Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
મહાદેવભાઈ દેસાઈ જન્મજયંતી
મહાદેવભાઈ દેસાઈ જન્મજયંતી

મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ, વકીલાતનો વ્યવસાય છોડીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઈનું ભાષાપ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધું કે, ' મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે. ' તે આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાપુમય બની ગયા.  તેમણે કવિવર ટાગોરના ૨૫ જેટલા સુંદર અનુવાદો આપ્યા છે તો સામે ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે. 'મહાદેવની ડાયરી' ના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે. એ ડાયરીઓ પચીસેક ભાગમાં પ્રગટ થઈ છે. એમાં તેમણે આંખે દેખ્યા હેવાલની જેમ ગાંધીચરિત્ર અને હિન્દુસ્તાનના ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી છે. તેમને સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર અર્પણ થયો હતો. ૫૦ વર્ષની વયે મહાદેવભાઇ દેસાઈ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૨ ના રોજ પુણેની આગાખાન પેલેસ જેલમાં હૃદય બંધ પડવાથી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા પણ, પોતાની અડધી જિંદગીમાં આખી જિંદગીનું કામ કરતા ગયા. બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમને અગ્નિદાહ દેવાયો. બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું,' મહાદેવે મારામાં સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું. '૯ ઓગસ્ટ,૧૯૮૩ ના રોજ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી.

01st January

Read more
મહાદેવભાઈ દેસાઈ જન્મજયંતી
01st January

મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો.

શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત...

Read more
વૈશ્વિક કૌટુંબિક દિવસ
વૈશ્વિક કૌટુંબિક દિવસ

દર વર્ષે ૧ જાન્યુઆરીએ ઉજવાતો વૈશ્વિક કૌટુંબિક દિવસ શાંતિ, એકતા અને માનવતા એક મોટો પરિવાર છે તે વિચારને પ્રોત્સાહન આપતો વિશ્વવ્યાપી ઉજવણી છે, જે લોકોને પ્રિયજનો સાથે સમય વિતાવવા અને સંસ્કૃતિઓ અને સરહદો પાર સમજણ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે. યુએનના "વિશ્વના બાળકો માટે શાંતિ અને અહિંસાની સંસ્કૃતિ માટે આંતરરાષ્ટ્રીય દાયકા" પરથી ઉદ્ભવતા, તેને "શાંતિ અને વહેંચણીનો એક દિવસ" પણ કહેવામાં આવે છે અને પરિવારોને જોડવા અને પુલ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ઉદ્દેશ: વૈશ્વિક શાંતિ, સંવાદિતા અને એકતાને પ્રોત્સાહન આપવા, દરેકને એક માનવ પરિવારના ભાગ તરીકે ઓળખવા. યુએનની શાંતિ પહેલમાંથી ઉછર્યા, યુએનએ તેને સત્તાવાર રીતે ૨૦૦૧માં વાર્ષિક કાર્યક્રમ તરીકે માન્યતા આપી. ઘણીવાર કૌટુંબિક બંધનોને મજબૂત કરવા, પેઢીગત અંતરને દૂર કરવા અને પ્રેમ અને આદર દર્શાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણે શું કરી શકીએ?: પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો. ભોજન શેર કરો, બહાર જાઓ અથવા સહિયારી પ્રવૃત્તિઓમાં જોડાઓ. સગાસંબંધીઓ સાથે જોડાઓ, તે લોકો સાથે પણ જેમની સાથે તમારા સંબંધોમાં તણાવ છે. શાંતિપૂર્ણ અથવા કુટુંબલક્ષી ફિલ્મો જુઓ. વર્ષ પર ચિંતન કરો અને પરસ્પર સહાય માટે લક્ષ્યો નક્કી કરો.

01st January

Read more
વૈશ્વિક કૌટુંબિક દિવસ
01st January

Read more
સાવિત્રીબાઈ ફૂલે જયંતી
સાવિત્રીબાઈ ફૂલે જયંતી

દેશના પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજસુધારક, કવયિત્રી અને સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવનારાં સાવિત્રીબાઇ ફૂલે નો 3 જાન્યુઆરી, 1831 માં જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાઇ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ખંદોજી અને માતાનું નામ લક્ષ્મીબાઇ હતું. માત્ર 9 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયાં. પતિ જ્યોતિરાવની પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને સાવિત્રીબાઈએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ઉપરાંત પૂણેની શાળામાં તાલીમ મેળવી. આ તાલીમના આધારે તેમને ભારતના પ્રથમ પ્રશિક્ષિત મહિલા શિક્ષિકા અને પ્રધાન અધ્યાપિકા માનવામાં આવે છે. તાલીમ પુરી કર્યા બાદ સાવિત્રીબાઈએ પૂણેના મહારવાડામાં ભણાવવાનું શરૂ કર્યું. પતિના સહયોગથી તેમણે અલગ અલગ જાતિ અને સમુદાયનાં બાળકોના અભ્યાસ માટે 18 જેટલી શાળાઓ શરૂ કરી. ફૂલે દંપતિ અને સગુણાબાઈ (જ્યોતિરાવના સલાહકાર) એ સાથે મળીને ભીડેવાળામાં કન્યાશાળાની સ્થાપના કરી. ઉલ્લેખનીય છે કે તેઓએ વર્ષ 1848 માં મહારાષ્ટ્રના પૂણેમાં દેશની પ્રથમ કન્યા શાળા ની સ્થાપના કરી હતી. ફૂલે દંપતિએ ગર્ભવતી અને બળાત્કાર પીડિત મહિલાઓ માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ નામનાં સહાયકેન્દ્રો શરૂ કર્યાં. સાવિત્રીબાઈએ આત્મહત્યા કરવા જઈ રહેલી એક વિધવા સ્ત્રીને પોતાના ઘરમાં પ્રસુતિ કરાવી. તેના બાળક યશવંત તને પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકારી તેનો ઉછેર કરી અને ડૉકટર બનાવ્યો. સાવિત્રીબાઈ ફૂલેએ પતિ જ્યોતિરાવ ફૂલેનું અવસાન થતાં, તેમનાં અધૂરાં કામો પૂર્ણ કરવાનું પ્રણ લીધું. 1896-97 માં પ્લેગની મહામારી ફેલાતાં સાવિત્રીબાઈ અને તેમના દત્તક પુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર માટે દવાખાનું શરૂ કર્યું. આ સારવાર દરમ્યાન જ તેમને આ રોગ લાગુ પડ્યો અને 10 મી માર્ચ, 1897 ના રોજ તેમનું અવસાન થયું. તેમનું આખું જીવન સમાજના વંચિત વર્ગો ખાસ કરીને મહિલાઓ અને દલિતોના અધિકાર માટે સંઘર્ષમાં પસાર થયું હતુ. સાવિત્રીબાઈ ફૂલે કવયિત્રી પણ હતાં. 'કાવ્યફૂલે' અને 'બાવનકશી રત્નાકર' એ તેમના કાવ્યસંગ્રહ છે. તેમને મરાઠીની આદિકવયિત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જન્મેલાં સાવિત્રીબાઈ ફૂલે જેમણે પોતાના પતિ દલિત ઉદ્ધારક, સમાજ સુધારક, જ્યોતિરાવ ફૂલે પાસે ભણીને સામાજિક ચેતના ફેલાવી. તેમણે અંધવિશ્વાસ અને રૂઢિવાદી કુરિવાજો તોડવા માટે લાંબો સંઘર્ષ કર્યો.

03rd January

Read more
સાવિત્રીબાઈ ફૂલે જયંતી
03rd January
દેશના પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજસુધારક, કવયિત્રી અને સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવનારાં સાવિત્રીબાઇ ફૂલે નો 3 જાન્યુઆરી, 1831 માં જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાઇ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ખંદોજી અને માતાનું નામ લક્ષ્મીબાઇ હતું.
માત્ર 9 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયાં. પતિ જ્યોતિરાવની પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને સાવિત્રીબાઈએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ઉપરાંત પૂણેની શાળામાં તાલીમ મેળવી. આ તાલીમના આધારે તેમને ભારતના પ્રથમ પ્રશિક્ષિત મહિલા શિક્ષિકા અને પ્રધાન અધ્યાપિકા માનવામાં આવે છે. તાલીમ પુરી કર્યા બાદ સાવિત્રીબાઈએ...
Read more
વિશ્વ બ્રેઇલ દિન
વિશ્વ બ્રેઇલ દિન

સમગ્ર વિશ્વમાં 4 જાન્યુઆરીને 'વિશ્વ બ્રેઇલ દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દૃષ્ટિદિવ્યાંગ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી બ્રેઇલ લિપિના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા ઉજવાય છે. નવેમ્બર, 2018 માં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં જનરલ એસેમ્બલીએ એક ઘોષણા દ્વારા લુઈસ બ્રેઈલ ની જન્મતારીખને આ ઉજવણી માટે પસંદ કરી હતી અને બ્રેઇલ લિપિના રચયિતા લુઇસ બ્રેઇલના જન્મદિવસને 'વિશ્વ બ્રેઇલ દિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે કે બ્રેઇલ લિપિ કેવી રીતે દૃષ્ટિદિવ્યાંગ લોકોના અસ્તિત્વમાં માનવ અધિકારોની સંપૂર્ણ પરિપૂર્ણતામાં ફાળો આપે છે. પ્રથમ વિશ્વ બ્રેઇલ દિન 4 જાન્યુઆરી, 2019 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. બ્રેઈલ લિપિના શોધક લુઈસ બ્રેઈલનો જન્મ 4 જાન્યુઆરી, 1809 ના રોજ ફ્રાંસમાં થયો હતો. બાળપણમાં એક અકસ્માતમાં તેઓ બંને આંખોથી અંધ થઈ ગયા હતા. ફ્રાન્સમાં ગ્રામ્ય વિસ્તારના અન્ય દૃષ્ટિદિવ્યાંગ વ્યક્તિઓ ભીખ માંગવાનું કામ કરતા તેવા સમયે 1815માં બ્રેઇલ દંપતિ લુઈસને શિક્ષણ આપવા તત્પર હતાં. તેથી તેઓએ ગામના જ એક ધર્મિષ્ઠ એબે પલ્લુઈ પાસે લુઈસ માટે ખાનગી શિક્ષણની વ્યવસ્થા કરી. ટૂંક સમયમાં જ એબેને લુઈની ક્ષમતાઓની અનુભૂતિ થઈ અને લુઈસને ગામની શાળામાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં લુઈસ હોશિયાર વિદ્યાર્થી તરીકે ઝળક્યો અને ગણિત, વિજ્ઞાન વગેરે જેવા વિષયો પણ યાદ રાખતાં શીખ્યો. વર્ષ 1818માં ફ્રાન્સમાં શિક્ષણની નવી પદ્ધતિનો અમલ થતાં લુઈસનું શિક્ષણકાર્ય અવરોધાયું. આ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા ઘટાડી પરસ્પર વિદ્યાર્થીઓ એકબીજાને સૂચન આપે અને શિક્ષણ મેળવે તેવી જોગવાઈ હતી. લુઈસનું શિક્ષણ ન અટકે તે માટે એબેએ પેરિસમાં દૃષ્ટિદિવ્યાંગ વ્યક્તિઓને શિક્ષણ આપતી શાળા 'ધ ઇન્સ્ટીટ્યૂટ ફોર બ્લાઈન્ડ યુથ' વિશે માહિતી મેળવી શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી અને લુઈસના માતાપિતાને પણ લુઈસને પેરિસ શાળામાં દાખલ કરવા રાજી કર્યાં. 'ધ ઇન્સ્ટીટ્યૂટ ફોર બ્લાઈન્ડ યુથ' નામની અંધશાળા અંધજનોના શિક્ષણના પિતા ગણાતા વેલેન્ટાઇન હોઈએ 1786 માં શરૂ કરી હતી. જે વિશ્વની પ્રથમ અંધશાળા તરીકે ઓળખાય છે. અહીં શિક્ષણ આપવા હોઈએ એક ક્રાંતિકારી પદ્ધતિ શોધી હતી જેમાં જાડા કાગળ ઉપર અક્ષરો ઉપસાવી દૃષ્ટિદિવ્યાંગ વ્યક્તિને વાંચતા શીખવવામાં આવતું હતું લુઈસ જયારે આ શાળામાં દાખલ થયો ત્યારે હોઈની આ પદ્ધતિથી તૈયાર કરેલ 14 પુસ્તકો લાઈબ્રેરીમાં હતાં. 10 વર્ષનો લુઈસ પેરિસની અંધશાળામાં આવ્યો ત્યારે અહીં 60 જેટલા છોકરાઓ અને 30 છોકરીઓ અભ્યાસ કરતાં હતાં. થોડા સમયમાં લુઈસને અહીં ફાવી ગયું. આ જ શાળામાં તેઓ પહેલાં વિદ્યાર્થી તરીકે અને ત્યારબાદ શિક્ષક તરીકે આજીવન રહ્યા. વર્ષ 1821 માં પેરિસની અંધશાળાના નવા નિમાયેલા ડાયરેક્ટરે ચાર્લ્સ બાર્બીયર નામના લશ્કરી અધિકારીને અંધશાળામાં બોલાવ્યા. ચાર્લ્સ બાર્બીયરે લશ્કરમાં વપરાતી ગુપ્ત સાંકેતિક લિપિ તૈયાર કરી હતી, જેનો કોઈ કારણસર લશ્કરમાં અસ્વીકાર થતાં તેમની 'સોનોગ્રાફી કે નાઈટ રાઈટીંગ' તરીકે ઓળખાતી આ સાંકેતિક લિપિ દૃષ્ટિદિવ્યાંગ વ્યક્તિઓને ઉપયોગી થશે તેમ તેઓ માનતા. ચાર્લ્સ બાર્બીયરની લિપિમાં 12 ઉપસાવેલાં ટપકાંની મદદથી કેટલાક ખાસ સંકેતો સૂચવી શકાતા પરંતુ મૂળાક્ષરો કે જોડણી લખી શકાતી નહીં. પરંતુ તેની ઉપયોગિતાને ધ્યાને લઇ અંધશાળામાં હોઈની લિપિ સાથે નાઈટ રાઈટીંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો. લુઈસ બ્રેઇલે ચાર્લ્સ બાર્બીયરની આ 12 ટપકાંની લિપિમાં જરૂરી ફેરફાર કરી 6 ટપકાંની લિપિ તૈયાર કરી. તેમાં ફ્રેંય મૂળાક્ષરો સહિત વિરામચિહ્નો અને સંગીતના નોટેશન માટેની જોગવાઈ કરી. 15 વર્ષની ઉંમર સુધીમાં પોતાની આ લિપિ તૈયાર કરી તેના ડાયરેક્ટર પીગનિયરને બતાવી. પીગનિયરે અન્ય વિદ્યાર્થીઓને લુઈસની આ લિપિ વાપરવા પ્રોત્સાહિત કર્યા. પરિણામે આ વિદ્યાર્થીઓ કેટલાક અંશે લખતાં વાંચતાં શીખ્યા. વર્ષ 1840માં પીગનિયરના સ્થાને પેરે આર્મન્ડ ડ્યુફાઉ નામના નવા ડાયરેક્ટર નિમાયા. જેમણે લુઈસની આ પદ્ધતિ પર પ્રતિબંધ મુકી અમેરિકાની નવી પદ્ધતિ નો અમલ શરૂ કર્યો. એટલું જ નહીં લુઈસ બીમાર હોવાથી પોતાના ઘરેથી પરત ફર્યા ત્યારે તેમના 70 જેટલાં પુસ્તકો ડ્યુફાઉ દ્વારા સળગાવી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી લુઈસને ખૂબ જ આઘાત લાગ્યો. તેઓ વધુ બીમારીમાં જકડાયા અને અંતે 6 જાન્યુઆરી, 1852 ના રોજ 43 વર્ષની ઉંમરે લુઈસનું અવસાન થયું. બ્રેઇલ લિપિમાં દરેક અક્ષર, સંખ્યા તેમજ સંગીત, ગાણિતિક અને વૈજ્ઞાનિક પ્રતીકોને દર્શાવવા માટે છ બિંદુઓનો ઉપયોગ કરીને મૂળાક્ષરો અને સંખ્યાત્મક પ્રતીકો બનાવવામાં આવ્યાં છે. જે આજે વિશ્વભરમાં બ્રેઇલ લિપિ તરીકે સ્વીકૃત થયાં છે. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાંઓની હાર બનાવવામાં આવે છે અને તેના પર આંગળી ફેરવીને વાંચી શકાય છે. બ્રેઇલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. હવે, કમ્પ્યૂટરની મદદથી પણ બ્રેઇલ લિપિ લખી શકાય છે.

04th January

Read more
વિશ્વ બ્રેઇલ દિન
04th January
સમગ્ર વિશ્વમાં 4 જાન્યુઆરીને 'વિશ્વ બ્રેઇલ દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દૃષ્ટિદિવ્યાંગ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી બ્રેઇલ લિપિના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા ઉજવાય છે. નવેમ્બર, 2018 માં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં જનરલ એસેમ્બલીએ એક ઘોષણા દ્વારા લુઈસ બ્રેઈલ ની જન્મતારીખને આ ઉજવણી માટે પસંદ કરી હતી અને બ્રેઇલ લિપિના રચયિતા લુઇસ બ્રેઇલના જન્મદિવસને 'વિશ્વ બ્રેઇલ દિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે કે બ્રેઇલ લિપિ કેવી રીતે દૃષ્ટિદિવ્યાંગ...
Read more
ડૉ. હરગોવિંદ ખુરાના જયંતી
ડૉ. હરગોવિંદ ખુરાના જયંતી

હરગોવિંદ ખુરાનાનો જન્મ 9 જાન્યુઆરી, 1922 માં રાયપુર ગામમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં છે. તેમના પિતા ગણપતરાય ખુરાના બ્રિટિશ શાસનમાં ક્લાર્ક હતા. પાંચ ભાઈ-બહેનોમાં ખુરાના સૌથી નાના હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના પિતાએ પોતાનાં સંતાનોના શિક્ષણ ઉપર ભાર આપ્યો. જ્યારે ખુરાના 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં તેમના મોટાભાઇએ તેમના શિક્ષણની જવાબદારી સ્વીકારી લીધી. પરિણામે તેમનું ભણવાનું ચાલુ રહ્યું. તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એસસી.ની ડિગ્રી મેળવી. એ દરમિયાન તેમને ભારત સરકારની શિષ્યવૃત્તિ મળી. તેથી આગળનો અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. ડૉક્ટરેટની ઉપલબ્ધિ મેળવ્યા બાદ તેઓ સંશોધનકાર્યમાં જોડાયા.   1951માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં ગયા. ત્યાં એલેક્ઝાન્ડર ટાડની સાથે ન્યૂક્લિક એસિડ પર શોધ કરવાનું શરૂ કર્યું હતું. સ્વિટ્ઝર્લેન્ડની સ્વિસ ફેડર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત એસ્નેક એલિઝાબેથ સાથે થઇ. તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. લગ્નબાદ બ્રિટિશ કોલંબિયાના પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયમાં કામ કરવા માટે તેઓ કેનેડા જતા રહ્યા. ત્યાં તેમણે ફોસ્ફેટ એસ્ટર અને ન્યૂક્લિક ઍસિડમાં કાર્ય કર્યું. એ પછી હંમેશ માટે અમેરિકા જઇને વસી ગયા. ડૉ. ખુરાનાએ વિશ્વમાં પહેલા કૃત્રિમ જીનનું નિર્માણ કર્યું. તેમણે આનુવંશિક્તામાં જે કામગીરી કરી એને આજે પણ આધારરૂપ માનવામાં આવે છે.   ડૉ. ખુરાનાએ જીવરસાયણશાસ્ત્રનાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સંશોધન કર્યું છે. પ્રોટીન, પેપ્ટાઇડ, કોએન્ઝાઇમ-A ન્યૂક્લિયોટાઇડ, પૉલિન્યૂક્લિયોટાઇડ અને ફૉસ્ફેટ એસ્ટર અણુઓના બંધારણ નક્કી કરવામાં તેઓ સફળ નીવડ્યા હતા. વિશેષ કરીને ન્યૂક્લિક ઍસિડ શૃંખલાનું સંશ્લેષણ કરવામાં તેમણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. ડૉ. ખુરાનાને દેહધર્મ વિદ્યા (Psychology) ઔષધ વિજ્ઞાન (Medicine)માં સંશોધન માટે 1968 નું નોબેલ પારિતોષિક એનાયત થયું. તે ઉપરાંત માર્ક પારિતોષિક (1958, કૅનેડા), પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેનેડિયન પબ્લિક સર્વિસીસનો સુવર્ણચંદ્રક (1960), ગટિન્જન એકેડેમી ઑફ સાયન્સીસનું હાઇમાન પારિતોષિક (1967) વગેરે એનાયત કરીને તેમણે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે પણ તેમને 'પદ્મવિભૂષણનો' ખિતાબ એનાયત કર્યો છે. તેમના મૃત્યુ (9 November, 2011) સુધી તેઓ અમેરિકામાં સ્થાયી રહીને સંશોધન કરતા રહ્યા હતા.

09th January

Read more
ડૉ. હરગોવિંદ ખુરાના જયંતી
09th January
હરગોવિંદ ખુરાનાનો જન્મ 9 જાન્યુઆરી, 1922 માં રાયપુર ગામમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં છે. તેમના પિતા ગણપતરાય ખુરાના બ્રિટિશ શાસનમાં ક્લાર્ક હતા. પાંચ ભાઈ-બહેનોમાં ખુરાના સૌથી નાના હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના પિતાએ પોતાનાં સંતાનોના શિક્ષણ ઉપર ભાર આપ્યો. જ્યારે ખુરાના 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં તેમના મોટાભાઇએ તેમના શિક્ષણની જવાબદારી સ્વીકારી લીધી. પરિણામે તેમનું ભણવાનું ચાલુ રહ્યું. તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એસસી.ની ડિગ્રી મેળવી. એ દરમિયાન તેમને ભારત સરકારની શિષ્યવૃત્તિ મળી. તેથી આગળનો અભ્યાસ કરવા તેઓ...
Read more
સ્વામી વિવેકાનંદ જયંતી (રાષ્ટ્રીય યુવા દિન)
સ્વામી વિવેકાનંદ જયંતી (રાષ્ટ્રીય યુવા દિન)

સ્વામી વિવેકાનંદજી ના જન્મદિનને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 ના રોજ થયો હતો. આધુનિક ભારતના નિર્માતા પૈકીનાં એક એવા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેની અનેક શાખાઓ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌ પ્રથમ 1984 ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી 'રાષ્ટ્રીય યુવા દિન' તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ 19મી સદીના સંત શ્રી રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક હતા. તેમને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે. તેમને 19મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વ કક્ષાએ આદર અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક વિશ્વમાં હિન્દુ ધર્મને સ્વીકૃત બનાવવામાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન મુખ્ય ગણવામાં આવે છે. તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં 1893 માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેઓના પ્રવચનની શરૂઆત તેમણે "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન કરેલું તેમજ આ પ્રવચનથી તેઓ વ્યક્તિ વિશેષ તરીકે વિશ્વ પ્રસિદ્ધ બન્યા હતા. બાળપણથી જ તેમને આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગની લાગી હતી. ઇશ્વરનાં દર્શન કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યા. આખરે તેમના શિષ્ય બની ગયા. પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. પ્રખર વક્તા તરીકે સ્વામી વિવેકાનંદે અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. ભારત પરત આવીને 1987માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશનની સ્થાપના કરી. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન જેવા રાષ્ટ્રીય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડયો હતો. સ્વામી વિવેકાનંદ એક મહાન આધ્યાત્મિક વ્યક્તિ અને ફિલોસોફર હતા. તે વૈશ્વિક આધ્યાત્મિકતા, સંવાદિતા, વૈશ્વિક ભાઈચારો અને સમગ્ર વિશ્વમાં શાંતિ ઇચ્છતા હતા. તેમનું શિક્ષણ અને ફિલસૂકીનો વર્તમાન સમયમાં પણ અસ્તિત્વ ધરાવે છે અને આધુનિક યુગના યુવાનોને માર્ગદર્શન આપે છે. તેમણે યુવાનોને પ્રેરણારૂપ સંદેશ આપેલો કે " ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો". 4 જુલાઈ, 1902 ના રોજ બેલુર મઠ ખાતે ધ્યાનની અવસ્થામાં તેમનું અવસાન થયું. માત્ર 39 વર્ષની ટૂંકી વયમાં હિંદુ ધર્મ, સમાજસેવા અને દેશ માટે તેઓ ઘણું બધુ કાર્ય કરીને ગયા. સ્વામી વિવેકાનંદે સ્થાપેલી સંસ્થાઓ તેમના શિક્ષણ અંગેના વિચારો અને ફિલસૂકીનો ફેલાવો કરી રહી છે. જે સમાજ અને રાષ્ટ્રની સુધારણા માટે કામ કરી રહી છે. તેમણે વેદાંત અને ઘણી સામાજિક સેવાઓનો પ્રચાર-પ્રસાર કર્યો. તેઓ વિશ્વના યુવાનો માટે કાયમ પ્રેરણારૂપ બની રહેશે.

12th January

Read more
સ્વામી વિવેકાનંદ જયંતી (રાષ્ટ્રીય યુવા દિન)
12th January
સ્વામી વિવેકાનંદજી ના જન્મદિનને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 ના રોજ થયો હતો. આધુનિક ભારતના નિર્માતા પૈકીનાં એક એવા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેની અનેક શાખાઓ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌ પ્રથમ 1984 ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી 'રાષ્ટ્રીય...
Read more
મકરસંક્રાંતિ
મકરસંક્રાંતિ

સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી બાર સંક્રાંતિઓ પૈકી આ સંક્રાંતિનું ખગોળીય મહત્વ વિશેષ હોવાથી ભારતમાં અને હવે તો રાષ્ટ્રોની સીમાઓને ઓળંગીને વિદેશોમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એ દિવસને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. હજારો વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને અયનગતિ સમાન હતી ત્યારથી આને ઉત્તરાયણ ગણવામાં આવે છે. (કાળક્રમે એમાં બદલાવ આવતાં હાલ 22 ડિસેમ્બરના દિવસે ઉત્તરાયણ થાય છે.) ઉત્તરાયણ દિવસથી સૂર્ય પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વધારે સમય પ્રકાશ આપતો હોવાથી ત્યાં દિવસ મોટો થતો જાય છે. આપણા વૈદિક સાહિત્યમાં પણ સૂર્યની ઉપાસનાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. સૂર્યને અનેક નામોથી સંબોધવામાં આવે છે તેમાં એક નામ પતંગ પણ છે. સૂર્યની ઉપાસનાથી દરિદ્રતા દૂર થાય છે, આરોગ્ય પ્રાપ્ત થાય છે અને અનેક રોગો દૂર થાય છે તેવું માનવમાં આવે છે. વર્તમાન સમયમાં વિજ્ઞાન પણ સવારના સમયમાં સૂર્યનાં કૂમળાં કિરણો નું સેવન વિટામીન ડી ની પૂર્તતા કરે છે એમ સ્વીકારે છે. નવજાત શિશુઓને પણ સવારમાં સૂર્યની સામે રાખવાથી તેને કમળો થવાની સંભાવના ઘટતી હોવાનું પણ નિષ્ણાતો કહે છે. વેદમાં મંત્રદૃષ્ટા તરીકે જાણીતી અપાલા એ પોતાના શરીરે થયેલા કોઢને દૂર કરવા સૂર્યની ઉપાસના કરી હોવાનું નોંધવામાં આવ્યું છે. મહાભારતના સમયમાં ભીષ્મ પિતામહના મૃત્યુનો પ્રસંગ ખૂબ જાણીતો છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનના તીરોથી ઘાયલ થયેલા ભીષ્મે મકરસંક્રાન્તિ સુધી મૃત્યુને દૂર રાખ્યું હતું અને મકરસંક્રાન્તિ આવ્યા પછી જ દેહત્યાગ કર્યો હતો. આ પ્રસંગના સંદર્ભમાં આ દિવસને ભીષ્મ દેહોત્સર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પતંગ ઉડાડવાનો પણ મહિમા વણાઈ ગયો છે. વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. લોકો ખુલ્લા મેદાનમાં અથવા પોતાના ઘરના ધાબા ઉપર જઈને પતંગ ચગાવવાની મજા લેતા હોય છે. દિવસભર તલસાંકળી, ચીકી, શેરડી વગેરેનો આનંદ માણે છે. અગાઉ રાત્રે પણ કાગળના ફાનસ ઉડાડવામાં આવતાં પરંતુ હવે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવો અને મજા માણવી એ સારી વાત છે. પણ આપણો આનંદ કોઈ માટે આફત બની જાય તે સ્વીકારી ના શકાય. ઉત્તરાયણના દિવસે અને તે પછી વધારાની દોરીઓ ગમે ત્યાં ફેંકવામાં આવે છે તે પક્ષીઓની પાંખો અને પગમાં ભરાઈ જાય અને આખરે એ પક્ષી મરણ પામે તે ઉચિત ગણાય ખરું ? ઘણીવાર રસ્તામાં જતાં માણસના ગળામાં દોરી ફસાઈ જાય અને ગળામાં ઊંડો ઘા થવાથી મૃત્યુ પામ્યાની ઘટનાઓ પણ નોંધાય છે. બીજી બાજુ પતંગ ચગાવવાની કે લૂંટવાની લાહ્યમાં ધાબા ઉપરથી પડવાના કારણે પણ જાનહાનિ થાય છે. કોઈપણ ઉત્સવની ઉજવણી આ રીતે આપત્તિ લાવનારી ન બને તે જોવાની આપણા સૌની ફરજ છે. મકરસંક્રાંતિ એ ભારતભરમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. તે આપણને દેવત્વ તરફ ગતિ કરવાની પ્રેરણા આપતો રહ્યો છે.

14th January

Read more
મકરસંક્રાંતિ
14th January

સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી બાર સંક્રાંતિઓ પૈકી આ સંક્રાંતિનું ખગોળીય મહત્વ વિશેષ હોવાથી ભારતમાં અને હવે તો રાષ્ટ્રોની સીમાઓને ઓળંગીને વિદેશોમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એ દિવસને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. હજારો વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને અયનગતિ સમાન હતી ત્યારથી આને ઉત્તરાયણ ગણવામાં આવે છે. (કાળક્રમે એમાં બદલાવ આવતાં હાલ 22 ડિસેમ્બરના દિવસે ઉત્તરાયણ થાય છે.) ઉત્તરાયણ દિવસથી સૂર્ય પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વધારે સમય પ્રકાશ આપતો હોવાથી ત્યાં દિવસ મોટો થતો...

Read more
ભારતીય સેના દિન
ભારતીય સેના દિન

'ભારતીય સેના દિન' એ બહાદુર સૈનિકો કે જેમણે આપણા દેશ અને નાગરિકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેમને સન્માનવાનો અને સલામ કરવાનો દિવસ છે. આઝાદી પછી પ્રથમ વખત 15 જાન્યુઆરી, 1949ના રોજ ભારતીય લેફ્ટનન્ટ જનરલ કે.કે.એમ.કરિઅપ્પાને ભારતીય સેનાના પ્રમુખપદની કમાન સોંપવામાં આવી હતી. અગાઉ બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ ફ્રાન્સિસ બુચર આ પદ પર કામ કરતા હતા. લેફ્ટનન્ટ જનરલ કે.કે.એમ.કરિઅપ્પા ભારતીય સેનામાં પ્રથમ ભારતીય નાગરિક હતા, જેમને રાષ્ટ્રપતિ દ્વારા આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક દિવસને યાદ કરવા દર વર્ષે 15મી જાન્યુઆરીએ ભારતીય સેના દિન ઉજવવામાં આવે છે. ભારતીય સેના દિન (ઇન્ડિયન આર્મી ડે) ભારતીય સેનાની બહાદુરીને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે, જેઓ ભારતની એકતા, અખંડિતતા અને સંરક્ષણ માટે 24 કલાક તૈયાર રહે છે. ભારતીય સેના હંમેશાં દેશના નાગરિકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભારતીય સેના એ કરોડો દેશવાસીઓના ગૌરવનું પ્રતીક છે. ઈતિહાસમાં અલગ-અલગ સમયે દેશના હજારો જવાનોએ દેશને દુશ્મનોથી બચાવવા બલિદાન આપ્યું છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ, બાંગ્લાદેશની આઝાદી, શ્રીલંકામાં શાંતિની સ્થાપના, ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં જવાનોએ શોર્ય બતાવ્યું છે. દેશની સેનાની બહાદુરી અને બલિદાન પ્રત્યે આદર દર્શાવવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે ભારતીય સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આર્મી ડે નિમિત્તે તમામ આર્મી હેડક્વાર્ટર્સ ઉપર પરેડ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં ખૂબજ મહત્વપૂર્ણ દિવસ છે. આ મહાન પ્રસંગે યુનિટ પ્રમાણપત્રો અને સેના મેડલ સહિત બહાદુરી પુરસ્કારો વિતરણ કરવામાં આવે છે. આ દિવસે દિલ્હીમાં અમરજવાન જ્યોતિએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

15th January

Read more
ભારતીય સેના દિન
15th January

'ભારતીય સેના દિન' એ બહાદુર સૈનિકો કે જેમણે આપણા દેશ અને નાગરિકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેમને સન્માનવાનો અને સલામ કરવાનો દિવસ છે. આઝાદી પછી પ્રથમ વખત 15 જાન્યુઆરી, 1949ના રોજ ભારતીય લેફ્ટનન્ટ જનરલ કે.કે.એમ.કરિઅપ્પાને ભારતીય સેનાના પ્રમુખપદની કમાન સોંપવામાં આવી હતી. અગાઉ બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ ફ્રાન્સિસ બુચર આ પદ પર કામ કરતા હતા. લેફ્ટનન્ટ જનરલ કે.કે.એમ.કરિઅપ્પા ભારતીય સેનામાં પ્રથમ ભારતીય નાગરિક હતા, જેમને રાષ્ટ્રપતિ દ્વારા આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક દિવસને યાદ કરવા દર વર્ષે...

Read more
કસ્તુરભાઈ લાલભાઈ પુણ્યતિથિ
કસ્તુરભાઈ લાલભાઈ પુણ્યતિથિ

અમદાવાદ નગરશેઠ કુટુંબના વંશજ, રાષ્ટ્રવાદી ઉધોગપતિ અને ઘનવીર કસ્તુરભાઈ લાલભાઈનો જન્મ ૧૯ ડિસેમ્બર,૧૮૯૪ ના રોજ અમદાવાદનાં ઝવેરીવાડમાં એક જૈન કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ લાલભાઈ દલપતભાઈ અને માતાનું નામ મોહિની હતું. તેમણે પાંચમાં ધોરણ સુધી ત્રણ દરવાજાની નજીક મ્યુનિસિપલ શાળા નંબર ૮ માં અભ્યાસ કર્યો. પછી તેઓ રણછોડલાલ છોટાલાલ સરકારી માધ્યમિક શાળામાં જોડાયા. તેમણે ૧૯૧૧માં મેટ્રિકની પરીક્ષા બીજા વર્ગમાં ઉત્તીર્ણ કરી. ૧૯૧૨માં જ્યારે તેઓ ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતાં હતા ત્યારે તેમનાં પિતાનું મૃત્યુ થયું અને તેઓ કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. તેમનાં પિતા લાલભાઈને કૌટુંબિક વારસામાં નવી સ્થપાયેલ રાયપુર મિલ મળી હતી. વ્યવસાયની સાથે તેઓને ગુજરાતના જાહેરજીવનમાં પણ ઊંડો રસ હતો. ૧૯૨૩-૧૯૨૬ દરમિયાન દિલ્હીની વડી ધારાસભામાં મીલમાલીકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા. વડી ધારાસભામાં તેમની કામગીરીના વખાણ તો ટાઈમ્સ ઓફ ઇન્ડીયા જેવા અખબારે પણ કર્યા હતા. ૧૯૩૬માં અમૃતલાલ હરગોવિનદાસ અને ગણેશ માવલંકરની સાથે તેમણે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (AES)ની સ્થાપના કરી હતી, જે ૨૦૦૯માં અમદાવાદ યુનિવર્સિટી તરીકે ફેરવવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા બાદમાં એમ. જી. સાયન્સ કોલેજ, એલ. એમ. ફાર્મસી કોલેજની શરુઆત કરવામાં આવી હતી. તેમણે અને વિક્રમ સારાભાઈએ અટીરા (અમઘવાદ ટેક્સટાઇ ઇન્ડસ્ટ્રિઝ રીસર્ચ એશોશિએશન)ની સ્થાપના કરી હતી. ૧૯૪૭માં તેમનાં દ્રારા લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ સ્થાપવામાં આવી હતી. ૧૯૬૨માં તેમણે લાલભાઇ દલપતભાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી ની પણ સ્થાપના કરી હતી. આ સંસ્થા વિવિધ પ્રાચીન હસ્તપ્રતો, દુર્લભ પુસ્તકો અને માઈક્રોફ઼િલ્મો ધરાવે છે. ૧૯૪૯માં તેમણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રિઝ (GCCI)ની સ્થાપના કરી હતી. અમદાવાદમાં આ વિવિધ સંસ્થાઓની સ્થાપના માટે તેમણે વિશ્વના પ્રખ્યાત સ્થપતિઓ લુઇસ કાંન, લી કોર્બુશિઅર, બી. વી. દોશી અને ચાર્લ્સ કોરિયાને કામ સોંપ્યું હતું. કસ્તુરભાઈએ એક નવાચારી ઉધોગપતિ તરીકે વારસાગત ઉધોગ-ધંધાઓનો વિકાસ તો કર્યો જ સાથે ગુજરાતની મહાજન પરંપરાના પ્રતિનિધિ તરીકે કેળવણીની સંસ્થાઓના વિકાસમાં પણ રસ દાખવ્યો હતો. કારણકે તેઓ જાણતા હતા કે આઝાદ ભારતમાં શિક્ષણનું મહત્વ શું રહેવાનું છે! આઝાદી પછીના ત્રણ દાયકાઓમાં તેમના પરિવારે માત્ર કેળવણીની સંસ્થાઓને દોઢ કરોડ કરતા વધુ રકમનું દાન કર્યું હતું. ધાર્મિક સંસ્થાઓ અને જૈન સંસ્થાઓનેકરેલા દાન તો જુદા,અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત નિર્માણ પામેલી શાળા-કોલેજો ઉપરાંત ગુજરાત યુનિ., અટીરા વગેરેમાં કસ્તુરભાઈ પરિવારની ઉદાર સખાવતો રહેલી છે. ગુજરાત યુનિ.ને તો તેઓ ગુજરાતની આરાધ્ય દેવતા ગણતા હતા. શૈક્ષણિક સંસ્થાઓમાં આટલું માતબર દાન કરવા છતાં કદી તેની વહીવટી બાબતોમાં હસ્તક્ષેપ કરતા નહિ. ૧૯૬૯માં તેમને ભારતનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ એનાયત થયું હતું. અમદાવાદની શિક્ષણ સંસ્થાઓના વાલી સમાન શેઠકસ્તુભાઈ લાલભાઈનું ૨૦ જાન્યુઆરી,૧૯૮૦ ના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું.

20th January

Read more
કસ્તુરભાઈ લાલભાઈ પુણ્યતિથિ
20th January

અમદાવાદ નગરશેઠ કુટુંબના વંશજ, રાષ્ટ્રવાદી ઉધોગપતિ અને ઘનવીર કસ્તુરભાઈ લાલભાઈનો જન્મ ૧૯ ડિસેમ્બર,૧૮૯૪ ના રોજ અમદાવાદનાં ઝવેરીવાડમાં એક જૈન કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ લાલભાઈ દલપતભાઈ અને માતાનું નામ મોહિની હતું. તેમણે પાંચમાં ધોરણ સુધી ત્રણ દરવાજાની નજીક મ્યુનિસિપલ શાળા નંબર ૮ માં અભ્યાસ કર્યો. પછી તેઓ રણછોડલાલ છોટાલાલ સરકારી માધ્યમિક શાળામાં જોડાયા. તેમણે ૧૯૧૧માં મેટ્રિકની પરીક્ષા બીજા વર્ગમાં ઉત્તીર્ણ કરી. ૧૯૧૨માં જ્યારે તેઓ ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતાં હતા ત્યારે તેમનાં પિતાનું મૃત્યુ થયું અને તેઓ કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. તેમનાં પિતા લાલભાઈને કૌટુંબિક વારસામાં નવી સ્થપાયેલ રાયપુર...

Read more
કવિ દલપતરામ જયંતી
કવિ દલપતરામ જયંતી

દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનો જન્મ 21 જાન્યુઆરી, 1820 રોજ સુરેન્દ્રનગરના વઢવાણમાં થયો હતો. દલપતરામ તરીકે તેઓ વધુ જાણીતા છે. તેઓ ગુજરાતી ભાષાના કવિ હતા. લોકોની જીભે રમતાં અનેક કાવ્યો કવિ દલપતરામે લખ્યાં છે. આ કાવ્યોનો ગુજરાત રાજયની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો. એલેકઝાન્ડર ફાર્બસે કવિ દલપતરામને 'કવિશ્વર' ઉપનામ આપ્યું હતું. કવિ દલપતરામના પિતાનું નામ ડાહ્યાભાઈ ત્રવાડી અને માતાનું નામ અમૃતબા હતું. દલપતરામે ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ સામવેદનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેમની પ્રથમ કવિતા 'બાપાની પીંપર' હતી. બચપણમાં એમણે 'કમળલોચિની' અને 'હીરાદંતી' નામે બે વાર્તાઓ દોહરા, ચોપાઈમાં રચેલી. 'જ્ઞાનચાતુરી' નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો. તેમણે કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, નાટક વગેરેનું સર્જન કર્યુ. દલપતરામ અમદાવાદમાં રહેવા આવ્યા ત્યારે અમદાવાદના આસિસ્ટન્ટ જજ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ સાથે મિત્રતા થઈ જે ગુજરાતી સાહિત્યના વિકાસ માટે વિરલ ઘટના ગણાય છે. ફાર્બસે ગુજરાતી સાહિત્યના વિકાસ માટે 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' નામની સંસ્થા સ્થાપી હતી. જે બાદમાં 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાઈ હતી. આ સંસ્થામાં દલપતરામે ચોવીસ વર્ષ સુધી સેવા આપી હતી. આ સંસ્થાના મુખપત્ર 'બુદ્ધિપ્રકાશ'ના સૌપ્રથમ તંત્રી તરીકે પણ તેમણે કાર્ય સંભાળ્યું હતું. ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને પ્રયોજવાનું શ્રેય દલપતરામને જાય છે. ગુજરાતી સાહિત્યમાં દલપતરામનું સર્જન ચિરસ્થાયી છે. એમનો સમયકાળ ગુજરાતી સાહિત્યમાં 'દલપતયુગ' તરીકે ઓળખાય છે. તેઓએ હુન્નરખાનની ચઢાઇ, માના ગુણ, દલપતકાવ્યો (ભાગ: ૧ અને ૨), ફાર્બસ વિરહ જેવી કવિતાઓ, ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો, મિથ્યાભિમાન, લક્ષ્મી, સ્ત્રીસંભાષણ ગંગાબાઈ જમનાબાઈની વાત વગરે નાટકો, દલપતપિંગળ, ગુજરાતી ભાષાના કવિઓનો ઈતિહાસ જેવી કૃતિઓની રચના કરી છે. દલપતરામમાં 'પંચતંત્ર'ના કર્તાના જેવી મનુષ્ય સ્વભાવની પરખ અને તીક્ષ્ણ વ્યવહારબુદ્ધિ હતી. તેની પ્રતીતિ તેમનાં સર્જેલાં માનવપાત્રો અને પશુપંખીમાં થાય છે. તેનાં ઉદાહરણમાં જીવરામ ભટ્ટ, અંધેરીનગરીનો ગંડુ રાજા, લાલો બારોટ, રાજદરબારમાં ગયેલો કણબી, બેગરજુ કેશવો, શરણાઈવાળો, ભોળોભાભો વગેરે માનવપાત્રો હતાં. તેમજ સિંહને શિકારીથી ચેતવાનું કહેવા ગયેલી બકરી, પોતાના ગર્જતા પ્રતિબિંબને જોઈ કૂવામાં પડનાર સિંહ, તેને આપઘાત કરવા પ્રેરનાર શિયાળ, ભસીને ગૌરવ લેતો કૂતરો, વાંકદેખું ઊંટ, પરસ્પર વિવાદ કરતા કાક-હંસ, માની શિખામણને અવગણીને હેરાન થનાર માખીનું બચ્યું વગેરે પશુપંખીનાં દૃષ્ટાંતોમાં પણ એનો ખ્યાલ આવે છે. કવિ દલપતરામની સ્મૃતિમાં 2010થી 'કવિશ્વર દલપતરામ એવોર્ડ' એનાયત થાય છે. અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં તેમના નામે 'કવિ દલપતરામ ચોક' પણ આવેલો છે જ્યાં તેમનું એક સ્મારક છે. અહીં કવિશ્વર દલપતરામનું 120 કિલોગ્રામનું માનવ કદનું બાવલું પણ મૂકવામાં આવેલું છે. કવિ દલપતરામનું અવસાન 25 માર્ચ 1898 ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.

21st January

Read more
કવિ દલપતરામ જયંતી
21st January

દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનો જન્મ 21 જાન્યુઆરી, 1820 રોજ સુરેન્દ્રનગરના વઢવાણમાં થયો હતો. દલપતરામ તરીકે તેઓ વધુ જાણીતા છે. તેઓ ગુજરાતી ભાષાના કવિ હતા. લોકોની જીભે રમતાં અનેક કાવ્યો કવિ દલપતરામે લખ્યાં છે. આ કાવ્યોનો ગુજરાત રાજયની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો. એલેકઝાન્ડર ફાર્બસે કવિ દલપતરામને 'કવિશ્વર' ઉપનામ આપ્યું હતું.

કવિ દલપતરામના પિતાનું નામ ડાહ્યાભાઈ ત્રવાડી અને માતાનું નામ અમૃતબા હતું. દલપતરામે ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ સામવેદનો અભ્યાસ શરૂ કર્યો હતો....

Read more
સુભાષચંદ્ર બોઝ જયંતી
સુભાષચંદ્ર બોઝ જયંતી

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રૅવેન્શૉ કૉલેજિએટ સ્કૂલમાં મેળવ્યું. તે પછીનું શિક્ષણ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યું. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા. અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ સુભાષચંદ્ર બોઝે સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા સ્થાને પાસ કરી જવલંત સફળતા મેળવી. ભારતમાં થયેલ જલિયાંવાલા બાગ હત્યાકાંડથી સુભાષચંદ્ર બોઝ ખૂબજ દુ:ખી થયા. તેમણે 1921 માં સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપી દીધું અને ભારત પરત ફર્યા. ત્યારબાદ તેઓ ગાંઘીજી ના સંપર્કમાં આવ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈ ગયા. ગાંઘીજીના દિશાનિર્દેશો અનુસાર તેમણે ચિતરંજનદાસ દેશબંઘુને પોતાના રાજનૈતિક ગુરુ બનાવી તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. 1928 માં જયારે સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે કાળા ઝંડા બતાવી તેનો વિરોધ કરવામાં આવ્યો. સુભાષચંદ્ર બોઝે કોલકાતામાં આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. 1928 માં કોલકાતામાં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયેલા કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ખાખી યુનિફોર્મ પહેરીને મોતીલાલ નેહરુને લશ્કરી રીતે સલામી આપી હતી. 26 જાન્યુઆરી, 1931 ના રોજ સુભાષચંદ્ર બોઝ કોલકાતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને એક વિશાળ મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમના પર લાઠી ચલાવી ઘાયલ કર્યા અને જેલમાં મોકલી દીધા. નેતાજીએ તેમના જીવનકાળમાં 11 વખત જેલવાસ ભોગવ્યો હતો. ગાંધીજી સુભાષચંદ્ર બોઝને નેતાજી કહીને સંબોધતા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે વર્ષ 1937 માં તેમની સેક્રેટરી અને ઓસ્ટ્રિયન યુવતી એમિલી સાથે લગ્ન કર્યા હતા. તેઓને અનિતા નામે એક પુત્રી હતી. 1938 માં હરિપુરા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રીય યોજના આયોગની રચના કરી 1939 માં ત્રિપુરા અધિવેશનમાં તેઓ ફરીવાર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા ૩ મે, 1939 ના દિવસે સુભાષબાબુએ ફૉરવર્ડ બ્લૉક નામની પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસો બાદ સુભાષબાબુને કોંગ્રેસમાંથી બરતરફ કરવામાં આવ્યા. એ પછી ફોરવર્ડ બ્લોક એક સ્વતંત્ર પાર્ટી બની ગઈ. બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાની તૈયારી હતી. સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોને છ મહિનામાં ભારત છોડી જવાનું અલ્ટીમેટમ આપી દીધું. સુભાષચંદ્ર બોઝના આ નિર્ણયનો વિરોધ ગાંધીજી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ કર્યો. જેથી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું. બીજા વિશ્વ યુદ્ધમાં અંગેજો દ્વારા ભારતીય સંસાધનોનો ઉપયોગ કરવાનો ઉગ્ર વિરોધ થયો અને તેના વિરોધમાં જનઆંદોલન શરૂ થયું. આ આંદોલનને લોકોનું ખૂબજ સમર્થન મળ્યું એટલે બ્રિટીશ સરકારે નેતાજીને કોલકાતામાં નજરકેદ કરી લીધા. પરંતુ તેમના ભત્રીજા શિશિરકુમાર બોઝની મદદથી તેઓ અફઘાનિસ્તાન અને રશિયા થઈ જર્મની પહોંચી ગયા. જર્મનીમાં સુભાષબાબુ હિટલરને મળ્યા. ત્યાંથી તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં અને દેશની આઝાદી માટે કામ કર્યું. 1943માં તેમણે જર્મની છોડી દીધું, ત્યાંથી તે જાપાન ગયા. જાપાનથી તેઓ સિંગાપુર ગયા. ત્યાં તેઓએ આઝાદ હિંદ ફોજની કમાન સંભાળી અને તેનું પુનઃ ગઠન કરી, 'ચલો દિલ્લી' અને 'તુમ મુજે ખૂ નદો મેં તુમ્હેં આઝાદી દૂંગા'ના નારા આપ્યા. તેમણે મહિલાઓ માટે ઝાંસીની રાણી રેજીમેન્ટની રચના કરી. જેના કેપ્ટન તરીકે લક્ષ્મી સહેગલ ની નિમણૂ ક કરવામાં આવી હતી. 2 ઓક્ટોબર, 1943 ના રોજ તેઓએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી. આ સંગઠનના ઝંડા ઉપર ગર્જના કરતા વાઘનું ચિત્ર પ્રતીક તરીકે હતું. નેતાજી આઝાદ હિંદ ફોજ સાથે 4 જુલાઈ, 1944 ના રોજ બર્મા પહોંચ્યા હતા. ત્યાંથી ઉત્તરપૂર્વનાં રાજ્યો પર અંગ્રેજ શાસન સામે મોરચો માંડ્યો. 18 ઓગસ્ટ, 1945 ના રોજ ટોકિયો જતી વખતે તાઇવાન પાસે કહેવાતી એક હવાઈ દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું પરંતુ તેમનું શરીર ન મળી શક્યું. જેના કારણે તેમના મોત વિશે આજ સુધી કોઈ સચોટ પુરાવા મળ્યા નથી. આવા સ્વાતંત્ર્ય સેનાની અને મહાન દેશભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની ભારત સરકારે 2022 માં જાહેરાત કરી છે.

23rd January

Read more
સુભાષચંદ્ર બોઝ જયંતી
23rd January

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રૅવેન્શૉ કૉલેજિએટ સ્કૂલમાં મેળવ્યું. તે પછીનું શિક્ષણ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યું. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા. અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ સુભાષચંદ્ર બોઝે સિવિલ...

Read more
રાષ્ટ્રીય બાલિકા દિન
રાષ્ટ્રીય બાલિકા દિન

ભારત દેશમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ 'રાષ્ટ્રીય બાલિકા દિન' ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બાલિકા દિનનું મુખ્ય ધ્યેય દેશમાં દીકરીઓને આત્મનિર્ભર બનાવવાનો અને તેમને મહત્વપૂર્ણ દરજ્જો આપવાનો છે. આજના સમયમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં દીકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. જેમ કે કાનૂ ની અધિકારો, શિક્ષણમાં અસમાનતા, સુરક્ષા, તબીબી સંભાળ, બાળલગ્ન વગેરે. જેથી રાષ્ટ્રીય બાલિકા દિનનો હેતુ ભારતમાં લૈંગિક અસમાનતા અને તેનાં પરિણામો વિશે જાગૃતિ વધારવાનો છે. રાષ્ટ્રીય બાલિકા દિવસનો હેતુ દેશમાં દીકરીઓ પ્રત્યેની અસમાનતાઓ દૂર કરવા લોકોને જાગૃત કરવાનો છે. આ દિનની ઉજવણીનો હેતુ બાલિકાના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવી, કન્યા કેળવણી, આરોગ્ય અને પોષણના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. દીકરીઓ દેશનું ભવિષ્ય છે. પરિવારમાં તેની ભૂમિકા જેટલી અગત્યની છે તેટલી જ ભૂમિકા સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં પણ છે. જન્મથી જ એક બેટી વિવિધ ભૂમિકા ભજવે છે જેમાં બેટી, બહેન, પત્ની અને મા મુખ્યત્વે ગણાય છે. આજે 21મી સદીમાં પણ આપણા દેશમાં બાળલગ્ન, કૃપોષણ, એસિડ એટેક, ઑનર કિલિંગ, બાળતસ્કરી અને કન્યાના શિક્ષણ જેવા વિવિધ મુદ્દાઓમાં જાગૃતિની તાતી જરૂર છે. આજે પણ સમાજમાં દીકરીઓ વિશે અનેક પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. આવી સ્થિતિમાં દીકરીઓને સમાજમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લિંગ ભેદભાવ અને કન્યા કેળવણી પ્રત્યે સમાજમાં કેટલેક અંશે જાગૃતિનો અભાવ એ મોટો પડકાર છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને 24 જાન્યુઆરીએ નારી શક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. 24 જાન્યુઆરી, 1966 ના રોજ ઈન્દિરા ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેથી જ 24 જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિન તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે રાષ્ટ્રીય બાલિકા દિનના અવસર પર સરકાર દીકરીઓ વિશેના સંકુચિત દૃષ્ટિકોણને પડકારવા માટે જાગૃતિ અભિયાન અને અન્ય ઝુંબેશ ચલાવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં બેટી બચાવો, યોગ્ય જાતિ ગુણોત્તર અને બાળકી માટે સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ બનાવવા સહિત અનેક કાર્યક્રમો નો સમાવેશ થાય છે. ભારત સરકારે દીકરીઓની સ્થિતિ સુધારવા માટે વર્ષોથી ઘણાં પગલાં લીધાં છે. સરકારે આ દિશામાં ઘણાં અભિયાનો અને કાર્યક્રમો શરૂ કર્યા છે. જેવા કે બેટી બચાવો, બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, CBSE ઉડાન યોજના, કન્યાઓ માટે મફત શિક્ષણ, ઉચ્ચશિક્ષણ સહાય, મહિલા અનામત. મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી સરકારે શરૂ કરેલું "બેટી બચાવો, બેટી પઢાઓ." અભિયાન એ દીકરીઓ માટે ખૂબ જ સારું પગલું છે. આના માધ્યમથી દીકરીઓ અને મહિલાઓને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવી છે. ભૂણ હત્યા જેવી સ્ત્રીઓ પ્રત્યેની અનેક અમાનવીય પ્રથાઓ હવે ઓછી થઈ છે. "બેટી બચાવો, બેટી પઢાઓ.” અભિયાનથી લોકોની માનસિકતામાં પરિવર્તન કરવામાં મદદ મળી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, દીકરીઓના શિક્ષણ અંગે ઘણી જાગૃતિ આવી છે. હવે લોકો દીકરાઓની જેમ દીકરીઓને સમાન આદર, અધિકાર અને શિક્ષણ આપી રહ્યાં છે. ભારતીય બંધારણ સાર્વભૌમત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોને વરેલું છે. બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હક આપ્યા છે. જાતીય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક આપવાની તરફેણ કરે છે. ભારતીય બંધારણે મહિલાઓને સમાન હક આપ્યા છે. રાષ્ટ્રીય બાલિકા દિન ઉપરાંત વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ દર વર્ષે 11 ઑક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બાલિકા દિનની ઉજવણી માટેની પહેલ એક બિન-સરકારી સંસ્થાના 'પ્લાન ઇન્ટરનેશનલ' પ્રોજેક્ટ તરીકે લેવામાં આવી હતી. આ સંગઠને "કારણ કે હું એક છોકરી છું” નામનું અભિયાન પણ શરૂ કર્યું હતું, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા કેનેડાની સરકાર સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કેનેડાની સરકારે 55મી મહાસભા માં આ ઠરાવ રજૂ કર્યો હતો. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ 19 ડિસેમ્બર, 2011 ના રોજ ઠરાવ પસાર કર્યો હતો. જેમાં 11 ઑક્ટોબરના દિવસને આંતરરાષ્ટ્રીય બાલિકા દિન તરીકે ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. પ્રથમ આંતરરાષ્ટ્રીય બાલિકા દિન 11 ઑક્ટોબર, 2012 ના રોજ મનાવવામાં આવ્યો હતો.

24th January

Read more
રાષ્ટ્રીય બાલિકા દિન
24th January

ભારત દેશમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ 'રાષ્ટ્રીય બાલિકા દિન' ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બાલિકા દિનનું મુખ્ય ધ્યેય દેશમાં દીકરીઓને આત્મનિર્ભર બનાવવાનો અને તેમને મહત્વપૂર્ણ દરજ્જો આપવાનો છે. આજના સમયમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં દીકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. જેમ કે કાનૂ ની અધિકારો, શિક્ષણમાં અસમાનતા, સુરક્ષા, તબીબી સંભાળ, બાળલગ્ન વગેરે. જેથી રાષ્ટ્રીય બાલિકા દિનનો હેતુ ભારતમાં લૈંગિક અસમાનતા અને તેનાં પરિણામો વિશે જાગૃતિ વધારવાનો છે. રાષ્ટ્રીય બાલિકા દિવસનો હેતુ દેશમાં દીકરીઓ પ્રત્યેની અસમાનતાઓ દૂર કરવા લોકોને જાગૃત...

Read more
રાષ્ટ્રીય મતદાતા દિન
રાષ્ટ્રીય મતદાતા દિન

આપણો દેશ એ એક લોકશાહી દેશ છે. એક લોકશાહી દેશનો પાયો ત્યાંના નાગરિકોને મળેલા મતદાનના અધિકાર પર નિર્ભર છે. ભારતીય બંધારણે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને એકસરખા મૂલ્યનો મતાધિકાર આપ્યો છે. લોકો ભારતીય નાગરિક તરીકે મળેલા મતાધિકારનું મહત્વ સમજે અને મતદાન વિશે જાગૃત થાય તે હેતુથી 25મી જાન્યુઆરી ના રોજ 'રાષ્ટ્રીય મતદાતા દિન' ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય મતદાતા દિનને 25 જાન્યુઆરી ના દિવસે મનાવવાનું એક ખાસ કારણ છે. ભારતની આઝાદીના ત્રણ વર્ષ બાદ જ્યારે 1950માં 26 જાન્યુઆરી એ બંધારણ લાગુ કરવામાં આવ્યું તેના એક દિવસ પહેલાં એટલે કે 25 જાન્યુઆરી, 1950 ના દિવસે ભારતીય ચૂંટણીપંચની સ્થાપના થઈ. ભારતીય ચૂંટણીપંચના સ્થાપના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. 25 જાન્યુઆરી, 2011 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી પ્રતિભાદેવી પાટીલ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. કોઈપણ લોકશાહી દેશમાં સરકાર રચવામાં મતદારો સૌથી મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોકશાહીનાં મૂળિયાં ત્યારે જ મજબૂત બને છે જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક પોતાના મતનું મૂલ્ય સમજીને મતદાન કરે છે. મતદારો પોતાના અમૂલ્ય મતથી કોઈપણ પક્ષને પાંચ વર્ષ માટે સત્તા પર લાવે છે. આમ કરીને મતદારો રાજ્ય અને દેશના વિકાસ માટે જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવે છે. ભારતના નાગરિકને 18 વર્ષની ઉંમરે મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં મતદાન સંબંધિત ઘટી રહેલા વલણને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. આ દિવસનો  ઉદ્દેશ નવા મતદારોની મહત્તમ નોંધણી કરવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસે શાળાઓ, કોલેજો, સરકારી સંસ્થાઓ વગેરેમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. તેમજ મતદાતાઓને શપથ પણ લેવડાવવામાં આવે છે કે તેઓ મતનો ઉપયોગ કરીને દેશના વિકાસ માટે લાયક પ્રતિનિધિની પસંદગી કરે. ભારતમાં મતદાર એ લોકશાહીનો અનન્ય ભાગ છે. એક મતનું મૂલ્ય એટલું બધું છે કે ચૂંટણીપંચ મતદાનના દિવસે એક મતદાર માટે પણ મતદાન મથક ઊભું કરે છે. તેથી દરેક મતદારે અવશ્ય મતદાન કરવું જોઈએ. મતદાન એ પવિત્ર ફરજ છે. તમે પણ તમારા માતાપિતાને અવશ્ય મતદાન કરાવો.

25th January

Read more
રાષ્ટ્રીય મતદાતા દિન
25th January

આપણો દેશ એ એક લોકશાહી દેશ છે. એક લોકશાહી દેશનો પાયો ત્યાંના નાગરિકોને મળેલા મતદાનના અધિકાર પર નિર્ભર છે. ભારતીય બંધારણે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને એકસરખા મૂલ્યનો મતાધિકાર આપ્યો છે. લોકો ભારતીય નાગરિક તરીકે મળેલા મતાધિકારનું મહત્વ સમજે અને મતદાન વિશે જાગૃત થાય તે હેતુથી 25મી જાન્યુઆરી ના રોજ 'રાષ્ટ્રીય મતદાતા દિન' ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય મતદાતા દિનને 25 જાન્યુઆરી ના દિવસે મનાવવાનું એક ખાસ કારણ છે. ભારતની આઝાદીના ત્રણ વર્ષ બાદ જ્યારે 1950માં...

Read more
પ્રજાસત્તાક દિન
પ્રજાસત્તાક દિન

26મી જાન્યુઆરી એટલે સ્વતંત્ર ભારતનો પ્રજાસત્તાક દિન ભારત દેશ 15 ઑગસ્ટ, 1947 નાં રોજ સ્વતંત્ર થયો. દેશનું કોઈ કાયમી બંધારણ ન હતું. તેથી સુધારેલા વસાહતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935 પર આધારિત કાયદાઓનો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જ નાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો તે સમયે દેશના સર્વોચ્ચ પદે ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન હતા. સ્વતંત્રતા બાદ 29 ઑગસ્ટ, 1947 ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉ. આંબેડકર ના વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને 4 નવેમ્બર, 1947નાં રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણસભાનું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું, જે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલ્યું. કેટલાયે વિચાર વિમર્શ, ઠરાવો પછી હિંદી અને અંગ્રેજી માં તૈયાર થયેલ બંધારણની બે હસ્તલેખિત નકલો પર બંધારણ સભાએ 24 જાન્યુઆરી, 1950 ના રોજ હસ્તાક્ષર કર્યા. બે દિવસ પછી ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, 1950થી અમલમાં આવ્યું અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા આ દિવસથી જ ભારતના સૌથી મોટા લોકશાહીનો વહીવટ પ્રજાના હાથમાં મૂકાયો ખરા અર્થમાં ભારત દેશ પ્રજાસત્તાક બન્યો. 26 જાન્યુઆરી, 1950 ના દિવસે ભારતનું સંવિધાન લાગુ પાડવામાં આવ્યું, તે પહેલાં પણ 26મી તારીખનું મહત્વ હતું. 31 ડિસેમ્બર, 1931 ની મધ્યરાત્રિએ રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા આ દિવસે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહી મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે. આ બધા સંઘર્ષે સાથે અનેક મહાન નાયકોએ એ સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે બલિદાન આપવું પડયું હતું. તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી. આ અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર 26 જાન્યુઆરી, 1930 સુધી ડોમિયન્ડટ સ્ટેટનો દરજ્જો આપવા તૈયાર ન થાય. તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે. અંગ્રેજોએ દેશની આઝાદી માટે કોઈ જ પગલાં ન ભરતાં દેશમાં પૂર્ણસ્વતંત્ર રાજનો નારો ગૂંજી ઉઠ્યો હતો. પૂર્ણસ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્રભક્તિની લહેર ઊભી થઈ ગઈ હતી. એથી લાહોર અધિવેશન મુજબ 26મી જાન્યુઆરી ને દર વર્ષે પૂર્ણસ્વરાજ દિન તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી આપણા દેશને 1947માં આઝાદી ન મળી ત્યાં સુધી 26મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહ્યો હતો. 26મી જાન્યુઆરી, 1950 ભારતનાં ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે, તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આ દિવસે ભારત પૂર્ણગણતંત્ર સંચલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધીજી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન સાકાર થયું. તેથી જ 26મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો. અને ત્યારથી જ આ દિવસ ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે માનભેર ઉજવાય છે. આ દિવસની ઉજવણી દેશના લોકો તેમજ વિદેશમાં રહેતા ભારતીયો માટે મહાન સન્માન છે. આ દિવસ તમામ ભારતીયો માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. આ દિવસે શાળા, કોલેજો, જાહેર સ્થળો તેમજ તમામ સરકારી કચેરીઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધ્વજવંદન કરવામાં આવે છે. બંધારણના ઘડવૈયાઓને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અપાય છે. દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્લીના રાજપથ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરવવામાં આવે છે. વિજયચોકથી શરૂ થયેલી પરેડ રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે. દેશના સૈનિકો વિવિધ પ્રકારનાં શસ્ત્રો, મિસાઈલ, ટેકો, હવાઇ જહાજો વગેરેનું પ્રદર્શન કરે છે. રાષ્ટ્રપતિને સલામ કરે છે અને તેમની આધુનિક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરે છે અને વિશ્વાસ અપાવે છે કે તેઓ આપણું રક્ષણ કરવા સક્ષમ છે. વિવિધ રાજ્યોની ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક જીવન, ડ્રેસ, રિવાજો, ઔધોગિક અને સમાજમાં આવેલ પરિવર્તનની તસવીર રજૂ કરવામાં આવે છે. પ્રજાના હાથમાં સત્તા એટલે લોકશાહી. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી જ ચાલતું શાસન. 26મી જાન્યુઆરી, 1950 ના દિનથી બંધારણ પ્રમાણે આપણને બધી રીતે સ્વતંત્રતા મળી છે. લોકશાહીના તમામ અધિકારો પ્રાપ્ત થયા છે.

26th January

Read more
પ્રજાસત્તાક દિન
26th January

26મી જાન્યુઆરી એટલે સ્વતંત્ર ભારતનો પ્રજાસત્તાક દિન ભારત દેશ 15 ઑગસ્ટ, 1947 નાં રોજ સ્વતંત્ર થયો. દેશનું કોઈ કાયમી બંધારણ ન હતું. તેથી સુધારેલા વસાહતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935 પર આધારિત કાયદાઓનો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જ નાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો તે સમયે દેશના સર્વોચ્ચ પદે ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન હતા. સ્વતંત્રતા બાદ 29 ઑગસ્ટ, 1947 ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉ. આંબેડકર ના વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન...

Read more
લાલા લજપતરાય જયંતી
લાલા લજપતરાય જયંતી

લાલા લજપતરાય ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ "પંજાબ કેસરી" તરીકે પણ ઓળખાતા હતા. લાલા લજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા ધુડીકે ગામમાં 28 જાન્યુઆરી, 1865 ના રોજ થયો હતો. લાલા લજપતરાયના પિતાનું નામ મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ અને માતાનું નામ ગુલાબદેવી અગ્રવાલ હતું. તેમની પત્નીનું નામ રાધાદેવી અગ્રવાલ હતું. તેમના પિતા મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ સરકારી શાળામાં શિક્ષક હતા. 1870 માં તેમના પિતાની બદલી રેવારી ખાતે થતાં તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની સરકારી શાળામાં થયું. લાલા લજપતરાયે વકીલાતના અભ્યાસ માટે લાહોર ના સરકારી વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમનો પરિચય લાલા હંસરાજ અને ગુરુદત્ત જેવા દેશભક્ત અને ભવિષ્યના સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે થયો. લાહોર ખાતેના અભ્યાસ દરમિયાન જ દયાનંદ સરસ્વતી ના હિંદુ સુધારણા આંદોલન થી પ્રભાવિત થઈ આર્ય સમાજના સભ્ય બન્યા ઉપરાંત લાહોર સ્થિત આર્થ ગેજેટના સંસ્થાપક સંપાદક બન્યા. 1884 માં તેમના પિતાની બદલી રોહતક ખાતે થતાં અભ્યાસ પૂર્ણ કરી તેઓ પણ રોહતક આવી ગયા. 1886 માં હિસારમાં વકીલાત શરૂ કરી. અહીં તેમણે બાબુ ચૂડામણે સાથે મળીને હિસાર બાર કાઉન્સિલની સ્થાપના કરી. બાળપણથી જ દેશસેવા કરવાની ઇચ્છા હતી આથી દેશને વિદેશી શાસનથી મુક્તિ અપાવવાની પ્રતિજ્ઞા લઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આર્ય સમાજની હિસાર શાખાની સ્થાપના કરી 1888 અને 1889 માં કોંગ્રેસના અલ્હાબાદ અધિવેશનમાં હિસારના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. 1892 માં તેઓ લાહોર ઉચ્ચ ન્યાયાલય ખાતે વકીલાત માટે લાહોર ચાલ્યા ગયા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થવા બદલ તથા પંજાબના રાજનૈતિક આંદોલનમાં ભાગ લેવા બદલ લાલા લજપતરાયને 1907 માં કોઇ પણ પ્રકારનો અદાલતી ખટલો ચલાવ્યા વિના જ બર્મા (હાલ મ્યાનમાર) ખાતે દેશનિકાલ કરવામાં આવ્યા. પરંતુ તેમની વિરુદ્ધ પૂરતા પુરાવાઓના અભાવે નવેમ્બર, 1907 માં વાઇસરોય લોર્ડ મિન્ટોએ તેમને ભારત પાછા ફરવાની અનુમતિ આપી. તેઓ 1920 ના કલકત્તા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા. લાલા લજપતરાયે 'ધી પંજાબી અને 'ધી પ્યુપિલ' વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. 1928 માં અંગ્રેજ સરકારે ભારતની રાજનૈતિક પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે જહોન સાઇમન ના વડપણ હેઠળ એક તપાસ પંચની રચના કરી. પંચના સભ્યોમાં એક પણ ભારતીય ન હોવાના કારણે ભારતીય રાજનૈતિક દળોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. કમિશનના વિરોધમાં દેશવ્યાપી આંદોલનો થયા. લાહોરમાં શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન અંગ્રેજો દ્વારા લાઠીચાર્જ થતા ગંભીર રીતે ઘવાયેલા લાલા લજપતરાયનું 17 નવેમ્બર, 1928 ના રોજ અવસાન થયું.

28th January

Read more
લાલા લજપતરાય જયંતી
28th January

લાલા લજપતરાય ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ "પંજાબ કેસરી" તરીકે પણ ઓળખાતા હતા.

લાલા લજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા ધુડીકે ગામમાં 28 જાન્યુઆરી, 1865 ના રોજ થયો હતો. લાલા લજપતરાયના પિતાનું નામ મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ અને માતાનું નામ ગુલાબદેવી અગ્રવાલ હતું. તેમની પત્નીનું નામ રાધાદેવી અગ્રવાલ હતું. તેમના પિતા મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ સરકારી શાળામાં શિક્ષક હતા. 1870 માં તેમના પિતાની બદલી રેવારી ખાતે થતાં તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની સરકારી શાળામાં...

Read more
મહાત્મા ગાંધી નિર્વાણ દિન
મહાત્મા ગાંધી નિર્વાણ દિન

ગાંધીજી મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો. આખરે તેમણે તેમાં સફળતા મેળવીને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા. તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. અહિંસક સવિનય કાનૂનભંગ નો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઈ ઘણા પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઈ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન(અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઈ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં, પણ જેના રાજ્યનો સૂરજ કદી આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઈ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીજીના સત્યાગ્રહના આદર્શે માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે, “ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા." જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. 1948ની 30 જાન્યુઆરી એ નથુરામ ગોડસે એ ગાંધીજીની ગોળી મારી હત્યા કરી. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો. મહાત્મા ગાંધીના નિર્વાણના આ દિવસને 'શહીદ દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. શહીદ દિન પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણપ્રધાન, ભારતના રક્ષાપ્રમુખ અને ત્રણેય સેનાના વડાઓ રાજઘાટ સ્મારક પર એકઠા થાય છે અને બહુરંગી ફૂલોથી પુષ્પાંજલિ અર્પણ કરે છે. આંતર-સેવાદળની ટુકડી આદરના ચિહ્ન તરીકે શસ્ત્રોને ઉલટાવે છે. સવારે ૧૧ કલાકે સમગ્ર દેશમાં ભારતીય શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવે છે. સહભાગીઓ સર્વધર્મની પ્રાર્થના કરે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. રાષ્ટ્રીય સ્તરે તેને 'સર્વોદય દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. દિલ્લીમાં આવેલું રાજઘાટ મહાત્મા ગાંધીજીને સમર્પિત સ્મારક છે. ગાંધીજીની હત્યાના એક દિવસ પછી 31 જાન્યુઆરી, 1948 ના દિવસે જે સ્થળે મહાત્મા ગાંધીજીના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તે સ્થળ એટલે રાજઘાટ.

30th January

Read more
મહાત્મા ગાંધી નિર્વાણ દિન
30th January

ગાંધીજી મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો. આખરે તેમણે તેમાં સફળતા મેળવીને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા. તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે.

તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો...

Read more
ભારતીય તટરક્ષક દિન
ભારતીય તટરક્ષક દિન

આપણા દેશમાં દર વર્ષે 1 ફેબ્રુઆરી ના રોજ ભારતીય તટરક્ષક દિન ઉજવવામાં આવે છે. ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ કરવામાં આવી હતી. આ દિવસને ભારતીય તટરક્ષક દળની મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને રાષ્ટ્રની દરિયાઈ સુરક્ષા માટેના તેમના પ્રયાસોને યાદ કરી સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ રાષ્ટ્રીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે દેશના રક્ષણમાં આ દળના અદ્દભુત યોગદાન વિશે લોકોને જાગૃત કરવાનો પણ છે. ભારતીય તટરક્ષક દળ વિશ્વનું ચોથું સૌથી મોટું દળ છે. તે સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરી સુધીની જવાબદારી આ દળ સંભાળે છે. વચગાળાના ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ કરવામાં આવી હતી અને 18 ઑગસ્ટ, 1978 ના રોજ કોસ્ટગાર્ડ એક્ટ, 1978 દ્વારા સંસદમાં સ્વતંત્ર સશસ્ત્ર દળ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી. 19 ઑગસ્ટ, 1978 ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ ભારતીય તટરક્ષક દળનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય તટરક્ષક દળનું મુખ્ય મથક નવી દિલ્હી માં આવેલું છે. તેની એક પ્રાદેશિક કચેરી ગુજરાતમાં ગાંધીનગર ખાતે પણ આવેલી છે. ભારતીય તટરક્ષક દળનું સૂત્ર “वयम्र रक्षामः” છે. તેનો અર્થ થાય છે 'અમે રક્ષા કરીએ છીએ'. ભારતીય તટરક્ષક દળના મુખ્ય કાર્યોમાં દ્વીપો અને તટીય સ્ટેશનોનું રક્ષણ, ઑફશોર સ્ટેશનોનું રક્ષણ, માછીમારોનું રક્ષણ, દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ, દાણચોરી વિરોધી કામગીરીમાં કસ્ટમ્સ વિભાગ અને અન્ય સત્તાવાળાઓને સહાય દરિયાઈ કાયદાનો અમલ, વૈજ્ઞાનિક ડેટાનો સંગ્રહ, યુદ્ધ દરમિયાન નૌકાદળની મદદ કરવી વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય તટરક્ષક દળ ભારતના દરિયાકાંઠાની રક્ષા માટે સદાય જાગૃત રહે છે. ભારતીય તટરક્ષક દળ દરિયાઈ સરહદોની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ, મત્સ્યોદ્યોગ વિભાગ, મહેસૂલ વિભાગ, કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળો સાથે મળીને કામ કરે છે. તેની સ્થાપના બિન-લશ્કરી દરિયાઈ સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવી છે તેથી તેને કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી સ્વતંત્ર રીતે કરવાની થતી નથી. આ દળનાં જહાજો ભારતીય નૌકાદળના જહાજોથી અલગ જોવા મળે છે. આમ, આ દળ ઘણાં મહત્વનાં કાર્યો કરે છે.

01st February

Read more
ભારતીય તટરક્ષક દિન
01st February
આપણા દેશમાં દર વર્ષે 1 ફેબ્રુઆરી ના રોજ ભારતીય તટરક્ષક દિન ઉજવવામાં આવે છે. ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ કરવામાં આવી હતી. આ દિવસને ભારતીય તટરક્ષક દળની મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને રાષ્ટ્રની દરિયાઈ સુરક્ષા માટેના તેમના પ્રયાસોને યાદ કરી સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ રાષ્ટ્રીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે દેશના રક્ષણમાં આ દળના અદ્દભુત યોગદાન વિશે લોકોને જાગૃત કરવાનો પણ છે.
ભારતીય તટરક્ષક દળ વિશ્વનું ચોથું સૌથી મોટું દળ છે. તે સંરક્ષણ મંત્રાલય હેઠળ...
Read more
મહાશિવરાત્રિ
મહાશિવરાત્રિ

     ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ.     પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા એવું નક્કી થયું. ભગવાન શિવ નિર્ણાયક હતા. શિવલિંગ તેનું સ્વરૂપ હતું. ઘણી મહેનત પછી શિવલિંગનું માપ આદિ-અંત નક્કી કરી શકાયું નહીં. છેવટે બ્રહ્મા-વિષ્ણુએ સ્વીકાર્યું કે ભગવાન શિવ જ મોટા છે. બધા દેવોમાં પણ શિવ ‘મહાદેવ’ કહેવાયા.     મહાશિવરાત્રિ માં શિવલિંગની પૂજા શ્રેષ્ઠ મનાય છે, કારણકે શિવલિંગની પૂજા કરવાથી શિવ અને શક્તિ બંનેની પૂજા એક સાથે થઈ જાય છે. શિવરાત્રિ ના વ્રતની કથા શિવપુરાણમાં રુદ્રસંહિતા અંતર્ગત અધ્યાય 37માં વર્ણવેલી છે. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર મહાશિવરાત્રિ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. એક સમયની વાત છે: એક શિકારી શિકાર માટે જંગલમાં ગયો. જંગલની મધ્યમાં એક બિલીનું વૃક્ષ હતું તેની નીચે શિવલિંગ સ્થાપિત હતું. શિકારી શિકારની વાટ જોતાં જોતાં અજાણતા બીલીનાં પાન તોડી તોડીને નીચે સ્થાપિત શિવલિંગ પર નાખી રહ્યો હતો અને આ ક્રિયા સતત ચાર પ્રહર સુધી ચાલુ રહી. આમ, અજાણતાં જ શિકારીથી રાત્રિના ચાર પ્રહર સુધી શિવલિંગની પૂજા થઈ તેથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા. આ રીતે શિવરાત્રિ ની પૂજા ચાર પ્રહરની પૂજા ગણવામાં આવે છે.     બીજી માન્યતા અનુસાર દરેક મનુષ્યના જીવનમાં ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મહાશિવરાત્રિની રાત્રે ચાર પ્રહર શિવપૂજન કરવાથી મનુષ્યના આ ચાર પુરુષાર્થ સિદ્ધ થાય છે.     મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવના મંદિર પાસે ગિરનારની તળેટીમાં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં દેશના વિવિધ સંપ્રદાયના સાધુઓ અને દિગંબર સાધુઓ આવે છે. આ દિવસે નીકળતા નાગાબાવાઓનુ સરઘસ કે રવાડીમાં હથિયારોના વિવિધ દાવ અને કરતબ પણ દેખાડવામાં આવે છે. આ મેળાનું સમાપન નાગાબાવાઓ સહિત સાધુ સંતોના મૃગીકુંડમાં સ્નાનથી થાય છે. આ સિવાય પણ ગુજરાતમાં ઘણાં શિવાલયોની આસપાસ મેળાનું આયોજન થતું હોય છે.

15th February

Read more
મહાશિવરાત્રિ
15th February

     ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ.
     પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા એવું નક્કી થયું. ભગવાન શિવ નિર્ણાયક હતા. શિવલિંગ તેનું...

Read more
મિરઝા ગાલીબ પુણ્યતિથિ
મિરઝા ગાલીબ પુણ્યતિથિ

મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ - ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદ-ઉલ્લાહ બેગ ખાન 'ગાલીબ' હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર, ૧૭૯૭ ના રોજ આગ્રામાં થયો હતો. બાળપણથી જ શાયરીનો શોખ હતો. ગાલીબ ૧૨ કે ૧૩ વર્ષની ઉમરથી જ ગઝલો લખતા થઇ ગયા હતાં. શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતાં. તેમણે એવા અનેક એકથી એક ચઢિયાતા શેર આપ્યા કે તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન રહી જાય. ગાલીબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. ગાલીબ બિનસાંપ્રદાયિક હતા. પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ન હતા. કોઇ કવિતા કે ગઝલને સમજવી હોય તો સર્વ પ્રથમ તેના રચનાકારને સમજવો પડે. 'મિરઝા ગાલીબ' ની ગઝલોને સમજવાની લોકો એટલા માટે જ ભૂલ કરે છે કે તેઓ 'ગાલીબ' ના જીવનથી બહુ પરિચિત નથી હોતા. ગાલીબ જે રીતે તેમના સમયના તમામ ગઝલકારોથી નોખા તરી આવતા હતા તે રીતે તેમનું જીવન પણ સામાન્ય માણસ કરતા તદ્દન નોખું હતું. એટલે જ 'ગાલીબ'ની ગઝલોનો અંદાજ પણ અલગ હતો. ગાલીબના જીવને દરેક તબક્કે અલગ વળાંક લીધો હતો અને તેની સમગ્ર અસર તેમની રચનાઓ પર જોવા મળી છે . તેઓ પરંપરામાથી મુક્ત થઇને આધુનિક જીવન શૈલી તરફ જવા માંગતા હતા અને તેનો સંઘર્ષ પણ તેમની રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓમાં મુખ્ય વિષયો પ્રેમ અને આધ્યાત્મ રહ્યા હતા. ઉર્દૂમાં તેઓએ આશરે ૨૩૫ જેટલી ગઝલો લખી છે. તેમને દબીર-ઉલ-મુલ્ક અને નઝમ-ઉદ-દૌલાનું બિરુદ મળ્યું હતું. ૧૫ ફેબ્રુઆરી,૧૮૬૯ ના રોજ તેમનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. ૧૯૬૯માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની મૃત્યુ શતાબ્દીના અવસર પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ૨૭ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે તેમની ૨૨૦મી જન્મ તિથી નિમિત્તે ગુગલે તેમને ગુગલ ડુડલ સ્વરૂપે યાદ કર્યા હતા.

15th February

Read more
મિરઝા ગાલીબ પુણ્યતિથિ
15th February

મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ - ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદ-ઉલ્લાહ બેગ ખાન 'ગાલીબ' હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર, ૧૭૯૭ ના રોજ આગ્રામાં થયો હતો. બાળપણથી જ શાયરીનો શોખ હતો. ગાલીબ ૧૨ કે ૧૩ વર્ષની ઉમરથી જ ગઝલો લખતા થઇ ગયા હતાં. શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતાં. તેમણે એવા અનેક એકથી એક ચઢિયાતા શેર આપ્યા કે તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન રહી જાય. ગાલીબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. ગાલીબ બિનસાંપ્રદાયિક હતા. પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ન હતા.

કોઇ કવિતા કે ગઝલને સમજવી...

Read more
રામકૃષ્ણ પરમહંસ જયંતી
રામકૃષ્ણ પરમહંસ જયંતી

અંગ્રેજોના શાસનની સાથે ભારતમાં પાશ્ચાત્ય સભ્યતા અને વિદેશી ધર્મનું આક્રમણ શરૂ થયું હતું. આવી કટોકટીના સમય દરમિયાન 18 ફેબ્રુઆરી, 1836 ના રોજ બંગાળ પ્રાંતમાં આવેલા કામારપુકુર ગામમાં રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. રામકૃષ્ણ પરમહંસ ભારતના પ્રખ્યાત સંતોમાંના એક છે. તેમના પિતાનું નામ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચંદ્રમણી હતું. તેમનું બાળપણનું નામ ગદાધર હતું. રામકૃષ્ણ પરમહંસના વિચારો પર તેમના માતાપિતાના વિચારોની ઊંડી અસર જોવા મળતી હતી.. તેમનાં માતા પિતા અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ અને ખૂબ જ સરળ સ્વભાવનાં હતાં. માતાપિતાની જેમ બાળક ગદાધર પણ ખૂબ જ ગુણવાન હતા. સાત વર્ષની નાની વયમાં જ તેમના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. એ પછી તેમનું મન અભ્યાસમાં લાગ્યું નહીં તેથી કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના પુરોહિત તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી. તેમનાં લગ્ન શારદામણી સાથે કરવામાં આવ્યાં હતાં. થોડા સમય બાદ એમના મોટાભાઈનું અકાળે અવસાન થયું. આથી અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી કાલીમાતાના મંદિરની પૂજા તેમજ અર્ચના કરવા લાગ્યા હતા અને આમ તેઓ કાલીમાતાના આરાધક બની ગયા. વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં કાલીમાતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. આધ્યાત્મિક સત્ય અને જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથપ્રદર્શક બન્યા હતા. કાલીમાતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા. તેમણે તમામ ધર્મોને એકસમાન કહ્યા છે. તેમણે ફક્ત પોતાના ધર્મનો જ નહીં પણ અન્ય ધર્મોનો પણ અભ્યાસ કર્યો હતો. તેના ફળસ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મોના પાયાના સિદ્ધાંતો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી. ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે. સ્વામી વિવેકાનંદ તેમના વિચારોથી પ્રેરિત હતા, તેથી જ વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા અને તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માટે બેલુર મઠ દ્વારા સંચાલિત રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થા સમગ્ર વિશ્વમાં લોકોના કલ્યાણ અને તેમના આધ્યાત્મિક વિકાસ માટે કામ કરે છે. સ્વામી વિવેકાનંદ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસની પ્રેરણાથી દરિદ્ર નારાયણની સેવામાં લાગી ગયા હતા. રામકૃષ્ણ પરમહંસ તેમના જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા. તેને કારણે તેમનું શરીર દુર્બળ થતું ચાલ્યું. પછીથી તેમને કૅન્સર થતાં 1886માં 50 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. રામકૃષ્ણ પરમહંસ મહાન યોગી, ઉચ્ચકોટિના સાધક અને વિચારક હતા. સેવા માર્ગને જ ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો માનતા હતા. તેમના મનમાં હમેંશાં માનવજાતના કલ્યાણની જ ભાવના રહેલી હતી. એમના અવસાનના વર્ષો પછી પણ તેમણે જગાડેલી માનવતાની મશાલ આજે પણ તેમના અનુનાયીઓ દ્વારા વિશ્વમાં પ્રકાશ આપે છે.

18th February

Read more
રામકૃષ્ણ પરમહંસ જયંતી
18th February
અંગ્રેજોના શાસનની સાથે ભારતમાં પાશ્ચાત્ય સભ્યતા અને વિદેશી ધર્મનું આક્રમણ શરૂ થયું હતું. આવી કટોકટીના સમય દરમિયાન 18 ફેબ્રુઆરી, 1836 ના રોજ બંગાળ પ્રાંતમાં આવેલા કામારપુકુર ગામમાં રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. રામકૃષ્ણ પરમહંસ ભારતના પ્રખ્યાત સંતોમાંના એક છે. તેમના પિતાનું નામ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચંદ્રમણી હતું. તેમનું બાળપણનું નામ ગદાધર હતું.
રામકૃષ્ણ પરમહંસના વિચારો પર તેમના માતાપિતાના વિચારોની ઊંડી અસર જોવા મળતી હતી.. તેમનાં માતા પિતા અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ અને ખૂબ જ સરળ સ્વભાવનાં હતાં. માતાપિતાની જેમ બાળક ગદાધર પણ ખૂબ જ ગુણવાન હતા. સાત...
Read more
છત્રપતિ શિવાજી મહારાજ જયંતી
છત્રપતિ શિવાજી મહારાજ જયંતી

છત્રપતિ શિવાજી મહારાજ એક ભારતીય યોદ્ધા, રાજા અને દેશના શૌર્યપુત્રોમાંના એક હતા જેમને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક પણ હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630 ના રોજ હાલના મહારાષ્ટ્રના મરાઠા પરિવારમાં શિવનેરીના પહાડી કિલ્લામાં થયો હતો. તેમનાં માતાનું નામ જીજાબાઇ તથા પિતાનું નામ શાહજી ભોંસલે હતું. છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ઉજવણી 1870 માં પૂણેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે પૂણેથી લગભગ 100 કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી. પાછળથી સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર તિલકે જયંતીની ઉજવણીની પરંપરા આગળ ધપાવી તેમણે બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા રહીને શિવાજી મહારાજ જયંતીના માધ્યમથી સ્વતંત્રતા આંદોલન દરમિયાન લોકોને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારથી દર વર્ષે તેમની જયંતી ઉજવવામાં આવે છે. શિવાજી તેમના લશ્કરી પરાક્રમ, રાજકીય કુનેહ અને તેમની લોકકલ્યાણ માટેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. તેઓ એવા ભારતીય શાસકોમાંના એક હતા, જેમણે મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રની રક્ષા માટે નૌકાદળની કલ્પના રજૂ કરી હોવાનું કહેવાય છે. તેઓ પશ્ચિમ ભારતમાં સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપવા માટે મુઘલ સામ્રાજ્ય અને બીજાપુરના આદિલ શાહી વંશ સામે લડ્યા. શિવાજીની લશ્કરી ઝુંબેશ, ગેરિલા યુદ્ધની રણનીતિ અને વ્યૂહાત્મક આયોજન થકી તેઓએ મોટી સેનાઓ સામે પણ લડાઈમાં જીત મેળવી હતી. તેમણે પોતાની સેનાને સારી રીતે પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ દળમાં પુનઃસંગઠિત કરી, જેને મરાઠા સેના તરીકે ઓળખવામાં આવે છે. શિવાજી તેમના લોકોના કલ્યાણ માટે ખૂબજ પ્રતિબદ્ધ હતા તેથી તેમણે લોકોના જીવનને સુધારવા માટે ઘણાં પગલાં ભર્યા હતાં. તેમણે અન્યાયી કર નાબૂદ કર્યા અને ન્યાયિક વ્યવસ્થા યોગ્ય હોવાની ખાતરી કરી. તેમણે મરાઠી ભાષાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપ્યું. તેમજ મહારાષ્ટ્રની કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું. શિવાજી ધર્મનિષ્ઠ હિંદુ હતા. તેઓ મૂલ્યોના રક્ષણમાં માનતા હતા. તેઓ અન્ય ધર્મો માટે આદર ધરાવતા હતા. તેમના રાજ્યમાં તમામ સમાજના લોકો વચ્ચે સહિષ્ણુતા હતી, તેમજ તમામ ધર્મોને આદર આપવામાં આવતો હતો. તેમની સેનામાં પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના લોકો સામેલ હતા. શિવાજીનો વારસો ભારતીય રાષ્ટ્રીય ચેતનામાં ઊંડે સુધી વિસ્તરેલો હોવાથી તેમને રાષ્ટ્રીય નાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રવાદના હેતુ માટે તેમની હિંમત, નિશ્ચય અને પ્રતિબદ્ધતા માટે તેમને યાદ કરવામાં આવે છે. તેમનું જીવન અને કાર્ય અસંખ્ય ભારતીયોને સામાજિક ન્યાય, માનવ અધિકારો અને લોકતાંત્રિક મૂલ્યો માટે લડવાની પ્રેરણા આપતા રહે છે.

19th February

Read more
છત્રપતિ શિવાજી મહારાજ જયંતી
19th February
છત્રપતિ શિવાજી મહારાજ એક ભારતીય યોદ્ધા, રાજા અને દેશના શૌર્યપુત્રોમાંના એક હતા જેમને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક પણ હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630 ના રોજ હાલના મહારાષ્ટ્રના મરાઠા પરિવારમાં શિવનેરીના પહાડી કિલ્લામાં થયો હતો. તેમનાં માતાનું નામ જીજાબાઇ તથા પિતાનું નામ શાહજી ભોંસલે હતું.
છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ઉજવણી 1870 માં પૂણેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે પૂણેથી લગભગ 100 કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની સમાધિ...
Read more
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન

દર વર્ષે 21મી ફેબ્રુઆરી નો દિવસ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન' તરીકે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ 17 નવેમ્બર, 1999 ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી 2000 થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવાનો અને માતૃભાષાને જાળવી રાખવાનો છે. માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત વગેરે માતૃભાષા દ્વારા વિકાસ પામે છે. બાળક જે કાંઈ સર્જન કરે છે, સમસ્યાનો ઉકેલ મેળવે છે, પોતાનાં કૌશલ્યો વિકસાવે છે તે બધું માતૃભાષા દ્વારા સહજ રીતે શક્ય બને છે. દરેક વ્યક્તિના જીવનમાં જ્ઞાનનો આરંભ માતૃભાષાથી થાય છે. વ્યવહારનું જ્ઞાન પણ દરેક વ્યક્તિ માતૃભાષામાં સહજતાથી મેળવે છે. મનના ભાવોને માતૃભાષામાં યોગ્ય રીતે વ્યક્ત કરી શકાય છે. વળી, સંકટના સમયે અથવા દુ:ખના સમયે મુખમાંથી માતૃભાષામાં જ સહજ ઉદગારો સરી પડે છે. વિચારોની મૌલિકતા અને સ્પષ્ટતા માતૃભાષામાં સરળતાથી મેળવી શકાય છે. સંશોધન દ્વારા એવું સિદ્ધ કરવામાં આવ્યું છે કે જો બાળકને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળે તો તેનો સર્વાંગી વિકાસ થઈ શકે છે, કારણકે માતૃભાષા એક શક્તિશાળી સાધન છે, જે બાળકની શીખવાની કુશળતાને આગળ વધારવામાં મદદ કરે છે. માતૃભાષામાં વાત કરવાથી બાળકોમાં પ્રત્યાયન કૌશલ્યનો વિકાસ પણ સરળતાથી થાય છે, જે તેમને વર્ગખંડમાં અન્ય બાળકો સાથેની સહભાગિતા વધારવામાં મદદ કરે છે. રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું કે, "માતૃભાષા તો માતાનું ધાવણ છે, જે રીતે બાળકને માતાનું દૂધ વધારે વિકસાવે છે. મજબૂત બનાવે છે તે જ રીતે માતૃભાષા સુપોષિત કરે છે. માતૃભાષા તો સંસ્કૃતિ, વ્યવહાર, ધર્મ, પ્રેમ, સંસ્કાર અને સ્નેહને સાંકળતી એક કડી છે." સંસ્કૃતિ અને ધર્મને ટકાવી રાખવા, સમજવા માતૃભાષા જરૂરી છે. માતૃભાષા ન આવડે તો વ્યક્તિ પોતાના સમાજ, ધર્મ, સંબંધો, સંસ્કૃતિ અને પરંપરાઓથી વિમુખ થતો જાય છે. તેથી માતૃભાષા દિવસની ઉજવણી દ્વારા લોકોને માતૃભાષાની અગત્ય સમજાવવામાં આવે છે. આજે કેટલીક ભાષાઓ લુપ્ત થઈ જતાં ભાષાકીય વિવિધતા વધુ જોખમમાં આવી ગઈ છે. યુએનના અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે 40% વસ્તી તેઓ બોલે છે અથવા સમજે છે એ ભાષામાં શિક્ષણ મેળવતી નથી. તેથી જ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી દ્વારા લુપ્ત થતી માતૃભાષાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી માટે એક થીમ (વિષય) નક્કી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. વિશ્વના બધા દેશો આ દિવસે પોતાની માતૃભાષાનું ગૌરવગાન કરે છે અને તેના વિકાસ તેમજ સંવર્ધન માટેની વિવિધ પ્રવૃત્તિઓ યોજે છે અને તે દ્વારા માતૃભાષાનું મહત્વ જન-જન સુધી પહોંચે તેવા પ્રયત્નો કરે છે. ગુજરાત રાજ્યમાં પણ દર વર્ષે અલગ અલગ શહેરોમાં ગુજરાતી લેખકો, કવિઓ અને માતૃભાષાના સંવર્ધન માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો યોજી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

21st February

Read more
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન
21st February
દર વર્ષે 21મી ફેબ્રુઆરી નો દિવસ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન' તરીકે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ 17 નવેમ્બર, 1999 ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી 2000 થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવાનો અને માતૃભાષાને જાળવી રાખવાનો છે.
માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત વગેરે માતૃભાષા દ્વારા વિકાસ પામે છે. બાળક જે કાંઈ સર્જન કરે છે, સમસ્યાનો ઉકેલ મેળવે છે,...
Read more
વિશ્વ સ્કાઉટ દિન
વિશ્વ સ્કાઉટ દિન

વિશ્વભરમાં દર વર્ષે લાખો સ્કાઉટ્સ અને ગાઈડ્ઝ દ્વારા રોબર્ટ બેડન-પોવેલના જન્મદિવસ 22 ફેબ્રુઆરીને 'વિશ્વ સ્કાઉટ દિન' ઉજવવામાં આવે છે. સ્કાઉટિંગની શરૂઆત 11 થી 18 વર્ષની વયના છોકરાઓ માટે એક કાર્યક્રમ તરીકે થઈ હતી. સૌ પ્રથમ 1907 માં રોબર્ટ બેડન-પોવેલ દ્વારા યુનાઈટેડ કિંગડમ ખાતે 20 છોકરાઓ સાથે આયોજિત પ્રથમ પ્રાયોગિક શિબિર ખૂબ જ સફળ રહી હતી. ત્યારબાદ 1908 માં બેડન પોવેલે "સ્કાઉટિંગ ફોર બોયઝ" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે ખૂબ પ્રચલિત થયું. અમેરિકાના બોય સ્કાઉટ્સનો ફ્લેગશિપ પ્રોગ્રામ, જે અગાઉ "બોય સ્કાઉટિંગ" તરીકે ઓળખાતો હતો, તે 1 ફેબ્રુઆરી, 2019 ના રોજ સ્કાઉટ્સ BSA (Boy Scouts Of America) તરીકે જાણીતો બન્યો.   ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ (BSG) વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ સ્કાઉટ મૂવમેન્ટ (WOSM) નામની વિશ્વ સ્કાઉટીંગ સંસ્થા સાથે જોડાયેલ છે. તેની સ્થાપના 4 સપ્ટેમ્બર, 1909 ના રોજ રોબર્ટ બ્રેડન-પોવેલ દ્વારા ભારતમાં લેક મસૂરી ખાતે કરવામાં આવી હતી . તે વિશ્વભરના વિવિધ દેશોમાં ફેલાયેલા કરોડો સભ્યો વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. તેઓનો ઉદ્દેશ્ય વ્યક્તિઓને મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો જેવાં કે દેશભક્તિ, પ્રામાણિકતા, હિંમત, દયા વગેરેથી ભરપૂર જીવન જીવવામાં મદદ કરવાનો છે. તેઓ વિવિધ દેશોના સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ વચ્ચે આંતરરાષ્ટ્રીય વિનિમય કાર્યક્રમો માટે પણ પૂરતી તકો પૂરી પાડે છે.   સ્કાઉટિંગ એ વિશ્વવ્યાપી, સ્વૈચ્છિક અને બિનરાજકીય ચળવળ છે અને તેનું સૂત્ર માનવજાતની સેવા અને પ્રકૃતિના રક્ષણ માટે 'તૈયાર રહો' છે. સ્કાઉટિંગ વ્યક્તિઓના સર્વાંગી વિકાસને સક્ષમ કરે છે અને તેમને તમામ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાની તાલીમ આપે છે. આત્મવિશ્વાસ, આત્મસન્માન, મહત્વપૂર્ણ જીવનકૌશલ્યો, નેતૃત્વ કૌશલ્યો, ટીમનિર્માણ, આઉટડોર સાહસ, શિક્ષણ અને આનંદ વગેરે માટે સ્કાઉટિંગ ઉપયોગી છે. સ્કાઉટિંગ પ્રોગ્રામના મુખ્ય ઉદ્દેશ્યો ચારિત્ર્ય વિકાસ, નેતૃત્વ વિકાસ, નાગરિકતા તાલીમ અને સ્વસ્થતા છે.   સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ એ દરેક યુવાનને રંગ, મૂળ કે જાતિને ધ્યાનમાં લીધા વિના માનવતાની સેવા કરવાની તક પૂરી પાડે છે. આ દિવસે સ્કાઉટ સભ્યો સંસ્થાના આદર્શો જાળવવા માટે સંકલ્પ કરે છે તેમજ જનકલ્યાણ અર્થે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.   આમ સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્ઝ એસોસિએશનના સભ્યો આ દિવસને ઉત્સાહ સાથે ઉજવે છે. વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમની ભાગીદારીનો આનંદ માણે છે.

22nd February

Read more
વિશ્વ સ્કાઉટ દિન
22nd February
વિશ્વભરમાં દર વર્ષે લાખો સ્કાઉટ્સ અને ગાઈડ્ઝ દ્વારા રોબર્ટ બેડન-પોવેલના જન્મદિવસ 22 ફેબ્રુઆરીને 'વિશ્વ સ્કાઉટ દિન' ઉજવવામાં આવે છે. સ્કાઉટિંગની શરૂઆત 11 થી 18 વર્ષની વયના છોકરાઓ માટે એક કાર્યક્રમ તરીકે થઈ હતી. સૌ પ્રથમ 1907 માં રોબર્ટ બેડન-પોવેલ દ્વારા યુનાઈટેડ કિંગડમ ખાતે 20 છોકરાઓ સાથે આયોજિત પ્રથમ પ્રાયોગિક શિબિર ખૂબ જ સફળ રહી હતી. ત્યારબાદ 1908 માં બેડન પોવેલે "સ્કાઉટિંગ ફોર બોયઝ" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે ખૂબ પ્રચલિત થયું. અમેરિકાના બોય સ્કાઉટ્સનો ફ્લેગશિપ પ્રોગ્રામ, જે અગાઉ "બોય સ્કાઉટિંગ" તરીકે ઓળખાતો...
Read more
રવિશંકર મહારાજ જયંતી
રવિશંકર મહારાજ જયંતી

આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર, સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરા માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂકસેવક વગેરે ઉપનામોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કરનાર રવિશંકર મહારાજ એક અનોખા વ્યક્તિ હતા. રવિશંકર વ્યાસ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસુધારક હતા. તેમના સામાજિક કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. રવિશંકર મહારાજનો જન્મ 25 ફેબ્રુઆરી, 1884 (વિક્રમ સંવત 1940ની મહાશિવરાત્રી) ના રોજ ખેડા જિલ્લાના રહુ ગામમાં થયો હતો. તેમનું વતન મહેમદાવાદ નજીકનું સરસવણી ગામ હતું. પિતાને ખેતીમાં મદદ કરવા માટે તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો. તેમનાં લગ્ન સૂરજબા સાથે થયાં હતાં. યુવાન વયે જ તેમણે તેમનાં માતાપિતાને ગુમાવ્યાં હતાં. નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભૂદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું, બહારવટિયા, ખૂની, ચોર-ડાકુ અને દારૂડિયાઓને સુધારવાનું કામ કર્યું. સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી અને પટ્ટાવાળાથી માંડી આચાર્ય સુધીની જવાબદારી નિભાવી હતી. મકાન અને જમીન વેચીને તમામ સંપત્તિ રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું. પચ્ચીસ વર્ષ માત્ર એક ટંક ખાઈને એમણે લોકોની સેવા કરી. ચાલીસ વર્ષ પગમાં જોડા ન પહેર્યા અને માઈલોના માઇલ ચાલીને લોકોનાં કાર્યો કર્યા. મહારાજ એક સારા તરવૈયા હતા. તેમણે ધસમસતા ઘોડાપૂરમાં ઝંપલાવી લોકોને બચાવ્યા હતા. 1923 માં બોરસદ સત્યાગ્રહ હૈડિયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં અને અમદાવાદમાં કોમી હુલ્લડો સમયે તેમનું રચનાત્મકનું યોગદાન આપ્યું હતું. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા, આઝાદી મળ્યા બાદ સમાજસુધારણાના કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા. 1955થી 1958 ના ત્રણ વર્ષ દરમ્યાન 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6,000 કિલોમીટર ચાલ્યા હતા. પોતાને માટે રૂપિયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપિયા અને કિંમતી જમીનોનાં દાન મેળવ્યાં હતાં અને તે કારણે જ ‘કરોડપતિ ભિખારી” જેવું ઉપનામ પણ તેમને મળ્યું. ત્યાગ, તપસ્યા અને દીનદુખિયાની સેવા દ્વારા ‘મહારાજ અને ‘દાદા’ના વહાલસોયા બિરુદી તેઓ ઓળખાયા. 90 વર્ષ સુધી તે ઋષિપુરુષ સેવારત રહ્યા. પગે ફેકચર થવાથી અને આંખોનું તેજ જવાથી શરશય્યા પર સૂઈ રહેવું પડ્યું. પરંતુ તેમણે પ્રસન્નતા ખોઈ નહીં. 1 જુલાઇ, 1984 ના દિવસે 100 વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું. ભારત સરકારે તેમના સન્માનમાં 1984 માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન કરનાર વ્યક્તિને સામાજિક કાર્ય માટે રૂપિયા 1 લાખનો ‘રવિશંકર મહારાજ પુરસ્કાર" ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અપાય છે. રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ “માણસાઈના દીવા' નામનું પુસ્તક લખ્યું છે. જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કર્યું છે. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેણે જીવી જાણું' (1984) નામની નવલકથા લખી છે.

25th February

Read more
રવિશંકર મહારાજ જયંતી
25th February
આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર, સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરા માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂકસેવક વગેરે ઉપનામોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કરનાર રવિશંકર મહારાજ એક અનોખા વ્યક્તિ હતા. રવિશંકર વ્યાસ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસુધારક હતા. તેમના સામાજિક કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા.
રવિશંકર મહારાજનો જન્મ 25 ફેબ્રુઆરી, 1884 (વિક્રમ સંવત 1940ની મહાશિવરાત્રી) ના રોજ ખેડા જિલ્લાના રહુ ગામમાં થયો હતો. તેમનું વતન મહેમદાવાદ નજીકનું સરસવણી ગામ હતું. પિતાને ખેતીમાં...
Read more
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન

દેશમાં વિજ્ઞાનની ઉપયોગિતા તથા તેના દ્વારા થતા ફાયદાઓ પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તરફ પ્રેરિત કરવા માટે 28 ફેબ્રુઆરી ને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામન દ્વારા 28 ફેબ્રુઆરી, 1928 ના રોજ પોતાની શોધ "રામન પ્રભાવ” (Raman Effect) ની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1930 માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં આ દિવસ વિજ્ઞાન દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આપણા દેશના વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રામન ભારતમાં પ્રકાશના પરાવર્તન વિષય પર સંશોધન કાર્ય કરનાર વ્યક્તિઓમાંના એક હતા. તેમણે 1907 થી 1933 દરમિયાન ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ, કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કામ કર્યું. આ સમય દરમિયાન, તેમણે ઘણા વિષયો પર સંશોધન કાર્ય કર્યું. જેમાં 'રામન પ્રભાવ (Raman effect)' તેમની વિશેષ શોધ બની હતી. તેમના વિશેષ પ્રયાસને હંમેશાં માટે ભારતીય લોકોના હ્રદયમાં કાયમી સ્થાન આપવા 1986 માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટૅક્નોલોજી કમ્યૂનિકેશન દ્વારા 28 ફેબ્રુઆરી ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવણી કરવાની ભલામણ કરવામાં આવી. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી, 1987 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું છે. ભારતની ધરતી પર અનેક મહાન વૈજ્ઞાનિકોએ જન્મ લીધો છે અને આ મહાન વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્ન અને શોધોના કારણે જ ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણા રોજબરોજના ઉપયોગમાં લેવાતી કેટલીય ટૅક્નોલોજી કે વસ્તુઓ વિજ્ઞાનને જ આભારી છે. વિજ્ઞાનની મદદથી આપણે રોબોટ, કમ્પ્યૂટર જેવી વસ્તુઓને વિકસાવી છે. તેમજ ટૅક્નોલોજીની મદદથી આપણે અવકાશમાં ચંદ્ર તથા મંગળ સુધી પહોંચવામાં સફળ થયા છીએ. આજે આપણી શાળામાં કાળા પાટિયાના બદલે ડિજિટલ બોર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે જે વિજ્ઞાનને લીધે જ શક્ય બન્યું છે. વિજ્ઞાનની મદદથી કેટલીય જીવનરક્ષક ઔષધોની શોધ થઈ રહી છે જેને લીધે માનવજીવનમાં ઘણાં પરિવર્તન આવી રહ્યાં છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ, વૈજ્ઞાનિક વલણની કેળવણી અને દેશમાં નવી શોધો માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાનો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ વિજ્ઞાન દિન ની ઉજવણી પ્રતિ વર્ષ 10 નવેમ્બરે કરવામાં આવે છે. આ ઉજવણીમાં ‘શાંતિ અને વિકાસ માટે વિજ્ઞાન' ની વાત કેન્દ્રમાં છે. વિજ્ઞાનના માધ્યમથી માનવ જીવનને ઉન્ન્ત બનાવવાની દિશામાં આ દિને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ દિનની ઉજવણી વર્ષ 2002 થી શરૂ કરવામાં આવી છે.

28th February

Read more
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
28th February
દેશમાં વિજ્ઞાનની ઉપયોગિતા તથા તેના દ્વારા થતા ફાયદાઓ પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તરફ પ્રેરિત કરવા માટે 28 ફેબ્રુઆરી ને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામન દ્વારા 28 ફેબ્રુઆરી, 1928 ના રોજ પોતાની શોધ "રામન પ્રભાવ” (Raman Effect) ની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1930 માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં આ દિવસ વિજ્ઞાન દિવસ જાહેર કરવામાં આવ્યો છે.
આપણા દેશના વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રામન...
Read more
વિશ્વ વન્યજીવ દિન
વિશ્વ વન્યજીવ દિન

ત્રીજી માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિન.        2013ના 20 ડિસેમ્બર ના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા યોજાઈ હતી. આ સભામાં વિશ્વમાં લુપ્ત થતા વન્યજીવો તેમજ વિવિધ વનસ્પતિ વિશે ઊંડી ચિંતા વ્યક્ત થઈ. અહીં લેવાયેલ નિર્ણય મુજબ વિશ્વમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી કરવી જરૂરી હતી, જે લોકજાગૃતિ વિના સંભવ નહોતી. આ સભાનતા કેળવવા પ્રતિ વર્ષ 3જી માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની સૌપ્રથમ ઉજવણી 2014 માં થઈ હતી.       ઈશ્વરે સૃષ્ટિમાં નિર્માણ કરેલા દરેક જીવનું મહત્વ છે. પર્યાવરણનું ચક્ર કોઈને કોઈ રીતે દરેક સજીવ ઉપર નિર્ભર છે, પરંતુ માનવની આધુનિકતાની આંધળી દોટને લીધે કેટલાક સજીવોનું નિકંદન નીકળવા લાગ્યું. પ્રકૃતિને નુકસાન થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓથી તેમજ વધતા પ્રદૂષણની વિપરીત અસરથી પણ કેટલાક જીવો અને વનસ્પતિનો વિનાશ થવા લાગ્યો. કેટલાંક દુર્લભ વૃક્ષો કે પ્રાણીઓની પ્રજાતિઓની તસ્કરી પણ થવા લાગી આ પ્રકારની અનેક બાબતો વન્યજીવોના વિનાશની સાથે સૃષ્ટિનું સંતુલન પણ ખોરવે છે.       ભારતના સંદર્ભમાં જોઈએ તો આપણો દેશ ભૂપૃષ્ઠ, આબોહવા અને જૈવિક પર્યાવરણની દ્રષ્ટિએ વૈવિધ્યથી ભરપૂર છે. વર્ષઃ 2022 પ્રમાણે જૈવ વૈવિધ્ય ધરાવતા વીસ દેશો પૈકી ભારતનો આઠમો ક્રમ છે, પરંતુ જંગલના ઘટતા પ્રમાણ અને શહેરીકરણની માઠી અસર પર્યાવરણ પર થતી જોવા મળે છે. વન્યજીવોના સંરક્ષણની આહલેક જગાવતા આપણા દેશમાં પણ તેની જાગૃતિની જરૂરિયાત જણાય તે પીડાદાયક છે.   આપણા દેશમાં કારણ વિના ભૂમિ ખોદવી કે કોઈ વનસ્પતિનું પાન તોડવું એ પણ અયોગ્ય ગણવામાં આવે છે, કોઈ પણ પશુપંખીને છંછેડવાનું યોગ્ય ગણવામાં આવતું નથી. કેટલાક જીવો ઝેરીલા હોવા છતાં પણ તેને હણવામાં આવતા નથી, તેવા દેશમાં પણ વન્યજીવોના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આવા સંજોગોમાં વન્યજીવ દિનની ઉજવણી ખૂબ જ જરૂરી થઈ જાય છે. આપણા પ્રસિદ્ધ કવિશ્રી ઉમાશંકર જોષીની પંક્તિઓ યાદ કરીએ - વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !

03rd March

Read more
વિશ્વ વન્યજીવ દિન
03rd March
ત્રીજી માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિન.        2013ના 20 ડિસેમ્બર ના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા યોજાઈ હતી. આ સભામાં વિશ્વમાં લુપ્ત થતા વન્યજીવો તેમજ વિવિધ વનસ્પતિ વિશે ઊંડી ચિંતા વ્યક્ત થઈ. અહીં લેવાયેલ નિર્ણય મુજબ વિશ્વમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી કરવી જરૂરી હતી, જે લોકજાગૃતિ વિના સંભવ નહોતી. આ સભાનતા કેળવવા પ્રતિ વર્ષ 3જી માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની સૌપ્રથમ ઉજવણી 2014 માં થઈ હતી.      ...
Read more
હોળી - ધુળેટી
હોળી - ધુળેટી

     ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે હોલિકાદહનના પ્રસંગે ઈશ્વર પ્રત્યેની તેમની દ્રઢ શ્રદ્ધા અને આસ્થાનાં દર્શન કરાવ્યાં હતાં, જેથી હોળીનું આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ વધી જાય છે.     આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર' પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી'થી ઓળખવામાં આવે છે અને એમાંય આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનનો આ મુખ્ય તહેવાર છે. રાજસ્થાની લોકો હોળી માટે એવું કહેતા હોય છે કે “દીવાળી તો અટેકટે, પણ હોળી તો ઘરે જ.”     માનવમન સદા રંગોની આસપાસ રમતું રહે છે. રંગબેરંગી રંગથી એકબીજાને રંગવાનો તહેવાર એટલે હોળી. ફાગણ, વસંત અને હોળી એમ આ ત્રિવેણી સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને ફાલ્ગુનિક પણ કહે છે. સંસ્કૃતમાં શેકેલા અનાજને હોલક કહે છે. આમ, હોલક પરથી “હોળી” શબ્દ આવ્યો છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને 'શીંગુ' કહે છે.     હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લત્તાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળે છે, આવા લોકોને ઘેરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણાં અને લાકડાં ગોઠવીને હોળી પ્રગટાવવામાં આવે છે.     લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ધાણી, ખજૂર, દાળિયા વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.     ભારતમાં ઉજવાતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે, પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે.     વર્ષનો આ સમય વસંતઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઊઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે, જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને 'દોલયાત્રા' કે ‘વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા મનના દોષો સાથે ખરાબ વાણી અને ખરાબ કર્મોનાં દૂષણો હોમી દેવાય છે. આ પાવન પર્વ પર અહંકાર, અપેક્ષાઓ અને દરેક નકારાત્મક વસ્તુને હોળીના અગ્નિમાં બાળી નાખી અને આ પવિત્ર તહેવારનો આનંદ લોકો દિલથી માણે છે.     રંગોનો આ તહેવાર સૌના પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે છે.

04th March

Read more
હોળી - ધુળેટી
04th March

     ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે...

Read more
રાષ્ટ્રીય સુરક્ષા દિન
રાષ્ટ્રીય સુરક્ષા દિન

દર વર્ષે 4 માર્ચ ને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ અકસ્માતોથી બચવા માટે લેવામાં આવતાં સલામતીનાં પગલાં વિશે જાગૃતિ વધારવાનો છે. આ ઉપરાંત આપણા જીવનના જુદા જુદા સમયે જાગૃતિ કે ધ્યાનના અભાવે થતા અકસ્માતોને રોકવાનો પણ છે.   4 માર્ચ ના દિવસને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાની પહેલ ભારતની 'રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ' (National Safety Council) દ્વારા થઈ હતી. 1972 માં આ સંસ્થાએ 4 માર્ચ ને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. આ દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી ત્યારથી દર વર્ષે ઔદ્યોગિક અને અન્ય પ્રકારની દુર્ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવાં પગલાંથી અને કાયદા નિયમોની જાણકારી અને અમલથી ઉદ્યોગોમાં ઈજાનું પ્રમાણ 1971 માં 1000 કામદાર દીઠ 76 હતું તે ઉત્તરોત્તર ઘટતું રહ્યું છે. નેશનલ સેફ્ટી કાઉન્સિલ, મુંબઈ અને નેશનલ ફાયર સર્વિસ કૉલેજ, નાગપુર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અંગેની તાલીમ પણ આપવામાં આવે છે.   'રાષ્ટ્રીય સુરક્ષા દિન'ની ઉજવણી હવે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ના સ્વરૂપમાં કરવામાં આવે છે, જેનો સમયગાળો દર વર્ષે 4 માર્ચથી 10 માર્ચ હોય છે. આ સપ્તાહ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી ઔદ્યોગિક સહિત વિવિધ પ્રકારની દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો અંગે લોકોને જાણકારી આપવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન આયોજિત થતી બધી જ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ લોકોને પોતાની સુરક્ષા પ્રત્યે સભાન કરવાનો છે.     ‘સુરક્ષા દિન'ની ઉજવણી કેટલીક વિશાળ બાબતોને પણ સ્પર્શે છે. રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી માત્ર સરહદ ઉપર લડતા સૈનિકોની નથી પણ પ્રત્યેક વ્યક્તિ તેમાં સહભાગી બને તે પણ છે. આપણી આસપાસના પર્યાવરણનું સંરક્ષણ કરી સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાની છે. લોકોમાં વિવિધ સંસાધનો વાપરવાની ક્ષમતા વધવાની સાથે દુર્ઘટનાઓ સામે જરૂરી જાગૃતિ કેળવવાની છે. સુરક્ષાના આ વિવિધ આયામો પ્રત્યે લોકોને સભાન બનાવવાની જરૂરિયાત રહે છે. આ દરેક બાબતમાં સફળતા આ દિનની ઉજવણીને સાર્થક કરી શકે.

04th March

Read more
રાષ્ટ્રીય સુરક્ષા દિન
04th March
દર વર્ષે 4 માર્ચ ને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ અકસ્માતોથી બચવા માટે લેવામાં આવતાં સલામતીનાં પગલાં વિશે જાગૃતિ વધારવાનો છે. આ ઉપરાંત આપણા જીવનના જુદા જુદા સમયે જાગૃતિ કે ધ્યાનના અભાવે થતા અકસ્માતોને રોકવાનો પણ છે.   4 માર્ચ ના દિવસને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાની પહેલ ભારતની 'રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ' (National Safety Council) દ્વારા થઈ હતી. 1972 માં આ સંસ્થાએ 4 માર્ચ ને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું...
Read more
આંતરરાષ્ટ્રીય મહિલા દિન
આંતરરાષ્ટ્રીય મહિલા દિન

શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત થવો એ એક મહત્વની ઘટના છે. 1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો. એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો વિચાર ઑરા કૅટકિન નામનાં મહિલાનો હતો. 1910 માં કૉપન હેગન માં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ માં ક્લેરા એ આ વિચાર રજૂ કર્યો હતો. એ કૉન્ફરન્સમાં હાજર રહેલાં 17 દેશોના 100 મહિલા પ્રતિનિધિઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો. ત્યારથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 માર્ચ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા' દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મહત્વનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.   8 માર્ચ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી કરવા માટે સૌ પ્રથમ સૂચન વર્ષ 1910 માં ‘ઈન્ટરનેશનલ એશિયા લિસ્ટ વુમન કોન્ફરન્સ' દ્વારા કરવામાં આવ્યું હતું.   આંતરરાષ્ટ્રીય મહિલા દિન સાથે જોડાયેલ કેટલીક અગત્યની ઘટનાઓ આ મુજબ છે. ♦ 1911માં 19મી માર્ચે જર્મની, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા અને સ્વિત્ઝર્લેન્ડમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવામાં આવ્યો હતો. ♦ 1914માં 8મી માર્ચે મહિલાઓએ યુરોપમાં રેલી કાઢીને આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવ્યો હતો. ♦ રશિયામાં મહિલાઓ દ્વારા કાઢવામાં આવેલી રેલી અને હડતાલનો મુખ્ય મુદ્દો રોટી અને શક્તિ હતો. ચાર દિવસમાં જ રશિયાના ઝારને સ્થાને સત્તા પર આવેલ કામચલાઉ સરકારે મહિલાઓને વિવિધ અધિકારો આપ્યા. ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે આ દિવસ આઠમી માર્ચ હતો. રશિયામાં વર્ષ 1917 માં મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો.   * સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છેક 8 માર્ચ, 1975 ના દિવસને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન' તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘે 1975 ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. પહેલી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ મેક્સિકો શહેરમાં બોલાવવામાં આવી હતી, જેમાં છ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. આ પરિષદનો મુખ્ય હેતુ સમાનતા, શાંતિ અને વિકાસનો હતો.   * બીજી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ 1980 માં ડેનમાર્કના કોપન હેગન શહેરમાં યોજાઈ હતી. આ પરિષદમાં આઠ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો.   * 1985 માં ત્રીજી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ કેન્યાના નૈરોબીમાં મળી હતી, જેમાં પંદર હજાર મહિલાએ ભાગ લીધો હતો. આ પરિષદમાં સ્ત્રીઓની વિકાસમાં સમાન તકો ન મળવાની ફરિયાદને ધ્યાને લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ 2000 સુધીમાં મહિલાઓને વિકાસ માટે સમાન તકો મળે તેવી વ્યૂહરચના ઘડી કાઢવાનું જણાવ્યું હતું.   * 10 વર્ષ પછી 1995માં ચીનના બૈજિંગ શહેરમાં ચોથી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ મળી, જેમાં ૩૦ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. ચોથી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદનો મુખ્ય મુદ્દો હતો, ‘સ્ત્રીઓની પ્રગતિમાં અવરોધક પરિબળો દૂર કરી પ્રગતિના માર્ગો શોધવા.' બૈજિંગ પરિષદમાં 183 રાષ્ટ્રોની મહિલાઓએ ભાગ લીધો હતો   ભારતમાં આ દિવસે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી નારીશક્તિ ઍવોર્ડ એનાયત થાય છે. વર્ષ 1999 થી આ દિવસે પુરસ્કાર આપવાનો પ્રારંભ થયો હતો.   આજે મહિલા શિક્ષણની ટકાવારી વધતી જાય છે, છતાં મહિલા દિનની ઉજવણી ત્યારે જ સાર્થક લેખાય કે જ્યારે દીકરીના જન્મને આપણે વધાવીએ, મહિલાઓને સ્ત્રી તરીકેની ગરિમા સન્માન અને ગૌરવ સહજપણે પ્રાપ્ત થાય તો જ મહિલા દિવસનું મહત્વ જળવાય અને સમાજનો ઉત્કર્ષ થાય મહિલાઓને સમાનતા અને શિક્ષણ મળે તો જ દેશનો તંદુરસ્ત વિકાસ થઈ શકે.

08th March

Read more
આંતરરાષ્ટ્રીય મહિલા દિન
08th March
શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત થવો એ એક મહત્વની ઘટના છે. 1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો. એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો વિચાર ઑરા કૅટકિન નામનાં મહિલાનો હતો. 1910 માં કૉપન હેગન માં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ માં ક્લેરા એ આ વિચાર...
Read more
વિજય હજારે જન્મજયંતી
વિજય હજારે જન્મજયંતી

વિજય હજારેનો જન્મ ૧૧ માર્ચ,૧૯૧૫ ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સાંગલીના એક શિક્ષકનાં આઠ બાળકોમાંનો એક હતા. જ્યારે હજારે ક્રિકેટમાં આવી રહ્યા હતા,ત્યારે તેમને હિન્દુ જીમખાના દ્વારા ક્રિકેટ રમવા માટે ઓફર કરવામાં આવી હતી. તેમણે શરૂઆતમાં આ ઓફર ફગાવી દીધી હતી. હજારે તેમના જમણા હાથથી બેટિંગ કરતા હતા અને જમણા હાથથી મધ્યમ ગતિ બોલ કરતા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૩૮ મેચ રમી હતી.તેમણે ૫૮.૩૮ ની સરેરાશથી ૧૮૩૪૦ રન બનાવ્યા.  ભારતીય ક્રિકેટમાં આ પ્રથમ વર્ગનો રેકોર્ડ પહેલા સુનીલ ગાવસ્કરે અને ત્યારબાદ સચિન તેંડુલકરે તોડ્યો હતો. પ્રથમ વર્ગમાં ત્રણ સદી ફટકારનાર હજારે પ્રથમ ભારતીય હતા. ટેસ્ટ ક્રિકેટ રમતી વખતે વિજય હજારેએ ૩૦ ટેસ્ટમાં ૪૭.૬૫ ની સરેરાશથી ૨૧૯૨ રન બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૧૬૪ રન છે. જ્યારે ટેસ્ટમાં બોલિંગ કરતા હતા ત્યારે તેમણે ૬૧ ની સરેરાશથી ૨૦ વિકેટ ઝડપી હતી. તેમની શ્રેષ્ઠ બોલિંગ ૪/૨૯ છે. તેમણે ત્રણ વખત મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનની વિકેટ લીધી હતી. તેથી જ કદાચ બ્રેડમેન મધ્યમ ગતિના બોલરોની સામે એટલા સાવચેત હતા. ૧૯૫૧માં ઈંગ્લેન્ડ સામેની ઘરની શ્રેણી માટે તેમને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે દિલ્હીની પ્રથમ ટેસ્ટમાં અણનમ ૧૬૪ રન બનાવ્યા હતા. આ સમયે ભારતીય દ્વારા આ સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. વિજય હજારેની કેપ્ટનશીપ હેઠળ ભારતે પ્રથમ ટેસ્ટ જીતી હતી. ક્રિકેટ પંડિતો માને છે કે કેપ્ટનશીપનું દબાણ તેમના પ્રભાવને અસર કરી ગયું. સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર પહેલા ભારતીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનાવનાર હજારે પહેલા ભારતીય હતા. તેથી, તેમને પ્રથમ ભારતીય વિક્રમાદિત્ય કહેવા જોઈએ. મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેન અને વિજય મર્ચન્ટ દ્વારા વિજય હજારે વિશે ટિપ્પણી કરવામાં આવી હતી.સર વિજય બ્રેડમેન કહે છે, જો વિજય હજારે કેપ્ટન ન બની શક્યા હોત, તો તે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણાત. વિજય મર્ચન્ટ કહે છે, "કેપ્ટનશીપે વિજય હજારેને મહાન બેટ્સમેન બનવા દીધો ન હતો." પદ્મશ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર વિજય હજારેની ઇનિંગ્સ ૧૮ ડિસેમ્બર, ૨૦૦૪ ના રોજ કેન્સર સાથે લાંબી લડાઇ બાદ વડોદરામાં સમાપ્ત થઈ હતી. ભારતના એક ઝોનલ-ક્રિકેટ ટૂર્નામેન્ટને "વિજય હઝારે ટ્રોફી" નામ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

11th March

Read more
વિજય હજારે જન્મજયંતી
11th March

વિજય હજારેનો જન્મ ૧૧ માર્ચ,૧૯૧૫ ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સાંગલીના એક શિક્ષકનાં આઠ બાળકોમાંનો એક હતા. જ્યારે હજારે ક્રિકેટમાં આવી રહ્યા હતા,ત્યારે તેમને હિન્દુ જીમખાના દ્વારા ક્રિકેટ રમવા માટે ઓફર કરવામાં આવી હતી. તેમણે શરૂઆતમાં આ ઓફર ફગાવી દીધી હતી. હજારે તેમના જમણા હાથથી બેટિંગ કરતા હતા અને જમણા હાથથી મધ્યમ ગતિ બોલ કરતા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૩૮ મેચ રમી હતી.તેમણે ૫૮.૩૮ ની સરેરાશથી ૧૮૩૪૦ રન બનાવ્યા. 

ભારતીય ક્રિકેટમાં આ પ્રથમ વર્ગનો રેકોર્ડ પહેલા સુનીલ ગાવસ્કરે અને ત્યારબાદ સચિન તેંડુલકરે તોડ્યો હતો....

Read more