Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
વિશ્વ દૂરસંચાર દિન
વિશ્વ દૂરસંચાર દિન

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ વિશ્વ દૂરસંચાર (ટેલિકમ્યુનિકેશન) દિન ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2005 થી આ દિવસને 'વિશ્વ દૂરસંચાર દિન' તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ અને નવી તકનિકી દ્વારા સામાજિક પરિવર્તનની વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે; તેમજ મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા દેશોને માહિતી અને સંચાર તકનિકી ઉપલબ્ધ કરાવી વિશ્વમાં સાર્વત્રિક કનેક્ટિવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા લોકોને જોડી આધુનિક સમાજનું નિર્માણ કરવાનો છે. સામ પિત્રોડા ને ભારતમાં સંચાર ક્રાંતિના પિતા માનવામાં આવે છે. તેમણે સી-ડોટ નામની સંસ્થા શરૂ કરી ભારતમાં સંચાર ક્રાંતિનો પાયો નાખ્યો. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા શરૂ કરાયેલા વર્લ્ડ ટેલના તેઓ પ્રથમ ચેરમેન હતા. આજે ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પ્રોગ્રામ, સેટેલાઇટ નેવિગેશન અને ઓનલાઇન નકશાઓનો ઉપયોગ આપણે સૌ રોજબરોજના જીવનમાં એક અભિન્ન અંગરૂપે કરીએ છીએ. અત્યારના સમયમાં ઇન્ટરનેટ દૂરસંચાર માટેનું અગત્યનું સાધન છે. ઇન્ટરનેટ મનુષ્ય જીવનની પાયાની જરૂરિયાત બની ગયું છે. આજે દુનિયા વિકાસ સાધવા માટે ટેલિકમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી પર આધારિત બની છે. આજે ઇન્ટરનેટ અને દૂરસંચારનાં વિવિધ માધ્યમો વગરના વિશ્વની કલ્પના પણ શક્ય નથી, ત્યારે તેમાં વિવિધ આયામો અને સુધારાવધારા માટે જાગૃતિ અને સંશોધન પણ એટલાં જ મહત્ત્વનાં પાસાં છે. શિક્ષણ, મનોરંજન, તકનિકી, સામાજિક અને સંસ્થાકીય સંચાલનમાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવતા ઇન્ટરનેટનો દુરુપયોગ પણ વિશ્વના લગભગ તમામ રાષ્ટ્રો માટે ચિંતાનો વિષય છે. સોશિયલ મીડિયાની ચર્ચા કરીએ તો એ વેપાર, વિચાર અને સંચાર માટેનું પ્રમુખ સંસાધન બન્યું છે, જેના પ્રાણવાયુ એવા ઇન્ટરનેટને વધુ ઝડપી અને સર્વવ્યાપી સ્વરૂપે સ્થાપિત કરવાની દિશામાં ખાનગી અને સરકારી સંસ્થાઓના પ્રયાસો પ્રશંસનીય છે. ઈન્ફર્મેશન ટેક્નોલોજીની દિશામાં ભારત સમગ્ર વિશ્વમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને પ્રમુખ યોગદાન આપી રહ્યું છે, એ આજે સમગ્ર વિશ્વમાં સ્વીકારાયું છે. આજે વિશ્વના બધા જ દેશોમાં ભારતીય મૂળના આઇટી એન્જિનિયર્સ ડંકો વગાડી રહ્યા છે તેમજ જે તે રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન પણ આપી રહ્યા છે. ખરા અર્થમાં તેઓ ભારતના અઘોષિત રાજદૂતો છે, જે આપણા ગૌરવમાં સતત વધારો કરી રહ્યા છે. આજે ગુજરાત સરકારના ડિઝીટલ ગુજરાત પોર્ટલ દ્વારા રાજ્ય સરકારની મોટા ભાગની કામગીરી ઓનલાઇન કરીને સરકારી સેવાઓને ગતિ આપવામાં આવી રહી છે. જેનો સીધો જ લાભ જાહેર જનતાને થાય છે, તેમને ઘરે બેઠા બેઠા સરકારી સુવિધાઓનો લાભ મળી રહે છે. સંચાર માધ્યમોનો સુયોગ્ય ઉપયોગ માનવજીવનને સુવિધાપૂર્ણ બનાવે એ આવકાર્ય છે, પરંતુ આ સંચાર માધ્યમો માનવ પર હાવી થઈ જાય અને તેને નિયંત્રિત કરે તે ઇચ્છનીય નથી. આ માટે આપણે સૌએ સાથે મળી પ્રયત્ન કરવો જ રહ્યો.

17th May

Read more
વિશ્વ દૂરસંચાર દિન
17th May
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ વિશ્વ દૂરસંચાર (ટેલિકમ્યુનિકેશન) દિન ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2005 થી આ દિવસને 'વિશ્વ દૂરસંચાર દિન' તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ અને નવી તકનિકી દ્વારા સામાજિક પરિવર્તનની વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે; તેમજ મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા દેશોને માહિતી અને સંચાર તકનિકી ઉપલબ્ધ કરાવી વિશ્વમાં સાર્વત્રિક કનેક્ટિવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા લોકોને જોડી આધુનિક સમાજનું નિર્માણ કરવાનો છે.
સામ પિત્રોડા ને ભારતમાં સંચાર ક્રાંતિના પિતા માનવામાં...
Read more
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન

વૈવિધ્યસભર જીવસૃષ્ટિ પૃથ્વીને સ્વર્ગથી પણ સોહામણી બનાવે છે. તેથી તેનું રક્ષણ અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. જૈવ વિવિધતા માનવ સમાજના કલ્યાણ માટેનો પાયો છે. કુદરતમાં સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિની વિવિધતા જળવાઈ રહે તેમજ તેનું સંવર્ધન થાય તે ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મે માસની 22મી તારીખને 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન' તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ 1993માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પહેલાં આ દિવસ 29 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવતો હતો. 2001 થી તે દર વર્ષે 22 મેના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય જૈવ વિવિધતા અંગે લોકોને જાગૃત કરવાનો તેમજ પર્યાવરણીય સ્તરે જૈવ વિવિધતાને જાળવી રાખવાનો છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 80,000થી વધુ પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દૃષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં બારમા સ્થાને છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળાં રીંછ, એક શિંગી ગેંડો, હરણ, ઘુડખર, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાં જ શીતવનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક માત્ર એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ બન્ને તેમના કુદરતી આવાસમાં વિચરે છે. ભારતની વનસ્પતિમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. પીપળો, વડ, લીમડો, કરંજ, ખાટી આંબલી, આસોપાલવ, ગરમાળો, શીમળો. સેવન, મહુડો, સીસમ, અશોક, અર્જુન, આંબળા, પારિજાત, વસંત, પારસ પીપળો, કદમ, બિલીપત્ર, સોપારી, ફણસ, રૂખડો જેવાં વૃક્ષો જોવા મળે છે. સેતુર, બદામ, મીઠી આંબલી, ફાલસા, રાયણ, લીચી, અંજીર, ગુંદી, જામફળ, જાંબુ, ચીકુ, દાડમ, પીલુ, આંબો વગેરે ફળો આપતાં વૃક્ષો પણ જોવા મળે છે. અહીં આપણે ભારતમાં જોવા મળતી વનસ્પતિઓની કેટલીક વિવિધતા વિશે વાત કરી, તો વિચારો સમગ્ર વિશ્વની વનસ્પતિમાં કેટલી બધી વિવિધતા હશે! સમગ્ર વિશ્વની વનસ્પતિમાં, પશુ-પંખીઓમાં, જીવજંતુઓમાં અને દરેકે દરેક સજીવ પ્રજાતિઓમાં અનેક વિવિધતા જોવા મળે છે. આધુનિક સમયમાં જૈવ વિવિધતાના વિષય પર ધ્યાન આપવાની જરૂર છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં વિશેષ પરિવર્તન આવ્યું છે. આ માટે પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકાયો છે. વર્તમાન સમયમાં વનસ્પતિ અને પ્રાણીઓની ઘણી જાતો લુપ્ત થઈ ગયેલી જોવા મળી છે. પર્યાવરણીય સંતુલન માટે પ્રાણીઓનું સંરક્ષણ પણ જરૂરી છે. કુદરતી સંસાધનોનું વિચારવિહીન શોષણ, જેમ કે ગોચર જમીન પર કબજો કરવો, બળતણ માટે જંગલો કાપવાં, પાણીનો બગાડ કે તેનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ કરવો અને જંતુનાશકના ઉપયોગથી જૈવ વિવિધતાને ખૂબ મોટું નુકસાન થાય છે. પર્યાવણીય સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિનું સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે. આપણા મુર્ધન્ય કવિ ઉમાશંકર જોષી એ કહ્યું છે. "વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોને છે વનસ્પતિ।"

22nd May

Read more
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન
22nd May
વૈવિધ્યસભર જીવસૃષ્ટિ પૃથ્વીને સ્વર્ગથી પણ સોહામણી બનાવે છે. તેથી તેનું રક્ષણ અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. જૈવ વિવિધતા માનવ સમાજના કલ્યાણ માટેનો પાયો છે. કુદરતમાં સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિની વિવિધતા જળવાઈ રહે તેમજ તેનું સંવર્ધન થાય તે ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મે માસની 22મી તારીખને 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન' તરીકે ઊજવવામાં આવે છે.
સૌ પ્રથમ 1993માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પહેલાં આ દિવસ 29 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવતો હતો....
Read more
વિનોદ ભટ્ટ પુણ્યતિથિ
વિનોદ ભટ્ટ પુણ્યતિથિ

'તારીખ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ મારા જન્મ સિવાયની બીજી કોઈ દુર્ઘટના દુનિયામાં બની ન હતી.' આટલી હળવાશથી પોતાના જીવનને લેનાર આપણી ભાષાના દિગ્ગજ હાસ્યકાર વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ ગાંધીનગર જિલ્લાનાં નાંદોલ ગામમાં થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓએ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી, જે પાછળથી દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતિયમ તરીકે પ્રસિદ્ધ થઇ હતી. બાળપણમાં તોફાની બાળક તરીકેની છાપ ધરાવતા વિનોદ ભટ્ટ કોલેજની ચૂંટણીમાં ગધેડાના ગળામાં 'હું વિનોદ ભટ્ટને મત નથી આપવાનો 'જેવા રમૂજી તુક્કાઓ પણ કરેલા. ગુજરાતી ભાષાના ગણમાન્ય દૈનિકો અને સામયિકોમાં વિનોદ ભટ્ટ નિયમિતપણે લખ્યું હતું. પરિણામે તેમના ૫૦ થી વધુ પુસ્તકો થયા છે. પહેલું સુખ તે મૂંગી નારથી પોતાની હાસ્ય સર્જન યાત્રા શરૂ કરનાર વિનોદ ભટ્ટે વિનોદના પ્રેમપત્રો, ઇદમ તૃતીયમ, ગ્રંથની ગરબડ, વિનોદ વિમર્શ, ભૂલચૂક લેવીદેવી જેવા પુસ્તકો દ્વારા ગુજરાતી હાસ્ય સાહિત્યને રળિયાત કર્યું છે. વિનોદ ભટ્ટે "એવા રે અમે એવા" શીર્ષકથી આત્મકથા પણ લખી છે. તેમનું ૧૯૭૬માં કુમારચંદ્રક, ૧૯૮૯માં રણજીતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઈ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક વગેરેથી સન્માન થયું હતું. ગુજરાતી હાસ્ય સાહિત્યની વાત જેમના વિના થઇ ન શકે તેવા અને વિશાળ વાચક - ચાહક વર્ગ ધરાવતા આ સાહિત્યકારનું લાંબી બીમારી પછી અમદાવાદ ખાતે ૨૩ મે,૨૦૧૮ ના રોજ અવસાન થયું ત્યારે સ્મશાનયાત્રા નહિ, હાસ્યયાત્રા નીકળી હતી.

23rd May

Read more
વિનોદ ભટ્ટ પુણ્યતિથિ
23rd May

'તારીખ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ મારા જન્મ સિવાયની બીજી કોઈ દુર્ઘટના દુનિયામાં બની ન હતી.' આટલી હળવાશથી પોતાના જીવનને લેનાર આપણી ભાષાના દિગ્ગજ હાસ્યકાર વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ ગાંધીનગર જિલ્લાનાં નાંદોલ ગામમાં થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓએ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા.

૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું...

Read more
વીર સાવરકર જયંતી
વીર સાવરકર જયંતી

"મહાન લક્ષ્ય માટે આપેલું બલિદાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી."- વીર સાવરકર. વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે, 1883 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદર અને માતાનું નામ યશોદા હતું. આઠ વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું હતું. બચપણથી જ એમના મિત્રોએ એમને નેતા તરીકે સ્વીકારી લીધા હતા. જ્યારે ભારતમાં બંગભંગની લડત ચાલતી હતી ત્યારે સાવરકર વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં અગ્રેસર રહેતા. ભારતમાં ગ્રેજ્યુએટ થયા બાદ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા અપાતી શિષ્યવૃત્તિ મેળવીને બૅરિસ્ટરનો અભ્યાસ કરવા વિલાયત ગયા. ત્યાં પરીક્ષામાં પાસ તો થઈ ગયા, પણ ઇંગ્લેન્ડ સરકારને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા તેમણે ન સ્વીકારતાં સાવરકર સરકારની નજરે ચડી ગયા. આ કારણસર તેમને બૅરિસ્ટરની પદવી એનાયત કરવામાં ન આવી. વીર સાવરકરે બોમ્બ બનાવવાની રીત શીખી લીધી હતી. તેમણે ભારતમાં ગુપ્ત રીતે હથિયારો, દારૂગોળો મોકલવાની શરૂઆત કરી હતી. લંડનમાં કર્ઝન વાઇલીને મદનલાલ ધીંગરાએ ગોળીએ દીધા, ત્યારે સાવરકરે ધીંગરાના આ કાર્યને બિરદાવ્યું હતું. ઇંગ્લેન્ડમાં 'ઇન્ડિયા હાઉસ'માં રહીને ક્રાન્તિની જ્વાળા પ્રજ્વલિત રાખનાર સાવરકર ક્રાન્તિકારીઓના મુખ્ય સૂત્રધાર છે, એવી ખાતરી થતાં ઇંગ્લેન્ડ સરકારે તેમની ધરપકડ કરી ને એક સ્ટીમરમાં રવાના કર્યા. સ્ટીમર ફ્રાન્સના માર્સેલ્સ બંદર નજીક હતી, ત્યારે તેઓ સમુદ્રમાં કૂદી પડયા. વિકરાળ લાગે તેવો દરિયો તેમણે હિંમતપૂર્વક ઓળંગ્યો. તેઓ તરતાં તરતાં ફ્રાંસ પહોંચ્યા. ત્યાં તેમની ધરપકડ થઈ. અગાઉ તેમને જનમટીપની સજા થઈ હતી અને હવે ફરી બીજા કેસમાં પણ જનમટીપની સજા થઇ. આમ, બે વાર જનમટીપની સજા સાવરકરે જેલમાં ગાળવાની હતી અને એ પણ આંદામાનની સેલ્યુલર જેલમાં. તેમણે કારાવાસ દરમ્યાન રચેલાં દેશભક્તિ ગીતો જેલની દીવાલ પર કોલસાની મદદથી લખ્યાં. તેમણે કેટલાક ઐતિહાસિક ગ્રંથો લખ્યા હતા. '૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ', 'મારી જનમટીપ' અને 'શીખોનો ઇતિહાસ' એ તેમના જાણીતા ગ્રંથો છે. તેમનું '૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ' પુસ્તક અંગ્રેજોએ જપ્ત કરી લીધું હોવાથી તે સમયે પ્રકાશિત થયું ન હતું. તેમણે મિત્રો સાથે રહીને 'મિત્રમેલા' નામનું એક દેશભક્તિ જૂથ રચ્યું. જે આગળ જતાં 'અભિનવ ભારત' નામે પ્રસિદ્ધ થયું. મહાત્મા ગાંધીજીની હત્યા બાદ, તહોમતદારોમાં તેમનો સમાવેશ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અદાલતમાં તેઓ નિર્દોષ પૂરવાર થતાં તેમને માનભેર મુક્ત કરવામાં આવ્યા. એમણે એમના મરણ બાદ શોક કે ઉત્તરક્રિયા કરવી નહીં તેવી સૂચના આપી હતી. 1966માં એમની તબિયત કથળી. તેમણે સારવાર લેવાની ના પાડી અને અનશન શરૂ કર્યા. 26 ફેબ્રઆરી, 1966ના રોજ આ મહાન ક્રાંતિકારી 83 વર્ષની ઉંમરે દુનિયા છોડી પંચમહાભૂતોમાં વિલીન થઇ ગયા. સલામ છે ક્રાંતિકારી વીર સાવરકરને.....

28th May

Read more
વીર સાવરકર જયંતી
28th May
"મહાન લક્ષ્ય માટે આપેલું બલિદાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી."- વીર સાવરકર.
વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે, 1883 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદર અને માતાનું નામ યશોદા હતું. આઠ વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું હતું. બચપણથી જ એમના મિત્રોએ એમને નેતા તરીકે સ્વીકારી લીધા હતા. જ્યારે ભારતમાં બંગભંગની લડત ચાલતી હતી ત્યારે સાવરકર વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં અગ્રેસર રહેતા. ભારતમાં ગ્રેજ્યુએટ થયા બાદ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા અપાતી શિષ્યવૃત્તિ મેળવીને બૅરિસ્ટરનો...
Read more
વિશ્વ તમાકુ નિષેધ દિન
વિશ્વ તમાકુ નિષેધ દિન

દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન' (World No Tobacco Day) ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે લાખો લોકોનાં મૃત્યુ તમાકુના સેવનથી થાય છે. આ દિવસે લોકોને તમાકુથી થતા નુકસાન વિશે જણાવી તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે. 1987માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'વર્લ્ડ હેલ્થ એસેમ્બલી'એ ઠરાવ પસાર કરીને 7 એપ્રિલ, 1988ને 'વિશ્વ ધુમ્રપાન નિષેધ દિન' (World No Smoking Day) તરીકે જાહેર કર્યો હતો. આ દિવસનો હેતુ વિશ્વભરમાં તમાકુના વપરાશકારોને 24 કલાક માટે તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ ન કરવા વિનંતી કરવાનો હતો. 1988માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ ઠરાવ પસાર કરીને દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન'ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ત્યારથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દર વર્ષે 31 મેના દિવસે 'વિશ્વ તમાકુ નિષેધ દિન' ઊજવે છે. તમાકુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તેમ છતાં લોકો બહોળા પ્રમાણમાં તમાકુનું સેવન કરતા જોવા મળે છે. સિગારેટ, બીડી, ગુટખા અને હુક્કા જેવાં ઘણાં બધાં સ્વરૂપોમાં તમાકુનું સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનું એક અત્યંત નશાકારક તત્ત્વ હોય છે. નિકોટીન લાંબા સમયે તમાકુનું વ્યસન કરનાર વ્યક્તિના હૃદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓને અસર કરે છે. તેના કારણે સ્વાસ્થ્યને ગંભીર અસર થાય છે. વ્યસની વ્યક્તિ માનસિક તાણ અનુભવતો હોવાથી ઘણીવાર કેટલાંક કુટુંબોમાં ઝઘડા પણ થતા હોય છે. ભણેલા લોકો પણ તમાકુના ઉત્પાદન પર લખવામાં આવેલી ચેતવણીને નજરઅંદાજ કરી બેધડક તેનું સેવન કરે છે અને બીમાર થાય છે. તમાકુ અને તેમાંથી બનેલા પદાર્થોના સેવનથી ફેફસાનું કેન્સર, લીવર કેન્સર, મોઢાનું કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આ બીમારીઓ વિશે વિચારતાં, જે લોકો તમાકુ કે તેમાંથી બનનારા પાનમસાલા અને સિગારેટનું સેવન કરી રહ્યાં છે, તેમણે તમાકુનું સેવન છોડી દેવું જોઈએ. આ બાબત માત્ર તેમના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તેમના કુટુંબીજનો માટે પણ વરદાનરૂપ સાબિત થશે. ભારત સરકાર દ્વારા પણ તમાકુની બનાવટો પર તમાકુના સેવનથી થતા રોગોનું મોટું ચિત્ર મૂકવાનો અને મોટા અક્ષરે ચેતવણી લખવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. ભારતમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિનેમાઘરો, સરકારી કચેરીઓ વગેરે જેવાં જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ આ નિયમનો ભંગ કરે તો દંડ પણ વસૂલવામાં આવે છે. આ દિવસે કેટલાંક બિન સરકારી સંગઠનો (NGOs) પણ વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે. તમાકુ છોડવી ખૂબ જ મુશ્કેલ બાબત છે. તે એક જ દિવસમાં છોડી શકાતી નથી પરંતું દ્રઢ નિર્ધારને અંતે એક દિવસ ચોક્કસ તેનાથી મુક્ત થઈ શકાય છે. તમાકુ છોડવા માટે મનોચિકિત્સકની મદદ પણ લઈ શકાય છે. મગજને વધુને વધુ અન્ય દિશા તરફ વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરવાથી વ્યસનમાંથી મુક્તિ મેળવી શકાય છે.

31st May

Read more
વિશ્વ તમાકુ નિષેધ દિન
31st May
દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન' (World No Tobacco Day) ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે લાખો લોકોનાં મૃત્યુ તમાકુના સેવનથી થાય છે. આ દિવસે લોકોને તમાકુથી થતા નુકસાન વિશે જણાવી તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
1987માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'વર્લ્ડ હેલ્થ એસેમ્બલી'એ ઠરાવ પસાર કરીને 7 એપ્રિલ, 1988ને...
Read more
વિશ્વ દૂધ દિન
વિશ્વ દૂધ દિન

આપણે જાણીએ છીએ કે દૂધ એ સંપૂર્ણ અને સમતોલ આહાર છે. તેથી જ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે દૂધ મહત્ત્વનો ભાગ ભજવે છે. સૌ પ્રથમવાર 2001માં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા વિશ્વ દૂધ દિન ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉજવણી માટે 1 જૂનની જ પસંદગી કરવામાં આવી કારણ કે ઘણા દેશો પહેલીથી જ આ દિવસને 'દૂધ દિન' તરીકે ઊજવતા હતા. દૂધને વૈશ્વિક ખોરાક તરીકેનું મહત્ત્વ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિન ઊજવવામાં આવે છે. આ દિનની ઉજવણીનો મુખ્ય હેતુ ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની તક પૂરી પાડવાનો છે. તેમજ પશુપાલન દ્વારા લોકોની આજીવિકામાં ડેરી ક્ષેત્રના યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે. દૂધ એ પૃથ્વી પર સૌથી વધુ વ્યાપકપણે ઉત્પાદિત ખાદ્ય ચીજવસ્તુઓ પૈકી એક છે. દૂધ માનવને જરૂરી 22 પોષક તત્ત્વોમાંથી 18 પોષક તત્ત્વો પૂરાં પાડે છે. ગુજરાતમાં દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલાં એકમોમાં અમૂલ (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ) ડેરી મુખ્ય છે. અમૂલ એક સહકારી દૂધમંડળીઓનો સંઘ છે. જેની સ્થાપના 1946માં થઈ હતી. જે સહકારી ક્ષેત્રે ચાલતી લાંબાગાળાની સફળ સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. આ સંસ્થા સહકારી રીતે દૂધ ઉત્પાદન કરતા લાખો લોકોની માલિકીની સંસ્થા છે. અમૂલ વિશ્વની સૌથી વધુ દૂધના પાઉચ બનાવતી બ્રાન્ડ છે.

01st June

Read more
વિશ્વ દૂધ દિન
01st June

આપણે જાણીએ છીએ કે દૂધ એ સંપૂર્ણ અને સમતોલ આહાર છે. તેથી જ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે દૂધ મહત્ત્વનો ભાગ ભજવે છે.


સૌ પ્રથમવાર 2001માં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા વિશ્વ દૂધ દિન ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉજવણી માટે 1 જૂનની જ પસંદગી કરવામાં આવી કારણ કે ઘણા દેશો પહેલીથી જ આ દિવસને 'દૂધ દિન' તરીકે ઊજવતા હતા. દૂધને વૈશ્વિક ખોરાક તરીકેનું મહત્ત્વ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિન ઊજવવામાં આવે છે.


આ દિનની ઉજવણીનો મુખ્ય હેતુ ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન...

Read more
વિશ્વ સાઇકલ દિન
વિશ્વ સાઇકલ દિન

રોજિંદા જીવનમાં સાઇકલના ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂનને વિશ્વ સાઇકલ દિન (વર્લ્ડ બાઇસિકલ ડે) તરીકે ઊજવવામાં આવે છે. સત્તાવારરૂપે પહેલીવાર વિશ્વ સાઇકલ દિન ૩ જૂન, 2018ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઊજવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાઇકલ ડેની ઉજવણી દ્વારા સાયકલને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ વિકાસ નીતિઓ-કાર્યક્રમોમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ સભ્ય દેશોને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં સાઇકલની સવારીને પ્રોત્સાહિત કરવાનો છે. સાઇકલ શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણ (Environment) અને અર્થવ્યવસ્થા (Economy) માટે પણ અનુકૂળ છે. આ દિવસ બાળકો અને યુવાનોને શારીરિક તંદુરસ્તી જાળવવા, રોગોને થતા અટકાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે સાઇકલના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે. વિશ્વ સાઇકલ દિવસની ઉજવણીનો હેતુ સાઇકલની ઉપયોગિતાને ઓળખ આપવાનો પણ છે. જો શહેરના લોકો પોતાની આસપાસ એટલે નજીકના સ્થળે જવા માટે સાઇકલનો ઉપયોગ કરે તો દરરોજ સેંકડો લિટર પેટ્રોલનો વપરાશ ઘટશે સાથે સાથે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે. સાઇકલ ચલાવવા માટેની વધુ સુગમતા અને સલામતી રહે તે માટે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જેવાં શહેરોમાં અલગ સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક સાઇકલ પણ પ્રદૂષણ ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. સાઇકલ માટે લાઇસન્સઃ1930માં ગોંડલ સ્ટેટમાં સાયકલ ધારકને નવ પાનાની પુસ્તિકાવાળું લાઇસન્સ (પરવાનો) આપવામાં આવતું. જેમાં મહારાજા ભગવતસિંહજીની સહી હતી. સાયકલ ચલાવનારે લાઇસન્સ (પરવાનો)માં દર્શાવેલા 14 નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું હતું. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ દાખલ કરવામાં આવતો હતો અને જો ગુનો સાબિત થાય તો પાંચ રૂપિયા મહત્તમ દંડ કરવામાં આવતો હતો. સાઇકલ ચલાવવાના ફાયદાઃહ્રદય અને ફેફસાં સ્વસ્થ રહે છે.નિયમિત અડધો કલાક સાઇકલ ચલાવવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓછી થાય છે.શરીરના સ્નાયુઓ સ્વસ્થ અને મજબૂત બને છે.મન પ્રફુલ્લિત રહે છે અને હતાશા દૂર થાય છે.શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે.પર્યાવરણની જાળવણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

03rd June

Read more
વિશ્વ સાઇકલ દિન
03rd June

રોજિંદા જીવનમાં સાઇકલના ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂનને વિશ્વ સાઇકલ દિન (વર્લ્ડ બાઇસિકલ ડે) તરીકે ઊજવવામાં આવે છે. સત્તાવારરૂપે પહેલીવાર વિશ્વ સાઇકલ દિન ૩ જૂન, 2018ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઊજવવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાઇકલ ડેની ઉજવણી દ્વારા સાયકલને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ વિકાસ નીતિઓ-કાર્યક્રમોમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ સભ્ય દેશોને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં સાઇકલની સવારીને પ્રોત્સાહિત કરવાનો છે. સાઇકલ શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણ (Environment) અને અર્થવ્યવસ્થા (Economy) માટે પણ અનુકૂળ છે.

આ...

Read more
વિશ્વ પર્યાવરણ દિન
વિશ્વ પર્યાવરણ દિન

આપણે સૌ જાણીએ છીએ તેમ સૌરમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શક્ય હોવાનું માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે જૈવિક સૃષ્ટિ માટે અનુકૂળ પર્યાવરણ અહીં ઉપલબ્ધ છે. પર્યાવરણ માનવજીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલું છે. તેથી કહી શકાય કે પર્યાવરણ વગર માનવજીવન શક્ય નથી. આપણે એ પણ સમજીએ છીએ કે વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો વગેરે પર્યાવરણના વિવિધ ભાગ છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 1972માં સંયુક્ત રાષ્ટ્રના 114 સભ્ય દેશોની મળેલી પરિષદે 5 જૂને એક બહુ મહત્ત્વનો ઠરાવ સર્વાનુમતે સ્વીકાર્યો. ઘોષણાપત્રમાં નક્કી કરવામાં આવ્યું કે....♦  દરેક દેશે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે પગલાં લેવાં. તેમની રહેણીકરણી માટેના પ્રાકૃતિક સંજોગો જાળવવા. પ્રાકૃતિક સંપત્તિની જાળવણી કરવી.♦ ઝેરી પદાર્થોનો હવા-પાણીમાં થતો ફેલાવો રોકવો. જળપ્રદૂષણ અટકાવવું.♦ પર્યાવરણને હાનિ પહોંચવાના પરિણામે ભોગ બનનારને વળતર આપવા તથા તે માટે જવાબદારી નક્કી કરવા યોગ્ય આંતરરાષ્ટ્રીય ધારો વિકસાવવો.♦ પર્યાવરણ સંબંધી શિક્ષણનો પ્રસાર કરવો. સંશોધન કરવું અને તેની સુરક્ષાની વ્યવસ્થા વિકસાવવી.♦ પર્યાવરણની ગંભીર બનેલી સમસ્યા પ્રત્યે લોકોને જાગૃત કરવા. વિશ્વ પર્યાવરણ દિન દર વર્ષે 5 જૂનના રોજ ઊજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ પર્યાવરણ અંગેની જાગૃતિ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવાનો છે. સૌ પ્રથમ વખત વૈશ્વિક કક્ષાએ પર્યાવરણીય મુદ્દાઓ જેવા કે દરિયાઈ પ્રદૂષણ, વસતીવધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ વગેરે પર જાગૃતિ લાવવા માટે ચર્ચા કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિન સરકારી સંગઠનો, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ દ્વારા પ્રદૂષિત પર્યાવરણને સ્વચ્છ કરવા માટે અને તેની જાળવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વર્તમાન સમયમાં વધતી વસતીને રહેવા માટે જગ્યા જોઈએ એટલે વનો કાપી વસવાટ માટે ઘરો બાંધવામાં આવે છે. ખેતીમાં વધુ પાક મેળવવા માટે અને પાકમાં પડતી જીવાતનો નાશ કરવા તેના પર દવા છાંટવામાં આવે છે. આવી દવા ખાદ્યપદાર્થોને હાનિકારક બનાવે છે. એટલું જ નહીં દવાના ઉત્પાદક કારખાનાઓને લીધે તેમાં કામ કરતાં શ્રમિકો તેમજ આસપાસ રહેતા રહીશોના આરોગ્યને નુકશાન પહોંચે છે. ભોપાલ ગેસ દુર્ઘટનાઃ2 ડિસેમ્બર, 1984ની મધ્ય રાત્રિએ ભોપાલમાં યુનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડના કારખાનામાંથી મિથાઇલ સાઈનેટ નામનો ઝેરી વાયુ નીકળતાં ગેસ ગળતરનાં કારણે કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યાં વસતા લોકોના સ્વાસ્થ્ય પર આ ઘટનાની અસર ઘણાં વર્ષો સુધી જોવા મળી. વિશ્વ પર્યાવરણ દિન પર લેવાના સંકલ્પઃપ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માયાળુ બનીશું.કચરો હંમેશાં કચરાપેટીમાં નાખવાનો આગ્રહ રાખીશું અને અન્યને પણ આમ કરવા માટે પ્રોત્સાહિત કરીશું.એક વર્ષમાં ઓછામાં ઓછો એક છોડ વાવીશું અને તેનો ઉછેર કરીશું. વૃક્ષોના સંરક્ષણમાં સહકાર આપીશું.વીજ ઉપકરણો નો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરીશું.પ્લાસ્ટિક/પોલિથિનને બદલે કાગળની અથવા કાપડની થેલીનો ઉપયોગ કરીશું.તળાવ, નદી, કૂવા જેવા જળસ્રોતોને પ્રદૂષિત કરીશું નહીં. પાણીનો બગાડ કરીશું નહીં તેમજ પાણીનો નળ ઉપયોગ પછી બંધ કરીશું.

05th June

Read more
વિશ્વ પર્યાવરણ દિન
05th June

આપણે સૌ જાણીએ છીએ તેમ સૌરમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શક્ય હોવાનું માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે જૈવિક સૃષ્ટિ માટે અનુકૂળ પર્યાવરણ અહીં ઉપલબ્ધ છે. પર્યાવરણ માનવજીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલું છે. તેથી કહી શકાય કે પર્યાવરણ વગર માનવજીવન શક્ય નથી. આપણે એ પણ સમજીએ છીએ કે વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો વગેરે પર્યાવરણના વિવિધ ભાગ છે.

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 1972માં સંયુક્ત રાષ્ટ્રના 114 સભ્ય દેશોની મળેલી પરિષદે 5 જૂને એક બહુ...

Read more
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન

7 જૂનના દિવસને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન તરીકે ઊજવવામાં આવે છે. જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. પરંતુ બે સમયનું જમવાનું મળી રહે એ જ ખાદ્ય સુરક્ષા નથી. ખાદ્ય સુરક્ષામાં નીચેનાં પાસાં સમાવિષ્ટ થાય છે. -ખાદ્ય ઉપલબ્ધતાઃ દેશમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, ખાદ્ય પદાર્થોની આયાત અને સરકારી ભંડારોમાં સંચિત સ્ટોક.-ખાદ્યપદાર્થોની પ્રાપ્યતાઃ ખાદ્યપદાર્થો દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે.-ખાદ્યપદાર્થ મેળવવાનું સામર્થ્ય: દરેક વ્યક્તિ પોતાના માટે પૂરતો અને પૌષ્ટિક ખોરાક મેળવવા સમર્થ હોય. ખાદ્યપદાર્થોના સંતુલિત અને સુરક્ષિત ધોરણો જાળવી રાખવાં, જાગૃતિ ફેલાવવી અને ખરાબ ગુણવત્તાવાળા તથા અપૂરતા પોષણવાળા ખોરાકથી નિપજતા મૃત્યુનો આંક ઘટાડવો તે આ દિવસની ઉજવણીનો હેતુ છે. સમાજનો ગરીબ વર્ગ મોટા ભાગે ખાદ્ય અસુરક્ષાથી પીડિત હોય છે. દેશમાં ભૂકંપ, દુષ્કાળ, પૂર, સુનામી કે માવઠાની પરિસ્થિતિમાં ખાદ્ય અસુરક્ષાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવા સંજોગોમાં સમાજના દરેક વર્ગને અસર થાય છે ત્યારે ખાદ્ય સુરક્ષા જરૂરી છે. ભારતમાં ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) કાર્યરત છે. તેની સ્થાપના 2008માં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને આયાતમાં નિયત કરેલા વૈજ્ઞાનિક ધારાધોરણોનું નિયમન કરવાના હેતુથી થઈ. આ સંસ્થા દ્વારા SFSI (સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ)ની રચના કરવામાં આવી. ખાદ્ય સુરક્ષા માટે નીચે જેવી કેટલીક બાબતોની કાળજી રાખવી જોઈએ. જેવી કે...-જમવામાં પૂરતો સંતુલિત આહાર લેવો જોઈએ. જંક ફૂડ અને વાસી ખોરાક ન ખાવો જોઈએ.-જમતી વખતે ખોરાકનો બગાડ ન થાય તેનું અચૂક ધ્યાન રાખવું જોઈએ.-વિવિધ સામાજિક-ધાર્મિક પ્રસંગો દરમિયાન ખોરાકનો વધુ પડતો બગાડ થતો જોવા મળે છે. પ્રસંગોના આયોજન વખતે આવું ન થાય તે માટે સૌએ જાગૃત બનવું રહ્યું.-એન.જી.ઓ.ની મદદ થકી આવા પ્રસંગે વધેલો ખોરાક વાસી થાય તે પહેલાં ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ સુધી પહોંચે તેવું આયોજન કરી શકાય.

07th June

Read more
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન
07th June

7 જૂનના દિવસને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન તરીકે ઊજવવામાં આવે છે. જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. પરંતુ બે સમયનું જમવાનું મળી રહે એ જ ખાદ્ય સુરક્ષા નથી. ખાદ્ય સુરક્ષામાં નીચેનાં પાસાં સમાવિષ્ટ થાય છે.

-ખાદ્ય ઉપલબ્ધતાઃ દેશમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, ખાદ્ય પદાર્થોની આયાત અને સરકારી ભંડારોમાં સંચિત સ્ટોક.
-ખાદ્યપદાર્થોની પ્રાપ્યતાઃ ખાદ્યપદાર્થો દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે.
-ખાદ્યપદાર્થ મેળવવાનું સામર્થ્ય: દરેક વ્યક્તિ પોતાના માટે પૂરતો અને પૌષ્ટિક ખોરાક મેળવવા સમર્થ હોય.

ખાદ્યપદાર્થોના સંતુલિત અને સુરક્ષિત ધોરણો જાળવી રાખવાં, જાગૃતિ ફેલાવવી અને ખરાબ ગુણવત્તાવાળા તથા અપૂરતા પોષણવાળા ખોરાકથી નિપજતા મૃત્યુનો આંક ઘટાડવો તે આ દિવસની ઉજવણીનો હેતુ છે.

...
Read more
વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન
વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન

નેત્રદાન એટલે આંખોનું દાન. ભારતમાં લાખો લોકો કીકીના અંધાપાથી પીડાય છે. (કીકી એટલે આંખની આગળનું ગોળ પારદર્શક પટલ જેને કોર્નિયા કહેવાય છે.) જો આ પારદર્શક પટલ સફેદ થઈ જાય તો વ્યક્તિને દેખાતું બંધ થઈ જાય. આવામાં જો આપણે મૃત્યુ બાદ નેત્રદાન કરીએ તો કોઈ અંધ વ્યકિતને રોશની મળી જાય. આનાથી સારું માનવીય કાર્ય કયું હોઈ શકે? આ કાર્ય કરવા માટે ચક્ષુબેંક (આઈબેંક) હોય છે જે (આઈબેંક એસોસીએશન ઓફ ઇન્ડિયામાં) રજિસ્ટર્ડ હોય છે. આ ચક્ષુબેંકનો કાર્યભાર સંભાળવા માટે એક કોર્નિયલ સર્જન (કીકીના સુપર સ્પેશ્યાલિસ્ટ) હોય છે. જે કીકીના પ્રત્યારોપણ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ - કેરેટોપ્લાસ્ટી)ના ઓપરેશનમાં નિપુણ હોય છે. આમ નેત્રદાનમાં મળેલી બે આંખોની કીકી લઈ કીકીના અંધાપાથી પીડાતા લોકોને જોવામાં મદદ કરી શકાય. નેત્રદાનથી પ્રાપ્ત થયેલ ચક્ષુઓનો ઉપયોગ કીકીના અંધાપાથી પીડાતા દર્દીઓને કીકી પ્રત્યારોપણ માટે કરવામાં આવે છે. નેત્રદાનની પ્રક્રિયા ફકત 15 થી 20 મિનિટમાં જ પૂર્ણ થઈ જાય એટલી સરળ છે. જેનાથી દાતાના ચહેરા ઉપર કોઈ વિકૃતિ કે વિરૂપતા આવતી નથી તેમજ તેના કારણે મૃતદેહની અંતિમ ક્રિયામાં કોઈ અડચણ કે વિલંબ પણ થતો નથી. નેત્રદાન સ્વીકારવા માટે ચક્ષુબેંકની ટીમ દાતા ગમે તે જગ્યાએ હોય જેમ કે ઘરમાં, હોસ્પિટલમાં, મડદાઘરમાં કે સ્મશાનમાં જઈને નેત્રનું દાન લઈ આવે છે. તે માટે દાતાના શરીરને ચક્ષુબેંક કે હોસ્પિટલ સુધી લાવવાની જરૂર પડતી નથી. આ માટે નેત્રદાતાના વારસદારને કોઈ ખર્ચ થતો નથી. તમામ જરૂરી ખર્ચ ચક્ષુબેંક ભોગવે છે. દાતાના મૃત્યુ બાદ લગભગ 6 કલાકની અંદર નેત્રદાન થવું જરૂરી છે. આપણા ભારત દેશમાં સેંકડોની સંખ્યામાં લોકો અંધાપાથી પીડાય છે, જેમાં યુવાનો અને બાળકોની સંખ્યા વધુ છે. ભારતમાં જરૂરિયાતના પ્રમાણમાં ચક્ષુદાનનું પ્રમાણ ઘણું ઓછું છે. કીકીના પ્રત્યારોપણ માટે ચક્ષુદાન દ્વારા મળતી આંખ-કોર્નિયા ઉપર જ આધાર રાખવો પડે છે અને તો જ કીકીનું પ્રત્યારોપણ શક્ય બને છે. ચક્ષુદાનમાં મળતા ચક્ષુમાંથી સરેરાશ 50 ટકા યક્ષુ જ પ્રત્યારોપણ માટે ઉપયોગી હોય છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ નેત્રદાન કરી શકે છે. વ્યકિત યશ્માં પહેરતી હોય કે મોતિયો ઉતરાવેલ હોય કે તેને ડાયાબિટીસ હોય કે બ્લડપ્રેશરથી પીડાતી હોય તો પણ તે ચક્ષુદાન કરી શકે છે. કોઈ પણ બ્લડગ્રૂપ ધરાવતી કે ગમે તે ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ કે જાતિની વ્યક્તિ નેત્રદાન કરી શકે છે. નેત્રદાન કર્યા બાદ એ નેત્ર આપનાર અને મેળવનારની ઓળખ ખાનગી રાખવામાં આવે છે. અમુક સંજોગોમાં જેમ કે મૃત્યુનું કારણ ઝેરી કમળો, એઇડ્સ, કેન્સર કે અન્ય ચેપી રોગો હોય તો એવા સંજોગોમાં નેત્રદાનમાં આવેલી આંખોનો ઉપયોગ સંશોધન કાર્ય માટે કરવામાં આવે છે. (કીકીના પ્રત્યારોપણ માટે આવા ચક્ષુ ઉપયોગમાં આવતા નથી.) ચક્ષુબેંક સતત 24 કલાક કાર્યરત રહેતી સામાજિક સંસ્થા છે. તેનું કાર્ય મૃત્યુ બાદ દાનમાં મળતા ચક્ષુ મેળવવા, તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી તેમજ યોગ્ય જાળવણી કરવાનું તથા આ ચક્ષુ (કીકી) નિષ્ણાત તબીબો સુધી પ્રત્યારોપણ માટે પહોંચાડવાનું છે. આ ચક્ષુનો લાભચક્ષુબેંકમાં નોંધાયેલ દર્દીઓ લઈ શકે છે. ચક્ષુદાનમાં મળેલ યક્ષુની કાળજીપૂર્વક જાળવણી ખૂબ જ જરૂરી છે. આ ચક્ષુઓની જાળવણી માટે ખાસ પ્રકારના પ્રવાહી ઉપલબ્ધ છે. જેમાં આપણે ચક્ષુ અથવા કીકીને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. આ માટે અત્યાર સુધી આપણે અમેરિકા જેવા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો અને તેની અવેજીમાં મળેલ કીકી ફકત 12 થી 48 કલાકમાં જ પ્રત્યારોપણના ઉપયોગમાં લેવાની ફરજ પડતી હતી. પરંતુ હવે આ પ્રવાહીની ઉપલબ્ધિના કારણે કીકીને 4 દિવસ સુધી જીવંત રાખી શકાય છે. જેથી કીકીના રોગના દર્દીઓને ઓપરેશન પહેલાં જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી. તબીબી ક્ષેત્રે થયેલાં સંશોધનો અને આધુનિક શસ્ત્રક્રિયા તેમજ વિકસિત સારવાર પદ્ધતિને પરિણામે કીકી પ્રત્યારોપણનો સફળતાનો આંક 80 થી 90 ટકા સુધી પહોંચાડી શકાયો છે.

10th June

Read more
વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન
10th June

નેત્રદાન એટલે આંખોનું દાન. ભારતમાં લાખો લોકો કીકીના અંધાપાથી પીડાય છે. (કીકી એટલે આંખની આગળનું ગોળ પારદર્શક પટલ જેને કોર્નિયા કહેવાય છે.) જો આ પારદર્શક પટલ સફેદ થઈ જાય તો વ્યક્તિને દેખાતું બંધ થઈ જાય. આવામાં જો આપણે મૃત્યુ બાદ નેત્રદાન કરીએ તો કોઈ અંધ વ્યકિતને રોશની મળી જાય. આનાથી સારું માનવીય કાર્ય કયું હોઈ શકે? આ કાર્ય કરવા માટે ચક્ષુબેંક (આઈબેંક) હોય છે જે (આઈબેંક એસોસીએશન ઓફ ઇન્ડિયામાં) રજિસ્ટર્ડ હોય છે. આ ચક્ષુબેંકનો કાર્યભાર સંભાળવા માટે એક કોર્નિયલ સર્જન (કીકીના સુપર સ્પેશ્યાલિસ્ટ) હોય છે. જે કીકીના પ્રત્યારોપણ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ...

Read more
વિશ્વ રક્તદાતા દિન
વિશ્વ રક્તદાતા દિન

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂનના રોજ 'વિશ્વ રક્તદાતા દિન' (World Blood Donor Day) ઊજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા, તેમનો આભાર કરવા, રક્તદાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને લોકોમાં રક્તદાનનું મહત્ત્વ સમજાવવા આ દિનની ઉજવણી કરે છે. રક્તદાન કરવું એ માત્ર સમાજ માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કાર્લ લેન્ડસ્ટેઇનરે એબીઓ રક્તસમૂહ પ્રણાલીની શોધ કરી હતી. તેમની આ શોધ માટે તેમને 1930માં નોબલ પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ 14 જૂન 1868ના રોજ થયો હતો. તેથી તેમના સન્માનમાં W.H.O. એ તેમની જન્મ તારીખે વિશ્વ રક્તદાતા દિન ઊજવવાનું નક્કી કર્યું હતું. શરીરને વિવિધ કામગીરી કરવા માટે રક્તની જરૂર પડે છે. રક્તની ઉણપ વ્યક્તિના જીવનને જોખમમાં મૂકી શકે છે. રક્તની જરૂરિયાત હોય ત્યારે સમયસર રક્ત પુરું પાડવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. રક્તદાન કરીને રક્તની ઉણપ પૂરી કરીને દર્દીનું જીવન બચાવી શકાય છે. આ કારણોસર લોકોને રક્તદાન માટે જાગૃત કરવામાં આવે છે. ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત રહે છે તેથી રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. રક્તનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું રક્ત એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે. આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે. આપણા દેશમાં લાખો લોકો ગભીર બીમારીઓનો ભોગ બને છે. જેના કારણે પણ લોહીની માંગમાં સતત વધારો થતો રહે છે. તેથી લોકો પણ અન્ય લોકોનું જીવન બચાવવા રક્તદાન કરે તે જરૂરી છે. રક્તદાન કરવાથી સામાન્ય રીતે કોઈ તકલીફ પડતી નથી તેમજ રક્તદાન કરનારને કોઈ પ્રકારની આડઅસર કે બીમારી પણ થતી નથી. ઘણાં લોકો એવું સમજે છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડે છે અને રક્ત પાછું મેળવવામાં મહિના લાગી જાય છે. એટલું જ નહીં લોકોમાં એ ભ્રમ પણ ફેલાયેલો છે કે નિયમિત રક્ત આપવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આવા ખોટા ભ્રમને કારણે લોકો રક્તદાનનું નામ સાંભળીને જ આંખ આડા કાન કરી દે છે. વિશ્વ રક્તદાતા દિન સમાજમાં રક્તદાનને લઈને ફેલાયેલા ભ્રમને દૂર કરવાનું અને રક્તદાનને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. આજનું આધુનિક વિજ્ઞાન પણ રક્તનું કૃત્રિમ રીતે ઉત્પાદન કરી શક્યું નથી. તેથી રક્તદાતાઓ જે રક્તદાન કરે છે તેના થકી જ લાખો લોકોની જિંદગી બચી રહી છે. આજના ખાસ દિને લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને રક્તની જરૂરિયાતવાળા લોકોની અમૂલ્ય જિંદગીને નવજીવન આપવામાં સહભાગી બનતા હોય છે. રક્તદાન માટે મોટે ભાગે શિબિરો યોજવામાં આવે છે અથવા બ્લડ બેંકમાં જઈને રક્તદાન કરવામાં આવતું હોય છે. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મદિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યું છે જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં સૌના સહિયારા પ્રયાસો હજુ પણ ઓછા પડે છે. જેમાં વધારો થાય અને જરૂર પડે ત્યારે દર્દીને સરળતાથી રક્ત મળી રહે તેવી પરિસ્થિતિ સર્જાય તે જ આદર્શ સ્થિતિ કહી શકાય. માનવીનું લોહી ચાર જૂથ (A, B, AB અને D)માં વહેંચાયેલું હોય છે. જે લોકો રક્તદાન કરવા માગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે, કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. આ ટેસ્ટમાં HIV અને હિપેટાઈટીસ જેવી બીમારીના ટેસ્ટ સામેલ છે. જે લોહી દ્વારા ફેલાતી બીમારીઓ છે. રક્તદાતાને તેની તબિયત વિશે પણ પૂછવામાં આવે છે અને એ પણ પૂછવામાં આવે છે કે તે કોઈ નશીલા પદાર્થનું સેવન કરે છે કે નહિ. જેથી અસુરક્ષિત લોહીથી બચી શકાય. રક્તદાન પછી રક્તદાતાના શરીર પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે એટલા માટે રક્તદાતાના શરીરની શારીરિક તપાસ પણ કરવામાં આવે છે. વજન, બ્લડપ્રેશર, હિમોગ્લોબિન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની તપાસ કરવામાં આવે છે. રક્તદાન કોણ કરી શકે ?ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિશારીરિક રીતે તંદુરસ્ત વ્યક્તિશરીરમાં લોહીની કમી ન હોય તે વ્યક્તિઓછામાં ઓછું 50 કિલો વજન ધરાવતી વ્યક્તિગંભીર રોગ કે લોહીની વિકૃતિ ન હોય તેવી વ્યક્તિ રક્તદાન કોણ ન કરી શકે ?રક્તદાન કરવાનું હોય તેના નજીકના સમયમાં કોઈ પણ પ્રકારનું રસીકરણ કરાવ્યું હોય તેવી વ્યક્તિશારીરિક રીતે અશક્ત કે નબળા વ્યક્તિગંભીર બીમારીથી પીડિત વ્યક્તિબ્લડપ્રેશરની સામાન્ય માત્રા કરતાં ઓછું કે વધુ બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિડાયાબિટીસના દર્દીઓસ્તનપાન કરાવતી માતાઓ18 વર્ષથી નીચેના અને 65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓધૂમ્રપાન, દારૂનું વધુ પડતું સેવન અને માદક દ્રવ્યો/નશીલા પદાર્થોનું સેવન કરતાં લોકો રક્તદાન ન કરી શકે.

14th June

Read more
વિશ્વ રક્તદાતા દિન
14th June

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂનના રોજ 'વિશ્વ રક્તદાતા દિન' (World Blood Donor Day) ઊજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા, તેમનો આભાર કરવા, રક્તદાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને લોકોમાં રક્તદાનનું મહત્ત્વ સમજાવવા આ દિનની ઉજવણી કરે છે. રક્તદાન કરવું એ માત્ર સમાજ માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

કાર્લ લેન્ડસ્ટેઇનરે એબીઓ રક્તસમૂહ પ્રણાલીની શોધ કરી હતી. તેમની આ શોધ માટે તેમને 1930માં નોબલ પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ 14 જૂન 1868ના...

Read more
પી.એન. ભગવતી પુણ્યતિથિ
પી.એન. ભગવતી પુણ્યતિથિ

ભારતના સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ પી.એન. ભગવતીનો જન્મ ૨૧ ડિસેમ્બર,૧૯૨૧ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનું પૂરું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી છે. તેમના પિતા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ નટવરલાલ એચ. ભગવતી હતા. ભગવતીએ મુંબઈમાં શિક્ષણ મેળવ્યું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. બોમ્બે યુનિવર્સિટીમાંથી ૧૯૪૧ માં ગણિત (ઓન.) ની ડીગ્રી લીધી હતી. ૧૯૪૨માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેમની ધરપકડ થઈ હતી અને ચાર મહિના ભૂગર્ભમાં રહ્યા હતા. બાદમાં તેમણે બોમ્બેની સરકારી લો કોલેજમાં અભ્યાસ કર્યા પછી બોમ્બે યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. ભગવતીએ પોતાની કારકિર્દીની શરૂઆત બોમ્બે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા કરી હતી. જુલાઇ,૧૯૬૦માં તેઓને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુક કરવામાં આવ્યા. સપ્ટેમ્બર,૧૯૬૭માં તેઓને તે અદાલતના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૭ ડિસેમ્બર, ૧૯૬૭ થી ૨૫ ડિસેમ્બર, ૧૯૬૭ અને ૧૭ માર્ચ, ૧૯૭૩ થી ૩ એપ્રિલ, ૧૯૭૩ એમ બે પ્રસંગોએ તેમણે ગુજરાતના રાજ્યપાલ તરીકે કામચલાઉ કાર્ય કર્યુ હતું. જુલાઈ,૧૯૭૩માં તેઓ ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થયા. ૧૨ જુલાઇ,૧૯૮૫ ના રોજ તેઓ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. ૧૨ જુલાઈ, ૧૯૮૫ થી ૨૦ ડિસેમ્બર, ૧૯૮૬ સુધી ભારતની સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે, ભગવતીએ ભારતીય ન્યાયિક પ્રણાલીમાં જાહેર હિતની દાવા અને સંપૂર્ણ જવાબદારીની ખ્યાલો રજૂ કર્યા. તેથી તેમને ન્યાયમૂર્તિ વી.આર. કૃષ્ણ ઐય્યર સાથે દેશમાં ન્યાયિક પ્રવૃતિના પ્રણેતા ગણવામાં આવે છે. ૧૯૮૨માં તેઓ કોલંબિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલ અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સના ફેલો તરીકે ચૂંટાયા હતા. તેઓ ૧૯૯૫ થી ૨૦૦૯ સુધી સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર સમિતિના સભ્ય હતા. ૨૦૯૧-૦૩માં તેઓ આ સમિતિના અધ્યક્ષ પણ હતા. તેમણે ૨૭ વર્ષથી વધુ સમય માટે ૨૦૦૬ સુધી આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનની નિષ્ણાતોની સમિતિના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું. તેઓ ૬ મે,૨૦૧૧ ના રોજ શ્રી સત્ય સાઈ ઇન્સ્ટિટટ્યુટ ઓફ હાયર લર્નિંગના કુલપતિ તરીકે નિયુક્ત થયા હતા. ૨૦૦૭માં ભગવતીને જાહેર બાબતોમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ન્યાયાધીશ ભગવતીનું નવી દિલ્હી સ્થિત તેમના ઘરે ટૂંકી બિમારી બાદ ૯૫ વર્ષની વયે ૧૫ જૂન, ૨૦૧૭ ના રોજ અવસાન થયું હતું. તેમની અંતિમ વિધિ ૧૭ જૂને કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારતના કાયદાકીય બંધુત્વનું ગૌરવ ગણાવતાં તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

15th June

Read more
પી.એન. ભગવતી પુણ્યતિથિ
15th June

ભારતના સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ પી.એન. ભગવતીનો જન્મ ૨૧ ડિસેમ્બર,૧૯૨૧ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનું પૂરું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી છે. તેમના પિતા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ નટવરલાલ એચ. ભગવતી હતા. ભગવતીએ મુંબઈમાં શિક્ષણ મેળવ્યું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. બોમ્બે યુનિવર્સિટીમાંથી ૧૯૪૧ માં ગણિત (ઓન.) ની ડીગ્રી લીધી હતી. ૧૯૪૨માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેમની ધરપકડ થઈ હતી અને ચાર મહિના ભૂગર્ભમાં રહ્યા હતા. બાદમાં તેમણે બોમ્બેની સરકારી લો કોલેજમાં અભ્યાસ કર્યા પછી બોમ્બે...

Read more
વિશ્વ સંગીત દિન
વિશ્વ સંગીત દિન

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21મી જૂન નો દિવસ 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી કલાકારોને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમનું સન્માન કરવાનો છે. આ દિવસને 'મેક મ્યુઝિક ડે' અને ફ્રેન્ચમાં 'ફેટ દ લા મ્યુઝિક' તરીકે પણ ઓળખવામાં આવે છે. સંગીતને બધા રોગોની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. સારું સંગીત સાંભળીને હળવાશની અનુભૂતિ થાય છે અને શરીરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર થવાના કારણે આરોગ્ય ખૂબ જ સારું રહે છે. સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને 21મી જૂનને સમગ્ર વિશ્વમાં 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21 જૂન, 1982ના રોજ સૌ પ્રથમ ફ્રાન્સમાં વિશ્વ સંગીત દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને લોકોની સામે ઊજવવાના ફ્રાન્સના મંત્રી મૌરિસ ફ્લુરેટ ના પ્રસ્તાવને 1981ના વર્ષમાં સ્વીકારવામાં આવ્યો હતો. ત્યાર પછી ફ્રાન્સના સંસ્કૃતિ પ્રધાન જેક લેંગે 1982માં વિશ્વ સંગીત દિન ઊજવવાની જાહેરાત કરી વર્ષ 1985માં બીજા દેશોએ પણ આ દિવસની ઉજવણીની શરૂઆત કરી. વિશ્વ સંગીત દિનની ઉજવણી માટે દર વર્ષે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવે છે. આ દિવસે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા મોટા ગાયકો અને સંગીતકારોનું સન્માન કરવામાં આવે છે. સંગીતને લગતા મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર વખતે વિશ્વ સંગીત દિનની ઉજવણીમાં વિશ્વના 120થી વધુ દેશો ભાગ લે છે. સમગ્ર વિશ્વમાં સંગીતપ્રેમીઓ આ દિવસની ઉજવણી કરે છે. જુદા જુદા દેશોના સંગીતકારો વાદ્યો વગાડી પોતાની કલાનું પ્રદર્શન કરે છે. -વિશ્વ સંગીત દિન યુવા અને કલાપ્રેમી સંગીતકારોને તેમની પ્રતિભાનું જીવંત પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.-લોકો સંગીતનું મહત્ત્વ જાણે અને સંગીત પ્રત્યે વધુ રુચિ કેળવે તે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે.-વર્તમાન યુવા પેઢી સંગીતનાં વિવિધ વાદ્યો, સંગીતના વિવિધ રાગ, લય-તાલ વિશે જાણે અને તેમાં રસ કેળવે તે પણ આ દિનની ઉજવણીનો આશય છે. સંગીત મૂળ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ સમુ+ગીત થાય છે. સમ એટલે યોગ્ય રીતે અને ગીત એટલે ગાવું. આમ, સંગીતનો અર્થ થાય છે સારી રીતે કે યોગ્ય રીતે ગાવું. સંગીત કોઈ એકલનો મિત્ર છે. તો કોઈ માટે નવું સર્જન છે. સંગીત કોઈના માટે સાધન તો, કોઈના માટે સાધના છે. સંગીત કોઈના માટે આનંદ તો. કોઈના માટે સમગ્ર જીવન છે. સંગીત એક એવું માધ્યમ છે કે જે આપણા જીવનમાં આપણી જરૂરિયાત પૂરી કરે છે. સંગીત આપણા શરીરની કેટલીય બીમારીઓની સારવાર પણ કરે છે. નિષ્ણાતોના મતે સંગીત યોગનો જ એક ભાગ છે. સંગીત આપણા શરીરમાં હોર્મોનનું સંતુલન જાળવી રાખે છે. આપણા માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. સંગીતમાં એટલી શક્તિ છે કે તેનાથી ઘણા રોગોમાંથી મુક્ત થવાય છે. જેને 'મ્યુઝિક થેરેપી'ના નામે ઓળખવામાં આવે છે. ડિપ્રેશન અને પ્રસવપીડામાં મ્યુઝિક થેરેપીથી અસરકારક પરિણામ મળે છે. મગજને શાંત રાખવા અને જીવનની વ્યથાઓથી બહાર લાવવાની શક્તિ સંગીત ધરાવે છે. બાળક કે મોટા બધાનાં જીવનમાં સંગીત એક અગત્યની ભૂમિકા ભજવે છે. જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગ દ્વારા એવું સાબિત પણ કર્યું છે કે વનસ્પતિ પર પણ સંગીતની અસર થાય છે. મનુષ્ય જીવનમાં સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ વિશ્વ સંગીત દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

21st June

Read more
વિશ્વ સંગીત દિન
21st June

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21મી જૂન નો દિવસ 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી કલાકારોને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમનું સન્માન કરવાનો છે. આ દિવસને 'મેક મ્યુઝિક ડે' અને ફ્રેન્ચમાં 'ફેટ દ લા મ્યુઝિક' તરીકે પણ ઓળખવામાં આવે છે. સંગીતને બધા રોગોની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. સારું સંગીત સાંભળીને હળવાશની અનુભૂતિ થાય છે અને શરીરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર થવાના કારણે આરોગ્ય ખૂબ જ સારું રહે છે. સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને 21મી જૂનને સમગ્ર વિશ્વમાં 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવાનું...

Read more
આંતરરાષ્ટ્રીય યોગ દિન
આંતરરાષ્ટ્રીય યોગ દિન

21મી જૂન નો દિવસ એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ.આ દિવસથી સૂર્યનું દક્ષિણાયન શરૂ થાય છે. આવી ખગોળીય વિશેષતા ધરાવતો દિવસ હોવાને કારણે 2014માં સંયુક્ત રાષ્ટ્રો (UN)ની મહાસભામાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનમાં 21મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકે ઊજવવાનું સૂચન કર્યું. ત્યાર બાદ 21 જૂન 2015ના દિવસે પ્રથમ 'આંતરરાષ્ટ્રીય યોગ દિન'ની ઉજવણી થઈ અને ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિન ઊજવવામાં આવે છે. વાસ્તવમાં યોગ એ આપણી અતિ પ્રાચીન વિદ્યા છે. યોગ એ પ્રાયોગિક વિજ્ઞાન છે. એટલું જ નહીં. તે પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે. યોગ શબ્દ સંસ્કૃત યુન્ન ધાતુ પરથી આવેલો છે. જેનો અર્થ થાય છે - જોડાણ સંગઠન.યોગના વિવિધ પ્રકારો છે. જેમ કે અષ્ટાંગ યોગ, હઠયોગ, કુંડલિની યોગ વગેરે. જેમાંથી આપણે સૌ મોટાભાગે અષ્ટાંગ યોગના આઠ અંગો નો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. જે નીચે મુજબ છે:1. યમ2. નિયમ3. આસન4. પ્રાણાયામ5. પ્રત્યાહાર6. ધારણા7. ધ્યાન8. સમાધિ જ્યાં સુધી આપણે પોતાની જાત સાથે જોડાતા નથી ત્યાં સુધી સમાધિ અવસ્થામાં પહોંચવું મુશ્કેલ છે. ઘણી જગ્યાએ આસન, પ્રાણાયામ અને ધ્યાન એ ત્રણ અંગોનો જ ઉપયોગ થાય છે. યોગ એ શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. જે વિવિધ આસનો, પ્રાણાયામ તથા ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે અને વ્યક્તિનાં મન, શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે. યોગના ફાયદાઃ-યોગના નિયમિત અભ્યાસથી આપણા પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર, ચેતાતંત્ર વગેરેની કાર્યશીલતા વધે છે.-વિવિધ આસનોના અભ્યાસથી શરીર ચુસ્ત, તંદુરસ્ત તથા સુદૃઢ બને છે તેમજ રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.-પ્રાણાયામ દ્વારા મગજ અને લોહીને વધુ પ્રાણવાયુ (ઓક્સિજન) મળે છે.-ધ્યાન દ્વારા મગજ શાંત બને છે અને સકારાત્મક વિચારો આવે છે-અનિદ્રા, લોહીનું દબાણ, પાંડુરોગ, મધુપ્રમેહ, માઈગ્રેન, સાંધાના દુખાવા, થાઇરોઇડ જેવા અનેક રોગોમાં નિયમિત યોગ અભ્યાસથી રાહત મળે છે.

21st June

Read more
આંતરરાષ્ટ્રીય યોગ દિન
21st June

21મી જૂન નો દિવસ એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ.આ દિવસથી સૂર્યનું દક્ષિણાયન શરૂ થાય છે. આવી ખગોળીય વિશેષતા ધરાવતો દિવસ હોવાને કારણે 2014માં સંયુક્ત રાષ્ટ્રો (UN)ની મહાસભામાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનમાં 21મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકે ઊજવવાનું સૂચન કર્યું. ત્યાર બાદ 21 જૂન 2015ના દિવસે પ્રથમ 'આંતરરાષ્ટ્રીય યોગ દિન'ની ઉજવણી થઈ અને ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિન ઊજવવામાં આવે છે.

વાસ્તવમાં યોગ એ આપણી અતિ પ્રાચીન વિદ્યા છે.

Read more
હેલન કેલર જન્મજયંતી
હેલન કેલર જન્મજયંતી

मूकं करोति बाचालम्, पशुं लंद्रघयते गिरिम् ।यत्कृपा ठमहं बन्दे परमानन्दं माध्यम् ॥ જો ઈશ્વરની કૃપા થાય તો મૂંગો બોલતો થઈ જાય છે અને પાંગળો પહાડ ઓળંગી જાય છે. જ્યારે આ શ્લોક બોલીએ ત્યારે થાય કે આ તો માત્ર ભાવના છે! આવું સાચોસાચ થોડું થાય? આવી તો કેવળ ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની હોય પણ કેટલાક દિવ્યાંગજનોને જોઈએ ત્યારે આપણને ખાતરી થઈ જાય છે કે આ શ્લોકનો એક એક અક્ષર સત્ય છે. કલ્પનાની સીમા જ્યાં પૂરી થાય ત્યાંથી પણ આગળનું સામર્થ્ય બતાવનારા તથા પૂર્વમાં ગવાયેલા શ્લોકના પશ્ચિમી પ્રતિધ્વનિ સમાન એક મહાન મહિલા એટલે હેલન કેલર. હેલન કેલરનો જન્મ અમેરિકાના અલાબામા સ્ટેટના ટસ્કમ્બિયામાં 27 જૂન, 1880ના રોજ થયો હતો. 19 મહિનાની ઉંમરે મગજ અને હોજરીની માંદગીના હુમલા પછી તેમણે દૃષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી દીધી હતી. તેમણે છ વર્ષની ઉંમર સુધી ઘરે જ સાંકેતિક ભાષા શીખવાનું શરૂ કર્યું. તેઓ દરેક વસ્તુને સ્પર્શીને, સૂંધીને અને ચાખીને ઓળખતાં. સાત વર્ષની ઉંમરે તેઓ તેમનાં પ્રથમ શિક્ષિકા અને જીવનભરના સાથીદાર ઍની સુલિવાનને મળ્યાં હતાં. જેમણે તેમને વાંચન અને લેખન સહિતની ભાષા શીખવી હતી. તેમણે દૃષ્ટિ દિવ્યાંગ (અંધજન) અને શ્રવણમંદ (બધિરો) માટેના વિશેષ શિક્ષણ અને મુખ્ય પ્રવાહની બંને શાળાઓમાં શિક્ષણ મેળવ્યું. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની રેડક્લિફ કોલેજમાં અભ્યાસ કર્યો. કલાના સ્નાતકની ઉપાધિ મેળવનાર તેઓ પ્રથમ મૂકબધિર અને દૃષ્ટિ દિવ્યાંગ વ્યક્તિ બન્યાં. તેમણે પ્રાણીઓથી લઈને મહાત્મા ગાંધી સુધીના વિષયો પર ઘણા પુસ્તકો, ભાષણો અને નિબંધો લખ્યા હતા. તેમણે શ્રમિકો અને મહિલાઓના મતાધિકાર, શ્રમ અધિકાર, સમાજવાદ અને કટ્ટરપંથી શક્તિઓની સામે ચળવળ ચલાવી હતી. 1924 થી 1968 સુધી 'અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ' (AFB) માટે કામ કર્યું હતું. તે દરમિયાન તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ (US) સહિત વિશ્વભરના 35 દેશોનો પ્રવાસ કર્યો હતો. 49 વર્ષની વયે તેઓ સફળતાની ઊંચાઈએ પહોંચ્યાં હતાં. હેલન કેલર જીવનમાં કદી નાસીપાસ ન થયાં. આવા શારીરિક પડકારો વચ્ચે પણ તેમણે જિંદગીનો જંગ સફળતાથી જીતી બતાવ્યો. તેઓએ લાખો દિવ્યાંગજનોને પુરુષાર્થ અને હિંમતથી પોતાના જીવનનો રાહ સુપેરે કંડારવાની પ્રેરણા આપી હતી. તેમનું જન્મસ્થળ હવે એક સંગ્રહાલય છે. હેલન કેલરે બાલ્યાવસ્થામાં જ જોવાની અને સાંભળવાની શક્તિઓ ગુમાવી દીધી હોવા છતાં મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસથી અથાક સંઘર્ષ કરીને જીવનમાં ઊંચાઇઓ સર કરી તેમના જીવનને દર્શાવતી હેલન કેલર અને સુલિવાનની સિદ્ધિ કથા, હેલન કેલરની આત્મકથા -THE STORY OF MY LIFE (1903)  તેમજફિલ્મ ને નાટક THE MIRACLE WORKER (ધ મિરેકલ વર્કર) પ્રખ્યાત થયા હતા. તેમણે સાબિત કરી દીધું કે ગમે તેટલી શારીરિક અક્ષમતા હોય તો પણ દૃઢ સંકલ્પ, આત્મબળ અને માર્ગદર્શન મળે તો દિવ્યાંગ વ્યક્તિ પણ જીવનનાં ગિરિશિખર ચઢી શકે છે. તેમની આવી વિશિષ્ટ સિદ્ધિઓને યાદ કરી બિરદાવવા માટે જ તેમનો જન્મદિન ઊજવવામાં આવે છે.

27th June

Read more
હેલન કેલર જન્મજયંતી
27th June

मूकं करोति बाचालम्, पशुं लंद्रघयते गिरिम् ।
यत्कृपा ठमहं बन्दे परमानन्दं माध्यम् ॥

જો ઈશ્વરની કૃપા થાય તો મૂંગો બોલતો થઈ જાય છે અને પાંગળો પહાડ ઓળંગી જાય છે.

જ્યારે આ શ્લોક બોલીએ ત્યારે થાય કે આ તો માત્ર ભાવના છે! આવું સાચોસાચ થોડું થાય? આવી તો કેવળ ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની હોય પણ કેટલાક દિવ્યાંગજનોને જોઈએ ત્યારે આપણને ખાતરી થઈ જાય છે કે આ શ્લોકનો એક એક અક્ષર સત્ય છે. કલ્પનાની સીમા જ્યાં પૂરી થાય ત્યાંથી પણ આગળનું સામર્થ્ય બતાવનારા તથા પૂર્વમાં ગવાયેલા શ્લોકના પશ્ચિમી પ્રતિધ્વનિ સમાન એક મહાન મહિલા એટલે હેલન...

Read more
કલ્પના ચાવલા જન્મજયંતી
કલ્પના ચાવલા જન્મજયંતી

“તમે જે કામ કરવા ઈચ્છો તે જરૂર કરો, કદાચ શક્તિ બહારનું લાગે તો પણ કરો. જરૂર સફળતા મળશે.” આ શબ્દો ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા ના છે. અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો. તેમના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નામ સંજ્યોતિ હતું. તે નાનપણથી જ ખૂબ જ ચંચળ સ્વભાવના હતા. આમ ઘરમાં સૌથી નાના હોવાથી માતા-પિતા ભાઇ-બહેનોએ તેમને ખૂબ લાડકોડથી મોટા કર્યા હતા. કલ્પનાનું પ્રારંભિક શિક્ષણ કરનાલની ટાગોર બાલનિકેતન સિનિયર માધ્યમિક શાળામાં થયું હતું. નાનપણથી જ તેમને એરોનોટિકલ એન્જિનિયર બનવાનો શોખ હતો. તેમના પિતા તેમને ડૉક્ટર અથવા શિક્ષક બનાવવા માંગતા હતા, પરંતુ તે નાનપણથી જ અવકાશમાં મુસાફરી કરવાની કલ્પના કરતા હતા. સ્વપ્નને સાકાર કરવા કલ્પના ચાવલાએ પંજાબ એન્જિનિયરિંગ કોલેજ, ચંદીગઢ માં એરોનોટિકલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે B.E.માં પ્રવેશ મેળવ્યો અને 1982માં એરોનોટિકલ એન્જિનિયરિંગની પદવી પણ મેળવી. આ પછી કલ્પના અમેરિકા ગયા અને 1982માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર કરવા માટે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ માં પ્રવેશ મેળવ્યો. તેમણે આ અભ્યાસક્રમ 1984માં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. અંતરિક્ષયાત્રી બનવાની તેમની ઈચ્છા એટલી પ્રબળ હતી કે તેમણે 1986માં એરોસ્પેસ એન્જિનિયરિંગ'માં બીજીવાર માસ્ટર કર્યું. ત્યારબાદ 1988માં તેમણે કોલરાડો યુનિવર્સિટી માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ વિષયમાં PhD પણ પૂર્ણ કર્યું. કલ્પના ચાવલા એ NASA ના એમ્સ સંશોધન કેન્દ્ર પર કામ કરતાં કરતાં અંતરીક્ષને લગતાં સંશોધનો ચાલુ રાખ્યા. 1994 માં NASA એ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી. કલ્પના ચાવલા માર્ચ, 1995માં NASA ના અવકાશયાત્રી કોર્પ્સ સાથે જોડાયાં. તેઓ 1996માં પ્રથમ ઉંડાન માટે પસંદ થયાં. 19 નવેમ્બર થી 5 સપ્ટેમ્બર, 1997 સુધી અવકાશમાં STS–87 માં પ્રાઇમ રોબોટીક આર્મ ઓપરેટર તરીકે ફરજ બજાવી. 6 અવકાશયાત્રી સાથે સ્પેસશટલ કોલંબિયા STS-87 માં ઉડાન ભરી. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજા ભારતીય અંતરીક્ષયાત્રી વ્યક્તિ હતા. પ્રથમ અવકાશયાત્રા દરમિયાન ચાવલાએ પૃથ્વીની 252 ભ્રમણકક્ષામાં 10.4 કરોડ માઇલની મુસાફરી કરી અને 372 કલાક કરતાં વધુ સમય અવકાશમાં રહ્યા હતા. STS-87 પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી, ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનિકી કામગીરી સોંપવામાં આવી હતી. 2000 માં તેમને STS-107 ની ટુકડીના ભાગરૂપે બીજા ઉડ્ડયન માટે પસંદ કરવામાં આવ્યા હતા. 1 ફેબ્રુઆરી, 2003 ના રોજ ધરતીથી 63 કિલોમીટર દૂર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમિયાન સ્પેસશટલ કોલંબિયા તૂટી પડતાં કલ્પના ચાવલા અને બધા સાત યાન સભ્યોનું ટેક્સાસમાં મૃત્યુ નીપજ્યું હતું.   ભારતના નારી રત્નોમાં કલ્પના ચાવલાનું નામ અમર રહેશે.

01st July

Read more
કલ્પના ચાવલા જન્મજયંતી
01st July
“તમે જે કામ કરવા ઈચ્છો તે જરૂર કરો, કદાચ શક્તિ બહારનું લાગે તો પણ કરો. જરૂર સફળતા મળશે.” આ શબ્દો ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા ના છે.

અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો. તેમના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નામ સંજ્યોતિ હતું. તે નાનપણથી જ ખૂબ જ ચંચળ સ્વભાવના હતા. આમ ઘરમાં સૌથી નાના હોવાથી માતા-પિતા ભાઇ-બહેનોએ તેમને ખૂબ લાડકોડથી મોટા કર્યા હતા. કલ્પનાનું પ્રારંભિક શિક્ષણ કરનાલની ટાગોર બાલનિકેતન સિનિયર માધ્યમિક શાળામાં થયું હતું....
Read more
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન

દર વર્ષે 3 જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન ઊજવવામાં આવે છે. પ્રકૃતિ અને પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું જોખમકારક છે તે વિશે લોકોને માહિતી આપવા તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે 3 જુલાઈ 2009 ના દિવસથી સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન મનાવવાની શરૂઆત થઈ. પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર સમસ્યામાંથી સમગ્ર વિશ્વને બચાવવા માટે આ દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.પ્લાસ્ટિક બેગની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ પેપર બેગ અથવા કપડાંની બેગનો ઉપયોગ કરવા માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દર વર્ષે આ દિવસ ઊજવવામાં આવે છે. આ અભિયાન ‘ઝીરો વેસ્ટ યુરોપ બેગ ફ્રી વર્લ્ડ’ દ્વારા સમગ્ર વિશ્વને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે વૈશ્વિક પહેલ બની ગયું છે. વ્યક્તિગત સ્તર પર પ્લાસ્ટિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટેનો સંકલ્પ લેવા અંગે લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસે મીટીંગ, ડિબેટ્સ, સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે જળાશયો, જંગલો અને અન્ય જગ્યાઓ પરથી પ્લાસ્ટિક દૂર કરી પર્યાવરણને સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવે છે.દુનિયામાં પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસેને દિવસે ખૂબ વધી રહ્યો છે અને તેમાંય બેગના સ્વરૂપમાં તેનો ઉપયોગ સૌથી વધારે થાય છે. શાકમાર્કેટથી લઈને મોટી મોટી માર્કેટ અને મોલમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ હોવા છતાં વેચાયેલ દરેક સામાન ખુલ્લેઆમ પ્લાસ્ટિક બેગમાં અપાઈ રહ્યો છે. દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ થાય છે. તેમાંથી ફક્ત 1% પ્લાસ્ટિક બેગનું જ રિસાઇક્લિંગ થાય છે. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ એવરેજ 30 મિનિટ માટે થાય છે, પરંતુ તેનો નાશ થવા માટે 500 થી 1000 વર્ષ લાગે છે. અન્ય પદાર્થ માટીમાં ભળી જાય છે, પરંતુ પ્લાસ્ટિક વર્ષો સુધી માટીમાં ભળતું નથી અને પર્યાવરણને દૂષિત કરે છે.પ્લાસ્ટિકનો દુષ્પ્રભાવ જાણતા હોવા છતાં લોકો તેનો ઉપયોગ પોતાની સગવડ ખાતર કરે છે અને પછી ફેંકી દે છે. નિર્દોષ પશુ પંખીઓથી લઈને સમગ્ર જીવસૃષ્ટિ માટે પ્લાસ્ટિક હાનિકારક હોવા છતાં લોકો તેની ગંભીરતા સમજતા નથી. દરિયામાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણથી દરિયાઈ જીવો પર પણ જોખમ વધી રહ્યું છે અને દરિયાઈ જીવો લુપ્ત થતા જાય છે.પ્લાસ્ટિક ના કારણે થતા પ્રદૂષણો: પ્લાસ્ટિક બાળવાથી ડાયોક્સિન ગેસ નીકળે છે, જે તાજી હવાને દૂષિત કરે છે અને સમગ્ર જીવસૃષ્ટિને જીવલેણ રોગ તરફ ધકેલે છે. પ્લાસ્ટિકની થેલીઓ જમીનમાં દાટવાથી ભૂમિ પ્રદૂષણ પણ થાય છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ભૂમિથી લઈને જળાશયો, સાગર, પ્રકૃતિ અને પર્યાવરણ માટે પણ જોખમકારક છે.

03rd July

Read more
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન
03rd July

દર વર્ષે 3 જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન ઊજવવામાં આવે છે. પ્રકૃતિ અને પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું જોખમકારક છે તે વિશે લોકોને માહિતી આપવા તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે 3 જુલાઈ 2009 ના દિવસથી સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન મનાવવાની શરૂઆત થઈ. પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર સમસ્યામાંથી સમગ્ર વિશ્વને બચાવવા માટે આ દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પ્લાસ્ટિક બેગની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ પેપર બેગ અથવા કપડાંની બેગનો ઉપયોગ કરવા માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દર વર્ષે આ દિવસ ઊજવવામાં આવે છે. આ અભિયાન...

Read more
સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ

સ્વામી વિવેકાનંદજી ના જન્મદિનને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 ના રોજ થયો હતો. આધુનિક ભારતના નિર્માતા પૈકીનાં એક એવા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેની અનેક શાખાઓ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌ પ્રથમ 1984 ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી 'રાષ્ટ્રીય યુવા દિન' તરીકે ઉજવવામાં આવે છે.   સ્વામી વિવેકાનંદ 19મી સદીના સંત શ્રી રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક હતા. તેમને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે. તેમને 19મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વ કક્ષાએ આદર અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક વિશ્વમાં હિન્દુ ધર્મને સ્વીકૃત બનાવવામાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન મુખ્ય ગણવામાં આવે છે. તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં 1893 માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેઓના પ્રવચનની શરૂઆત તેમણે "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન કરેલું તેમજ આ પ્રવચનથી તેઓ વ્યક્તિ વિશેષ તરીકે વિશ્વ પ્રસિદ્ધ બન્યા હતા.   બાળપણથી જ તેમને આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગની લાગી હતી. ઇશ્વરનાં દર્શન કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યા. આખરે તેમના શિષ્ય બની ગયા. પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. પ્રખર વક્તા તરીકે સ્વામી વિવેકાનંદે અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. ભારત પરત આવીને 1987માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશનની સ્થાપના કરી. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન જેવા રાષ્ટ્રીય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડયો હતો.   સ્વામી વિવેકાનંદ એક મહાન આધ્યાત્મિક વ્યક્તિ અને ફિલોસોફર હતા. તે વૈશ્વિક આધ્યાત્મિકતા, સંવાદિતા, વૈશ્વિક ભાઈચારો અને સમગ્ર વિશ્વમાં શાંતિ ઇચ્છતા હતા. તેમનું શિક્ષણ અને ફિલસૂકીનો વર્તમાન સમયમાં પણ અસ્તિત્વ ધરાવે છે અને આધુનિક યુગના યુવાનોને માર્ગદર્શન આપે છે. તેમણે યુવાનોને પ્રેરણારૂપ સંદેશ આપેલો કે " ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો". 4 જુલાઈ, 1902 ના રોજ બેલુર મઠ ખાતે ધ્યાનની અવસ્થામાં તેમનું અવસાન થયું. માત્ર 39 વર્ષની ટૂંકી વયમાં હિંદુ ધર્મ, સમાજસેવા અને દેશ માટે તેઓ ઘણું બધુ કાર્ય કરીને ગયા.   સ્વામી વિવેકાનંદે સ્થાપેલી સંસ્થાઓ તેમના શિક્ષણ અંગેના વિચારો અને ફિલસૂકીનો ફેલાવો કરી રહી છે. જે સમાજ અને રાષ્ટ્રની સુધારણા માટે કામ કરી રહી છે. તેમણે વેદાંત અને ઘણી સામાજિક સેવાઓનો પ્રચાર-પ્રસાર કર્યો. તેઓ વિશ્વના યુવાનો માટે કાયમ પ્રેરણારૂપ બની રહેશે.

04th July

Read more
સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
04th July
સ્વામી વિવેકાનંદજી ના જન્મદિનને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 ના રોજ થયો હતો. આધુનિક ભારતના નિર્માતા પૈકીનાં એક એવા સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેની અનેક શાખાઓ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌ પ્રથમ 1984 ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12મી જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી 'રાષ્ટ્રીય યુવા...
Read more
ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ
ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ

આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત ઉધોગપતિ ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢના ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વર્ણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.) માં કામ કર્યું. બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.(A. Besse & Co.) શેલ (Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. તેઓ સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે ૧૯૬૨માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ની સ્થાપના કરી હતી. રિલાયન્સ પોલીયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી. ટેક્સટાઈલ વ્યવસાયમાં તકો હોવાનું લાગતાં ધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઇલ મિલ ઈ.સ.૧૯૭૭ ના વર્ષમાં અમદાવાદનાં નરોડા વિસ્તારમાં શરૂ કરી. સમય વીતતા ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ઇન્ફર્મેશન ટેકનોલોજી,એનર્જી,પાવર, ટેક્સટાઇલ, મૂડી બજારો અને લોજીસ્ટીક્સ ક્ષેત્રે પણ કારોબારનો વિસ્તાર કર્યો. ૧૯૭૭માં ધીરુભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઇ ગયા અને ૨૦૦૭ સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશ)ની સંયુક્ત સંપત્તિ ૬૦ અબજ ડોલર હતી, જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા. અમેરિકામાં ૧૦૦ વર્ષના સમયગાળામાં ૧૦૦ મિલિયન ડોલર્સ બોન્ડસ બહાર પાડનાર રિલાયન્સ પ્રથમ એશિયાઈ કંપની છે. નવેમ્બર, ૨૦૦૦માં ભારતના કેમિકલ ઉધોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે કેમટેક ફાઉન્ડેશન અને કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ દ્વારા તેમને 'મેન ઓફ સેન્ચ્યુરી' નું સન્માન અપાયુ હતું. એશિયાવીક (Asiaweek) મેગેઝિન દ્વારા ૧૯૯૬,૧૯૯૮ અને ૨૦૦૦માં એશિયાના સૌથી વધુ શક્તિશાળી "પાવર -૫૦" વ્યક્તિઓની યાદીમાં તેમનો સમાવેશ થયો હતો. જૂન,૧૯૯૮માં સૌ પ્રથમ વ્હોર્ટન સ્કૂલનું ડીન મેડલ પ્રાપ્ત કરવાનું ભારતીયનું ગૌરવ ધીરુભાઈને પ્રાપ્ત થયું હતું. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) દ્વારા ધીરુભાઈ અંબાણી, મેન ઓફ 20એથ સેન્ચ્યુરી જાહેર થયા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (Times of India) દ્વારા ૨૦૦૦માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં "ગ્રેટેસ્ટ ક્રીએટર ઓફ વેલ્થ ઈન ધી સેન્ચ્યુરીસ" જાહેર થયા. સફળ ઉધોગ - વ્યવસાય સમૂહ સ્થાપિત કરનાર આ અદ્વિતીય વિરલ પ્રતિભાનું નિધન ૬ જુલાઈ, ૨૦૦૨ ના રોજ મુંબઈ ખાતે થયું હતું. ભારતીય પોસ્ટ વિભાગે ૨૮ ડિસેમ્બર, ૨૦૦૨માં ધીરુભાઈ અંબાણીની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

06th July

Read more
ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ
06th July

આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત ઉધોગપતિ ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢના ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વર્ણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.) માં કામ કર્યું. બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.(A. Besse & Co.) શેલ (Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની...

Read more
વિશ્વ વસ્તી દિવસ
વિશ્વ વસ્તી દિવસ

દર વર્ષે 11મી જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. વધતી જતી વસ્તી એ વિશ્વના મોટાભાગના દેશોને મૂંઝવતી જટિલ સમસ્યા છે. વિશ્વના દેશોમાં જે ઝડપે વસ્તી વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વસ્તી વધારો કોઈપણ દેશના વિકાસને ભરખી જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ ની સંચાલન પરિષદ દ્વારા આ દિન ઊજવવાની શરૂઆત 1989 માં કરવામાં આવી હતી. 11 જુલાઈ, 1987 ના દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજ ને પાર કરી ગઇ હોવાથી આ તારીખે વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે. ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ જેવા દેશોમાં વસ્તી વધારાના કારણે અનેક સમસ્યાઓ જન્મી છે. વસ્તી વધારાને નિયંત્રિત કરવા નવી રાષ્ટ્રીય વસ્તી નીતિ પણ સરકારે અમલમાં મૂકી છે. ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સતત વધતી વસ્તી એ ગંભીર ચિંતાનો વિષય છે. વધતી વસ્તીને કારણે ભૂખમરો, ગરીબી, નિરક્ષરતા અને બેરોજગારી જેવી સમસ્યાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં વસ્તી નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે. લોકો હજી પણ વસ્તી વધારાની સમસ્યાને સમજી શકતા નથી કે ભવિષ્યમાં આ સમસ્યા દેશના વિકાસમાં કેટલો મોટો અવરોધ સર્જી શકે છે. સભાનતા અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા પર કાબુ મેળવવો અશક્ય છે. વસ્તી વધારાનાં અનેક કારણો છે. જન્મદર ઊંચો છે, જ્યારે સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલાં સંશોધનો અને વિકાસના પરિણામે માનવ મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. વસ્તી વધારાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ, ભોજન, રહેઠાણ વગેરે સમસ્યાઓના નિવારણ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધપાત્ર કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી. વસ્તીનો આ પ્રચંડ વધારો તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે. આ દિવસની ઉજવણી દ્વારા આપણે સૌ આ ગંભીર સમસ્યા તરફ સતર્ક થઈ તેનો યોગ્ય ઉકેલ શોધીએ જેથી કરીને આવનારી પેઢીઓ માટે આપણે કંઇક સારું કરી શકીએ. વસ્તી વધારો એ રાષ્ટ્ર અને વિશ્વના તમામ જાતિ, સંપ્રદાય કે વર્ગ માટે ચિંતા ઉપજાવનારો છે.

11th July

Read more
વિશ્વ વસ્તી દિવસ
11th July
દર વર્ષે 11મી જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. વધતી જતી વસ્તી એ વિશ્વના મોટાભાગના દેશોને મૂંઝવતી જટિલ સમસ્યા છે.
વિશ્વના દેશોમાં જે ઝડપે વસ્તી વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વસ્તી વધારો કોઈપણ દેશના વિકાસને ભરખી જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ ની સંચાલન પરિષદ દ્વારા આ દિન ઊજવવાની શરૂઆત 1989 માં કરવામાં આવી હતી. 11 જુલાઈ, 1987 ના દિવસે વિશ્વની...
Read more
વિશ્વ યુવા કૌશલ્ય દિન
વિશ્વ યુવા કૌશલ્ય દિન

યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ભારતને યુવાઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ભારત સહિત ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ યુવાનો પાસે પૂરતા પ્રમાણમાં રોજગારની તકો ઉપલબ્ધ નથી. ઘણા યુવાનો એવા છે કે જેઓ મર્યાદિત રોજગારીની તકોને કારણે તેમની આવડત મુજબ નોકરી (Job) મેળવી શકતા નથી. જેને કારણે ઓછા પગારમાં પણ કામ કરવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 15 જુલાઈ એ વિશ્વ યુવા કૌશલ્ય દિન (World Youth Skills Day) ઊજવવામાં આવે છે. વિશ્વ યુવા કૌશલ્ય દિનની શરૂઆત યુવાનોમાં બેરોજગારી ના પડકારોને ઘટાડવા અને તેમને કૌશલ્ય વિકાસ માટે જાગૃત કરવા માટે કરવામાં આવી હતી. શ્રીલંકાની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 નવેમ્બર, 2014 ના રોજ દર વર્ષે વિશ્વ યુવા કૌશલ્ય દિનની ઉજવણી કરવાની જાહેરાત કરી. વિશ્વ યુવા કૌશલ્ય દિન 15 જુલાઈ, 2015 ના રોજ પ્રથમ વખત ઊજવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસે યુવાનોને કૌશલ્ય વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત 15 જુલાઈ, 2015ના રોજ પ્રથમ વખત વિશ્વ યુવા કૌશલ્ય દિન મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતના તત્કાલીન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એ આ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશના યુવાનોને તેઓની રુચિ અનુસાર વિવિધ ક્ષેત્રોમાં મફત ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ રોજગારી મેળવી શકે. 14 થી 35 વર્ષ ની વયજૂથના યુવાનો આ મિશન હેઠળ તાલીમ મેળવી શકે છે. ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષ માટેની તાલીમ માટે બેરોજગાર યુવાનોની નોંધણી કરવામાં આવે છે અને અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર સમગ્ર દેશમાં માન્ય ગણાય છે. આ પ્રમાણપત્ર પછી યુવાનો કૌશલ્યના આધારે દેશમાં ગમે ત્યાં સરળતાથી રોજગાર મેળવી શકે છે. યુવાનોની રોજગારીની તકોને વધારવા માટે સબસીડી પણ આપવામાં આવે છે. યુવા કૌશલ્ય માટે સરકાર દ્વારા નીચે મુજબની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે: દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

15th July

Read more
વિશ્વ યુવા કૌશલ્ય દિન
15th July
યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ભારતને યુવાઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ભારત સહિત ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ યુવાનો પાસે પૂરતા પ્રમાણમાં રોજગારની તકો ઉપલબ્ધ નથી. ઘણા યુવાનો એવા છે કે જેઓ મર્યાદિત રોજગારીની તકોને કારણે તેમની આવડત મુજબ નોકરી (Job) મેળવી શકતા નથી. જેને કારણે ઓછા પગારમાં પણ કામ કરવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 15 જુલાઈ એ વિશ્વ યુવા કૌશલ્ય દિન (World Youth Skills Day) ઊજવવામાં આવે છે.
વિશ્વ યુવા કૌશલ્ય દિનની શરૂઆત યુવાનોમાં બેરોજગારી ના...
Read more
વિશ્વ સાપ દિન
વિશ્વ સાપ દિન

આપણી આસપાસ વસતા સેંકડો પ્રકારના સજીવોમાં વિવિધ પ્રકારના સાપ માનવ સમાજમાં જુદા જ પ્રકારનું મહત્ત્વ ધરાવે છે. તેના અંગે કેટલીક ગેરસમજો પણ પ્રવર્તતી જોવા મળે છે. જેથી સાપ વિશે લોકોમાં સમજ વિકસે તેમજ પર્યાવરણમાં તેમનું મહત્ત્વ સમજાય તે હેતુ ધ્યાનમાં રાખી પ્રતિ વર્ષ 16 જુલાઈ ને વિશ્વ સાપ દિન તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે. ભારતમાં સાપની પૂજા થાય છે અને નાગને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે. વિશ્વમાં સાપની અંદાજે 2,900 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.   માનવ નજરમાં સાપની નકારાત્મક ભૂમિકા હોય છે અને લોકો તેમને પ્રાણીઓના સૌથી મોટા દુશ્મન માને છે. તેથી જ મોટાભાગના લોકો સાપને જોતાં જ તેને મારી નાખે છે. પરંતુ આપણે બધાએ એ જાણવું જોઇએ કે, આપણા પર્યાવરણને સંતુલિત કરવામાં સાપ મોટી ભૂમિકા ભજવે છે. અનાજ, કપડાં અને અન્ય ખાદ્યપદાર્થોને નુકસાન પહોંચાડતા ઉંદર, કીટકો વગેરે સાપનો ખોરાક છે. જેમનું જૈવિક નિયંત્રણ સાપ દ્વારા જ શક્ય છે. સાપ પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત તેના વિષમાંથી બનતી દવાઓ પણ ઉપયોગી બને છે. ભારતમાં સાપની અંદાજે 250 જાતિઓ છે, તેમાં 50 જેટલા ઝેરી સાપ છે. ઝેરી સાપોમાં જમીન પર વસતા ઝેરી સાપો ની સંખ્યા માત્ર 4 છે. જેમાં નાગ, કાળોતરો, ફુરસો અને ચિતળ નો સમાવેશ થાય છે. આંધળા સાપ, આંધળી ચાકણ, અજગર, ધામણ, વૃક્ષ-સર્પ જેવા બિનઝેરી સાપ પણ જોવા મળે છે. મોટાભાગના ભારતીય સાપોમાં ઈંડાંનો સેવનકાળ 60 થી 90 દિવસ નો હોય છે. સાપનું આયુષ્ય 4 થી 25 વર્ષ ની વચ્ચે હોય છે. સાપ તેની જીભ વડે ગંધની દિશા પારખે છે. સાપનું હૃદય તેના લાંબા શરીરમાં આગળ પાછળ સરકીને જગ્યા બદલી શકે છે જેથી તે કોઇ મોટું જાનવર સહેલાઇથી ગળી શકે છે. મોટા ભાગના સાપ ડંખ મારીને શિકારના શરીરમાં ઝેર દાખલ કરે છે. કેટલાક સાપ જડબામાંથી ઝેરની પિચકારી મારી શકે છે. સાપની આંખ ઉપર પોપચાં હોતા નથી, તે હંમેશાં ખુલ્લી રહે છે. સાપનાં ફેફસાં, લીવર, કિડની અને આંતરડાં તેના શરીરના પ્રમાણમાં લાંબા આકારનાં હોય છે. સાપ અવાજ સાંભળી શકતા નથી પણ અવાજના મોજાંની ધ્રૂજારી અનુભવી શકે છે. સૌથી નાનો સાપ બ્રાહ્મણી અંધ સાપ છે, જે આશરે બે ઇંચનો હોય છે. જ્યારે સૌથી મોટા સાપ એનાકોન્ડા આશરે 40 ફૂટ લાંબા હોય છે. સાપ તેના શરીરની ચામડીનું આવરણ નિયમિત બદલે છે. તેને કાંચળી કહે છે. સાપ કરડે ત્યારે શું કરવું: જો તમને અચાનક સાપ કરડે તો તમારે ડરવું જોઈએ નહિ કારણ કે ડરી જવાથી હ્રદયના ધબકારા વધી જાય છે અને લોહીના દબાણમાં ફેરફાર થાય છે. પીડિત વ્યક્તિ સાથે વાત કરી તેનો ડર દૂર કરવાનો પ્રયાસ કરવો. જે જગ્યાએ સાપ કરડ્યો હોય તે જગ્યાને ચોખ્ખા કપડાંની મદદથી સાફ કરવી. અસરગ્રસ્તને ડંખની જગ્યા પર મલમ અથવા તો પાટો બાંધીને નજીકના દવાખાને લઈ જવો. પીડિત વ્યક્તિને સોજો આવે તે પહેલાં પાટો કાઢી લેવો જોઈએ. સાપ કરડે ત્યારે શું ન કરવું: સાપ ડંખ મારે તે ભાગમાં ચીરો ન પાડવો. શરીરના જે પણ ભાગમાં સાપે ડંખ માર્યો હોય તે ભાગ હલાવવો નહીં. દર્દીને જાતે કોઈપણ દવા કે પેઇન કિલર આપવી જોઈએ નહીં. આપણા ભારત દેશમાં સાપને લગતી કેટલીક કહેવતો પણ છે: સાપના દરમાં હાથ નાંખવો સાપે છછૂંદર ગળવું દૂધ પાઈને સાપ ઉછેરવો સાપને ઘેર પરોણો સાપ ગ્રહણ ટાણે સાપ નીકળવો ઝાઝી કીડી સાપને તાણી જાય સંઘર્યો સાપ પણ કામ આવે સાપ ગયા અને લીસોટા રહ્યા

16th July

Read more
વિશ્વ સાપ દિન
16th July
આપણી આસપાસ વસતા સેંકડો પ્રકારના સજીવોમાં વિવિધ પ્રકારના સાપ માનવ સમાજમાં જુદા જ પ્રકારનું મહત્ત્વ ધરાવે છે. તેના અંગે કેટલીક ગેરસમજો પણ પ્રવર્તતી જોવા મળે છે. જેથી સાપ વિશે લોકોમાં સમજ વિકસે તેમજ પર્યાવરણમાં તેમનું મહત્ત્વ સમજાય તે હેતુ ધ્યાનમાં રાખી પ્રતિ વર્ષ 16 જુલાઈ ને વિશ્વ સાપ દિન તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે. ભારતમાં સાપની પૂજા થાય છે અને નાગને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે. વિશ્વમાં સાપની અંદાજે 2,900 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે....
Read more
આંતરરાષ્ટ્રીય ન્યાય દિન
આંતરરાષ્ટ્રીય ન્યાય દિન

પ્રતિ વર્ષ 17 જુલાઈ ને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વના દેશોની ન્યાયપ્રણાલીની સ્થાપના માટે કરેલી ‘રોમસંધિ'ની વર્ષગાંઠ હોવાથી આ દિવસને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ જસ્ટિસ ડે પણ કહેવાય છે. માનવ સમાજનું મહત્ત્વનું અંગ છે સભ્યતા. તમામ માનવોને સમાન અધિકારો પ્રાપ્ત થાય તેમજ શોષણથી મુક્ત સમાજનું નિર્માણ થાય ત્યારે જ સભ્ય સમાજ બનાવી શકાય. ઇતિહાસમાં કેટલાક લોકો પર જોર, જુલમ, શોષણ જેવી ઘટનાઓ નોંધાઈ છે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. તેથી આ તમામ લોકોને ન્યાય મળે, તેઓ ઉન્નત જીવન જીવી શકે તેમજ માનવીય ગરિમા પ્રાપ્ત કરે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યત્વે સમગ્ર વિશ્વમાં ન્યાય માટેની જાગૃતિ ફેલાય તે હેતુથી આ દિવસ ઊજવવામાં આવે છે. ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, લિંગ કે શારીરિક જાતિભેદ વગેરે વિષયો પર અનિચ્છનીય પ્રકારે ચાલી રહેલી તમામ બાબતોનો વિરોધ કરવા તેમજ ન્યાય મેળવવાના હેતુથી સમગ્ર સૃષ્ટિને જાગૃત કરવાનો આ દિવસ છે. સમગ્ર વિશ્વમાં શાંતિ અને આનંદ અવિરત રહે તે માટે સર્વે એકત્ર થઈને ન્યાયની માંગણી કરે છે. ભારતના બંધારણમાં નાગરિકને નીચે મુજબના મૂળભૂત હક (અધિકાર) આપવામાં આવ્યા છે. પરંતુ સૃષ્ટિમાં માત્ર મનુષ્યો જ નથી રહેતા એ વાત આપણે સૌએ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજોનો હક સમગ્ર વિશ્વમાં ન્યાય વ્યવસ્થાને વધુ મજબૂત અને અસરકારક બનાવવાના હેતુસર તેમજ ન્યાય પ્રત્યે વ્યક્તિઓને સભાન કરવાના પ્રયત્નોના ભાગરૂપે આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશ્વ શાંતિ અને સલામતી સ્થાપવામાં ન્યાય દિવસ સહાય કરે છે.

17th July

Read more
આંતરરાષ્ટ્રીય ન્યાય દિન
17th July
પ્રતિ વર્ષ 17 જુલાઈ ને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વના દેશોની ન્યાયપ્રણાલીની સ્થાપના માટે કરેલી ‘રોમસંધિ'ની વર્ષગાંઠ હોવાથી આ દિવસને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ જસ્ટિસ ડે પણ કહેવાય છે.
માનવ સમાજનું મહત્ત્વનું અંગ છે સભ્યતા. તમામ માનવોને સમાન અધિકારો પ્રાપ્ત થાય તેમજ શોષણથી મુક્ત સમાજનું નિર્માણ થાય ત્યારે જ સભ્ય સમાજ બનાવી શકાય. ઇતિહાસમાં કેટલાક લોકો પર જોર, જુલમ, શોષણ જેવી ઘટનાઓ નોંધાઈ છે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. તેથી આ તમામ લોકોને ન્યાય મળે, તેઓ ઉન્નત જીવન જીવી શકે તેમજ માનવીય...
Read more
આંતરરાષ્ટ્રીય ચેસ દિન
આંતરરાષ્ટ્રીય ચેસ દિન

ચેસની રમત વધુ ને વધુ લોકપ્રિય બને અને તેમાંથી લોકો મનોરંજન મેળવી શકે એ માટે 20 જુલાઈ ના દિવસને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવામાં આવે છે. 20 જુલાઈ, 1924 ના રોજ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. આથી યુનેસ્કો દ્વારા 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાનું સૂચન કરવામાં આવેલ. ત્યાર બાદ 1966 માં 20 જુલાઈને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાની શરૂઆત થઇ હતી. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનમાં મોટાભાગના દેશોનું પ્રતિનિધિત્વ છે. આ દિવસે વિશ્વભરમાં ચેસ સ્પર્ધાનું આયોજન થાય છે. 12 ડિસેમ્બર, 2019ના રોજ યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે આ દિવસને માન્યતા આપતો ઠરાવ મંજૂર કર્યો હતો. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા આ દિવસની ઉજવણી કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં ચેસને ચતુરંગ અને શતરંજ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી આ રમત રમાતી આવી છે. શરૂઆતમાં આ રમત રાજવીઓની રમત ગણાતી કારણ કે રમતના મોહરાઓમાં રાજા-રાણી, હાથી, ઘોડા અને સૈનિકોનો સમાવેશ થતો હતો. ચેસ એ બે ખેલાડીઓ વચ્ચે રમાતી બૌદ્ધિક રમત છે. આ રમત માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારી ગણવામાં આવે છે. તે સ્મરણશક્તિને સતેજ કરે છે. આ દિવસે વધુને વધુ બાળકો, વ્યક્તિઓ ચેસ રમીને મનોરંજન મેળવે તેવું આયોજન કરવામાં આવે છે. ચેસને તંદુરસ્ત મગજની રમતોની શ્રેણીમાં રાખવામાં આવી છે. ચેસ રમવાથી મગજની ક્ષમતા વધે છે. વિશ્વનાથન આનંદ એક ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર છે, જેઓ પાંચ વખત વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા હતા. વિશ્વનાથન આનંદે ચેસની રમતમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. હાલમાં ચૅન્નઇના આર. પ્રજ્ઞાનંદ, તેમની બહેન વૈશાલી, ગુકેશ, વિદિત ગુજરાથી વિશ્વ સ્તરે યોજાતી ચેસની વિવિધ સ્પર્ધાઓમાં વિજય મેળવી ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

20th July

Read more
આંતરરાષ્ટ્રીય ચેસ દિન
20th July
ચેસની રમત વધુ ને વધુ લોકપ્રિય બને અને તેમાંથી લોકો મનોરંજન મેળવી શકે એ માટે 20 જુલાઈ ના દિવસને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવામાં આવે છે.
20 જુલાઈ, 1924 ના રોજ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. આથી યુનેસ્કો દ્વારા 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાનું સૂચન કરવામાં આવેલ. ત્યાર બાદ 1966 માં 20 જુલાઈને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવાની શરૂઆત થઇ હતી. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનમાં મોટાભાગના દેશોનું પ્રતિનિધિત્વ છે. આ દિવસે વિશ્વભરમાં ચેસ સ્પર્ધાનું આયોજન થાય છે....
Read more
ઉમાશંકર જોશી જન્મજયંતી
ઉમાશંકર જોશી જન્મજયંતી

“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની!” આ આહલેક જગાડનાર કવિ અને સાચા અર્થમાં ગુજરાતના સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવનાર ઉમાશંકર જોશી નો જન્મ 21 જુલાઈ, 1911 ના રોજ ગુજરાતના સાબરકાંઠા (હાલના અરવલ્લી) જિલ્લાના ભીલોડા તાલુકાના બામણા ગામે થયો હતો. તેમની માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ હતું. તેઓએ ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક, વિવેચક તરીકે કામ કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ઉમાશંકર જોશીને ઇડરમાં માધ્યમિક શિક્ષણ દરમિયાન પન્નાલાલ પટેલ ના સહાધ્યાયી તરીકે તેમજ અમદાવાદમાં કૉલેજકાળ દરમિયાન કાકાસાહેબ કાલેલકર ના અંતેવાસી તરીકે સાથે રહેવાનો અવસર મળ્યો હતો. કોલેજકાળ દરમિયાન તેઓ સત્યાગ્રહમાં પણ જોડાયા હતા. 1928 માં તેમણે લખેલું પ્રથમ સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ ની અંતિમ પંક્તિ  તેમના સમસ્ત જીવનનો જાણે સાર બતાવે છે:   સૌંદર્ય પી ઉઝરણ ગાશે પછી આપમેળે   કૉલેજના અભ્યાસ બાદ તેઓ મુંબઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. તેઓ યુનિવર્સિટીના કુલપતિ તરીકે બે વાર પસંદગી પામ્યા જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. ઉમાશંકર જોશીએ વિવિધ સાહિત્ય પ્રકારનું ખેડાણ કર્યું છે. તેમણે 'વિશ્વશાંતિ', 'ગંગોત્રી', 'નિશીથ', 'આતિથ્ય', 'વસંતવર્ષા' જેવા અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમણે બાળસાહિત્યનું પણ સર્જન કર્યું છે. ગુજરાત રાજ્યને ઉદ્દેશીને લખાયેલું "મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે" આ કાવ્ય ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે પદ્યનાટકોમાં 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન' લખ્યાં છે. 'સાપના ભારા', 'શહીદ' જેવી મહત્ત્વની એકાંકીઓ લખેલી છે.તેમણે 'વાસુકી' અને 'શ્રવણ' ઉપનામથી કેટલીક વાર્તાઓ પણ આપી છે. 'શ્રાવણી મેળો', 'ત્રણ અડધું બે અને બીજી વાતો', 'અંતરાય', 'વિસામો' તેમના વાર્તાસંગ્રહો છે. તેઓ સારા વિવેચક પણ હતા. તેમની પાસેથી 'અખો - એક અધ્યયન', 'અભિરુચિ', 'કવિની સાધના', 'કવિની શ્રદ્ધા' વગેરે વિવેચન સંગ્રહ મળ્યા છે. તેમણે 'કાલિદાસ', 'શેક્સપિયર', 'પ્રેમાનંદ' તથા 'કવિતા વાંચવાની કળા' જેવી પરિચય પુસ્તિકાઓ પણ આપી છે. 'ગોષ્ઠિ', 'ઉઘાડી બારી', 'શિવસંકલ્પ' વગેરે તેમના નિબંધસંગ્રહ છે. તેમણે કરેલ પ્રવાસોના આધારે 'ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર', 'યુરોપયાત્રા', 'ચીનમાં ચોપ્પન દિવસ' એ તેમનાં પ્રવાસ પુસ્તકો છે. તેઓ સારા અનુવાદક પણ હતા. તેમણે મહાકવિ કાલિદાસના 'અભિજ્ઞાનશાકુન્તલમ્' અને ભવભૂતિના 'ઉત્તર રામચરિતમ્' ના ઉત્તમ અનુવાદ કર્યા હતા. આમ ગુજરાતી સાહિત્યનાં લગભગ બધાં જ પાસાં તેમની પ્રતિભાનો સ્પર્શ પામ્યાં છે. તેઓ ગાંધીયુગના શ્રેષ્ઠ સાહિત્યકાર હતા. તેમને અનેક પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે: 'ગંગોત્રી' માટે શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 'નિશીથ' માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. 'પ્રાચીના' માટે મહિડા પારિતોષિક અને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 'કવિની શ્રદ્ધા' માટે સાહિત્ય અકાદમી અને દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો. મરાઠી સાહિત્ય સંઘ સુવર્ણપદક અને સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ મળ્યો હતો 1981 માં વિશ્વગુર્જરીનો એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ 1970 થી 1976 સુધી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા. 19 ડિસેમ્બર, 1988 ના રોજ તેમનું અવસાન થયું હતું.

20th July

Read more
ઉમાશંકર જોશી જન્મજયંતી
20th July
“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની!” આ આહલેક જગાડનાર કવિ અને સાચા અર્થમાં ગુજરાતના સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવનાર ઉમાશંકર જોશી નો જન્મ 21 જુલાઈ, 1911 ના રોજ ગુજરાતના સાબરકાંઠા (હાલના અરવલ્લી) જિલ્લાના ભીલોડા તાલુકાના બામણા ગામે થયો હતો. તેમની માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ હતું. તેઓએ ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક, વિવેચક તરીકે કામ કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
ઉમાશંકર જોશીને ઇડરમાં માધ્યમિક શિક્ષણ દરમિયાન પન્નાલાલ પટેલ ના સહાધ્યાયી...
Read more
રાષ્ટ્રીય કેરી દિન
રાષ્ટ્રીય કેરી દિન

કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને કેરીના ચાહકો માટે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે 22 જુલાઇ એ દેશમાં રાષ્ટ્રીય કેરી દિન મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિનની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે.ભારતીયોનું લોકપ્રિય ફળ એટલે કેરી. ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના કરવી અશક્ય છે. ઉનાળો આવતાં જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્ત્વની અને પસંદગીની વસ્તુ છે. કેરી કાચી હોય કે પાકી તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. કાચી કેરીનું કચુંબર, ચટણી, અથાણું કે શરબત વગેરે બનાવવામાં આવે છે તો પાકી કેરીમાંથી રસ, મેંગો શેક, આઇસ્ક્રીમ, કેક, લસ્સી વગેરે અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. તો વળી કેરીની ગોટલીનો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે તેટલી શરીર માટે ગુણકારી પણ છે. આમ ભારતમાં કેરી મન મૂકીને ખાવામાં આવે છે. ઉનાળાની સીઝનમાં કેરી આપણા પ્રિય ફળોની યાદીમાં ટોચ પર રહે છે. કેરીની લોકપ્રિયતાને કારણે તેને ફળોનો રાજા કહેવામાં આવે છે.  ભારતમાં લગભગ 5000 વર્ષથી કેરીની ખેતી કરવામાં આવે છે. રામાયણ અને મહાભારતમાં આંબાના બગીચાનો ઉલ્લેખ છે. આમ્રપાલ, આમ્રપૂરી જેવા શબ્દોનો ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. ભારતમાં સૌ પ્રથમ કેરી ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં ઉગાડવામાં આવી હતી. શરૂઆતના સમયમાં દક્ષિણ ભારતમાં કેરીને ‘માંગા’ અને ‘આમકાયા’ કહેવામાં આવતી હતી. એવું કહેવાય છે કે વર્ષ 1498 માં જ્યારે પોર્ટુગીઝ વેપારીઓ મસાલાના વેપાર માટે ભારતના કેરળમાં આવ્યા હતા, ત્યારે તેઓ કેરીને ‘માંગા' તરીકે સંબોધતા હતા. ધીમે ધીમે માંગા શબ્દ જ મેંગોમાં પરિવર્તિત થયો. સમય સાથે કેરી તરીકે તેની લોકપ્રિયતા વધવા લાગી. 14મી સદી ની આસપાસ આફ્રિકા માં તેનું વાવેતર શરૂ થયું. 16મી સદી ની આસપાસ કેરી ફિલિપાઇન્સ માં પહોંચી અને અહીં કેરીનાં વૃક્ષો વાવવામાં આવ્યાં. 18મી સદી ની આસપાસમાં કેરી મેક્સિકો માં લોકોની પસંદગી બની ગઈ. આજે કેરી સમગ્ર વિશ્વમાં એક પ્રિય ફળ બની ગઈ છે. લોકો તેને ભેટ તરીકે એકબીજાને આપે છે. આજે વિશ્વમાં કેરીની 1500થી વધુ જાતો છે. ભારતમાં 25 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. કેરળ ના કન્નુર જિલ્લાના કન્નપુરમ ને સ્વદેશી કેરી હેરિટેજ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં કેરીની 200 જાતો ઉગાડવામાં આવી છે. કેરી ભારત ઉપરાંત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે. ભારતમાં લગભગ દરેક રાજ્યમાં અનેક પ્રકારની કેરી જોવા મળે છે. કેસર, હાફુસ, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, નિલ્ફાન્સો, રત્ના, બદામ વગેરે જેવી કેરીની જાત ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં વધતાં ઓછાં પ્રમાણમાં કેરી થાય છે. તેમાં જૂનાગઢ, વલસાડ કચ્છ વગેરેની કેસર કેરી ખૂબ પ્રખ્યાત છે. દેશ વિદેશમાં કેસર કેરીની ખૂબ માંગ રહેતી હોવાથી તેની નિકાસ પણ કરવામાં આવે છે.

22nd July

Read more
રાષ્ટ્રીય કેરી દિન
22nd July
કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને કેરીના ચાહકો માટે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે 22 જુલાઇ એ દેશમાં રાષ્ટ્રીય કેરી દિન મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિનની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે.

ભારતીયોનું લોકપ્રિય ફળ એટલે કેરી. ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના કરવી અશક્ય છે. ઉનાળો આવતાં જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્ત્વની અને પસંદગીની વસ્તુ છે. કેરી કાચી હોય કે પાકી તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. કાચી કેરીનું કચુંબર,...
Read more
લોકમાન્ય ટિળક જન્મજયંતી
લોકમાન્ય ટિળક જન્મજયંતી

“સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ” આ સૂત્રની સિંહગર્જના કરનાર બાળ ગંગાધર ટિળક જેમને સૌ ભારતીયો 'લોકમાન્ય ટિળક' તરીકે ઓળખે છે. બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ, 1856 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીના ચીખલી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ 'કેશવ' રાખવામાં આવ્યું પણ લાડમાં સૌ તેમને 'બાળ' ના હુલામણા નામે બોલાવતા. આ નામ છેવટ સુધી તેમનું ખરું નામ બની રહ્યું. તેમના પિતાનું નામ ગંગાધર ટિળક હતું અને તેઓ રત્નાગીરીમાં સંસ્કૃતના પ્રખ્યાત શિક્ષક હતા. તેમની માતાનું નામ પાર્વતીબાઈ હતું. તેમના પિતાની બદલી થતાં તેમનો પરિવાર પૂણેમાં આવીને રહ્યો. ટિળક બાળપણથી જ ખૂબ તેજબુદ્ધિ અને પ્રતિભાવાન વિદ્યાર્થી હતા. ગણિત શરૂઆતથી જ તેમનો પસંદગીનો વિષય હતો. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ પૂણેની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં પ્રાપ્ત કર્યુ. તેઓ નાના હતા ત્યારે જ તેમનાં માતા-પિતાનું અવસાન થઈ ગયું. તેનાથી તેઓ નિરાશ થયા વિના જીવનમાં આગળ વધતા રહ્યા. તેઓને નાનપણથી જ વાચન અને લેખનનો શોખ હતો. તેમણે 1877 માં પૂણેની ડેક્કન કોલેજ માંથી ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 1879 માં તેઓ સરકારી લૉ કોલેજમાંથી L.L.B. થયા હતા. યુવાનોને રાષ્ટ્રવાદી સિદ્ધાંતો આપવા માટે 1884 માં ડેક્કન એજ્યુકેશન સોસાયટી ની સ્થાપના કરી હતી. જેનો ઉદ્દેશ ભારતીય યુવા પેઢી માટે શિક્ષણની ગુણવત્તા વધારવાનો અને ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચારસરણીનો વિકાસ કરવાનો હતો. 1881 માં ભારતીય સંઘર્ષોથી લોકોને પરિચિત કરાવવા માટે, લોકોમાં સ્વશાસનની ભાવના જાગૃત કરવા માટે અને પોતાના હક્કોની લડાઈ લડવાની ભાવના વિકસિત કરવાના ઉદ્દેશથી લોકમાન્ય ટિળકે બે સાપ્તાહિક પત્રિકા 'કેસરી' અને 'મરાઠા'ની શરૂઆત કરી. આ બંને સામાયિકોએ સામાન્ય જનસમૂહને લડતમાં ભાગીદાર બનાવવાના હેતુથી અભિયાન ચલાવવાનું શરૂ કર્યું.લોકમાન્ય ટિળકે જનજાગૃતિ માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ ઊજવવાનું શરૂ કર્યું. આ તહેવારના માધ્યમથી જનતામાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયનો વિરોધ કરવાનું સાહસ પ્રગટ્યું. ભારતના આ વીર સ્વતંત્રતા સેનાનીએ બંગાળના ભાગલા દરમિયાન સ્વદેશી આંદોલન અને બ્રિટીશ વસ્તુઓના બહિષ્કારનું પૂર્ણ સમર્થન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી અને લોકમાન્ય ટિળકની વિચારધારામાં અંતર હોવાથી તેઓ કોંગ્રેસના જહાલવાદી (ગરમપંથી) નેતા તરીકે ઓળખાવા લાગ્યા. આ દરમિયાન તેમને બંગાળના રાષ્ટ્રવાદી બિપીનચંદ્ર પાલ અને પંજાબના લાલા લજપતરાય નું સમર્થન પ્રાપ્ત થયું. ત્યાર બાદ આ ત્રણેયની ત્રિપુટી લાલ, બાલ અને પાલ તરીકે મશહૂર થઈ ગઈ.   લોકમાન્ય ટિળકે સમાજમાં ફેલાયેલા જાતિપ્રથા અને બાળવિવાહ જેવા કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો અને મહિલાઓના શિક્ષણ તેમજ વિકાસ પર ભાર આપ્યો. આમ એક સમાજ સુધારક તરીકે પણ તેમણે કામ કર્યું. તેમના દ્વારા લખાયેલ મુખ્ય પુસ્તક 'ધ આર્કટિક હોમ ઇન વેદાસ' અને ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા રહસ્ય’ છે. 1 ઓગસ્ટ, 1920 ના રોજ લોકલાડીલા નેતાએ વિદાય લીધી. તેમના મૃત્યુથી ભારતભરમાં અત્યંત શોકની લાગણી ફેલાઈ ગઈ. ભારત દેશે વીર સપૂત અને આઝાદીનો લડવૈયો ગુમાવ્યો. ગાંધીજીએ તેમને “આધુનિક ભારતના નિર્માતા” કહ્યા હતા.

23rd July

Read more
લોકમાન્ય ટિળક જન્મજયંતી
23rd July
“સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ” આ સૂત્રની સિંહગર્જના કરનાર બાળ ગંગાધર ટિળક જેમને સૌ ભારતીયો 'લોકમાન્ય ટિળક' તરીકે ઓળખે છે. બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ, 1856 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીના ચીખલી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ 'કેશવ' રાખવામાં આવ્યું પણ લાડમાં સૌ તેમને 'બાળ' ના હુલામણા નામે બોલાવતા. આ નામ છેવટ સુધી તેમનું ખરું નામ બની રહ્યું.
તેમના પિતાનું નામ ગંગાધર ટિળક હતું અને...
Read more
કારગીલ વિજય દિન
કારગીલ વિજય દિન

1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મે થી જુલાઈ મહિના સુધી આશરે 60 દિવસ જમ્મુ કશ્મીરના કારગીલ વિસ્તારમાં યુદ્ધ થયું હતું. જેમાં ભારતનો વિજય થયો હતો. 26 જુલાઇ એ ભારતના પાકિસ્તાન સાથેના કારગીલ યુદ્ધમાં મળેલ વિજયની યાદમાં કારગીલ વિજય દિન ઊજવવામાં આવે છે. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ કારગીલ વિજય પછી આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો. કારગીલ વિજય દિને કારગીલ યુદ્ધના નાયકોનું સન્માન કરવામાં આવે છે તથા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. આ દિવસ સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન દર વર્ષે ઇન્ડિયા ગેટ નજીક અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. The War Memorial ખાતે ફ્લેગ ઓફ સેરેમની માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દ્રાસ સેક્ટર (જમ્મુ કશ્મીર) ખાતે પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કારગીલની ભૌગોલિક સ્થિતિ એવી છે કે દુશ્મનો ગોળી પણ બારૂદના ગોળા સમાન સાબિત થાય છે. હિમાલયની દુર્ગમ પર્વતમાળામાં બે પર્વતો વચ્ચે 4000-5000 ફૂટ ઊંડી ખીણ અને સીધાં ચઢાણો, બરફના ખડકોમાંથી વહેતી હિમનદીઓ, 100 કીમી. ઝડપે સતત ફૂંકાતા પવનો, અલ્પ પ્રમાણમાં મળતો પ્રાણવાયુ અને હવાનું ઓછું દબાણ આ બધી વિકટ પરિસ્થિતિઓમાં જવાનોની આકરી કસોટી થાય છે. આ વિષમ ઉષ્ણતામાનમાં જવાનોએ પોતાની સાથે 20 કિલો જેટલો સામાન ઊંચકવાનો હોય છે. આવી પરિસ્થિતિમાં કારગીલ ક્ષેત્રમાં પાકિસ્તાન સાથે પૂરજોશમાં યુદ્ધ છેડાયું. પાકિસ્તાને પોતાના નિર્ણાયક સ્થળોએ પાકિસ્તાની આર્મી મૂકીને ભારતીય નિયંત્રણવાળા વિસ્તારોમાં વિવિધ વ્યૂહાત્મક બિંદુઓ પર કબજો કર્યો. આ પરિસ્થિતિમાં યુદ્ધની વ્યૂહરચના પણ કુદરતી સંજોગો પ્રમાણે બદલાતી રહે છે. ભારતીય સૈન્યે વળતો મુકાબલો કરીને પાકિસ્તાની ઘૂસણખોરોને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. ભારતે યુદ્ધના બીજા તબક્કામાં વ્યૂહાત્મક પરિવહન માર્ગો કબજે કરીને જવાબ આપ્યો અને પછી ભારતીય વાયુસેનાની મદદથી અંતિમ તબક્કામાં યુદ્ધ સમાપ્ત કર્યું. યુદ્ધમોરચે ગુજરાતના 12 નવલોહિયા જવાનો એ દેશની રક્ષા કાજે ફનાગીરી વહોરી લીધી હતી. ગુજરાતના વીર નરબંકાઓના પાર્થિવ દેહ આવી રહ્યા હતા ત્યારે તેમની કુરબાની, ગૌરવગાથાથી જનસામાન્યનો જુસ્સો વધી રહ્યો હતો. કારગીલ વિજયમાં ગુજરાતના સૈનિકોનું મહત્ત્વનું યોગદાન હતું. ધન્ય છે વીર જવાનોને. આમ તો લશ્કરની ત્રણેય પાંખમાં ગુજરાતના યુવાનો સૈનિક અને અફસરો તરીકે જોડાયેલા છે. ઘણા ઓછાં લોકોને ખબર હશે કે ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની સાતમી પલટન ગુજરાતી છે. 26 જુલાઈ, 1999 ના રોજ કારગીલમાં ભારતને વિજય મળતાં પાકિસ્તાન ધોબીપછાડ ખાઇ ભાગી રહ્યું હતું. ભારતીય જવાનોએ દુર્ગમ વિસ્તાર અને વિકટ પરિસ્થિતિઓમાં પણ વિજય મેળવ્યો. ભારતને વિજય અપાવનાર તમામ જવાંમર્દોને શત શત નમન.

26th July

Read more
કારગીલ વિજય દિન
26th July
1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મે થી જુલાઈ મહિના સુધી આશરે 60 દિવસ જમ્મુ કશ્મીરના કારગીલ વિસ્તારમાં યુદ્ધ થયું હતું. જેમાં ભારતનો વિજય થયો હતો.
26 જુલાઇ એ ભારતના પાકિસ્તાન સાથેના કારગીલ યુદ્ધમાં મળેલ વિજયની યાદમાં કારગીલ વિજય દિન ઊજવવામાં આવે છે. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ કારગીલ વિજય પછી આ દિવસને કારગીલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.
કારગીલ વિજય દિને કારગીલ યુદ્ધના નાયકોનું સન્માન કરવામાં આવે છે તથા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં...
Read more
વિશ્વ હિપેટાઇટિસ દિન
વિશ્વ હિપેટાઇટિસ દિન

વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.0.) દ્વારા દર વર્ષે 28 જુલાઈ ના દિવસે વિશ્વ હિપેટાઇટિસ દિન ની ઉજવણી કરવામાં આવે છે. W.H.O. દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હિપેટાઇટિસના શિકાર બન્યા છે.   વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી માટે 28 જુલાઈની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે 28 જુલાઈ નૉબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લુમબર્ગ નો જન્મદિવસ છે. તેમણે હેપેટાઇટિસ B વાયરસ (HBV)ની શોધ કરી હતી તેમજ વાયરસના નિદાન, પરીક્ષણ અને તેના ઉપચાર માટેની રસી વિકસાવી હતી. આ દિવસ દર વર્ષે વિવિધ થીમ પર ઊજવવામાં આવે છે.   વિશ્વભરમાં વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ રોગના નિવારણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોને વેગ આપવો, વિવિધ સંસ્થાઓની ભાગીદારી દ્વારા નિદાન, પરીક્ષણ અને રસી જેવી પ્રક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય જોડાણને પ્રોત્સાહિત કરવા જેવા હેતુઓ પણ આ દિવસની ઉજવણીના કેન્દ્ર સ્થાને રહેલાં છે. WHOએ વિશ્વમાંથી 2030 સુધીમાં હેપેટાઇટિસ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખેલ છે.   હિપેટાઇટિસ એક એવું ઇન્ફેક્શન છે જે શરીરના યકૃત (લીવર)ને અસર કરે છે. લીવર વ્યક્તિના શરીરમાં રહેલું સૌથી અગત્યનું અંગ છે. લીવર શરીરની અલગ-અલગ ક્રિયાઓમાં મદદ કરે છે જેમ કે જમવાનું પચાવવામાં, શક્તિ જમા કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢી શરીરને બિન ઝેરી કરવામાં વગેરે. હિપેટાઇટિસ થવાથી લીવરમાં સોજો આવે છે જેના કારણે લીવર ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે.   ભારત સરકારે 28 જુલાઈ, 2018 ના રોજ રાષ્ટ્રીય વાઈરલ હિપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ (National Viral Hepatitis Control Program) શરૂ કર્યો હતો. હિપેટાઇટિસના પાંચ પ્રકાર : A, B, C, D અને E આ પાંચ પ્રકાર પૈકી હિપેટાઇટિસ A અને E દૂષિત ભોજન અથવા પાણીના કારણે થાય છે. હિપેટાઇટિસ B, C અને D વ્યક્તિના શરીરના તરલ પદાર્થો જેવાં કે લોહી, લાળ વગેરે (બોડી ફ્લુઇડ્સ)ના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. હિપેટાઇટિસના ઉપરના પાંચ પ્રકારમાંથી હિપેટાઇટિસ C સૌથી વધારે જોખમી અને જીવલેણ માનવામાં આવે છે. હિપેટાઇટિસ C થી પીડિત વ્યક્તિ નેત્રદાન કરી શકતી નથી.

28th July

Read more
વિશ્વ હિપેટાઇટિસ દિન
28th July
વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.0.) દ્વારા દર વર્ષે 28 જુલાઈ ના દિવસે વિશ્વ હિપેટાઇટિસ દિન ની ઉજવણી કરવામાં આવે છે. W.H.O. દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હિપેટાઇટિસના શિકાર બન્યા છે.   વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી માટે 28 જુલાઈની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે 28 જુલાઈ નૉબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લુમબર્ગ નો જન્મદિવસ છે. તેમણે હેપેટાઇટિસ B વાયરસ (HBV)ની શોધ કરી હતી...
Read more
આંતરરાષ્ટ્રીય વાઘ દિન
આંતરરાષ્ટ્રીય વાઘ દિન

દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ની ઉજવણી 29 જુલાઈ ના રોજ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં વિકાસની આંધળી દોટમાં માણસ એટલો સ્વાર્થી બની ગયો છે કે તેણે પ્રકૃતિને નુકશાન પહોંચાડીને પોતાના જ અસ્તિત્વ માટે ખતરો ઊભો કર્યો છે. માણસે જંગલોનું નિકંદન કાઢી વન્યજીવોને પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેને પરિણામે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આમાંની એક પ્રજાતિ વાઘ છે. વાઘના રહેઠાણ વિસ્તારમાં ઘટાડો, શિકારનો ભોગ તથા અંગોનો ગેરકાયદેસર વેપાર જેવાં પરિબળોને લીધે આજે વાઘની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક હોવાથી વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ઊજવવામાં આવે છે. 2010 માં રુશના બર્ગ શહેર માં એક સંમેલનનું આયોજન થયું હતું. જેમાં વાઘ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 29 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિન તરીકે ઊજવાય છે. એ દિવસે વાઘ દિવસ ઊજવવાનું નક્કી કરતી વખતે દેશોએ વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. વાઘ પરિયોજના (PROJECT TIGER): ભારતમાં વાઘની સંખ્યા વીસમી સદીની શરૂઆતમાં 40000 જેટલી હતી. માનવીના વસતી વધારા સાથે વન્યજીવોના રહેઠાણમાં થતા નોંધપાત્ર ઘટાડા અને તેમના વધુ પડતા શિકારના પરિણામે તેમની સંખ્યા ઘટીને 1972 માં 1800 થઈ ગઇ હતી. તેથી વાઘને નષ્ટ થતા અટકાવવા ભારત સરકારે 1973 માં વાધ પરિયોજના (Project Tiger) શરૂ કરી. એ યોજના હેઠળ વાઘની વસતીવાળા વિસ્તારમાં થતી માનવીની શિકારની પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી અને તેમનાં નિવાસસ્થાનોને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. આમ તો ભારત સરકારે વાધના શિકાર પર સાવ પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ વાઘની ચામડી, તેના નખ, માંસ, યકૃત અને હાડકાંની પરદેશમાં ઘણી માંગ હોઈ કેટલીક વ્યક્તિઓ તેનો લાભ ઉઠાવવા લલચાઈને વાઘનો શિકાર કરી તેના વિવિધ ભાગોનો છુપી રીતે વેપાર કરતા હોય છે. જોકે ભારત સરકારનું Department of Environment and Forest આ બાબત પ્રત્યે સજાગ છે અને તેઓ આ ગેરકૃત્યોને રોકવા માટે હંમેશાં પ્રયત્નશીલ હોય છે. પશ્ચિમ બંગાળનો વાઘ રોયલ બેંગોલ ટાઇગર એ વિશ્વની વાધની 8 જાતિઓમાંની એક જાતિ છે. National Tiger Conservation Authority (NCTA) દ્વારા દર 4 વર્ષે વાઘની ગણતરી કરવામાં આવે છે. વાઈલ્ડલાઈફ (પ્રોટેક્શન) એક્ટ, 1972ની કલમ 38 એલ(1) હેઠળ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ની રચના કરવામાં આવી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની વેબસાઇટ પર ભારતમાં આવેલા 55 ટાઈગર રીઝર્વ ની યાદી આપવામાં આવેલી છે. જેમાં આંધ્રપ્રદેશમાં આવેલ નાગાર્જુન સાગર વિસ્તારની દૃષ્ટિએ (કુલ ક્ષેત્રફળ આશરે 3294 ચોરસ કિમી.) સૌથી મોટું ટાઈગર રીઝર્વ છે.

29th July

Read more
આંતરરાષ્ટ્રીય વાઘ દિન
29th July
દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ની ઉજવણી 29 જુલાઈ ના રોજ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં વિકાસની આંધળી દોટમાં માણસ એટલો સ્વાર્થી બની ગયો છે કે તેણે પ્રકૃતિને નુકશાન પહોંચાડીને પોતાના જ અસ્તિત્વ માટે ખતરો ઊભો કર્યો છે. માણસે જંગલોનું નિકંદન કાઢી વન્યજીવોને પણ ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેને પરિણામે કેટલાક વન્યજીવોની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આમાંની એક પ્રજાતિ વાઘ છે. વાઘના રહેઠાણ વિસ્તારમાં ઘટાડો, શિકારનો ભોગ તથા અંગોનો ગેરકાયદેસર વેપાર જેવાં પરિબળોને લીધે આજે વાઘની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે.
હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક હોવાથી...
Read more