Newskida Logo newskida
TM
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • ABP Asmita
  • Tv9 Gujarati
  • Nirbhay News
  • News Kida
  • Navajivan News
  • અબતક
    • fire-image Trending
    • દિન વિશેષ
    • News Sources
  • ચાલુ મહિનો આજે
    નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ
    નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ

    નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રૅવેન્શૉ કૉલેજિએટ સ્કૂલમાં મેળવ્યું. તે પછીનું શિક્ષણ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યું. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા. અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ સુભાષચંદ્ર બોઝે સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા સ્થાને પાસ કરી જવલંત સફળતા મેળવી. ભારતમાં થયેલ જલિયાંવાલા બાગ હત્યાકાંડથી સુભાષચંદ્ર બોઝ ખૂબજ દુ:ખી થયા. તેમણે 1921 માં સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપી દીધું અને ભારત પરત ફર્યા. ત્યારબાદ તેઓ ગાંઘીજી ના સંપર્કમાં આવ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈ ગયા. ગાંઘીજીના દિશાનિર્દેશો અનુસાર તેમણે ચિતરંજનદાસ દેશબંઘુને પોતાના રાજનૈતિક ગુરુ બનાવી તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. 1928 માં જયારે સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે કાળા ઝંડા બતાવી તેનો વિરોધ કરવામાં આવ્યો. સુભાષચંદ્ર બોઝે કોલકાતામાં આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. 1928 માં કોલકાતામાં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયેલા કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ખાખી યુનિફોર્મ પહેરીને મોતીલાલ નેહરુને લશ્કરી રીતે સલામી આપી હતી. 26 જાન્યુઆરી, 1931 ના રોજ સુભાષચંદ્ર બોઝ કોલકાતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને એક વિશાળ મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમના પર લાઠી ચલાવી ઘાયલ કર્યા અને જેલમાં મોકલી દીધા. નેતાજીએ તેમના જીવનકાળમાં 11 વખત જેલવાસ ભોગવ્યો હતો. ગાંધીજી સુભાષચંદ્ર બોઝને નેતાજી કહીને સંબોધતા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે વર્ષ 1937 માં તેમની સેક્રેટરી અને ઓસ્ટ્રિયન યુવતી એમિલી સાથે લગ્ન કર્યા હતા. તેઓને અનિતા નામે એક પુત્રી હતી. 1938 માં હરિપુરા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રીય યોજના આયોગની રચના કરી 1939 માં ત્રિપુરા અધિવેશનમાં તેઓ ફરીવાર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા ૩ મે, 1939 ના દિવસે સુભાષબાબુએ ફૉરવર્ડ બ્લૉક નામની પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસો બાદ સુભાષબાબુને કોંગ્રેસમાંથી બરતરફ કરવામાં આવ્યા. એ પછી ફોરવર્ડ બ્લોક એક સ્વતંત્ર પાર્ટી બની ગઈ. બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાની તૈયારી હતી. સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોને છ મહિનામાં ભારત છોડી જવાનું અલ્ટીમેટમ આપી દીધું. સુભાષચંદ્ર બોઝના આ નિર્ણયનો વિરોધ ગાંધીજી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ કર્યો. જેથી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું. બીજા વિશ્વ યુદ્ધમાં અંગેજો દ્વારા ભારતીય સંસાધનોનો ઉપયોગ કરવાનો ઉગ્ર વિરોધ થયો અને તેના વિરોધમાં જનઆંદોલન શરૂ થયું. આ આંદોલનને લોકોનું ખૂબજ સમર્થન મળ્યું એટલે બ્રિટીશ સરકારે નેતાજીને કોલકાતામાં નજરકેદ કરી લીધા. પરંતુ તેમના ભત્રીજા શિશિરકુમાર બોઝની મદદથી તેઓ અફઘાનિસ્તાન અને રશિયા થઈ જર્મની પહોંચી ગયા. જર્મનીમાં સુભાષબાબુ હિટલરને મળ્યા. ત્યાંથી તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં અને દેશની આઝાદી માટે કામ કર્યું. 1943માં તેમણે જર્મની છોડી દીધું, ત્યાંથી તે જાપાન ગયા. જાપાનથી તેઓ સિંગાપુર ગયા. ત્યાં તેઓએ આઝાદ હિંદ ફોજની કમાન સંભાળી અને તેનું પુનઃ ગઠન કરી, 'ચલો દિલ્લી' અને 'તુમ મુજે ખૂ નદો મેં તુમ્હેં આઝાદી દૂંગા'ના નારા આપ્યા. તેમણે મહિલાઓ માટે ઝાંસીની રાણી રેજીમેન્ટની રચના કરી. જેના કેપ્ટન તરીકે લક્ષ્મી સહેગલ ની નિમણૂ ક કરવામાં આવી હતી. 2 ઓક્ટોબર, 1943 ના રોજ તેઓએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી. આ સંગઠનના ઝંડા ઉપર ગર્જના કરતા વાઘનું ચિત્ર પ્રતીક તરીકે હતું. નેતાજી આઝાદ હિંદ ફોજ સાથે 4 જુલાઈ, 1944 ના રોજ બર્મા પહોંચ્યા હતા. ત્યાંથી ઉત્તરપૂર્વનાં રાજ્યો પર અંગ્રેજ શાસન સામે મોરચો માંડ્યો. 18 ઓગસ્ટ, 1945 ના રોજ ટોકિયો જતી વખતે તાઇવાન પાસે કહેવાતી એક હવાઈ દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું પરંતુ તેમનું શરીર ન મળી શક્યું. જેના કારણે તેમના મોત વિશે આજ સુધી કોઈ સચોટ પુરાવા મળ્યા નથી. આવા સ્વાતંત્ર્ય સેનાની અને મહાન દેશભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની ભારત સરકારે 2022 માં જાહેરાત કરી છે.

    18th August

    Read more
    નેતાજી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ
    18th August

    નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રૅવેન્શૉ કૉલેજિએટ સ્કૂલમાં મેળવ્યું. તે પછીનું શિક્ષણ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યું. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા. અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ સુભાષચંદ્ર બોઝે સિવિલ...

    Read more
    વિશ્વ ગુજરાતી ભાષા દિન
    વિશ્વ ગુજરાતી ભાષા દિન

    સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી ની આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરેલી છે. ગુજરાતી શબ્દ એ સંસ્કૃત શબ્દ 'ગૂર્જર' અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ છે. 'ગુજરાત' શબ્દ પરથી વિશેષણ 'ગુજરાતી' પડ્યું. ગુજરાતમાં બોલાતી મુખ્ય ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર એવા શ્રી નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઑગસ્ટ, 1833 ના દિવસે સુરત માં થયો હતો. કવિ નર્મદે ગુજરાતી ભાષા માટે 'નર્મકોષ' નામનો પહેલો શબ્દકોષ રચ્યો હતો. તેઓએ ગુજરાતી ભાષાની અસ્મિતા માટે શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે તેથી તેમના જન્મદિવસને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. પ્રાચીનકાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. આઠમી સદી થી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને ખડી બોલી, અવધિ, બંગાળી, ગુજરાતી, મરાઠી, તેલુગુ. કન્નડ ભાષા ઉદભવી. 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલાં વિવિધ ભાષા સ્વરૂપમાંથી ગુજરાતી ભાષાનાં મૂળ નંખાયાં તેમ કહી શકાય અન્ય ભાષાઓની સાથે આપણી ગુજરાતી ભાષા પણ આ જ સમયગાળામાં જન્મ પામી, વિકસી અને આજના સ્વરૂપને પામી છે. ગુર્જર ભાષાનો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ આખ્યાનના પિતા ગણાતા ભાલણે કર્યો હતો. ગુજરાતી ભાષાને ગુજરાતી એવું નામ 17 મી સદીમાં પ્રેમાનંદના સમયમાં મળ્યું. ગુજરાતી સાહિત્યનો પ્રારંભ નરસિંહ મહેતા થી શરૂ કરી મીરાંબાઇ, ભાલણ વગેરેના યોગદાનથી થયો. તેમણે ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. પ્રેમાનંદ જેવા મહાકવિ તો ગુજરાતી ભાષાની "શું શાં પૈસા ચાર" જેવી કિંમતથી વ્યથિત થઈ "પાઘડી ન પહેરવા" ની પ્રતિજ્ઞા કરે એ ઘટના નાની સૂની નથી. કવિ દલપતરામ પણ ગરવી ગુજરાતી વાણીના વકીલ બનવાનું સ્વીકારી ચૂક્યા છે. આ બધા યુગોમાં ગુજરાતી ભાષાનાં મૂળ દૃઢ બન્યાં અને વિસ્તર્યાં પણ ખરાં. ગુજરાતમાં આવેલ વિદેશી પ્રજાઓના સંપર્કથી ગુજરાતી ભાષામાં ઘણા ફેરફારો થયા છે. વિદેશી પ્રજાથી ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ ખૂબ જ વિશાળ બન્યું છે. આજે આપણી ગુજરાતી ભાષામાં કેટલાય વિદેશી ભાષાના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ગુજરાતી ભાષા પર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અરબી -ફારસી, અંગ્રેજી, હિન્દી વગેરે ભાષાઓનો પ્રભાવ પડ્યો છે. આમ આપણી અર્વાચીન ગુજરાતી ભાષાનો વિકાસ થતાં ઘણાં વર્ષોનો સમય લાગ્યો છે. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં ગુજરાતી સાહિત્યકારોનો પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. આજે વિશ્વના અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલાતી જોવા મળે છે. વિશ્વમાં ગુજરાતી ભાષાને જાળવવા, વિકસાવવા માટે 24 ઑગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આજની નવી પેઢી ગુજરાતી ભાષા માણી શકે. તેના પ્રત્યે આદરભાવ કેળવી શકે તેમજ ગુજરાતી ભાષાના અમૂલ્ય વારસા પ્રત્યે જાગૃત બને તે માટે આજના દિવસે પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાત સરકારે 2023 માં દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8માં ગુજરાતી વિષયનું ફરજિયાત શિક્ષણ આપવું તેવું વિધેયક પસાર કર્યું છે. જે ગુજરાતી ભાષાની જાળવણી અને વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ગણાવી શકાય. ચાલો આપણે સૌ પણ આપણી ગુજરાતી ભાષાને જાળવવા, વિકસાવવા માટે અનેક પ્રયત્નો કરીએ.

    24th August

    Read more
    વિશ્વ ગુજરાતી ભાષા દિન
    24th August
    સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી
    આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી ની આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરેલી છે. ગુજરાતી શબ્દ એ સંસ્કૃત શબ્દ 'ગૂર્જર' અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલ છે. 'ગુજરાત' શબ્દ પરથી વિશેષણ 'ગુજરાતી' પડ્યું. ગુજરાતમાં બોલાતી મુખ્ય ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર એવા શ્રી નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઑગસ્ટ, 1833 ના દિવસે સુરત...
    Read more
    રાષ્ટ્રીય ખેલ દિન
    રાષ્ટ્રીય ખેલ દિન

    દેશના તેજસ્વી હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ ની યાદમાં ભારત દેશમાં દર વર્ષે 29 ઑગસ્ટ ને ‘રાષ્ટ્રીય ખેલ દિન' તરીકે ઉજવવામાં આવે છે. ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટ, 1905 ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ખાતે થયો હતો. તેમના પિતા આર્મીમાં સૂબેદાર હતા. ધ્યાનચંદને બાળપણથી કુસ્તીબાજ બનવું હતું પણ સોળ વર્ષની ઉંમરે તેઓ આર્મીમાં જોડાઇ ગયા. મેજર તિવારી ની સલાહથી તેઓ હોકી તરફ ખેંચાયા. તેમના કોચ પંકજ ગુપ્તા પાસેથી તેઓ હોકી રમતાં શીખ્યા હતા. ટૂંક સમયમાં જ 'બોલ ડ્રિબલિંગ' અને ‘ગોલ સ્કોરિંગ’ માં નિષ્ણાત બની ગયા અને ભારતીય હોકી ટીમના કેપ્ટન બન્યા. ધ્યાનચંદે તેમની કારકિર્દીમાં પ્રભાવક પ્રદર્શન કરતાં 400 થી પણ વધુ ગોલ નોંધાવી હોકીની રમતમાં સમગ્ર વિશ્વમાં નામના મેળવી. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં 1923, 1932, 1936 માં સળંગ ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી, તેનું શ્રેય ધ્યાનચંદની જાદુઈ રમતને આભારી હતું. તેમની બોલ કંટ્રોલ માસ્ટરીને લીધે તેમને "ધ વિઝાર્ડ" (જાદુગર) એવું ઉપનામ મળ્યું હતું. 1956 માં તેમની વિશિષ્ટ સિદ્ધિ બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ તેમના ફોટોગ્રાફવાળી ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. 'રાષ્ટ્રીય ખેલદિન' નું મહત્વ અનેરું છે. આ દિવસ માત્ર ઉજવણીનો નથી, પરંતુ દેશવ્યાપી રમતો અને રમતગમતની ભાવનાને વિકસાવવાનો છે. આ ઉજવણીનો હેતુ ખેલકૂદને ઉત્તેજન આપવા અને રમતગમત પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો છે. તેના દ્વારા યુવાપેઢીમાંથી શ્રેષ્ઠતા બહાર લાવીને વિવિધ પ્રતિભાશાળી ખેલાડીઓ મેળવી શકાય છે અને યુવાનોને રોજગારી પૂરી પાડી શકાય છે. વળી, રમતગમત શિક્ષણનો પણ મહત્વનો ભાગ છે, તેનાથી શારીરિક અને માનસિક એમ બંને પ્રકારે સ્વસ્થ રહી શકાય છે. ઉપરાંત તેના દ્વારા વ્યક્તિમાં ખેલદિલી, સહકાર, નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય છે.

    29th August

    Read more
    રાષ્ટ્રીય ખેલ દિન
    29th August
    દેશના તેજસ્વી હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ ની યાદમાં ભારત દેશમાં દર વર્ષે 29 ઑગસ્ટ ને ‘રાષ્ટ્રીય ખેલ દિન' તરીકે ઉજવવામાં આવે છે.
    ધ્યાનચંદનો જન્મ 29 ઑગસ્ટ, 1905 ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ખાતે થયો હતો. તેમના પિતા આર્મીમાં સૂબેદાર હતા. ધ્યાનચંદને બાળપણથી કુસ્તીબાજ બનવું હતું પણ સોળ વર્ષની ઉંમરે તેઓ આર્મીમાં જોડાઇ ગયા. મેજર તિવારી ની સલાહથી તેઓ હોકી તરફ ખેંચાયા. તેમના કોચ પંકજ ગુપ્તા પાસેથી તેઓ હોકી રમતાં શીખ્યા હતા. ટૂંક સમયમાં...
    Read more
    શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)
    શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)

    ગુરુને દેવ જ નહિ, તેથીયે વિશેષ પિતા સમાન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિના ઘડતરમાં ત્રણ વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. માતા, પિતા અને ગુરૂ. માનવીનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષકને આભારી છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. માતાપિતા જન્મ આપે છે, પણ આપણા ખરા જનક ગુરુ કે શિક્ષક છે. શિક્ષક આપણામાં માણસ તરીકેના સંસ્કારનું સિંચન કરે છે. માટીના પીંડમાંથી જેમ કુશળ શિલ્પી સુંદર મૂર્તિ ઘડે છે, તેમ શિક્ષક સામાન્ય બાળકમાંથી મહાન નેતા, રાજા, સેનાપતિ, કવિ, સાક્ષર, કલાકાર, વૈજ્ઞાનિક, રમતવીર, વૈદ્ય, સમાજસેવક વગેરેનું નિર્માણ કરે છે. "કેળવણી વિનાના માણસ અને પશુમાં કશો ફેર નથી", એમ રાજા ભર્તૃહરિ એ કહ્યું છે. પોતાનો વિદ્યાર્થી સારું શીખે, સાચું શીખે અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. તેથી શિક્ષક ગૌરવ અનુભવે છે. આ માટે તે અથાક પરિશ્રમ કરે છે. "Good teachers think before they act, Think while they act, Think after they act." (સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતાં પહેલાં વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.) 5 સપ્ટેમ્બર, 1888 ના રોજ તમિલનાડુમાં આવેલ તિરૂત્તાની નામના ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ થયો હતો. તેલુગુ તેમની માતૃભાષા હતી. તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિમાં તેઓનું બાળપણ વિત્યું હતું. દક્ષિણ ભારતની એક પરંપરા મુજબ તેમના નામની આગળ લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં તો તેમના ગામનું નામ છે. તેમના પૂર્વજો વર્ષો પહેલાં આ ગામમાં રહેતા હતા. આપણે ગુરુ મહિમા માટે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવીએ છીએ. આ દિવસ ભારતના એક શિક્ષક સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મતિથિ છે. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952-1962) અને દ્વિતીય રાષ્ટ્રપતિ (1962-1967) હતા. તેઓનો જન્મદિવસ 1962 થી ભારતભરમાં 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિ પર તેમને અપાર પ્રેમ હતો. પોતાનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને તેમણે ભારતભરના શિક્ષક સમુદાયને સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે. રાષ્ટ્રપતિ થયા એટલે દેશની પ્રજાએ 5 સપ્ટેમ્બરે આવતી તેમની વર્ષગાંઠ ઉજવવા વિચાર્યું. રાધાકૃષ્ણનને એ ગમ્યું નહિ. પરંતું, લોકોનો પ્રેમ જોઈ તેમણે હા પાડી. પણ એક શરત મૂકી, "જુઓ ભાઈઓ, હું શિક્ષક રહ્યો. મારી વર્ષગાંઠ એટલે શિક્ષકની વર્ષગાંઠ, તમે એને શિક્ષક દિન તરીકે ઊજવો તો?" અને આમ શિક્ષક દિનનો ઉદ્ભવ થયો. તેમના જ્ઞાન અને બૌદ્ધિક પ્રતિભા સામે ગમે તેવા મહાનુભાવ નતમસ્તક થઈ જતા હતા. વિદ્યાર્થીકાળમાં જ તેમની આ પ્રતિભાનાં દર્શન થવા લાગ્યાં હતાં. તે દરમિયાન ભારતીય તત્વજ્ઞાન અંગેના તેમના લેખથી તેમના અધ્યાપકો પણ અચંબો પામ્યા હતા. તેનાથી પ્રેરાઈને કોઈએ તેમને ઓકસફોર્ડમાં ડૉક્ટરેટ કરવા કહ્યું, તેમણે જવાબ આપ્યો, 'હા, હું ઓકસફોર્ડમાં જઈશ પણ ભણવા નહીં ભણાવવા માટે.' ઇંગ્લેન્ડના લોર્ડઝ મેદાનમાં એસ ટ્રોફી માટે રમાતી ક્રિકેટ મેચ સમયે સ્ટેડિયમ ભરચક રહે, પરંતુ એ દરમિયાન લંડનના જ એક હોલમાં રાધાકૃષ્ણનનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું. તેથી સમગ્ર લંડનવાસીઓની ભીડ ત્યાં ઉભરાઈ અને પહેલીવાર ક્રિકેટના ખેલાડીઓએ જૂજ પ્રેક્ષકો સામે મેચ રમવી પડી. તેમણે ભારતમાં જ નહિ, વિલાયતમાં ઑકસફોર્ડ અને કેમ્બ્રિજ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ એમ.એ.ની પરીક્ષા પાસ કરી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તત્વજ્ઞાન તેમજ ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો, એક સારા વ્યાખ્યાનકાર તરીકે પણ તેઓ પ્રખ્યાત થયા. ઈંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં વ્યાખ્યાનો માટે તેમને નિમંત્રણો મળતાં. તેમના પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા વિચારોથી સભર રહેતાં. તેમણે 'ઇન્ડિયન ફિલોસોફી', 'પ્રિન્સિપલ ઉપનિષદ્', 'ઇષ્ટ એન્ડ વેસ્ટ રીલીજીયન', 'હિંદુ વ્યૂ ઓફ લાઈફ' જેવા અસંખ્ય ગ્રંથો લખ્યા. તેમણે રશિયા ખાતે ભારતના એલચી તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે અને છેલ્લે રાષ્ટ્રપતિના સર્વોચ્ચપદે પોતાની મૂલ્યવાન સેવાઓ આપી હતી. 'ભારતરત્ન' નો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું. ચાલીસ હજાર પાઉન્ડનું 'ટેમ્પલટન પારિતોષિક' મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હોવાથી 'ભારતના પ્લેટો' કહેવાતા. આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી 15થી વધુ ભાષાઓ લખી-વાંચી અને સમજી શકતા હતા. વિદેશમાં પણ તેમણે ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને પ્રભાવશાળી ભાષણો આપ્યાં. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું અવસાન 17 એપ્રિલ, 1975 ના રોજ 86 વર્ષની ઉંમરે મદ્રાસ, તામિલનાડુ ખાતે થયું હતું. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે ઉચ્ચારેલા શબ્દો હતા. "Our Slogan should not be Power at any Price: but Service at any Cost." અર્થાત કોઈપણ ભોગે સેવા, નહિ કે કોઈપણ કિંમતે સત્તા. આ સંદેશ ભારતના વર્તમાન લોકોને ઘણું કહી જાય છે. આવા મહાન આચાર્યને 'આચાર્ય દેવો ભવ' કહીને નમ્ર અંજલી અર્પીએ. 1994 માં યુનેસ્કોએ વિશ્વભરના શિક્ષકોના સન્માનમાં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસ (Teacher's Day) ઉજવવાની જાહેરાત કરી. પરંતુ કેટલાક દેશો એવા છે, જે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવે છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુકે, પાકિસ્તાન, ઈરાન વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાયના 11 દેશો પણ 28 ફેબ્રુઆરીએ શિક્ષક દિવસ ઉજવે છે. "શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે”- સુફિન આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ-શિષ્યો અમર થઈ ગયા છે. ઈતિહાસના પાને તેમનાં નામ સુવર્ણ અક્ષરે લખાયેલાં છે. આ મહાન ગુરુ-શિષ્યો છે - ગુરુ સાંદીપનિ અને ભગવાન શ્રીકૃષ્ણ, ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન, અતિ વિદ્વાન ગુરુ ચાણક્ય અને ચંદ્રગુપ્ત. આ ગુરુઓએ જ તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો. વિદ્યાર્થી તરીકે આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને તમારા શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ. આ દિવસની ઉજવણી એટલે શિક્ષકના ઉમદા કાર્યને યાદ કરવાનો પ્રસંગ આપણે તેમનું સન્માન કરી ઋણ ચૂકવવા પ્રયત્ન કરીએ છીએ. નોંધપાત્ર કાર્ય માટે શિક્ષકોને સરકાર દ્વારા પારિતાષિક અપાય છે. શિક્ષકનિધિમાં નાનામોટા ફાળા ઊઘરાવાય છે. એ રીતે જનસમાજના બધા વર્ગો શિક્ષકના મહત્વથી સભાન થાય છે. નિવૃત્ત શિક્ષકોને સહાય કરવામાં આવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને એક દિવસીય શિક્ષક બનાવી શાળા સોંપવામાં આવે છે. જેથી બાળકો પણ શિક્ષકનું કાર્ય સમજે અને સમાજમાં ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ થાય.

    05th September

    Read more
    શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)
    05th September
    ગુરુને દેવ જ નહિ, તેથીયે વિશેષ પિતા સમાન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિના ઘડતરમાં ત્રણ વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. માતા, પિતા અને ગુરૂ. માનવીનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષકને આભારી છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. માતાપિતા જન્મ આપે છે, પણ આપણા ખરા જનક ગુરુ કે શિક્ષક છે. શિક્ષક આપણામાં માણસ તરીકેના સંસ્કારનું સિંચન કરે છે. માટીના પીંડમાંથી જેમ કુશળ શિલ્પી સુંદર મૂર્તિ ઘડે છે, તેમ શિક્ષક સામાન્ય બાળકમાંથી મહાન નેતા, રાજા, સેનાપતિ, કવિ, સાક્ષર, કલાકાર, વૈજ્ઞાનિક, રમતવીર, વૈદ્ય, સમાજસેવક વગેરેનું નિર્માણ કરે છે.
    Read more
    વિશ્વ સાક્ષરતા દિન
    વિશ્વ સાક્ષરતા દિન

    પ્રતિ વર્ષ 8 સપ્ટેમ્બર ને 'વિશ્વ સાક્ષરતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની જાહેરાત યુનેસ્કો દ્વારા 16 નવેમ્બર, 1965 ના દિવસે કરવામાં આવી હતી. તે અન્વયે આ દિવસની ઉજવણી 1966 થી કરવામાં આવે છે. સતત વિકસતા વિશ્વમાં સાક્ષરતાનું મહત્વ બહુ પહેલાંથી સ્વીકારવામાં આવ્યું છે. સાક્ષરતા વિના જીવનની ગુણવત્તા સંભવ નથી. માનવ વિકાસ સાથે તેના અધિકારો તેમજ સમાજ પ્રત્યેના તેના કર્તવ્યની અનુભૂતિ માટે સાક્ષર થવું નિતાન્ત આવશ્યક છે. સદર બાબત ધ્યાનમાં રાખી વિશ્વ કક્ષાએ તમામ દેશની સરકારો અને સામાન્ય જનસમૂહમાં જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અહીં સાક્ષરતાનો અર્થ માત્ર લખતાં વાંચતાં શીખવું એટલો મર્યાદિત માનવાનો નથી. અહીં દરેક સાક્ષર વ્યક્તિ જીવસૃષ્ટિના અધિકારો પ્રત્યે જાગૃત રહે અને સમાજના વિકાસનો આધાર બને તે જરૂરી હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. ભારત જેવા રાષ્ટ્ર માટે સંપૂર્ણ સાક્ષરતા હજુ હાંસલ કરી શકાઈ નથી. સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં વિકાસના ધીમા દરનું કારણ પણ સાક્ષરતાનો અભાવ હતો. ઉપરાંત તે પછી સાક્ષરતા દરનો વધારો પણ ધીમો રહ્યો હતો. લોકશાહી પદ્ધતિમાં જ્યાં લોકો સર્વોપરી હોય ત્યાં તેની સફળતા માટે સાક્ષરતા અનિવાર્ય બની જાય છે. આપણા શાસ્ત્રો તેમજ સાહિત્યકારો પણ વ્યક્તિને શિક્ષિત કરવા ઉપર ભાર મૂકે છે. એક સુભાષિત છે કે, "અંધ અને અજ્ઞ તેમાં ઓછો શાપિત આંધળો. એકાંગે પાંગળો અંધ અજ્ઞ સર્વાંગે પાંગળો." 'વિદ્યાદાન' શબ્દ પણ સાક્ષરતાના પ્રચાર પ્રસારને દિવ્યતા આપે છે. કોઈ વ્યક્તિને માત્ર લખતાં વાંચતાં શીખવવામાં આવે તો પણ તેના જીવનમાં અત્યંત સહાયતા પ્રાપ્ત થાય છે. હાલના સમયમાં વિવિધ ઉપકરણોથી માનવજીવન સમૃદ્ધ બન્યું છે. મોબાઈલ, કમ્પ્યૂટર, ઓનલાઇન ખરીદ-વેચાણ જેવાં ક્ષેત્રો વિસ્તરતાં જાય છે. તેનો સાર્થક ઉપયોગ કરવા માટે વીજાણું સાક્ષરતા (Digital Literacy) ની પણ આવશ્યકતા ઉભી થઈ છે. આ ક્ષેત્રોમાં પણ દરેક વ્યક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરે તે જરૂરી છે. અલબત્ત આ વિષયમાં પણ સૌ પ્રથમ સાક્ષર થવું એ પાયાની શરત રહેલી છે. સાક્ષરતા દિનના દિવસે સમગ્ર ગામ, નગર, મહોલ્લાને સાક્ષર બનાવવાનો સંકલ્પ કરી તે દિશામાં કાર્યરત થવાય તે એની ઉત્તમ ફળશ્રુતિ બની રહેશે.

    08th September

    Read more
    વિશ્વ સાક્ષરતા દિન
    08th September
    પ્રતિ વર્ષ 8 સપ્ટેમ્બર ને 'વિશ્વ સાક્ષરતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની જાહેરાત યુનેસ્કો દ્વારા 16 નવેમ્બર, 1965 ના દિવસે કરવામાં આવી હતી. તે અન્વયે આ દિવસની ઉજવણી 1966 થી કરવામાં આવે છે.
    સતત વિકસતા વિશ્વમાં સાક્ષરતાનું મહત્વ બહુ પહેલાંથી સ્વીકારવામાં આવ્યું છે. સાક્ષરતા વિના જીવનની ગુણવત્તા સંભવ નથી. માનવ વિકાસ સાથે તેના અધિકારો તેમજ સમાજ પ્રત્યેના તેના કર્તવ્યની અનુભૂતિ માટે સાક્ષર થવું નિતાન્ત આવશ્યક છે. સદર બાબત ધ્યાનમાં રાખી વિશ્વ કક્ષાએ તમામ દેશની સરકારો અને સામાન્ય જનસમૂહમાં જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામાં...
    Read more
    ભૂમિદાન દિન (વિનોબા ભાવે જન્મજયંતી)
    ભૂમિદાન દિન (વિનોબા ભાવે જન્મજયંતી)

    સંત વિનોબા ભાવે એટલે માનવતાવાદી વિચારક, વિનોબા ભાવે એટલે યુગ પ્રવર્તક. વિનોબા ભાવે નો જન્મ 11 સપ્ટેમ્બર, 1895 માં થયો હતો. એમનું મૂળ વતન ગંગોદ (મહારાષ્ટ્ર) હતું. તેમનું બાળપણનું નામ વિનાયક ભાવે હતું. 12 વર્ષના થયા ત્યાં સુધી તેઓ ગંગોદ અને વાઈમાં રહ્યા. આ જંગલ વિસ્તાર છત્રપતિ શિવાજી ની કર્મભૂમિ હતી. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ના જીવનપ્રસંગોમાંથી તેમણે પ્રેરણા લઈ લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને આજીવન આ પ્રતિજ્ઞા પાળી. વિનોબા અને તેમના મિત્રો પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચતા. આમ સ્વાધ્યાય કરવાની આદત હોવાથી એમના પર સ્વદેશી ભાષા અને સંસ્કૃતિની ખૂબ અસર થઈ. વિનોબા ભાવે લગભગ પંદર જેટલી ભાષાઓ માતૃભાષાની જેમ જ બોલી શકતા. ગાંધીજીના ભાષણોની દેશના દરેક ખૂણે મોટી અસર થઈ. કાશીની સભામાં વિનોબા પણ હાજર હતા. એમના પર પણ ગાંધીજીના ભાષણની ખૂબ અસર થઈ. આ પ્રસંગ બાદ વિનોબાએ ગાંધીજીને અમદાવાદ ખાતે કોચરબ આશ્રમના સરનામે પત્ર લખ્યો ગાંધીજીએ એમને રૂબરૂ મળવા બોલાવતાં વિનોબા અમદાવાદ આવી ગાંધીજીને મળ્યા. નીતિ નિયમોનું પાલન એમણે શરૂ કર્યું. આમ વિનોબા એટલે સાક્ષાત્ ગાંધી વિચારસરણીનું પાલન કરનાર વ્રતધારી. વર્ધામાં સત્યાગ્રહ આશ્રમ ખોલવાની વાત નક્કી થઈ. ગાંધીજી ગુજરાત છોડવા માંગતા ન હતા. આખરે બે-ત્રણ સાથીઓ સાથે વિનોબાને વર્ધા આશ્રમમાં મોકલવામાં આવ્યા. વર્ધાનું કામ વિનોબાએ સંભાળી લીધું. નકુલના ઝંડા સત્યાગ્રહમાં વિનોબાજી જોડાયા અને જેલમાં પણ ગયા. જેલવાસ દરમિયાન તેમની મુલાકાત જુદા જુદા નેતાઓ સાથે થઈ. 1930 માં ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે વિનોબાજીએ આશ્રમમાં રહીને રેંટિયાનું રચનાત્મક કાર્ય સંભાળ્યું. 1939 માં સરકારે દેશને બીજા વિશ્વયુદ્ધ માં ધકેલ્યો એની સામે વિરોધ જાગ્યો. આ સંદર્ભમાં એમણે પવનારમાં ભાષણ કર્યું તેના માટે તેમને ત્રણ મહિનાની જેલની સજા થઈ. દક્ષિણમાં 'પાંચમ પલ્લી' નામનું એક ગામ આવેલું હતું. તેની વસતી 3000ની હતી. આમાંથી કેટલાક પાસે તો પોતાની જમીન પણ ન હતી. વિનોબા ત્યાં આવ્યા વિનોબાએ ગામના લોકોને ભેગા કરી વાત મૂકી અને ગામના એક વ્યક્તિએ 100 એકર જમીન લોકોને ભેટ આપી. એ રાતે વિનોબાએ સંકલ્પ કર્યો કે ગામડે ગામડે ફરીને 'ભૂમિદાન' માંગવું જોઈએ. એમણે એ વિચાર અમલમાં મૂક્યો અને વિનોબાજીનું જીવન 'ભૂદાન યજ્ઞ' સાથે જોડાઈ ગયું. ગામડે ગામડે યાત્રા ચાલી ભૂમિદાનની વાત શરૂ થઈ પછી તો એમણે શ્રમદાન, બુદ્ધિદાન, જીવનદાન અને ગ્રામદાનની વાત પણ શરૂ કરી. જેની પાસે જે કંઈ હોય તે લોકસેવાના કામમાં લગાવી સમર્પિત કરવું એ જ જીવનદાન છે એવું તેમણે લોકોને સમજાવ્યું. તેઓ સાચા કર્મયોગી હતા. એમનાં કાર્યોની સુવાસ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગઈ. 25 સપ્ટેમ્બર, 1976 ના રોજ વિનોબાએ જાહેર કર્યું કે હવેથી તેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા રહેશે નહીં. 1980 માં પવનાર આશ્રમમાં વિશ્વ મહિલા પરિષદ યોજાઈ. એ વખતે એમણે નારી સ્વતંત્રતા વિશે પ્રવચનો આપ્યાં. જે પ્રવચનો 'સ્ત્રી શક્તિ' નામના પુસ્તકમાં સંગ્રહિત થયાં છે. ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા અને કાયદો ઘડવા એમણે સરકાર સમક્ષ માંગણી કરી હતી. આ પરથી તેમની ગૌરક્ષક તરીકેની પ્રતિભાનાં દર્શન થાય છે. 1982 ની સાલમાં વિનોબાજીને 87 વર્ષ પૂરાં થયાં. આખરે 15 નવેમ્બર, 1982 ના દિવસે સવારે એમણે દેહ છોડયો. 1958 માં વિનોબાજીને મેગ્સેસે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. એમની અહિંસા અને ખાદીની વાતોથી અનેક વિદેશી બુદ્ધિજીવી આકર્ષાયા હતા. એમના મૃત્યુ બાદ 1983 માં ભારત સરકારે 'ભારતરત્ન' એનાયત કરી એમનું બહુમાન કર્યું.

    11th September

    Read more
    ભૂમિદાન દિન (વિનોબા ભાવે જન્મજયંતી)
    11th September
    સંત વિનોબા ભાવે એટલે માનવતાવાદી વિચારક, વિનોબા ભાવે એટલે યુગ પ્રવર્તક.
    વિનોબા ભાવે નો જન્મ 11 સપ્ટેમ્બર, 1895 માં થયો હતો. એમનું મૂળ વતન ગંગોદ (મહારાષ્ટ્ર) હતું. તેમનું બાળપણનું નામ વિનાયક ભાવે હતું. 12 વર્ષના થયા ત્યાં સુધી તેઓ ગંગોદ અને વાઈમાં રહ્યા. આ જંગલ વિસ્તાર છત્રપતિ શિવાજી ની કર્મભૂમિ હતી. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ના જીવનપ્રસંગોમાંથી તેમણે પ્રેરણા લઈ લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને આજીવન આ પ્રતિજ્ઞા પાળી.
    વિનોબા અને તેમના મિત્રો પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચતા. આમ સ્વાધ્યાય...
    Read more
    રાષ્ટ્રીય હિન્દી દિવસ
    રાષ્ટ્રીય હિન્દી દિવસ

    "હિન્દી જનતાની ભાષા છે, હિન્દી ભારતની આશા છે." આપણા દેશના મોટાભાગના ભાગોમાં બોલાતી પહેલી ભાષા હિન્દી છે. અંગ્રેજી અને ચાઇનીઝ પછી, હિન્દી દુનિયામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. વૈશ્વિકરણના આ યુગમાં, હિન્દીએ પોતાના મૂળિયા સરહદો પાર ફેલાવ્યા છે. આજકાલ, વિશ્વના વિકસિત દેશોમાં હિન્દી શીખવવામાં આવે છે. હિન્દીએ આપણને સમગ્ર વિશ્વમાં એક નવી ઓળખ આપી છે. હિન્દી આપણા આત્મસન્માન અને ગૌરવની ભાષા છે. હિન્દી ભારતીય સંસ્કૃતિનો આત્મા છે અને રાષ્ટ્રની અભિવ્યક્તિનો સૌથી સરળ સ્ત્રોત છે. ૧૯૧૮ માં, ગાંધીજીએ હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દીને ભારતના જનતાની ભાષા ગણાવીને તેને રાષ્ટ્રભાષા બનાવવાની વાત કરી હતી. તે સમયે પણ, સ્વતંત્ર ભારતમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે ઘણા મતભેદો અને વાંધાઓ હતા. રાજેન્દ્ર સિંહે કાકા કાલેલકર, હજારીપ્રસાદ દ્વિવેદી, શેઠ ગોવિંદ દાસ, મૈથિલીશરણ ગુપ્તા વગેરે જેવા સાહિત્યકારોને સાથે લઈને અથાક પ્રયાસો કર્યા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ ના રોજ, બંધારણ સભાએ નિર્ણય લીધો કે સંઘની સત્તાવાર ભાષા હિન્દી હશે અને લિપિ દેવનાગરી હશે. હિન્દીના પ્રચાર સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી હતી અને તેના વિકાસ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ૧૪ સપ્ટેમ્બરે પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર વ્યવહાર રાજેન્દ્ર સિંહનો ૫૦મો જન્મદિવસ પણ હતો. પછીથી, પ્રચાર કાર્યને ઝડપી બનાવવા માટે, રાષ્ટ્રીય ભાષા પ્રસાર સમિતિ, વર્ધા ની વિનંતી પર, 1953 થી સમગ્ર ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બર ને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. તેથી ૧૪ સપ્ટેમ્બર થી શરૂ થતા એક અઠવાડિયા માટે સમગ્ર દેશમાં હિન્દી સપ્તાહ ઉજવવામાં આવે છે. આખા અઠવાડિયા દરમિયાન, લોકોમાં હિન્દી પ્રત્યે આદર દર્શાવવા અને તેમને તેમની ફરજો પ્રત્યે જાગૃત કરવા માટે વિવિધ સ્થળોએ ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. તમામ સરકારી કચેરીઓને પણ હિન્દીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. દેશના તમામ નાગરિકોને હિન્દી પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે, હિન્દી દિવસ પર, જેઓ હિન્દીનો સારી રીતે ઉપયોગ કરે છે તેમને રાષ્ટ્રીય ભાષા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે અને હિન્દી માટે કરવામાં આવેલા શ્રેષ્ઠ કાર્ય માટે, સમિતિઓ, વિભાગો, બોર્ડ વગેરેને રાષ્ટ્રીય ભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવે છે. ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે, આ ક્ષેત્રોમાં પણ માનનીય રકમના ઇનામો આપવામાં આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીનો પ્રભાવ વધતો ગયો. વિશ્વ હિન્દી પરિષદો શરૂ થયા. પ્રથમ વિશ્વ પરિષદ 10 જાન્યુઆરી 1975 ના રોજ નાગપુર માં યોજાઈ હતી. તેની યાદમાં, 2006 થી દર વર્ષે 10 જાન્યુઆરી એ વિશ્વ હિન્દી દિવસની શરૂઆત કરવામાં આવે છે.

    14th September

    Read more
    રાષ્ટ્રીય હિન્દી દિવસ
    14th September
    "હિન્દી જનતાની ભાષા છે, હિન્દી ભારતની આશા છે."
    આપણા દેશના મોટાભાગના ભાગોમાં બોલાતી પહેલી ભાષા હિન્દી છે. અંગ્રેજી અને ચાઇનીઝ પછી, હિન્દી દુનિયામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. વૈશ્વિકરણના આ યુગમાં, હિન્દીએ પોતાના મૂળિયા સરહદો પાર ફેલાવ્યા છે. આજકાલ, વિશ્વના વિકસિત દેશોમાં હિન્દી શીખવવામાં આવે છે. હિન્દીએ આપણને સમગ્ર વિશ્વમાં એક નવી ઓળખ આપી છે. હિન્દી આપણા આત્મસન્માન અને ગૌરવની ભાષા છે. હિન્દી ભારતીય સંસ્કૃતિનો આત્મા છે અને રાષ્ટ્રની અભિવ્યક્તિનો સૌથી સરળ સ્ત્રોત છે.
    ૧૯૧૮ માં, ગાંધીજીએ હિન્દી...
    Read more
    વિશ્વ ઓઝોન દિન
    વિશ્વ ઓઝોન દિન

    16 સપ્ટેમ્બર, 1987 ના રોજ વિશ્વના 28 જેટલા દેશોએ ઓઝોન સ્તરની જાળવણી માટેના 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ' પર હસ્તાક્ષર કરીને પોતાની સહમતી દર્શાવી હતી. જેના કારણે પર્યાવરણીય ઈતિહાસમાં નવો વળાંક આવ્યો. એ દિવસની યાદગીરી સ્વરૂપે 1994 માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય મહાસભામાં 16 સપ્ટેમ્બર ને 'વિશ્વ ઓઝોન દિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, ઓઝોન સ્તરની જાળવણીના મહત્વને સમજતા વિશ્વના વિવિધ દેશોએ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનારાં ઘટકોનો ઉપયોગ બંધ કરવો અને તેના સ્થાને નુકસાનકારક ન હોય તેવા પદાર્થોનો ઉપયોગ વધારવો તેવું નક્કી કર્યું. આપણી પૃથ્વીની ફરતે આવેલા વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોન એ અન્ય વાયુઓની જેમ પૃથ્વીની ફરતે આવેલો કુદરતી વાયુ છે, જે ઓક્સિજનના 3 પરમાણુ જોડાઈને બને છે. જેવી રીતે અસહ્ય તાપ અને વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વીની સમગ્ર જીવસૃષ્ટિને બચાવવા માટે ઓઝોન વાયુનું સ્તર છત્રી જેવું કાર્ય કરે છે. તે સૂર્યમાંથી નીકળતાં 90% પારજાંબલી કિરણોનું શોષણ કરી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સમગ્ર જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે વિવિધ માનવીય પ્રવૃત્તિઓ જેવી કે વાહનો અને ઉદ્યોગોનો ધુમાડો, રેફ્રિજરેટર અને ACના બેફામ ઉપયોગના કારણે પૃથ્વી પર પ્રદૂષણ વધી રહ્યું છે. દક્ષિણ ધ્રુવ તેમજ ઉત્તર ધ્રુવના વિસ્તારમાં ઓઝોન સ્તરરૂપી રક્ષાકવચ તૂટી રહ્યું છે. પ્રદૂષણને લીધે નીકળતા હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓ - જેવા કે કાર્બનડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઈડ ઉપરાંત રેફ્રિજરેટર તથા ACમાંથી ઉત્પન્ન થતા ક્લોરોફ્લોરો કાર્બન (CFC) જેવાં રસાયણો ઓઝોન સ્તર માટે નુકસાનકારક છે. જેના કારણે ઓઝોન સ્તર તૂટી રહ્યું છે, તેમાં ગાબડાં પડી રહ્યાં છે. પરિણામે સૂર્યનાં પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે. આ કિરણોના કારણે મનુષ્યને ચામડીનું કેન્સર, મોતિયો જેવા રોગો થાય છે, વનસ્પતિને નુકસાન થાય છે તથા દરિયાઈ જીવસૃષ્ટિ પણ જોખમમાં મૂકાય છે. કહેવાય છે કે પ્રકૃતિની વ્યવસ્થામાં મનુષ્યોએ ક્યારેય દખલગીરી ન કરવી જોઈએ. પ્રકૃતિએ મનુષ્યની તથા અન્ય જીવોની સુરક્ષા માટે જ પૃથ્વીની આસપાસ આ ઓઝોન વાયુનું સ્તર મૂક્યું છે. પરંતુ મનુષ્યની પ્રવૃત્તિઓના કારણે આ રક્ષાસ્તર તૂટી રહ્યું છે. આજના દિવસે આપણે એ સમજવું રહ્યું કે આપણે પ્રકૃતિમાંથી મળેલી આ અમૂલ્ય ભેટનું રક્ષણ કરવું જ રહ્યું. આપણે જેટલું પૃથ્વીના આ રક્ષા સ્તરને સાચવીશું તેટલું જ આપણી ભાવિ પેઢીને ફાયદાકારક રહેશે.

    16th September

    Read more
    વિશ્વ ઓઝોન દિન
    16th September
    16 સપ્ટેમ્બર, 1987 ના રોજ વિશ્વના 28 જેટલા દેશોએ ઓઝોન સ્તરની જાળવણી માટેના 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ' પર હસ્તાક્ષર કરીને પોતાની સહમતી દર્શાવી હતી. જેના કારણે પર્યાવરણીય ઈતિહાસમાં નવો વળાંક આવ્યો. એ દિવસની યાદગીરી સ્વરૂપે 1994 માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય મહાસભામાં 16 સપ્ટેમ્બર ને 'વિશ્વ ઓઝોન દિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, ઓઝોન સ્તરની જાળવણીના મહત્વને સમજતા વિશ્વના વિવિધ દેશોએ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનારાં ઘટકોનો ઉપયોગ બંધ કરવો અને તેના સ્થાને નુકસાનકારક ન હોય તેવા પદાર્થોનો ઉપયોગ વધારવો તેવું નક્કી કર્યું.
    આપણી પૃથ્વીની...
    Read more
    આંતરરાષ્ટ્રીય શાંતિ દિન
    આંતરરાષ્ટ્રીય શાંતિ દિન

    સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદ્દભાવનાનો સંદેશો ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે દર વર્ષે 21 સપ્ટેમ્બર ના રોજ 'આંતરરાષ્ટ્રીય શાંતિ દિન' ઉજવવામાં આવે છે. આજે વિશ્વમાં અનેક દેશો વચ્ચે યુદ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. યુદ્ધના કારણે અનેક દેશોએ જાનમાલની તેમજ અનેક રીતે ખુવારી ભોગવવી પડે છે. તેનાથી સમગ્ર વિશ્વની વસતીને વિવિધ યાતનાઓમાંથી પસાર થવું પડે છે. વિશ્વને યુદ્ધથી થતી દુર્દશામાંથી બચાવવા માટે તેમજ સમગ્ર વિશ્વ શાંતિ માટે પ્રતિબદ્ધ થાય અને શાંતિની સંસ્કૃતિનું નિર્માણ થાય તે હેતુથી સમગ્ર વિશ્વમાં 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને 'વૈશ્વિક યુદ્ધ વિરામ દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી પરના દરેક મનુષ્યોએ અને દેશોએ એકબીજાની સંસ્કૃતિ, ભાષા, ધર્મ વગેરેનો આદર કરીને બધાને અપનાવીને શાંતિનું સામ્રાજ્ય સ્થપાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આજે વિશ્વના દરેક વ્યક્તિએ 'વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવના કેળવવી જોઈએ. વિશ્વમાં આ માટે અનેક પ્રયત્નો થયા છે. સૌ પ્રથમ વર્ષ 1981 માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ દિન તરીકે ઉજવવાનું જાહેર કરાયું અને વર્ષ 1982 થી દર સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિન તરીકે ઉજવવામાં આવતો હતો. વર્ષ 2002 માં પસાર થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા બાદ દર 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ દિને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય, ન્યૂયોર્કમાં આવેલ 'યુએન પીસ બેલ' વગાડવામાં આવે છે. આ બેલની ઉપર લખ્યું છે કે "વિશ્વમાં શાંતિ અમર રહો." આ બેલ દુનિયાના જુદાં જુદાં બાળકો દ્વારા દાનમાં આપવામાં આવેલા સિક્કાઓમાંથી બનાવવામાં આવ્યો છે. આ બેલ જાપાનના યુનાઇટેડ નેશનલ એસોસિએશ ને ભેટમાં આપ્યો છે. આ દિવસે સફેદ કબૂતર ઉડાડીને વિશ્વમાં શાંતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં અનેક દેશોની સરકાર તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા લોકો શાંતિનું મહત્વ સમજે તેમજ વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા પંચશીલના સિદ્ધાંતો દ્વારા વિશ્વ શાંતિની હિમાયત કરવામાં આવી હતી. નોબલ પારિતોષિક સમિતિ દ્વારા સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાનની સાથે સાથે શાંતિ એમ કુલ છ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ વિશેષને દર વર્ષે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આમ વિશ્વમાં શાંતિ માટે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ વિશેષને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર આપવામાં આવે છે. 2014 માં ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યુસુફઝઈ ને નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મલાલા સૌથી યુવાવયે આ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ બની છે. 2015 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નવા વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ (SDGs)ની જાહેરાત કરવામાં આવી. તેમાં પણ વિશ્વ શાંતિ અને સલામતીની વાત કરવામાં આવી છે. શાંતિ વિના ટકાઉ વિકાસ સાકાર થઈ શકતો નથી. આ બાબત ધ્યાનમાં રાખીને વિવિધ એજન્ડા તૈયાર કરવામાં આવ્યા છે. આમ વિશ્વસ્તરે શાંતિ માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે આપણે પણ વિશ્વ શાંતિ માટેના યજ્ઞના ઋત્વિજ બનીએ.

    21st September

    Read more
    આંતરરાષ્ટ્રીય શાંતિ દિન
    21st September
    સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદ્દભાવનાનો સંદેશો ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે દર વર્ષે 21 સપ્ટેમ્બર ના રોજ 'આંતરરાષ્ટ્રીય શાંતિ દિન' ઉજવવામાં આવે છે. આજે વિશ્વમાં અનેક દેશો વચ્ચે યુદ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. યુદ્ધના કારણે અનેક દેશોએ જાનમાલની તેમજ અનેક રીતે ખુવારી ભોગવવી પડે છે. તેનાથી સમગ્ર વિશ્વની વસતીને વિવિધ યાતનાઓમાંથી પસાર થવું પડે છે. વિશ્વને યુદ્ધથી થતી દુર્દશામાંથી બચાવવા માટે તેમજ સમગ્ર વિશ્વ શાંતિ માટે પ્રતિબદ્ધ થાય અને શાંતિની સંસ્કૃતિનું નિર્માણ થાય તે હેતુથી સમગ્ર વિશ્વમાં 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિનની ઉજવણી કરવામાં આવે...
    Read more
    રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day)
    રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day)

    રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.)નું સંચાલન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ દેશના યુવાનોના વ્યક્તિત્વ વિકાસનો છે. 'રાષ્ટ્રીય સેવા યોજના દિન' દર વર્ષે 24 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજનાની સ્થાપના 24 સપ્ટેમ્બર, 1969 ના રોજ કરવામાં આવી હતી. આ સંગઠનની સ્થાપનાની વાત આઝાદી પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના સમયથી ચાલી રહી હતી, જેને 1969 માં મહાત્મા ગાંધીજીની જન્મશતાબ્દીના વર્ષમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે વર્ષે તત્કાલીન કેન્દ્રીયમંત્રી ડૉક્ટર વી. કે. આર. વી. રાવ દ્વારા 37 યુનિવર્સિટીમાં યોજના દાખલ કરવામાં આવી હતી.   આ દિવસે આયોજિત પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સમાજના લોકો સાથે મળીને સમાજના હિત માટે કાર્ય કરે છે. જેમ કે સાક્ષરતા સંબંધિત કાર્ય, પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, કટોકટી અથવા કુદરતી આફતના પીડિતોને મદદ કરવી વગેરે. NSS હેઠળ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા સતત વધી રહી છે. NSS સ્વયંસેવક માટે દર વર્ષે ઓછામાં ઓછા 120 કલાક એટલે કે બે વર્ષમાં 240 કલાક સેવા આપવી ફરજિયાત છે. આ કાર્ય NSS એકમો દ્વારા દત્તક લીધેલાં એકમો (ગામો) અથવા શાળા/કોલેજ કેમ્પસમાં કરવામાં આવે છે. તે સામાન્ય રીતે અભ્યાસના કલાકો પછી અથવા રજાઓ દરમિયાન કરવામાં આવે છે. વધુમાં, દરેક એકમ તેની સાથે સંકળાયેલા સ્થાનિક સમુદાયો માટે કેટલાક ખાસ પ્રોજેક્ટ કરે છે. રજાના દિવસે દત્તક લીધેલાં ગામો અથવા શહેરી ઝૂંપડપટ્ટીઓમાં 7 દિવસની ખાસ શિબિરોનું આયોજન પણ કરે છે. દરેક સ્વયંસેવકે 2 વર્ષના સમયગાળા દરમિયાન એક વખત વિશેષ શિબિરમાં હાજરી આપવી જરૂરી છે. આમ, એક યુનિટમાંથી લગભગ 50% NSS સ્વયંસેવકો શિબિરમાં ખાસ હાજરી આપે છે. NSSની પ્રવૃત્તિનાં મુખ્ય ક્ષેત્રોમાં શિક્ષણ અને સાક્ષરતા, આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને પોષણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સેવા કાર્યક્રમો, મહિલાઓની સ્થિતિમાં સુધારો, ઉત્પાદનલક્ષી કાર્યક્રમો, આપત્તિ રાહત અને પુનર્વસન કાર્યક્રમો, સામાજિક દૂષણો સામે ઝુંબેશ, ડિજિટલ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, યોગ વગેરે જેવા ફ્લેગશિપ પ્રોગ્રામ્સ વિશે જાગૃતિ ઊભી કરવી વગેરેનો સમાવેશ થાય છે.

    24th September

    Read more
    રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day)
    24th September
    રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.)નું સંચાલન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ દેશના યુવાનોના વ્યક્તિત્વ વિકાસનો છે. 'રાષ્ટ્રીય સેવા યોજના દિન' દર વર્ષે 24 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજનાની સ્થાપના 24 સપ્ટેમ્બર, 1969 ના રોજ કરવામાં આવી હતી. આ સંગઠનની સ્થાપનાની વાત આઝાદી પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના સમયથી ચાલી રહી હતી, જેને 1969 માં મહાત્મા ગાંધીજીની જન્મશતાબ્દીના વર્ષમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે વર્ષે તત્કાલીન કેન્દ્રીયમંત્રી ડૉક્ટર વી. કે. આર. વી. રાવ દ્વારા
    Read more
    વીર ભગતસિંહ જન્મજયંતી
    વીર ભગતસિંહ જન્મજયંતી

    'ઇન્કલાબ ઝીંદાબાદ'નો નારો સાંભળતાં જ ભગતસિંહ નો ચહેરો આપણી આંખો સામે તરવરવા લાગે છે. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907 ના રોજ પંજાબના બંગા ગામમાં (હાલનું પાકિસ્તાન) થયો હતો. ભગતસિંહ બંગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી લાહોરની હાઈસ્કૂલમાં ભણ્યા અને ત્યારબાદ કોલેજમાં જોડાયા. ત્યાંના રાષ્ટ્રવાદી શિક્ષકોનો પ્રભાવ તેમના જીવન પર પડયો. યુવાનોમાં ક્રાંતિની ભાવના જાગૃત કરવા તેમણે લાહોરમાં નવજવાન ભારત સભાની સ્થાપના કરી. યુવાનો સાથે કામ કરતાં તેમને સુખદેવ, યશપાલ, ભગવતીશરણ, ચંદ્રશેખર આઝાદ, જતીન્દ્રનાથ દાસ જેવા ક્રાંતિકારીઓનો પરિચય થયો. 30 ઓક્ટોબર, 1928 ના રોજ સાયમન કમિશન ના વિરોધમાં લાહોરમાં લાલા લજપતરાય ના નેતૃત્વ હેઠળ નીકળેલા સરઘસ પર પોલીસે સખત લાઠીચાર્જ કર્યો. તેમાં લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા દિવસ પછી તેઓ વીરગતિ પામ્યા. ભગતસિંહ અને તેમના સાથીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર એવા પોલીસ અધિકારી મિ.સ્કોર્ટ નું ખૂન કરવાનું નક્કી કર્યું, પરંતુ પોલીસ ચોકીમાંથી જતા પોલીસ અધિકારી સોન્ડર્સને મિ.સ્કોર્ટ સમજી ભગતસિંહે ગોળીબાર કર્યો. તેથી સોન્ડર્સ મરણ પામ્યો. આ ઘટના બાદ ભગતસિંહ ગુપ્ત વેશે લાહોરથી નિકળી ગયા. 8 એપ્રિલ, 1929 ના રોજ ભગતસિંહે અને તેમના સાથી બટુકેશ્વર દત્તે નવી દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભા ચાલુ હતી ત્યારે વિઝીટર્સ ગેલેરી માંથી બે બોમ્બ ફેંક્યા અને ત્યાં જ ઉભા રહી ગયા. બોમ્બ નાંખવા માટે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી. 12 જૂને એસેમ્બલી બોમ્બકાંડમાં બંનેને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. સોન્ડર્સ ખૂન કેસમાં ભગતસિંહ ઉપરાંત સુખદેવ અને રાજગુરુ પણ સંકળાયેલા હતા એવું પોલીસને જાણવા મળ્યું. આથી તેમની ધરપકડ કરી કેસ ચલાવવામાં આવ્યો અને તેમને ફાંસીની સજા કરવામાં આવી. લાહોરની સેન્ટ્રલ જેલમાં "ઇન્કલાબ ઝીંદાબાદ"ના નારા લગાવ્યા અને ત્રણેયે એક પંક્તિ બુલંદ અવાજમાં ગાઈ: "દિલ સે નિકલેગી મર કર ભી વતન કી ઉલ્ફત. મેરી મિટ્ટી સે ભી ખૂશ્બુ એ વતન આયેગી." 23 માર્ચ, 1931 ની સાંજે ક્રાંતિવીરોને ફાંસી આપવામાં આવી અને આ ત્રણેય ક્રાંતિકારીઓના પાર્થિવ શરીરને સતલજ નદી કાંઠે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા. રાષ્ટ્રના ચરણે ભારતના આ દિવ્ય પારિજાત પુષ્પો સદાકાળ માટે મઘમઘતાં રહેશે.

    28th September

    Read more
    વીર ભગતસિંહ જન્મજયંતી
    28th September
    'ઇન્કલાબ ઝીંદાબાદ'નો નારો સાંભળતાં જ ભગતસિંહ નો ચહેરો આપણી આંખો સામે તરવરવા લાગે છે. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907 ના રોજ પંજાબના બંગા ગામમાં (હાલનું પાકિસ્તાન) થયો હતો. ભગતસિંહ બંગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી લાહોરની હાઈસ્કૂલમાં ભણ્યા અને ત્યારબાદ કોલેજમાં જોડાયા. ત્યાંના રાષ્ટ્રવાદી શિક્ષકોનો પ્રભાવ તેમના જીવન પર પડયો. યુવાનોમાં ક્રાંતિની ભાવના જાગૃત કરવા તેમણે લાહોરમાં નવજવાન ભારત સભાની સ્થાપના કરી. યુવાનો સાથે કામ કરતાં તેમને સુખદેવ, યશપાલ, ભગવતીશરણ, ચંદ્રશેખર આઝાદ, જતીન્દ્રનાથ દાસ જેવા ક્રાંતિકારીઓનો પરિચય થયો.
    30 ઓક્ટોબર, 1928...
    Read more
    વિશ્વ હૃદય દિન
    વિશ્વ હૃદય દિન

    દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન' મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દુનિયામાં એવા કરોડો લોકો છે જે હૃદયરોગની સામે ઝઝૂમી રહ્યા છે. હૃદયએ માનવ શરીરનું મહત્વનું અંગ છે. જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આજના સમયમાં આપણી બિનસ્વાસ્થ્યપ્રદ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે, જેના કારણે હૃદયને ઘણું સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે 'વિશ્વ હૃદય દિન' ઉજવવામાં આવે છે. હૃદયનું કાર્ય બધા અવયવોને ઓક્સિજન પહોંચાડવા માટે આખા શરીરમાં લોહીને પમ્પ કરવાનું છે. તે જ્યારે આ રીતે કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે તે હૃદયની નિષ્ફળતા તરીકે ઓળખાય છે. એવું જોવા મળ્યું છે કે આપણા બિનઆરોગ્યપ્રદ ખાન-પાનના કારણે હૃદયને સૌથી વધુ નુકસાન થાય છે. જેમાં સૌથી મોટો ફાળો આપણી નાદુરસ્ત દિનચર્યાનો પણ છે. ડૉક્ટરોના મતે, દરેક વ્યક્તિએ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ. તેમજ તેલયુક્ત અને ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. અસંતુલિત આહારની સાથે સાથે ધૂમ્રપાનના કારણે હૃદય સંબંધિત રોગોમાં વધારો થઇ રહ્યો છે. આજના સમયમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે તેમજ ઘણા લોકો હૃદય સંબંધિત રોગોને કારણે મૃત્યુ પામે છે. યુવાન લોકોમાં હૃદય સંબંધિત વિકૃતિઓ પણ સામે આવી છે. આવી સ્થિતિમાં, 'વિશ્વ હૃદય દિન' દ્વારા લોકોને હૃદયને સ્વસ્થ રાખવા તેમજ હૃદય રોગનું જોખમ ઘટાડવા માટે પ્રેરિત અને જાગૃત કરવામાં આવે છે. વિશ્વમાં હૃદયના દર્દીઓના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ 'વિશ્વ હૃદય દિન' ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વર્ષ 2000 માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રથમ વખત 'વિશ્વ હૃદય દિન' ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે 'વિશ્વ હૃદય દિન'ની ઉજવણી કરવામાં આવતી હતી. જોકે, 2014 થી દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 'વિશ્વ હૃદય દિન' નો એકમાત્ર હેતુ હૃદય સંબંધિત સમસ્યાઓ ઘટાડવા માટે લોકોમાં જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. દર વર્ષે આ દિવસે ઘણા દેશોમાં કાર્યક્રમો યોજીને લોકોને હૃદયની તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. હાર્ટ એટેકના લક્ષણો: (1) ચાલતી વખતે અથવા કામ કરતી વખતે છાતીમાં ભારેપણું મહેસુસ થવા લાગવું. (2) શ્વાસ ફૂલવા લાગવો. (3) ઘણીવાર જમ્યા પછી ગળામાં બળતરા થવી. (4) જમ્યા પછી છાતીમાં ભારે દુ:ખાવો થવો. (5) ચક્કર આવવા. (6) ગભરામણ થવી. (7) વધારે થાક લાગવો. (8) ખૂબ જ પરસેવો વળવો. હૃદયને તંદુરસ્ત રાખવા આટલું કરો : 1. વજન વધવા ન દો. 2. ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરવું. ૩. તણાવ (સ્ટ્રેસ) મુક્ત રહો, કસરત કરો. 4. માદક / નશીલા પદાર્થનું સેવન ન કરો. આજના ભાગદોડભર્યા જીવનમાં નાની ઉંમરમાં લોકોનાં હાર્ટએટેકથી મૃત્યુ થાય છે. આ સાથે જ હૃદય (હાર્ટ)ને લગતી બીમારીઓ પણ દિવસે ને દિવસે વધતી જાય છે. આ પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. હાર્ટ એટેકની સાથે-સાથે લોકો હાઇકોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, સ્ટ્રોક જેવી અનેક બીમારીઓનો ઝડપથી શિકાર બની રહ્યા છે. આ સમયમાં શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. નારિયેળ પાણી અને વિવિધ જ્યુસનું સેવન કરવાથી તેમજ નિયમિત રીતે યોગ અને વ્યાયામ કરવાથી હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.

    29th September

    Read more
    વિશ્વ હૃદય દિન
    29th September
    દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન' મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દુનિયામાં એવા કરોડો લોકો છે જે હૃદયરોગની સામે ઝઝૂમી રહ્યા છે. હૃદયએ માનવ શરીરનું મહત્વનું અંગ છે. જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આજના સમયમાં આપણી બિનસ્વાસ્થ્યપ્રદ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે, જેના કારણે હૃદયને ઘણું સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે 'વિશ્વ હૃદય દિન' ઉજવવામાં આવે છે.
    ...
    Read more
    રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન
    રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન

    વિશ્વમાં આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. નવી નવી શોધોએ માનવીની સુખાકારીમાં આમૂલ પરિવર્તન કર્યું હોવા છતાં કોઈ પણ સંશોધન, ટૅક્નોલોજી કે અદ્યતન સાધનોથી સજ્જ પ્રયોગશાળાઓમાં પણ કૃત્રિમ લોહી બનાવવામાં માનવજાત નિષ્ફળ રહી છે. વ્યક્તિના જીવનમાં લોહીની જરૂરિયાત અને તેના મહત્ત્વના પ્રચાર-પ્રસાર તથા સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે દર વર્ષે 1 ઑક્ટોબર ના દિવસે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત આપણા દેશમાં 1975 થી થઈ હતી.   સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રક્તદાનના મહત્ત્વ વિશે સમગ્ર દેશના લોકોમાં જાગૃતિ લાવી અને જરૂરિયાતમંદ દર્દીઓની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે સ્વૈચ્છિક રક્તદાનનું લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કરવાનો છે. આ ઉપરાંત તંદુરસ્ત વ્યક્તિ હોવા છતાં રક્તદાન કરવામાં રસ ન ધરાવતા લોકોને પ્રોત્સાહિત કરવા અને રક્તદાન અંગે લોકોમાં રહેલી કેટલીક ગેરમાન્યતાઓ દૂર કરવાનો પણ છે. જે વ્યક્તિઓ રક્તદાન કરે છે અથવા રક્તદાન કરવા માંગે છે તેમના માટે કેટલીક જાણવા જેવી બાબતો નીચે પ્રમાણે છે.   • કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર 18 થી 60 વર્ષની હોય અને તેનું વજન 45 કિલોગ્રામથી વધુ હોય તે રક્તદાન કરી શકે છે. • એચ.આઈ.વી., હિપેટાઈટિસ-બી કે તેના જેવી અન્ય બીમારીઓ ન હોય તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે. • એકવારમાં 350 મિલિગ્રામ રક્ત આપી શકાય છે. જેની પૂર્તિ શરીરમાં 24 કલાકમાં થઈ જાય છે અને ગુણવત્તાની પૂર્તિ 21 દિવસની અંદર થાય છે. • જે વ્યક્તિ નિયમિત રકતદાન કરે છે તેને હૃદય સંબંધી બિમારીઓ થવાનું ઓછું જોખમ રહે છે. • આપણા શરીરમાં લોહીની રચના એવી છે કે તેમાં સમાવિષ્ટ રેડ બ્લડ સેલ ત્રણ માસમાં સ્વયં નાશ પામે છે, માટે પ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે. રક્ત ઘટક વ્યવસ્થાને કારણે તેમાંથી વિવિધ ઘટકો છૂટા પાડીને (જેવા કે પ્લાઝમા, પ્લેટલેટ્સ વગેરે) દર્દીની જરૂરિયાત મુજબના ઘટકવાળું લોહી ચડાવવાી તે ઝડપથી સાજો થાય છે. આ રીતે એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ-ચાર વ્યક્તિઓની જિંદગી બચાવી શકીએ છીએ. દેશના લોકો અને ખાસ તો યુવાનો, રક્ત ઉપલબ્ધતા, લોહીના ઘટકો જુદા પાડવાના એકમ, રક્તસંગ્રહ કેન્દ્રો, સરકારી-ખાનગી બ્લડ બેંક, રક્તદાતા વગેરે વિશે જાણે અને સહયોગ આપે તે જરૂરી છે. સમાજસેવી સંસ્થાઓની રક્તસેવા યોજના થકી પણ હજારો લોકોનાં જીવન બચાવી શકાય છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. આ કારણથી લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે. રક્તદાન ભલે આપણે બીજાની મદદ માટે કરતા હોય પણ ક્યારેક એ પોતાને પણ મદદરૂપ બની જાય છે. કારણ કે, આપણે પોતે કે આપણા કોઈ સંબંધી અકસ્માત કે બીમારીને કારણે દવાખાનામાં દાખલ થાય અને લોહી ચડાવવાની જરૂર પડે ત્યારે કોઇકનું દાન કરેલું લોહી જ આપણા કામમાં આવે છે. એબીઓ રક્તસમૂહ પ્રણાલી (ABO blood group system)ના શોધક કાર્લ લેન્ડસ્ટેનર નો જન્મદિવસ (14મી જૂન, 1868) હોવાથી તેમની યાદમાં 14મી જૂનને વિશ્વ રક્તદાન દિન તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે.

    01st October

    Read more
    રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિન
    01st October
    વિશ્વમાં આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. નવી નવી શોધોએ માનવીની સુખાકારીમાં આમૂલ પરિવર્તન કર્યું હોવા છતાં કોઈ પણ સંશોધન, ટૅક્નોલોજી કે અદ્યતન સાધનોથી સજ્જ પ્રયોગશાળાઓમાં પણ કૃત્રિમ લોહી બનાવવામાં માનવજાત નિષ્ફળ રહી છે. વ્યક્તિના જીવનમાં લોહીની જરૂરિયાત અને તેના મહત્ત્વના પ્રચાર-પ્રસાર તથા સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે દર વર્ષે 1 ઑક્ટોબર ના દિવસે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત આપણા દેશમાં 1975 થી થઈ હતી.   સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રક્તદાનના મહત્ત્વ વિશે...
    Read more
    આંતરરાષ્ટ્રીય અહિંસા દિન (ગાંધી જયંતી)
    આંતરરાષ્ટ્રીય અહિંસા દિન (ગાંધી જયંતી)

    ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ‘ગાંધી જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ. 15 જૂન, 2007 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2 ઑક્ટોબર ને ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે જાહેર કરેલ છે. તિથિ મુજબ તેમનો જન્મ ભાદરવા સુદ બારસના દિવસે થયો હોવાથી તે દિવસ રેંટિયા બારસ' તરીકે પણ ઉજવાય છે. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદર (ગુજરાત)માં થયો. હતો. તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર રજવાડાના રાણાના દીવાન હતા. માતા પૂતળીબા દ્વારા ગાંધીજીને બાળપણથી સારા સંસ્કાર મળ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. બાળપણમાં ગાંધીજીને ભૂતપ્રેતનો ભય લાગતો હતો ત્યારે દાઈ રંભાએ તેમને એ ભય નિવારણ માટે ‘રામ’ નામનો મંત્ર આપ્યો હતો. ગાંધીજીના પિતા રાજકોટ રજવાડાના દીવાન બનતાં તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું હતું. અહીં તેમણે ‘પિતૃભક્ત શ્રવણ’ અને ‘સત્યવાદી હરિશ્ચંદ્ર'નાં નાટકો જોયાં. આ નાટકોની તેમના જીવન પર ઊંડી અસર થઈ. આ સમયે તેમણે સંકલ્પ કર્યો કે “જીવનભર સત્યનું આચરણ કરીશ.’ ગાંધીજીનાં લગ્ન 1883માં કસ્તૂરબા સાથે થયાં હતાં. પિતાના મૃત્યુ પછી તેમણે મેટ્રિક પાસ કરી અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા. ઘરમાં બેરિસ્ટર થવાનું નક્કી થતાં તેઓ બૅરિસ્ટર થવા વિલાયત (ઇંગ્લેન્ડ) ગયા. વિદેશ જતાં પહેલાં તેમણે નિશ્ચય કર્યો કે ત્યાં આગળ માંસ-મદિરાનું સેવન કરીશ નહીં અને તે અનેક મુશ્કેલીઓ વેઠીને પણ તેઓ અડગ રહ્યા. ત્યાં તેઓ સાદાઈથી રહેતા હતા. પોરબંદરની એક મેમણ પેઢીનો કેસ લડવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન તેમણે અંગ્રેજો તરફથી ભારતવાસીઓને થતા અન્યાયનો સામનો કર્યો. અહીં આગળ એમણે ‘નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ'ની સ્થાપના કરીને ગોરાઓ સામે ચળવળનું મંડાણ કર્યુ હતું. ગાંધીજી થોડા સમય માટે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેમણે લોકમાન્ય ટિળક, ગોપાલકૃષ્ણ ગોખલે તથા ફિરોઝશાહ મહેતા જેવા રાજકીય આગેવાનોને દક્ષિણ આફ્રિકાની હકીકત સમજાવી હતી. બાદમાં તેમણે દક્ષિણ આફ્રિકા આવીને 1910 માં ટૉલ્સટૉય ફાર્મ ની સ્થાપના કરી હતી. તેઓએ યુરોપિયન પહેરવેશનો ત્યાગ કરી નાતાલથી ટ્રાન્સવાલ સુધીની કૂચ કરી હતી. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન ગાંધીજીને બે મહિનાની જેલની સજા થઈ હતી. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં મળેલી સફળતાની દુનિયાએ નોંધ લીધી હતી. ત્યારબાદ તેઓ દક્ષિણ આફ્રિકા છોડી 1915 માં ભારત આવ્યાં. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોચરબ આશ્રમની સ્થાપના કરીને ગાંધીજી ભારતને સ્વતંત્રતા આપવાના કામમાં જોડાઈ ગયા. તેમની દેખરેખ અને આગેવાનીમાં નીચે મુજબની ચળવળો થઈ હતી. ગાંધીજીએ કરેલા સત્યાગ્રહ અને ચળવળ • ચંપારણ સત્યાગ્રહ (1917) • ખેડા સત્યાગ્રહ (1917) • અમદાવાદ મિલ મજૂરોની હડતાળ અને મજૂર મહાજન સંઘની સ્થાપના (1917) • રૉલેટ ઍક્ટ સામેની ચળવળ (1919) • જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધ માટેની ચળવળ (1919) • અસહકાર ચળવળ (1920) • બારડોલી સત્યાગ્રહ (1928) • સવિનય કાનૂન ભંગની લડતના ભાગરૂપ દાંડીકૂચ (1930) • વ્યક્તિગત સત્યાગ્રહ (1940) • હિંદ છોડોની ચળવળ (1942) • સ્વદેશીને ઉત્તેજન આપવા અને વિદેશી ચીજોનો બહિષ્કાર કરવા દેશવ્યાપી આંદોલન. ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળોની સાથે સાથે રચનાત્મક કાર્યો દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવા અનેક કાર્યો કર્યાં હતાં. હરિજન ઉદ્ધાર, ગૌસેવા, ખાદીગ્રામ ઉદ્યોગ, બુનિયાદી તાલીમ, કન્યા કેળવણી, સ્વદેશી અપનાવો, વ્યસન મુક્તિ, શ્રમનું મહત્ત્વ વગેરે જેવાં કાર્યો માટે તેમણે અનેક રાષ્ટ્રીય શાળાઓ, સાપ્તાહિકો, પ્રેસ, ખાદીગ્રામની સંસ્થાઓ, સમિતિઓ વગેરેની સ્થાપના કરી હતી. અમદાવાદની ‘ગૂજરાત વિદ્યાપીઠ’, ‘નવજીવન’ અને ‘હરિજન' વગેરે તેનાં ઉદાહરણો છે. ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો'માં જણાવ્યું છે કે, “મારે દુનિયાને નવું કશું જ શીખવવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે.” 30મી જાન્યુઆરી, 1948ને શુક્રવારે સાંજના સમયે પ્રાર્થનામાં જતી વખતે નથુરામ ગોડસેની ગોળીથી વિંધાઈને બાપુ “હે રામ” બોલી ઢળી પડ્યા હતાં. ‘ગાંધી’ માત્ર એક શબ્દ એક વ્યક્તિ ન રહેતાં વિશેષ અને અનોખી ઓળખના પ્રતિનિધિ બની ગયા છે. ખરા અર્થમાં તેઓ ભારતના ગાંધી નહીં પણ વિશ્વના ગાંધી બની રહ્યાં.

    02nd October

    Read more
    આંતરરાષ્ટ્રીય અહિંસા દિન (ગાંધી જયંતી)
    02nd October
    ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ‘ગાંધી જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ. 15 જૂન, 2007 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2 ઑક્ટોબર ને ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે જાહેર કરેલ છે. તિથિ મુજબ તેમનો જન્મ ભાદરવા સુદ બારસના દિવસે થયો હોવાથી તે દિવસ રેંટિયા બારસ' તરીકે પણ ઉજવાય છે.
    મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદર (ગુજરાત)માં થયો. હતો. તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર રજવાડાના...
    Read more
    લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી
    લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી

    લાલ બહાદુર શાસ્ત્રી ભારતના રાજનીતિજ્ઞ હતા. તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા. 1964 થી 1966 સુધી તેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઑક્ટોબર, 1904 ના રોજ ઉત્તરપ્રદેશના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર (મુગલસરાય)માં થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રીના પિતાનું નામ શારદાપ્રસાદ અને માતાનું નામ રામદુલારીદેવી હતું. તેમના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. 1928માં તેમનાં લગ્ન લલિતાદેવી સાથે થયાં હતાં. લાલ બહાદુર શાસ્ત્રી સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ ભારત સેવક સંઘમાં જોડાયા. દેશસેવાનું વ્રત લેતાં તેમણે અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શરૂઆત કરી. તેઓ આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની જિંદગી સમર્પિત કરી દીધી. ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં એમની ભાગીદારીને કારણે તેમને ઘણીવાર જેલમાં જવું પડ્યું. જેમાં 1920 ની અસહકારની ચળવળ અને 1941 નું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતાં. સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી શાસ્ત્રીજીને ઉત્તરપ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ પરિવહન મંત્રી બન્યા હતા. પરિવહન મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમવાર મહિલાને બસ-કંડક્ટર તરીકે નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. 1951 ના વર્ષમાં પંડિત જવાહરલાલ નેહરુ ના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે 1952, 1957 તેમજ 1962 ની ચૂંટણીઓમાં પોતાના પક્ષને ભારે બહુમતી સાથે વિજય અપાવવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું 27 મે, 1964 ના રોજ અવસાન થયા બાદ શાસ્ત્રીજીએ 9 જૂન, 1964 ના રોજ પ્રધાનમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો. લાલ બહાદુર શાસ્ત્રીજી શ્વેતક્રાંતિ માટે પણ ભારતમાં પ્રખ્યાત છે. ભારતમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ જેને ટૂંકમાં NDDB તરીકે ઓળખવામાં આવે છે, તેની સ્થાપના તેમના શાસનકાળમાં થઈ હતી. શ્વેતક્રાંતિની મદદથી શાસ્ત્રીજીએ ભારતને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર બનાવ્યું. તેઓ હરિતક્રાંતિ ના પ્રણેતા હતા, તે સમયમાં ભારતમાં અન્નની અછત રહેતી હતી ત્યારે શાસ્ત્રીજીએ દરેક ભારતીયોને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનું આહવાન કર્યું હતું અને હરિતક્રાંતિ યોજીને ભારતને અન્નની બાબતમાં આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો.  લાલ બહાદુર શાસ્ત્રીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે સમગ્ર ભારત આદરપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ 1966 માં ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રીએ “જય જવાન, જય કિસાન" નારો આપ્યો હતો.

    02nd October

    Read more
    લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતી
    02nd October
    લાલ બહાદુર શાસ્ત્રી ભારતના રાજનીતિજ્ઞ હતા. તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા. 1964 થી 1966 સુધી તેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી.
    લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઑક્ટોબર, 1904 ના રોજ ઉત્તરપ્રદેશના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર (મુગલસરાય)માં થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રીના પિતાનું નામ શારદાપ્રસાદ અને માતાનું નામ રામદુલારીદેવી હતું. તેમના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. 1928માં તેમનાં લગ્ન લલિતાદેવી સાથે થયાં હતાં. લાલ બહાદુર શાસ્ત્રી સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ ભારત સેવક...
    Read more
    શ્યામજી કૃષ્ણ વર્મા જન્મજયંતી
    શ્યામજી કૃષ્ણ વર્મા જન્મજયંતી

    વિદેશની ધરતી પરથી ભારતના સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણ વર્મા નો જન્મ 4 ઑક્ટોબર, 1857 ના રોજ કચ્છના માંડવી ખાતે ભાનુશાળી કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (માંડવીમાં તેમને ભૂલો ભાનુશાલી કહેતા) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. તેમની માતાનું નામ ગોમતીબાઈ હતું. 11 વર્ષ ની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો. ઘરમાં અભ્યાસની વ્યવસ્થા ન હોવાથી તેઓ સુધરાઈના દીવાના અજવાળે વાંચતા. અભ્યાસમાં તેજસ્વી કિશોર શ્યામજીને ભાટિયા જ્ઞાતિના સદગૃહસ્થ શેઠ મથુરદાસ લવજી એ મુંબઈ તેડાવી વિલ્સન હાઈસ્કૂલ માં પ્રવેશ અપાવ્યો હતો. વિલ્સન સ્કૂલના અંગ્રેજી અભ્યાસની સાથે સાથે તેમણે સંસ્કૃત પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ માં અભ્યાસ અર્થે જોડાયા. 1874 માં તેઓ દયાનંદ સરસ્વતીના શિષ્ય બની સંસ્કૃત શીખ્યા અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેઓ મહર્ષિ દયાનંદ દ્વારા સ્થાપિત પરોપકારિણી સભા ના સભ્ય પણ હતા. તેઓ મુંબઇથી પ્રકાશિત મહર્ષિ દયાનંદના ‘વૈદભાષ્ય'ના મેનેજર પણ હતા. 1884 માં ઓક્સફર્ડથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી. 1885 માં દેશમાં પરત ફર્યા. આ સમયગાળામાં તેઓએ ક્રમશઃ અજમેર, રતલામ અને જૂનાગઢ ના દીવાન તરીકે કામ કર્યું. તેઓ ઉદયપુરના મહારાજાના કાઉન્સિલ મેમ્બર તરીકે પણ નિમાયા. ઈંગ્લેન્ડમાં સ્વાતંત્ર્ય ચળવળના પ્રયાસોને મજબૂત બનાવવાના હેતુથી 1897 માં તેઓ ઈંગ્લેન્ડ ગયા, શ્યામજી કૃષ્ણ વર્માએ જાન્યુઆરી 1905 થી અંગ્રેજીમાં “ધ ઈન્ડિયન સોસિયોલૉજિસ્ટ' નામનું સામયિક બહાર પાડ્યું. 18 ફેબ્રુઆરી, 1905 માં તેમણે ઈંગ્લેન્ડમાં જ “ઈન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કરી. સંસ્થાની પ્રવૃત્તિઓ માટે ખરીદવામાં આવેલ વિશાળ મકાનને કાર્યાલય બનાવી તેમણે તેને ‘ઈન્ડિયા હાઉસ” નામ આપ્યું. જર્મનીમાં મળેલ વિવિધ દેશોની પરિષદમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા અને સરદારસિંહ રાણા એ તૈયાર કરેલ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેને વિશ્વભરના પ્રતિનિધિઓએ સન્માન આપ્યું હતું. મૃત્યુ અગાઉ અંતિમ સમયે તેમણે પોતાનાં અસ્થિઓ જિનીવાની એક સંસ્થા પાસે અગાઉથી નાણાં ચૂકવી 100 વર્ષ સુધી સાચવી રાખવાની અને જ્યારે દેશ આઝાદ થાય ત્યારે જ ભારતમાં મોકલવાની વ્યવસ્થા કરેલી. આઝાદી બાદ પેરિસના ડૉ. પૃથ્વીન્દ્ર મુખરજી ની વિનંતીને માન આપી વડાપ્રધાન ઈન્દિરા ગાંધી એ અસ્થિઓ ભારત લાવવા સંમતિ આપેલી. જેના વર્ષો બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી 22 ઓગસ્ટ, 2003 ના રોજ તેમના અસ્થિઓ ભારત લાવ્યા. સમગ્ર ગુજરાતમાં શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓની “વિરાંજલી યાત્રા” યોજીને વતન માંડવી લાવવામાં આવી અને ત્યાં ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની સ્થાપના કરવામાં આવી, જે ઈન્ડિયા હાઉસ જેવું જ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, પેરિસમાં તેમના નામે સ્કોલરશીપ ચાલે છે. વળી, મુંબઈમાં પણ સંસ્કૃતના વિદ્યાર્થીઓને તેમના નામે સ્કોલરશીપ મળે છે. ઇંદુલાલ યાજ્ઞિકે તેમના જીવન અંગે એક પુસ્તક પણ લખેલું. તેમના વિશે લખાયેલ અન્ય લેખકોના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ભુજ અને માંડવીમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે તેમજ ઘણા સ્થળે તેમના નામ પરથી માર્ગોનું નામકરણ પણ થયેલું છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં 4 ઑક્ટોબર, 1989 ના રોજ સ્વાતંત્ર્ય સેનાની શ્રેણી અંતર્ગત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

    04th October

    Read more
    શ્યામજી કૃષ્ણ વર્મા જન્મજયંતી
    04th October
    વિદેશની ધરતી પરથી ભારતના સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણ વર્મા નો જન્મ 4 ઑક્ટોબર, 1857 ના રોજ કચ્છના માંડવી ખાતે ભાનુશાળી કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (માંડવીમાં તેમને ભૂલો ભાનુશાલી કહેતા) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. તેમની માતાનું નામ ગોમતીબાઈ હતું. 11 વર્ષ ની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો. ઘરમાં અભ્યાસની વ્યવસ્થા ન હોવાથી તેઓ સુધરાઈના દીવાના અજવાળે વાંચતા. અભ્યાસમાં તેજસ્વી કિશોર શ્યામજીને ભાટિયા જ્ઞાતિના સદગૃહસ્થ
    Read more
    ભારતીય વાયુસેના દિન
    ભારતીય વાયુસેના દિન

    ભારતીય વાયુસેના એ ભારતીય સશસ્ત્ર દળોનો એક ભાગ છે, જે દેશ માટે હવાઈ યુદ્ધ, હવાઈ સુરક્ષા અને હવાઈ દેખરેખ નું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ભારતીય વાયુસેના હવાઈદળ તરીકે પણ ઓળખાય છે. તેની સ્થાપના 8 ઑક્ટોબર, 1932 ના રોજ કરવામાં આવી હતી. આથી ભારતમાં 8 ઑક્ટોબર ના દિવસને ભારતીય વાયુસેના દિન તરીકે ઉજવવામાં આવે છે. તે સ્વતંત્રતા પહેલાં રોયલ ભારતીય વાયુસેના તરીકે જાણીતી હતી. આઝાદી પછી તેમાંથી ‘રોયલ’ શબ્દ દૂર કરવામાં આવ્યો અને ફક્ત “ભારતીય વાયુસેના' નામ રાખવામાં આવ્યું. 8 ઑક્ટોબર, 1932 થી ચાર વિમાનો, પાંચ પાઇલોટ્સ, તથા 19 જવાનો સાથે શરૂ થયેલી ભારતીય વાયુસેના આજે વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેના છે. આ દિવસે વાયુસેનાની પરંપરા અનુસાર એક સપ્તાહ સુધી ચાલનારા કાર્યક્રમો અંતર્ગત વિવિધ સામાજિક સમારોહ યોજાય છે. આ સમારોહમાં સેવાનિવૃત્ત વાયુસેનાના જવાનો પણ જોડાય છે. સવારે સિનિયર સ્ટાફ ઑફિસર એરફોર્સના તમામ કર્મચારીઓને શપથ લેવડાવે છે. શપથગ્રહણ સમારોહ પછી ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષામંત્રી અને વાયુસેનાના અધ્યક્ષના સંદેશાઓનું પઠન કરવામાં આવે છે. ભારતીય વાયુદળની કામગીરી સાત ભાગ (કમાન્ડ)માં વહેંચાયેલી છે. તેનું મુખ્ય મથક નવી દિલ્હી માં આવેલું છે. તેના વડાને ઍર ચીફ માર્શલ કહેવાય છે. આપણા રાષ્ટ્રપતિ લશ્કરની ત્રણેય પાંખના વડા હોવાથી તેઓ ભારતીય વાયુ સેનાના પણ વડા છે. જોધપુર, અંબાલા, કોઇમ્બતુર, બેંગલુરુ, હૈદરાબાદ, આગ્રા વગેરે સ્થળોએ તેનાં તાલીમ કેન્દ્રો છે. આપણા વાયુદળમાં મિગ, જગુઆર, મિરાજ, તેજસ વગેરે જેવા અત્યાધુનિક લડાયક વિમાનોનો કાફલો છે. આકાશમાં પણ બળતણ ભરી શકે તેવા વિમાનો વાયુસેના પાસે છે. હિન્દુસ્તાન એરોનિટક્સ લિ. નામની જાહેર કંપની વિવિધ પ્રકારનાં વિમાનોનું ઉત્પાદન કરે છે. આ કંપની દ્વારા તાલીમી વિમાનો તેમજ મુસાફરી માટેનાં વિમાનોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. ભારતીય વાયુસેનાનું સૂત્ર છેઃ "નભ: સ્પૃશં દીપ્તમ્". (મહિમા સાથે આકાશને સ્પર્શ કરો) જે શ્રીમદ્ ભગવદ્ ગીતા ના 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતમાં શ્રીકૃષ્ણએ અર્જુનને દર્શાવેલાં વિશ્વરૂપ દર્શન સમયે અર્જુને તેમના તે સ્વરૂપને આકાશને સ્પર્શતું અને દૈદીપ્યમાન કહ્યું હતું. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો છે. જેના ઉપરની ડાબી બાજુના ખૂણામાં ભારતનો તિરંગો છે. જ્યારે આ ધ્વજના જમણી બાજુ નીચેના ખૂણામાં કેસરી, સફેદ અને લીલા રંગના એક કેન્દ્રીય ચક્રો છે. આ ધ્વજ 1951 માં અપનાવવામાં આવ્યો હતો. આજ દિન સુધી ભારતીય વાયુસેનાએ ઘણાં મહત્ત્વ નાં ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવી છે. 1965 અને 1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં આપણી વાયુસેનાએ ભવ્ય વિજય અપાવી દેશની શાન વધારી છે. આપત્તિની પરિસ્થિતિમાં વાયુસેના રાહત અને બચાવ કાર્યોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. 1998 માં ગુજરાતમાં આવેલ ચક્રવાત, 2004 માં આવેલ સુનામી, ઉત્તર ભારતમાં આવેલ પૂર દરમ્યાન તેમજ દરેક આપત્તિ સમયે વાયુસેના મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતીય વાયુસેના તેના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે. દેશમાં ભારતીય વાયુસેના હંમેશાં દેશના સંરક્ષણ માટે સજ્જ અને સમર્પિત રહે છે. ખરેખર ભારતીય વાયુસેના આપણા દેશનું ગૌરવ છે.

    08th October

    Read more
    ભારતીય વાયુસેના દિન
    08th October
    ભારતીય વાયુસેના એ ભારતીય સશસ્ત્ર દળોનો એક ભાગ છે, જે દેશ માટે હવાઈ યુદ્ધ, હવાઈ સુરક્ષા અને હવાઈ દેખરેખ નું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ભારતીય વાયુસેના હવાઈદળ તરીકે પણ ઓળખાય છે. તેની સ્થાપના 8 ઑક્ટોબર, 1932 ના રોજ કરવામાં આવી હતી. આથી ભારતમાં 8 ઑક્ટોબર ના દિવસને ભારતીય વાયુસેના દિન તરીકે ઉજવવામાં આવે છે. તે સ્વતંત્રતા પહેલાં રોયલ ભારતીય વાયુસેના તરીકે જાણીતી હતી. આઝાદી પછી તેમાંથી ‘રોયલ’ શબ્દ દૂર કરવામાં આવ્યો અને ફક્ત “ભારતીય વાયુસેના' નામ રાખવામાં આવ્યું. 8 ઑક્ટોબર, 1932 થી...
    Read more
    વિશ્વ ટપાલ દિન
    વિશ્વ ટપાલ દિન

    વિશ્વભરમાં દર વર્ષે 9 ઑકટોબર ના દિવસે વિશ્વ ટપાલ દિન ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ટપાલ સેવાઓ, વેપાર વાણિજ્ય, રોજિંદા જીવન વ્યવહારમાં તેમજ દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલક્ષેત્રના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાનું નિયમન કરતા યુનિવર્સલ પોસ્ટલ યુનિયન ની સ્થાપના 9 ઑકટોબર, 1874 માં સ્વીટઝરલૅન્ડ માં થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં 1969 થી 9 ઑકટોબર ના દિવસને વિશ્વ ટપાલ દિન તરીકે ઉજવવાની શરૂઆત થઇ હતી. વિશ્વ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો મુદ્રાલેખ છે સમગ્ર જગત માટે એક ટપાલ વ્યવસ્થા. એક સમયે જ્યારે કબૂતરની કે અન્ય પક્ષીઓ દ્વારા એક પ્રદેશથી બીજા પ્રદેશમાં કાગળ મોકલવામાં આવતો, ત્યાર પછી પોસ્ટલ વિભાગ અને ત્યાર બાદ કુરિયર વિભાગની શરૂઆત થઈ, હવે તો આજના સમયમાં આપણે ઈ- મેઈલ અને વોટ્સએપનો ઉપયોગ કરીને તમામ લેખ, વાત, સંદેશ એકબીજાને મોકલતા થયાં છીએ. ટપાલ યુગની કલ્પના કરવી આજે ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે ઈન્ટરનેટ જેવી કોઈ સુવિધા નહોતી ત્યારે સમગ્ર વિશ્વમાં ટપાલ થકી પોતાની વાતો, લાગણીઓ કે સંદેશાની વાતની આપ-લે કરવામાં આવતી હતી. ટપાલ શબ્દ સાંભળતાં જ આજની પેઢીને તો નવાઈ જ લાગે! ટપાલ વર્ષોથી સંદેશા-વ્યવહારનું માધ્યમ રહ્યું છે. ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકોને રજિસ્ટર્ડ ટપાલ, પાર્સલ અને બચત યોજનાઓની વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં ટપાલ સેવાની શરૂઆત બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1764 માં મુંબઇથી થઇ. 1854 માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરૂ થયો હતો. ભારતમાં 21 નવેમ્બર, 1947 ના રોજ પ્રથમ સત્તાવાર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. એ નવી ટિકિટમાં “જય હિંદ” નારા સાથે ભારતીય ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો. વિશ્વ ટપાલ દિનની શરૂઆત થઈ ત્યારથી દુનિયાભરના અનેક દેશો ટપાલ સેવાના મહત્ત્વને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે. આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના સંગ્રહનું એક શાનદાર પ્રદર્શન યોજવામાં આવે છે. ટપાલ ટિકિટના સંગ્રહ કરવાના શોખને “ફિલાટેલિ” કહે છે અને ટપાલ ટિકિટનો સંગ્રહ કરનાર વ્યક્તિ ‘ફિલાટેલિસ્ટ’ તરીકે ઓળખાય છે. ટપાલ ટિકિટના સંગ્રહનું સૌથી પહેલું આલ્બમ 1862 માં જસ્ટિન લેલિયટ નામની વ્યક્તિએ પેરિસમાં બહાર પાડ્યું હતું. કોઈ વ્યક્તિ, વસ્તુ કે બનાવની યાદગીરીમાં સ્મૃતિ ટિકિટ બહાર પાડવામાં આવે છે. આઝાદીથી લઈને અત્યાર સુધીમાં ભારતે ટપાલ ટિકિટની 1600 કરતાં વધુ ડિઝાઇન બહાર પાડી છે. વિશ્વમાં ટપાલસેવાના જનક તરીકે ‘ક્લાઈવ'નું નામ લેવામાં આવે છે.

    09th October

    Read more
    વિશ્વ ટપાલ દિન
    09th October
    વિશ્વભરમાં દર વર્ષે 9 ઑકટોબર ના દિવસે વિશ્વ ટપાલ દિન ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ટપાલ સેવાઓ, વેપાર વાણિજ્ય, રોજિંદા જીવન વ્યવહારમાં તેમજ દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલક્ષેત્રના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાનું નિયમન કરતા યુનિવર્સલ પોસ્ટલ યુનિયન ની સ્થાપના 9 ઑકટોબર, 1874 માં સ્વીટઝરલૅન્ડ માં થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં 1969 થી 9 ઑકટોબર ના દિવસને વિશ્વ ટપાલ દિન તરીકે ઉજવવાની શરૂઆત થઇ હતી. વિશ્વ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો મુદ્રાલેખ...
    Read more
    આઝાદ હિંદ ફોજ દિન
    આઝાદ હિંદ ફોજ દિન

    આઝાદ હિંદ ફોજ એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપિત એક સશસ્ત્ર દળ હતું, જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ શાસનમાંથી ભારતને આઝાદ કરવાનો હતો. તેની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942 માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવી. તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943 ના રોજ કરવામાં આવી હતી. બ્રિટિશરાજથી ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 21 ઑક્ટોબર,1943 ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા તેને પુનર્જિવિત કરવામાં આવી હતી. આ દિવસે આઝાદ હિંદ સરકાર નામની ભારતની પ્રથમ સ્વતંત્ર કામચલાઉ સરકારની જાહેરાત કરવામાં આવી હતી. તેથી, દર વર્ષે 21 ઑક્ટોબરે, આઝાદ હિંદ ફોજ અને ‘આઝાદ હિંદ સરકાર'ની રચનાની વર્ષગાંઠ દેશભરમાં ઉજવવામાં આવે છે. દેશના હિત માટે વિદેશમાં કામ કરતા ઘણા ભારતીય ક્રાંતિકારીઓ હતા. આમાં રાસબિહારી બોઝ પણ હતા, જેઓ જાપાનમાં 1915 થી છુપા વેશે રહેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેમણે અંગ્રેજો સામે સશસ્ત્ર સંઘર્ષ માટે ભારતીયોને એકત્ર કરવાની તક ઝડપી લીધી હતી. અંગ્રેજો વતી સંખ્યાબંધ ભારતીય સૈનિકો લડી રહ્યા હતા. જાપાને દક્ષિણ પૂર્વ એશિયામાં અંગ્રેજોને હરાવ્યા, તે દરમિયાન રાસબિહારી બોઝે કેપ્ટન મોહનસિંગને ભારતની આઝાદી માટે જાપાનના લોકો સાથે મળીને કામ કરવા સમજાવ્યા હતા. 1942 માં ટોકિયો ખાતે ભારતીયોની એક પરિષદ યોજાઈ જેમાં તેઓએ ‘ભારતીય સ્વતંત્રતા લીગ'ની રચના કરી હતી. ત્યારબાદ જૂન, 1942 માં બેંગકોક માં પરિષદ યોજાઈ, જ્યાં રાસબિહારી બોઝ લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ભારતીય રાષ્ટ્રીય સેનાને વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે નિર્ણય બાદ કેપ્ટન મોહનસિંગ ને INA (ઇન્ડિયન નેશનલ આર્મી) ના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 40,000 ભારતીય સૈનિકો હતા. આ લીગે સુભાષચંદ્ર બોઝને ચળવળનું નેતૃત્વ કરવા આમંત્રણ આપ્યું હતું. આ પહેલાં બોઝ 1941 માં ભારતથી બર્લિન ચાલ્યા ગયા હતા, જૂન, 1943 માં તેઓ ટોકિયો આવ્યા અને પછી સિંગાપોર માં INA (ઇન્ડિયન નેશનલ આર્મી) માં જોડાયા. રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને નેતૃત્વ સોંપ્યું અને આઝાદ હિંદ સરકારની રચના થઈ. તેમણે ફોજનું નવસંસ્કરણ હાથ ધરી તેમાં નવું જોમ ઉમેર્યું. તેમણે “ચલો દિલ્લી” અને "તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા” જેવાં સૂત્રો આપ્યાં. તેમણે હિંદના અગ્રિમ નેતાઓ જેવા કે મહાત્મા ગાંધી, પંડિત નહેરુ, મૌલાના આઝાદ વગેરેનાં નામ પરથી લશ્કરી બ્રિગેડની રચના કરી. એક મહિલા બ્રિગેડની પણ રચના કરવામાં આવી, જેને ‘લક્ષ્મીબાઈ બ્રિગેડ’ નામ આપ્યું. આ સેનાનું પહેલું વડું મથક સિંગાપોરમાં અને બીજું રંગૂનમાં હતું. આ સેનાનો મુખ્ય હેતુ ભારતમાંથી બ્રિટિશ સત્તાને હટાવી આઝાદી મેળવવાનો હતો. આ સેનાએ આરાકાનના માર્ગે આગળ વધી ભારતની બ્રિટિશ સેનાને હરાવી. મે, 1944 માં મોડક અને કોહિમા કબજે કર્યાં હતાં; પરંતુ ઇમ્ફાલ મોરચે તેને પીછેહઠ કરવી પડી હતી. એપ્રિલ, 1945 માં બ્રિટિશ સેનાએ રંગૂન કબજે કરતાં આ સેનાના મોટા ભાગના સૈનિકો કેદ પકડાયા અને મે, 1945 માં તેની ચળવળ મંદ પડી ગઈ. તેની નિષ્ફળતા છતાં લશ્કરી ક્ષેત્રે તેણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. હિંદી સૈનિકોમાં રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો તે તેનું મોટું પ્રદાન ગણાય. આઝાદ હિંદ ફોજની રચના સાથે જોડાયેલો એક રસપ્રદ પ્રસંગ આપણા પૂર્વીય રાજ્ય મણિપુર નો પણ છે. ત્યાનાં મોઈરંગ માં 14 એપ્રિલ, 1944 ના દિવસે કર્નલ શૌકત મલિક ના નેતૃત્વમાં આઝાદ હિંદ ફોજનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આજે પણ ત્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને સુંદર સંગ્રહાલય પણ જોવા મળે છે.

    21st October

    Read more
    આઝાદ હિંદ ફોજ દિન
    21st October
    આઝાદ હિંદ ફોજ એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપિત એક સશસ્ત્ર દળ હતું, જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ શાસનમાંથી ભારતને આઝાદ કરવાનો હતો. તેની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942 માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવી. તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943 ના રોજ કરવામાં આવી હતી. બ્રિટિશરાજથી ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 21 ઑક્ટોબર,1943 ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા તેને પુનર્જિવિત કરવામાં આવી હતી. આ દિવસે આઝાદ...
    Read more
    સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિન
    સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિન

    બે રાષ્ટ્રો વચ્ચે કયારેક વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. એમાંય પાડોશી દેશો વચ્ચે સરહદનો વિવાદ, ગેરકાયદેસર ઘુસણખોરીનો વિવાદ તેમજ વ્યાપારિક હિતોના વિવાદોની સંભાવના વધારે રહેતી હોય છે. આ વિવાદો ઘણીવાર ચરમબિંદુએ પહોંચીને યુદ્ધમાં પરિણમે છે. જેના કારણે સામાન્ય નાગરિકે વધારેમાં વધારે શોષાવું પડતું હોય છે. આવા દ્વિપક્ષીય વિવાદોનો અંત મંત્રણાઓ દ્વારા આવે તે ઈચ્છનીય છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના વિવાદોના અંત માટેની કાયમી વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. 1914-18 ના પ્રથમ વિશ્વયુદ્ધ અને 1939-45 ના બીજા વિશ્વયુદ્ધ ના ભયંકર વિનાશથી ત્રાસેલી દુનિયાને આવા વિનાશક યુદ્ધ અટકાવવાની જરૂર લાગી. પરિણામે વિશ્વને આવા ભાવિ યુદ્ધમાંથી બચાવવા અને વિશ્વશાંતિ સ્થાપવા કેટલાક શાંતિચાહક રાષ્ટ્રોએ 24 ઑક્ટોબર, 1945 ના રોજ UNO (UNITED NATIONS ORGANISATION) ની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે તેમાં 51 સભ્ય રાષ્ટ્રો હતાં. જે અત્યારે 193 છે. આ સંસ્થાનું ધ્યેય ભાવિ પ્રજા અને માનવસંસ્કૃતિની રક્ષા કરવાનું, શિક્ષણ, આરોગ્ય વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવાનું અને તે દ્વારા એકતા સ્થાપી વિવિધ રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનું શાંતિમય સમાધાન લાવવાનું છે. દર વર્ષે 24 ઑક્ટોબરે UNO દિનની ઉજવણી કરવામાં આવે છે. તેની મુખ્ય કચેરી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલી છે. UNOની વહીવટી ભાષા અંગ્રેજી અને ફ્રેંચ છે. UNOની વિવિધ 6 સમિતિઓ નીચે મુજબ છે. 1. સામાન્ય સભા 2. સલામતી સમિતિ ૩. આર્થિક અને સામાજિક સમિતિ 4. વાલીપણા સમિતિ 5. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત 6. સચિવાલય ભારતનાં વિજયાલક્ષ્મી પંડિતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ફરજ બજાવેલી છે.   UNO ની વિવિધ સંસ્થાઓમાં WHO (વિશ્વ આરોગ્ય સંગઠન) જિનીવા સ્થિત છે. UNESCO પેરીસ માં છે, જ્યારે UNICEF ન્યૂયોર્ક માં કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (ILO) પણ જિનીવા સ્થિત છે. FAO, જે ખોરાક અને કૃષિ સાથે સંકળાયેલું છે, તે રોમમાં છે, અને વિશ્વ બેંક (IBRD) વોશિંગ્ટનમાં સ્થિત છે. સંયુક્ત રાષ્ટ્રોને ભારતનો સહકાર - ભારતે યુએનઓ મારફતે જ પરદેશો સાથેના મતભેદો ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકારેલો છે. - ભારતે અન્ય દેશોને મુશ્કેલીના સમયમાં મદદ કરેલી છે. - ભારતે પંચશીલનો વિચાર વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે.

    24th October

    Read more
    સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિન
    24th October
    બે રાષ્ટ્રો વચ્ચે કયારેક વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. એમાંય પાડોશી દેશો વચ્ચે સરહદનો વિવાદ, ગેરકાયદેસર ઘુસણખોરીનો વિવાદ તેમજ વ્યાપારિક હિતોના વિવાદોની સંભાવના વધારે રહેતી હોય છે. આ વિવાદો ઘણીવાર ચરમબિંદુએ પહોંચીને યુદ્ધમાં પરિણમે છે. જેના કારણે સામાન્ય નાગરિકે વધારેમાં વધારે શોષાવું પડતું હોય છે. આવા દ્વિપક્ષીય વિવાદોનો અંત મંત્રણાઓ દ્વારા આવે તે ઈચ્છનીય છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના વિવાદોના અંત માટેની કાયમી વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.
    1914-18 ના પ્રથમ વિશ્વયુદ્ધ અને 1939-45 ના બીજા વિશ્વયુદ્ધ ના ભયંકર વિનાશથી ત્રાસેલી દુનિયાને આવા વિનાશક યુદ્ધ અટકાવવાની...
    Read more
    વિશ્વ પોલિયો દિન
    વિશ્વ પોલિયો દિન

    ‘વિશ્વ પોલિયો દિન' દર વર્ષે 24 ઑક્ટોબરે ઉજવવામાં આવે છે. એક સમયે પોલિયો ચેપી રોગ તરીકે જાણીતો હતો એ વિશ્વભરના લાખો બાળકોનાં જીવનને ક્ષતિગ્રસ્ત કર્યું હતું. વિશ્વ પોલિયો દિન પોલિયો નાબૂદ કરવાના વૈશ્વિક પ્રયાસોને પ્રકાશિત કરે છે. પોલિયો વાયરસને કારણે થતો રોગ છે જેને વર્લ્ડ હેલ્થ એસેમ્બલી એ 1988 માં નાબૂદ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. બાળકને આ ગંભીર રોગથી બચાવવા માટે પોલિયો રસીકરણના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ પોલિયો દિન ઉજવવામાં આવે છે. 1985 માં રોટરી ઇન્ટરનેશનલે બાળકોને પોલિયો સામે રસી આપવા માટે વૈશ્વિક પ્રયાસ શરૂ કર્યો. રોટરી ઇન્ટરનેશનલ અને WHO દ્વારા વૈશ્વિક પોલિયો નાબૂદી પહેલ (Global Polio Eradication Initiative) ની સ્થાપના 1988 માં થઈ હતી. વિશ્વ પોલિયો દિને વિશ્વભરની સંસ્થાઓ, જેમ કે રોટરી ઇન્ટરનેશનલ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), યુનિસેફ વગેરે પોલિયો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. પોલિયોની રસી આપી હોય તેવાં બાળકોને આ રોગ થતો નથી. બાળકો માટેની રસીકરણ યોજનામાં પોલિયોની રસી મુખ્ય છે. આ રસી બાળકને મોં વાટે પીવડાવવામાં આવે છે. પોલિયોની પહેલી રસી (ઈંજેક્શન) 1955 માં ડૉ. જોનાસ સાલ્કે વિકસાવી હતી. ત્યારબાદ 1961 માં બીજી રસી (ઓરલડ્રોપ) ડૉ. આલ્બર્ટ સાબીને વિકસાવી હતી. આ પોલિયો નાબૂદીનું સફળ હથિયાર સાબિત થયું. બંનેએ પોતાની શોધ પેટન્ટ કરાવી નહોતી પરંતુ વિશ્વને દાનમાં આપી દીધી હતી. પોલિયો મુખ્યત્વે ચેપગ્રસ્ત મળ, દૂષિત પાણી, ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે. પોલિયો નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને અસર કરે છે. પોલિયો એક એવો રોગ છે જેનો ઈલાજ થઈ શકતો નથી. તેને માત્ર ઓરલ વેક્સિન એટલે કે OPV વડે જ અટકાવી શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995 માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ ૦ થી 5 વર્ષની ઉંમરનાં તમામ બાળકોને દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઓરલ પોલિયો વેક્સિન (OPV)ના બે ડોઝ આપવામાં આવે છે. વર્ષ 2014 માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો. આપણા દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી 'દો બૂંદ જિંદગી કી' ટેગલાઇન સાથે પોલિયો નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને નાનાં બાળકોને પોલિયો ડ્રોપનાં બે ટીપાં પીવડાવી રહ્યા છે.

    24th October

    Read more
    વિશ્વ પોલિયો દિન
    24th October
    ‘વિશ્વ પોલિયો દિન' દર વર્ષે 24 ઑક્ટોબરે ઉજવવામાં આવે છે. એક સમયે પોલિયો ચેપી રોગ તરીકે જાણીતો હતો એ વિશ્વભરના લાખો બાળકોનાં જીવનને ક્ષતિગ્રસ્ત કર્યું હતું. વિશ્વ પોલિયો દિન પોલિયો નાબૂદ કરવાના વૈશ્વિક પ્રયાસોને પ્રકાશિત કરે છે. પોલિયો વાયરસને કારણે થતો રોગ છે જેને વર્લ્ડ હેલ્થ એસેમ્બલી એ 1988 માં નાબૂદ કરવા માટેનો નિર્ણય કર્યો હતો.
    બાળકને આ ગંભીર રોગથી બચાવવા માટે પોલિયો રસીકરણના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ પોલિયો દિન ઉજવવામાં આવે છે. 1985 માં રોટરી ઇન્ટરનેશનલે બાળકોને પોલિયો સામે રસી આપવા...
    Read more
    વિશ્વ બચત દિન
    વિશ્વ બચત દિન

    વિશ્વ બચત દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે. પહેલાં ભારતમાં પણ આ દિવસ 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવતો હતો, પરંતુ 1984 માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના નિધન બાદ તેને 30મી ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે. 'ટીપે ટીપે સરોવર ભરાય' અને Savings prepare you for better future એ ઉક્તિ બચતનું મહત્ત્વ બતાવે છે. કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વએ ભયંકર આર્થિક સંકડામણનો સામનો કર્યો. જેની માઠી અસરો સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પણ પડી ત્યારે એ હકીકત સર્વસ્વીકૃત બની કે બચત એ વૈશ્વિક અર્થતંત્રની આવશ્યકતા છે. ‘વિશ્વ બચત દિન' બચતના મહત્ત્વને પ્રસ્થાપિત કરવા તથા બેંકોમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા ઉજવવામાં આવે છે. 1924 માં ઇટાલી ના મિલાન શહેરમાં આંતરરાષ્ટ્રીય બચત બેંક નું પ્રથમ સંમેલન યોજાયું. આ સંમેલનના પ્રસ્તાવ મુજબ 31 ઑક્ટોબર ને વિશ્વ બચત દિન તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બચત દિન લોકપ્રિય બન્યો અને હાલ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસનું આયોજન કરનારી બેંકો એવા દેશો પર ખાસ ધ્યાન આપી રહી છે જ્યાં અનેક લોકો આજે પણ બૅન્કિંગ સેવાઓથી વંચિત છે. આ દેશોમાં આવી બચતબેંકોની વિવિધ શાખાઓ સરકારી અને બિન સરકારી સંગઠનો સાથે મળીને ખાસ પ્રકારના કાર્યક્રમો યોજી બચત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે પણ બાળકોમાાં રહેલી બચતવૃત્તિને પ્રોત્સાહન આપવા તથા તેનું મહત્ત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધરી શકીએ.

    30th October

    Read more
    વિશ્વ બચત દિન
    30th October
    વિશ્વ બચત દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે. પહેલાં ભારતમાં પણ આ દિવસ 31 ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવતો હતો, પરંતુ 1984 માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના નિધન બાદ તેને 30મી ઑક્ટોબર ના રોજ ઉજવવામાં આવે છે.
    'ટીપે ટીપે સરોવર ભરાય' અને Savings prepare you for better future એ ઉક્તિ બચતનું મહત્ત્વ બતાવે છે. કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વએ ભયંકર આર્થિક સંકડામણનો સામનો કર્યો. જેની માઠી અસરો સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પણ પડી...
    Read more
    રાષ્ટ્રીય એકતા દિન (સરદાર પટેલ જન્મજયંતી)
    રાષ્ટ્રીય એકતા દિન (સરદાર પટેલ જન્મજયંતી)

    31મી ઑક્ટોબર એટલે ભારતના લોખંડી પુરુષ, પ્રથમ નાયબ વડાપ્રધાન, ભારતના બિસ્માર્ક જેવા બિરુદો વડે સન્માનિત એવા સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિન. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને ‘રાષ્ટ્રીય એકતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા એટલે ભારતના લોકો વચ્ચે એકતા, સમભાવ અને સર્વસંમતિ. આપણા દેશના નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા વિશે જાગૃતિ લાવવા તથા આપણા લોકલાડીલા સરદાર પટેલને યાદ કરવા આ દિવસની ઉજવણી થાય છે. સરદાર પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875 માં થયો હતો એવું મનાય છે. તેમનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ગામે તેમના મોસાળમાં થયો હતો. કરમસદ તેમનું વતન હતું. સરદાર પટેલના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ કરમસદ અને પેટલાદમાં થયું. તેઓએ નડિયાદમાં સરકારી અંગ્રેજી શાળામાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારબાદ વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1893 માં ઝવેરબા સાથે લગ્ન થયા હતા. ડાહ્યાભાઈ અને મણીબેન તેમનાં સંતાનો હતાં. સરદાર વલ્લભભાઈ ઈંગ્લેન્ડમાં બૅરિસ્ટરનો અભ્યાસ કરવા ગયેલા એ સમય દરમિયાન બ્રિટિશ મ્યુઝિયમમાં એકી બેઠકે તેઓ કલાકો સુધી કાયદાના ગ્રંથોનો અભ્યાસ કરતા હતા. બૅરિસ્ટર બન્યા બાદ અમદાવાદ આવી તેઓએ ફોજદારી વકીલ તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટેની આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. સ્વતંત્ર ભારતના તેઓ પ્રથમ ગૃહમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી હતા. આઝાદી મેળવ્યાના શરૂઆતના સમયગાળામાં સમગ્ર ભારત દેશમાં લોકો વચ્ચે એકતા જળવાય તે માટે તેમણે સખત મહેનત કરી હતી. તેમણે દેશના લોકોને એકબીજા સાથે હળીમળીને રહેવા વિનંતી કરી તથા સમગ્ર દેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમણે પાંચસોથી વધુ દેશી રજવાડાંઓને એકઠાં કર્યાં અને અખંડ ભારત નું સ્વપ્ન સિદ્ધ કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ દેશના લોકોમાં સદાકાળ જીવંત રહે તે માટે આપણા રાજ્યમાં આવેલી સૌથી મોટી નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલ ની 182 મીટર જેટલી ઊંચી અને ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી છે. જે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નામે ઓળખાય છે. આ પ્રતિમા એકતા અને શાંતિનું પ્રતીક બની રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિન ની ઉજવણી દ્વારા ભારતના દરેક નાગરિકને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની ફરજની યાદ અપાવવાનો છે. આ ભાવના વધારે દૃઢ કરવા આ દિવસ રાષ્ટ્રીય એકતા દિન તરીકે સ્વીકારાયો છે. ભારત સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ અને લોકશાહી શાસન ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. તેમાં દરેક ધર્મના લોકો સાથે મળીને રહે છે. આપણા દેશમાં વિવિધ ભાષાઓ બોલાય છે, વિવિધ તહેવારો ઉજવાય છે અને લોકો ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે અલગ-અલગ જીવન જીવે છે છતાં દેશ માટે તે સૌનો પ્રેમ એકસમાન છે અને તે રાષ્ટ્રીય એકતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

    31st October

    Read more
    રાષ્ટ્રીય એકતા દિન (સરદાર પટેલ જન્મજયંતી)
    31st October
    31મી ઑક્ટોબર એટલે ભારતના લોખંડી પુરુષ, પ્રથમ નાયબ વડાપ્રધાન, ભારતના બિસ્માર્ક જેવા બિરુદો વડે સન્માનિત એવા સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિન. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને ‘રાષ્ટ્રીય એકતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા એટલે ભારતના લોકો વચ્ચે એકતા, સમભાવ અને સર્વસંમતિ. આપણા દેશના નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા વિશે જાગૃતિ લાવવા તથા આપણા લોકલાડીલા સરદાર પટેલને યાદ કરવા આ દિવસની ઉજવણી થાય છે.
    સરદાર પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875 માં થયો હતો એવું મનાય છે. તેમનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ગામે તેમના...
    Read more
    રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન
    રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન

    કેન્સર નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી તાત્કાલિક પ્રતિક્રિયા એક ભયની હોય છે. આ મુખ્યત્વે એટલા માટે છે કે આપણે મોટેભાગે કેન્સરને મૃત્યુ સાથે સાંકળીએ છીએ. કેન્સર લગભગ ઘણા લોકો માટે મૃત્યુનો સમાનાર્થી બની ગયો છે. પરંતુ આ ખોટી હકીકત છે. જો વહેલી તકે કેન્સરનું નિદાન કરવામાં આવે તો કેન્સરની સારવાર આસાનીથી કરી શકાય છે. કેન્સરને વહેલું શોધી કાઢવું અને ઈલાજની વધુ સારી તક આપવી તે હંમેશાં વધુ સારું છે.  કેન્સરને વહેલું શોધવા માટે તેમજ આ રોગ વિશે જાગૃતિ કેળવવા માટે 7 નવેમ્બર, 2014 ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 7 નવેમ્બર ને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે નક્કી કરવાનું કારણ એ છે કે તે મેડમ ક્યૂરી નો જન્મદિવસ છે, જેમણે રેડિયમ અને પોલોનિયમ ની શોધ દ્વારા કેન્સરની સારવારમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે કેન્સરના નિદાન માટે રેડિયો થેરાપીનો વિકાસ થયો હતો. તત્કાલીન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધ ને કેન્સર નિયંત્રણના પ્રયાસોની શરૂઆત કરી, જે કેન્સરની સારવાર માટે પ્રારંભિક તપાસ અને સંશોધનને પ્રોત્સાહિત કરે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતમાં કેન્સરના કેસ અને મૃત્યુ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં કેન્સર સંબંધિત ચિંતાનું મુખ્ય કારણ એ છે કે નોંધાયેલા કેસના બે તૃતીયાંશ કેસોનું નિદાન અંતિમ તબક્કામાં થાય છે, જે દર્દીના જીવનને નોંધપાત્ર રીતે અસર કરે છે. અંતિમ તબક્કે નિદાન થવાથી દર્દીના ઈલાજ અને જીવિત રહેવાની શક્યતા ઘટી જાય છે તેમજ સારવાર પછી જીવનની ગુણવત્તાને અસર કરે છે. અંતિમ સ્ટેજના કેન્સરની સારવારમાં ઘણો ખર્ચ થાય છે. કેન્સરના મોટાભાગના કેસો માત્ર અંતિમ તબક્કામાં જ નોંધાય છે તેનું મુખ્ય કારણ કેન્સરનાં લક્ષણો  અને સામાન્ય રીતે કેન્સર અંગે લોકોમાં ઓછી જાગૃતિ છે. જો પ્રારંભિક તબક્કામાં લક્ષણોની જરૂરી તપાસ થાય તો ઝડપી સારવાર કરી શકાય છે, પરંતુ આ માટે લોકોને કેન્સરનાં સામાન્ય લક્ષણો અને તેના માટે કેવી રીતે તપાસ કરવી તે વિશેની જાગૃતિ હોવી જરૂરી છે. કેન્સરનું મુખ્ય કારણ તમાકુનો ઉપયોગ છે. તમાકુથી ઓછામાં ઓછા 14 પ્રકાર નાં કેન્સર થવાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તમાકુના ઉપયોગથી મોઢાનાં કેન્સર, ફેફસાનાં કેન્સર અને પેટનાં કેન્સર થાય છે. સમગ્ર દેશમાં કેન્સરના કેસનું વિશ્લેષણ કરતી વખતે ચોક્કસ ભૌગોલિક પેટર્ન શોધી શકાય છે. તમાકુ સંબંધિત કેન્સર અને સ્ત્રીઓમાં સર્વાંઇકલ કેન્સરની મોટી સંખ્યા મુખ્યત્વે નીચલા સામાજિક-આર્થિક દરજ્જાના લોકોમાં જોવા મળે છે, જ્યારે કેન્સરના અન્ય પ્રકારો જેમ કે સ્તન કેન્સર અને કોલોરેકટલ કેન્સર, જે સ્થૂળતા, વધુ વજન અને ઓછી શારીરિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. તે ઉચ્ચ આર્થિક સ્થિતિના લોકોમાં જોવા મળે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો અને જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં મોટી સંખ્યામાં અન્નનળી અને જરનાં કેન્સર જોવા મળે છે, જે એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે તેમની મસાલેદાર ખોરાક ની આદતો આ રોગ થવામાં મુખ્ય પરિબળ હોઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ખેતીમાં વિશેષ કરીને શાકભાજી, ફળો વગેરેના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં રસાયણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ પણ આમાં કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ખાદ્ય પદાર્થોનું પ્લાસ્ટિકમાં પેકિંગ પણ જવાબદાર પરિબળ છે.એક અભ્યાસ મુજબ લગભગ 40 ટકા દર્દીઓને કેન્સર થવાનું કારણ તમાકુનું સેવન છે. તેથી તમાકુ અને તેની વિશેષ ગુટકા જેવી તમામ બનાવટો અને ધૂમ્રપાન બંધ કરવા ખાસ જનજાગૃતિ લાવવી જરૂરી છે અને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી 7 નવેમ્બર નો દિવસ કેન્સર જાગૃતિ દિન તરીકે ઉજવવામાં આવે છે.         કેન્સર જાગૃતિ વિશે રસપ્રદ તથ્યો કેન્સરના આંકડા અટકાવી શકાય તેવું નિષ્ણાતો માને છે. ભારતમાં કેન્સર માટે જવાબદાર કારણોમાં 40% તમાકુ, બીડી, સિગારેટ, દારુ જેવાં વ્યસનોને કારણે છે, 20% રોગ ચેપ સંબંધિત છે અને બાકીનાં અન્ય પરિબળોને કારણે છે. જે જાગૃતિ દ્વારા રોકી શકાય તેમ છે. ભારતમાં દર 8 મિનિટે સર્વાઇકલ કેન્સરથી એક મહિલાનું મૃત્યુ થાય છે. સ્તન કેન્સરનું નિદાન થયેલી દર 2 મહિલાએ ભારતમાં એક મહિલાનું મૃત્યુ થાય છે. જો કે હાલના સમયમાં સર્વાઈકલ કેન્સર માટેની રસી ઉપલબ્ધ બની છે. જાગૃતિનો અભાવ, નિરક્ષરતા અને ડરના કારણે ભારતમાં લગભગ 50% કેન્સરના કેસોનું નિદાન અંતિમ તબક્કામાં થાય છે.

    07th November

    Read more
    રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન
    07th November

    કેન્સર નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી તાત્કાલિક પ્રતિક્રિયા એક ભયની હોય છે. આ મુખ્યત્વે એટલા માટે છે કે આપણે મોટેભાગે કેન્સરને મૃત્યુ સાથે સાંકળીએ છીએ. કેન્સર લગભગ ઘણા લોકો માટે મૃત્યુનો સમાનાર્થી બની ગયો છે. પરંતુ આ ખોટી હકીકત છે. જો વહેલી તકે કેન્સરનું નિદાન કરવામાં આવે તો કેન્સરની સારવાર આસાનીથી કરી શકાય છે. કેન્સરને વહેલું શોધી કાઢવું અને ઈલાજની વધુ સારી તક આપવી તે હંમેશાં વધુ સારું છે.


     કેન્સરને વહેલું શોધવા માટે તેમજ આ રોગ વિશે જાગૃતિ કેળવવા માટે 7 નવેમ્બર, 2014 ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે જાહેર કરવામાં...

    Read more
    ડૉ. સી. વી. રામન જયંતી
    ડૉ. સી. વી. રામન જયંતી

    શ્રી ચંદ્રશેખર વેંકટ રામન (ડૉ. સી. વી. રામન) મહાન ભૌતિક વૈજ્ઞાનિક હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર (Raman Effect) માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા.  ડૉ. સી. વી. રામન નો જન્મ 7 નવેમ્બર, 1888 ના રોજ ભારતના તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં થયો હતો. એમની માતૃભાષા તમિલ હતી. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે ડૉ. સી. વી. રામનને ઘરમાં જ ભણવાનું યોગ્ય વાતાવરણ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસને કારણે વિદ્યાર્થી આલમમાં તેઓ ખૂબ પ્રિય થયા હતા. ખગોળશાસ્ત્ર માં પણ તેમને ઊંડો રસ હતો. ડૉ. સી. વી. રામને પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નઈમાંથી 1904 માં સ્નાતક ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. 1907 માં એમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ૪૦% થી વધુ ગુણાંક સાથે મેળવી હતી. ત્યારબાદ તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત ઇન્ડિયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ માં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે કોલકાતાથી કરી હતી. 1922 માં કોલકાતા યુનિવર્સિટીએ તેમને ડૉકટર ઓફ સાયન્સની પદવી આપી. તેમજ લંડન રોયલ સોસાયટીએ તેમને ફેલોશીપ પણ આપી.  ડૉ. સી. વી. રામને 1928 ની 28 ફેબ્રુઆરી ના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. જેના આધારે તેમણે રામન ઈફેક્ટની શોધ કરી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે રામન ઈફેક્ટને સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં સૌ પ્રથમ નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં 28મી ફેબ્રુઆરી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. રામન ઈફેક્ટમાં તેમણે પ્રકાશનાં કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે ઊંડું સંશોધન કર્યુ હતું. 1954 માં ડૉ. સી. વી. રામનને “ભારતરત્ન'નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં આટલી ઉચ્ચ સિદ્ધિ મેળવી હોવા છતાં પણ તેમના જીવનમાં સાદગી અને ભારતીય પરંપરા જોવા મળતાં હતાં, જેની નોંધ સમકાલીન લોકોએ લીધી છે.

    07th November

    Read more
    ડૉ. સી. વી. રામન જયંતી
    07th November

    શ્રી ચંદ્રશેખર વેંકટ રામન (ડૉ. સી. વી. રામન) મહાન ભૌતિક વૈજ્ઞાનિક હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર (Raman Effect) માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા.


     ડૉ. સી. વી. રામન નો જન્મ 7 નવેમ્બર, 1888 ના રોજ ભારતના તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં થયો હતો. એમની માતૃભાષા તમિલ હતી. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે ડૉ. સી. વી. રામનને ઘરમાં જ ભણવાનું યોગ્ય વાતાવરણ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા...

    Read more
    ડૉ. હરગોવિંદ ખુરાના પુણ્યતિથિ
    ડૉ. હરગોવિંદ ખુરાના પુણ્યતિથિ

    હરગોવિંદ ખુરાનાનો જન્મ 9 જાન્યુઆરી, 1922 માં રાયપુર ગામમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં છે. તેમના પિતા ગણપતરાય ખુરાના બ્રિટિશ શાસનમાં ક્લાર્ક હતા. પાંચ ભાઈ-બહેનોમાં ખુરાના સૌથી નાના હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના પિતાએ પોતાનાં સંતાનોના શિક્ષણ ઉપર ભાર આપ્યો. જ્યારે ખુરાના 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં તેમના મોટાભાઇએ તેમના શિક્ષણની જવાબદારી સ્વીકારી લીધી. પરિણામે તેમનું ભણવાનું ચાલુ રહ્યું. તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એસસી.ની ડિગ્રી મેળવી. એ દરમિયાન તેમને ભારત સરકારની શિષ્યવૃત્તિ મળી. તેથી આગળનો અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. ડૉક્ટરેટની ઉપલબ્ધિ મેળવ્યા બાદ તેઓ સંશોધનકાર્યમાં જોડાયા.   1951માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં ગયા. ત્યાં એલેક્ઝાન્ડર ટાડની સાથે ન્યૂક્લિક એસિડ પર શોધ કરવાનું શરૂ કર્યું હતું. સ્વિટ્ઝર્લેન્ડની સ્વિસ ફેડર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત એસ્નેક એલિઝાબેથ સાથે થઇ. તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. લગ્નબાદ બ્રિટિશ કોલંબિયાના પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયમાં કામ કરવા માટે તેઓ કેનેડા જતા રહ્યા. ત્યાં તેમણે ફોસ્ફેટ એસ્ટર અને ન્યૂક્લિક ઍસિડમાં કાર્ય કર્યું. એ પછી હંમેશ માટે અમેરિકા જઇને વસી ગયા. ડૉ. ખુરાનાએ વિશ્વમાં પહેલા કૃત્રિમ જીનનું નિર્માણ કર્યું. તેમણે આનુવંશિક્તામાં જે કામગીરી કરી એને આજે પણ આધારરૂપ માનવામાં આવે છે.   ડૉ. ખુરાનાએ જીવરસાયણશાસ્ત્રનાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સંશોધન કર્યું છે. પ્રોટીન, પેપ્ટાઇડ, કોએન્ઝાઇમ-A ન્યૂક્લિયોટાઇડ, પૉલિન્યૂક્લિયોટાઇડ અને ફૉસ્ફેટ એસ્ટર અણુઓના બંધારણ નક્કી કરવામાં તેઓ સફળ નીવડ્યા હતા. વિશેષ કરીને ન્યૂક્લિક ઍસિડ શૃંખલાનું સંશ્લેષણ કરવામાં તેમણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. ડૉ. ખુરાનાને દેહધર્મ વિદ્યા (Psychology) ઔષધ વિજ્ઞાન (Medicine)માં સંશોધન માટે 1968 નું નોબેલ પારિતોષિક એનાયત થયું. તે ઉપરાંત માર્ક પારિતોષિક (1958, કૅનેડા), પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેનેડિયન પબ્લિક સર્વિસીસનો સુવર્ણચંદ્રક (1960), ગટિન્જન એકેડેમી ઑફ સાયન્સીસનું હાઇમાન પારિતોષિક (1967) વગેરે એનાયત કરીને તેમણે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે પણ તેમને 'પદ્મવિભૂષણનો' ખિતાબ એનાયત કર્યો છે. તેમના મૃત્યુ (9 November, 2011) સુધી તેઓ અમેરિકામાં સ્થાયી રહીને સંશોધન કરતા રહ્યા હતા.

    09th November

    Read more
    ડૉ. હરગોવિંદ ખુરાના પુણ્યતિથિ
    09th November
    હરગોવિંદ ખુરાનાનો જન્મ 9 જાન્યુઆરી, 1922 માં રાયપુર ગામમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં છે. તેમના પિતા ગણપતરાય ખુરાના બ્રિટિશ શાસનમાં ક્લાર્ક હતા. પાંચ ભાઈ-બહેનોમાં ખુરાના સૌથી નાના હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના પિતાએ પોતાનાં સંતાનોના શિક્ષણ ઉપર ભાર આપ્યો. જ્યારે ખુરાના 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં તેમના મોટાભાઇએ તેમના શિક્ષણની જવાબદારી સ્વીકારી લીધી. પરિણામે તેમનું ભણવાનું ચાલુ રહ્યું. તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એસસી.ની ડિગ્રી મેળવી. એ દરમિયાન તેમને ભારત સરકારની શિષ્યવૃત્તિ મળી. તેથી આગળનો અભ્યાસ કરવા તેઓ...
    Read more
    નાનાભાઈ ભટ્ટ જન્મજયંતી
    નાનાભાઈ ભટ્ટ જન્મજયંતી

    નાનાભાઈ કાલિદાસ ભટ્ટનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર, 1882 ના ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો હતો. નાનાભાઈ ભટ્ટના કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. બીલખા આશ્રમ ના મહંત શ્રી નથુરામ શર્મા એ નાનાભાઈને આશ્રમમાં રાખીને તેમના શરૂઆતના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. બાદમાં એમ.એ. સુધીનું શિક્ષણ મેળવીને તેમણે ત્રણેક મહિના મહુવાની હાઈસ્કૂલ માં નોકરી કરી હતી. ત્યાર બાદ તેઓ શામળદાસ કોલેજ માં પ્રોફેસર બન્યા હતા. ભાવનગરની આ કોલેજના પ્રોફેસરે કોલેજમાંથી રાજીનામુ આપીને ભાવનગર રેલવે સ્ટેશન પાસે એક ધર્મશાળામાં 'દક્ષિણામૂર્તિ' નામની સંસ્થા સ્થાપીને તેના પૂર્ણકાલીન શિક્ષક બન્યા હતા. દક્ષિણામૂર્તિના પૂર્ણકાલીન સેવક બનીને તેમણે સંસ્થાને વટવૃક્ષ બનાવી હતી. મહાત્મા ગાંધી ના નિમંત્રણથી 1926 ના અરસામાં તેઓ સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠ ના કુલનાયક બન્યા હતા. ગાંધીજીની નઈ તાલીમ આધારિત ગ્રામ્ય સંસ્કૃતિને ચિતાર આપવા નાનાભાઈ ભટ્ટે 1938 માં આંબલા (સોનગઢ પાસે)માં ગ્રામ કેળવણીના નૂતન પ્રયોગ માટે 'ગ્રામ દક્ષિણામૂર્તિ' નામની લોકશાળા સ્થાપી હતી. તેના પગલે ગુજરાતમાં અનેક લોકશાળાઓ ઊભી થઈ અને ગ્રામ કેળવણીમાં ક્રાંતિ થઈ. બાદમાં તેમણે ઉચ્ચ શિક્ષણ માટે 1953 માં 'લોકભારતી (સણોસરા)' નામની સંસ્થા સ્થાપી હતી. આત્મચરિત્રકાર, કથાલેખક, શિક્ષણવિદ, પ્રયોગશીલ કેળવણીકાર એવા નાનાભાઈ ભટ્ટ સાથે ગિજુભાઈ બધેકા, મનુભાઈ પંચોળી, હરભાઈ ત્રિવેદી જેવા કેળવણીકારો દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા હતા. આઝાદી બાદ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે તેઓ 1948 માં સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણ પ્રધાન બન્યા હતા. 1954 થી1958 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. કેળવણી પ્રદાન માટે ભારત સરકારે તેમને 1960 માં 'પદ્મશ્રી' નો ઇલકાબ આપ્યો હતો. નાનાભાઈ ભટ્ટે આપણા દેશનો ઇતિહાસ', 'હજરત મહંમદ પયગંબર', 'મહાભારતનાં પાત્રો', 'રામાયણનાં પાત્રો', “લોકરામાયણ”, ‘આફ્રિકાનો પ્રવાસ', 'સંસ્કૃત સુભાષિતો, 'દૃષ્ટાંત કથાઓ 1 અને 2', 'કેળવણીની પગદંડી', 'ઘડતર અને ચણતર-1, 2', 'સંસ્થાનું ચરિત્ર', “પથારીમાં પડ્યાં પડ્યાં' વગેરે રચનાઓ આપી છે. નાનાભાઈ ભટ્ટનું અવસાન 31 ડિસેમ્બર, 1961 ના રોજ સણોસરા, ભાવનગર ખાતે થયું હતું. નાનાભાઈ ભટ્ટના વ્યક્તિત્વના અનેક આયામો હોવા છતાં ગુજરાત તેમને 'પાયાના કેળવણીકાર' તરીકે વધારે ગૌરવ આપે છે.

    11th November

    Read more
    નાનાભાઈ ભટ્ટ જન્મજયંતી
    11th November

    નાનાભાઈ કાલિદાસ ભટ્ટનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર, 1882 ના ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો હતો. નાનાભાઈ ભટ્ટના કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. બીલખા આશ્રમ ના મહંત શ્રી નથુરામ શર્મા એ નાનાભાઈને આશ્રમમાં રાખીને તેમના શરૂઆતના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. બાદમાં એમ.એ. સુધીનું શિક્ષણ મેળવીને તેમણે ત્રણેક મહિના મહુવાની હાઈસ્કૂલ માં નોકરી કરી હતી. ત્યાર બાદ તેઓ શામળદાસ કોલેજ માં પ્રોફેસર બન્યા હતા. ભાવનગરની આ કોલેજના પ્રોફેસરે...

    Read more
    રાષ્ટ્રીય શિક્ષણ દિન
    રાષ્ટ્રીય શિક્ષણ દિન

    સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન અને શિક્ષણને સમર્પિત એવા મૌલાના અબુલ કલામ આઝાદ ની જયંતીને ભારતમાં દર વર્ષે 11 નવેમ્બર ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ સાઉદી અરબના મક્કામાં 11 નવેમ્બર, 1888ના રોજ થયો હતો. આ દિવસ ઉજવવાની જાહેરાત ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવેમ્બર, 2008 ના રોજ કરવામાં આવી હતી. મૌલાના અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાના પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન હતા. ભારતની શિક્ષણ પ્રણાલીમાં પાયાનું પરિવર્તન લાવવામાં તેમજ રાષ્ટ્ર નિર્માણ, સંસ્થા નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે તેઓએ આપેલા યોગદાનને યાદ કરવા તેમજ શિક્ષણનું મહત્વ સમજાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.         અબુલ કલામ આઝાદે 1912 માં કોલકાતામાં 'અલહિલાલ' નામે ઉર્દૂ સાપ્તાહિક શરૂ કરીને તેમાં પ્રગતિશીલ વિચારોનું પ્રતિપાદન કરેલું. 1920 થી 1945 દરમિયાન તેમણે અનેકવાર કારાવાસ વેઠ્યો હતો. 1940 થી 1946 ના નિર્ણાયક વર્ષોમાં તેઓ કોંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા હતા. 'હિંદ છોડો' ચળવળ તથા કેબિનેટ મિશન સાથેની વાટાઘાટોમાં તેઓ અગ્રેસર રહ્યા હતા. મૌલાના આઝાદ ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિના પ્રશંસક હતા અને તેના પ્રત્યે આદરભાવ રાખતા. પ્રખર રાષ્ટ્રવાદી તરીકે તેઓ બિનસાંપ્રદાયિકતાના પુરસ્કર્તા હતા. તેઓ ગહન ચિંતનશક્તિ ધરાવતા ઉત્કૃષ્ટ આદર્શવાદી હતા.   કોઈપણ દેશના વિકાસમાં શિક્ષણનું પ્રદાન અમૂલ્ય હોય છે. શિક્ષણ થકી જ કોઈપણ દેશ પોતાનો વિકાસ સાધી શકે છે. અબુલ કલામ આઝાદને સ્વતંત્ર ભારતમાં શિક્ષણના મુખ્ય ‘આર્કિટેક્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદ 15 ઓગસ્ટ, 1947 થી 2 ફેબ્રુઆરી, 1958 સુધી ભારતના શિક્ષણપ્રધાન હતા. તેઓએ ગ્રામીણ ગરીબો અને કન્યાઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. તેઓ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની, વિદ્વાન અને જાણીતા શિક્ષણવિદ્ હતા. જેમણે શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.   આ દિવસે સમગ્ર દેશમાં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મૌલાના અબુલ કલામ આઝાદના જીવન તેમજ તેમના શિક્ષણક્ષેત્રમાં પ્રદાન અને સિદ્ધિઓ પર ચર્ચાઓ, વિવિધ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા વર્તમાન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં જરૂરી સુધારાઓ સૂચવવા માટે ચર્ચાસભાઓ અને સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે. જેથી લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને શિક્ષણનું મહત્વ સમજે. તેઓશ્રી રાષ્ટ્રસેવાના કાર્યમાં 2 ફેબ્રુઆરી, 1958 થી મૃત્યુ સુધી કાર્યરત રહ્યા. તેમનાં વિવિધ પ્રકારનાં પ્રદાનોને ધ્યાને લઇ 1992 માં તેઓને મરણોપરાંત ‘ભારતરત્ન'થી નવાજવામાં આવ્યા હતા.

    11th November

    Read more
    રાષ્ટ્રીય શિક્ષણ દિન
    11th November
    સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન અને શિક્ષણને સમર્પિત એવા મૌલાના અબુલ કલામ આઝાદ ની જયંતીને ભારતમાં દર વર્ષે 11 નવેમ્બર ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ સાઉદી અરબના મક્કામાં 11 નવેમ્બર, 1888ના રોજ થયો હતો. આ દિવસ ઉજવવાની જાહેરાત ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવેમ્બર, 2008 ના રોજ કરવામાં આવી હતી. મૌલાના અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાના પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન હતા. ભારતની શિક્ષણ પ્રણાલીમાં પાયાનું પરિવર્તન લાવવામાં તેમજ રાષ્ટ્ર નિર્માણ, સંસ્થા નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે તેઓએ આપેલા યોગદાનને યાદ...
    Read more
    વિશ્વ ડાયાબિટીસ દિન
    વિશ્વ ડાયાબિટીસ દિન

    વિશ્વમાં ડાયાબિટીસ (મધુપ્રમેહ)નાં દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેથી આ રોગ અંગે જાગૃતિ અને સાવચેતી કેળવવા માટે 'ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન' અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં 1991 થી દર વર્ષે 14 નવેમ્બરે ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ' ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર નો દિવસ ઈન્સ્યુલિનના સહશોધક સર ફેડરિક બેન્કિંગ નો જન્મદિવસ હોવાથી 'વિશ્વ ડાયાબિટીસ દિન' તરીકે આ દિવસની પસંદગી કરવામાં આવી છે.   ડાયાબિટીસ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ ડાયાબિટીસના ઘણા દર્દીઓ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તેથી આ રોગને કારણે વધતી જતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને અને તેના વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે.   'વિશ્વ ડાયાબિટીસ દિન'ની ઉજવણીના ભાગરૂપે ડાયાબિટીસ સ્ક્રિનિંગ પ્રોગ્રામ્સ, રેડિયો અને ટેલિવિઝન ઝુંબેશ, રમતગમતની ઇવેન્ટ્સ અને અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ડાયાબિટીસની બીમારીને અટકાવવા માટે ફક્ત જાગૃતિ પૂરતી નથી, પણ લોકોની જીવનશૈલી બદલવાની પણ એટલી જ જરૂર છે. અનિયમિત ખાણીપીણી અને શારીરિક શ્રમ કરવાની આળસ, નિયમિત કસરત ન કરવી, જંકફૂડનું વધુ પડતું સેવન, તણાવયુક્ત જીવન, પૂરતી ઊંઘ ન લેવી, વધુ પડતા ગળ્યા પદાર્થોનું સેવન તેમજ આનુવાંશિક કારણોથી વ્યક્તિ ડાયાબિટીસની ઝપેટમાં આવે છે. શું છે ડાયાબિટીસ? ડાયાબિટીસમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં સુગર(ખાંડ)નું પ્રમાણ બહુ જ વધી જતું હોય છે. ડાયાબિટીસ બે પ્રકારનાં હોય છેઃ ટાઈપ-1 અને ટાઈપ-2. શરીરમાંના ઇન્સ્યૂલિન નામના એક હોર્મોન સાથે આ બન્ને પ્રકારનાં ડાયાબિટીસને સંબંધ છે.   ટાઈપ-1 ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા કોષોનો નાશ થાય છે. ટાઈપ-2 ડાયાબિટીસમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે અથવા કોષો ઇન્સ્યૂલિન સંબંધે પ્રતિભાવ આપતા નથી. ડાયાબિટીસનાં લક્ષણો: • વારંવાર તરસ લાગવી • વજન ઘટી જવું. • ખૂબ ભૂખ લાગવી. • શરીરમાં નબળાઈ લાગવી. • વારંવાર પેશાબ આવવો. • ઘા ન રૂઝાવા. • થાક લાગવો. • ખાલી ચડવી, ઝણઝણાટી કે બળતરા થવી. • અંધાપો આવવો કે ઝાંખપ વળવી વગેરે... ડાયાબિટીસનાં ઉપર બતાવેલાં લક્ષણો જણાય તો વહેલી તકે તેની તપાસ કરાવવી જોઈએ. ભૂખ્યા પેટે અને જમ્યા પછી લોહીમાં સુગરની તપાસ જેવાં લોહીનાં પરીક્ષણથી ડાયાબિટીસ છે કે નહીં અને શરીરમાં તેનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. સાવધાની: • બ્લડ સુગર લેવલ જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં ફાઈબર ધરાવતાં ફળો અને શાકભાજીનું સેવન કરવું. • ચોકલેટ, કેન્ડી, કુકી અને સોડા જેવા સુગર ધરાવતા પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું અને ઘરનું ભોજન લેવું. • ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા અને અન્ય રોગોથી બચવા માટે વજન નિયંત્રણમાં રાખવું. • ડૉક્ટર અને ડાયેટિશિયન દ્વારા સૂચવવામાં આવતા વિવિધ ડાયટ પ્લાન વિશે સમજી તેનું પાલન કરવું

    14th November

    Read more
    વિશ્વ ડાયાબિટીસ દિન
    14th November
    વિશ્વમાં ડાયાબિટીસ (મધુપ્રમેહ)નાં દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેથી આ રોગ અંગે જાગૃતિ અને સાવચેતી કેળવવા માટે 'ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન' અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં 1991 થી દર વર્ષે 14 નવેમ્બરે ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ' ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર નો દિવસ ઈન્સ્યુલિનના સહશોધક સર ફેડરિક બેન્કિંગ નો જન્મદિવસ હોવાથી 'વિશ્વ ડાયાબિટીસ દિન' તરીકે આ દિવસની પસંદગી કરવામાં આવી છે.   ડાયાબિટીસ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ ડાયાબિટીસના ઘણા દર્દીઓ છે અને આ સંખ્યા સતત...
    Read more
    બિરસા મુંડા જયંતી
    બિરસા મુંડા જયંતી

    બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 15 નવેમ્બર, 1875 ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાત ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓએ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો. તે સમયમાં તેમના સમાજમાં ખાસ કોઈ શિક્ષણ મેળવતું ન હતું. તેમ છતાં તેમણે તે સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એમનું મન હંમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી ખરાબ દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા જાતિના લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ કર્યું.   1894 માં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુર માં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી. 1 ઓક્ટોબર, 1894 ના દિને નવયુવાન નેતાના રૂપમાં મુંડાજાતિના લોકોને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં 1895 માં વ્યાપક આંદોલન 'ઉલ ગુલાન' નું નેતૃત્વ બિરસા મુંડા એ લીધું હતું. જે છોટાનાગપુર નજીકના લગભગ 400 ચોરસ માઈલ વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. 1895 માં એમને ગિરફતાર કરી હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગાર (જેલ)માં બે વર્ષ રાખ્યા, પરંતુ બિરસા અને એમના સાથીઓએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન સ્વતંત્રતાની લડત અને આરોગ્યના ક્ષેત્રે લોકસેવા કરવાના કારણે મહાપુરુષનો દરજ્જો મેળવ્યો હતો.    બિરસા મુંડાએ પોતાના આંદોલનમાં જનજાતિને હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ -- જાદુકળામાં વિશ્વાસ ન રાખવો. તેમણે મુંડા જનજાતિના લોકોને ગૌરવપૂર્ણ ભૂતકાળના પ્રમાણે જીવન જીવવા પ્રેર્યા અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું તેમની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો.   ઓગસ્ટ, 1897 ના સમયમાં બિરસા અને એમના ચારસો સાથીઓએ તીરકામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. 1898 ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડા જાતિના લોકોની અંગ્રેજ સેના સાથે લડાઇ થઈ. જાન્યુઆરી, 1900 માં ડોમવાડીના ડુંગરોમાં વધુ એક સંઘર્ષ થયો. ત્યારબાદ બિરસાના કેટલાક સાથીઓની ધરપકડ થઇ હતી. અંતે બિરસાએ જાતે ૩ ફેબ્રુઆરી, 1900 ના દિને ચક્રધરપુર માં ધરપકડ વહોરી લીધી.    બિરસા મુંડાએ 9 જૂન, 1900 ના દિવસે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા. તેમની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતાએ 15 નવેમ્બર, 1988 ના દિને ટપાલટિકિટ બહાર પાડી હતી.

    15th November

    Read more
    બિરસા મુંડા જયંતી
    15th November
    બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 15 નવેમ્બર, 1875 ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાત ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓએ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો. તે સમયમાં તેમના સમાજમાં ખાસ કોઈ શિક્ષણ મેળવતું ન હતું. તેમ છતાં તેમણે તે સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એમનું મન હંમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી ખરાબ દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા જાતિના લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે...
    Read more