમાં ફેલાયેલા કરોડો સભ્યો વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. તેઓનો ઉદ્દેશ્ય વ્યક્તિઓને મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો જેવાં કે દેશભક્તિ, પ્રામાણિકતા, હિંમત, દયા વગેરેથી ભરપૂર જીવન જીવવામાં મદદ કરવાનો છે. તેઓ વિવિધ દેશોના સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ વચ્ચે આંતરરાષ્ટ્રીય વિનિમય કાર્યક્રમો માટે પણ પૂરતી તકો પૂરી પાડે છે.   સ્કાઉટિંગ એ વિશ્વવ્યાપી, સ્વૈચ્છિક અને બિનરાજકીય ચળવળ છે અને તેનું સૂત્ર માનવજાતની સેવા અને પ્રકૃતિના રક્ષણ માટે 'તૈયાર રહો' છે. સ્કાઉટિંગ વ્યક્તિઓના સર્વાંગી વિકાસને સક્ષમ કરે છે અને તેમને તમામ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાની તાલીમ આપે છે. આત્મવિશ્વાસ, આત્મસન્માન, મહત્વપૂર્ણ જીવનકૌશલ્યો, નેતૃત્વ કૌશલ્યો, ટીમનિર્માણ, આઉટડોર સાહસ, શિક્ષણ અને આનંદ વગેરે માટે સ્કાઉટિંગ ઉપયોગી છે. સ્કાઉટિંગ પ્રોગ્રામના મુખ્ય ઉદ્દેશ્યો ચારિત્ર્ય વિકાસ, નેતૃત્વ વિકાસ, નાગરિકતા તાલીમ અને સ્વસ્થતા છે.   સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ એ દરેક યુવાનને રંગ, મૂળ કે જાતિને ધ્યાનમાં લીધા વિના માનવતાની સેવા કરવાની તક પૂરી પાડે છે. આ દિવસે સ્કાઉટ સભ્યો સંસ્થાના આદર્શો જાળવવા માટે સંકલ્પ કરે છે તેમજ જનકલ્યાણ અર્થે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.   આમ સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ એસોસિએશનના સભ્યો આ દિવસને ઉત્સાહ સાથે ઉજવે છે. વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમની ભાગીદારીનો આનંદ માણે છે.

22nd February

Read more
વિશ્વ સ્કાઉટ દિન
22nd February
વિશ્વભરમાં દર વર્ષે લાખો સ્કાઉટ્સ અને ગાઈડ્ઝ દ્વારા રોબર્ટ બેડન-પોવેલના જન્મદિવસ 22 ફેબ્રુઆરીને 'વિશ્વ સ્કાઉટ દિન' ઉજવવામાં આવે છે. સ્કાઉટિંગની શરૂઆત 11 થી 18 વર્ષની વયના છોકરાઓ માટે એક કાર્યક્રમ તરીકે થઈ હતી. સૌ પ્રથમ 1907 માં રોબર્ટ બેડન-પોવેલ દ્વારા યુનાઈટેડ કિંગડમ ખાતે 20 છોકરાઓ સાથે આયોજિત પ્રથમ પ્રાયોગિક શિબિર ખૂબ જ સફળ રહી હતી. ત્યારબાદ 1908 માં બેડન પોવેલે "સ્કાઉટિંગ ફોર બોયઝ" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે ખૂબ પ્રચલિત થયું. અમેરિકાના બોય સ્કાઉટ્સનો ફ્લેગશિપ પ્રોગ્રામ, જે અગાઉ "બોય સ્કાઉટિંગ" તરીકે ઓળખાતો...
Read more
રવિશંકર મહારાજ જન્મજયંતી
રવિશંકર મહારાજ જન્મજયંતી

આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર, સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરા માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂકસેવક વગેરે ઉપનામોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કરનાર રવિશંકર મહારાજ એક અનોખા વ્યક્તિ હતા. રવિશંકર વ્યાસ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસુધારક હતા. તેમના સામાજિક કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. રવિશંકર મહારાજનો જન્મ 25 ફેબ્રુઆરી, 1884 (વિક્રમ સંવત 1940ની મહાશિવરાત્રી) ના રોજ ખેડા જિલ્લાના રહુ ગામમાં થયો હતો. તેમનું વતન મહેમદાવાદ નજીકનું સરસવણી ગામ હતું. પિતાને ખેતીમાં મદદ કરવા માટે તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો. તેમનાં લગ્ન સૂરજબા સાથે થયાં હતાં. યુવાન વયે જ તેમણે તેમનાં માતાપિતાને ગુમાવ્યાં હતાં. નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભૂદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું, બહારવટિયા, ખૂની, ચોર-ડાકુ અને દારૂડિયાઓને સુધારવાનું કામ કર્યું. સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી અને પટ્ટાવાળાથી માંડી આચાર્ય સુધીની જવાબદારી નિભાવી હતી. મકાન અને જમીન વેચીને તમામ સંપત્તિ રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું. પચ્ચીસ વર્ષ માત્ર એક ટંક ખાઈને એમણે લોકોની સેવા કરી. ચાલીસ વર્ષ પગમાં જોડા ન પહેર્યા અને માઈલોના માઇલ ચાલીને લોકોનાં કાર્યો કર્યા. મહારાજ એક સારા તરવૈયા હતા. તેમણે ધસમસતા ઘોડાપૂરમાં ઝંપલાવી લોકોને બચાવ્યા હતા. 1923 માં બોરસદ સત્યાગ્રહ હૈડિયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં અને અમદાવાદમાં કોમી હુલ્લડો સમયે તેમનું રચનાત્મકનું યોગદાન આપ્યું હતું. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા, આઝાદી મળ્યા બાદ સમાજસુધારણાના કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા. 1955થી 1958 ના ત્રણ વર્ષ દરમ્યાન 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6,000 કિલોમીટર ચાલ્યા હતા. પોતાને માટે રૂપિયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપિયા અને કિંમતી જમીનોનાં દાન મેળવ્યાં હતાં અને તે કારણે જ ‘કરોડપતિ ભિખારી” જેવું ઉપનામ પણ તેમને મળ્યું. ત્યાગ, તપસ્યા અને દીનદુખિયાની સેવા દ્વારા ‘મહારાજ અને ‘દાદા’ના વહાલસોયા બિરુદી તેઓ ઓળખાયા. 90 વર્ષ સુધી તે ઋષિપુરુષ સેવારત રહ્યા. પગે ફેકચર થવાથી અને આંખોનું તેજ જવાથી શરશય્યા પર સૂઈ રહેવું પડ્યું. પરંતુ તેમણે પ્રસન્નતા ખોઈ નહીં. 1 જુલાઇ, 1984 ના દિવસે 100 વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું. ભારત સરકારે તેમના સન્માનમાં 1984 માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન કરનાર વ્યક્તિને સામાજિક કાર્ય માટે રૂપિયા 1 લાખનો ‘રવિશંકર મહારાજ પુરસ્કાર" ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અપાય છે. રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ “માણસાઈના દીવા' નામનું પુસ્તક લખ્યું છે. જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કર્યું છે. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેણે જીવી જાણું' (1984) નામની નવલકથા લખી છે.

25th February

Read more
રવિશંકર મહારાજ જન્મજયંતી
25th February
આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર, સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરા માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂકસેવક વગેરે ઉપનામોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કરનાર રવિશંકર મહારાજ એક અનોખા વ્યક્તિ હતા. રવિશંકર વ્યાસ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસુધારક હતા. તેમના સામાજિક કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા.
રવિશંકર મહારાજનો જન્મ 25 ફેબ્રુઆરી, 1884 (વિક્રમ સંવત 1940ની મહાશિવરાત્રી) ના રોજ ખેડા જિલ્લાના રહુ ગામમાં થયો હતો. તેમનું વતન મહેમદાવાદ નજીકનું સરસવણી ગામ હતું. પિતાને ખેતીમાં...
Read more
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન

દેશમાં વિજ્ઞાનની ઉપયોગિતા તથા તેના દ્વારા થતા ફાયદાઓ પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તરફ પ્રેરિત કરવા માટે 28 ફેબ્રુઆરી ને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામન દ્વારા 28 ફેબ્રુઆરી, 1928 ના રોજ પોતાની શોધ "રામન પ્રભાવ” (Raman Effect) ની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1930 માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં આ દિવસ વિજ્ઞાન દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આપણા દેશના વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રામન ભારતમાં પ્રકાશના પરાવર્તન વિષય પર સંશોધન કાર્ય કરનાર વ્યક્તિઓમાંના એક હતા. તેમણે 1907 થી 1933 દરમિયાન ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ, કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કામ કર્યું. આ સમય દરમિયાન, તેમણે ઘણા વિષયો પર સંશોધન કાર્ય કર્યું. જેમાં 'રામન પ્રભાવ (Raman effect)' તેમની વિશેષ શોધ બની હતી. તેમના વિશેષ પ્રયાસને હંમેશાં માટે ભારતીય લોકોના હ્રદયમાં કાયમી સ્થાન આપવા 1986 માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટૅક્નોલોજી કમ્યૂનિકેશન દ્વારા 28 ફેબ્રુઆરી ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવણી કરવાની ભલામણ કરવામાં આવી. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી, 1987 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું છે. ભારતની ધરતી પર અનેક મહાન વૈજ્ઞાનિકોએ જન્મ લીધો છે અને આ મહાન વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્ન અને શોધોના કારણે જ ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણા રોજબરોજના ઉપયોગમાં લેવાતી કેટલીય ટૅક્નોલોજી કે વસ્તુઓ વિજ્ઞાનને જ આભારી છે. વિજ્ઞાનની મદદથી આપણે રોબોટ, કમ્પ્યૂટર જેવી વસ્તુઓને વિકસાવી છે. તેમજ ટૅક્નોલોજીની મદદથી આપણે અવકાશમાં ચંદ્ર તથા મંગળ સુધી પહોંચવામાં સફળ થયા છીએ. આજે આપણી શાળામાં કાળા પાટિયાના બદલે ડિજિટલ બોર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે જે વિજ્ઞાનને લીધે જ શક્ય બન્યું છે. વિજ્ઞાનની મદદથી કેટલીય જીવનરક્ષક ઔષધોની શોધ થઈ રહી છે જેને લીધે માનવજીવનમાં ઘણાં પરિવર્તન આવી રહ્યાં છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ, વૈજ્ઞાનિક વલણની કેળવણી અને દેશમાં નવી શોધો માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાનો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ વિજ્ઞાન દિન ની ઉજવણી પ્રતિ વર્ષ 10 નવેમ્બરે કરવામાં આવે છે. આ ઉજવણીમાં ‘શાંતિ અને વિકાસ માટે વિજ્ઞાન' ની વાત કેન્દ્રમાં છે. વિજ્ઞાનના માધ્યમથી માનવ જીવનને ઉન્ન્ત બનાવવાની દિશામાં આ દિને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ દિનની ઉજવણી વર્ષ 2002 થી શરૂ કરવામાં આવી છે.

28th February

Read more
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
28th February
દેશમાં વિજ્ઞાનની ઉપયોગિતા તથા તેના દ્વારા થતા ફાયદાઓ પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તરફ પ્રેરિત કરવા માટે 28 ફેબ્રુઆરી ને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામન દ્વારા 28 ફેબ્રુઆરી, 1928 ના રોજ પોતાની શોધ "રામન પ્રભાવ” (Raman Effect) ની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1930 માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં આ દિવસ વિજ્ઞાન દિવસ જાહેર કરવામાં આવ્યો છે.
આપણા દેશના વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રામન...
Read more
વિશ્વ વન્યજીવ દિન
વિશ્વ વન્યજીવ દિન

ત્રીજી માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિન.        2013ના 20 ડિસેમ્બર ના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા યોજાઈ હતી. આ સભામાં વિશ્વમાં લુપ્ત થતા વન્યજીવો તેમજ વિવિધ વનસ્પતિ વિશે ઊંડી ચિંતા વ્યક્ત થઈ. અહીં લેવાયેલ નિર્ણય મુજબ વિશ્વમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી કરવી જરૂરી હતી, જે લોકજાગૃતિ વિના સંભવ નહોતી. આ સભાનતા કેળવવા પ્રતિ વર્ષ 3જી માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની સૌપ્રથમ ઉજવણી 2014 માં થઈ હતી.       ઈશ્વરે સૃષ્ટિમાં નિર્માણ કરેલા દરેક જીવનું મહત્વ છે. પર્યાવરણનું ચક્ર કોઈને કોઈ રીતે દરેક સજીવ ઉપર નિર્ભર છે, પરંતુ માનવની આધુનિકતાની આંધળી દોટને લીધે કેટલાક સજીવોનું નિકંદન નીકળવા લાગ્યું. પ્રકૃતિને નુકસાન થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓથી તેમજ વધતા પ્રદૂષણની વિપરીત અસરથી પણ કેટલાક જીવો અને વનસ્પતિનો વિનાશ થવા લાગ્યો. કેટલાંક દુર્લભ વૃક્ષો કે પ્રાણીઓની પ્રજાતિઓની તસ્કરી પણ થવા લાગી આ પ્રકારની અનેક બાબતો વન્યજીવોના વિનાશની સાથે સૃષ્ટિનું સંતુલન પણ ખોરવે છે.       ભારતના સંદર્ભમાં જોઈએ તો આપણો દેશ ભૂપૃષ્ઠ, આબોહવા અને જૈવિક પર્યાવરણની દ્રષ્ટિએ વૈવિધ્યથી ભરપૂર છે. વર્ષઃ 2022 પ્રમાણે જૈવ વૈવિધ્ય ધરાવતા વીસ દેશો પૈકી ભારતનો આઠમો ક્રમ છે, પરંતુ જંગલના ઘટતા પ્રમાણ અને શહેરીકરણની માઠી અસર પર્યાવરણ પર થતી જોવા મળે છે. વન્યજીવોના સંરક્ષણની આહલેક જગાવતા આપણા દેશમાં પણ તેની જાગૃતિની જરૂરિયાત જણાય તે પીડાદાયક છે.   આપણા દેશમાં કારણ વિના ભૂમિ ખોદવી કે કોઈ વનસ્પતિનું પાન તોડવું એ પણ અયોગ્ય ગણવામાં આવે છે, કોઈ પણ પશુપંખીને છંછેડવાનું યોગ્ય ગણવામાં આવતું નથી. કેટલાક જીવો ઝેરીલા હોવા છતાં પણ તેને હણવામાં આવતા નથી, તેવા દેશમાં પણ વન્યજીવોના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આવા સંજોગોમાં વન્યજીવ દિનની ઉજવણી ખૂબ જ જરૂરી થઈ જાય છે. આપણા પ્રસિદ્ધ કવિશ્રી ઉમાશંકર જોષીની પંક્તિઓ યાદ કરીએ - વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !

03rd March

Read more
વિશ્વ વન્યજીવ દિન
03rd March
ત્રીજી માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિન.        2013ના 20 ડિસેમ્બર ના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા યોજાઈ હતી. આ સભામાં વિશ્વમાં લુપ્ત થતા વન્યજીવો તેમજ વિવિધ વનસ્પતિ વિશે ઊંડી ચિંતા વ્યક્ત થઈ. અહીં લેવાયેલ નિર્ણય મુજબ વિશ્વમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી કરવી જરૂરી હતી, જે લોકજાગૃતિ વિના સંભવ નહોતી. આ સભાનતા કેળવવા પ્રતિ વર્ષ 3જી માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની સૌપ્રથમ ઉજવણી 2014 માં થઈ હતી.      ...
Read more
રાષ્ટ્રીય સુરક્ષા દિન
રાષ્ટ્રીય સુરક્ષા દિન

દર વર્ષે 4 માર્ચ ને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ અકસ્માતોથી બચવા માટે લેવામાં આવતાં સલામતીનાં પગલાં વિશે જાગૃતિ વધારવાનો છે. આ ઉપરાંત આપણા જીવનના જુદા જુદા સમયે જાગૃતિ કે ધ્યાનના અભાવે થતા અકસ્માતોને રોકવાનો પણ છે.   4 માર્ચ ના દિવસને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાની પહેલ ભારતની 'રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ' (National Safety Council) દ્વારા થઈ હતી. 1972 માં આ સંસ્થાએ 4 માર્ચ ને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. આ દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી ત્યારથી દર વર્ષે ઔદ્યોગિક અને અન્ય પ્રકારની દુર્ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવાં પગલાંથી અને કાયદા નિયમોની જાણકારી અને અમલથી ઉદ્યોગોમાં ઈજાનું પ્રમાણ 1971 માં 1000 કામદાર દીઠ 76 હતું તે ઉત્તરોત્તર ઘટતું રહ્યું છે. નેશનલ સેફ્ટી કાઉન્સિલ, મુંબઈ અને નેશનલ ફાયર સર્વિસ કૉલેજ, નાગપુર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અંગેની તાલીમ પણ આપવામાં આવે છે.   'રાષ્ટ્રીય સુરક્ષા દિન'ની ઉજવણી હવે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ના સ્વરૂપમાં કરવામાં આવે છે, જેનો સમયગાળો દર વર્ષે 4 માર્ચથી 10 માર્ચ હોય છે. આ સપ્તાહ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી ઔદ્યોગિક સહિત વિવિધ પ્રકારની દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો અંગે લોકોને જાણકારી આપવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન આયોજિત થતી બધી જ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ લોકોને પોતાની સુરક્ષા પ્રત્યે સભાન કરવાનો છે.     ‘સુરક્ષા દિન'ની ઉજવણી કેટલીક વિશાળ બાબતોને પણ સ્પર્શે છે. રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી માત્ર સરહદ ઉપર લડતા સૈનિકોની નથી પણ પ્રત્યેક વ્યક્તિ તેમાં સહભાગી બને તે પણ છે. આપણી આસપાસના પર્યાવરણનું સંરક્ષણ કરી સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાની છે. લોકોમાં વિવિધ સંસાધનો વાપરવાની ક્ષમતા વધવાની સાથે દુર્ઘટનાઓ સામે જરૂરી જાગૃતિ કેળવવાની છે. સુરક્ષાના આ વિવિધ આયામો પ્રત્યે લોકોને સભાન બનાવવાની જરૂરિયાત રહે છે. આ દરેક બાબતમાં સફળતા આ દિનની ઉજવણીને સાર્થક કરી શકે.

04th March

Read more
રાષ્ટ્રીય સુરક્ષા દિન
04th March
દર વર્ષે 4 માર્ચ ને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ અકસ્માતોથી બચવા માટે લેવામાં આવતાં સલામતીનાં પગલાં વિશે જાગૃતિ વધારવાનો છે. આ ઉપરાંત આપણા જીવનના જુદા જુદા સમયે જાગૃતિ કે ધ્યાનના અભાવે થતા અકસ્માતોને રોકવાનો પણ છે.   4 માર્ચ ના દિવસને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાની પહેલ ભારતની 'રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ' (National Safety Council) દ્વારા થઈ હતી. 1972 માં આ સંસ્થાએ 4 માર્ચ ને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું...
Read more
હોળી - ધુળેટી
હોળી - ધુળેટી

     ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે હોલિકાદહનના પ્રસંગે ઈશ્વર પ્રત્યેની તેમની દ્રઢ શ્રદ્ધા અને આસ્થાનાં દર્શન કરાવ્યાં હતાં, જેથી હોળીનું આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ વધી જાય છે.     આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર' પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી'થી ઓળખવામાં આવે છે અને એમાંય આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનનો આ મુખ્ય તહેવાર છે. રાજસ્થાની લોકો હોળી માટે એવું કહેતા હોય છે કે “દીવાળી તો અટેકટે, પણ હોળી તો ઘરે જ.”     માનવમન સદા રંગોની આસપાસ રમતું રહે છે. રંગબેરંગી રંગથી એકબીજાને રંગવાનો તહેવાર એટલે હોળી. ફાગણ, વસંત અને હોળી એમ આ ત્રિવેણી સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને ફાલ્ગુનિક પણ કહે છે. સંસ્કૃતમાં શેકેલા અનાજને હોલક કહે છે. આમ, હોલક પરથી “હોળી” શબ્દ આવ્યો છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને 'શીંગુ' કહે છે.     હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લત્તાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળે છે, આવા લોકોને ઘેરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણાં અને લાકડાં ગોઠવીને હોળી પ્રગટાવવામાં આવે છે.     લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ધાણી, ખજૂર, દાળિયા વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.     ભારતમાં ઉજવાતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે, પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે.     વર્ષનો આ સમય વસંતઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઊઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે, જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને 'દોલયાત્રા' કે ‘વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા મનના દોષો સાથે ખરાબ વાણી અને ખરાબ કર્મોનાં દૂષણો હોમી દેવાય છે. આ પાવન પર્વ પર અહંકાર, અપેક્ષાઓ અને દરેક નકારાત્મક વસ્તુને હોળીના અગ્નિમાં બાળી નાખી અને આ પવિત્ર તહેવારનો આનંદ લોકો દિલથી માણે છે.     રંગોનો આ તહેવાર સૌના પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે છે.

04th March

Read more
હોળી - ધુળેટી
04th March

     ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે...

Read more
આંતરરાષ્ટ્રીય મહિલા દિન
આંતરરાષ્ટ્રીય મહિલા દિન

શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત થવો એ એક મહત્વની ઘટના છે. 1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો. એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો વિચાર ઑરા કૅટકિન નામનાં મહિલાનો હતો. 1910 માં કૉપન હેગન માં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ માં ક્લેરા એ આ વિચાર રજૂ કર્યો હતો. એ કૉન્ફરન્સમાં હાજર રહેલાં 17 દેશોના 100 મહિલા પ્રતિનિધિઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો. ત્યારથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 માર્ચ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા' દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મહત્વનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.   8 માર્ચ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી કરવા માટે સૌ પ્રથમ સૂચન વર્ષ 1910 માં ‘ઈન્ટરનેશનલ એશિયા લિસ્ટ વુમન કોન્ફરન્સ' દ્વારા કરવામાં આવ્યું હતું.   આંતરરાષ્ટ્રીય મહિલા દિન સાથે જોડાયેલ કેટલીક અગત્યની ઘટનાઓ આ મુજબ છે. ♦ 1911માં 19મી માર્ચે જર્મની, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા અને સ્વિત્ઝર્લેન્ડમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવામાં આવ્યો હતો. ♦ 1914માં 8મી માર્ચે મહિલાઓએ યુરોપમાં રેલી કાઢીને આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવ્યો હતો. ♦ રશિયામાં મહિલાઓ દ્વારા કાઢવામાં આવેલી રેલી અને હડતાલનો મુખ્ય મુદ્દો રોટી અને શક્તિ હતો. ચાર દિવસમાં જ રશિયાના ઝારને સ્થાને સત્તા પર આવેલ કામચલાઉ સરકારે મહિલાઓને વિવિધ અધિકારો આપ્યા. ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે આ દિવસ આઠમી માર્ચ હતો. રશિયામાં વર્ષ 1917 માં મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો.   * સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છેક 8 માર્ચ, 1975 ના દિવસને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન' તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘે 1975 ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. પહેલી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ મેક્સિકો શહેરમાં બોલાવવામાં આવી હતી, જેમાં છ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. આ પરિષદનો મુખ્ય હેતુ સમાનતા, શાંતિ અને વિકાસનો હતો.   * બીજી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ 1980 માં ડેનમાર્કના કોપન હેગન શહેરમાં યોજાઈ હતી. આ પરિષદમાં આઠ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો.   * 1985 માં ત્રીજી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ કેન્યાના નૈરોબીમાં મળી હતી, જેમાં પંદર હજાર મહિલાએ ભાગ લીધો હતો. આ પરિષદમાં સ્ત્રીઓની વિકાસમાં સમાન તકો ન મળવાની ફરિયાદને ધ્યાને લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ 2000 સુધીમાં મહિલાઓને વિકાસ માટે સમાન તકો મળે તેવી વ્યૂહરચના ઘડી કાઢવાનું જણાવ્યું હતું.   * 10 વર્ષ પછી 1995માં ચીનના બૈજિંગ શહેરમાં ચોથી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ મળી, જેમાં ૩૦ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. ચોથી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદનો મુખ્ય મુદ્દો હતો, ‘સ્ત્રીઓની પ્રગતિમાં અવરોધક પરિબળો દૂર કરી પ્રગતિના માર્ગો શોધવા.' બૈજિંગ પરિષદમાં 183 રાષ્ટ્રોની મહિલાઓએ ભાગ લીધો હતો   ભારતમાં આ દિવસે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી નારીશક્તિ ઍવોર્ડ એનાયત થાય છે. વર્ષ 1999 થી આ દિવસે પુરસ્કાર આપવાનો પ્રારંભ થયો હતો.   આજે મહિલા શિક્ષણની ટકાવારી વધતી જાય છે, છતાં મહિલા દિનની ઉજવણી ત્યારે જ સાર્થક લેખાય કે જ્યારે દીકરીના જન્મને આપણે વધાવીએ, મહિલાઓને સ્ત્રી તરીકેની ગરિમા સન્માન અને ગૌરવ સહજપણે પ્રાપ્ત થાય તો જ મહિલા દિવસનું મહત્વ જળવાય અને સમાજનો ઉત્કર્ષ થાય મહિલાઓને સમાનતા અને શિક્ષણ મળે તો જ દેશનો તંદુરસ્ત વિકાસ થઈ શકે.

08th March

Read more
આંતરરાષ્ટ્રીય મહિલા દિન
08th March
શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત થવો એ એક મહત્વની ઘટના છે. 1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો. એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો વિચાર ઑરા કૅટકિન નામનાં મહિલાનો હતો. 1910 માં કૉપન હેગન માં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ માં ક્લેરા એ આ વિચાર...
Read more
સાવિત્રીબાઈ ફૂલે પુણ્યતિથિ
સાવિત્રીબાઈ ફૂલે પુણ્યતિથિ

દેશના પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજસુધારક, કવયિત્રી અને સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવનારાં સાવિત્રીબાઇ ફૂલે નો 3 જાન્યુઆરી, 1831 માં જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાઇ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ખંદોજી અને માતાનું નામ લક્ષ્મીબાઇ હતું. માત્ર 9 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયાં. પતિ જ્યોતિરાવની પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને સાવિત્રીબાઈએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ઉપરાંત પૂણેની શાળામાં તાલીમ મેળવી. આ તાલીમના આધારે તેમને ભારતના પ્રથમ પ્રશિક્ષિત મહિલા શિક્ષિકા અને પ્રધાન અધ્યાપિકા માનવામાં આવે છે. તાલીમ પુરી કર્યા બાદ સાવિત્રીબાઈએ પૂણેના મહારવાડામાં ભણાવવાનું શરૂ કર્યું. પતિના સહયોગથી તેમણે અલગ અલગ જાતિ અને સમુદાયનાં બાળકોના અભ્યાસ માટે 18 જેટલી શાળાઓ શરૂ કરી. ફૂલે દંપતિ અને સગુણાબાઈ (જ્યોતિરાવના સલાહકાર) એ સાથે મળીને ભીડેવાળામાં કન્યાશાળાની સ્થાપના કરી. ઉલ્લેખનીય છે કે તેઓએ વર્ષ 1848 માં મહારાષ્ટ્રના પૂણેમાં દેશની પ્રથમ કન્યા શાળા ની સ્થાપના કરી હતી. ફૂલે દંપતિએ ગર્ભવતી અને બળાત્કાર પીડિત મહિલાઓ માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ નામનાં સહાયકેન્દ્રો શરૂ કર્યાં. સાવિત્રીબાઈએ આત્મહત્યા કરવા જઈ રહેલી એક વિધવા સ્ત્રીને પોતાના ઘરમાં પ્રસુતિ કરાવી. તેના બાળક યશવંત તને પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકારી તેનો ઉછેર કરી અને ડૉકટર બનાવ્યો. સાવિત્રીબાઈ ફૂલેએ પતિ જ્યોતિરાવ ફૂલેનું અવસાન થતાં, તેમનાં અધૂરાં કામો પૂર્ણ કરવાનું પ્રણ લીધું. 1896-97 માં પ્લેગની મહામારી ફેલાતાં સાવિત્રીબાઈ અને તેમના દત્તક પુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર માટે દવાખાનું શરૂ કર્યું. આ સારવાર દરમ્યાન જ તેમને આ રોગ લાગુ પડ્યો અને 10 મી માર્ચ, 1897 ના રોજ તેમનું અવસાન થયું. તેમનું આખું જીવન સમાજના વંચિત વર્ગો ખાસ કરીને મહિલાઓ અને દલિતોના અધિકાર માટે સંઘર્ષમાં પસાર થયું હતુ. સાવિત્રીબાઈ ફૂલે કવયિત્રી પણ હતાં. 'કાવ્યફૂલે' અને 'બાવનકશી રત્નાકર' એ તેમના કાવ્યસંગ્રહ છે. તેમને મરાઠીની આદિકવયિત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જન્મેલાં સાવિત્રીબાઈ ફૂલે જેમણે પોતાના પતિ દલિત ઉદ્ધારક, સમાજ સુધારક, જ્યોતિરાવ ફૂલે પાસે ભણીને સામાજિક ચેતના ફેલાવી. તેમણે અંધવિશ્વાસ અને રૂઢિવાદી કુરિવાજો તોડવા માટે લાંબો સંઘર્ષ કર્યો.

10th March

Read more
સાવિત્રીબાઈ ફૂલે પુણ્યતિથિ
10th March
દેશના પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજસુધારક, કવયિત્રી અને સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવનારાં સાવિત્રીબાઇ ફૂલે નો 3 જાન્યુઆરી, 1831 માં જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાઇ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ખંદોજી અને માતાનું નામ લક્ષ્મીબાઇ હતું.
માત્ર 9 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયાં. પતિ જ્યોતિરાવની પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને સાવિત્રીબાઈએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ઉપરાંત પૂણેની શાળામાં તાલીમ મેળવી. આ તાલીમના આધારે તેમને ભારતના પ્રથમ પ્રશિક્ષિત મહિલા શિક્ષિકા અને પ્રધાન અધ્યાપિકા માનવામાં આવે છે. તાલીમ પુરી કર્યા બાદ સાવિત્રીબાઈએ...
Read more
ગૌરીશંકર જોશી પુણ્યતિથિ
ગૌરીશંકર જોશી પુણ્યતિથિ

' મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય ' આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨ના રોજ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં થયો હતો. તેમનું મૂળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી છે. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી -સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન્ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ રહ્યા હતા.  ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય રહ્યા હતા. સાહિત્ય સર્જન ક્ષેત્રે તણખામંડળ ભાગ ૧ થી ૪, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ, આમ્રપાલી, ચંદ્રલેખા, જેવા વાર્તાસંગ્રહો ઉપરાંત અનેક ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ તથા જીવનપંથ અને જીવનરંગ જેવા આત્મકથાનકો લખ્યાં છે. ટૂંકીવાર્તાના ક્ષેત્રે પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા વગેરે આપણી ભાષામાં સર્વાધિક લોકપ્રિય વાર્તાઓ રહી છે. ગુજરાતી સાહિત્યમાં સર્જનાત્મક યોગદાન બદલ ૧૯૩૫માં ધૂમકેતુને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાનું નક્કી થયું હતું પણ તેઓએ તેને પરત કર્યો હતો. ૧૯૫૩માં તેઓને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. ગુજરાતી ટૂંકીવાર્તાના સીમાસ્તંભ અને અત્યંત લોકપ્રિય સાહિત્યકાર ધૂમકેતુનું ૧૧ માર્ચ, ૧૯૬૫ના રોજ ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું.

11th March

Read more
ગૌરીશંકર જોશી પુણ્યતિથિ
11th March

' મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય '

આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨ના રોજ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં થયો હતો. તેમનું મૂળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી છે. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી -સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી.

૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા....

Read more
વિજય હજારે જન્મજયંતી
વિજય હજારે જન્મજયંતી

વિજય હજારેનો જન્મ ૧૧ માર્ચ,૧૯૧૫ ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સાંગલીના એક શિક્ષકનાં આઠ બાળકોમાંનો એક હતા. જ્યારે હજારે ક્રિકેટમાં આવી રહ્યા હતા,ત્યારે તેમને હિન્દુ જીમખાના દ્વારા ક્રિકેટ રમવા માટે ઓફર કરવામાં આવી હતી. તેમણે શરૂઆતમાં આ ઓફર ફગાવી દીધી હતી. હજારે તેમના જમણા હાથથી બેટિંગ કરતા હતા અને જમણા હાથથી મધ્યમ ગતિ બોલ કરતા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૩૮ મેચ રમી હતી.તેમણે ૫૮.૩૮ ની સરેરાશથી ૧૮૩૪૦ રન બનાવ્યા.  ભારતીય ક્રિકેટમાં આ પ્રથમ વર્ગનો રેકોર્ડ પહેલા સુનીલ ગાવસ્કરે અને ત્યારબાદ સચિન તેંડુલકરે તોડ્યો હતો. પ્રથમ વર્ગમાં ત્રણ સદી ફટકારનાર હજારે પ્રથમ ભારતીય હતા. ટેસ્ટ ક્રિકેટ રમતી વખતે વિજય હજારેએ ૩૦ ટેસ્ટમાં ૪૭.૬૫ ની સરેરાશથી ૨૧૯૨ રન બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૧૬૪ રન છે. જ્યારે ટેસ્ટમાં બોલિંગ કરતા હતા ત્યારે તેમણે ૬૧ ની સરેરાશથી ૨૦ વિકેટ ઝડપી હતી. તેમની શ્રેષ્ઠ બોલિંગ ૪/૨૯ છે. તેમણે ત્રણ વખત મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનની વિકેટ લીધી હતી. તેથી જ કદાચ બ્રેડમેન મધ્યમ ગતિના બોલરોની સામે એટલા સાવચેત હતા. ૧૯૫૧માં ઈંગ્લેન્ડ સામેની ઘરની શ્રેણી માટે તેમને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે દિલ્હીની પ્રથમ ટેસ્ટમાં અણનમ ૧૬૪ રન બનાવ્યા હતા. આ સમયે ભારતીય દ્વારા આ સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. વિજય હજારેની કેપ્ટનશીપ હેઠળ ભારતે પ્રથમ ટેસ્ટ જીતી હતી. ક્રિકેટ પંડિતો માને છે કે કેપ્ટનશીપનું દબાણ તેમના પ્રભાવને અસર કરી ગયું. સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર પહેલા ભારતીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનાવનાર હજારે પહેલા ભારતીય હતા. તેથી, તેમને પ્રથમ ભારતીય વિક્રમાદિત્ય કહેવા જોઈએ. મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેન અને વિજય મર્ચન્ટ દ્વારા વિજય હજારે વિશે ટિપ્પણી કરવામાં આવી હતી.સર વિજય બ્રેડમેન કહે છે, જો વિજય હજારે કેપ્ટન ન બની શક્યા હોત, તો તે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણાત. વિજય મર્ચન્ટ કહે છે, "કેપ્ટનશીપે વિજય હજારેને મહાન બેટ્સમેન બનવા દીધો ન હતો." પદ્મશ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર વિજય હજારેની ઇનિંગ્સ ૧૮ ડિસેમ્બર, ૨૦૦૪ ના રોજ કેન્સર સાથે લાંબી લડાઇ બાદ વડોદરામાં સમાપ્ત થઈ હતી. ભારતના એક ઝોનલ-ક્રિકેટ ટૂર્નામેન્ટને "વિજય હઝારે ટ્રોફી" નામ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

11th March

Read more
વિજય હજારે જન્મજયંતી
11th March

વિજય હજારેનો જન્મ ૧૧ માર્ચ,૧૯૧૫ ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સાંગલીના એક શિક્ષકનાં આઠ બાળકોમાંનો એક હતા. જ્યારે હજારે ક્રિકેટમાં આવી રહ્યા હતા,ત્યારે તેમને હિન્દુ જીમખાના દ્વારા ક્રિકેટ રમવા માટે ઓફર કરવામાં આવી હતી. તેમણે શરૂઆતમાં આ ઓફર ફગાવી દીધી હતી. હજારે તેમના જમણા હાથથી બેટિંગ કરતા હતા અને જમણા હાથથી મધ્યમ ગતિ બોલ કરતા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૩૮ મેચ રમી હતી.તેમણે ૫૮.૩૮ ની સરેરાશથી ૧૮૩૪૦ રન બનાવ્યા. 

ભારતીય ક્રિકેટમાં આ પ્રથમ વર્ગનો રેકોર્ડ પહેલા સુનીલ ગાવસ્કરે અને ત્યારબાદ સચિન તેંડુલકરે તોડ્યો હતો....

Read more
દાંડીકૂચ દિન
દાંડીકૂચ દિન

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનાં ઈતિહાસમાં દાંડીકૂચનું આગવું સ્થાન છે. બ્રિટિશ શાસનને પડકારવા અને પૂર્ણ સ્વરાજ્યના ધ્યેય માટે અંગ્રેજોએ લાદેલા કર વિરુદ્ધ સવિનય કાનૂનભંગની લડત આપવાનો ઠરાવ કોંગ્રેસ સમિતિમાં 1990 માં થયો હતો. તેમાં ગાંધીજી ને સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવાની સંપૂર્ણ સત્તા આપી હતી. દાંડીકૂચ આ લડતનો એક ભાગ હતો. દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગાંધીજી એ 12 માર્ચ, 1930 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ની પ્રાર્થનાસભામાં જણાવ્યું કે સવિનય કાનૂનભંગની આ લડતમાં વિદેશી કાપડનો બહિષ્કાર, સરકારી નોકરીઓ છોડવી, મહેસૂલ આપવાનું બંધ કરવું, મીઠાના કાયદાનો ભંગ કરવો વગેરે જેવા કાર્યક્રમો કરવાના છે. તેમણે આ સભામાં જણાવ્યુ કે, “મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે. હું કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.” ગાંધીજીએ કૂચ દરમિયાન દરેક સત્યાગ્રહીને ચુસ્ત રીતે નિયમો પાળવાનું જણાવ્યું હતું. દાંડીકૂચ દરમિયાન તેમણે હિંદુ-મુસ્લિમ એકતા અને રચનાત્મક કાર્યક્રમો પર ભાર મૂક્યો હતો. 24 દિવસ સુધી રોજ લગભગ 16 કિ.મી. (10 માઈલ) અંતર કાપીને સત્યાગ્રહીઓ દાંડી ગામે પહોંચ્યા હતા. 370 કિ.મી. જેટલી કૂચ કરી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. કૂચ દરમિયાન દર સોમવારે ગાંધીજી મૌન વ્રત પાળતા, અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવાં નાનાં-મોટાં ગામોમાં સભા ભરી 5 એપ્રિલ ના રોજ સૌ દાંડી પહોંચ્યાં હતાં 6 એપ્રિલ ના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ કહ્યું "મૈને નમક કા કાનૂન તોડ દિયા!" અને દાંડીના દરિયા કિનારે લોકોને સંબોધતાં કહ્યું કે, "હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં આથી લૂણો લગાડું છું." મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવી છે. સમગ્ર ભારત દેશમાં આ કૂચ પછી આવા અહિંસક સવિનય કાનૂનભંગ લડતનાં આંદોલનો શરૂ થયાં. દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજીએ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે અનેક ગામોમાં સભાને સંબોધિત કરી હતી. કોંગ્રેસ પક્ષે ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલાં જ 4 મે ની મધ્યરાત્રીએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી અને તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો. મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ 75,000 જેટલા સત્યાગ્રહીઓ ને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. દાંડીકૂચ સંબંધિત રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક નામનું એક સ્મારક સંગ્રહાલય 30 જાન્યુઆરી, 2019 ના રોજ દાંડી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

12th March

Read more
દાંડીકૂચ દિન
12th March

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનાં ઈતિહાસમાં દાંડીકૂચનું આગવું સ્થાન છે. બ્રિટિશ શાસનને પડકારવા અને પૂર્ણ સ્વરાજ્યના ધ્યેય માટે અંગ્રેજોએ લાદેલા કર વિરુદ્ધ સવિનય કાનૂનભંગની લડત આપવાનો ઠરાવ કોંગ્રેસ સમિતિમાં 1990 માં થયો હતો. તેમાં ગાંધીજી ને સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવાની સંપૂર્ણ સત્તા આપી હતી. દાંડીકૂચ આ લડતનો એક ભાગ હતો.

દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

...
Read more
ગુડી પડવો
ગુડી પડવો

ચૈત્ર સુદ એકમ ભારતના ઘણા વિસ્તારોમાં નવા વર્ષના પ્રારંભનો દિવસ છે. આ દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાડી તરીકે ઊજવવામાં આવે છે. જ્યારે ગોવા અને કેરળમાં કોંકણી સમુદાયના લોકો તેને સંવત્સરી પડવાના નામથી પણ ઊજવે છે. આ દિવસે ઘરની બહાર ગુડી બાંધવાની પરંપરા છે. ગુડી અને પડવો શબ્દમાં ગુડીને પતાકા અથવા ધ્વજ કહેવામાં આવે છે. જ્યારે પડવો શબ્દ પ્રતિપદા (એકમ) તિથિ સાથે સંબંધિત છે. ગુડી પડવાના તહેવારની ઉજવણી પાછળ માત્ર નવા વર્ષની શરૂઆત જ નથી, પરંતુ તેની સાથે કેટલીક દતકથા જોડાયેલી છે. રામાયણની ધાર્મિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, આ દિવસે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામે દક્ષિણ ભારતના લોકોને વાનરરાજ વાલીના શાસનમાંથી મુક્તિ અપાવી હતી. તે સમયે દક્ષિણ ભારતના લોકોએ દરેક ઘરમાં વિજય ધ્વજ લહેરાવ્યો હતો, જે પાછળથી ગુડી પડવાના તહેવારમાં ફેરવાઈ ગયો હતો. જોકે, લોકો નવા પાકની ઉજવણી માટે પણ આ તહેવાર ઊજવે છે. એવું પણ માનવામાં આવે છે કે પુરાણો મુજબ બ્રહ્મદેવે આ સૃષ્ટિ ચૈત્ર સુદ એકમ (પ્રતિપદા)ના દિવસે નિર્માણ કરી હતી. ચૈત્ર સુદ એકમના દિવસનું મહત્વ દર્શાવતી બીજી બાબતો આ મુજબ છે: . આ દિવસે મહાન જ્યોતિષ આચાર્ય અને ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યએ સૂર્યોદય, સૂર્યાસ્ત, દિવસ, મહિના અને વર્ષની ગણતરી કરીને પંચાંગની રચના કરી હતી. . આ દિવસે સતયુગની શરૂઆત થઈ હતી અને શ્રીહરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. . વિશેષમાં ચૈત્ર સુદ એકમે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠિર બન્નેનું રાજ્યારોહણ થયું હતું. . આજ દિવસે ગુપ્તસમ્રાટ વિક્રમાદિત્યે શકોને હરાવીને વિક્રમ સંવતની શુભ શરૂઆત કરી હતી. . શાલિવાહન નામના કુંભારના પુત્રે માટીની સેના બનાવીને તેમાં પ્રાણ પૂરીને શત્રુઓની સામે વિજય મેળવ્યો હતો. આ વિજયના પ્રતીકરૂપે જ આ દિવસથી નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવુ પંચાંગ પણ શરૂ થાય છે. હિંદુ કાળગણના પ્રમાણે શાલિવાહન શકની શરૂઆત આ દિવસથી થાય છે. ગુડી પડવો એ વર્ષનાં સારા ત્રણ મુહૂર્ત પૈકી એક સારું મુહૂર્ત માનવામાં આવે છે. ગુડી પડવાના દિવસે સવારે આંગણામાં ઘરની સામે ગુડી ઊભી કરવામાં આવે છે. વાંસના ઉપરના ખૂણા તરફ સાડી અથવા ઝરીનું વસ્ત્ર, હારડો, ફૂલોની માળા અને લીમડાનાં પાન લગાવીને એની ઉપર તાંબાનો લોટો ઊંધો મૂકવામાં આવે છે. મહારાષ્ટ્રના ગામડાંઓમાં ઘરના આંગણામાં ગાયના છાણથી લીપણ કરીને તેના પર રંગોળી તૈયાર કરી પાંચ પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરાય છે. ગુડીની ષોડશોપચાર (સોળ ઉપચાર) પૂજા કરવામાં આવે છે. આ દિવસે લીમડાનાં કુમળાં પાન ખાવાની પ્રથા છે. તેમજ આ દિવસે લીમડો નાખીને તૈયાર કરવામાં આવેલ પ્રસાદ લેવા પાછળ પણ વિજ્ઞાન છે. લીમડાનાં પાન, ફૂલ, ચણાની પલાળેલી દાળ, જીરુ, હિંગ, આંબલી, ગોળ, મીઠું અને મધ નાખીને પ્રસાદ અને ચટણી તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે આ પ્રસાદ લેવાથી શરીરમાં શક્તિનું નિર્માણ થાય છે. ઊર્જા પ્રાપ્ત થાય છે અને આપણે આખું વર્ષ નિરોગી રહીએ છીએ. આ દિવસે વિવિધ જગ્યા પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. આ જ દિવસે મહારાષ્ટ્રના લોકો નવી વસ્તુઓની ખરીદી કરે છે. જેમકે, વાહન, કપડાં અને સોનું, તેમજ ગૃહપ્રવેશ અને નવો વ્યવસાય કે ઉપક્રમ પણ આરંભ કરવામાં આવે છે. ગુડી પડવો એ વિજય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

19th March

Read more
ગુડી પડવો
19th March
ચૈત્ર સુદ એકમ ભારતના ઘણા વિસ્તારોમાં નવા વર્ષના પ્રારંભનો દિવસ છે. આ દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાડી તરીકે ઊજવવામાં આવે છે. જ્યારે ગોવા અને કેરળમાં કોંકણી સમુદાયના લોકો તેને સંવત્સરી પડવાના નામથી પણ ઊજવે છે. આ દિવસે ઘરની બહાર ગુડી બાંધવાની પરંપરા છે. ગુડી અને પડવો શબ્દમાં ગુડીને પતાકા અથવા ધ્વજ કહેવામાં આવે છે. જ્યારે પડવો શબ્દ પ્રતિપદા (એકમ) તિથિ સાથે સંબંધિત છે. ગુડી પડવાના તહેવારની ઉજવણી પાછળ માત્ર નવા વર્ષની શરૂઆત જ નથી, પરંતુ તેની સાથે કેટલીક દતકથા જોડાયેલી છે. રામાયણની ધાર્મિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, આ દિવસે મર્યાદાપુરુષોત્તમ...
Read more
વિશ્વ જળ દિન
વિશ્વ જળ દિન

જળ એ કુદરત તરફથી મળેલ અણમોલ ભેટ છે. "જળ છે તો જીવન છે" એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પાણી જ આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવસૃષ્ટિ માટે જીવાદોરી છે. પાણી વગર કોઈ પણ સજીવનું જીવન સંભવ નથી. આપણે કદાચ ખોરાક વગર થોડાક દિવસ જીવી શકીએ પણ પાણી વગર નહીં. પૃથ્વી પર જીવ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જળની અનિવાર્યતા અનિયંત્રિતા અને તેનું મહત્વ સમજાવવા વિશ્વમાં 22 માર્ચ ના દિવસે વિશ્વ જળ દિન ઉજવવામાં આવે છે. વિશ્વ જળ દિન ઉજવવાનો મુખ્ય ઊદ્દેશ વિશ્વના લોકોને પાણીનું મહત્વ સમજાવવાનો તેમજ સમગ્ર પૃથ્વી ઉપર તોળાઈ રહેલા જળસંકટ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વર્ષ 1992 માં બ્રાઝિલના રિયો ડી જાનેરો માં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ યોજાઈ હતી, આ દિવસે વિશ્વ જળ દિનનો વિચાર આવ્યો હતો. 1993 ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ, 22 માર્ચ ના દિવસને વિશ્વ જળ દિન ઘોષિત કરેલો છે. 'વિશ્વ જળ દિવસ' (World Water Day) દર વર્ષે 1993 થી ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ પાણીના મૂલ્યને લોકો સમજે અને પાણીની બચત કરે તેવો છે. વરસાદ એ જળનો મુખ્ય સ્રોત છે. નદી, તળાવ, સરોવર, કૂવા, મહાસાગર વગેરે પણ અન્ય જળસ્રોતો છે. પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે, પણ પૃથ્વી પર રહેલા કુલ પાણીના જથ્થામાંથી આશરે 97% પાણી ખારું છે, પીવા યોગ્ય નથી. માત્ર 3% જેટલું પાણી જ પીવા યોગ્ય છે, જેમાંથી આશરે 2% પાણી તો જમીન અને વાતાવરણમાં રહેલા ભેજ સ્વરૂપે તથા બરફ સ્વરૂપે રહેલું છે એટલે ખરેખર જોઈએ તો આશરે 1% પાણી જ ઉપયોગમાં આવે એવું છે. આથી દરેક વ્યક્તિએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને પાણીનો બચાવ કરવો જોઈએ. એક સમય હતો જ્યારે જગ્યાએ  જગ્યાએ નદી, તળાવ, નહેર, કૂવા દેખાતા હતા, પરંતુ ઉદ્યોગીકરણની રાહ પર ચાલી રહેલી દુનિયાએ આ દ્રશ્યને ઘણા અંશે બદલી દીધું છે. તળાવ, કૂવા, નહેર વગેરે સુકાતાં જાય છે. નદીનું પાણી પ્રદૂષિત થવાની સાથે સાથે ઓછું થઈ રહ્યું છે, જળસંકટ વધતું જાય છે. ધરતી પરના જળનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. પૃથ્વી પર ભૂગર્ભ જળનું સ્તર પણ સતત ઘટી રહ્યું છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તેને કારણે જળની અછત સર્જાતી જાય છે. તે બાબતને ધ્યાને રાખીને જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબજ જરૂરી છે. જળ એ મર્યાદિત સંસાધન છે. તેના સ્થાને કોઈપણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. પર્યાવરણ જીવંત છે તો તે જળસંસાધનને કારણે જ, તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે. દુનિયામાં જે જળસંસાધનો ઉપલબ્ધ છે એની જાળવણી કરવા સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશો પોતપોતાને ત્યાં નક્કર પગલાં લે અને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની ભલામણોનો અમલ કરીને વિશ્વ જળ દિન માટે સમર્પિત બને તેવો હેતુ છે. કહેવાય છે કે, ‘ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે' આ ઉક્તિ આમ સાચી પણ લાગે છે. જે રીતે સમગ્ર પૃથ્વી પર પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુદ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ વગેરે જેવા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે. સાંપ્રત સમયમાં પીવાલાયક પાણીની યોગ્ય માવજત, તેનો બચાવ, તેને પ્રદૂષણમુક્ત રાખવું અને જમીનમાં ઘટતા જતા જળસ્તરને બચાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. વરસાદના વહી જતા પાણીને આપણા દરેકના ઘરની જગ્યાએ ઉપલબ્ધ જમીન મુજબ જરૂરી ભૂગર્ભ ટાંકાઓ બનાવવાં, વનવિભાગ તરફથી વિનામૂલ્યે અપાતા વૃક્ષોના રોપાનું વાવેતર કરવું, વૃક્ષોનું  બિનજરૂરી નિકંદન ન કરતાં તેને નિભાવવા વગેરે બાબતો પ્રત્યે લોકો જાગૃત બને તેવા પ્રયત્નો કરવા જોઈએ.

22nd March

Read more
વિશ્વ જળ દિન
22nd March

જળ એ કુદરત તરફથી મળેલ અણમોલ ભેટ છે. "જળ છે તો જીવન છે" એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પાણી જ આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવસૃષ્ટિ માટે જીવાદોરી છે. પાણી વગર કોઈ પણ સજીવનું જીવન સંભવ નથી. આપણે કદાચ ખોરાક વગર થોડાક દિવસ જીવી શકીએ પણ પાણી વગર નહીં. પૃથ્વી પર જીવ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જળની અનિવાર્યતા અનિયંત્રિતા અને તેનું મહત્વ સમજાવવા વિશ્વમાં 22 માર્ચ ના દિવસે વિશ્વ જળ દિન ઉજવવામાં આવે છે. વિશ્વ જળ દિન ઉજવવાનો મુખ્ય ઊદ્દેશ વિશ્વના લોકોને પાણીનું મહત્વ સમજાવવાનો તેમજ સમગ્ર પૃથ્વી ઉપર તોળાઈ રહેલા...

Read more
શહીદ દિન
શહીદ દિન

"शहीदों की चिताओं पर जुड़ेंगे हर बरस मेले,वतन पर मरनेवालों का यही बाक़ी निशाँ होगा। " 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ના બલિદાનની સ્મૃતિમાં ‘શહીદ દિન' ઉજવી તેઓને અંજલિ આપવામાં આવે છે. 23 માર્ચ, 1931 ના રોજ તેઓને અંગ્રેજોએ ફાંસી આપી હતી. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો. તેમનો આશય કોઈની હત્યા કરવાનો નહીં, પરંતુ અંગ્રેજોના બહેરા કાનને ખોલવાનો હતો. આ ઘટના બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા થઈ. આ ત્રણેય ક્રાંતિવીરોએ ભારતને આઝાદી અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની દેશભક્તિની ભાવનાને કારણે તેઓને આજે પણ ભારતનાં યુવાનો માટે પ્રેરણાસ્રોત માનવામાં આવે છે. ખૂબજ નાની ઉંમરે તેમણે હિંમતભેર દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. શહીદ દિન આ ત્રણ ક્રાંતિવીરોના બલિદાનને યાદ કરવા માટે તો છે જ, સાથે સાથે અંગ્રેજોના દમનકારી શાસન સામે માતૃભૂમિનો અવાજ બનેલા અનેક રાષ્ટ્રભક્તો અને તેમના બલિદાનને પણ યાદ કરવાનો છે. આજે આપણે સ્વતંત્રતાનાં મીઠાં ફળ પામ્યા છીએ તે આવા અનેક લોકોના ત્યાગ અને બલિદાનના કારણે છે. રાષ્ટ્રના સપૂતોને વંદન કરીએ અને તેઓએ અપાવેલી આઝાદીનું જતન કરવા સંકલ્પ લઈએ.

23rd March

Read more
શહીદ દિન
23rd March

"शहीदों की चिताओं पर जुड़ेंगे हर बरस मेले,
वतन पर मरनेवालों का यही बाक़ी निशाँ होगा। "

23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ના બલિદાનની સ્મૃતિમાં ‘શહીદ દિન' ઉજવી તેઓને અંજલિ આપવામાં આવે છે. 23 માર્ચ, 1931 ના રોજ તેઓને અંગ્રેજોએ ફાંસી આપી હતી.

ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો. તેમનો આશય કોઈની હત્યા કરવાનો નહીં, પરંતુ અંગ્રેજોના બહેરા કાનને ખોલવાનો હતો. આ ઘટના બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો ભગતસિંહ, રાજગુરુ...

Read more
વિશ્વ હવામાન દિન
વિશ્વ હવામાન દિન

વિશ્વભરમાં દર વર્ષે 23 માર્ચે ‘વિશ્વ હવામાન દિન' અથવા વિશ્વ હવામાનશાસ્ત્ર દિન (World MeteorologicalDay) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને હવામાન વિજ્ઞાનની સાથે તેમાં થઈ રહેલા પરિવર્તન વિશે જાણકારી આપીને જાગૃતિ ફેલાવવાનો, ધરતી પરના વાતાવરણમાં થતા બદલાવને કારણે હવામાનમાં થતા ફેરફારો પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો, લોકોને દૂષિત હવામાનથી વાકેફ કરી તેનાથી થતા નુકસાનથી બચવાનો છે. વિશ્વ હવામાન દિન સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્ત્વનો છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવામાનમાં થતા ફેરફારો માટે હવાનું તાપમાન, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળોનું પ્રમાણ, વરસાદ, ભેજ વગેરે જવાબદાર હોય છે. વાતાવરણનો તાગ મેળવી અને તેની હકારાત્મક અને નકારાત્મક અસરને જાણવાના હેતુથી 1950 ની સાલમાં વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થા (World meteorological organization)ની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્યમથક જિનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. દુનિયાભરમાં લગભગ 191 દેશો વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થાના સભ્ય છે. આ સંસ્થા પૂર અને દુષ્કાળ જેવી પ્રાકૃતિક આફતો વિશે આગાહી કરે છે, જેથી તેનાથી ભવિષ્યમાં થનારા નુકસાનથી બચી શકાય. વિશ્વ હવામાન દિન વિશ્વ હવામાન સંસ્થાની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે ઉજવવામાં આવે છે. પ્રથમ 'વિશ્વ હવામાન દિન' 23 માર્ચ, 1961 ના રોજ યોજાયો હતો. ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર ટેલિવિઝન, રેડિયો, અખબારો અને  વૅબસાઇટ દ્વારા બહાર પાડે છે. તેની સ્થાપના 1875 માં કોલકાતામાં કરવામાં આવી હતી. તેની મુખ્ય કચેરી 1905 માં પૂણેમાં સ્થાપવામાં આવી હતી જે હવે દિલ્લી ખાતે ખસેડવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની કચેરી દરેક રાજ્યના પાટનગરમાં પણ આવેલી હોય છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યાં છે જેના આધારે હવામાનની આગાહી થાય છે. આ દિવસે દુનિયાભરમાં હવામાન દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને લોકોને હવામાનની બાબતો પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત ભારતનું પ્રથમ એવું રાજ્ય છે, જેણે હવામાન અંગેની જાગૃતિ લાવવા ‘ક્લાઇમેટ ચેન્જ' નામનો ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો છે.

23rd March

Read more
વિશ્વ હવામાન દિન
23rd March

વિશ્વભરમાં દર વર્ષે 23 માર્ચે ‘વિશ્વ હવામાન દિન' અથવા વિશ્વ હવામાનશાસ્ત્ર દિન (World MeteorologicalDay) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને હવામાન વિજ્ઞાનની સાથે તેમાં થઈ રહેલા પરિવર્તન વિશે જાણકારી આપીને જાગૃતિ ફેલાવવાનો, ધરતી પરના વાતાવરણમાં થતા બદલાવને કારણે હવામાનમાં થતા ફેરફારો પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો, લોકોને દૂષિત હવામાનથી વાકેફ કરી તેનાથી થતા નુકસાનથી બચવાનો છે. વિશ્વ હવામાન દિન સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્ત્વનો છે.

હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવામાનમાં થતા ફેરફારો માટે હવાનું તાપમાન, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળોનું પ્રમાણ, વરસાદ, ભેજ વગેરે...

Read more
કવિ દલપતરામ પુણ્યતિથિ
કવિ દલપતરામ પુણ્યતિથિ

દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનો જન્મ 21 જાન્યુઆરી, 1820 રોજ સુરેન્દ્રનગરના વઢવાણમાં થયો હતો. દલપતરામ તરીકે તેઓ વધુ જાણીતા છે. તેઓ ગુજરાતી ભાષાના કવિ હતા. લોકોની જીભે રમતાં અનેક કાવ્યો કવિ દલપતરામે લખ્યાં છે. આ કાવ્યોનો ગુજરાત રાજયની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો. એલેકઝાન્ડર ફાર્બસે કવિ દલપતરામને 'કવિશ્વર' ઉપનામ આપ્યું હતું. કવિ દલપતરામના પિતાનું નામ ડાહ્યાભાઈ ત્રવાડી અને માતાનું નામ અમૃતબા હતું. દલપતરામે ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ સામવેદનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેમની પ્રથમ કવિતા 'બાપાની પીંપર' હતી. બચપણમાં એમણે 'કમળલોચિની' અને 'હીરાદંતી' નામે બે વાર્તાઓ દોહરા, ચોપાઈમાં રચેલી. 'જ્ઞાનચાતુરી' નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો. તેમણે કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, નાટક વગેરેનું સર્જન કર્યુ. દલપતરામ અમદાવાદમાં રહેવા આવ્યા ત્યારે અમદાવાદના આસિસ્ટન્ટ જજ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ સાથે મિત્રતા થઈ જે ગુજરાતી સાહિત્યના વિકાસ માટે વિરલ ઘટના ગણાય છે. ફાર્બસે ગુજરાતી સાહિત્યના વિકાસ માટે 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' નામની સંસ્થા સ્થાપી હતી. જે બાદમાં 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાઈ હતી. આ સંસ્થામાં દલપતરામે ચોવીસ વર્ષ સુધી સેવા આપી હતી. આ સંસ્થાના મુખપત્ર 'બુદ્ધિપ્રકાશ'ના સૌપ્રથમ તંત્રી તરીકે પણ તેમણે કાર્ય સંભાળ્યું હતું. ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને પ્રયોજવાનું શ્રેય દલપતરામને જાય છે. ગુજરાતી સાહિત્યમાં દલપતરામનું સર્જન ચિરસ્થાયી છે. એમનો સમયકાળ ગુજરાતી સાહિત્યમાં 'દલપતયુગ' તરીકે ઓળખાય છે. તેઓએ હુન્નરખાનની ચઢાઇ, માના ગુણ, દલપતકાવ્યો (ભાગ: ૧ અને ૨), ફાર્બસ વિરહ જેવી કવિતાઓ, ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો, મિથ્યાભિમાન, લક્ષ્મી, સ્ત્રીસંભાષણ ગંગાબાઈ જમનાબાઈની વાત વગરે નાટકો, દલપતપિંગળ, ગુજરાતી ભાષાના કવિઓનો ઈતિહાસ જેવી કૃતિઓની રચના કરી છે. દલપતરામમાં 'પંચતંત્ર'ના કર્તાના જેવી મનુષ્ય સ્વભાવની પરખ અને તીક્ષ્ણ વ્યવહારબુદ્ધિ હતી. તેની પ્રતીતિ તેમનાં સર્જેલાં માનવપાત્રો અને પશુપંખીમાં થાય છે. તેનાં ઉદાહરણમાં જીવરામ ભટ્ટ, અંધેરીનગરીનો ગંડુ રાજા, લાલો બારોટ, રાજદરબારમાં ગયેલો કણબી, બેગરજુ કેશવો, શરણાઈવાળો, ભોળોભાભો વગેરે માનવપાત્રો હતાં. તેમજ સિંહને શિકારીથી ચેતવાનું કહેવા ગયેલી બકરી, પોતાના ગર્જતા પ્રતિબિંબને જોઈ કૂવામાં પડનાર સિંહ, તેને આપઘાત કરવા પ્રેરનાર શિયાળ, ભસીને ગૌરવ લેતો કૂતરો, વાંકદેખું ઊંટ, પરસ્પર વિવાદ કરતા કાક-હંસ, માની શિખામણને અવગણીને હેરાન થનાર માખીનું બચ્યું વગેરે પશુપંખીનાં દૃષ્ટાંતોમાં પણ એનો ખ્યાલ આવે છે. કવિ દલપતરામની સ્મૃતિમાં 2010થી 'કવિશ્વર દલપતરામ એવોર્ડ' એનાયત થાય છે. અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં તેમના નામે 'કવિ દલપતરામ ચોક' પણ આવેલો છે જ્યાં તેમનું એક સ્મારક છે. અહીં કવિશ્વર દલપતરામનું 120 કિલોગ્રામનું માનવ કદનું બાવલું પણ મૂકવામાં આવેલું છે. કવિ દલપતરામનું અવસાન 25 માર્ચ 1898 ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.

25th March

Read more
કવિ દલપતરામ પુણ્યતિથિ
25th March

દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનો જન્મ 21 જાન્યુઆરી, 1820 રોજ સુરેન્દ્રનગરના વઢવાણમાં થયો હતો. દલપતરામ તરીકે તેઓ વધુ જાણીતા છે. તેઓ ગુજરાતી ભાષાના કવિ હતા. લોકોની જીભે રમતાં અનેક કાવ્યો કવિ દલપતરામે લખ્યાં છે. આ કાવ્યોનો ગુજરાત રાજયની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો. એલેકઝાન્ડર ફાર્બસે કવિ દલપતરામને 'કવિશ્વર' ઉપનામ આપ્યું હતું.

કવિ દલપતરામના પિતાનું નામ ડાહ્યાભાઈ ત્રવાડી અને માતાનું નામ અમૃતબા હતું. દલપતરામે ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ સામવેદનો અભ્યાસ શરૂ કર્યો હતો....

Read more
ચેટીચાંદ
ચેટીચાંદ

'ચેટી' એટલે ચૈત્ર અને 'ચંદ' એટલે ચંદ્ર, ચેટીચંદ (ચેટીચાંદ) એટલે ચૈત્ર માસની પ્રથમ ચંદ્ર તિથિ અને સિંધીઓનું નૂતન વર્ષ ચેટીચંદ એ વિશ્વભરમાં સિંધી લોકોનો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક તહેવાર છે. સિંધી એટલે હાલ પાકિસ્તાન (પૂર્વ અખંડ ભારતમાં) સ્થિત સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે. તેમના ઈષ્ટદેવ ઝુલેલાલ છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે. સંવત 1007માં આજના દિવસે અવતારી પુરુષ ઉદયચંદનો જન્મ થયો હતો. જેઓ ભગવાન ઝુલેલાલ તરીકે પણ ઓળખાય છે. તેથી આ મહાન પુરુષની જયંતી તરીકે પણ 'ચેટીચંદ' ઉજવવામાં આવે છે. સિંધી સાહિત્યકારો અને વિદ્વાનોએ ચેટીચંદના તહેવારને સિંધી દિવસ' તરીકે ઊજવવાની સલાહ આપી. તેથી ચેટીચંદના તહેવારને સિંધી દિવસ તેમજ 'દરિયાલાલ જયંતી' પણ કહેવામાં આવે છે. સિંધી સંસ્કૃતિનું અમર પર્વ દર વર્ષે દેશ વિદેશમાં ઉત્સાહ અને ઊમંગથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઝુલેલાલના મંદિર ખાતે ઝુલેલાલ ભગવાનની પૂજા, શ્રી ભેરાણાસાહેબની પૂજા અને મહાપ્રસાદી (ભંડારો) થાય છે. ચેટીચંદના તહેવાર પાછળ વરુણ દેવતા અને ઝુલેલાલની પ્રાગટ્યકથા પણ જોડાયેલી છે. ચેટીચંદના દિવસે સિંધીઓ ભૂતકાળના વિખવાદ ભૂલીને એકબીજાને ખૂબ પ્રેમથી ભેટે છે આ દિવસે તેઓ ઝુલેલાલને ઉડેરોલાલ, દરિયાશાહ, લાલસાઈ, જ્યોતિનવારો, જિંદપીર જેવાં નામોથી પોકારે છે. તેમનો પ્રાગટયદિન યા જન્મદિન હોવાથી સિંધીઓ આ દેવતાની મૂર્તિને શણગારી તેમની જ્યોતિ પ્રગટાવી શહેરના γει વિસ્તારોમાં શોભાયાત્રા કાઢે છે. નાના-મોટા અને ગરીબ- તવંગરના ભેદભાવ ભૂલી જઈને ઝુલેલાલની જય પોકારતા શહેરમાં ફરીને નદી, સાગર કે જળાશયમાં ઝુલેલાલની જ્યોતનું વિસર્જન કરે છે. નૂતન વર્ષના અભિનંદન પાઠવવા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે જેમાં 'બહેરાના' (જ્યોત)ની શોભાયાત્રામાં સિંધી લોકનૃત્ય કે 'છેજ તેમજ 'ઝુમિર'નું આકર્ષણ અનેરું હોય છે. ઝુલેલાલનાં સ્તુતિ ગીતો ‘પંજડો' ગાતા અને દાંડિયારાસ રમતાં 'આયોલાલ ઝૂલેલાલ'ના ગગનભેદી નારા લગાવે છે. સિંધીઓ શોભાયાત્રામાં 'તાહીરી' (મીઠો ભાત)નો પ્રસાદ વહેંચે છે તેમજ કાબુલીચણાના વિતરણ સાથે દૂધનું શરબત પણ પીવડાવવામાં આવે છે. આ દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહભોજનનું આયોજન કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે અગત્યના શુભપ્રસંગો જેવા કે જનોઈ, ગૃહપ્રવેશ વગેરે યોજવામાં આવે છે. આ દિવસ પૂજા આરાધના કરવાનું પર્વ θ.

26th March

Read more
ચેટીચાંદ
26th March
'ચેટી' એટલે ચૈત્ર અને 'ચંદ' એટલે ચંદ્ર, ચેટીચંદ (ચેટીચાંદ) એટલે ચૈત્ર માસની પ્રથમ ચંદ્ર તિથિ અને સિંધીઓનું નૂતન વર્ષ ચેટીચંદ એ વિશ્વભરમાં સિંધી લોકોનો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક તહેવાર છે. સિંધી એટલે હાલ પાકિસ્તાન (પૂર્વ અખંડ ભારતમાં) સ્થિત સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે. તેમના ઈષ્ટદેવ ઝુલેલાલ છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે. સંવત 1007માં આજના દિવસે અવતારી પુરુષ ઉદયચંદનો જન્મ થયો હતો. જેઓ ભગવાન ઝુલેલાલ તરીકે પણ ઓળખાય છે. તેથી આ મહાન પુરુષની જયંતી તરીકે પણ 'ચેટીચંદ' ઉજવવામાં આવે છે. સિંધી સાહિત્યકારો અને વિદ્વાનોએ ચેટીચંદના તહેવારને સિંધી દિવસ' તરીકે ઊજવવાની સલાહ આપી....
Read more
રામનવમી
રામનવમી

ભારતીય પરંપરામાં શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમી મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે. ચૈત્ર માસની શુક્લપક્ષની નોમના દિવસે આ તહેવારની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક થાય છે. રામાયણ જેવા આર્ષગ્રંથ અનુસાર શ્રીરામનો જન્મ અયોધ્યામાં રઘુકુળના યશસ્વી રાજવી દશરથનાં રાણી કૌશલ્યાના રૂખે થયો હતો. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મુજબ શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા. શ્રીરામનું જીવન ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. વિશ્વના સાહિત્ય ઉપર પણ તેની ઊંડી અસર જોઈ શકાય છે. નાની વયમાં જ વિશ્વામિત્ર જેવા ઋષિઓ દ્વારા લોકકલ્યાણના હેતુથી થતા યજ્ઞોનું રક્ષણ કરી પોતાના અવતારકાર્યનો પ્રારંભ કર્યો. જનક રાજાએ યોજેલ સીતાસ્વયંવરમાં શ્રીરામે ધનુષ્યભંગ કર્યો. રાજગાદી ઉપર બેસવાના દિવસે જ કૈકેયીએ 'ભરતને રાજગાદી અને રામને વનવાસ' એવું રાજા દશરથ પાસે વરદાન માગતાં વયન પાલનના હેતુથી રામે વનવાસ સ્વીકાર્યો. સીતામાતાનું હરણ થતા રાવણ ઉપર વિજય મેળવી, તેના અત્યાચારી શાસનનો અંત આણ્યો. આ દરેક કથા ભારતીય સમાજમાં ખૂબ જ જાણીતી છે. શ્રીરામનું જીવન આજે પણ આદર્શ માનવામાં આવે છે. તેમણે પુત્ર તરીકેની હોય કે પિતા તરીકેની દરેક ભૂમિકા આદર્શ રીતે ભજવી હતી. આજે પણ આદર્શ રાજ્યની કલ્પના કરવા 'રામરાજ્ય' શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વનવાસ દરમિયાન કેવટ સાથે મૈત્રીની ઘટના અને શબરીનાં એઠાં બોર ખાવાની ઘટનામાં તેમની સરળતા અને સહજતા જોવા મળે છે. રાવણના અતિશક્તિશાળી ગણાતા સૈન્ય સામે વાનરસેનાને સાથે લઈ યુદ્ધ કરવાનું મહાન કાર્ય તેમણે અદભુત રીતે કરી બતાવ્યું હતું. તેમના આ કાર્યનો જોટો જડવો મુશ્કેલ છે. રાજા તરીકે પોતાનું જીવન તમામ અપવાદોથી મુક્ત હોવું જોઈએ. આ આદર્શની સ્થાપના માટે પોતે દુ:ખ સહન કરીને સીતાનો ત્યાગ કર્યો. તે પછી તેમણે હૃદયમાં કરુણરસ ભરીને લોક આરાધનાનું કાર્ય કર્યું. તેમના આદર્શ 디어에 કારણે આજે पा લોકમાનસમાં નામ તેમનું મર્યાદાપુરુષોત્તમ તરીકે અંકિત થયેલું છે. ભગવાન શ્રીરામના પાવન ચરિત્રનું સ્મરણ કરવા ભારતનાં तमाम રાજ્યોમાં આ ઉત્સવ ભિન્નભિન્ન રીતે ઊજવવામાં આવે છે. ક્યાંક શોભાયાત્રા હોય. ક્યાંક સમલીલા ભજવાય. મંદિરોમાં મહાપૂજા થાય, રામચરિત માનસનું ગાન થતું હોય, દાન, ઉપવાસ, યજ્ઞ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં છે. રામાયણની મુખ્ય મુખ્ય ઘટનાઓને એક શ્લોકમાં સમાવવામાં આવી છે. જેને એક શ્લોકી રામાયણ તરીકે પણ ઓળખવામાં છે. आदी राम तपोवनादि गमनं, हत्वा मूग कांचनं । वैदेहिहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणं ॥ वालि निर्दलनं समुद्रतरण लंकापुरीदाहनम् । पश्चाद रावण कुम्भकर्ण हननं एतद्वि रामायणम्॥ તાજેતરમાં જ રામચંદ્રજીની જન્મભૂમિ અયોધ્યા (ઉત્તરપ્રદેશ)માં 22 જાન્યુઆરી, 2024ના દિવસે શ્રી રામચંદ્રજીની બાળસ્વરૂપની મૂર્તિની સ્થાપના કરવામાં આવી.

26th March

Read more
રામનવમી
26th March
ભારતીય પરંપરામાં શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમી મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે. ચૈત્ર માસની શુક્લપક્ષની નોમના દિવસે આ તહેવારની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક થાય છે. રામાયણ જેવા આર્ષગ્રંથ અનુસાર શ્રીરામનો જન્મ અયોધ્યામાં રઘુકુળના યશસ્વી રાજવી દશરથનાં રાણી કૌશલ્યાના રૂખે થયો હતો. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મુજબ શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા. શ્રીરામનું જીવન ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. વિશ્વના સાહિત્ય ઉપર પણ તેની ઊંડી અસર જોઈ શકાય છે. નાની વયમાં જ વિશ્વામિત્ર જેવા ઋષિઓ દ્વારા લોકકલ્યાણના હેતુથી થતા યજ્ઞોનું રક્ષણ કરી પોતાના અવતારકાર્યનો પ્રારંભ કર્યો. જનક રાજાએ યોજેલ સીતાસ્વયંવરમાં શ્રીરામે ધનુષ્યભંગ કર્યો. રાજગાદી ઉપર બેસવાના દિવસે જ કૈકેયીએ 'ભરતને રાજગાદી...
Read more
વિશ્વ રંગમંચ દિન
વિશ્વ રંગમંચ દિન

દર વર્ષે 27મી માર્ચ ના રોજ ‘વિશ્વ રંગમંચ દિન'ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં રંગમંચને પોતાની અલગ ઓળખ અપાવવા માટે આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય જૂન, 1961 માં યોજાયેલી રંગભૂમિની આંતરરાષ્ટ્રીય પરિષદમાં લેવામાં આવ્યો હતો. રંગમંચ એટલે જ્યાં કલાની પ્રસ્તુતિ કરવામાં આવે તે મંચ (ભૂમિ). તે સમગ્ર વિશ્વમાં કલા, સંસ્કૃતિ અને પરંપરાને પ્રદર્શિત કરવાની અગ્રણી રીતો પૈકીની એક છે. રંગમંચ દ્વારા જ એક નાનો કલાકાર વિશ્વસ્તર પર અભિનય આપતો બને છે. પ્રત્યેક કલાકારના ઘડતરમાં રંગમંચનો ખૂબ મહત્વનો અને પાયાનો ભાગ હોય છે. રંગમંચ એ માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ એથી પણ વિશેષ તે સમાજશિક્ષણ એટલે કે લોકશિક્ષણનું કાર્ય કરી સંસ્કાર ઘડતરનું કાર્ય પણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો રંગમંચ એ પ્રજાના સંસ્કાર ઘડનારી યુનિવર્સિટી છે. રંગમંચ એ એવું સફળ અને મજબૂત માધ્યમ છે કે તે સીધું લોકોના માનસપટ પર અસરકારક રીતે કોઈ પણ સંદેશાને પહોંચાડતું હોય છે. સમાજ સુધારાની સાથે સામાજિક ચળવળો માટે પણ રંગમંચ ખૂબજ મહત્વનું પ્લેટફોર્મ બની રહ્યું છે. રંગલો અને રંગલી જેવાં યાદગાર પાત્રો પણ આપણી વચ્ચે રંગમંચના માધ્યમ દ્વારા જ પહોંચ્યાં છે. કલાના શાશ્વત સ્વરૂપ તરીકે રંગમંચ માનવજીવનના પ્રસંગોને નિરૂપે છે. રંગમંચ નાટકથી લઈને આધુનિક વાર્તા કહેવા સુધી, સ્વાગતથી લઈને સંગીત સુધી, ખુલ્લાં મેદાનોમાં થતા પ્રદર્શનથી લઈ બંધ ઑડિટોરિયમ સુધીની સફર દરમિયાન વિકસિત થયું છે. રંગમંચ માટે કહેવાય છે કે ‘જાણ્યું એટલું ઝાઝું અને માણી એટલી મોજ.' આથી રંગભૂમિ સાથે સંકળાયેલા કલાકારો-નાટ્યકર્મીઓને પ્રોત્સાહિત અને પ્રેરિત કરવા અને નાટ્ય પરંપરાને જાળવી રાખવા માટે આ દિવસ  ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વના સમાજ અને લોકોને રંગભૂમિની સંસ્કૃતિ વિશે માહિતી આપવી નાટ્ય સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં રસ પેદા કરવો અને તેની સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવું વિશ્વભરમાં રંગમંચનો પ્રચાર કરવો, લોકોને રંગમંચની જરૂરિયાતો અને મહત્વ વિશે વાકેફ કરવા, રંગભૂમિનો આનંદ માણવો અને અન્ય લોકો સાથે આ આનંદ વહેંચવો વગેરે જેવા ઉદ્દેશો સાથે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર રંગમંચ સાથે જોડાયેલા કલાકારો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. ભારત સહિત દુનિયાભરમાં ઘણાં સ્થળોએ પ્રખ્યાત કલાકારો દ્વારા લોકપ્રિય નાટકો પ્રસ્તુત કરવામાં આવે છે. આ દિવસે વિશ્વને આંતરરાષ્ટ્રીય રંગમંચ સંદેશ આપવાની પણ પરંપરા છે, જેને માટે દર વર્ષે રંગભૂમિના પ્રખ્યાત કલાકારોમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે છે. વિશ્વ રંગમંચ દિવસનો પ્રથમ સંદેશ 1962 માં જીન કોક્યુટ દ્વારા આપવામાં આવ્યો હતો. આ દિવસ દર વર્ષે એકજ થીમ ‘થિયેટર એન્ડ અ કલ્ચર ઓફ પીસ' પર ઉજવવામાં આવે છે.

27th March

Read more
વિશ્વ રંગમંચ દિન
27th March

દર વર્ષે 27મી માર્ચ ના રોજ ‘વિશ્વ રંગમંચ દિન'ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં રંગમંચને પોતાની અલગ ઓળખ અપાવવા માટે આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય જૂન, 1961 માં યોજાયેલી રંગભૂમિની આંતરરાષ્ટ્રીય પરિષદમાં લેવામાં આવ્યો હતો.

રંગમંચ એટલે જ્યાં કલાની પ્રસ્તુતિ કરવામાં આવે તે મંચ (ભૂમિ). તે સમગ્ર વિશ્વમાં કલા, સંસ્કૃતિ અને પરંપરાને પ્રદર્શિત કરવાની અગ્રણી રીતો પૈકીની એક છે. રંગમંચ દ્વારા જ એક નાનો કલાકાર વિશ્વસ્તર પર અભિનય આપતો બને છે. પ્રત્યેક કલાકારના ઘડતરમાં રંગમંચનો ખૂબ...

Read more
મહાવીર જન્મજયંતી (મહાવીર જન્મ કલ્યાણક)
મહાવીર જન્મજયંતી (મહાવીર જન્મ કલ્યાણક)

અહિંસા, દયા, ક્ષમા. શાંતિ, મિત્રતાનું શિક્ષણ આપનાર તેમજ શાંતિથી ક્રોધ પર વિજય મેળવો, દયાથી દૃષ્ટો પર વિજય મેળવો અને અસત્ય પર સત્યનો વિજય થવા દો જેવાં ઉપદેશ આપનાર મહાવીર સ્વામી જૈન સંપ્રદાયના 24માં તીર્થંકર હતા. મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. મહાવીર સ્વામીનો જન્મ વજિજ સંઘના ગણરાજ્ય કુંડગ્રામના ક્ષત્રિય વંશમાં ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. આ દિવસને 'વીરતેરસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેઓ વીર, અતિવીર, સંમતિ, મહાવીર તથા વર્ધમાન તરીકે પણ ઓળખાય છે. તેમના જન્મ પહેલાં ઘણી સારી ઘટનાઓ ઘટી હતી. જેમકે વૃક્ષો પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું અને રાણી ત્રિશલાને સોળ શુભ સ્વપ્નો આવવાં. જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિહ્ન મનાય છે. જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇંદ્ર તીર્થંકરને મેરુપર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઊજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. તેમનો જન્મદિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઊજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્ત્વપૂર્ણ તહેવાર હોય છે. ત્રીસ વર્ષની વયે મહાવીર સ્વામીએ સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ 'જિન' કહેવાયા અને વર્ધમાન મહાવીર' તરીકે જાણીતા થયા. મહાવીર સ્વામીએ ભારતના લોકોને આત્માની મુક્તિનો માર્ગ બતાવ્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર વિહાર કરતા. મહાવીર સ્વામી સંસારને ભય અને દુઃખોથી ભરેલો માનતા તેમના ઉપદેશને 'ત્રિરત્ન સિદ્ધાંત' તરીકે ઓળખવામાં આવે છે. જે અનુક્રમે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચરિત્ર છે. મહાવીર સ્વામીએ પાંચ અમૂલ્ય મહાવતો આપ્યા છે. અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય. કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. 72 વર્ષ અને સાડા ચાર માસની ઉંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં દિવાળીના દિવસે (જૈન વર્ષનો અંતિમ દિવસ) નિર્વાણ પામ્યા. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈન સમુદાય ઉત્સવ મનાવે છે. મહાવીર જયંતીના દિવસે જૈન દેરાસરોમાં ભવ્ય આંગી થાય છે. ભગવાનનો અભિષેક, પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યાર બાદ જૈનબંધુઓ શોભાયાત્રામાં જોડાય છે. જૈન સાધુસાધ્વીનાં પ્રવચનોનું આયોજન થાય છે. જૈનમંદિરમાં મહાવીર સ્વામીના જીવન અને કવન પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે. જૈનબંધુઓ ધર્મકાર્યમાં જોડાઈ મહાવીર જયંતીની ઉજવણી કરે છે.

31st March

Read more
મહાવીર જન્મજયંતી (મહાવીર જન્મ કલ્યાણક)
31st March
અહિંસા, દયા, ક્ષમા. શાંતિ, મિત્રતાનું શિક્ષણ આપનાર તેમજ શાંતિથી ક્રોધ પર વિજય મેળવો, દયાથી દૃષ્ટો પર વિજય મેળવો અને અસત્ય પર સત્યનો વિજય થવા દો જેવાં ઉપદેશ આપનાર મહાવીર સ્વામી જૈન સંપ્રદાયના 24માં તીર્થંકર હતા. મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. મહાવીર સ્વામીનો જન્મ વજિજ સંઘના ગણરાજ્ય કુંડગ્રામના ક્ષત્રિય વંશમાં ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. આ દિવસને 'વીરતેરસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેઓ વીર, અતિવીર, સંમતિ, મહાવીર તથા વર્ધમાન તરીકે પણ ઓળખાય છે. તેમના જન્મ પહેલાં...
Read more
હનુમાનજી જન્મોત્સવ
હનુમાનજી જન્મોત્સવ

રામાયણનાં વિવિધ પાત્રોમાં શ્રીરામ અને સીતામાતા જેટલું જ લોકપ્રિય પાત્ર હોય તો તે છે હનુમાનજી. તેમને જિતેન્દ્રિય બુદ્ધિમાનોમાં વરિષ્ઠ, પવનપુત્ર જેવાં વિશેષણોથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ આબાલવૃદ્ધ સૌને સમાન રીતે આકર્ષે છે. ચિત્ર માસની પૂર્ણિમાનો દિવસ એ તેમના જન્મોત્સવનો દિવસ ગણવામાં આવે છે. ભાવિક ભક્તો આ દિવસે હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે સાથે તેમના પરાક્રમોનું સંકીર્તન કરી પ્રેરણા મેળવે છે. હનુમાનજીના જન્મની કથા રોચક છે. દશરથ રાજાએ પુત્રપ્રાપ્તિ માટે કરેલા યજ્ઞમાંથી પ્રસાદી સ્વરૂપે મળેલ થોડી ખીર પવનના કારણે અંજનીમાતાને મળી. આ પ્રસાદ આરોગવાને કારણે હનુમાનજીનો જન્મ થયો. બાળવયે સૂર્યને મધુર ફળ સમજી તેનું ભક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો. આ કથાઓ માત્ર મનોરંજન માટે નથી પણ હનુમાનજીની પ્રચંડ શક્તિની દ્યોતક છે. સુગ્રીવના સચિવ તરીકેની તેમની ભૂમિકામાં ઉત્તમ સંચાલક હોવાનો ખ્યાલ મળે છે. શ્રીરામનું કામ તેમના માટે જીવનનું મૂળ ધ્યેય હતું. સીતામાતાની શોધ માટે સમુદ્રને ઓળંગી જવો, અશોકવાટિકાનું નિકંદન, લકાદહન ઉપરાંત રાવણ સાથેના યુદ્ધમાં તેમની અદ્વિતીય શક્તિ આ બધી જાણીતી હકીકતો છે. લક્ષ્મણની મૂર્છા દૂર કરવા આખો પર્વત ઉપાડી લાવવો એ અનુપમ પરાક્રમ છે. આ વિવિધ કથાઓમાં તેમની પ્રચંડ શક્તિ, પ્રખર બુદ્ધિમતા, કાર્યદક્ષતા. લંકામાં પણ વિભિષણને ઓળખવા તે વ્યક્તિને પારખવાની ક્ષમતા. હંમેશાં સત્યને પડખે રહેવાની નિષ્ઠા, વિનમ્રતા, સેવક તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરવી આમ એક-એક બાબત તેમના માટે પૂજ્યભાવ ઉત્પન્ન કરે છે. શ્રીરામના વનવાસ દરમિયાન સંપર્કમાં આવ્યા પછી પોતાનું જીવન તેમના ચરણોમાં સમર્પિત કર્યું અને કાયમ તેમની સાથે રહ્યા. આમ છતાં ક્યારેય શ્રીરામ પાસેથી કશું જ મેળવવાની અપેક્ષા ન રાખી તેમના જીવનની આ ઓળખે તેમને એટલા પૂજ્ય સ્થાને મૂક્યા છે કે ભાગ્યે જ કોઈ દેવતાનું મંદિર કે તીર્થ એવું જોવા મળશે. કે જ્યાં રામભક્ત હનુમાનજી'ની મૂર્તિ ન હોય. સાત ચિરંજીવીઓમાં સ્થાન પામનાર હનુમાનજી આજે પણ વિદ્યમાન છે એમ માનવામાં આવે છે. આપણા લાડીલા કવિ કાગે યોગ્ય રીતે ગાયું છે કે, "જગતમાં એક જ જન્મ્યો કે જેણે રામને ઋણી રાખ્યા."

02nd April

Read more
હનુમાનજી જન્મોત્સવ
02nd April
રામાયણનાં વિવિધ પાત્રોમાં શ્રીરામ અને સીતામાતા જેટલું જ લોકપ્રિય પાત્ર હોય તો તે છે હનુમાનજી. તેમને જિતેન્દ્રિય બુદ્ધિમાનોમાં વરિષ્ઠ, પવનપુત્ર જેવાં વિશેષણોથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ આબાલવૃદ્ધ સૌને સમાન રીતે આકર્ષે છે. ચિત્ર માસની પૂર્ણિમાનો દિવસ એ તેમના જન્મોત્સવનો દિવસ ગણવામાં આવે છે. ભાવિક ભક્તો આ દિવસે હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે સાથે તેમના પરાક્રમોનું સંકીર્તન કરી પ્રેરણા મેળવે છે. હનુમાનજીના જન્મની કથા રોચક છે. દશરથ રાજાએ પુત્રપ્રાપ્તિ માટે કરેલા યજ્ઞમાંથી પ્રસાદી સ્વરૂપે મળેલ થોડી ખીર પવનના કારણે અંજનીમાતાને મળી. આ પ્રસાદ આરોગવાને કારણે હનુમાનજીનો જન્મ થયો. બાળવયે સૂર્યને મધુર ફળ સમજી તેનું ભક્ષણ કરવાનો પ્રયત્ન...
Read more
વિશ્વ આરોગ્ય દિન
વિશ્વ આરોગ્ય દિન

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલ ને 'વિશ્વ આરોગ્ય દિન' જાહેર કરવામાં આવ્યો છે. 7 એપ્રિલ, 1948 ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સ્થાપના થઈ હતી તેથી આ દિવસે 'વર્લ્ડ હેલ્થ ડે' એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરાય છે. પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ, 1950 ના રોજ ઊજવાયો હતો.   આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વની દરેક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને. ઉપરાંત, આ દિવસની ઉજવણીનો હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય અને તેને સંબંધિત સમસ્યાઓ વિશે ચર્ચા કરવાનો પણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વને આરોગ્ય સેવાઓ આપવા માટે દરેક સ્તરે પ્રયાસ કર્યા છે. દરેક જગ્યાએ સારી આરોગ્ય સુવિધાઓ હોવી જોઈએ. તમામ દેશો રોગમુક્ત હોવા જોઈએ અને તેમને સ્વાસ્થ્ય સેવાઓની દૃષ્ટિએ કોઈ પણ પ્રકારની અછત ન રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.   આજે ચિકિત્સાના ક્ષેત્રમાં વિશ્વ ઘણું આગળ વધી ગયું છે. પણ લોકોની આધુનિક જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઈને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિની શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની જાળવણી ખૂબ જ મહત્ત્વની છે. એકવીસમી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી હોવાની સાથે-સાથે સાંપ્રત સમયમાં થઈ રહેલાં શહેરીકરણ, આધુનિકીકરણ, પશ્ચિમીકરણ ના કારણે લોકોનાં ખાનપાન પણ બદલાયાં છે. તેથી, તેની સીધી અસર આરોગ્ય પર પડે છે. સાથે સાથે આજના યુવાનો દેખાદેખીમાં તમાકુ, બીડી, સિગારેટ વગેરે વ્યસનો તરફ વળ્યા છે અને પરિણામે દેશના નાગરિકોનું આરોગ્ય જોખમાયું છે. આવાં કેફી દ્રવ્યોના વ્યસનથી આજના યુવાનો ખૂબ નાની ઉંમરે અસાધ્ય રોગોનો ભોગ બને છે.   તમાકુનું વધુ વેચાણ અને તેનું સેવન આરોગ્ય માટે સૌથી મોટો પડકાર છે. ભારતમાં તમાકુનું સેવન અને તેનું વધતું જતું પ્રમાણ એ આરોગ્યની દૃષ્ટિએ ચિંતાનો વિષય બનતો જાય છે. ભારતમાં યુવા પેઢી અને તેમાંય ખાસ કરીને, બાળકોમાં તમાકુનું સેવન અને તેની આડઅસરોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંગઠનનું 'ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કંટ્રોલ' ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારત સરકાર દ્વારા 2003 માં આ વ્યસનોને નિયંત્રણમાં લાવવા માટે જાહેરાતના સંદર્ભે એક કાયદો ઘડવામાં આવ્યો હતો.   આજે સતત થઈ રહેલું વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને બદલાતા જતા પર્યાવરણના કારણે વાઈરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેના કારણે માનવીનું આરોગ્ય ક્ષતિગ્રસ્ત બન્યું છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં પોતાની તંદુરસ્તી જાળવી રાખવી એક મોટો પડકાર બની ગયો છે. વ્યક્તિ જ્યારે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે સ્વસ્થ (ફિટ) હોય ત્યારે જ તેનું સ્વાસ્થ્ય સારું માનવામાં આવે છે.

07th April

Read more
વિશ્વ આરોગ્ય દિન
07th April
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલ ને 'વિશ્વ આરોગ્ય દિન' જાહેર કરવામાં આવ્યો છે. 7 એપ્રિલ, 1948 ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સ્થાપના થઈ હતી તેથી આ દિવસે 'વર્લ્ડ હેલ્થ ડે' એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરાય છે. પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ, 1950 ના રોજ ઊજવાયો હતો.   આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વની દરેક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને. ઉપરાંત, આ દિવસની ઉજવણીનો...
Read more
બાબુ ગુલાબરાય પુણ્યતિથિ
બાબુ ગુલાબરાય પુણ્યતિથિ

ભારતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નિબંધકાર બાબુ ગુલાબરાયનો જન્મ ૧૭ જાન્યુઆરી,૧૮૮૮ ના રોજ ઉત્તરપ્રદેશના ઇટાવામાં થયો હતો. તેમના પિતા શ્રી ભવાની પ્રસાદ ધાર્મિક વૃત્તિના વ્યક્તિ હતા. તેમની માતા પણ કૃષ્ણની ઉપાસક હતી અને સુર,કબીરના પદોમાં તલ્લીન થઇ ગાતા હતા. માતા-પિતાની આ ધાર્મિક વૃત્તિની અસર બાબુ ગુલાબ રાય પર પણ થઈ હતી. પ્રાથમિક શિક્ષણ મૈનપુરીમાં પૂર્ણ કર્યું. આગ્રા કૉલેજમાં બી.એ પૂર્ણ કર્યા બાદ દર્શનશાસ્ત્રમાં એમ.એ નો અભ્યાસ કરવા છતરપુર ગયા. બાબુ ગુલાબરાયે દાર્શનિક રચનાઓ હિંદની ભાષાઓમાં રજૂ કરી હતી. તેમણે સામાજિક,સાંસ્કૃતિક,મનોવૈજ્ઞાનિક જેવાં અનેક વિષયોને હિંદી ભાષામાં લખી હિંદી ભાષાની અભિવૃદ્ધિ કરી હતી. બાબુ ગુલાબરાયે મૌલિક ગ્રંથોની રચનાની સાથોસાથ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે. તેમની મુખ્ય રચનામાં નવરસ, કર્તવ્ય,તર્કશાસ્ત્ર,પ્રકાર,પ્રભાકર, મારી અસફળતા,ભારતીય સંસ્કૃતિઓની જ્ઞાન વાર્તા, સત્ય હરિશ્ચંદ્ર વગેરે છે. સાહિત્યિક સેવાઓ આપવા બદલ બાબુ ગુલાબરાયને આગ્રા યુનિવર્સિટીએ ડી.લીટની ડિગ્રીથી સન્માનિત કર્યા હતા. બાબુ ગુલાબરાયે અંતિમ શ્વાસ સુધી સાહિત્યક્ષેત્રે સેવા આપી હતી. ૧૩ એપ્રિલ,૧૯૬૩ ના રોજ ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે તેમનું દેહાવસાન થયું. તેમના સન્માનમાં ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ,૨૦૦૨ ના રોજ ૫ રૂપિયાના મૂલ્યની એક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી અને જેના પર બાબુ ગુલાબરાયનું ચિત્ર તેમના ત્રણ મુખ્ય પુસ્તકો સાથે પ્રદર્શિત કરાયું હતું.

13th April

Read more
બાબુ ગુલાબરાય પુણ્યતિથિ
13th April

ભારતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નિબંધકાર બાબુ ગુલાબરાયનો જન્મ ૧૭ જાન્યુઆરી,૧૮૮૮ ના રોજ ઉત્તરપ્રદેશના ઇટાવામાં થયો હતો. તેમના પિતા શ્રી ભવાની પ્રસાદ ધાર્મિક વૃત્તિના વ્યક્તિ હતા. તેમની માતા પણ કૃષ્ણની ઉપાસક હતી અને સુર,કબીરના પદોમાં તલ્લીન થઇ ગાતા હતા. માતા-પિતાની આ ધાર્મિક વૃત્તિની અસર બાબુ ગુલાબ રાય પર પણ થઈ હતી. પ્રાથમિક શિક્ષણ મૈનપુરીમાં પૂર્ણ કર્યું. આગ્રા કૉલેજમાં બી.એ પૂર્ણ કર્યા બાદ દર્શનશાસ્ત્રમાં એમ.એ નો અભ્યાસ કરવા છતરપુર ગયા.

બાબુ ગુલાબરાયે દાર્શનિક રચનાઓ હિંદની ભાષાઓમાં રજૂ કરી હતી. તેમણે સામાજિક,સાંસ્કૃતિક,મનોવૈજ્ઞાનિક જેવાં અનેક વિષયોને હિંદી ભાષામાં લખી હિંદી ભાષાની અભિવૃદ્ધિ કરી હતી.

Read more
ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી
ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી

સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે આજીવન અથાક પ્રયત્નો કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર સાચા અર્થમાં મહામાનવ હતા. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા, કાયદાના પ્રકાંડ પંડિત હતા. તેઓ અસ્પૃશ્યો અને મહિલાઓની મુક્તિના હિમાયતી હતા. તેમનો જન્મ 14 એપ્રિલ, 1891 માં મહુ (મધ્યપ્રદેશ) મુકામે સામાન્ય અને તે જમાનામાં અછૂત ગણાતા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ હતું અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેમના જીવનઘડતરમાં મોટો ફાળો આપનાર તેમના શિક્ષક કૃષ્ણજી કેશવ આંબેડકર પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમણે પોતાની અટક આંબેડકર રાખી હતી. પ્રખર સ્મરણશક્તિ, બુદ્ધિમત્તા, નખશિખ પ્રામાણિકતા, સત્યનો આગ્રહ, નિયમિતતા, દ્રઢ નિર્ણયશકિત તેમજ સંગ્રામી સ્વભાવ એ બધું તેમના વ્યક્તિત્વમાં ઝળકતું હતું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમના હીરને પારખી વિદેશમાં જઈ ઉચ્ચશિક્ષણ મેળવવા શિષ્યવૃત્તિ આપી.   અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી તેમણે રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવવિજ્ઞાન, દર્શનશાસ્ત્ર અને અર્થનીતિનો ઊંડો અભ્યાસ કર્યો. અમેરિકામાં ભારતીય સમાજવ્યવસ્થાથી ભિન્ન સમાજનો પરિચય થયો. ત્યાં એક સેમિનારમાં તેમણે 'ભારતીય જાતિ વિભાજન' અંગેનો પોતાનો શોધપત્ર વાંચ્યો. અભ્યાસના પરિપાકરૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર ડિઝર્ટેશન લખી 1915 માં એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ પીએચ.ડી.ની પદવી માટે 1916 માં બ્રિટિશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થા વિષય ઉપર મહાનિબંધ લખ્યો. આમ તેઓ વિદેશની યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટ કરનાર પ્રથમ ભારતીય બન્યા.   ડૉ. આંબેડકરે અસ્પૃશ્યતાના નિવારણ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પછાત ગણાતા વર્ગોમાં જાગૃતિ લાવી તેમને અસ્પૃશ્યતા સામેની લડત માટે તૈયાર કર્યા. તેવું જ કામ મહિલા ઉત્થાનના તેમના પ્રયત્નોમાં જોઈ શકાય છે. ભારતના બંધારણના ઘડતરની પ્રક્રિયા ચાલુ હતી તેમાં દરેક બાબતને શબ્દબદ્ધ કરનારી મહત્ત્વની સમિતિ એટલે ખરડા સમિતિ. આ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે કરેલ કામની સાર્વત્રિક પ્રશંસા પણ થઈ. તેમની આ કામગીરીના ફલસ્વરૂપ તેઓ 'બંધારણના ઘડવૈયા' તરીકેની ઓળખ પામ્યા.   સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદાપ્રધાન તરીકે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું હતું. હિન્દુ કોડ બિલ પસાર ન કરાવી શકવાના કારણે તેમણે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપીને તેમની વૈચારિક દૃઢતાનો પરિચય આપ્યો. 1954 માં કાઠમંડુમાં યોજાયેલ બૌદ્ધસભામાં તેમને 'બોધિસત્વ'ની ઉપાધિ થી નવાજવામાં આવ્યા. 1956 માં તેમણે બૌદ્ધધર્મ અંગીકાર કર્યો. પોતાની તંદુરસ્તીની પરવા કર્યા વિના પોતાનાં કાર્યોમાં સતત વ્યસ્ત રહ્યા. છેવટે 6 ડિસેમ્બર, 1956 ના રોજ તેમનું અવસાન થયું. તેમનાં જીવનકાર્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા 1990 માં તેમને મરણોપરાંત 'ભારતરત્ન' તરીકે સન્માનિત કરવામાં આવ્યા.

14th April

Read more
ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી
14th April
સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે આજીવન અથાક પ્રયત્નો કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર સાચા અર્થમાં મહામાનવ હતા. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા, કાયદાના પ્રકાંડ પંડિત હતા. તેઓ અસ્પૃશ્યો અને મહિલાઓની મુક્તિના હિમાયતી હતા. તેમનો જન્મ 14 એપ્રિલ, 1891 માં મહુ (મધ્યપ્રદેશ) મુકામે સામાન્ય અને તે જમાનામાં અછૂત ગણાતા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ હતું અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેમના જીવનઘડતરમાં મોટો ફાળો આપનાર તેમના શિક્ષક કૃષ્ણજી કેશવ આંબેડકર પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમણે પોતાની અટક...
Read more
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન

આપણા દેશમાં દર વર્ષે 14 એપ્રિલ ને 'રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન' (National Fire Service Day) ઊજવવામાં આવે છે. 14 એપ્રિલ, 1944 ના દિવસે મુંબઈ બંદર ખાતે ફોર્ટ સ્ટીકેન નામના માલવાહક જહાજમાં આકસ્મિક રીતે આગ લાગી હતી. આ જહાજમાં રૂની ગાંસડીઓ, વિસ્ફોટક પદાર્થો તેમજ યુદ્ધની સામગ્રી ભરેલી હતી. તેમાં અચાનક આગ લાગતાં અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ બુઝાવવાનું કાર્ય કરતા હતા. જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે આ ઘટનામાં 300 થી વધારે લોકો ભોગ બન્યા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોકોની સલામતી માટે અને દેશની માલમિલકતનું રક્ષણ કરવા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલ ને 'રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન' તરીકે ઊજવી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનારા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપરાંત આગથી બચવાના ઉપાયો માટે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર દેશભરમાં આ દિવસ ઊજવવામાં આવે છે.   આપત્તિ એટલે કોઈક એવી પરિસ્થિતિ જે ચેતવણી આપ્યા સિવાય કે ખૂબ ટૂંકાગાળાની ચેતવણી આપીને જ એકદમ ત્રાટકે અને જાનમાલની ખુવારી સર્જી જાય છે. આપત્તિ વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડયા છે. કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ. પૂર, ભૂકંપ, વાવાઝોડું, ત્સુનામી, દુષ્કાળ, જ્વાળામુખી, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે; જ્યારે આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ, ટ્રાફિક-સમસ્યા વગેરે માનવસર્જિત આપત્તિઓ છે. આ બધી આપત્તિઓથી બચવા માટે તથા તેને ટાળવા માટે અગમચેતીનાં પગલાં લેવાં જરૂરી છે. આથી. આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત આગ-સલામતી અંગે જનજાગૃતિ માટે આ દિવસની ઉજવણી થાય છે.   દરેક બિલ્ડિંગ તથા હોસ્પિટલ માટે 'નેશનલ બિલ્ડિંગ કોડ' લાગુ કરવામાં આવ્યા છે અને ફરજિયાતપણે દુર્ઘટના નિવારણ અને સલામતીના નિયમોનું પાલન કરાવવામાં આવે છે. જુદા જુદા વિસ્તારોમાં આગનું જોખમ નિવારવા માટે તેમજ વ્યક્તિના જીવન અને મિલકતની સલામતી તેમજ રક્ષણ માટે સરકાર દ્વારા 'ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ- 2013' બનાવવામાં આવેલ છે, જે હાલ અમલમાં છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકારી દ્વારા ઇમારતો, કાર્યશાળા, તમામ જાહેર જગ્યાઓ, વેરહાઉસ કે બિલ્ડિંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી રાખવાની ફરજ પાડવામાં આવે છે.

14th April

Read more
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન
14th April
આપણા દેશમાં દર વર્ષે 14 એપ્રિલ ને 'રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન' (National Fire Service Day) ઊજવવામાં આવે છે. 14 એપ્રિલ, 1944 ના દિવસે મુંબઈ બંદર ખાતે ફોર્ટ સ્ટીકેન નામના માલવાહક જહાજમાં આકસ્મિક રીતે આગ લાગી હતી. આ જહાજમાં રૂની ગાંસડીઓ, વિસ્ફોટક પદાર્થો તેમજ યુદ્ધની સામગ્રી ભરેલી હતી. તેમાં અચાનક આગ લાગતાં અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ બુઝાવવાનું કાર્ય કરતા હતા. જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે આ ઘટનામાં 300 થી વધારે લોકો ભોગ બન્યા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોકોની સલામતી માટે...
Read more