Newskida Logo newskida
TM
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • ABP Asmita
  • Nirbhay News
  • News Kida
  • Navajivan News
  • અબતક
    • fire-image Trending
    • દિન વિશેષ
    • News Sources
  • ચાલુ મહિનો આજે
    આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન
    આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન

    દર વર્ષે 3 જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન ઊજવવામાં આવે છે. પ્રકૃતિ અને પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું જોખમકારક છે તે વિશે લોકોને માહિતી આપવા તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે 3 જુલાઈ 2009 ના દિવસથી સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન મનાવવાની શરૂઆત થઈ. પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર સમસ્યામાંથી સમગ્ર વિશ્વને બચાવવા માટે આ દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.પ્લાસ્ટિક બેગની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ પેપર બેગ અથવા કપડાંની બેગનો ઉપયોગ કરવા માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દર વર્ષે આ દિવસ ઊજવવામાં આવે છે. આ અભિયાન ‘ઝીરો વેસ્ટ યુરોપ બેગ ફ્રી વર્લ્ડ’ દ્વારા સમગ્ર વિશ્વને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે વૈશ્વિક પહેલ બની ગયું છે. વ્યક્તિગત સ્તર પર પ્લાસ્ટિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટેનો સંકલ્પ લેવા અંગે લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસે મીટીંગ, ડિબેટ્સ, સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે જળાશયો, જંગલો અને અન્ય જગ્યાઓ પરથી પ્લાસ્ટિક દૂર કરી પર્યાવરણને સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવે છે.દુનિયામાં પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસેને દિવસે ખૂબ વધી રહ્યો છે અને તેમાંય બેગના સ્વરૂપમાં તેનો ઉપયોગ સૌથી વધારે થાય છે. શાકમાર્કેટથી લઈને મોટી મોટી માર્કેટ અને મોલમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ હોવા છતાં વેચાયેલ દરેક સામાન ખુલ્લેઆમ પ્લાસ્ટિક બેગમાં અપાઈ રહ્યો છે. દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ થાય છે. તેમાંથી ફક્ત 1% પ્લાસ્ટિક બેગનું જ રિસાઇક્લિંગ થાય છે. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ એવરેજ 30 મિનિટ માટે થાય છે, પરંતુ તેનો નાશ થવા માટે 500 થી 1000 વર્ષ લાગે છે. અન્ય પદાર્થ માટીમાં ભળી જાય છે, પરંતુ પ્લાસ્ટિક વર્ષો સુધી માટીમાં ભળતું નથી અને પર્યાવરણને દૂષિત કરે છે.પ્લાસ્ટિકનો દુષ્પ્રભાવ જાણતા હોવા છતાં લોકો તેનો ઉપયોગ પોતાની સગવડ ખાતર કરે છે અને પછી ફેંકી દે છે. નિર્દોષ પશુ પંખીઓથી લઈને સમગ્ર જીવસૃષ્ટિ માટે પ્લાસ્ટિક હાનિકારક હોવા છતાં લોકો તેની ગંભીરતા સમજતા નથી. દરિયામાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણથી દરિયાઈ જીવો પર પણ જોખમ વધી રહ્યું છે અને દરિયાઈ જીવો લુપ્ત થતા જાય છે.પ્લાસ્ટિક ના કારણે થતા પ્રદૂષણો: પ્લાસ્ટિક બાળવાથી ડાયોક્સિન ગેસ નીકળે છે, જે તાજી હવાને દૂષિત કરે છે અને સમગ્ર જીવસૃષ્ટિને જીવલેણ રોગ તરફ ધકેલે છે. પ્લાસ્ટિકની થેલીઓ જમીનમાં દાટવાથી ભૂમિ પ્રદૂષણ પણ થાય છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ભૂમિથી લઈને જળાશયો, સાગર, પ્રકૃતિ અને પર્યાવરણ માટે પણ જોખમકારક છે.

    03rd July

    Read more
    આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન
    03rd July

    દર વર્ષે 3 જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન ઊજવવામાં આવે છે. પ્રકૃતિ અને પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું જોખમકારક છે તે વિશે લોકોને માહિતી આપવા તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે 3 જુલાઈ 2009 ના દિવસથી સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન મનાવવાની શરૂઆત થઈ. પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર સમસ્યામાંથી સમગ્ર વિશ્વને બચાવવા માટે આ દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

    પ્લાસ્ટિક બેગની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ પેપર બેગ અથવા કપડાંની બેગનો ઉપયોગ કરવા માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દર વર્ષે આ દિવસ ઊજવવામાં આવે છે. આ અભિયાન...

    Read more
    સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
    સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ

    સ્વામી વિવેકાનંદજી ના જન્મદિનને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 ના રોજ થયો હતો. આધુનિક ભારતના નિર્માતા પૈકીનાં એક એવા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેની અનેક શાખાઓ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌ પ્રથમ 1984 ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી 'રાષ્ટ્રીય યુવા દિન' તરીકે ઉજવવામાં આવે છે.   સ્વામી વિવેકાનંદ 19મી સદીના સંત શ્રી રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક હતા. તેમને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે. તેમને 19મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વ કક્ષાએ આદર અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક વિશ્વમાં હિન્દુ ધર્મને સ્વીકૃત બનાવવામાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન મુખ્ય ગણવામાં આવે છે. તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં 1893 માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેઓના પ્રવચનની શરૂઆત તેમણે "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન કરેલું તેમજ આ પ્રવચનથી તેઓ વ્યક્તિ વિશેષ તરીકે વિશ્વ પ્રસિદ્ધ બન્યા હતા.   બાળપણથી જ તેમને આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગની લાગી હતી. ઇશ્વરનાં દર્શન કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યા. આખરે તેમના શિષ્ય બની ગયા. પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. પ્રખર વક્તા તરીકે સ્વામી વિવેકાનંદે અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. ભારત પરત આવીને 1987માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશનની સ્થાપના કરી. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન જેવા રાષ્ટ્રીય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડયો હતો.   સ્વામી વિવેકાનંદ એક મહાન આધ્યાત્મિક વ્યક્તિ અને ફિલોસોફર હતા. તે વૈશ્વિક આધ્યાત્મિકતા, સંવાદિતા, વૈશ્વિક ભાઈચારો અને સમગ્ર વિશ્વમાં શાંતિ ઇચ્છતા હતા. તેમનું શિક્ષણ અને ફિલસૂકીનો વર્તમાન સમયમાં પણ અસ્તિત્વ ધરાવે છે અને આધુનિક યુગના યુવાનોને માર્ગદર્શન આપે છે. તેમણે યુવાનોને પ્રેરણારૂપ સંદેશ આપેલો કે " ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો". 4 જુલાઈ, 1902 ના રોજ બેલુર મઠ ખાતે ધ્યાનની અવસ્થામાં તેમનું અવસાન થયું. માત્ર 39 વર્ષની ટૂંકી વયમાં હિંદુ ધર્મ, સમાજસેવા અને દેશ માટે તેઓ ઘણું બધુ કાર્ય કરીને ગયા.   સ્વામી વિવેકાનંદે સ્થાપેલી સંસ્થાઓ તેમના શિક્ષણ અંગેના વિચારો અને ફિલસૂકીનો ફેલાવો કરી રહી છે. જે સમાજ અને રાષ્ટ્રની સુધારણા માટે કામ કરી રહી છે. તેમણે વેદાંત અને ઘણી સામાજિક સેવાઓનો પ્રચાર-પ્રસાર કર્યો. તેઓ વિશ્વના યુવાનો માટે કાયમ પ્રેરણારૂપ બની રહેશે.

    04th July

    Read more
    સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
    04th July
    સ્વામી વિવેકાનંદજી ના જન્મદિનને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 ના રોજ થયો હતો. આધુનિક ભારતના નિર્માતા પૈકીનાં એક એવા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેની અનેક શાખાઓ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌ પ્રથમ 1984 ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી 'રાષ્ટ્રીય યુવા...
    Read more
    ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ
    ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ

    આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત ઉધોગપતિ ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢના ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વર્ણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.) માં કામ કર્યું. બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.(A. Besse & Co.) શેલ (Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. તેઓ સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે ૧૯૬૨માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ની સ્થાપના કરી હતી. રિલાયન્સ પોલીયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી. ટેક્સટાઈલ વ્યવસાયમાં તકો હોવાનું લાગતાં ધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઇલ મિલ ઈ.સ.૧૯૭૭ ના વર્ષમાં અમદાવાદનાં નરોડા વિસ્તારમાં શરૂ કરી. સમય વીતતા ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ઇન્ફર્મેશન ટેકનોલોજી,એનર્જી,પાવર, ટેક્સટાઇલ, મૂડી બજારો અને લોજીસ્ટીક્સ ક્ષેત્રે પણ કારોબારનો વિસ્તાર કર્યો. ૧૯૭૭માં ધીરુભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઇ ગયા અને ૨૦૦૭ સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશ)ની સંયુક્ત સંપત્તિ ૬૦ અબજ ડોલર હતી, જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા. અમેરિકામાં ૧૦૦ વર્ષના સમયગાળામાં ૧૦૦ મિલિયન ડોલર્સ બોન્ડસ બહાર પાડનાર રિલાયન્સ પ્રથમ એશિયાઈ કંપની છે. નવેમ્બર, ૨૦૦૦માં ભારતના કેમિકલ ઉધોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે કેમટેક ફાઉન્ડેશન અને કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ દ્વારા તેમને 'મેન ઓફ સેન્ચ્યુરી' નું સન્માન અપાયુ હતું. એશિયાવીક (Asiaweek) મેગેઝિન દ્વારા ૧૯૯૬,૧૯૯૮ અને ૨૦૦૦માં એશિયાના સૌથી વધુ શક્તિશાળી "પાવર -૫૦" વ્યક્તિઓની યાદીમાં તેમનો સમાવેશ થયો હતો. જૂન,૧૯૯૮માં સૌ પ્રથમ વ્હોર્ટન સ્કૂલનું ડીન મેડલ પ્રાપ્ત કરવાનું ભારતીયનું ગૌરવ ધીરુભાઈને પ્રાપ્ત થયું હતું. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) દ્વારા ધીરુભાઈ અંબાણી, મેન ઓફ 20એથ સેન્ચ્યુરી જાહેર થયા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (Times of India) દ્વારા ૨૦૦૦માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં "ગ્રેટેસ્ટ ક્રીએટર ઓફ વેલ્થ ઈન ધી સેન્ચ્યુરીસ" જાહેર થયા. સફળ ઉધોગ - વ્યવસાય સમૂહ સ્થાપિત કરનાર આ અદ્વિતીય વિરલ પ્રતિભાનું નિધન ૬ જુલાઈ, ૨૦૦૨ ના રોજ મુંબઈ ખાતે થયું હતું. ભારતીય પોસ્ટ વિભાગે ૨૮ ડિસેમ્બર, ૨૦૦૨માં ધીરુભાઈ અંબાણીની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

    06th July

    Read more
    ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ
    06th July

    આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત ઉધોગપતિ ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢના ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વર્ણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.) માં કામ કર્યું. બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.(A. Besse & Co.) શેલ (Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની...

    Read more
    વિશ્વ વસ્તી દિવસ
    વિશ્વ વસ્તી દિવસ

    દર વર્ષે 11મી જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. વધતી જતી વસ્તી એ વિશ્વના મોટાભાગના દેશોને મૂંઝવતી જટિલ સમસ્યા છે. વિશ્વના દેશોમાં જે ઝડપે વસ્તી વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વસ્તી વધારો કોઈપણ દેશના વિકાસને ભરખી જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ ની સંચાલન પરિષદ દ્વારા આ દિન ઊજવવાની શરૂઆત 1989 માં કરવામાં આવી હતી. 11 જુલાઈ, 1987 ના દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજ ને પાર કરી ગઇ હોવાથી આ તારીખે વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે. ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ જેવા દેશોમાં વસ્તી વધારાના કારણે અનેક સમસ્યાઓ જન્મી છે. વસ્તી વધારાને નિયંત્રિત કરવા નવી રાષ્ટ્રીય વસ્તી નીતિ પણ સરકારે અમલમાં મૂકી છે. ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સતત વધતી વસ્તી એ ગંભીર ચિંતાનો વિષય છે. વધતી વસ્તીને કારણે ભૂખમરો, ગરીબી, નિરક્ષરતા અને બેરોજગારી જેવી સમસ્યાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં વસ્તી નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે. લોકો હજી પણ વસ્તી વધારાની સમસ્યાને સમજી શકતા નથી કે ભવિષ્યમાં આ સમસ્યા દેશના વિકાસમાં કેટલો મોટો અવરોધ સર્જી શકે છે. સભાનતા અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા પર કાબુ મેળવવો અશક્ય છે. વસ્તી વધારાનાં અનેક કારણો છે. જન્મદર ઊંચો છે, જ્યારે સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલાં સંશોધનો અને વિકાસના પરિણામે માનવ મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. વસ્તી વધારાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ, ભોજન, રહેઠાણ વગેરે સમસ્યાઓના નિવારણ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધપાત્ર કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી. વસ્તીનો આ પ્રચંડ વધારો તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે. આ દિવસની ઉજવણી દ્વારા આપણે સૌ આ ગંભીર સમસ્યા તરફ સતર્ક થઈ તેનો યોગ્ય ઉકેલ શોધીએ જેથી કરીને આવનારી પેઢીઓ માટે આપણે કંઇક સારું કરી શકીએ. વસ્તી વધારો એ રાષ્ટ્ર અને વિશ્વના તમામ જાતિ, સંપ્રદાય કે વર્ગ માટે ચિંતા ઉપજાવનારો છે.

    11th July

    Read more
    વિશ્વ વસ્તી દિવસ
    11th July
    દર વર્ષે 11મી જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. વધતી જતી વસ્તી એ વિશ્વના મોટાભાગના દેશોને મૂંઝવતી જટિલ સમસ્યા છે.
    વિશ્વના દેશોમાં જે ઝડપે વસ્તી વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વસ્તી વધારો કોઈપણ દેશના વિકાસને ભરખી જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ ની સંચાલન પરિષદ દ્વારા આ દિન ઊજવવાની શરૂઆત 1989 માં કરવામાં આવી હતી. 11 જુલાઈ, 1987 ના દિવસે વિશ્વની...
    Read more
    વિશ્વ યુવા કૌશલ્ય દિન
    વિશ્વ યુવા કૌશલ્ય દિન

    યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ભારતને યુવાઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ભારત સહિત ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ યુવાનો પાસે પૂરતા પ્રમાણમાં રોજગારની તકો ઉપલબ્ધ નથી. ઘણા યુવાનો એવા છે કે જેઓ મર્યાદિત રોજગારીની તકોને કારણે તેમની આવડત મુજબ નોકરી (Job) મેળવી શકતા નથી. જેને કારણે ઓછા પગારમાં પણ કામ કરવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 15 જુલાઈ એ વિશ્વ યુવા કૌશલ્ય દિન (World Youth Skills Day) ઊજવવામાં આવે છે. વિશ્વ યુવા કૌશલ્ય દિનની શરૂઆત યુવાનોમાં બેરોજગારી ના પડકારોને ઘટાડવા અને તેમને કૌશલ્ય વિકાસ માટે જાગૃત કરવા માટે કરવામાં આવી હતી. શ્રીલંકાની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 નવેમ્બર, 2014 ના રોજ દર વર્ષે વિશ્વ યુવા કૌશલ્ય દિનની ઉજવણી કરવાની જાહેરાત કરી. વિશ્વ યુવા કૌશલ્ય દિન 15 જુલાઈ, 2015 ના રોજ પ્રથમ વખત ઊજવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસે યુવાનોને કૌશલ્ય વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત 15 જુલાઈ, 2015ના રોજ પ્રથમ વખત વિશ્વ યુવા કૌશલ્ય દિન મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતના તત્કાલીન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એ આ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશના યુવાનોને તેઓની રુચિ અનુસાર વિવિધ ક્ષેત્રોમાં મફત ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ રોજગારી મેળવી શકે. 14 થી 35 વર્ષ ની વયજૂથના યુવાનો આ મિશન હેઠળ તાલીમ મેળવી શકે છે. ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષ માટેની તાલીમ માટે બેરોજગાર યુવાનોની નોંધણી કરવામાં આવે છે અને અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર સમગ્ર દેશમાં માન્ય ગણાય છે. આ પ્રમાણપત્ર પછી યુવાનો કૌશલ્યના આધારે દેશમાં ગમે ત્યાં સરળતાથી રોજગાર મેળવી શકે છે. યુવાનોની રોજગારીની તકોને વધારવા માટે સબસીડી પણ આપવામાં આવે છે. યુવા કૌશલ્ય માટે સરકાર દ્વારા નીચે મુજબની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે: દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

    15th July

    Read more
    વિશ્વ યુવા કૌશલ્ય દિન
    15th July
    યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ભારતને યુવાઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ભારત સહિત ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ યુવાનો પાસે પૂરતા પ્રમાણમાં રોજગારની તકો ઉપલબ્ધ નથી. ઘણા યુવાનો એવા છે કે જેઓ મર્યાદિત રોજગારીની તકોને કારણે તેમની આવડત મુજબ નોકરી (Job) મેળવી શકતા નથી. જેને કારણે ઓછા પગારમાં પણ કામ કરવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 15 જુલાઈ એ વિશ્વ યુવા કૌશલ્ય દિન (World Youth Skills Day) ઊજવવામાં આવે છે.
    વિશ્વ યુવા કૌશલ્ય દિનની શરૂઆત યુવાનોમાં બેરોજગારી ના...
    Read more
    વિશ્વ સાપ દિન
    વિશ્વ સાપ દિન

    આપણી આસપાસ વસતા સેંકડો પ્રકારના સજીવોમાં વિવિધ પ્રકારના સાપ માનવ સમાજમાં જુદા જ પ્રકારનું મહત્ત્વ ધરાવે છે. તેના અંગે કેટલીક ગેરસમજો પણ પ્રવર્તતી જોવા મળે છે. જેથી સાપ વિશે લોકોમાં સમજ વિકસે તેમજ પર્યાવરણમાં તેમનું મહત્ત્વ સમજાય તે હેતુ ધ્યાનમાં રાખી પ્રતિ વર્ષ 16 જુલાઈ ને વિશ્વ સાપ દિન તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે. ભારતમાં સાપની પૂજા થાય છે અને નાગને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે. વિશ્વમાં સાપની અંદાજે 2,900 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.   માનવ નજરમાં સાપની નકારાત્મક ભૂમિકા હોય છે અને લોકો તેમને પ્રાણીઓના સૌથી મોટા દુશ્મન માને છે. તેથી જ મોટાભાગના લોકો સાપને જોતાં જ તેને મારી નાખે છે. પરંતુ આપણે બધાએ એ જાણવું જોઇએ કે, આપણા પર્યાવરણને સંતુલિત કરવામાં સાપ મોટી ભૂમિકા ભજવે છે. અનાજ, કપડાં અને અન્ય ખાદ્યપદાર્થોને નુકસાન પહોંચાડતા ઉંદર, કીટકો વગેરે સાપનો ખોરાક છે. જેમનું જૈવિક નિયંત્રણ સાપ દ્વારા જ શક્ય છે. સાપ પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત તેના વિષમાંથી બનતી દવાઓ પણ ઉપયોગી બને છે. ભારતમાં સાપની અંદાજે 250 જાતિઓ છે, તેમાં 50 જેટલા ઝેરી સાપ છે. ઝેરી સાપોમાં જમીન પર વસતા ઝેરી સાપો ની સંખ્યા માત્ર 4 છે. જેમાં નાગ, કાળોતરો, ફુરસો અને ચિતળ નો સમાવેશ થાય છે. આંધળા સાપ, આંધળી ચાકણ, અજગર, ધામણ, વૃક્ષ-સર્પ જેવા બિનઝેરી સાપ પણ જોવા મળે છે. મોટાભાગના ભારતીય સાપોમાં ઈંડાંનો સેવનકાળ 60 થી 90 દિવસ નો હોય છે. સાપનું આયુષ્ય 4 થી 25 વર્ષ ની વચ્ચે હોય છે. સાપ તેની જીભ વડે ગંધની દિશા પારખે છે. સાપનું હૃદય તેના લાંબા શરીરમાં આગળ પાછળ સરકીને જગ્યા બદલી શકે છે જેથી તે કોઇ મોટું જાનવર સહેલાઇથી ગળી શકે છે. મોટા ભાગના સાપ ડંખ મારીને શિકારના શરીરમાં ઝેર દાખલ કરે છે. કેટલાક સાપ જડબામાંથી ઝેરની પિચકારી મારી શકે છે. સાપની આંખ ઉપર પોપચાં હોતા નથી, તે હંમેશાં ખુલ્લી રહે છે. સાપનાં ફેફસાં, લીવર, કિડની અને આંતરડાં તેના શરીરના પ્રમાણમાં લાંબા આકારનાં હોય છે. સાપ અવાજ સાંભળી શકતા નથી પણ અવાજના મોજાંની ધ્રૂજારી અનુભવી શકે છે. સૌથી નાનો સાપ બ્રાહ્મણી અંધ સાપ છે, જે આશરે બે ઇંચનો હોય છે. જ્યારે સૌથી મોટા સાપ એનાકોન્ડા આશરે 40 ફૂટ લાંબા હોય છે. સાપ તેના શરીરની ચામડીનું આવરણ નિયમિત બદલે છે. તેને કાંચળી કહે છે. સાપ કરડે ત્યારે શું કરવું: જો તમને અચાનક સાપ કરડે તો તમારે ડરવું જોઈએ નહિ કારણ કે ડરી જવાથી હ્રદયના ધબકારા વધી જાય છે અને લોહીના દબાણમાં ફેરફાર થાય છે. પીડિત વ્યક્તિ સાથે વાત કરી તેનો ડર દૂર કરવાનો પ્રયાસ કરવો. જે જગ્યાએ સાપ કરડ્યો હોય તે જગ્યાને ચોખ્ખા કપડાંની મદદથી સાફ કરવી. અસરગ્રસ્તને ડંખની જગ્યા પર મલમ અથવા તો પાટો બાંધીને નજીકના દવાખાને લઈ જવો. પીડિત વ્યક્તિને સોજો આવે તે પહેલાં પાટો કાઢી લેવો જોઈએ. સાપ કરડે ત્યારે શું ન કરવું: સાપ ડંખ મારે તે ભાગમાં ચીરો ન પાડવો. શરીરના જે પણ ભાગમાં સાપે ડંખ માર્યો હોય તે ભાગ હલાવવો નહીં. દર્દીને જાતે કોઈપણ દવા કે પેઇન કિલર આપવી જોઈએ નહીં. આપણા ભારત દેશમાં સાપને લગતી કેટલીક કહેવતો પણ છે: સાપના દરમાં હાથ નાંખવો સાપે છછૂંદર ગળવું દૂધ પાઈને સાપ ઉછેરવો સાપને ઘેર પરોણો સાપ ગ્રહણ ટાણે સાપ નીકળવો ઝાઝી કીડી સાપને તાણી જાય સંઘર્યો સાપ પણ કામ આવે સાપ ગયા અને લીસોટા રહ્યા

    16th July

    Read more
    વિશ્વ સાપ દિન
    16th July
    આપણી આસપાસ વસતા સેંકડો પ્રકારના સજીવોમાં વિવિધ પ્રકારના સાપ માનવ સમાજમાં જુદા જ પ્રકારનું મહત્ત્વ ધરાવે છે. તેના અંગે કેટલીક ગેરસમજો પણ પ્રવર્તતી જોવા મળે છે. જેથી સાપ વિશે લોકોમાં સમજ વિકસે તેમજ પર્યાવરણમાં તેમનું મહત્ત્વ સમજાય તે હેતુ ધ્યાનમાં રાખી પ્રતિ વર્ષ 16 જુલાઈ ને વિશ્વ સાપ દિન તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે. ભારતમાં સાપની પૂજા થાય છે અને નાગને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે. વિશ્વમાં સાપની અંદાજે 2,900 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે....
    Read more
    આંતરરાષ્ટ્રીય ન્યાય દિન
    આંતરરાષ્ટ્રીય ન્યાય દિન

    પ્રતિ વર્ષ 17 જુલાઈ ને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વના દેશોની ન્યાયપ્રણાલીની સ્થાપના માટે કરેલી ‘રોમસંધિ'ની વર્ષગાંઠ હોવાથી આ દિવસને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ જસ્ટિસ ડે પણ કહેવાય છે. માનવ સમાજનું મહત્ત્વનું અંગ છે સભ્યતા. તમામ માનવોને સમાન અધિકારો પ્રાપ્ત થાય તેમજ શોષણથી મુક્ત સમાજનું નિર્માણ થાય ત્યારે જ સભ્ય સમાજ બનાવી શકાય. ઇતિહાસમાં કેટલાક લોકો પર જોર, જુલમ, શોષણ જેવી ઘટનાઓ નોંધાઈ છે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. તેથી આ તમામ લોકોને ન્યાય મળે, તેઓ ઉન્નત જીવન જીવી શકે તેમજ માનવીય ગરિમા પ્રાપ્ત કરે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યત્વે સમગ્ર વિશ્વમાં ન્યાય માટેની જાગૃતિ ફેલાય તે હેતુથી આ દિવસ ઊજવવામાં આવે છે. ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, લિંગ કે શારીરિક જાતિભેદ વગેરે વિષયો પર અનિચ્છનીય પ્રકારે ચાલી રહેલી તમામ બાબતોનો વિરોધ કરવા તેમજ ન્યાય મેળવવાના હેતુથી સમગ્ર સૃષ્ટિને જાગૃત કરવાનો આ દિવસ છે. સમગ્ર વિશ્વમાં શાંતિ અને આનંદ અવિરત રહે તે માટે સર્વે એકત્ર થઈને ન્યાયની માંગણી કરે છે. ભારતના બંધારણમાં નાગરિકને નીચે મુજબના મૂળભૂત હક (અધિકાર) આપવામાં આવ્યા છે. પરંતુ સૃષ્ટિમાં માત્ર મનુષ્યો જ નથી રહેતા એ વાત આપણે સૌએ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજોનો હક સમગ્ર વિશ્વમાં ન્યાય વ્યવસ્થાને વધુ મજબૂત અને અસરકારક બનાવવાના હેતુસર તેમજ ન્યાય પ્રત્યે વ્યક્તિઓને સભાન કરવાના પ્રયત્નોના ભાગરૂપે આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશ્વ શાંતિ અને સલામતી સ્થાપવામાં ન્યાય દિવસ સહાય કરે છે.

    17th July

    Read more
    આંતરરાષ્ટ્રીય ન્યાય દિન
    17th July
    પ્રતિ વર્ષ 17 જુલાઈ ને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વના દેશોની ન્યાયપ્રણાલીની સ્થાપના માટે કરેલી ‘રોમસંધિ'ની વર્ષગાંઠ હોવાથી આ દિવસને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ જસ્ટિસ ડે પણ કહેવાય છે.
    માનવ સમાજનું મહત્ત્વનું અંગ છે સભ્યતા. તમામ માનવોને સમાન અધિકારો પ્રાપ્ત થાય તેમજ શોષણથી મુક્ત સમાજનું નિર્માણ થાય ત્યારે જ સભ્ય સમાજ બનાવી શકાય. ઇતિહાસમાં કેટલાક લોકો પર જોર, જુલમ, શોષણ જેવી ઘટનાઓ નોંધાઈ છે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. તેથી આ તમામ લોકોને ન્યાય મળે, તેઓ ઉન્નત જીવન જીવી શકે તેમજ માનવીય...
    Read more
    આંતરરાષ્ટ્રીય ચેસ દિન
    આંતરરાષ્ટ્રીય ચેસ દિન

    ચેસની રમત વધુ ને વધુ લોકપ્રિય બને અને તેમાંથી લોકો મનોરંજન મેળવી શકે એ માટે 20 જુલાઈ ના દિવસને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવામાં આવે છે. 20 જુલાઈ, 1924 ના રોજ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. આથી યુનેસ્કો દ્વારા 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાનું સૂચન કરવામાં આવેલ. ત્યાર બાદ 1966 માં 20 જુલાઈને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાની શરૂઆત થઇ હતી. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનમાં મોટાભાગના દેશોનું પ્રતિનિધિત્વ છે. આ દિવસે વિશ્વભરમાં ચેસ સ્પર્ધાનું આયોજન થાય છે. 12 ડિસેમ્બર, 2019ના રોજ યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે આ દિવસને માન્યતા આપતો ઠરાવ મંજૂર કર્યો હતો. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા આ દિવસની ઉજવણી કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં ચેસને ચતુરંગ અને શતરંજ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી આ રમત રમાતી આવી છે. શરૂઆતમાં આ રમત રાજવીઓની રમત ગણાતી કારણ કે રમતના મોહરાઓમાં રાજા-રાણી, હાથી, ઘોડા અને સૈનિકોનો સમાવેશ થતો હતો. ચેસ એ બે ખેલાડીઓ વચ્ચે રમાતી બૌદ્ધિક રમત છે. આ રમત માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારી ગણવામાં આવે છે. તે સ્મરણશક્તિને સતેજ કરે છે. આ દિવસે વધુને વધુ બાળકો, વ્યક્તિઓ ચેસ રમીને મનોરંજન મેળવે તેવું આયોજન કરવામાં આવે છે. ચેસને તંદુરસ્ત મગજની રમતોની શ્રેણીમાં રાખવામાં આવી છે. ચેસ રમવાથી મગજની ક્ષમતા વધે છે. વિશ્વનાથન આનંદ એક ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર છે, જેઓ પાંચ વખત વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા હતા. વિશ્વનાથન આનંદે ચેસની રમતમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. હાલમાં ચૅન્નઇના આર. પ્રજ્ઞાનંદ, તેમની બહેન વૈશાલી, ગુકેશ, વિદિત ગુજરાથી વિશ્વ સ્તરે યોજાતી ચેસની વિવિધ સ્પર્ધાઓમાં વિજય મેળવી ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

    20th July

    Read more
    આંતરરાષ્ટ્રીય ચેસ દિન
    20th July
    ચેસની રમત વધુ ને વધુ લોકપ્રિય બને અને તેમાંથી લોકો મનોરંજન મેળવી શકે એ માટે 20 જુલાઈ ના દિવસને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવામાં આવે છે.
    20 જુલાઈ, 1924 ના રોજ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. આથી યુનેસ્કો દ્વારા 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાનું સૂચન કરવામાં આવેલ. ત્યાર બાદ 1966 માં 20 જુલાઈને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાની શરૂઆત થઇ હતી. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનમાં મોટાભાગના દેશોનું પ્રતિનિધિત્વ છે. આ દિવસે વિશ્વભરમાં ચેસ સ્પર્ધાનું આયોજન થાય છે....
    Read more
    ઉમાશંકર જોશી જન્મજયંતી
    ઉમાશંકર જોશી જન્મજયંતી

    “વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની!” આ આહલેક જગાડનાર કવિ અને સાચા અર્થમાં ગુજરાતના સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવનાર ઉમાશંકર જોશી નો જન્મ 21 જુલાઈ, 1911 ના રોજ ગુજરાતના સાબરકાંઠા (હાલના અરવલ્લી) જિલ્લાના ભીલોડા તાલુકાના બામણા ગામે થયો હતો. તેમની માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ હતું. તેઓએ ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક, વિવેચક તરીકે કામ કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ઉમાશંકર જોશીને ઇડરમાં માધ્યમિક શિક્ષણ દરમિયાન પન્નાલાલ પટેલ ના સહાધ્યાયી તરીકે તેમજ અમદાવાદમાં કૉલેજકાળ દરમિયાન કાકાસાહેબ કાલેલકર ના અંતેવાસી તરીકે સાથે રહેવાનો અવસર મળ્યો હતો. કોલેજકાળ દરમિયાન તેઓ સત્યાગ્રહમાં પણ જોડાયા હતા. 1928 માં તેમણે લખેલું પ્રથમ સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ ની અંતિમ પંક્તિ  તેમના સમસ્ત જીવનનો જાણે સાર બતાવે છે:   સૌંદર્ય પી ઉઝરણ ગાશે પછી આપમેળે   કૉલેજના અભ્યાસ બાદ તેઓ મુંબઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. તેઓ યુનિવર્સિટીના કુલપતિ તરીકે બે વાર પસંદગી પામ્યા જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. ઉમાશંકર જોશીએ વિવિધ સાહિત્ય પ્રકારનું ખેડાણ કર્યું છે. તેમણે 'વિશ્વશાંતિ', 'ગંગોત્રી', 'નિશીથ', 'આતિથ્ય', 'વસંતવર્ષા' જેવા અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમણે બાળસાહિત્યનું પણ સર્જન કર્યું છે. ગુજરાત રાજ્યને ઉદ્દેશીને લખાયેલું "મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે" આ કાવ્ય ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે પદ્યનાટકોમાં 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન' લખ્યાં છે. 'સાપના ભારા', 'શહીદ' જેવી મહત્ત્વની એકાંકીઓ લખેલી છે.તેમણે 'વાસુકી' અને 'શ્રવણ' ઉપનામથી કેટલીક વાર્તાઓ પણ આપી છે. 'શ્રાવણી મેળો', 'ત્રણ અડધું બે અને બીજી વાતો', 'અંતરાય', 'વિસામો' તેમના વાર્તાસંગ્રહો છે. તેઓ સારા વિવેચક પણ હતા. તેમની પાસેથી 'અખો - એક અધ્યયન', 'અભિરુચિ', 'કવિની સાધના', 'કવિની શ્રદ્ધા' વગેરે વિવેચન સંગ્રહ મળ્યા છે. તેમણે 'કાલિદાસ', 'શેક્સપિયર', 'પ્રેમાનંદ' તથા 'કવિતા વાંચવાની કળા' જેવી પરિચય પુસ્તિકાઓ પણ આપી છે. 'ગોષ્ઠિ', 'ઉઘાડી બારી', 'શિવસંકલ્પ' વગેરે તેમના નિબંધસંગ્રહ છે. તેમણે કરેલ પ્રવાસોના આધારે 'ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર', 'યુરોપયાત્રા', 'ચીનમાં ચોપ્પન દિવસ' એ તેમનાં પ્રવાસ પુસ્તકો છે. તેઓ સારા અનુવાદક પણ હતા. તેમણે મહાકવિ કાલિદાસના 'અભિજ્ઞાનશાકુન્તલમ્' અને ભવભૂતિના 'ઉત્તર રામચરિતમ્' ના ઉત્તમ અનુવાદ કર્યા હતા. આમ ગુજરાતી સાહિત્યનાં લગભગ બધાં જ પાસાં તેમની પ્રતિભાનો સ્પર્શ પામ્યાં છે. તેઓ ગાંધીયુગના શ્રેષ્ઠ સાહિત્યકાર હતા. તેમને અનેક પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે: 'ગંગોત્રી' માટે શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 'નિશીથ' માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. 'પ્રાચીના' માટે મહિડા પારિતોષિક અને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 'કવિની શ્રદ્ધા' માટે સાહિત્ય અકાદમી અને દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો. મરાઠી સાહિત્ય સંઘ સુવર્ણપદક અને સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ મળ્યો હતો 1981 માં વિશ્વગુર્જરીનો એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ 1970 થી 1976 સુધી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા. 19 ડિસેમ્બર, 1988 ના રોજ તેમનું અવસાન થયું હતું.

    20th July

    Read more
    ઉમાશંકર જોશી જન્મજયંતી
    20th July
    “વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની!” આ આહલેક જગાડનાર કવિ અને સાચા અર્થમાં ગુજરાતના સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવનાર ઉમાશંકર જોશી નો જન્મ 21 જુલાઈ, 1911 ના રોજ ગુજરાતના સાબરકાંઠા (હાલના અરવલ્લી) જિલ્લાના ભીલોડા તાલુકાના બામણા ગામે થયો હતો. તેમની માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ હતું. તેઓએ ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક, વિવેચક તરીકે કામ કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
    ઉમાશંકર જોશીને ઇડરમાં માધ્યમિક શિક્ષણ દરમિયાન પન્નાલાલ પટેલ ના સહાધ્યાયી...
    Read more
    રાષ્ટ્રીય કેરી દિન
    રાષ્ટ્રીય કેરી દિન

    કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને કેરીના ચાહકો માટે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે 22 જુલાઇ એ દેશમાં રાષ્ટ્રીય કેરી દિન મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિનની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે.ભારતીયોનું લોકપ્રિય ફળ એટલે કેરી. ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના કરવી અશક્ય છે. ઉનાળો આવતાં જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્ત્વની અને પસંદગીની વસ્તુ છે. કેરી કાચી હોય કે પાકી તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. કાચી કેરીનું કચુંબર, ચટણી, અથાણું કે શરબત વગેરે બનાવવામાં આવે છે તો પાકી કેરીમાંથી રસ, મેંગો શેક, આઇસ્ક્રીમ, કેક, લસ્સી વગેરે અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. તો વળી કેરીની ગોટલીનો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે તેટલી શરીર માટે ગુણકારી પણ છે. આમ ભારતમાં કેરી મન મૂકીને ખાવામાં આવે છે. ઉનાળાની સીઝનમાં કેરી આપણા પ્રિય ફળોની યાદીમાં ટોચ પર રહે છે. કેરીની લોકપ્રિયતાને કારણે તેને ફળોનો રાજા કહેવામાં આવે છે.  ભારતમાં લગભગ 5000 વર્ષથી કેરીની ખેતી કરવામાં આવે છે. રામાયણ અને મહાભારતમાં આંબાના બગીચાનો ઉલ્લેખ છે. આમ્રપાલ, આમ્રપૂરી જેવા શબ્દોનો ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. ભારતમાં સૌ પ્રથમ કેરી ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં ઉગાડવામાં આવી હતી. શરૂઆતના સમયમાં દક્ષિણ ભારતમાં કેરીને ‘માંગા’ અને ‘આમકાયા’ કહેવામાં આવતી હતી. એવું કહેવાય છે કે વર્ષ 1498 માં જ્યારે પોર્ટુગીઝ વેપારીઓ મસાલાના વેપાર માટે ભારતના કેરળમાં આવ્યા હતા, ત્યારે તેઓ કેરીને ‘માંગા' તરીકે સંબોધતા હતા. ધીમે ધીમે માંગા શબ્દ જ મેંગોમાં પરિવર્તિત થયો. સમય સાથે કેરી તરીકે તેની લોકપ્રિયતા વધવા લાગી. 14મી સદી ની આસપાસ આફ્રિકા માં તેનું વાવેતર શરૂ થયું. 16મી સદી ની આસપાસ કેરી ફિલિપાઇન્સ માં પહોંચી અને અહીં કેરીનાં વૃક્ષો વાવવામાં આવ્યાં. 18મી સદી ની આસપાસમાં કેરી મેક્સિકો માં લોકોની પસંદગી બની ગઈ. આજે કેરી સમગ્ર વિશ્વમાં એક પ્રિય ફળ બની ગઈ છે. લોકો તેને ભેટ તરીકે એકબીજાને આપે છે. આજે વિશ્વમાં કેરીની 1500થી વધુ જાતો છે. ભારતમાં 25 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. કેરળ ના કન્નુર જિલ્લાના કન્નપુરમ ને સ્વદેશી કેરી હેરિટેજ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં કેરીની 200 જાતો ઉગાડવામાં આવી છે. કેરી ભારત ઉપરાંત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે. ભારતમાં લગભગ દરેક રાજ્યમાં અનેક પ્રકારની કેરી જોવા મળે છે. કેસર, હાફુસ, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, નિલ્ફાન્સો, રત્ના, બદામ વગેરે જેવી કેરીની જાત ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં વધતાં ઓછાં પ્રમાણમાં કેરી થાય છે. તેમાં જૂનાગઢ, વલસાડ કચ્છ વગેરેની કેસર કેરી ખૂબ પ્રખ્યાત છે. દેશ વિદેશમાં કેસર કેરીની ખૂબ માંગ રહેતી હોવાથી તેની નિકાસ પણ કરવામાં આવે છે.

    22nd July

    Read more
    રાષ્ટ્રીય કેરી દિન
    22nd July
    કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને કેરીના ચાહકો માટે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે 22 જુલાઇ એ દેશમાં રાષ્ટ્રીય કેરી દિન મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિનની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે.

    ભારતીયોનું લોકપ્રિય ફળ એટલે કેરી. ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના કરવી અશક્ય છે. ઉનાળો આવતાં જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્ત્વની અને પસંદગીની વસ્તુ છે. કેરી કાચી હોય કે પાકી તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. કાચી કેરીનું કચુંબર,...
    Read more
    લોકમાન્ય ટિળક જન્મજયંતી
    લોકમાન્ય ટિળક જન્મજયંતી

    “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ” આ સૂત્રની સિંહગર્જના કરનાર બાળ ગંગાધર ટિળક જેમને સૌ ભારતીયો 'લોકમાન્ય ટિળક' તરીકે ઓળખે છે. બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ, 1856 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીના ચીખલી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ 'કેશવ' રાખવામાં આવ્યું પણ લાડમાં સૌ તેમને 'બાળ' ના હુલામણા નામે બોલાવતા. આ નામ છેવટ સુધી તેમનું ખરું નામ બની રહ્યું. તેમના પિતાનું નામ ગંગાધર ટિળક હતું અને તેઓ રત્નાગીરીમાં સંસ્કૃતના પ્રખ્યાત શિક્ષક હતા. તેમની માતાનું નામ પાર્વતીબાઈ હતું. તેમના પિતાની બદલી થતાં તેમનો પરિવાર પૂણેમાં આવીને રહ્યો. ટિળક બાળપણથી જ ખૂબ તેજબુદ્ધિ અને પ્રતિભાવાન વિદ્યાર્થી હતા. ગણિત શરૂઆતથી જ તેમનો પસંદગીનો વિષય હતો. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ પૂણેની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં પ્રાપ્ત કર્યુ. તેઓ નાના હતા ત્યારે જ તેમનાં માતા-પિતાનું અવસાન થઈ ગયું. તેનાથી તેઓ નિરાશ થયા વિના જીવનમાં આગળ વધતા રહ્યા. તેઓને નાનપણથી જ વાચન અને લેખનનો શોખ હતો. તેમણે 1877 માં પૂણેની ડેક્કન કોલેજ માંથી ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 1879 માં તેઓ સરકારી લૉ કોલેજમાંથી L.L.B. થયા હતા. યુવાનોને રાષ્ટ્રવાદી સિદ્ધાંતો આપવા માટે 1884 માં ડેક્કન એજ્યુકેશન સોસાયટી ની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ ભારતીય યુવા પેઢી માટે શિક્ષણની ગુણવત્તા વધારવાનો અને ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચારસરણીનો વિકાસ કરવાનો હતો. 1881 માં ભારતીય સંઘર્ષોથી લોકોને પરિચિત કરાવવા માટે, લોકોમાં સ્વશાસનની ભાવના જાગૃત કરવા માટે અને પોતાના હક્કોની લડાઈ લડવાની ભાવના વિકસિત કરવાના ઉદ્દેશથી લોકમાન્ય ટિળકે બે સાપ્તાહિક પત્રિકા 'કેસરી' અને 'મરાઠા'ની શરૂઆત કરી. આ બંને સામાયિકોએ સામાન્ય જનસમૂહને લડતમાં ભાગીદાર બનાવવાના હેતુથી અભિયાન ચલાવવાનું શરૂ કર્યું.લોકમાન્ય ટિળકે જનજાગૃતિ માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ ઊજવવાનું શરૂ કર્યું. આ તહેવારના માધ્યમથી જનતામાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયનો વિરોધ કરવાનું સાહસ પ્રગટ્યું. ભારતના આ વીર સ્વતંત્રતા સેનાનીએ બંગાળના ભાગલા દરમિયાન સ્વદેશી આંદોલન અને બ્રિટીશ વસ્તુઓના બહિષ્કારનું પૂર્ણ સમર્થન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી અને લોકમાન્ય ટિળકની વિચારધારામાં અંતર હોવાથી તેઓ કોંગ્રેસના જહાલવાદી (ગરમપંથી) નેતા તરીકે ઓળખાવા લાગ્યા. આ દરમિયાન તેમને બંગાળના રાષ્ટ્રવાદી બિપીનચંદ્ર પાલ અને પંજાબના લાલા લજપતરાય નું સમર્થન પ્રાપ્ત થયું. ત્યાર બાદ આ ત્રણેયની ત્રિપુટી લાલ, બાલ અને પાલ તરીકે મશહૂર થઈ ગઈ.   લોકમાન્ય ટિળકે સમાજમાં ફેલાયેલા જાતિપ્રથા અને બાળવિવાહ જેવા કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો અને મહિલાઓના શિક્ષણ તેમજ વિકાસ પર ભાર આપ્યો. આમ એક સમાજ સુધારક તરીકે પણ તેમણે કામ કર્યું. તેમના દ્વારા લખાયેલ મુખ્ય પુસ્તક 'ધ આર્કટિક હોમ ઇન વેદાસ' અને ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા રહસ્ય’ છે. 1 ઓગસ્ટ, 1920 ના રોજ લોકલાડીલા નેતાએ વિદાય લીધી. તેમના મૃત્યુથી ભારતભરમાં અત્યંત શોકની લાગણી ફેલાઈ ગઈ. ભારત દેશે વીર સપૂત અને આઝાદીનો લડવૈયો ગુમાવ્યો. ગાંધીજીએ તેમને “આધુનિક ભારતના નિર્માતા” કહ્યા હતા.

    23rd July

    Read more
    લોકમાન્ય ટિળક જન્મજયંતી
    23rd July
    “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ” આ સૂત્રની સિંહગર્જના કરનાર બાળ ગંગાધર ટિળક જેમને સૌ ભારતીયો 'લોકમાન્ય ટિળક' તરીકે ઓળખે છે. બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ, 1856 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીના ચીખલી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ 'કેશવ' રાખવામાં આવ્યું પણ લાડમાં સૌ તેમને 'બાળ' ના હુલામણા નામે બોલાવતા. આ નામ છેવટ સુધી તેમનું ખરું નામ બની રહ્યું.
    તેમના પિતાનું નામ ગંગાધર ટિળક હતું અને...
    Read more
    કારગીલ વિજય દિન
    કારગીલ વિજય દિન

    1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મે થી જુલાઈ મહિના સુધી આશરે 60 દિવસ જમ્મુ કશ્મીરના કારગીલ વિસ્તારમાં યુદ્ધ થયું હતું. જેમાં ભારતનો વિજય થયો હતો. 26 જુલાઇ એ ભારતના પાકિસ્તાન સાથેના કારગીલ યુદ્ધમાં મળેલ વિજયની યાદમાં કારગીલ વિજય દિન ઊજવવામાં આવે છે. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ કારગીલ વિજય પછી આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો. કારગીલ વિજય દિને કારગીલ યુદ્ધના નાયકોનું સન્માન કરવામાં આવે છે તથા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. આ દિવસ સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન દર વર્ષે ઇન્ડિયા ગેટ નજીક અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. The War Memorial ખાતે ફ્લેગ ઓફ સેરેમની માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દ્રાસ સેક્ટર (જમ્મુ કશ્મીર) ખાતે પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કારગીલની ભૌગોલિક સ્થિતિ એવી છે કે દુશ્મનો ગોળી પણ બારૂદના ગોળા સમાન સાબિત થાય છે. હિમાલયની દુર્ગમ પર્વતમાળામાં બે પર્વતો વચ્ચે 4000-5000 ફૂટ ઊંડી ખીણ અને સીધાં ચઢાણો, બરફના ખડકોમાંથી વહેતી હિમનદીઓ, 100 કીમી. ઝડપે સતત ફૂંકાતા પવનો, અલ્પ પ્રમાણમાં મળતો પ્રાણવાયુ અને હવાનું ઓછું દબાણ આ બધી વિકટ પરિસ્થિતિઓમાં જવાનોની આકરી કસોટી થાય છે. આ વિષમ ઉષ્ણતામાનમાં જવાનોએ પોતાની સાથે 20 કિલો જેટલો સામાન ઊંચકવાનો હોય છે. આવી પરિસ્થિતિમાં કારગીલ ક્ષેત્રમાં પાકિસ્તાન સાથે પૂરજોશમાં યુદ્ધ છેડાયું. પાકિસ્તાને પોતાના નિર્ણાયક સ્થળોએ પાકિસ્તાની આર્મી મૂકીને ભારતીય નિયંત્રણવાળા વિસ્તારોમાં વિવિધ વ્યૂહાત્મક બિંદુઓ પર કબજો કર્યો. આ પરિસ્થિતિમાં યુદ્ધની વ્યૂહરચના પણ કુદરતી સંજોગો પ્રમાણે બદલાતી રહે છે. ભારતીય સૈન્યે વળતો મુકાબલો કરીને પાકિસ્તાની ઘૂસણખોરોને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. ભારતે યુદ્ધના બીજા તબક્કામાં વ્યૂહાત્મક પરિવહન માર્ગો કબજે કરીને જવાબ આપ્યો અને પછી ભારતીય વાયુસેનાની મદદથી અંતિમ તબક્કામાં યુદ્ધ સમાપ્ત કર્યું. યુદ્ધમોરચે ગુજરાતના 12 નવલોહિયા જવાનો એ દેશની રક્ષા કાજે ફનાગીરી વહોરી લીધી હતી. ગુજરાતના વીર નરબંકાઓના પાર્થિવ દેહ આવી રહ્યા હતા ત્યારે તેમની કુરબાની, ગૌરવગાથાથી જનસામાન્યનો જુસ્સો વધી રહ્યો હતો. કારગીલ વિજયમાં ગુજરાતના સૈનિકોનું મહત્ત્વનું યોગદાન હતું. ધન્ય છે વીર જવાનોને. આમ તો લશ્કરની ત્રણેય પાંખમાં ગુજરાતના યુવાનો સૈનિક અને અફસરો તરીકે જોડાયેલા છે. ઘણા ઓછાં લોકોને ખબર હશે કે ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની સાતમી પલટન ગુજરાતી છે. 26 જુલાઈ, 1999 ના રોજ કારગીલમાં ભારતને વિજય મળતાં પાકિસ્તાન ધોબીપછાડ ખાઇ ભાગી રહ્યું હતું. ભારતીય જવાનોએ દુર્ગમ વિસ્તાર અને વિકટ પરિસ્થિતિઓમાં પણ વિજય મેળવ્યો. ભારતને વિજય અપાવનાર તમામ જવાંમર્દોને શત શત નમન.

    26th July

    Read more
    કારગીલ વિજય દિન
    26th July
    1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મે થી જુલાઈ મહિના સુધી આશરે 60 દિવસ જમ્મુ કશ્મીરના કારગીલ વિસ્તારમાં યુદ્ધ થયું હતું. જેમાં ભારતનો વિજય થયો હતો.
    26 જુલાઇ એ ભારતના પાકિસ્તાન સાથેના કારગીલ યુદ્ધમાં મળેલ વિજયની યાદમાં કારગીલ વિજય દિન ઊજવવામાં આવે છે. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ કારગીલ વિજય પછી આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.
    કારગીલ વિજય દિને કારગીલ યુદ્ધના નાયકોનું સન્માન કરવામાં આવે છે તથા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં...
    Read more
    વિશ્વ હિપેટાઇટિસ દિન
    વિશ્વ હિપેટાઇટિસ દિન

    વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.0.) દ્વારા દર વર્ષે 28 જુલાઈ ના દિવસે વિશ્વ હિપેટાઇટિસ દિન ની ઉજવણી કરવામાં આવે છે. W.H.O. દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હિપેટાઇટિસના શિકાર બન્યા છે.   વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી માટે 28 જુલાઈની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે 28 જુલાઈ નૉબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લુમબર્ગ નો જન્મદિવસ છે. તેમણે હેપેટાઇટિસ B વાયરસ (HBV)ની શોધ કરી હતી તેમજ વાયરસના નિદાન, પરીક્ષણ અને તેના ઉપચાર માટેની રસી વિકસાવી હતી. આ દિવસ દર વર્ષે વિવિધ થીમ પર ઊજવવામાં આવે છે.   વિશ્વભરમાં વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ રોગના નિવારણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોને વેગ આપવો, વિવિધ સંસ્થાઓની ભાગીદારી દ્વારા નિદાન, પરીક્ષણ અને રસી જેવી પ્રક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય જોડાણને પ્રોત્સાહિત કરવા જેવા હેતુઓ પણ આ દિવસની ઉજવણીના કેન્દ્ર સ્થાને રહેલાં છે. WHOએ વિશ્વમાંથી 2030 સુધીમાં હેપેટાઇટિસ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખેલ છે.   હિપેટાઇટિસ એક એવું ઇન્ફેક્શન છે જે શરીરના યકૃત (લીવર)ને અસર કરે છે. લીવર વ્યક્તિના શરીરમાં રહેલું સૌથી અગત્યનું અંગ છે. લીવર શરીરની અલગ-અલગ ક્રિયાઓમાં મદદ કરે છે જેમ કે જમવાનું પચાવવામાં, શક્તિ જમા કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢી શરીરને બિન ઝેરી કરવામાં વગેરે. હિપેટાઇટિસ થવાથી લીવરમાં સોજો આવે છે જેના કારણે લીવર ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે.   ભારત સરકારે 28 જુલાઈ, 2018 ના રોજ રાષ્ટ્રીય વાઈરલ હિપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ (National Viral Hepatitis Control Program) શરૂ કર્યો હતો. હિપેટાઇટિસના પાંચ પ્રકાર : A, B, C, D અને E આ પાંચ પ્રકાર પૈકી હિપેટાઇટિસ A અને E દૂષિત ભોજન અથવા પાણીના કારણે થાય છે. હિપેટાઇટિસ B, C અને D વ્યક્તિના શરીરના તરલ પદાર્થો જેવાં કે લોહી, લાળ વગેરે (બોડી ફ્લુઇડ્સ)ના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. હિપેટાઇટિસના ઉપરના પાંચ પ્રકારમાંથી હિપેટાઇટિસ C સૌથી વધારે જોખમી અને જીવલેણ માનવામાં આવે છે. હિપેટાઇટિસ C થી પીડિત વ્યક્તિ નેત્રદાન કરી શકતી નથી.

    28th July

    Read more
    વિશ્વ હિપેટાઇટિસ દિન
    28th July
    વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.0.) દ્વારા દર વર્ષે 28 જુલાઈ ના દિવસે વિશ્વ હિપેટાઇટિસ દિન ની ઉજવણી કરવામાં આવે છે. W.H.O. દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હિપેટાઇટિસના શિકાર બન્યા છે.   વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી માટે 28 જુલાઈની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે 28 જુલાઈ નૉબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લુમબર્ગ નો જન્મદિવસ છે. તેમણે હેપેટાઇટિસ B વાયરસ (HBV)ની શોધ કરી હતી...
    Read more
    આંતરરાષ્ટ્રીય વાઘ દિન
    આંતરરાષ્ટ્રીય વાઘ દિન

    દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ની ઉજવણી 29 જુલાઈ ના રોજ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં વિકાસની આંધળી દોટમાં માણસ એટલો સ્વાર્થી બની ગયો છે કે તેણે પ્રકૃતિને નુકશાન પહોંચાડીને પોતાના જ અસ્તિત્વ માટે ખતરો ઊભો કર્યો છે. માણસે જંગલોનું નિકંદન કાઢી વન્યજીવોને પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેને પરિણામે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આમાંની એક પ્રજાતિ વાઘ છે. વાઘના રહેઠાણ વિસ્તારમાં ઘટાડો, શિકારનો ભોગ તથા અંગોનો ગેરકાયદેસર વેપાર જેવાં પરિબળોને લીધે આજે વાઘની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક હોવાથી વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ઊજવવામાં આવે છે. 2010 માં રુશના બર્ગ શહેર માં એક સંમેલનનું આયોજન થયું હતું. જેમાં વાઘ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 29 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિન તરીકે ઊજવાય છે. એ દિવસે વાઘ દિવસ ઊજવવાનું નક્કી કરતી વખતે દેશોએ વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. વાઘ પરિયોજના (PROJECT TIGER): ભારતમાં વાઘની સંખ્યા વીસમી સદીની શરૂઆતમાં 40000 જેટલી હતી. માનવીના વસતી વધારા સાથે વન્યજીવોના રહેઠાણમાં થતા નોંધપાત્ર ઘટાડા અને તેમના વધુ પડતા શિકારના પરિણામે તેમની સંખ્યા ઘટીને 1972 માં 1800 થઈ ગઇ હતી. તેથી વાઘને નષ્ટ થતા અટકાવવા ભારત સરકારે 1973 માં વાધ પરિયોજના (Project Tiger) શરૂ કરી. એ યોજના હેઠળ વાઘની વસતીવાળા વિસ્તારમાં થતી માનવીની શિકારની પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી અને તેમનાં નિવાસસ્થાનોને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. આમ તો ભારત સરકારે વાધના શિકાર પર સાવ પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ વાઘની ચામડી, તેના નખ, માંસ, યકૃત અને હાડકાંની પરદેશમાં ઘણી માંગ હોઈ કેટલીક વ્યક્તિઓ તેનો લાભ ઉઠાવવા લલચાઈને વાઘનો શિકાર કરી તેના વિવિધ ભાગોનો છુપી રીતે વેપાર કરતા હોય છે. જોકે ભારત સરકારનું Department of Environment and Forest આ બાબત પ્રત્યે સજાગ છે અને તેઓ આ ગેરકૃત્યોને રોકવા માટે હંમેશાં પ્રયત્નશીલ હોય છે. પશ્ચિમ બંગાળનો વાઘ રોયલ બેંગોલ ટાઇગર એ વિશ્વની વાધની 8 જાતિઓમાંની એક જાતિ છે. National Tiger Conservation Authority (NCTA) દ્વારા દર 4 વર્ષે વાઘની ગણતરી કરવામાં આવે છે. વાઈલ્ડલાઈફ (પ્રોટેક્શન) એક્ટ, 1972ની કલમ 38 એલ(1) હેઠળ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ની રચના કરવામાં આવી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની વેબસાઇટ પર ભારતમાં આવેલા 55 ટાઈગર રીઝર્વ ની યાદી આપવામાં આવેલી છે. જેમાં આંધ્રપ્રદેશમાં આવેલ નાગાર્જુન સાગર વિસ્તારની દૃષ્ટિએ (કુલ ક્ષેત્રફળ આશરે 3294 ચોરસ કિમી.) સૌથી મોટું ટાઈગર રીઝર્વ છે.

    29th July

    Read more
    આંતરરાષ્ટ્રીય વાઘ દિન
    29th July
    દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ની ઉજવણી 29 જુલાઈ ના રોજ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં વિકાસની આંધળી દોટમાં માણસ એટલો સ્વાર્થી બની ગયો છે કે તેણે પ્રકૃતિને નુકશાન પહોંચાડીને પોતાના જ અસ્તિત્વ માટે ખતરો ઊભો કર્યો છે. માણસે જંગલોનું નિકંદન કાઢી વન્યજીવોને પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેને પરિણામે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આમાંની એક પ્રજાતિ વાઘ છે. વાઘના રહેઠાણ વિસ્તારમાં ઘટાડો, શિકારનો ભોગ તથા અંગોનો ગેરકાયદેસર વેપાર જેવાં પરિબળોને લીધે આજે વાઘની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે.
    હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક હોવાથી...
    Read more
    હિરોશીમા દિન
    હિરોશીમા દિન

    6 ઑગસ્ટ ને માનવજાતના ઇતિહાસના કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1945 ના આ દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. જ્યારે 9 ઓગસ્ટે નાગાસાકી શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. વિશ્વના લોકોને અણુબોમ્બની ભયાનકતાનો ખ્યાલ આવે તેમજ આ હુમલાના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે હિરોશીમા અને નાગાસાકી દિન ઉજવણી કરવામાં આવે છે. જીવનથી ધબકતા આ શહેરોને પળવારમાં ખંડેર બનાવી દેનારી આ ગોઝારી ઘટનાની કારમી અસરો વર્ષોથી માનવજાત ભોગવી રહી છે. આ દુનિયાનો પહેલો પરમાણુ હુમલો હતો. આ ધડાકા બાદ તાપમાન એટલું વધી ગયું હતું કે અનેક લોકો બળીને ખાક થઈ ગયા. મિનિટોમાં હિરોશિમા શહેરનો 80 ટકા ભાગ બળીને તબાહ થઈ ગયો હતો. તબાહી આટલેથી ન અટકતાં જે લોકો બચી ગયા હતા એમાંથી હજારો લોકો પરમાણુ વિકિરણો સાથે જોડાયેલી બીમારીનો ભોગ બન્યાં અને હજુ સુધી પેઢી દર પેઢી આ બીમારીની કારમી અસરો ભોગવી રહ્યા છે. બોમ્બના કારણે કાળો વરસાદ થતાં ઘણા કિમી સુધીનો વિસ્તાર સંપૂર્ણપણે દૂષિત થઈ ગયો હતો. હિરોશિમા પર ફેંકવામાં આવેલા 20 હજાર ટન ની ક્ષમતાવાળા બોમ્બનું નામ લિટલ બોય હતું જ્યારે ત્રણ દિવસ બાદ નાગાસાકી શહેર પર ફેટ મેન નામનો બોમ્બ ઝીંકવામાં આવેલો. તે સમયના અમેરિકાના તત્કાલીન પ્રમુખ હેન્રી ટ્રુમેન દ્વારા બીજા વિશ્વયુદ્ધ માં લેવાયેલ આ નિર્ણયને માનવજાત પરના સૌથી જઘન્ય અને વિવાદાસ્પદ કૃત્ય તરીકે ઓળખવામાં આવે છે ત્યારે વિશ્વશાંતિ અને માનવજાતના કલ્યાણના પરિપ્રેક્ષ્યમાં આવી ઘાતકી ઘટના ચોક્કસ મનોમંથન માંગી લે છે. વર્તમાન સમયમાં અનેક રાષ્ટ્રો પરમાણુ શક્તિ બની ચૂક્યાં છે તેમજ અત્યંત ઘાતકી શસ્ત્રો, રસાયણો અને જૈવિક વિષાણુઓની શોધ થઈ છે જેનો તમામ દેશોએ સંગ્રહ કર્યો છે. આવા સંજોગોમાં જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ શકે તેમ ઘણા ચિંતકો કહે છે. આ માટે વિશ્વશાંતિની દિશામાં કામ કરવાની જરૂર છે.

    06th August

    Read more
    હિરોશીમા દિન
    06th August
    6 ઑગસ્ટ ને માનવજાતના ઇતિહાસના કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1945 ના આ દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. જ્યારે 9 ઓગસ્ટે નાગાસાકી શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. વિશ્વના લોકોને અણુબોમ્બની ભયાનકતાનો ખ્યાલ આવે તેમજ આ હુમલાના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે હિરોશીમા અને નાગાસાકી દિન ઉજવણી કરવામાં આવે છે.
    જીવનથી ધબકતા આ શહેરોને પળવારમાં ખંડેર બનાવી દેનારી આ ગોઝારી ઘટનાની કારમી અસરો વર્ષોથી માનવજાત ભોગવી રહી છે. આ દુનિયાનો પહેલો પરમાણુ...
    Read more
    મહાગુજરાત આંદોલન
    મહાગુજરાત આંદોલન

    દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્ય માંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગણી સાથે 1956 માં શરૂ થયેલું રાજકીય આંદોલન એટલે મહાગુજરાત આંદોલન. આ આંદોલન 1 મે, 1960 ના રોજ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું. સામાન્ય રીતે ભાષાવાર પ્રાંતની રચના કરવાની માંગનો સ્વીકાર ન થયો અને દ્વિભાષી મુંબઇ રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છને મુંબઇ રાજ્યમાંથી બાકાત રાખવામાં આવ્યાં હતાં. પરિણામે વહીવટની તમામ બાબતોમાં ગુજરાતી ભાષા અને ગુજરાતીઓની અવગણના થતી હોવાનું લોકોને લાગ્યું. હાઇકોર્ટ છેક મુંબઇમાં હોય ત્યારે ઉત્તર ગુજરાતના લાકોને તો ખૂબ જ અસહજ લાગે તે સ્વાભાવિક હતું. આ અસંતોષની જ્વાળાઓ આખરે મહાગુજરાત આંદોલન સ્વરૂપે ભભૂકી ઊઠી હોવાનું સ્પષ્ટ થાય છે. ભારતની આઝાદીની લડત બાદ 'મહાગુજરાત આંદોલન' એ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન ગણાય છે. મહાગુજરાત આંદોલનમાં 1958 માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને 'લે કે રહેંગે મહાગુજરાત' નો નારો બુલંદ બન્યો. 8 ઑગસ્ટ, 1956 ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા. મહિલાઓએ પણ આગળ વધીને આંદોલનમાં ભાગ લીધો હતો અને કેટલીક મહિલાઓએ ધરપકડ વ્હોરી હતી. ટૂંકમાં આ આંદોલનમાં ગુજરાતના લોકો હડતાળો, વિદ્યાર્થીઓનાં દેખાવો, જંગી સરઘસોરૂપે ભાગીદાર બન્યા. પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતીભાષી વિસ્તારોમાં અરાજકતાના કારણે આંદોલન વધારે તીવ્ર બન્યું. આખરે ગુજરાતના અલગ રાજ્યની માંગ સ્વીકારાઇ અને 1 મે, 1960 ના દિવસે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો સમાવી નવું રાજ્ય બન્યું. જેનું ઉદ્દઘાટન મૂકસેવક રવિશંકર મહારાજ ના હસ્તે સાબરમતી ગાંધીઆશ્રમમાં કરવામા આવ્યું. પાછળથી તત્કાલીન બૉમ્બે સ્ટેટ (પ્રૉવિન્સ)નો ભાગ રહેલા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા 1956 થી 1960 સુધી ચાલેલા મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતા ઇન્દુલાલ યાજ્ઞિક ના નેતૃત્વમાં શહીદ સ્મારક બનાવવાની માગણી સાથે લગભગ એક વર્ષ સુધી સત્યાગ્રહ ચાલ્યો હતો. આ સ્મારકનું ઉદ્ઘાટન 19 સપ્ટેમ્બર, 1968 ના દિવસે કરવામાં આવ્યું હતું. અમદાવાદના લાલદરવાજા ખાતે મહાગુજરાત આંદોલનના સાક્ષીરૂપે સ્મારક તૈયાર કરવામાં આવેલું છે. સમયગાળોઃ તારીખ 8 ઑગસ્ટ 1956 થી 1 મે, 1960 સ્થળ: મુંબઈ રાજ્ય, ભારત આંદોલનનું ધ્યેય: દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગણી વિરોધની રીતઃ દેખાવો, શેરી દેખાવો, ભૂખ હડતાલ, હડતાલ પરિણામ: 1 મે, 1960 ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના.

    08th August

    Read more
    મહાગુજરાત આંદોલન
    08th August
    દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્ય માંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગણી સાથે 1956 માં શરૂ થયેલું રાજકીય આંદોલન એટલે મહાગુજરાત આંદોલન. આ આંદોલન 1 મે, 1960 ના રોજ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.
    સામાન્ય રીતે ભાષાવાર પ્રાંતની રચના કરવાની માંગનો સ્વીકાર ન થયો અને દ્વિભાષી મુંબઇ રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છને મુંબઇ રાજ્યમાંથી બાકાત રાખવામાં આવ્યાં હતાં. પરિણામે વહીવટની તમામ બાબતોમાં ગુજરાતી...
    Read more
    હિંદ છોડો આંદોલન દિન
    હિંદ છોડો આંદોલન દિન

    ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજી દ્વારા કરાયેલા આહ્વાન પર 8 મી ઑગસ્ટ, 1942 ના દિને 'હિંદ છોડો આંદોલન' નો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને અંગ્રેજ શાસનની ગુલામીમાંથી તુરંત આઝાદ કરાવવા માટે અંગ્રેજ શાસન વિરુદ્ધ એક ‘નાગરિક અવજ્ઞા આંદોલન' (Civil Disobedience Movement - સવિનય કાનૂનભંગ) હતું. 8 ઑગસ્ટ, 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ દિવસ છે. આ દિવસે મુંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો' નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે અંગ્રેજોને હિન્દ છોડો નું એલાન આપ્યું. ‘હિન્દ છોડો’ એ આઝાદીની લડતનું વધુ તીવ્ર આંદોલન હતું અને ત્યારથી અંગ્રેજો સમજી ગયા કે હવે લાંબો વખત ભારતને ગુલામ રાખી શકાશે નહીં. આંદોલનની હવા વાતાવરણમાં હતી જ અને તેથી સરકારે તેને કચડી નાખવા પૂરતી તૈયારી કરી રાખેલી હતી. જેવી મુંબઈની સભા પૂર્ણ થઈ કે તે જ દિવસથી ધરપકડોની શરૂઆત થઈ. તે રાત્રે મોટાભાગના કારોબારી સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી. ગાંધીજીની અને બીજાઓની પણ ધરપકડ થઈ. ગાંધીજીને આગાખાન મહેલમાં અને અન્ય નેતાઓને છૂપી રીતે અહમદનગરના કિલ્લામાં લઈ જવાયા. બીજી એક અગત્યની બાબત એ હતી કે આંદોલન શરૂ થતાં જ મોટા નેતાઓની ધરપકડો થવા લાગી. ટૂંક સમયમાં જ આંદોલન નેતાગીરીવિહીન બન્યું. તેની અસર એ થઈ કે હવે આ લડત લોકોની લડત બની ગઈ. સ્થાનિક કક્ષાએ લોકોએ પોત- પોતાની રીતે લડત ચલાવી. અગાઉની લડતો કરતાં આ હિંદ છોડો આંદોલન વધુ વ્યાપક હતું અને સ્વરાજ્યની તીવ્ર ઉત્કંઠાથી પ્રજાએ તેમાં ભાગ લીધો. સામે પક્ષે સરકાર પણ વધારે આક્રમક બની અને અગાઉ કરતાં વધારે લાઠી અને બંદૂક નો ઉપયોગ કર્યો. વધુ ધરપકડો થઈ અને મોત પણ વધારે થયાં. હજારો મોત અને લાખો ધરપકડ કરવા છતાં અંતે અંગ્રેજો એ જાણી ગયા કે હવે ભારતમાંથી ઉચાળા ભરવાનો સમય થઈ ગયો છે. આ લડત પછી તરત તો આઝાદી મળી નહીં પણ આઝાદી મળશે અને અંગ્રેજ શાસન સમાપ્ત થશે તેવી સ્થિતિ ચોક્કસ નિર્માણ થઈ ગઈ. આમ, 8 ઑગસ્ટ એ ભારતીય સ્વતંત્ર સંગ્રામનું મહત્વનું સીમાચિહ્ન છે અને તેથી આ આંદોલનમાં પોતાનું તન, મન, ધન ગુમાવી શહીદ થયેલા તમામના આપણે ઋણી છીએ.

    08th August

    Read more
    હિંદ છોડો આંદોલન દિન
    08th August
    ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજી દ્વારા કરાયેલા આહ્વાન પર 8 મી ઑગસ્ટ, 1942 ના દિને 'હિંદ છોડો આંદોલન' નો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને અંગ્રેજ શાસનની ગુલામીમાંથી તુરંત આઝાદ કરાવવા માટે અંગ્રેજ શાસન વિરુદ્ધ એક ‘નાગરિક અવજ્ઞા આંદોલન' (Civil Disobedience Movement - સવિનય કાનૂનભંગ) હતું.
    8 ઑગસ્ટ, 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ દિવસ છે. આ દિવસે મુંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો' નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે અંગ્રેજોને...
    Read more
    વિશ્વ આદિવાસી દિન
    વિશ્વ આદિવાસી દિન

    વિશ્વમાં 9 ઓગસ્ટ ને આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. 1991 માં બ્રાઝીલના રિયો-ડી-જાનેરો માં ટકાઉ વિકાસ અને પર્યાવરણ પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં દુનિયાના ખૂણે ખૂણેથી આદિવાસીઓ આવ્યા હતા. એમને પોતાના સમુદાયના જંગલ, જમીન, પાણી અને કુદરતી સ્રોત પરના હકની માગણી કરી એમની માંગણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી. વિશ્વભરમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાય એટલે કે આદિવાસી સમાજને એમના હક, અધિકારો અને સમ્માન મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઓગસ્ટ, 1991ને વિશ્વ આદિવાસી દિન જાહેર કરેલ છે. દુનિયાભરના લગભગ તમામ દેશોમાં આદિવાસી પ્રજા વસે છે. આ પ્રજા તમામ ખંડના રણવિસ્તારોમાં, જંગલોમાં, પર્વતોમાં કે ઊંચા ઘાસનાં બિડો માં વસતી જોવા મળે છે. આદિકાળથી ગામ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં આદિવાસી પ્રજાને મૂળ વસાહતીઓ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિ માં થાય છે. પહેલાં આ જાતિમાં શિક્ષણ નહીંવતું હતું. પણ આજે ઘણા આદિવાસીઓ ઉચ્ચ અભ્યાસ કરીને વિકાસ કરી રહ્યા છે, તેમ છતાં અંતરિયાળ દુર્ગમ વિસ્તારમાં આદિવાસી પ્રજા સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને નહિવત અક્ષરજ્ઞાન સાથે જીવી રહી છે. 2011 ની વસતીગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં સાક્ષરતાનો દર 62.5% હતો. આ સાક્ષરતા દર વધે, આદિવાસી પ્રજામાં શિક્ષણનું સ્તર ઉત્તરોત્તર વધે અને ઉચ્ચશિક્ષણ મેળવી તેઓ રાષ્ટ્રને ઉપયોગી બને તે ખૂબ જ જરૂરી છે. આદિવાસી પ્રજામાં નીડરતા, સાહસિકતા. ખડતલપણું, સંઘર્ષશક્તિ જેવા નૈસર્ગિક ગુણો સમાયેલા હોય છે. આ ગુણો વિશ્વ માટે ઉપયોગી બને અને તેઓ વિશ્વમાનવી બને તે માટે વિશ્વ આદિવાસી દિન ઉજવવામાં આવે છે. આદિવાસી એક વિરાસત છે. તેમની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે તેમજ સમાજ ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આદિવાસીઓનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવશાળી છે. ભારત સહિત વિશ્વમાં એમની વીરતા અને શહાદતની ગૌરવ ગાથાઓ છે. સોમનાથના રક્ષણ માટે નીકળેલા હમીરસિંહને સાથ આપનાર વોગડો ભીલ, અંગ્રેજ શાસન સામે બગાવત કરનાર તાતીથો ભીલ, સમગ્ર આદિવાસી પ્રજા જેને ગુરુ માને છે તે બિરસા મુંડા, માનગઢમાં શહીદી વહોરાનાર આદિવાસીઓના ગોવિંદગુરુ, મેવાડ ધરા ઉપર સીસોદીયાના વંશને બચાવવા પોતાના દીકરાનું બલિદાન આપનાર પન્ના જેવા અનેક વીર રત્નો એના પુરાવા છે. આદિવાસી પ્રજાની વીરતા, બલિદાન અને ખુમારીની આવી તો અનેક ગાથાઓ છે. આ પ્રજાના આવા નૈસર્ગિક ગુણો અને ક્લા તેમજ તેમની સંસ્કૃતિ જળવાય તે માટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવવામાં આવે છે. આજે પણ એવા ઘણા આદિવાસી વિસ્તારો છે, કે જ્યાં શિક્ષણ અને સવલતો પહોંચી નથી અથવા નહીંવત પહોંચી છે. આથી આદિવાસી પ્રજા વિશાળ ફલક ઉપર આવે અને તેમની ઓળખ ઉભી કરે તેવા પ્રયત્નો થવા જોઈએ. તેમની ભાષા અને વ્યાકરણ, તેમના પારંપરિક તહેવારો, તેમના દેવી- દેવતાઓ વગેરે વિશે લોકો જાણે અને અપનાવે તેવા હેતુથી પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશમાં આપણા રાજ્યમાં આદિવાસી ઉત્કર્ષના અનેક કાર્યક્રમો અને વિકાસની યોજનાઓ છે. જેની જાણકારી અને લાભ આદિવાસી પ્રજા મેળવે તેવા હેતુથી આદિવાસી દિવસની ઉજવણી આયોજનબદ્ધ રીતે થાય છે. વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખી વનબંધુ કલ્યાણ યોજના, ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડતી યોજનાઓ, એકલવ્ય જેવી નિવાસી શાળાઓ, જંગલની જમીન, જળ અને વનપેદાશોને લગતી ઘણી યોજનાઓ આજે અમલમાં છે. આ તમામ પ્રયત્નો એટલા માટે કરવામાં આવે છે, કે આદિવાસી પ્રજા મૂળ પ્રવાહ સાથે જોડાઈને સૌની સાથે કદમ મિલાવે. આપણે આગળ જોયું તેમ આદિવાસી વિસ્તારમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ પહેલા ખૂબ ઓછું હતું. અનેક પ્રયત્નો છતાં એમાં સંતોષજનક પરિણામ મેળવી શકાયું નથી. સરકારની અનેકવિધ યોજનાઓ અમલીકૃત હોવા છતાં આદિવાસી સમાજમાં જોઇએ તેવી પ્રગતિ જોવા મળેલ નથી. આ પરિસ્થિતિમાં આદિવાસીઓના વિકાસ માટે યુનોએ 1994 થી 2004 સુધી મૂળનિવાસીઓ (આદિવાસી)નો દસકો ઉજવ્યો. પછી 2004 થી 2014 સુધી બીજો દસકો ઉજવ્યો. 2015 નું વર્ષ આદિવાસી અસ્મિતાને ઉજાગર કરવાના હેતુથી ઉજવવામાં આવ્યું હતું. આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો મુખ્ય આધાર ખેતી અને વન્યપેદાશો છે. તેમના તહેવારો ખેતીની મોસમ અનુસાર આવતા હોય છે તેઓ આજે પણ તેમની મૂળભૂત સંસ્કૃતિને સાચવીને બેઠા છે. તેમની સંસ્કૃતિ, તેમના તહેવારો પોશાક, બોલી વગેરે બધાથી અલગ અને અનોખી રીતભાત ધરાવતા હોય છે. વિશ્વભરના મૂળનિવાસી અને પ્રકૃતિપ્રેમી એવા આદિવાસીઓ પોતાના હક્ક, અધિકારો અને સમાજમાં યોગ્ય દરજ્જો મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઑગસ્ટને “વિશ્વ આદિવાસી દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. 1994 માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દરમિયાન આદિવાસીઓની સંસ્કૃતિના રીત-રિવાજો, ગીતો, તેમની વીરગાથાઓ તેમજ આઝાદી દરમિયાન કે અન્ય કોઈપણ તેમના મહાન યોગદાનને ઉજાગર કરીને લોકો સમક્ષ લાવવામાં આવે છે. જેથી આદિવાસી પ્રજા લોકોમાં સ્વમાનભેર સ્થાન પામે અને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડાય વિશ્વની વિરાસત એવા આદિવાસી સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે આદિવાસી દિવસની ઉજવણી ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં આદિવાસી સમુદાયના લોકો, આદિવાસી સંગઠનો સરકારી અને સામાજિક સંસ્થાઓ સામુહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે. આપણે સૌએ આદિવાસી સમાજના સામાજિક, શૈક્ષિણિક અને આર્થિક વિકાસ માટે પ્રયાસો કરવા જોઈએ. આવા પ્રયત્નો થાય તો જ આદિવાસી દિવસની ઉજવણી સાર્થક ગણાય.

    09th August

    Read more
    વિશ્વ આદિવાસી દિન
    09th August
    વિશ્વમાં 9 ઓગસ્ટ ને આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. 1991 માં બ્રાઝીલના રિયો-ડી-જાનેરો માં ટકાઉ વિકાસ અને પર્યાવરણ પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં દુનિયાના ખૂણે ખૂણેથી આદિવાસીઓ આવ્યા હતા. એમને પોતાના સમુદાયના જંગલ, જમીન, પાણી અને કુદરતી સ્રોત પરના હકની માગણી કરી એમની માંગણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી. વિશ્વભરમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાય એટલે કે આદિવાસી સમાજને એમના હક, અધિકારો અને સમ્માન મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઓગસ્ટ, 1991ને વિશ્વ...
    Read more
    વિશ્વ સિંહ દિન
    વિશ્વ સિંહ દિન

    જેમ વિશ્વમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે વગેરે જેવા દિવસો સ્વજન માટે ઉજવાય છે તેમ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક દિવસ એટલે વિશ્વ સિંહ દિન. વિશ્વભરમાં એક માત્ર ગીર અભ્યારણ્ય અને તેની આસપસના વિસ્તારોમાં જોવા મળતા એશિયાઇ સિંહ અને આફ્રિકાનાં જંગલોમાં રહેતા આફ્રિકન સિંહો ના સંવર્ધન અને સંરક્ષણ માટે 10 ઑગસ્ટ ના દિવસે 'World Lion Day' ની ઉજવણી કરવામાં આવે છે. સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક પ્રતીક સ્વરૂપે ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવું મહત્વ ધરાવતું પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું ખૂબ જ મોટું યોગદાન સમાયેલું છે. સ્થાનિક લોકોના સહકાર, સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખત મહેનતના કારણે છેલ્લા કેટલાંક વર્ષોથી એશિયાઇ સિંહોની વસતીમાં વધારો થયો છે. ગીરના નેસ વિસ્તારમાં વસતા માલધારીઓનો સિંહ સાથેનો સંબંધ અનોખો છે, સિંહના મૃત્યુથી આ લોકો સ્વજનનું મૃત્યુ થયું હોય તેવા શોકની અનુભૂતિ કરે છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઇ સિંહો ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૈારાષ્ટ્રનાં હજારો ચોરસ કીલોમીટરમાં વિહરતા થયા છે. વિશ્વ સિંહ દિનની ઉજવણી વનવિભાગ દ્વારા વર્ષ 2016 થી શરૂ કરવામાં આવી છે. જીવ સમતુલા જાળવવા અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા જાળવી રાખવા સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવું જરૂરી છે. હાલ સિંહો સાસણ ગીર ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં જોવા મળે છે. સિંહોની સંખ્યામાં વધારો થતાં બૃહદ્ ગીરની કામગીરી અમલમાં છે. ગુજરાતમાં દર 5 વર્ષે સિંહોની ગણતરી થાય છે. સિંહોની સંખ્યામાં જોઈએ તો છેલ્લી ગણતરી મુજબ 2015 માં આશરે 523 સિંહો સાસણ ગીર ખાતે જોવા મળ્યા હતા. જે 2020 માં આશરે 674 નો આંકડો પાર કરી રહ્યા હોવાનું એક અનુમાન છે. સિંહોની વધતી સંખ્યા તેમના સંવર્ધન અને સંરક્ષણ માટે થઇ રહેલા પ્રયત્નોની સફળતાને આભારી છે. આમ છતાં કુદરતી મૃત્યુ કરતાં માનવસર્જિત પ્રવૃતિઓને કારણે સિંહોના મૃત્યુના આંકડા વધુ છે. ગીરના વિસ્તારમાંથી પસાર થતો રેલવે ટ્રેક, માનવરહિત ફાટક તેમજ ખુલ્લા કૂવાઓ સિંહના અપમૃત્યુનું કારણ બનતા જોવા મળ્યા છે.

    10th August

    Read more
    વિશ્વ સિંહ દિન
    10th August
    જેમ વિશ્વમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે વગેરે જેવા દિવસો સ્વજન માટે ઉજવાય છે તેમ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક દિવસ એટલે વિશ્વ સિંહ દિન. વિશ્વભરમાં એક માત્ર ગીર અભ્યારણ્ય અને તેની આસપસના વિસ્તારોમાં જોવા મળતા એશિયાઇ સિંહ અને આફ્રિકાનાં જંગલોમાં રહેતા આફ્રિકન સિંહો ના સંવર્ધન અને સંરક્ષણ માટે 10 ઑગસ્ટ ના દિવસે 'World Lion Day' ની ઉજવણી કરવામાં આવે છે.
    સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક પ્રતીક સ્વરૂપે ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવું મહત્વ ધરાવતું પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં...
    Read more
    ખુદીરામ બોઝ પુણ્યતિથિ
    ખુદીરામ બોઝ પુણ્યતિથિ

    ભારતમાં ઘણા બધા દેશભક્તો અને ક્રાંતિકારીઓ થઈ ગયા. ભારતમાતાની આઝાદી માટેના સંગ્રામમાં રણે ચડેલા નાની ઉંમરના વ્યક્તિ પૈકી એક ખુદીરામ બોઝ હતા. ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889 ના રોજ બંગાળના મેદનીપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોક્યનાથ અને માતાનું નામ લક્ષ્મીપ્રિયાદેવી હતું. તેમના પિતા નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેઓ 6 વર્ષના હતા ત્યારે તેમની માતા અને બીજા વર્ષે પિતાનું અવસાન થયું હતું. તેઓ તેમની મોટી બહેનને ત્યાં ઉછર્યા હતા. તેઓ ધોરણ 9માંથી અભ્યાસ છોડીને સ્વદેશી ચળવળમાં ભાગ લેવા માંડ્યા. આ દરમિયાન સત્યેન્દ્ર બોઝ ના સંપર્કમાં આવવાથી તેઓ ક્રાંતિકારી જૂથમાં જોડાયા. તેમણે ભગવદ્ ગીતા, મેઝિની અને ગેરિબાલ્ડીનાં જીવનચરિત્રો,ફ્રાંસની ક્રાંતિનો અભ્યાસ કર્યો હતો. ‘સોનાર બાંગલા' નામની અંગ્રેજો સામે વિદ્રોહ પૂરતી પત્રિકા વેચતાં 28 ફેબ્રુઆરી, 1906 ના રોજ પોલીસે મિદનાનપુરમાં તેમની ધરપકડ કરી ત્યારે તેઓ પોલીસને ઘાયલ કરીને ત્યાંથી નાસી ગયા હતા. 6 ડિસેમ્બર, 1907 ના રોજ નારાયણગઢ સ્ટેશન પર બંગાળ ગવર્નર ની સ્પેશિયલ ટ્રેન પર બોમ્બ ફેંક્યો પણ કમનસીબે ગવર્નર બચી ગયો. 1908 માં વોટ્સન અને બેમિફલ્ટ ફુલર નામના બે અંગ્રેજ અધિકારીને મારી નાખવાના પ્રયાસમાં પણ તેઓ સંકળાયેલા હતા. આ બંને કેસમાં ખુદીરામ બોઝની ધરપકડ કરવામાં આવી પણ પુરાવાના અભાવે તેઓ બચી ગયા. ‘યુગાન્તર' નામના ક્રાંતિકારી ગ્રુપે કિંગ્સફોર્ડ ની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને તે કામ ખુદીરામ બોઝ ને અને પ્રફુલ ચાકી ને સોંપવામાં આવ્યું બોમ્બ અને પિસ્તોલ લઇ આ નરબંકાઓ નીકળી પડ્યા. મુઝફરપુર માં બે દિવસ કિંગ્સફોર્ડની હિલચાલ પર નજર રાખી અને 30 એપ્રિલ, 1908 ની રાતે તેમની બગી ઉપર બોમ્બ ફેંક્યો પણ કમનસીબે કિંગ્સફોર્ડના પત્ની કેનેડી અને પુત્રી મરણ પામ્યા અને કિંગ્સફોર્ડ બચી ગયો. ખુદીરામ બોઝ પકડાઈ ગયા અને પ્રફુલ ચાકીએ પોતાને ગોળી મારીને શહીદી વહોરી લીધી. પકડાયેલ ખુદીરામ બોઝને મૃત્યુદંડની સજા કરવામાં આવી. 11 ઑગસ્ટ, 1908 ના રોજ અંગ્રેજ સરકારે ખુદીરામને મુઝફરપુરની જેલમાં ફાંસીની સજા આપી. જ્યારે ફાંસી લટકાવવામાં આવ્યા ત્યારે ખુદીરામ બોઝ હાથમાં ગીતા રાખીને ત્રણવાર 'વંદેમાતરમ્' ના નારા લગાવી ખુશી ખુશી ફાંસીએ ચડ્યા. દેશ માટે શહીદ થનાર ખુદીરામ બોઝ ભારતવાસીઓના હૃદયમાં આજે પણ બિરાજમાન છે.

    11th August

    Read more
    ખુદીરામ બોઝ પુણ્યતિથિ
    11th August
    ભારતમાં ઘણા બધા દેશભક્તો અને ક્રાંતિકારીઓ થઈ ગયા. ભારતમાતાની આઝાદી માટેના સંગ્રામમાં રણે ચડેલા નાની ઉંમરના વ્યક્તિ પૈકી એક ખુદીરામ બોઝ હતા. ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889 ના રોજ બંગાળના મેદનીપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોક્યનાથ અને માતાનું નામ લક્ષ્મીપ્રિયાદેવી હતું. તેમના પિતા નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેઓ 6 વર્ષના હતા ત્યારે તેમની માતા અને બીજા વર્ષે પિતાનું અવસાન થયું હતું. તેઓ તેમની મોટી બહેનને ત્યાં ઉછર્યા હતા. તેઓ ધોરણ 9માંથી અભ્યાસ...
    Read more
    વિશ્વ હાથી દિન
    વિશ્વ હાથી દિન

    હાથીની મુખ્ય બે જાત છે - એશિયન અને આફ્રિકન. આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં ત્રણ ગણા મોટા હોય છે. "હાથી જીવે ત્યારે લાખનો, મર્યે સવા લાખનો" કહેવત અનુસાર જેમ સમય જાય તેમ હાથી વધુ મૂલ્યવાન બને છે. તેથી જ તો હાથીઓનો વધુ શિકાર અને વેપાર થાય છે. હાથીની દુર્દશા જાણે, સમજે અને જંગલી તેમજ બંદી બનાવેલા હાથીઓની સારી રીતે દેખભાળ કરવામાં આવે તે બાબતે વિશ્વના લોકો જાગૃત બને તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે 12 ઑગસ્ટના રોજ “વિશ્વ હાથી દિન” (World Elephant Day) મનાવવામાં આવે છે. 13 ઓક્ટોબર, 2010 ના રોજ ભારતમાં રાષ્ટ્રીય વન્યપ્રાણી બોર્ડ (National Board for Wild Life - NBWL) ની સ્થાયી સમિતિની બેઠકમાં હાથીને રાષ્ટ્રીય વારસા તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, પર્યાવરણ મંત્રાલયે 15 ઓક્ટોબર, 2010 ના રોજ આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. હાથીઓ સમગ્ર જીવસૃષ્ટિ અને પ્રકૃતિના સંતુલન માટે ખૂબ મહત્વપૂર્ણ પ્રાણી છે. અન્ય વન્યજીવોની પ્રજાતિઓ તથા નિવસનતંત્ર (Ecosystem) જાળવવામાં પણ હાથી ખૂબ મદદરૂપ છે. 'હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા' જોડકણું સાંભળતાવેંત નાના મોટા સહુ કોઈને સૂંઢ ડોલાવતો હાથી નજરે ચડે છે. બાળકોના પ્રિય પ્રાણી હાથી પર અનેક જોડકણાં, બાળગીતો અને બાળવાર્તાઓ છે ત્યારે 12 ઓગષ્ટે ઉજવવામાં આવતા વિશ્વ હાથી દિનને થોડા રોચક - રસપ્રદ અને માહિતીસભર તથ્યોથી ઉજવી આ દિવસને સમગ્ર વિશ્વમાં હાથીઓના સંરક્ષણ માટે સમર્પિત કરીએ. હાથી વિશે રોચક તથ્યો: હાથીનું આયુષ્ય 100 વર્ષથી પણ વધુ છે. પ્રત્યેક મિનિટે હાથી 2 થી 3 વાર શ્વાસ લે છે અને છોડે છે. હાથી એકમાત્ર પ્રાણી છે જે કૂદી શકતો નથી, પરંતુ તે લાંબા સમય સુધી તરવાની ક્ષમતા ધરાવે છે. હાથી તેના શરીરનું તાપમાન જાળવવા માટે તેના કાન સતત હલાવ્યા કરે છે. હાથીઓ ગાઢ જંગલમાં માર્ગ બનાવે છે જે બીજા પ્રાણીઓ દ્વારા ઉપયોગ કરાય છે. હાથી દિવસના લગભગ 16 કલાક જેવો સમય ખાવામાં જ વિતાવે છે. કીચડ હાથીઓ માટે સનસ્ક્રીનનું કામ કરે છે માટે હાથી કીચડમાં જ આળોટે છે. આફ્રિકન હાથી જમીન ઉપરનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. હાથીઓ નિવસનતંત્ર અને જૈવવૈવિધ્ય (ઇકોસિસ્ટમ બાયોડાયવર્સિટી) જાળવવામાં મદદ કરે છે. હાથી એક દિવસમાં 300 લીટર સુધી પાણી પી શકે છે. હાથીઓ ભાગ્યે જ જોડીયા બચ્ચાંને જન્મ આપે છે. હાથીઓના બચ્ચાંને પોતાની સૂંઢ ચૂસવાની આદત હોય છે. તાલીમ પામેલ હાથી પોતાની સૂંઢથી ચિત્રો પણ દોરી શકે છે. હાથીનું શરીર નાના-નાના વાળથી ઢંકાયેલું હોય છે, શારીરિક વિકાસની સાથે જ આ વાળની વૃદ્ધિ ઘટી જાય છે. હાથીની ત્વચા જાડી હોવા છતાં બહુ સંવેદનશીલ હોય છે.

    12th August

    Read more
    વિશ્વ હાથી દિન
    12th August
    હાથીની મુખ્ય બે જાત છે - એશિયન અને આફ્રિકન. આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં ત્રણ ગણા મોટા હોય છે. "હાથી જીવે ત્યારે લાખનો, મર્યે સવા લાખનો" કહેવત અનુસાર જેમ સમય જાય તેમ હાથી વધુ મૂલ્યવાન બને છે. તેથી જ તો હાથીઓનો વધુ શિકાર અને વેપાર થાય છે. હાથીની દુર્દશા જાણે, સમજે અને જંગલી તેમજ બંદી બનાવેલા હાથીઓની સારી રીતે દેખભાળ કરવામાં આવે તે બાબતે વિશ્વના લોકો જાગૃત બને તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે 12 ઑગસ્ટના રોજ “વિશ્વ હાથી દિન” (World Elephant Day) મનાવવામાં આવે છે....
    Read more
    વિક્રમ સારાભાઈ જન્મ જયંતી
    વિક્રમ સારાભાઈ જન્મ જયંતી

    અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા. ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઑગસ્ટ, 1919 ના રોજ અમદાવાદ માં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઈ શાળામાં અભ્યાસ કર્યો નહોતો. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતાં નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયાં હતાં. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ- વિજ્ઞાનના પ્રખર હિમાયતી અને પરમાણુ યુગના પુરસ્કર્તા વિજ્ઞાની હતા. વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોમાં રસ હતો. એમના માટે બંગલામાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી. તેમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાન હતું. 1937 માં આર.સી. ટેકનિકલ સ્કૂલ દ્વારા મેટ્રિકની પરીક્ષા પાસ કરી ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વિસટીની સેન્ટ જ્હોન્સ કોલેજ માં પ્રવેશ મેળવી તેઓ સ્નાતક થયા. 1941 થી 1946 દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામન ના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગલોરમાં તેઓએ બ્રહ્માંડ કિરણો (કૉસ્મીક રૅઝ) નો અભ્યાસ કર્યો. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાનો અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. 1947 માં કેમ્બ્રિજ યુનિર્વિસટીએ વિક્રમ સારાભાઇનો બ્રહ્માંડ કિરણો પરનો શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને "કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ" વિષય પર Ph.D. ની ડિગ્રી એનાયત કરી અને તેઓ ડૉ.વિક્રમ સારાભાઇ બન્યા. ડૉ. વિક્રમ સારાભાઈએ કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વોલિટીની જાતોના સંશોધન માટે ઉદ્યોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઇ ના સાથ સહકારથી AHMEDABAD TEXTILE INDUSTRY'S RESEARCH ASSOCIATION (ATIRA) સ્થાપના કરી. ડૉ. વિક્રમ સારાભાઈ પોતે જ ATIRA ના પહેલા નિયામક બન્યા. બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રૅઝ) અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે 1947 માં અમદાવાદની એમ.જી.સાયન્સ કૉલેજમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની શરૂઆત કરી. જે આજે PRL(PHYSICAL RESEARCH LABORATORY) ના નામે સમગ્ર દેશમાં જાણીતી સંસ્થા છે. ત્યાર બાદ તેમણે નીચે મુજબની સંસ્થાઓ સ્થાપી: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ અમદાવાદ કમ્યુનિટી સાયન્સ સેન્ટર નેહરુ ફાઉન્ડેશન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ત્રિવેન્દ્રમ્ શ્રી હરિકોટા રોકેટ રેન્જ એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન ઇસરો, અમદાવાદ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી ફાસ્ટ બિડર રિએકટર્સ, કલ્પકમ ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી ડૉ. વિક્રમ સારાભાઈ એમની વૈજ્ઞાનિક તરીકેની સેવામાં ઈસરોના અધ્યક્ષ તરીકે અને ભારતીય અણુપંચના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ ડૉ. સારાભાઈના માર્ગદર્શન હેઠળ Ph.D. ની પદવી પ્રાપ્ત કરી. ડૉ. વિક્રમ સારાભાઈએ લગભગ 85 જેટલા વૈજ્ઞાનિક અને સંશોધનને લગતા વિવિધ લેખો પણ લખ્યા છે. 30 ડિસેમ્બર, 1971 માં માત્ર બાવન વર્ષની નાની વયે અચાનક એમનું અવસાન થયું. જીવનની છેલ્લી ક્ષણ સુધી અવકાશી સંશોધનમાં વ્યસ્ત રહી ડૉ. વિક્રમ સારાભાઈએ વિજ્ઞાન-જગતની ઉત્તમ સેવા કરી. 1972 માં ભારત સરકારે એમને મરણોત્તર પદ્મવિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. ડૉ. વિક્રમ સારાભાઈના અથાગ પ્રયત્નોથી ભારત દ્વારા 1975 માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ પણ ડૉ. વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમ અને મિસાઈલ કાર્યક્રમના પિતા ગણાવતા હતા કારણ કે ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઇએ તેવી પહેલી દરખાસ્ત ડૉ. વિક્રમ સારાભાઇએ રજૂ કરી હતી. ઉપગ્રહ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તાર સુધી સંદેશાવ્યવહાર અને ટીવી પ્રસારણ એ ડૉ. વિક્રમ સારાભાઈનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું છે.

    12th August

    Read more
    વિક્રમ સારાભાઈ જન્મ જયંતી
    12th August
    અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા. ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઑગસ્ટ, 1919 ના રોજ અમદાવાદ માં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઈ શાળામાં અભ્યાસ કર્યો નહોતો. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતાં નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયાં હતાં. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ- વિજ્ઞાનના પ્રખર હિમાયતી અને...
    Read more
    વિશ્વ અંગદાન દિન
    વિશ્વ અંગદાન દિન

    દર વર્ષે 13 ઓગસ્ટે 'વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે' એટલે કે 'વિશ્વ અંગદાન દિન' ની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં અંગદાન માટેની જાગૃતિ કેળવવા માટે આ દિવસ ઉજવાય છે. આપણા સૌના જીવનમાં રહેલી અનિશ્ચિતતાનો વિચાર કરીને મૃત્યુ પછી પણ આપણાં અંગો અન્ય વ્યક્તિને જીવનદાન આપી શકે તેવી ઉમદા ભાવના આ દિન વિશેષની છે. આજના સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે. કારણ કે એના દ્વારા આપણને મૃત્યુ પછી પણ બીજી વ્યક્તિને નવજીવન આપવાની તક મળે છે. આપણા અંગદાન દ્વારા મૃત્યુ પછી પણ આપણા અંગોથી કોઈ બીજું જીવી શકે એ વિચાર કેટલો અદ્ભૂત છે! જેમને જીવવા માટે આવા અંગોની જરૂર છે એવા લોકો માટે અંગદાન એક આશીર્વાદ છે. ખાસ કરીને બ્રેઇન ડેડ તરીકે જાહેર થયેલ વ્યક્તિના કિસ્સામાં તેના મૃત્યુ પછી શક્ય એટલી ઝડપથી તેમનાં ઉપયોગી અંગો કાઢીને જરૂરતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે અને તેમના શરીરમાં યોગ્ય રીતે મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા કાયદાકીય દ્દષ્ટિએ માન્યતા પ્રાપ્ત છે અને એ માટે જવાબદાર સંસ્થા અને યોગ્ય કાયદાઓ આ આખી પ્રક્રિયા પર દેખરેખ રાખે છે. શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ કોઈપણ કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇપણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલા દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક શસ્ત્રક્રિયા છે. તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમ વિધિમાં કોઇપણ પ્રકારની અડચણ થતી નથી. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે કારણ કે તેનાથી આ દુનિયામાંથી જતાં જતાં પણ કોઈ વ્યક્તિ અન્ય મનુષ્યને નવજીવન આપી શકે છે. અંગદાનને લઈને સમાજમાં કેટલીક ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. ચાલો આવી ખોટી માન્યતાઓ અને સાચી હકીકત વિશે જાણીએ: માન્યતા: હું અંગદાન કરવાનો/કરવાની છું એવી ડૉક્ટર્સને ખબર પડી જશે તો તેઓ મને બચાવશે નહીં અથવા બચાવવાનો પ્રયત્ન નહીં કરે. હકીકત: આ માન્યતા તદ્દન ખોટી છે. ડૉક્ટર્સ હંમેશાં દર્દીનો જીવ બચાવવાનો જ પ્રયત્ન કરશે. તમે અંગદાન કરવાનાં છો તે જાણીને કોઈપણ ડૉક્ટર તમને જાણી જોઈને કે હેતુપૂર્વક મરવા માટે નહીં છોડી દે. માન્યતા: મને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સબંધી સમસ્યા હોય તો હું અંગદાન નહીં કરી શકું. હકીકત: તમારી સમસ્યા જોઇને તમે અંગદાન કરી શકશો કે નહીં તે બાબત ડૉક્ટર નક્કી કરશે. માન્યતા: મોટી ઉંમરનાં લોકો અંગદાન કરી શકે નહીં અથવા અંગદાન કરવું તેમનાં માટે જોખમી છે. હકીકત: અંગદાનને ઉંમર સાથે કોઇ સંબંધ નથી. કોઈપણ ઉંમરની સ્વસ્થ વ્યક્તિ અંગદાન કરી શકે છે. માન્યતા: અંગદાન કરવા માટે મારે પૈસા ચૂકવવા પડશે. હકીકત: પોતાના અંગોનું દાન કરનાર વ્યક્તિ કે તેના પરિવારના સભ્યોને અંગદાન માટે કોઇને પણ પૈસા ચૂકવવા પડતા નથી. માન્યતા: દાન કરેલ અંગોને કોઈ ગેરકાયદેસર રીતે વેચી દે તો? હકીકત: કોઈ હોસ્પિટલ કે સંસ્થા દ્વારા આવી કોઇ પ્રવૃત્તિ થતી હોતી નથી, પરંતુ આવું કૃત્ય કરતા કોઇ પકડાય તો તેની સામે કાયદેસરના પગલા લેવાય છે. દાન કરી શકીએ એવા અંગોમાં કિડની, ફેફસાં, હૃદય, આંખો, લીવર, નાનું આંતરડું, ચામડીના કોષો, હાડકાંના કોષો, હૃદયના વાલ્વ વગેરે આવે છે. ભારતમાં અંગદાનના કાયદા મુજબ મૃત્યુ પછી પરિવારના કોઈ સભ્ય અંગદાન માટે તૈયાર થાય ત્યારે તેમના કુટુંબીજનો અને નજીકના સંબંધીઓ સાથે ચર્ચા કરી, તેમની ઈચ્છા મુજબ અંગદાન કરવા માટે સમજણ આપવામાં આવે છે. તમારા મૃત્યુના કિસ્સામાં તમારા અંગો વિશેની અંતિમ નિર્ણય પ્રક્રિયા તેમને પૂછીને તેમની લેખિત સંમતિ પછી જ થતી હોય છે. વ્યક્તિ અંગદાન માટે NOTTO (NATIONAL ORGAN AND TISSUE TRANSPLANT ORGANIZATION), Directorate General of Health Services, Ministry of Health & Family Welfare, Govt. of India ની વેબસાઈટ https://notto.abdm.gov.in/register પર જઈને ફોર્મ ભરી શકે છે.

    13th August

    Read more
    વિશ્વ અંગદાન દિન
    13th August
    દર વર્ષે 13 ઓગસ્ટે 'વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે' એટલે કે 'વિશ્વ અંગદાન દિન' ની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં અંગદાન માટેની જાગૃતિ કેળવવા માટે આ દિવસ ઉજવાય છે. આપણા સૌના જીવનમાં રહેલી અનિશ્ચિતતાનો વિચાર કરીને મૃત્યુ પછી પણ આપણાં અંગો અન્ય વ્યક્તિને જીવનદાન આપી શકે તેવી ઉમદા ભાવના આ દિન વિશેષની છે. આજના સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે. કારણ કે એના દ્વારા આપણને મૃત્યુ પછી પણ બીજી વ્યક્તિને નવજીવન આપવાની તક મળે છે. આપણા અંગદાન દ્વારા મૃત્યુ પછી પણ આપણા અંગોથી કોઈ બીજું જીવી શકે એ વિચાર કેટલો અદ્ભૂત છે!...
    Read more
    ઈસરો સ્થાપના દિન
    ઈસરો સ્થાપના દિન

    ઈસરો ની સ્થાપના 15 ઑગસ્ટ, 1969 ના રોજ કરવામાં આવી હતી, તેથી તેની યાદમાં દર વર્ષે 15 ઑગસ્ટના રોજ ઈસરો સ્થાપના દિન ઉજવવામાં આવે છે.   ઈસરો (ISRO)નું પૂરું નામ Indian Space Research Organization (ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન) છે. તેનું મુખ્યમથક બેંગાલુરુ શહેરમાં આવેલુ છે. વર્ષ 2021 મુજબ અહીં અંદાજે 17,099 લોકો કામ કરી રહ્યાં છે. ઇસરો ભારત અને વિદેશોના અવકાશયાન અવકાશમાં મોકલવાનું કાર્ય કરે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી 6 સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં તેની સાથે NASA, Roscosmos, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે. ઇસરોનો મુખ્ય હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો તથા અવકાશ વિજ્ઞાન સંશોધન અને ગ્રહોનાં સંશોધનને અનુસરતાં અવકાશ તકનીકનો ઉપયોગ કરી રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે.   ઇસરોએ ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટનું નિર્માણ કર્યું, જેને 1975 માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. 1980 માં પ્રથમ ઉપગ્રહ રોહિણી ને સ્વદેશી લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇસરોએ ત્યારબાદ બે અન્ય રોકેટો PSLV અને GSLV વિકસાવ્યા હતા. ઈસરોએ 2008 માં ભારતના પ્રથમ ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્રયાન-૧ લોન્ચ કર્યું હતું.   ઈસરોનું સંચાલન ભારત સરકારનો અંતરિક્ષ વિભાગ કરે છે. અંતરીક્ષ વિભાગ અંતરિક્ષ આયોગ હેઠળ આવે છે તે નીચે દર્શાવેલા સંગઠનો અને સંસ્થાનો સંભાળે છે: ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એનટ્રિક્સ કોર્પોરેશન (Antrix) - ઈસરો બેંગ્લોરનું માર્કેટિંગ સહાયક ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL) અમદાવાદ રાષ્ટ્રીય વાયુમંડલીય અનુસંધાન પ્રયોગશાળા (NABL) ગંડાકી, આંધ્રપ્રદેશ ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) ઈસરો બેંગ્લોરનું વ્યાપારિક સહાયક ઉત્તર પૂર્વીય અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (NE-SAC), ઉમિયમ સેમિકન્ડક્ટર પ્રયોગશાળા (SCL), મોહાલી ભારતીય અંતરીક્ષ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સંસ્થાન (IST), તિરુવનંથપુરમ – ભારતની અંતરીક્ષ વિશ્વવિદ્યાલય ઈસરો દ્વારા અંતરિક્ષ અંગેના વિવિધ કાર્યક્રમો નીચે દર્શાવેલા જુદાં જુદાં કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવે છે: વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર – ત્રિવેન્દ્રમ્,કેરળ ઈસરો સેટેલાઈટ એપ્લિકેશન સેન્ટર – બેંગાલુરુ, કર્ણાટક શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ રિસર્ચ સેન્ટર – શ્રી હરિકોટા ટાપુ, આંધ્રપ્રદેશ સ્પેસ એપ્લિકેશન સેન્ટર – અમદાવાદ, ગુજરાત ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન કોમ્યુનિકેશન યુનિટ અમદાવાદ, ગુજરાત લિક્વિડ પ્રોપલ્ઝન સિસ્ટમ્સ સેન્ટર – બેંગાલુરુ, કર્ણાટક ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક – બેંગાલુરુ. કર્ણાટક કર્ણાટકના સન ખાતે તૈયાર કરેલ માસ્ટર કંટ્રોલ ફેસિલિટી બેંગાલુરુ, દહેરાદૂન, જોધપુર, ખડગપુર અને નાગપુરનાં રીજિનલ રિમોટ સેન્સિંગ સર્વિસ સેન્ટર તિરુપતિ નજીક ગંડાઢી ખાતે નેશનલ રડાર ફેસિલિટી, હૈદરાબાદ ખાતે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, લખનઉ ખાતે ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક, ઉદેપુર ખાતે સૌર વેધશાળા અને માઉન્ટ આબુ ખાતે ઇન્ફ્રારેડ વેધશાળા કાર્યરત છે. ઈસરોનું હેડક્વાર્ટર બેંગાલુરુમાં છે. તે અંતરિક્ષ વિભાગ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે અને જે સીધા ભારતનાં પ્રધાનમંત્રીને રિપોર્ટ મોકલે છે. ઈસરોની સ્થાપના ડૉ. વિક્રમ સારાભાઈએ 1969 માં સ્વતંત્રતા દિનનાં દિવસે કરી હતી. ડૉ. વિક્રમ સારાભાઈ ને ‘અંતરિક્ષ કાર્યક્રમનાં જનક' પણ માનવામાં આવે છે. અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન, ચીન સહિત ભારત દુનિયાનાં તે 6 દેશોમાં સામેલ છે જે પોતાની ભૂમિ પર સેટેલાઈટ બનાવવા અને તેને લૉન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.   ઈસરોનો પહેલો ઉપગ્રહ 'આર્યભટ્ટ' હતો જે 19 એપ્રિલ, 1975 માં રશિયાની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ SLV-3 ભારત દ્વારા લૉન્ચ કરવામાં આવેલો પહેલો સ્વદેશી ઉપગ્રહ હતો અને તે પ્રોજેક્ટનાં ડાયરેક્ટર ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ હતા. 2008-09 માં ઈસરોએ ચંદ્રયાન-1 લૉન્ચ કર્યું જેનું બજેટ આશરે 350 કરોડ રૂપિયા હતું અને તેણે જ ચંદ્ર પર પાણીની શોધ કરી હતી.   ઈસરો દ્વારા આર્યભટ્ટ, રોહિણી, ઇન્સેટ (INSAT), IRS, ભાસ્કર, એસ્ટ્રોસેટ અને જીસેટ, એપલ, સરોસ ઉપગ્રહ શ્રેણી (SROSS), હેમસેટ, કલ્પના-૧ વગેરે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલા છે. ઈસરો દ્વારા Satellite Instructional Television Experiment (SITE), Geosynchronous Satellite Launch Vehicle (GSLV), Polar Satellite Launch Vehicle (PSLV), Space Capsule Recovery Experiment (SCRE), ચંદ્રયાન-૧, ચંદ્રયાન-૨, Satellite Launch Vehicle (SLV), Augmented Satellite Launch Vehicle (ASLV), ઇન્ડીયન સ્પેશ શટલ પ્રોગ્રામ, ઇન્ડીયન એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વેટરી (ઊંટી), રેડિયો ટેલીસ્કોપ, National Atmospheric Research Laboratory (NARL) પ્રોજેક્ટ અને રોકેટો લોન્ચ કરવામાં આવેલા છે.   વિક્રમ સારાભાઈ, રાજા રમન્ના, કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન, યુ.આર.રાવ, હોમી ભાભા, બી.એન.સુરેશ, સતિષ ધવન, રાકેશ શર્મા, રવિશ મલ્હોત્રા, ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ, જી.માઘવન નૈયર વગેરે ઈસરોના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો છે.

    15th August

    Read more
    ઈસરો સ્થાપના દિન
    15th August
    ઈસરો ની સ્થાપના 15 ઑગસ્ટ, 1969 ના રોજ કરવામાં આવી હતી, તેથી તેની યાદમાં દર વર્ષે 15 ઑગસ્ટના રોજ ઈસરો સ્થાપના દિન ઉજવવામાં આવે છે.   ઈસરો (ISRO)નું પૂરું નામ Indian Space Research Organization (ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન) છે. તેનું મુખ્યમથક બેંગાલુરુ શહેરમાં આવેલુ છે. વર્ષ 2021 મુજબ અહીં અંદાજે 17,099 લોકો કામ કરી રહ્યાં છે. ઇસરો ભારત અને વિદેશોના અવકાશયાન અવકાશમાં મોકલવાનું કાર્ય કરે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી 6 સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં...
    Read more
    મહાદેવભાઈ દેસાઈ પુણ્યતિથિ
    મહાદેવભાઈ દેસાઈ પુણ્યતિથિ

    મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ, વકીલાતનો વ્યવસાય છોડીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઈનું ભાષાપ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધું કે, ' મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે. ' તે આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાપુમય બની ગયા.  તેમણે કવિવર ટાગોરના ૨૫ જેટલા સુંદર અનુવાદો આપ્યા છે તો સામે ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે. 'મહાદેવની ડાયરી' ના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે. એ ડાયરીઓ પચીસેક ભાગમાં પ્રગટ થઈ છે. એમાં તેમણે આંખે દેખ્યા હેવાલની જેમ ગાંધીચરિત્ર અને હિન્દુસ્તાનના ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી છે. તેમને સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર અર્પણ થયો હતો. ૫૦ વર્ષની વયે મહાદેવભાઇ દેસાઈ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૨ ના રોજ પુણેની આગાખાન પેલેસ જેલમાં હૃદય બંધ પડવાથી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા પણ, પોતાની અડધી જિંદગીમાં આખી જિંદગીનું કામ કરતા ગયા. બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમને અગ્નિદાહ દેવાયો. બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું,' મહાદેવે મારામાં સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું. '૯ ઓગસ્ટ,૧૯૮૩ ના રોજ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી.

    15th August

    Read more
    મહાદેવભાઈ દેસાઈ પુણ્યતિથિ
    15th August

    મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો.

    શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત...

    Read more
    સ્વતંત્રતા દિન
    સ્વતંત્રતા દિન

    15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો. ભારત દેશ વર્ષો સુધી અંગ્રેજ શાસન હેઠળ રહ્યો. સ્વાતંત્ર્ય સેનાનીઓની આગેવાની હેઠળ સત્ય અને અહિંસાની લડત લડીને, હજારો દેશભક્તોની કુરબાનીને કારણે 15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણા દેશમાં સ્વતંત્રતાનો સૂરજ ઉગ્યો. સ્વતંત્રતાનો આનંદ અનેરો હોય છે. આ આનંદ પ્રાપ્ત કરવા માટે અનેક વીરો શહીદ થયા છે. અનેક મહાપુરુષોએ પોતાના જીવનનો ભોગ આપ્યો છે. ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં હજારો ક્રાંતિવીરો, વીર સપૂતો અને વીરાંગનાઓની શૌર્યગાથાઓ છુપાયેલી છે. આઝાદીનો ઈતિહાસ નાનોસૂનો નથી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆતનાં મૂળ તો ઘણાં ઊંડાં છે. સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ તબક્કામાં 1857 ના વિપ્લવ નું મહત્વ છે. ડેલહાઉસી એ અપનાવેલી ખાલસા નીતિ ને પરિણામે સતારા, ઝાંસી, નાગપુર વગેરે અંગ્રેજોની સત્તા નીચે આવ્યાં. આ વિપ્લવમાં નાના સાહેબ પેશ્વા, ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ. જગદીશપુરના વયોવૃદ્ધ રાજા કુંવરસિં અને તાત્યા ટોપે તથા બાદશાહ બહાદુરશાહનો સમાવેશ થાય છે. તેમની વીરતા ઈતિહાસના પાનાઓ પર અંકાઈ છે. 1906 માં કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખપદેથી દાદાભાઈ નવરોજી એ "સ્વરાજ" શબ્દનો ઉચ્ચાર કર્યો. 1914 માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. લોકમાન્ય ટિળકે 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને તે મેળવી ને જ જંપીશ' નો નારો ગુંજતો કર્યો. 1915 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા. 1917 માં ગાંઘીજીના પ્રમુખપદ નીચે ગુજરાત રાજકીય પરિષદ મળી. કોઈપણ વ્યક્તિને કોર્ટમાં કેસ ચલાવ્યા સિવાય જેલમાં પૂરી દેવાનો કાયદો જેને “રોલેટ એક્ટ” કહેવામાં આવતો હતો. તે 1919 માં આવ્યો. ગાંધીજીએ એને ‘કાળા કાયદા' તરીકે ઓળખાવ્યો. લોકોએ ‘રોલેટ એક્ટ” નો વિરોધ કર્યો. આખા ભારતમાં વિરોધનો વંટોળ જામ્યો. ઠેરઠેર સરઘસો નીકળ્યાં, હડતાલો પાડવામાં આવી. પંજાબના અમૃતસર શહેરમાં જલિયાવાલા બાગમાં લગભગ 20,000 કરતાંયે વધારે લોકોની સભા પર જનરલ ડાયરે આડેધડ ગોળીઓ ચલાવી. આખો દેશ ખળભળી ઉઠ્યો. ગાંધીજીએ અંગ્રેજો સામે અસહકારનું રણશિંગુ ફૂંક્યું. વિદ્યાર્થીઓએ શાળા- કોલેજોનો ત્યાગ કર્યો. વકીલોએ કોર્ટનો ત્યાગ કર્યો. પરદેશી કાપડની હોળી કરવામાં આવી. દેશમાં અહિંસક ક્રાંતિનો જુવાળ પેદા થયો. અસહકારનું આંદોલન, સત્યાગ્રહનું આંદોલન અને 1942 નું ભારતછોડો આંદોલન આ તમામે તમામ આંદોલનોમાં ભારતના યુવાનોએ હોંશભેર ભાગ લીધો હતો. સુભાષચંદ્ર બોઝે “આઝાદ હિંદ ફોજ" ની રચના કરી. “ચલો દિલ્હી" ના નારા સાથે આઝાદી જંગનો જુદો મોરચો રચ્યો. તેમણે સશસ્ત્ર યુદ્ધની જાહેરાત કરી. છેવટે અંગ્રેજ સરકારનાં વળતાં પાણી થવા લાગ્યાં હતાં. આખરે 1947 ની 15મી ઓગસ્ટે આપણો દેશ સ્વતંત્ર થયો. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરના બ્રિટનના યુનિયન જેકના ધ્વજને વાઈસરૉય માઉન્ટબેટને ઉતાર્યો. ત્યાં જવારલાલ નહેરૂએ સ્વતંત્ર ત્રિરંગો ‘રાષ્ટ્રધ્વજ' લહેરાવ્યો. "જયહિંદ" ના નારા સાથે લાલ કિલ્લાનું મેદાન ગુંજી ઊઠ્યું. અખંડ ભારતના બે ટુકડા થયા, ભારત અને પાકિસ્તાન. આઝાદી બાદ ભારત દુનિયાનો મોટામાં મોટો લોકશાહી દેશ બન્યો. સ્વતંત્રતા દિવસની ઉજવણીથી દેશના લોકો આઝાદીનું મહત્વ સમજે, તેમના હૃદયમાં દેશભક્તિ જાગે તેમજ દેશ પ્રત્યે સમ્માનની લાગણી કેળવાય તેમજ લોકો દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન વિશે માહિતી પ્રાપ્ત કરે અને તેઓ એકતા, સ્વચ્છતા, સહકાર, જેવાં મૂલ્યો કેળવી દેશને સાચા અર્થમાં સ્વતંત્ર બનાવે તે હેતુઓ કેન્દ્ર સ્થાને છે. સ્વતંત્રતા દિવસ સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. સ્વાતંત્ર દિનના રોજ વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ (તિરંગો) ફરકાવે છે. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતાઓને શ્રદ્ધાંજલિ આપે છે . ભારતીય રાષ્ટ્રગીત "જન ગણ મન" ગવાય છે. પરેડ અને ટેબ્લો (પ્રતિકૃતિ) સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાનાં દૃશ્ય દર્શાવે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે. આવી જ ઉજવણી રાજ્યની રાજધાનીઓમાં પણ થાય છે. દેશભરની સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાય છે. શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.

    15th August

    Read more
    સ્વતંત્રતા દિન
    15th August
    15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો. ભારત દેશ વર્ષો સુધી અંગ્રેજ શાસન હેઠળ રહ્યો. સ્વાતંત્ર્ય સેનાનીઓની આગેવાની હેઠળ સત્ય અને અહિંસાની લડત લડીને, હજારો દેશભક્તોની કુરબાનીને કારણે 15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણા દેશમાં સ્વતંત્રતાનો સૂરજ ઉગ્યો. સ્વતંત્રતાનો આનંદ અનેરો હોય છે. આ આનંદ પ્રાપ્ત કરવા માટે અનેક વીરો શહીદ થયા છે. અનેક મહાપુરુષોએ પોતાના જીવનનો ભોગ આપ્યો છે.
    ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં હજારો ક્રાંતિવીરો, વીર સપૂતો અને વીરાંગનાઓની શૌર્યગાથાઓ છુપાયેલી છે. આઝાદીનો ઈતિહાસ નાનોસૂનો નથી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆતનાં મૂળ તો ઘણાં ઊંડાં છે.
    સ્વાતંત્ર્ય...
    Read more
    નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ
    નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ

    નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રૅવેન્શૉ કૉલેજિએટ સ્કૂલમાં મેળવ્યું. તે પછીનું શિક્ષણ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યું. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા. અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ સુભાષચંદ્ર બોઝે સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા સ્થાને પાસ કરી જવલંત સફળતા મેળવી. ભારતમાં થયેલ જલિયાંવાલા બાગ હત્યાકાંડથી સુભાષચંદ્ર બોઝ ખૂબજ દુ:ખી થયા. તેમણે 1921 માં સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપી દીધું અને ભારત પરત ફર્યા. ત્યારબાદ તેઓ ગાંઘીજી ના સંપર્કમાં આવ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈ ગયા. ગાંઘીજીના દિશાનિર્દેશો અનુસાર તેમણે ચિતરંજનદાસ દેશબંઘુને પોતાના રાજનૈતિક ગુરુ બનાવી તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. 1928 માં જયારે સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે કાળા ઝંડા બતાવી તેનો વિરોધ કરવામાં આવ્યો. સુભાષચંદ્ર બોઝે કોલકાતામાં આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. 1928 માં કોલકાતામાં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયેલા કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ખાખી યુનિફોર્મ પહેરીને મોતીલાલ નેહરુને લશ્કરી રીતે સલામી આપી હતી. 26 જાન્યુઆરી, 1931 ના રોજ સુભાષચંદ્ર બોઝ કોલકાતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને એક વિશાળ મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમના પર લાઠી ચલાવી ઘાયલ કર્યા અને જેલમાં મોકલી દીધા. નેતાજીએ તેમના જીવનકાળમાં 11 વખત જેલવાસ ભોગવ્યો હતો. ગાંધીજી સુભાષચંદ્ર બોઝને નેતાજી કહીને સંબોધતા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે વર્ષ 1937 માં તેમની સેક્રેટરી અને ઓસ્ટ્રિયન યુવતી એમિલી સાથે લગ્ન કર્યા હતા. તેઓને અનિતા નામે એક પુત્રી હતી. 1938 માં હરિપુરા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રીય યોજના આયોગની રચના કરી 1939 માં ત્રિપુરા અધિવેશનમાં તેઓ ફરીવાર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા ૩ મે, 1939 ના દિવસે સુભાષબાબુએ ફૉરવર્ડ બ્લૉક નામની પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસો બાદ સુભાષબાબુને કોંગ્રેસમાંથી બરતરફ કરવામાં આવ્યા. એ પછી ફોરવર્ડ બ્લોક એક સ્વતંત્ર પાર્ટી બની ગઈ. બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાની તૈયારી હતી. સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોને છ મહિનામાં ભારત છોડી જવાનું અલ્ટીમેટમ આપી દીધું. સુભાષચંદ્ર બોઝના આ નિર્ણયનો વિરોધ ગાંધીજી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ કર્યો. જેથી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું. બીજા વિશ્વ યુદ્ધમાં અંગેજો દ્વારા ભારતીય સંસાધનોનો ઉપયોગ કરવાનો ઉગ્ર વિરોધ થયો અને તેના વિરોધમાં જનઆંદોલન શરૂ થયું. આ આંદોલનને લોકોનું ખૂબજ સમર્થન મળ્યું એટલે બ્રિટીશ સરકારે નેતાજીને કોલકાતામાં નજરકેદ કરી લીધા. પરંતુ તેમના ભત્રીજા શિશિરકુમાર બોઝની મદદથી તેઓ અફઘાનિસ્તાન અને રશિયા થઈ જર્મની પહોંચી ગયા. જર્મનીમાં સુભાષબાબુ હિટલરને મળ્યા. ત્યાંથી તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં અને દેશની આઝાદી માટે કામ કર્યું. 1943માં તેમણે જર્મની છોડી દીધું, ત્યાંથી તે જાપાન ગયા. જાપાનથી તેઓ સિંગાપુર ગયા. ત્યાં તેઓએ આઝાદ હિંદ ફોજની કમાન સંભાળી અને તેનું પુનઃ ગઠન કરી, 'ચલો દિલ્લી' અને 'તુમ મુજે ખૂ નદો મેં તુમ્હેં આઝાદી દૂંગા'ના નારા આપ્યા. તેમણે મહિલાઓ માટે ઝાંસીની રાણી રેજીમેન્ટની રચના કરી. જેના કેપ્ટન તરીકે લક્ષ્મી સહેગલ ની નિમણૂ ક કરવામાં આવી હતી. 2 ઓક્ટોબર, 1943 ના રોજ તેઓએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી. આ સંગઠનના ઝંડા ઉપર ગર્જના કરતા વાઘનું ચિત્ર પ્રતીક તરીકે હતું. નેતાજી આઝાદ હિંદ ફોજ સાથે 4 જુલાઈ, 1944 ના રોજ બર્મા પહોંચ્યા હતા. ત્યાંથી ઉત્તરપૂર્વનાં રાજ્યો પર અંગ્રેજ શાસન સામે મોરચો માંડ્યો. 18 ઓગસ્ટ, 1945 ના રોજ ટોકિયો જતી વખતે તાઇવાન પાસે કહેવાતી એક હવાઈ દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું પરંતુ તેમનું શરીર ન મળી શક્યું. જેના કારણે તેમના મોત વિશે આજ સુધી કોઈ સચોટ પુરાવા મળ્યા નથી. આવા સ્વાતંત્ર્ય સેનાની અને મહાન દેશભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની ભારત સરકારે 2022 માં જાહેરાત કરી છે.

    18th August

    Read more
    નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ
    18th August

    નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રૅવેન્શૉ કૉલેજિએટ સ્કૂલમાં મેળવ્યું. તે પછીનું શિક્ષણ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યું. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા. અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ સુભાષચંદ્ર બોઝે સિવિલ...

    Read more
    વિશ્વ ગુજરાતી ભાષા દિન
    વિશ્વ ગુજરાતી ભાષા દિન

    સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી ની આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરેલી છે. ગુજરાતી શબ્દ એ સંસ્કૃત શબ્દ 'ગૂર્જર' અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ છે. 'ગુજરાત' શબ્દ પરથી વિશેષણ 'ગુજરાતી' પડ્યું. ગુજરાતમાં બોલાતી મુખ્ય ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર એવા શ્રી નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઑગસ્ટ, 1833 ના દિવસે સુરત માં થયો હતો. કવિ નર્મદે ગુજરાતી ભાષા માટે 'નર્મકોષ' નામનો પહેલો શબ્દકોષ રચ્યો હતો. તેઓએ ગુજરાતી ભાષાની અસ્મિતા માટે શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે તેથી તેમના જન્મદિવસને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચીનકાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. આઠમી સદી થી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને ખડી બોલી, અવધિ, બંગાળી, ગુજરાતી, મરાઠી, તેલુગુ. કન્નડ ભાષા ઉદભવી. 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલાં વિવિધ ભાષા સ્વરૂપમાંથી ગુજરાતી ભાષાનાં મૂળ નંખાયાં તેમ કહી શકાય અન્ય ભાષાઓની સાથે આપણી ગુજરાતી ભાષા પણ આ જ સમયગાળામાં જન્મ પામી, વિકસી અને આજના સ્વરૂપને પામી છે. ગુર્જર ભાષાનો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ આખ્યાનના પિતા ગણાતા ભાલણે કર્યો હતો. ગુજરાતી ભાષાને ગુજરાતી એવું નામ 17 મી સદીમાં પ્રેમાનંદના સમયમાં મળ્યું. ગુજરાતી સાહિત્યનો પ્રારંભ નરસિંહ મહેતા થી શરૂ કરી મીરાંબાઇ, ભાલણ વગેરેના યોગદાનથી થયો. તેમણે ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. પ્રેમાનંદ જેવા મહાકવિ તો ગુજરાતી ભાષાની "શું શાં પૈસા ચાર" જેવી કિંમતથી વ્યથિત થઈ "પાઘડી ન પહેરવા" ની પ્રતિજ્ઞા કરે એ ઘટના નાની સૂની નથી. કવિ દલપતરામ પણ ગરવી ગુજરાતી વાણીના વકીલ બનવાનું સ્વીકારી ચૂક્યા છે. આ બધા યુગોમાં ગુજરાતી ભાષાનાં મૂળ દૃઢ બન્યાં અને વિસ્તર્યાં પણ ખરાં. ગુજરાતમાં આવેલ વિદેશી પ્રજાઓના સંપર્કથી ગુજરાતી ભાષામાં ઘણા ફેરફારો થયા છે. વિદેશી પ્રજાથી ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ ખૂબ જ વિશાળ બન્યું છે. આજે આપણી ગુજરાતી ભાષામાં કેટલાય વિદેશી ભાષાના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ગુજરાતી ભાષા પર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અરબી -ફારસી, અંગ્રેજી, હિન્દી વગેરે ભાષાઓનો પ્રભાવ પડ્યો છે. આમ આપણી અર્વાચીન ગુજરાતી ભાષાનો વિકાસ થતાં ઘણાં વર્ષોનો સમય લાગ્યો છે. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં ગુજરાતી સાહિત્યકારોનો પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. આજે વિશ્વના અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલાતી જોવા મળે છે. વિશ્વમાં ગુજરાતી ભાષાને જાળવવા, વિકસાવવા માટે 24 ઑગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આજની નવી પેઢી ગુજરાતી ભાષા માણી શકે. તેના પ્રત્યે આદરભાવ કેળવી શકે તેમજ ગુજરાતી ભાષાના અમૂલ્ય વારસા પ્રત્યે જાગૃત બને તે માટે આજના દિવસે પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાત સરકારે 2023 માં દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8માં ગુજરાતી વિષયનું ફરજિયાત શિક્ષણ આપવું તેવું વિધેયક પસાર કર્યું છે. જે ગુજરાતી ભાષાની જાળવણી અને વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ગણાવી શકાય. ચાલો આપણે સૌ પણ આપણી ગુજરાતી ભાષાને જાળવવા, વિકસાવવા માટે અનેક પ્રયત્નો કરીએ.

    24th August

    Read more
    વિશ્વ ગુજરાતી ભાષા દિન
    24th August
    સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી
    આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી ની આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરેલી છે. ગુજરાતી શબ્દ એ સંસ્કૃત શબ્દ 'ગૂર્જર' અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ છે. 'ગુજરાત' શબ્દ પરથી વિશેષણ 'ગુજરાતી' પડ્યું. ગુજરાતમાં બોલાતી મુખ્ય ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર એવા શ્રી નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઑગસ્ટ, 1833 ના દિવસે સુરત...
    Read more
    રાષ્ટ્રીય ખેલ દિન
    રાષ્ટ્રીય ખેલ દિન

    દેશના તેજસ્વી હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ ની યાદમાં ભારત દેશમાં દર વર્ષે 29 ઑગસ્ટ ને ‘રાષ્ટ્રીય ખેલ દિન' તરીકે ઉજવવામાં આવે છે. ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટ, 1905 ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ખાતે થયો હતો. તેમના પિતા આર્મીમાં સૂબેદાર હતા. ધ્યાનચંદને બાળપણથી કુસ્તીબાજ બનવું હતું પણ સોળ વર્ષની ઉંમરે તેઓ આર્મીમાં જોડાઇ ગયા. મેજર તિવારી ની સલાહથી તેઓ હોકી તરફ ખેંચાયા. તેમના કોચ પંકજ ગુપ્તા પાસેથી તેઓ હોકી રમતાં શીખ્યા હતા. ટૂંક સમયમાં જ 'બોલ ડ્રિબલિંગ' અને ‘ગોલ સ્કોરિંગ’ માં નિષ્ણાત બની ગયા અને ભારતીય હોકી ટીમના કેપ્ટન બન્યા. ધ્યાનચંદે તેમની કારકિર્દીમાં પ્રભાવક પ્રદર્શન કરતાં 400 થી પણ વધુ ગોલ નોંધાવી હોકીની રમતમાં સમગ્ર વિશ્વમાં નામના મેળવી. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં 1923, 1932, 1936 માં સળંગ ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી, તેનું શ્રેય ધ્યાનચંદની જાદુઈ રમતને આભારી હતું. તેમની બોલ કંટ્રોલ માસ્ટરીને લીધે તેમને "ધ વિઝાર્ડ" (જાદુગર) એવું ઉપનામ મળ્યું હતું. 1956 માં તેમની વિશિષ્ટ સિદ્ધિ બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ તેમના ફોટોગ્રાફવાળી ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. 'રાષ્ટ્રીય ખેલદિન' નું મહત્વ અનેરું છે. આ દિવસ માત્ર ઉજવણીનો નથી, પરંતુ દેશવ્યાપી રમતો અને રમતગમતની ભાવનાને વિકસાવવાનો છે. આ ઉજવણીનો હેતુ ખેલકૂદને ઉત્તેજન આપવા અને રમતગમત પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો છે. તેના દ્વારા યુવાપેઢીમાંથી શ્રેષ્ઠતા બહાર લાવીને વિવિધ પ્રતિભાશાળી ખેલાડીઓ મેળવી શકાય છે અને યુવાનોને રોજગારી પૂરી પાડી શકાય છે. વળી, રમતગમત શિક્ષણનો પણ મહત્વનો ભાગ છે, તેનાથી શારીરિક અને માનસિક એમ બંને પ્રકારે સ્વસ્થ રહી શકાય છે. ઉપરાંત તેના દ્વારા વ્યક્તિમાં ખેલદિલી, સહકાર, નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય છે.

    29th August

    Read more
    રાષ્ટ્રીય ખેલ દિન
    29th August
    દેશના તેજસ્વી હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ ની યાદમાં ભારત દેશમાં દર વર્ષે 29 ઑગસ્ટ ને ‘રાષ્ટ્રીય ખેલ દિન' તરીકે ઉજવવામાં આવે છે.
    ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટ, 1905 ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ખાતે થયો હતો. તેમના પિતા આર્મીમાં સૂબેદાર હતા. ધ્યાનચંદને બાળપણથી કુસ્તીબાજ બનવું હતું પણ સોળ વર્ષની ઉંમરે તેઓ આર્મીમાં જોડાઇ ગયા. મેજર તિવારી ની સલાહથી તેઓ હોકી તરફ ખેંચાયા. તેમના કોચ પંકજ ગુપ્તા પાસેથી તેઓ હોકી રમતાં શીખ્યા હતા. ટૂંક સમયમાં...
    Read more
    શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)
    શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)

    ગુરુને દેવ જ નહિ, તેથીયે વિશેષ પિતા સમાન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિના ઘડતરમાં ત્રણ વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. માતા, પિતા અને ગુરૂ. માનવીનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષકને આભારી છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. માતાપિતા જન્મ આપે છે, પણ આપણા ખરા જનક ગુરુ કે શિક્ષક છે. શિક્ષક આપણામાં માણસ તરીકેના સંસ્કારનું સિંચન કરે છે. માટીના પીંડમાંથી જેમ કુશળ શિલ્પી સુંદર મૂર્તિ ઘડે છે, તેમ શિક્ષક સામાન્ય બાળકમાંથી મહાન નેતા, રાજા, સેનાપતિ, કવિ, સાક્ષર, કલાકાર, વૈજ્ઞાનિક, રમતવીર, વૈદ્ય, સમાજસેવક વગેરેનું નિર્માણ કરે છે. "કેળવણી વિનાના માણસ અને પશુમાં કશો ફેર નથી", એમ રાજા ભર્તૃહરિ એ કહ્યું છે. પોતાનો વિદ્યાર્થી સારું શીખે, સાચું શીખે અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. તેથી શિક્ષક ગૌરવ અનુભવે છે. આ માટે તે અથાક પરિશ્રમ કરે છે. "Good teachers think before they act, Think while they act, Think after they act." (સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતાં પહેલાં વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.) 5 સપ્ટેમ્બર, 1888 ના રોજ તમિલનાડુમાં આવેલ તિરૂત્તાની નામના ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ થયો હતો. તેલુગુ તેમની માતૃભાષા હતી. તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિમાં તેઓનું બાળપણ વિત્યું હતું. દક્ષિણ ભારતની એક પરંપરા મુજબ તેમના નામની આગળ લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં તો તેમના ગામનું નામ છે. તેમના પૂર્વજો વર્ષો પહેલાં આ ગામમાં રહેતા હતા. આપણે ગુરુ મહિમા માટે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવીએ છીએ. આ દિવસ ભારતના એક શિક્ષક સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મતિથિ છે. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952-1962) અને દ્વિતીય રાષ્ટ્રપતિ (1962-1967) હતા. તેઓનો જન્મદિવસ 1962 થી ભારતભરમાં 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિ પર તેમને અપાર પ્રેમ હતો. પોતાનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને તેમણે ભારતભરના શિક્ષક સમુદાયને સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે. રાષ્ટ્રપતિ થયા એટલે દેશની પ્રજાએ 5 સપ્ટેમ્બરે આવતી તેમની વર્ષગાંઠ ઉજવવા વિચાર્યું. રાધાકૃષ્ણનને એ ગમ્યું નહિ. પરંતું, લોકોનો પ્રેમ જોઈ તેમણે હા પાડી. પણ એક શરત મૂકી, "જુઓ ભાઈઓ, હું શિક્ષક રહ્યો. મારી વર્ષગાંઠ એટલે શિક્ષકની વર્ષગાંઠ, તમે એને શિક્ષક દિન તરીકે ઊજવો તો?" અને આમ શિક્ષક દિનનો ઉદ્ભવ થયો. તેમના જ્ઞાન અને બૌદ્ધિક પ્રતિભા સામે ગમે તેવા મહાનુભાવ નતમસ્તક થઈ જતા હતા. વિદ્યાર્થીકાળમાં જ તેમની આ પ્રતિભાનાં દર્શન થવા લાગ્યાં હતાં. તે દરમિયાન ભારતીય તત્વજ્ઞાન અંગેના તેમના લેખથી તેમના અધ્યાપકો પણ અચંબો પામ્યા હતા. તેનાથી પ્રેરાઈને કોઈએ તેમને ઓકસફોર્ડમાં ડૉક્ટરેટ કરવા કહ્યું, તેમણે જવાબ આપ્યો, 'હા, હું ઓકસફોર્ડમાં જઈશ પણ ભણવા નહીં ભણાવવા માટે.' ઇંગ્લેન્ડના લોર્ડઝ મેદાનમાં એસ ટ્રોફી માટે રમાતી ક્રિકેટ મેચ સમયે સ્ટેડિયમ ભરચક રહે, પરંતુ એ દરમિયાન લંડનના જ એક હોલમાં રાધાકૃષ્ણનનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું. તેથી સમગ્ર લંડનવાસીઓની ભીડ ત્યાં ઉભરાઈ અને પહેલીવાર ક્રિકેટના ખેલાડીઓએ જૂજ પ્રેક્ષકો સામે મેચ રમવી પડી. તેમણે ભારતમાં જ નહિ, વિલાયતમાં ઑકસફોર્ડ અને કેમ્બ્રિજ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ એમ.એ.ની પરીક્ષા પાસ કરી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તત્વજ્ઞાન તેમજ ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો, એક સારા વ્યાખ્યાનકાર તરીકે પણ તેઓ પ્રખ્યાત થયા. ઈંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં વ્યાખ્યાનો માટે તેમને નિમંત્રણો મળતાં. તેમના પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા વિચારોથી સભર રહેતાં. તેમણે 'ઇન્ડિયન ફિલોસોફી', 'પ્રિન્સિપલ ઉપનિષદ્', 'ઇષ્ટ એન્ડ વેસ્ટ રીલીજીયન', 'હિંદુ વ્યૂ ઓફ લાઈફ' જેવા અસંખ્ય ગ્રંથો લખ્યા. તેમણે રશિયા ખાતે ભારતના એલચી તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે અને છેલ્લે રાષ્ટ્રપતિના સર્વોચ્ચપદે પોતાની મૂલ્યવાન સેવાઓ આપી હતી. 'ભારતરત્ન' નો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું. ચાલીસ હજાર પાઉન્ડનું 'ટેમ્પલટન પારિતોષિક' મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હોવાથી 'ભારતના પ્લેટો' કહેવાતા. આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી 15થી વધુ ભાષાઓ લખી-વાંચી અને સમજી શકતા હતા. વિદેશમાં પણ તેમણે ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને પ્રભાવશાળી ભાષણો આપ્યાં. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું અવસાન 17 એપ્રિલ, 1975 ના રોજ 86 વર્ષની ઉંમરે મદ્રાસ, તામિલનાડુ ખાતે થયું હતું. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે ઉચ્ચારેલા શબ્દો હતા. "Our Slogan should not be Power at any Price: but Service at any Cost." અર્થાત કોઈપણ ભોગે સેવા, નહિ કે કોઈપણ કિંમતે સત્તા. આ સંદેશ ભારતના વર્તમાન લોકોને ઘણું કહી જાય છે. આવા મહાન આચાર્યને 'આચાર્ય દેવો ભવ' કહીને નમ્ર અંજલી અર્પીએ. 1994 માં યુનેસ્કોએ વિશ્વભરના શિક્ષકોના સન્માનમાં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસ (Teacher's Day) ઉજવવાની જાહેરાત કરી. પરંતુ કેટલાક દેશો એવા છે, જે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવે છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુકે, પાકિસ્તાન, ઈરાન વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાયના 11 દેશો પણ 28 ફેબ્રુઆરીએ શિક્ષક દિવસ ઉજવે છે. "શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે”- સુફિન આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ-શિષ્યો અમર થઈ ગયા છે. ઈતિહાસના પાને તેમનાં નામ સુવર્ણ અક્ષરે લખાયેલાં છે. આ મહાન ગુરુ-શિષ્યો છે - ગુરુ સાંદીપનિ અને ભગવાન શ્રીકૃષ્ણ, ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન, અતિ વિદ્વાન ગુરુ ચાણક્ય અને ચંદ્રગુપ્ત. આ ગુરુઓએ જ તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો. વિદ્યાર્થી તરીકે આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને તમારા શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ. આ દિવસની ઉજવણી એટલે શિક્ષકના ઉમદા કાર્યને યાદ કરવાનો પ્રસંગ આપણે તેમનું સન્માન કરી ઋણ ચૂકવવા પ્રયત્ન કરીએ છીએ. નોંધપાત્ર કાર્ય માટે શિક્ષકોને સરકાર દ્વારા પારિતાષિક અપાય છે. શિક્ષકનિધિમાં નાનામોટા ફાળા ઊઘરાવાય છે. એ રીતે જનસમાજના બધા વર્ગો શિક્ષકના મહત્વથી સભાન થાય છે. નિવૃત્ત શિક્ષકોને સહાય કરવામાં આવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને એક દિવસીય શિક્ષક બનાવી શાળા સોંપવામાં આવે છે. જેથી બાળકો પણ શિક્ષકનું કાર્ય સમજે અને સમાજમાં ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ થાય.

    05th September

    Read more
    શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)
    05th September
    ગુરુને દેવ જ નહિ, તેથીયે વિશેષ પિતા સમાન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિના ઘડતરમાં ત્રણ વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. માતા, પિતા અને ગુરૂ. માનવીનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષકને આભારી છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. માતાપિતા જન્મ આપે છે, પણ આપણા ખરા જનક ગુરુ કે શિક્ષક છે. શિક્ષક આપણામાં માણસ તરીકેના સંસ્કારનું સિંચન કરે છે. માટીના પીંડમાંથી જેમ કુશળ શિલ્પી સુંદર મૂર્તિ ઘડે છે, તેમ શિક્ષક સામાન્ય બાળકમાંથી મહાન નેતા, રાજા, સેનાપતિ, કવિ, સાક્ષર, કલાકાર, વૈજ્ઞાનિક, રમતવીર, વૈદ્ય, સમાજસેવક વગેરેનું નિર્માણ કરે છે.
    Read more