Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
હનુમાનજી જન્મોત્સવ
હનુમાનજી જન્મોત્સવ

રામાયણનાં વિવિધ પાત્રોમાં શ્રીરામ અને સીતામાતા જેટલું જ લોકપ્રિય પાત્ર હોય તો તે છે હનુમાનજી. તેમને જિતેન્દ્રિય બુદ્ધિમાનોમાં વરિષ્ઠ, પવનપુત્ર જેવાં વિશેષણોથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ આબાલવૃદ્ધ સૌને સમાન રીતે આકર્ષે છે. ચૈત્ર માસની પૂર્ણિમાનો દિવસ એ તેમના જન્મોત્સવનો દિવસ ગણવામાં આવે છે. ભાવિક ભક્તો આ દિવસે હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે સાથે તેમના પરાક્રમોનું સંકીર્તન કરી પ્રેરણા મેળવે છે.   હનુમાનજીના જન્મની કથા રોચક છે. દશરથ રાજાએ પુત્રપ્રાપ્તિ માટે કરેલા યજ્ઞમાંથી પ્રસાદી સ્વરૂપે મળેલ થોડી ખીર પવનના કારણે અંજનીમાતાને મળી. આ પ્રસાદ આરોગવાને કારણે હનુમાનજીનો જન્મ થયો. બાળવયે સૂર્યને મધુર ફળ સમજી તેનું ભક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો. આ કથાઓ માત્ર મનોરંજન માટે નથી પણ હનુમાનજીની પ્રચંડ શક્તિની દ્યોતક છે. સુગ્રીવના સચિવ તરીકેની તેમની ભૂમિકામાં ઉત્તમ સંચાલક હોવાનો ખ્યાલ મળે છે. શ્રીરામનું કામ તેમના માટે જીવનનું મૂળ ધ્યેય હતું.   સીતામાતાની શોધ માટે સમુદ્રને ઓળંગી જવો, અશોકવાટિકાનું નિકંદન, લકાદહન ઉપરાંત રાવણ સાથેના યુદ્ધમાં તેમની અદ્વિતીય શક્તિ આ બધી જાણીતી હકીકતો છે. લક્ષ્મણની મૂર્છા દૂર કરવા આખો પર્વત ઉપાડી લાવવો એ અનુપમ પરાક્રમ છે. આ વિવિધ કથાઓમાં તેમની પ્રચંડ શક્તિ, પ્રખર બુદ્ધિમતા, કાર્યદક્ષતા. લંકામાં પણ વિભિષણને ઓળખવા તે વ્યક્તિને પારખવાની ક્ષમતા. હંમેશાં સત્યને પડખે રહેવાની નિષ્ઠા, વિનમ્રતા, સેવક તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરવી આમ એક-એક બાબત તેમના માટે પૂજ્યભાવ ઉત્પન્ન કરે છે.   શ્રીરામના વનવાસ દરમિયાન સંપર્કમાં આવ્યા પછી પોતાનું જીવન તેમના ચરણોમાં સમર્પિત કર્યું અને કાયમ તેમની સાથે રહ્યા. આમ છતાં ક્યારેય શ્રીરામ પાસેથી કશું જ મેળવવાની અપેક્ષા ન રાખી તેમના જીવનની આ ઓળખે તેમને એટલા પૂજ્ય સ્થાને મૂક્યા છે કે ભાગ્યે જ કોઈ દેવતાનું મંદિર કે તીર્થ એવું જોવા મળશે કે જ્યાં રામભક્ત હનુમાનજી'ની મૂર્તિ ન હોય. સાત ચિરંજીવીઓમાં સ્થાન પામનાર હનુમાનજી આજે પણ વિદ્યમાન છે એમ માનવામાં આવે છે.   આપણા લાડીલા કવિ કાગે યોગ્ય રીતે ગાયું છે કે, "જગતમાં એક જ જન્મ્યો કે જેણે રામને ઋણી રાખ્યા."

02nd April

Read more
હનુમાનજી જન્મોત્સવ
02nd April
રામાયણનાં વિવિધ પાત્રોમાં શ્રીરામ અને સીતામાતા જેટલું જ લોકપ્રિય પાત્ર હોય તો તે છે હનુમાનજી. તેમને જિતેન્દ્રિય બુદ્ધિમાનોમાં વરિષ્ઠ, પવનપુત્ર જેવાં વિશેષણોથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ આબાલવૃદ્ધ સૌને સમાન રીતે આકર્ષે છે. ચૈત્ર માસની પૂર્ણિમાનો દિવસ એ તેમના જન્મોત્સવનો દિવસ ગણવામાં આવે છે. ભાવિક ભક્તો આ દિવસે હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે સાથે તેમના પરાક્રમોનું સંકીર્તન કરી પ્રેરણા મેળવે છે.   હનુમાનજીના જન્મની કથા રોચક છે. દશરથ રાજાએ પુત્રપ્રાપ્તિ માટે કરેલા યજ્ઞમાંથી પ્રસાદી સ્વરૂપે મળેલ થોડી ખીર પવનના કારણે અંજનીમાતાને મળી. આ પ્રસાદ આરોગવાને કારણે હનુમાનજીનો જન્મ થયો. બાળવયે...
Read more
વિશ્વ આરોગ્ય દિન
વિશ્વ આરોગ્ય દિન

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલ ને 'વિશ્વ આરોગ્ય દિન' જાહેર કરવામાં આવ્યો છે. 7 એપ્રિલ, 1948 ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સ્થાપના થઈ હતી તેથી આ દિવસે 'વર્લ્ડ હેલ્થ ડે' એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરાય છે. પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ, 1950 ના રોજ ઊજવાયો હતો.   આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વની દરેક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને. ઉપરાંત, આ દિવસની ઉજવણીનો હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય અને તેને સંબંધિત સમસ્યાઓ વિશે ચર્ચા કરવાનો પણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વને આરોગ્ય સેવાઓ આપવા માટે દરેક સ્તરે પ્રયાસ કર્યા છે. દરેક જગ્યાએ સારી આરોગ્ય સુવિધાઓ હોવી જોઈએ. તમામ દેશો રોગમુક્ત હોવા જોઈએ અને તેમને સ્વાસ્થ્ય સેવાઓની દૃષ્ટિએ કોઈ પણ પ્રકારની અછત ન રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.   આજે ચિકિત્સાના ક્ષેત્રમાં વિશ્વ ઘણું આગળ વધી ગયું છે. પણ લોકોની આધુનિક જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઈને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિની શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની જાળવણી ખૂબ જ મહત્ત્વની છે. એકવીસમી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી હોવાની સાથે-સાથે સાંપ્રત સમયમાં થઈ રહેલાં શહેરીકરણ, આધુનિકીકરણ, પશ્ચિમીકરણ ના કારણે લોકોનાં ખાનપાન પણ બદલાયાં છે. તેથી, તેની સીધી અસર આરોગ્ય પર પડે છે. સાથે સાથે આજના યુવાનો દેખાદેખીમાં તમાકુ, બીડી, સિગારેટ વગેરે વ્યસનો તરફ વળ્યા છે અને પરિણામે દેશના નાગરિકોનું આરોગ્ય જોખમાયું છે. આવાં કેફી દ્રવ્યોના વ્યસનથી આજના યુવાનો ખૂબ નાની ઉંમરે અસાધ્ય રોગોનો ભોગ બને છે.   તમાકુનું વધુ વેચાણ અને તેનું સેવન આરોગ્ય માટે સૌથી મોટો પડકાર છે. ભારતમાં તમાકુનું સેવન અને તેનું વધતું જતું પ્રમાણ એ આરોગ્યની દૃષ્ટિએ ચિંતાનો વિષય બનતો જાય છે. ભારતમાં યુવા પેઢી અને તેમાંય ખાસ કરીને, બાળકોમાં તમાકુનું સેવન અને તેની આડઅસરોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંગઠનનું 'ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કંટ્રોલ' ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારત સરકાર દ્વારા 2003 માં આ વ્યસનોને નિયંત્રણમાં લાવવા માટે જાહેરાતના સંદર્ભે એક કાયદો ઘડવામાં આવ્યો હતો.   આજે સતત થઈ રહેલું વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને બદલાતા જતા પર્યાવરણના કારણે વાઈરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેના કારણે માનવીનું આરોગ્ય ક્ષતિગ્રસ્ત બન્યું છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં પોતાની તંદુરસ્તી જાળવી રાખવી એક મોટો પડકાર બની ગયો છે. વ્યક્તિ જ્યારે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે સ્વસ્થ (ફિટ) હોય ત્યારે જ તેનું સ્વાસ્થ્ય સારું માનવામાં આવે છે.

07th April

Read more
વિશ્વ આરોગ્ય દિન
07th April
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલ ને 'વિશ્વ આરોગ્ય દિન' જાહેર કરવામાં આવ્યો છે. 7 એપ્રિલ, 1948 ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સ્થાપના થઈ હતી તેથી આ દિવસે 'વર્લ્ડ હેલ્થ ડે' એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરાય છે. પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ, 1950 ના રોજ ઊજવાયો હતો.   આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વની દરેક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને. ઉપરાંત, આ દિવસની ઉજવણીનો...
Read more
બાબુ ગુલાબરાય પુણ્યતિથિ
બાબુ ગુલાબરાય પુણ્યતિથિ

ભારતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નિબંધકાર બાબુ ગુલાબરાયનો જન્મ ૧૭ જાન્યુઆરી,૧૮૮૮ ના રોજ ઉત્તરપ્રદેશના ઇટાવામાં થયો હતો. તેમના પિતા શ્રી ભવાની પ્રસાદ ધાર્મિક વૃત્તિના વ્યક્તિ હતા. તેમની માતા પણ કૃષ્ણની ઉપાસક હતી અને સુર,કબીરના પદોમાં તલ્લીન થઇ ગાતા હતા. માતા-પિતાની આ ધાર્મિક વૃત્તિની અસર બાબુ ગુલાબ રાય પર પણ થઈ હતી. પ્રાથમિક શિક્ષણ મૈનપુરીમાં પૂર્ણ કર્યું. આગ્રા કૉલેજમાં બી.એ પૂર્ણ કર્યા બાદ દર્શનશાસ્ત્રમાં એમ.એ નો અભ્યાસ કરવા છતરપુર ગયા. બાબુ ગુલાબરાયે દાર્શનિક રચનાઓ હિંદની ભાષાઓમાં રજૂ કરી હતી. તેમણે સામાજિક,સાંસ્કૃતિક,મનોવૈજ્ઞાનિક જેવાં અનેક વિષયોને હિંદી ભાષામાં લખી હિંદી ભાષાની અભિવૃદ્ધિ કરી હતી. બાબુ ગુલાબરાયે મૌલિક ગ્રંથોની રચનાની સાથોસાથ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે. તેમની મુખ્ય રચનામાં નવરસ, કર્તવ્ય,તર્કશાસ્ત્ર,પ્રકાર,પ્રભાકર, મારી અસફળતા,ભારતીય સંસ્કૃતિઓની જ્ઞાન વાર્તા, સત્ય હરિશ્ચંદ્ર વગેરે છે. સાહિત્યિક સેવાઓ આપવા બદલ બાબુ ગુલાબરાયને આગ્રા યુનિવર્સિટીએ ડી.લીટની ડિગ્રીથી સન્માનિત કર્યા હતા. બાબુ ગુલાબરાયે અંતિમ શ્વાસ સુધી સાહિત્યક્ષેત્રે સેવા આપી હતી. ૧૩ એપ્રિલ,૧૯૬૩ ના રોજ ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે તેમનું દેહાવસાન થયું. તેમના સન્માનમાં ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ,૨૦૦૨ ના રોજ ૫ રૂપિયાના મૂલ્યની એક ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી અને જેના પર બાબુ ગુલાબરાયનું ચિત્ર તેમના ત્રણ મુખ્ય પુસ્તકો સાથે પ્રદર્શિત કરાયું હતું.

13th April

Read more
બાબુ ગુલાબરાય પુણ્યતિથિ
13th April

ભારતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નિબંધકાર બાબુ ગુલાબરાયનો જન્મ ૧૭ જાન્યુઆરી,૧૮૮૮ ના રોજ ઉત્તરપ્રદેશના ઇટાવામાં થયો હતો. તેમના પિતા શ્રી ભવાની પ્રસાદ ધાર્મિક વૃત્તિના વ્યક્તિ હતા. તેમની માતા પણ કૃષ્ણની ઉપાસક હતી અને સુર,કબીરના પદોમાં તલ્લીન થઇ ગાતા હતા. માતા-પિતાની આ ધાર્મિક વૃત્તિની અસર બાબુ ગુલાબ રાય પર પણ થઈ હતી. પ્રાથમિક શિક્ષણ મૈનપુરીમાં પૂર્ણ કર્યું. આગ્રા કૉલેજમાં બી.એ પૂર્ણ કર્યા બાદ દર્શનશાસ્ત્રમાં એમ.એ નો અભ્યાસ કરવા છતરપુર ગયા.

બાબુ ગુલાબરાયે દાર્શનિક રચનાઓ હિંદની ભાષાઓમાં રજૂ કરી હતી. તેમણે સામાજિક,સાંસ્કૃતિક,મનોવૈજ્ઞાનિક જેવાં અનેક વિષયોને હિંદી ભાષામાં લખી હિંદી ભાષાની અભિવૃદ્ધિ કરી હતી.

Read more
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન

આપણા દેશમાં દર વર્ષે 14 એપ્રિલ ને 'રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન' (National Fire Service Day) ઊજવવામાં આવે છે. 14 એપ્રિલ, 1944 ના દિવસે મુંબઈ બંદર ખાતે ફોર્ટ સ્ટીકેન નામના માલવાહક જહાજમાં આકસ્મિક રીતે આગ લાગી હતી. આ જહાજમાં રૂની ગાંસડીઓ, વિસ્ફોટક પદાર્થો તેમજ યુદ્ધની સામગ્રી ભરેલી હતી. તેમાં અચાનક આગ લાગતાં અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ બુઝાવવાનું કાર્ય કરતા હતા. જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે આ ઘટનામાં 300 થી વધારે લોકો ભોગ બન્યા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોકોની સલામતી માટે અને દેશની માલમિલકતનું રક્ષણ કરવા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલ ને 'રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન' તરીકે ઊજવી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનારા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપરાંત આગથી બચવાના ઉપાયો માટે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર દેશભરમાં આ દિવસ ઊજવવામાં આવે છે.   આપત્તિ એટલે કોઈક એવી પરિસ્થિતિ જે ચેતવણી આપ્યા સિવાય કે ખૂબ ટૂંકાગાળાની ચેતવણી આપીને જ એકદમ ત્રાટકે અને જાનમાલની ખુવારી સર્જી જાય છે. આપત્તિ વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડયા છે. કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ. પૂર, ભૂકંપ, વાવાઝોડું, ત્સુનામી, દુષ્કાળ, જ્વાળામુખી, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે; જ્યારે આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ, ટ્રાફિક-સમસ્યા વગેરે માનવસર્જિત આપત્તિઓ છે. આ બધી આપત્તિઓથી બચવા માટે તથા તેને ટાળવા માટે અગમચેતીનાં પગલાં લેવાં જરૂરી છે. આથી. આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત આગ-સલામતી અંગે જનજાગૃતિ માટે આ દિવસની ઉજવણી થાય છે.   દરેક બિલ્ડિંગ તથા હોસ્પિટલ માટે 'નેશનલ બિલ્ડિંગ કોડ' લાગુ કરવામાં આવ્યા છે અને ફરજિયાતપણે દુર્ઘટના નિવારણ અને સલામતીના નિયમોનું પાલન કરાવવામાં આવે છે. જુદા જુદા વિસ્તારોમાં આગનું જોખમ નિવારવા માટે તેમજ વ્યક્તિના જીવન અને મિલકતની સલામતી તેમજ રક્ષણ માટે સરકાર દ્વારા 'ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ- 2013' બનાવવામાં આવેલ છે, જે હાલ અમલમાં છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકારી દ્વારા ઇમારતો, કાર્યશાળા, તમામ જાહેર જગ્યાઓ, વેરહાઉસ કે બિલ્ડિંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી રાખવાની ફરજ પાડવામાં આવે છે.

14th April

Read more
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન
14th April
આપણા દેશમાં દર વર્ષે 14 એપ્રિલ ને 'રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન' (National Fire Service Day) ઊજવવામાં આવે છે. 14 એપ્રિલ, 1944 ના દિવસે મુંબઈ બંદર ખાતે ફોર્ટ સ્ટીકેન નામના માલવાહક જહાજમાં આકસ્મિક રીતે આગ લાગી હતી. આ જહાજમાં રૂની ગાંસડીઓ, વિસ્ફોટક પદાર્થો તેમજ યુદ્ધની સામગ્રી ભરેલી હતી. તેમાં અચાનક આગ લાગતાં અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ બુઝાવવાનું કાર્ય કરતા હતા. જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે આ ઘટનામાં 300 થી વધારે લોકો ભોગ બન્યા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોકોની સલામતી માટે...
Read more
ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી
ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી

સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે આજીવન અથાક પ્રયત્નો કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર સાચા અર્થમાં મહામાનવ હતા. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા, કાયદાના પ્રકાંડ પંડિત હતા. તેઓ અસ્પૃશ્યો અને મહિલાઓની મુક્તિના હિમાયતી હતા. તેમનો જન્મ 14 એપ્રિલ, 1891 માં મહુ (મધ્યપ્રદેશ) મુકામે સામાન્ય અને તે જમાનામાં અછૂત ગણાતા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ હતું અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેમના જીવનઘડતરમાં મોટો ફાળો આપનાર તેમના શિક્ષક કૃષ્ણજી કેશવ આંબેડકર પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમણે પોતાની અટક આંબેડકર રાખી હતી. પ્રખર સ્મરણશક્તિ, બુદ્ધિમત્તા, નખશિખ પ્રામાણિકતા, સત્યનો આગ્રહ, નિયમિતતા, દ્રઢ નિર્ણયશકિત તેમજ સંગ્રામી સ્વભાવ એ બધું તેમના વ્યક્તિત્વમાં ઝળકતું હતું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમના હીરને પારખી વિદેશમાં જઈ ઉચ્ચશિક્ષણ મેળવવા શિષ્યવૃત્તિ આપી.   અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી તેમણે રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવવિજ્ઞાન, દર્શનશાસ્ત્ર અને અર્થનીતિનો ઊંડો અભ્યાસ કર્યો. અમેરિકામાં ભારતીય સમાજવ્યવસ્થાથી ભિન્ન સમાજનો પરિચય થયો. ત્યાં એક સેમિનારમાં તેમણે 'ભારતીય જાતિ વિભાજન' અંગેનો પોતાનો શોધપત્ર વાંચ્યો. અભ્યાસના પરિપાકરૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર ડિઝર્ટેશન લખી 1915 માં એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ પીએચ.ડી.ની પદવી માટે 1916 માં બ્રિટિશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થા વિષય ઉપર મહાનિબંધ લખ્યો. આમ તેઓ વિદેશની યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટ કરનાર પ્રથમ ભારતીય બન્યા.   ડૉ. આંબેડકરે અસ્પૃશ્યતાના નિવારણ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પછાત ગણાતા વર્ગોમાં જાગૃતિ લાવી તેમને અસ્પૃશ્યતા સામેની લડત માટે તૈયાર કર્યા. તેવું જ કામ મહિલા ઉત્થાનના તેમના પ્રયત્નોમાં જોઈ શકાય છે. ભારતના બંધારણના ઘડતરની પ્રક્રિયા ચાલુ હતી તેમાં દરેક બાબતને શબ્દબદ્ધ કરનારી મહત્ત્વની સમિતિ એટલે ખરડા સમિતિ. આ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે કરેલ કામની સાર્વત્રિક પ્રશંસા પણ થઈ. તેમની આ કામગીરીના ફલસ્વરૂપ તેઓ 'બંધારણના ઘડવૈયા' તરીકેની ઓળખ પામ્યા.   સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદાપ્રધાન તરીકે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું હતું. હિન્દુ કોડ બિલ પસાર ન કરાવી શકવાના કારણે તેમણે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપીને તેમની વૈચારિક દૃઢતાનો પરિચય આપ્યો. 1954 માં કાઠમંડુમાં યોજાયેલ બૌદ્ધસભામાં તેમને 'બોધિસત્વ'ની ઉપાધિ થી નવાજવામાં આવ્યા. 1956 માં તેમણે બૌદ્ધધર્મ અંગીકાર કર્યો. પોતાની તંદુરસ્તીની પરવા કર્યા વિના પોતાનાં કાર્યોમાં સતત વ્યસ્ત રહ્યા. છેવટે 6 ડિસેમ્બર, 1956 ના રોજ તેમનું અવસાન થયું. તેમનાં જીવનકાર્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા 1990 માં તેમને મરણોપરાંત 'ભારતરત્ન' તરીકે સન્માનિત કરવામાં આવ્યા.

14th April

Read more
ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી
14th April
સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે આજીવન અથાક પ્રયત્નો કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર સાચા અર્થમાં મહામાનવ હતા. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા, કાયદાના પ્રકાંડ પંડિત હતા. તેઓ અસ્પૃશ્યો અને મહિલાઓની મુક્તિના હિમાયતી હતા. તેમનો જન્મ 14 એપ્રિલ, 1891 માં મહુ (મધ્યપ્રદેશ) મુકામે સામાન્ય અને તે જમાનામાં અછૂત ગણાતા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ હતું અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેમના જીવનઘડતરમાં મોટો ફાળો આપનાર તેમના શિક્ષક કૃષ્ણજી કેશવ આંબેડકર પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમણે પોતાની અટક...
Read more
વિશ્વ વિરાસત દિન (વિશ્વ ધરોહર દિન)
વિશ્વ વિરાસત દિન (વિશ્વ ધરોહર દિન)

1982 માં ICOMOS (INTERNATIONAL COUNCIL ON MONUMENTS AND SITES આંતરરાષ્ટ્રીય પરિષદ સ્મારક અને સ્થળ) દ્વારા પ્રાચીન સંસ્કૃતિ અને તેના ઐતિહાસિક સ્થળોમાં સંરક્ષણ વિશેની જાગૃતિ ફેલાવવા માટે 18 એપ્રિલ ને વિશ્વ વિરાસત દિન તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલીવાર આ દિવસની ઉજવણી 1983 માં કરવામાં આવી.   યુનેસ્કોએ હેરિટેજ સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. યુનેસ્કોની વ્યાખ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વનું સ્થાન ધરાવતું કુદરતી કે માનવસર્જિત માળખુંએ એક વારસો છે. પ્રવાસ-પર્યટન સમયે શિલ્પ સ્થાપત્યો પર પોતાનાં નામ લખવા, સ્થાપત્યોને નુકસાન પહોંચાડવું વગેરે જેવી પ્રવૃત્તિઓ લોકો કરતાં હોય છે. જેને કારણે અમૂલ્ય વારસારૂપ સ્થાપત્યને નુકસાન થાય છે. દેશના નાગરિક તરીકે ધરોહર સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે.   ભારતીય સંસ્કૃતિ તેના ભવ્ય ઐતિહાસિક અને પ્રાકૃતિક વારસા માટે વિશ્વમાં જાણીતી છે. અનાદિકાળથી ભારતે વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો છે. वसुधैव कुटुुंबकम એ ભારતનો જીવનમંત્ર છે. શિલ્પ, સ્થાપત્ય અને કલાના આ ભવ્ય વારસાનું આપણને ગૌરવ છે. વારસો એ આપણી આગવી ઓળખ છે. આપણી આ ભવ્ય વિરાસતોની જાળવણી અને રક્ષણ કરવું એ આપણા સૌની નાગરિક તરીકેની ફરજ છે. વિશ્વ વિરાસત તરીકે અતિ મહત્ત્વની ધરોહરોને યુનેસ્કો પોતાની યાદીમાં સ્થાન આપી તેની જાળવણી અને સુરક્ષા માટેના પ્રયત્નો કરે છે. યુનેસ્કોની આવી સાંસ્કૃતિક વિરાસત કે પ્રાકૃતિક વિરાસતની યાદીમાં ભારત છઠ્ઠું સ્થાન ધરાવે છે. ભારતમાં 40 જેટલાં સ્થળો ને વિશ્વ વિરાસત તરીકેનું સન્માન મળેલ છે. જેમાં મહારાષ્ટ્રમાં આવેલી ઈલોરાની ગુફાઓ, આગ્રાનો તાજમહલ, દિલ્હીનો લાલકિલ્લો, મહાબલીપુરમના રથમંદિરો, સાંચીનો બૌદ્ધ સ્તૂપ, કોણાર્કનું સૂર્યમંદિર વગેરેનો સમાવેશ થાય છે.   ભારતના વિવિધ રાજ્યોમાંથી 4 વિશ્વ વિરાસત સાથે ગુજરાત બીજું સ્થાન ધરાવે છે. ગુજરાતનાં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો પ્રાપ્ત કરનારા સ્થળો નીચે મુજબ છે. 1. ચાંપાનેરનો કિલ્લો - જિલ્લો પંચમહાલ 2. રાણીની વાવ - જિલ્લો પાટણ 3. અમદાવાદ શહેર - જિલ્લો અમદાવાદ 4. ધોળાવીરા - જિલ્લો કચ્છ

18th April

Read more
વિશ્વ વિરાસત દિન (વિશ્વ ધરોહર દિન)
18th April
1982 માં ICOMOS (INTERNATIONAL COUNCIL ON MONUMENTS AND SITES આંતરરાષ્ટ્રીય પરિષદ સ્મારક અને સ્થળ) દ્વારા પ્રાચીન સંસ્કૃતિ અને તેના ઐતિહાસિક સ્થળોમાં સંરક્ષણ વિશેની જાગૃતિ ફેલાવવા માટે 18 એપ્રિલ ને વિશ્વ વિરાસત દિન તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલીવાર આ દિવસની ઉજવણી 1983 માં કરવામાં આવી.   યુનેસ્કોએ હેરિટેજ સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. યુનેસ્કોની વ્યાખ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વનું સ્થાન ધરાવતું કુદરતી કે માનવસર્જિત માળખુંએ એક વારસો છે. પ્રવાસ-પર્યટન સમયે શિલ્પ સ્થાપત્યો પર પોતાનાં નામ લખવા, સ્થાપત્યોને નુકસાન પહોંચાડવું વગેરે જેવી પ્રવૃત્તિઓ લોકો કરતાં હોય છે....
Read more
બારિન્દ્રકુમાર ઘોષ પુણ્યતિથિ
બારિન્દ્રકુમાર ઘોષ પુણ્યતિથિ

૨૦મા સૈકાના પ્રારંભે જ ક્રાંતિકારી આંદોલનોમાં સક્રિય થનાર બારિન્દ્રકુમાર ઘોષ બારિન ઘોષ તરીકે પણ જાણીતા છે. તેમનો જન્મ ૫ જાન્યુઆરી,૧૮૮૦ ના રોજ લંડન પાસેના ક્રોયડન નામના કસ્બામાં થયો હતો.તેમના પિતા કૃષ્ણધન ઘોષ એક જાણીતા ચિકિત્સક અને જિલ્લા સર્જન હતા.તેમની માતા સ્વર્ણલતા દેવી પ્રસિદ્ધ સમાજ સુધારક અને વિદ્વાન રાજનારાયણના પુત્રી હતા. ક્રાંતિકારી અને બાદમાં અધ્યાત્મવાદી શ્રી અરવિંદ તેમના ત્રીજા ક્રમના મોટા ભાઈ હતા. બારિન ઘોષનું પ્રાથમિક શિક્ષણ દેવગઢમાં થયું હતુ. ૧૯૦૧માં તેઓ પ્રવેશ પરીક્ષા પાસ કરી પટના કોલેજમાં દાખલ થયા હતા. તેમણે વડોદરા ખાતેથી સૈન્ય પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ સમય દરમિયાન તેઓ શ્રી અરવિંદથી પ્રભાવિત થયા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તરફ વળ્યા અરવિંદના ક્રાંતિકારી વિચારોનો તેમણે પ્રચાર કર્યો.૧૯૦૨માં તેઓ કલકત્તા પાછા કર્યા અને જતિન્દ્રનાથ મુખર્જીની મદદથી બંગાળમાં કેટલાક ક્રાંતિકારી જૂથોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. ૧૯૦૬માં ભુપેન્દ્ર દત્ત સાથે મળીને બંગાળી સામયિક યુગાંતર પ્રકાશિત કર્યું. સમગ્ર બંગાળમાંથી યુવા ક્રાંતિકારીઓની ભરતીમાં બારિન અને જતિનદાસ મુખર્જી ઉર્ફે જતીન બાઘાની મહત્વની ભૂમિકા રહી.૩૦ એપ્રિલ, ૧૯૦૮ના રોજ ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી દ્વારા કિગ્સફોર્ડની હત્યાના પ્રયાસ બાદ પોલીસે તેની તપાસને પગલે ૨ મે, ૧૯૦૮ ના દિવસે બારિન્દ્ર ઘોષ અને અરવિંદ ઘોષ સહિત ૩૪ ક્રાંતિકારીઓને ગિરકતાર કર્યા હતા. આ મુકદ્દમામાં બારિન ઘોષ અને ઉલ્લાસકર દત્તાને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી જે પાછળથી આજીવન કારાવાસમાં રૂપાંતર કરવામાં આવી હતી.૧૯૦૯માં દેશબંધુ ચિતરંજનદાસ અને બારિન ઘોષ સહિત અન્ય દોષિતોને અંદામાનની સેલ્યુલર જેલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. બારિન ઘોષને પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ૧૯૨૦માં આપવામાં આવેલી સામુહિક માફી અંતર્ગત છોડી મૂકવામાં આવ્યા હતા.તેઓ પત્રકારિતાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે કલકત્તા પાછા ફર્યા હતા પરંતુ થોડા જ સમયમાં પત્રકારિતા છોડી કલકત્તા ખાતે એક આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે પોતાના સંસ્મરણ ધ ટેલ ઓફ માય એક્ઝાઇલ - ટ્રેલ્વ ઇયર્સ ઇન અંદામાન નામે પ્રકાશિત કર્યા હતા. ૧૯૨૩માં તેઓ તેમના ભાઈ અરવિંદ ઘોષ દ્વારા પોંડિચેરીમાં સ્થાપિત અરવિંદ આશ્રમ ખાતે સ્થળાંતરિત થયા હતા. અહીં શ્રી અરવિંદે તેમને અધ્યાત્મ અને સાધના તરફ પ્રેરિત કર્યા.૧૯૨૯માં તેઓ કરી કલકત્તા પાછા કર્યા અને પત્રકારિતા શરૂ કરી. ૧૯૩૩માં તેમણે ધ ડૉન ઓફ ઇન્ડિયા નામનું એક અંગ્રેજી અખબાર શરૂ કર્યું. ત્યારબાદ તેઓ સ્ટેટસમેન સમાચારપત્ર સાથે જોડાયા. આ જ વર્ષે તેઓ શૈલજા દત્ત નામની વિધવા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતા. ૧૯૫૦માં તેઓ બંગાળી દૈનિક સમાચારપત્ર બાસુમતિના સંપાદક બન્યા. ૧૮ એપ્રિલ, ૧૯૫૯ ના રોજ લાંબી માંદગી બાદ કોલકાતાની શેઠ સુખલાલ કરણાની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.

18th April

Read more
બારિન્દ્રકુમાર ઘોષ પુણ્યતિથિ
18th April

૨૦મા સૈકાના પ્રારંભે જ ક્રાંતિકારી આંદોલનોમાં સક્રિય થનાર બારિન્દ્રકુમાર ઘોષ બારિન ઘોષ તરીકે પણ જાણીતા છે. તેમનો જન્મ ૫ જાન્યુઆરી,૧૮૮૦ ના રોજ લંડન પાસેના ક્રોયડન નામના કસ્બામાં થયો હતો.

તેમના પિતા કૃષ્ણધન ઘોષ એક જાણીતા ચિકિત્સક અને જિલ્લા સર્જન હતા.તેમની માતા સ્વર્ણલતા દેવી પ્રસિદ્ધ સમાજ સુધારક અને વિદ્વાન રાજનારાયણના પુત્રી હતા. ક્રાંતિકારી અને બાદમાં અધ્યાત્મવાદી શ્રી અરવિંદ તેમના ત્રીજા ક્રમના મોટા ભાઈ હતા. બારિન ઘોષનું પ્રાથમિક શિક્ષણ દેવગઢમાં થયું હતુ. ૧૯૦૧માં તેઓ પ્રવેશ પરીક્ષા પાસ કરી પટના કોલેજમાં દાખલ થયા હતા. તેમણે વડોદરા ખાતેથી...

Read more
વિશ્વ પૃથ્વી દિન
વિશ્વ પૃથ્વી દિન

વિશ્વ પૃથ્વી દિન 22 એપ્રિલે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો હેતુ લોકોને પૃથ્વી સંબંધિત પર્યાવરણના પડકારો જેમ કે, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ પ્રદૂષણ અને જૈવ વિવિધતા સંરક્ષણ બાબતે જાગૃત કરવાનો છે. પૃથ્વીને બચાવવા થઈ રહેલા પ્રયત્નોને વેગ મળે એવો એક ઉદ્દેશ પણ આ દિવસની ઉજવણી પાછળ રહેલો છે. ભારતમાં સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ એજ્યુકેશન (CEE) ની સ્થાપના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા સપોર્ટેડ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે કરવામાં આવી હતી. આ સંસ્થા પર્યાવરણ અને ટકાઉ વિકાસ વિશે જાગૃતિ વધારવા માટે કાર્યક્રમો અને સામગ્રી વિકસાવવા તરફ કામ કરે છે. તેનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં આવેલું છે.   આ દિવસને ઊજવવા પાછળ વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધી એક ઘટના પણ જોડાયેલી છે. તે ઉત્તર ગોળાર્ધના વસંત અને દક્ષિણ ગોળાર્ધના પાનખરના પ્રતીક તરીકે ઊજવવામાં આવે છે. 1969 માં કેલિફોર્નિયાના સાંતા બાર્બરામાં ઓઇલ લિકેજના કારણે આફત આવી ગઈ હતી. આ ઘટનામાં જાનમાલની હાનિ થઈ અને પર્યાવરણ સુરક્ષાની દિશામાં કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ. ત્યાર બાદ પર્યાવરણપ્રેમી અને અમેરિકન સેનેટર ગેલોર્ડ નેલ્સન ના આહ્વાન પર 22 એપ્રિલ. 1970 નાં રોજ લગભગ 2 કરોડ અમેરિકનોએ પૃથ્વી દિનના પહેલા આયોજનમાં ભાગ લીધો હતો.   વિશ્વ પૃથ્વી દિન ઊજવવાનો હેતુ પૃથ્વી અને પર્યાવરણને બચાવવાનો છે. આપણે બધા કહીએ છીએ પૃથ્વી આપણી માતા છે. પરંતુ કમનસીબે આપણે આપણી માતાની કાળજી લેતા નથી. પ્લાસ્ટિકની થેલીઓ જમીન સહિત, નદીઓ, તળાવો અને દરિયાના પાણીને ગંભીર રીતે પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકમાં હાનિકારક પદાર્થો હોય છે. જે પર્યાવરણ અને પ્રાણીઓ માટે જોખમી બને છે. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરી તેની જગ્યાએ કાગળ કે કાપડની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી તેની પ્રાકૃતિક ગુણવત્તા, ઉપયોગિતા નષ્ટ થાય છે.   ભારતના વિખ્યાત પર્યાવરણવિદ સ્વ. શ્રી સુંદરલાલ બહુગુણા એ પૃથ્વી દિનની ઉજવણી ભારતમાં કેવી રીતે કરવી જોઈએ તે અંગે કેટલાંક ઉપયોગી અને અસરકારક સૂચનો કર્યા છે. . પૃથ્વી દિનની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ તેમજ રેલી, સભાઓ, સરઘસ અને પર્યાવરણ સંબંધિત પ્રદર્શન યોજી શાળાના વિદ્યાર્થીઓને જોડવા જોઈએ. . પૃથ્વી દિને સાઇકલ રેલીનું આયોજન કરવું જોઈએ અને રેલીમાં ભાગ લેતા સહકાર્યકરો ભવિષ્યમાં સાઇકલનો ઉપયોગ કરશે તેવા શપથ લેવડાવવા જોઈએ જેથી પેટ્રોલ બચત સાથે વાયુ પ્રદૂષણની માત્રામાં ઘટાડો નોંધાશે. . પ્રદૂષણ નિયંત્રણ માટે ઘડવામાં આવેલ કાયદાઓનો ચુસ્તપણે અમલ થવો જોઈએ.   પૃથ્વીની સુરક્ષાની જવાબદારી આપણા સૌની છે. ધરતીના ફળદ્રુપ ઉપલા પડને સાચવવાથી માંડીને તે ક્ષારમુક્ત અને પ્રદૂષણમુક્ત રહે તે જોવાની આપણી સૌની ફરજ છે. ધરતીમાતા પ્રત્યેનું ઋણ અદા કરવા માટે વર્ષમાં આવતો આ એક દિવસ પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન માટેનો દિવસ ગણાવો જોઈએ. વિશ્વ પૃથ્વી દિન અંગે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં વધુને વધુ લોકો સહભાગી બને તો આપણાં જંગલો વૃક્ષોથી સદા હરિયાળા રહેશે.

22nd April

Read more
વિશ્વ પૃથ્વી દિન
22nd April
વિશ્વ પૃથ્વી દિન 22 એપ્રિલે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો હેતુ લોકોને પૃથ્વી સંબંધિત પર્યાવરણના પડકારો જેમ કે, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ પ્રદૂષણ અને જૈવ વિવિધતા સંરક્ષણ બાબતે જાગૃત કરવાનો છે. પૃથ્વીને બચાવવા થઈ રહેલા પ્રયત્નોને વેગ મળે એવો એક ઉદ્દેશ પણ આ દિવસની ઉજવણી પાછળ રહેલો છે. ભારતમાં સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ એજ્યુકેશન (CEE) ની સ્થાપના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા સપોર્ટેડ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે કરવામાં આવી હતી. આ સંસ્થા પર્યાવરણ અને ટકાઉ વિકાસ વિશે જાગૃતિ વધારવા માટે કાર્યક્રમો અને સામગ્રી વિકસાવવા તરફ કામ કરે...
Read more
વિશ્વ પુસ્તક દિન
વિશ્વ પુસ્તક દિન

23 એપ્રિલ નો દિન દુનિયાના 100 કરતાં પણ વધુ દેશોમાં 'વિશ્વ પુસ્તક દિન' તરીકે ઊજવાય છે. મહાન નાટ્યકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેક્સપિયર અને લેખક ઈન્કા ગાીલસો-ડે-લા-વેગા જેવા વિશ્વવિખ્યાત લેખકોનું અવસાન 23 એપ્રિલ ના દિવસે જ થયું હોવાથી 1995 માં યુનેસ્કોએ 23 એપ્રિલ ને વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિન તરીકે ઊજવવાનું જાહેર કર્યું હતું. શેક્સપિયરના યોગદાનને જોતાં ભારત સરકારે પણ 2001 માં આ દિવસને વિશ્વ પુસ્તક દિન તરીકેની માન્યતા આપી હતી. આ દિવસ ઊજવવાનો હેતુ માનવજાતના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં પુસ્તકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ લાવવાનો અને લોકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવાનો છે.   23 એપ્રિલ ના રોજ સમગ્ર વિશ્વમાં લેખકો, પ્રકાશકો, વિવિધ સંસ્થાઓ, શાળાઓ તથા કૉલેજો ઉત્સાહથી વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કરે છે. પુસ્તકો આપણા સાચા મિત્રો છે. મિત્રોની જેમ પુસ્તકો માનવીના જીવનઘડતરમાં નિર્ણાયક અને અસરકારક ભૂમિકા ભજવે છે. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર મણિલાલ દ્વિવેદીએ પુસ્તક વાચન વિશે કહ્યું છે કે, "આપણું વાંચન એ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે."   આજના ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્ત્વ ઓછું થયું નથી. સમયની સાથે સાથે પુસ્તકો પણ ડિજિટલ થઈ ગયા છે. જેને e-book કહેવામાં આવે છે. જે મોબાઇલ, ટેબલેટ કે લેપટોપમાં વાંચી શકાય છે તેમજ સાંભળી પણ શકાય છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો કરે પુસ્તકોની છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.   વર્તમાન યુગમાં જ્ઞાનના ફેલાવા માટે સારાં પુસ્તકો પણ શક્તિશાળી માધ્યમ બની શકે તેમ છે. ઉદાહરણ તરીકે મહાન સમાજસુધારક અને ભારતમાં કન્યા કેળવણીના પ્રણેતા જ્યોતિબા ફૂલેએ થોમસ પેઈનનું પુસ્તક રાઈટ્સ ઓફ મેન વાંચ્યું જેનાથી પ્રભાવિત થઈને તેમનામાં સામાજિક ન્યાયની ભાવના વિકસિત થઈ હતી. આ પ્રમાણે અનેક મહાનુભાવોના જીવનમાં બનેલું છે. પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાં પણ અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે, જ્યારે પુસ્તક અંત:કરણને ઉજજ્વળ કરે છે.   ડિજિટલ યુગમાં પુસ્તકોને ઓળખવા માટે 10 અંકનો નંબર આપવામાં આવે છે. જે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર (ISBN) વ્યાવસાયિક ઐક્ય કમાંક (માનાંક) છે. આ માનાંકને આધારે પ્રત્યેક નવીન પુસ્તકને તેના મુદ્રણની સાથે સાથે જ ઓળખકમાંક પ્રદાન કરવામાં આવે છે. જેમાં 0 થી 9 સુધીના અંકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.

23rd April

Read more
વિશ્વ પુસ્તક દિન
23rd April
23 એપ્રિલ નો દિન દુનિયાના 100 કરતાં પણ વધુ દેશોમાં 'વિશ્વ પુસ્તક દિન' તરીકે ઊજવાય છે. મહાન નાટ્યકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેક્સપિયર અને લેખક ઈન્કા ગાીલસો-ડે-લા-વેગા જેવા વિશ્વવિખ્યાત લેખકોનું અવસાન 23 એપ્રિલ ના દિવસે જ થયું હોવાથી 1995 માં યુનેસ્કોએ 23 એપ્રિલ ને વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિન તરીકે ઊજવવાનું જાહેર કર્યું હતું. શેક્સપિયરના યોગદાનને જોતાં ભારત સરકારે પણ 2001 માં આ દિવસને વિશ્વ પુસ્તક દિન...
Read more
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન

ભારત દેશમાં દર વર્ષે 24 એપ્રિલ ને 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન' તરીકે ઊજવવામાં આવે છે. 24 એપ્રિલ, 2010 ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન ની ઉજવણીની ઘોષણા કરી હતી. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી. કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય અને આવા હેતુ માટે 'ગ્રામસ્વરાજ' એવો શબ્દ પ્રયોજાયો હતો.   જાન્યુઆરી, 1957 માં ભારત સરકારે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાનાં કાર્યોની તપાસ કરવા અને તેમના વધુ સારાં કાર્ય માટેના પગલા સૂચવવા માટે બળવંતરાય મહેતા સમિતિની રચના કરી હતી. આ સમિતિએ નવેમ્બર, 1957 માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં 'લોકશાહી વિકેન્દ્રીકરણ' યોજના સ્થાપવાની ભલામણ કરી હતી, જેને બાદમાં પંચાયતી રાજ તરીકે ઓળખવામાં આવી. આ સમિતિની ભલામણોને જાન્યુઆરી, 1958 માં રાષ્ટ્રીય વિકાસ પરિષદે સ્વીકારી હતી.   ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર, 1959 થી થઈ હતી. રાજસ્થાન એ દેશનું પહેલું રાજ્ય હતું જ્યાં પંચાયતી રાજનો અમલ કરવામાં આવ્યો હતો. જયારે ગુજરાતમાં 1 એપ્રિલ, 1963 થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો.   પંચાયતી સંસ્થાઓને વધારે કાર્યક્ષમ બનાવવા અને એમને બંધારણીય માન્યતા આપવા 1992 બંધારણમાં 73મો સુધારો કરવામાં આવ્યો હતો.   24મી એપ્રિલ, 1993 થી બંધારણનો આ સુધારો અમલમાં આવતાં પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો મળતો થયો. આ ઘટના ગામડાંઓ સુધી રાજકીય સત્તાના વિકેન્દ્રીકરણની એક ઐતિહાસિક ક્ષણ છે. ભારતનું બંધારણ પંચાયતોને 'સ્વરાજ્યની સંસ્થા' તરીકે માન્યતા આપે છે.   ભારત દેશમાં પંચાયતી રાજનું ત્રણ સ્તરનું માળખું સ્વીકારવામાં આવ્યું છે. 1. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત 2. તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત 3. જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત

24th April

Read more
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
24th April
ભારત દેશમાં દર વર્ષે 24 એપ્રિલ ને 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન' તરીકે ઊજવવામાં આવે છે. 24 એપ્રિલ, 2010 ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન ની ઉજવણીની ઘોષણા કરી હતી. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી. કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય અને આવા હેતુ માટે 'ગ્રામસ્વરાજ' એવો શબ્દ પ્રયોજાયો હતો.   જાન્યુઆરી, 1957 માં ભારત સરકારે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવાનાં કાર્યોની તપાસ કરવા અને તેમના વધુ સારાં...
Read more
શ્રીનિવાસ રામાનુજન પુણ્યતિથિ
શ્રીનિવાસ રામાનુજન પુણ્યતિથિ

શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગણિત દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈ માં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજન ની 125મી જયંતીના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતાં વર્ષ 2012 ને 'રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજનના જન્મદિવસને 'રાષ્ટ્રીય ગણિત દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતના આ મહાન ગણિતશાસ્ત્રીને સન્માન આપવા 'રાષ્ટ્રીય ગણિત દિન' ઉજવવામાં આવે છે.   શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ચેન્નઈથી 400 કિમી દૂર ઈરોડમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા શ્રીનિવાસ આયંગર અને માતા કોમલ તમ્મલ. તેમને બાળપણથી ગણિતનો શોખ હતો. માત્ર 12 વર્ષની ઉંમરે તેઓ ત્રિકોણમિતિમાં નિપુણ બન્યા. 1904 માં ગણિતમાં વિશેષ યોગદાન બદલ તેમને 'રંગનાથ રાવ' પુરસ્કાર મળ્યો.   તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તે મિત્રો પાસેથી પુસ્તકો ઉછીનાં લઈને વાંચતા હતા. પોતાની નાણાકીય જરૂરિયાતો માટે મદ્રાસ ટ્રસ્ટ પોર્ટ ની ઓફિસમાં તેમણે ક્લાર્ક તરીકે કામ કર્યું. નોકરી દરમિયાન તેઓ ફુરસદના સમયમાં ગણિતના પ્રશ્નો ઉકેલતા હતા. ટૂંકા જીવનકાળ દરમિયાન તેમણે આશરે 3900 જેટલા ગાણિતિક કોયડાના ઉકેલો શોધ્યા હતા. રામાનુજનની વૈશ્વિક પ્રતિભાની ઓળખ કરાવવામાં અંગ્રેજ પ્રો. હાર્ડી નો મોટો ફાળો હતો. રામાનુજનથી પ્રભાવિત થઈને બ્રિટનની રોયલ સોસાયટી એ તેમને વર્ષ 1918 માં ફેલોશિપ આપી. રામાનુજન આ સન્માન મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા. નંબર થિયરી પરના તેમના અદ્દભુત કાર્યને કારણે, તેમને 'સંખ્યાના જાદુગર' કહેવામાં આવે છે. રામાનુજન હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે પ્રો. હાર્ડી તેમને મળવા ગયા. વાતવાતમાં તેમણે કહ્યું, 'હું જે વાહનમાં આવ્યો તેનો નંબર 1729 હતો. બીમારીની કહ્યું, 'અરે! બહુ સરસ નંબર છે. એક માત્ર આંકડો જે બે રીતે બે અલગ અલગ સંખ્યાના ઘનનો સરવાળો છે.   (10×10×10) + (9×9×9)=1729 અને (12×12×12) (1×1×1)=1729 ત્યારથી આ નંબર ગણિતમાં રસ ધરાવનારા માટે અગત્યનો બની ગયો.   રામાનુજનના સંશોધનો મુખ્યત્વે સંખ્યા ગણિત, અપૂર્ણાંકો, પ્રમેયો, વિધેયો વગેરે ક્ષેત્રોમાં હતાં. જ્યારે કમ્પ્યૂટરની શોધ થઈ ત્યારે લાખો દશાંશ સ્થાન સુધીની ગણતરી માટે રામાનુજનનાં જ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રામાનુજને કોઈ મદદ વિના હજારો ગાણિતિક પરિણામોનાં સૂત્રોને સમીકરણોનાં સ્વરૂપે સંકલિત કર્યા. જેમાં ઘણાં મૌલિક હતાં, જેમ કે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થીટા ફંક્શન, વિભાજન સૂત્ર અને મોક થીટા ફંક્શન વગેરે. તેઓએ ડાઈવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ Riemann series, the elliptic integrals, hyper geometric series and Jeta Functionના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. મૃત્યુ પહેલાં પણ માંદગી હોવા છતાં તેઓ ગણિતમાં જ ખૂંપેલા રહ્યા. તે સમયે તેમણે q-series પર કામ કર્યું પણ તેની બહુ મોડેથી ખબર પડી. તેમની એ નોટબુક અચાનક જ મળી અને એનું સંકલન અલગ Lost Notebook ને નામે કરવામાં આવ્યું છે. તેમણે રજૂ કરેલ રહસ્યમય ડેથબેડ થિયરી તેમનાં મૃત્યુનાં 100 વર્ષ બાદ સાચી પડી છે. જેનો ઉપયોગ બ્લેક હોલની થિયરી સમજવા માટે કરવામાં આવ્યો છે. 26 એપ્રિલ, 1920 ના રોજ માત્ર 33 વર્ષ ની વયે કુમ્બનમ ખાતે તેમનું અવસાન થયું હતું.   આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતાના વિકાસ માટે ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની યુવા પેઢીને ગણિત શીખવા માટે પ્રોત્સાહિત કરવા, ઉત્સાહિત કરવા અને તેમનામાં સકારાત્મક વલણ કેળવવા માટે પહેલ કરવામાં આવે છે. આ દિવસે શિબિરો દ્વારા ગણિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવે છે. ગણિત અને સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન માટે શિક્ષણ-પ્રશિક્ષણ સામગ્રી (TLM) ના વિકાસ, ઉત્પાદન અને પ્રસારને પ્રકાશિત કરવામાં આવે છે.

26th April

Read more
શ્રીનિવાસ રામાનુજન પુણ્યતિથિ
26th April
શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગણિત દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈ માં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજન ની 125મી જયંતીના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતાં વર્ષ 2012 ને 'રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજનના જન્મદિવસને 'રાષ્ટ્રીય ગણિત દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતના આ...
Read more
આંતરરાષ્ટ્રીય મજૂર દિન
આંતરરાષ્ટ્રીય મજૂર દિન

સમગ્ર વિશ્વમાં 1 મે નો દિવસ 'આંતરરાષ્ટ્રીય મજૂર દિન' કે 'આંતરરાષ્ટ્રીય કામદાર દિન' તરીકે ઊજવવામાં આવે છે. જગતનાં મજૂર સંગઠનોએ કામકાજનો દિવસ 8 કલાક નો જ હોવો જોઈએ તે માટે મોટી લડત આપવી પડી હતી. જોકે, આ ઉદ્દેશ સફળ બનાવવા માટે મજૂર સંગઠનોએ ભારે સંઘર્ષ કરવો પડયો હતો અને તેથી જ વિશ્વમાં આ દિવસને 'આંતરરાષ્ટ્રીય મજૂર (કામદાર) દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને કામદારો આઠ કલાકના કામકાજ દિન તરીકે તો મનાવે છે જ, પરંતુ તેની સાથે-સાથે તેઓ આ દિવસે મૂડીવાદી પદ્ધતિઓ અને નીતિરીતિઓને પણ પડકારે છે. યુ. એસ. અને યુ. કે. સહિત દુનિયાના અનેક દેશોમાં કામદારો માટે કામકાજના 10 કલાક હતા. તેમનું શારીરિક અને માનસિક રીતે શોષણ થતું હતું. આ બાબતને લઈને 21 એપ્રિલ, 1956 ના રોજ ઓસ્ટ્રેલિયામાં એક હડતાળ પાડવામાં આવી, જેમાં કામના કલાક માત્ર આઠ જ હોવા જોઈએ તેવા અધિકારની માંગણી કરવામાં આવી હતી. શરૂઆતમાં તો આ હડતાળને માત્ર એક સાધારણ હડતાળ તરીકે જ ગણવામાં આવી હતી, પરંતુ 1956 ની આ હડતાળને મળેલી અભૂતપૂર્વ સફળતાથી પ્રેરાઈને કામદારોએ નક્કી કર્યું હતું કે, દર વર્ષે એક દિવસ કામકાજ બંધ રાખવાથી મજૂર સંગઠનના ઉદ્દેશોને બળ મળશે. યુ. એસ.ના નેશનલ યુનિયન ઓફ લેબર જેવાં સંગઠનોએ ઓસ્ટ્રેલિયા પાસેથી પ્રેરણા મેળવીને 1 મે, 1966 ના દિવસે રાષ્ટ્રીય હડતાળ પાડવાનું અને દેખાવો યોજવાનું નક્કી કર્યું. આ બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર શિકાગો માં હતું. 1 મે, 1966 ની હડતાળને બહોળો પ્રતિસાદ મળતાં તે સંપૂર્ણ સફળ બની હતી. ત્યાર બાદ શિકાગોના હે માર્કેટ સ્કવેરમાં બનેલા બનાવને લઈને મજૂર સંગઠનની પ્રવૃત્તિઓને વધારે વેગ મળ્યો હતો. અમેરિકામાં 'વિશ્વ મજૂર દિન' (વર્લ્ડ લેબર ડે) ઊજવવાનો પ્રસ્તાવ 1 મે, 1889 ના રોજ અમલમાં આવ્યો હતો. જ્યારે ભારતમાં મજૂર દિવસની ઉજવણી ત્યાર પછીના 34 વર્ષ બાદ શરૂ કરવામાં આવી હતી. ભારતમાં પણ મજૂરો અત્યાચાર અને શોષણ સામે અવાજ ઉઠાવતા હતા. ડાબેરીઓ મજૂર સંગઠનોની આગેવાની કરી રહ્યા હતા. તેમની ચળવળને ધ્યાનમાં રાખીને 1 મે, 1923 ના રોજ ચેન્નાઈમાં સૌ પ્રથમવાર મજૂર દિનની ઉજવણી કરવામાં આવી હતી. લેબર કિસાન પાર્ટી ઑફ હિંદુસ્તાન આ દિવસની ઉજવણીમાં અગ્રસ્થાને હતી. ઘણી સંસ્થાઓ અને સામાજિક રાજકીય પક્ષોએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો. 'આંતરરાષ્ટ્રીય મજૂર દિન' દર વર્ષે અલગ અલગ થીમ પર ઊજવવામાં આવે છે. વર્ષ 2023 માં મજૂર દિન ઊજવવાની થીમ 'સકારાત્મક સુરક્ષા અને હેલ્થ કલ્ચરના નિર્માણ માટે સાથે મળીને કામ કરવું' રાખવામાં આવી હતી. ગુજરાત રાજ્ય જુદાં જુદાં ઔદ્યોગિક ગૃહોના માલિકો, મજૂરો તેમજ સમાજને એકસરખી રીતે નુકસાનકારક એવી મોટી મોટી કામદાર ચળવળોથી મહદંશે મુક્ત રહ્યું હતું. દેશના અન્ય ભાગોની પરિસ્થિતિની સરખામણીમાં ગુજરાતના મજૂરોના પ્રશ્નો અંગે ગાંધીવાદી અભિગમની થયેલી અસરોને કારણે ગુજરાતમાં ઔદ્યોગિક શાંતિ જાળવાઈ રહી હતી. આ માટે બોમ્બે ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ એક્ટ, 1946 અને ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્લેટ્સ, 1947 હેઠળ રચવામાં આવેલા તંત્રથી પણ ઘણી સહાય મળી છે. ગુજરાતમાં મજૂરોના કલ્યાણ અર્થે ટ્રેડ યુનિયન્સ ઍક્ટ, લઘુતમ વેતન, લઘુતમ બોનસ, કામદાર કલ્યાણ બોર્ડ, કામદાર શિક્ષણ, ગૃહનિર્માણ વગેરે જેવા કાયદાઓ અને નિયમો અમલમાં છે. ઉપરોક્ત વિવિધ યોજનાઓની નીતિ ચાલુ રાખતાં, ઉદ્યોગો અને કામદાર મંડળો વચ્ચે સંબંધો સ્નેહભર્યા બન્યા. જેના પરિણામે કામદારોની નોકરી અને જીવનધોરણમાં સુધારો થયો, એટલું જ નહીં, પણ ઉદ્યોગોની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો. જેમણે આજીવન કામદાર કલ્યાણ પ્રવૃત્તિના પોતાના સેવાયજ્ઞ દ્વારા સદાય ચેતનવંતુ વાતાવરણ ઊભું કર્યું હતું, તેવા કામદારોના લોકપ્રિય અને મક્કમ મનોબળ ધરાવનાર નેતા એવા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને આજના દિને યાદ કરવામાં આવે છે. મજૂરોની કલ્યાણકારી પ્રવૃત્તિના મહાયજ્ઞમાં આપણો યત્કિંચિત્ ફાળો આપી કામદાર કલ્યાણના મહાયજ્ઞની ક્ષિતિજોનું વિસ્તરણ કરતાં રહીએ.

01st May

Read more
આંતરરાષ્ટ્રીય મજૂર દિન
01st May
સમગ્ર વિશ્વમાં 1 મે નો દિવસ 'આંતરરાષ્ટ્રીય મજૂર દિન' કે 'આંતરરાષ્ટ્રીય કામદાર દિન' તરીકે ઊજવવામાં આવે છે. જગતનાં મજૂર સંગઠનોએ કામકાજનો દિવસ 8 કલાક નો જ હોવો જોઈએ તે માટે મોટી લડત આપવી પડી હતી. જોકે, આ ઉદ્દેશ સફળ બનાવવા માટે મજૂર સંગઠનોએ ભારે સંઘર્ષ કરવો પડયો હતો અને તેથી જ વિશ્વમાં આ દિવસને 'આંતરરાષ્ટ્રીય મજૂર (કામદાર) દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને કામદારો આઠ કલાકના કામકાજ દિન તરીકે તો મનાવે છે જ, પરંતુ તેની સાથે-સાથે તેઓ આ દિવસે મૂડીવાદી પદ્ધતિઓ અને નીતિરીતિઓને પણ પડકારે છે.
યુ....
Read more
ગુજરાત રાજ્ય સ્થાપના દિન
ગુજરાત રાજ્ય સ્થાપના દિન

"જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત...." તેમજ "મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત..... ગુજરાત મોરી મોરી રે.." જેવી અનેક કાવ્યપંક્તિ ગાતાં આપણા હૃદયમાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ છલકાય છે. "ગુજરાત" શબ્દ સાંભળતાં જ આપણા મન-મસ્તિષ્કમાં એક અનોખો ગર્વ થાય છે. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1960 હેઠળ બૃહદ્ મુંબઈ રાજ્યનું વિભાજન થતાં 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાચીન સમયમાં ગુજરાત રાજ્યનો વિસ્તાર 'આનર્ત પ્રદેશ', 'લાટ પ્રદેશ' વગેરે જેવાં નામે ઓળખાતો હતો. ધીમે ધીમે અહીં 'ગૂર્જર' લોકો રહેવા આવ્યા એટલે 'ગૂર્જર પ્રદેશ' કહેવાયો. ગૂર્જર પ્રદેશમાંથી 'ગુજ દેશ' અને તેમાંથી 'ગુજરાત' નામ ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. 'ગુજરાત' શબ્દનો પ્રથમ ઉલ્લેખ 1233 માં લખાયેલા 'આબુરાસ' નામના પુસ્તકમાં જોવા મળે છે. દેશની આઝાદી પછી વિવિધ રજવાડાંઓના એકત્રીકરણ થકી ઊભા થયેલા એકમોનું શરૂઆતમાં ચાર વર્ગોમાં અ, બ, ક અને ડ એમ વિભાજન કરવામાં આવેલ, આ એક કામચલાઉ વ્યવસ્થા હતી. ત્યાર બાદ ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ ઊભી થઈ હતી. ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા 'ઈન્દુચાચા'ના હુલામણા નામે ઓળખાતા ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલીન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવા માટે સપ્ટેમ્બર, 1956 માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરી. આ પરિષદના નેજા હેઠળ શરૂ થયેલી મહાગુજરાત ચળવળને 1 મે, 1960 ના રોજ સફળતા મળી. જેના ફળસ્વરૂપે 1960 માં કેન્દ્ર સરકારે 'રાજ્ય પુનઃરચના કાયદો-1956'ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની રચના કરી. કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો. મહાગુજરાત આંદોલનના નેતાઓમાં ઈન્દુચાચા ઉપરાંત ભાઈલાલભાઈ (ભાઈકાકા), બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે. મહાગુજરાત આંદોલનના પરિણામે મરાઠી ભાષા ધરાવતા વિસ્તારમાં 'મહારાષ્ટ્ર રાજ્ય' અને ગુજરાતી ભાષા ધરાવતા વિસ્તારમાં 'ગુજરાત રાજ્ય'ની રચના કરવામાં આવી. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો પણ સમાવેશ કરવામાં આવ્યો. 1 મે, 1960 ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ગુજરાતમાં રચાયેલી નવી સરકારના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડૉ. જીવરાજ મહેતા અને પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગ ની નિમણૂક કરવામાં આવી હતી. શરૂઆતમાં ગુજરાતની રાજધાની અમદાવાદ રાખવામાં આવી હતી, ત્યાર બાદ 1965 માં ગાંધીનગરનું નિર્માણ કરીને તેને ગુજરાત રાજ્યનું પાટનગર બનાવવામાં આવ્યું. 'જય જય ગરવી ગુજરાત'

01st May

Read more
ગુજરાત રાજ્ય સ્થાપના દિન
01st May
"જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત...." તેમજ "મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત..... ગુજરાત મોરી મોરી રે.." જેવી અનેક કાવ્યપંક્તિ ગાતાં આપણા હૃદયમાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ છલકાય છે. "ગુજરાત" શબ્દ સાંભળતાં જ આપણા મન-મસ્તિષ્કમાં એક અનોખો ગર્વ થાય છે. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1960 હેઠળ બૃહદ્ મુંબઈ રાજ્યનું વિભાજન થતાં 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.
પ્રાચીન સમયમાં ગુજરાત રાજ્યનો વિસ્તાર 'આનર્ત પ્રદેશ', 'લાટ પ્રદેશ' વગેરે જેવાં નામે ઓળખાતો હતો. ધીમે ધીમે અહીં 'ગૂર્જર' લોકો રહેવા આવ્યા એટલે...
Read more
શાંતા ગાંધી પુણ્યતિથિ
શાંતા ગાંધી પુણ્યતિથિ

ગુજરાતી રંગભૂમિના ઉચ્ચ દરજ્જાના કલાકાર શાંતા ગાંધીનો જન્મ ૨૦ ડિસેમ્બર, ૧૯૧૭ ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં થયો હતો. તેઓ મુંબઈ અને પુનામાં ભણ્યા હતા. અહી તેઓ ઇન્દિરા ગાંધીના સહાધ્યાયી અને મિત્ર પણ બન્યા હતા. વિધાર્થીવસ્થામાં સામ્યવાદી વિચારધારાનો રંગ પણ લાગેલો. એન્જીનીયર પિતાની ઇચ્છા મુજબ મેડીસીનનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા, પણ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરુ થતા તેમનો મેડીકલનો અભ્યાસ અધુરો રહ્યો હતો. શાંતા ગાંધીનો જીવ નાટકનો હતો. યુવાવસ્થામાં સંસ્કૃત નાટકો પ્રત્યેના લગાવને લઇ ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી લઇ કાલિદાસ, ભાસ, ભવભૂતિ જેવા અનેક પ્રાચીન નાટ્યકારોને આત્મસાત કર્યા, તેમના વિષે ભણ્યા અને ભણાવ્યું. નાટકોમાં તેમને લોકનાટ્યનું ભવાઇ સ્વરૂપ વિશેષ પસંદ હતું. તેમના રઝીયા સુલતાન અને જસમા ઓડણ નાટકો વિશેષ પસિદ્ધિ પામ્યા હતા. તેમાંય જસમા ઓડણ નાટક તો સમકાલીન નાટકોમાં સીમાચિન્હરૂપ લેખાયું હતું. નાટકો સિવાય તેમણે એક ટૂંકો વાર્તા સંગ્રહ 'ઉગતા છોડ' અને ગુજરાતીમાં 'અવિનાશ' નામની નવલકથા લખી હતી. તેમના 'ગુજરાતણના પગલે પગલે' માં પ્રાચીન અને આધુનિક મહિલાઓના સ્કેચ શામેલ છે. શાંતા ગાંધી ઇન્ડિયન પીપલ્સ થીયેટર એસોસિએશન [IPTA]ના સ્થાપક સભ્ય પણ હતા. તેમણે ૧૯૮૧માં "અવેહી" નામની સંસ્થા પણ ઉભી કરી હતી. શાંતા ગાંધી સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ૧૯૮૪માં પદ્મશ્રીથી વિભૂષિત થયા હતા. બાલ ભવન અને રાષ્ટ્રીય ચિલ્ડ્રન મ્યુઝીયમના નિયામક તરીકે પણ તેઓએ સેવા આપી હતી. ૬ મે,૨૦૦૨ ના રોજ મુંબઈમાં ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

06th May

Read more
શાંતા ગાંધી પુણ્યતિથિ
06th May

ગુજરાતી રંગભૂમિના ઉચ્ચ દરજ્જાના કલાકાર શાંતા ગાંધીનો જન્મ ૨૦ ડિસેમ્બર, ૧૯૧૭ ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં થયો હતો. તેઓ મુંબઈ અને પુનામાં ભણ્યા હતા. અહી તેઓ ઇન્દિરા ગાંધીના સહાધ્યાયી અને મિત્ર પણ બન્યા હતા. વિધાર્થીવસ્થામાં સામ્યવાદી વિચારધારાનો રંગ પણ લાગેલો. એન્જીનીયર પિતાની ઇચ્છા મુજબ મેડીસીનનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા, પણ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરુ થતા તેમનો મેડીકલનો અભ્યાસ અધુરો રહ્યો હતો. શાંતા ગાંધીનો જીવ નાટકનો હતો. યુવાવસ્થામાં સંસ્કૃત નાટકો પ્રત્યેના લગાવને લઇ ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી લઇ કાલિદાસ, ભાસ, ભવભૂતિ જેવા અનેક પ્રાચીન નાટ્યકારોને આત્મસાત કર્યા, તેમના વિષે ભણ્યા અને ભણાવ્યું.

નાટકોમાં...

Read more
વિશ્વ રેડ ક્રોસ દિન
વિશ્વ રેડ ક્રોસ દિન

માનવ માનવ વચ્ચેના સંબંધોમાં માનવતા લાવવી, ઉપરાંત જાતિ, ધર્મ, રંગ કે રાષ્ટ્રીય વિચારસરણીથી ઉપર ઊઠીને આપત્તિઓમાં પ્રતિક્રિયાઓ આપવી અને તાત્કાલિક મદદ કરવી, માનવમૂલ્યોના સિદ્ધાંતોને સમર્થન આપી આરોગ્ય સેવા માટે હંમેશાં તૈયાર રહેવાનાં કાર્યોને વધુ વેગ આપવા અને જનજાગૃતિ અર્થે દર વર્ષે 8 મે ના રોજ 'વિશ્વ રેડ ક્રોસ દિન' ઊજવવામાં આવે છે. જે 'રેડ ક્રેસન્ટ' તરીકે પણ ઓળખાય છે. 8 મે, 1864 ના રોજ હેનરી યુનેટ દ્વારા સ્વિટ્ઝરલેન્ડના જિનીવા શહેરમાં આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ મહાન માનવતાવાદી વ્યક્તિનો જન્મ પણ 8 મેના રોજ થયો હતો. તેથી તેમને સ્મરણાંજલિ આપવા 8 મે ના રોજ સમગ્ર વિશ્વમાં 'રેડ ક્રોસ ડે' ઊજવવામાં આવે છે. તેઓ રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિના સ્થાપક તેમજ પ્રથમ નૉબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર મહાનુભાવ હતા. શાંતિને વરેલી 'આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સંસ્થા' એ યુદ્ધના ઘર્ષણભર્યા સમયમાં જન્મ લીધો હતો. યુદ્ધ સમયે ખુવાર થઈ ગયેલા અને જાનમાલના નુકસાનનો ભોગ બનેલા લોકોને માનવતાવાદી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ દ્વારા મદદ કરવાનો ખ્યાલ ઉદ્દભવ્યો અને સમય જતાં રેડ ક્રોસ સંસ્થાનો ઉદય થયો. આ દિવસે સ્વયંસેવક જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે હંમેશાંની માફક તૈયાર રહે છે, તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે તેમને સન્માનિત કરવામાં આવે છે. પ્રથમ વિશ્વ રેડ ક્રોસ દિન 8 મે, 1948 ના રોજ ઊજવવામાં આવ્યો હતો. બ્રિટન, ફ્રાંસ, ઈટાલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ આ પાંચ સંસ્થાપક દેશ દ્વારા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રૉસની સ્થાપના કરવામાં આવી. અત્યારે આશરે 190 દેશો રેડ ક્રોસ સોસાયટી સાથે જોડાયેલા છે. રેડ ક્રોસ સોસાયટીનું મુખ્ય મથક જિનીવા - સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ભારતમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના 1920 માં કરવામાં આવી હતી. હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ રેડક્રોસ સોસાયટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય છે. ગુજરાતમાં 26 ફેબ્રુઆરી, 1961 માં રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના થઈ હતી અને 7 એપ્રિલ, 1961 ના રોજ તેને માન્યતા પ્રાપ્ત થઈ હતી. રાજ્યસ્તરે રાજ્યપાલ આ સંસ્થાના અધ્યક્ષપદે હોય છે. કુદરતી કે માનવસર્જિત આફતો સમયે લોકોને તાત્કાલિક સારવારમાં મદદ તથા સહાનુભૂતિ સાથે સહાયતા કરવી તેવો ઉદ્દેશ રેડ ક્રોસ સંસ્થાનો છે. આકસ્મિક સમયમાં લોહીની જરૂરિયાત પૂરી પાડવામાં રેડ ક્રોસ સંસ્થા અગ્રેસર છે. રેડ ક્રોસ સંસ્થાના મુખ્ય 7 સિદ્ધાંતો છે. જેમાં... 1. માનવતા, 2. નિષ્પક્ષતા, 3. તટસ્થતા, 4. સ્વતંત્રતા, 5. સ્વૈચ્છિક સેવા, 6. એકતા અને 7. વૈશ્વિકતાનો સમાવેશ થાય છે.   આપણે પણ વિશ્વ રેડ ક્રોસ દિન નિમિત્તે સમાજ અને માનવતાના ભલા માટે કામ કરવાનો સંકલ્પ કરીએ.

08th May

Read more
વિશ્વ રેડ ક્રોસ દિન
08th May
માનવ માનવ વચ્ચેના સંબંધોમાં માનવતા લાવવી, ઉપરાંત જાતિ, ધર્મ, રંગ કે રાષ્ટ્રીય વિચારસરણીથી ઉપર ઊઠીને આપત્તિઓમાં પ્રતિક્રિયાઓ આપવી અને તાત્કાલિક મદદ કરવી, માનવમૂલ્યોના સિદ્ધાંતોને સમર્થન આપી આરોગ્ય સેવા માટે હંમેશાં તૈયાર રહેવાનાં કાર્યોને વધુ વેગ આપવા અને જનજાગૃતિ અર્થે દર વર્ષે 8 મે ના રોજ 'વિશ્વ રેડ ક્રોસ દિન' ઊજવવામાં આવે છે. જે 'રેડ ક્રેસન્ટ' તરીકે પણ ઓળખાય છે.
8 મે, 1864 ના રોજ હેનરી યુનેટ દ્વારા સ્વિટ્ઝરલેન્ડના જિનીવા શહેરમાં આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ મહાન માનવતાવાદી વ્યક્તિનો જન્મ પણ...
Read more
રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટૅક્નોલોજી) દિન
રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટૅક્નોલોજી) દિન

દર વર્ષે 11 મે ના રોજ, ભારત દેશના વિકાસમાં વૈજ્ઞાનિકો, ઈજનેરો અને ટૅક્નોલોજીસ્ટસની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવવા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે 'રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટેક્નોલોજી) દિન' ઊજવવામાં આવે છે. 1998 માં આજના દિવસે આપણા દેશ દ્વારા પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ પ્રસંગની યાદમાં આપણા દેશમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિન ઊજવવામાં આવે છે. આઝાદી પછી, ભારતે જે ક્ષેત્રોમાં વિકાસ અને અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેમાંનું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેક્નોલોજી. આ ક્ષેત્રની પ્રગતિ સાથે આવનારા ભવિષ્યમાં સંભવિત મહાસત્તા છે તેવા દેશોની યાદીમાં ભારતનું સ્થાન અગ્રહરોળમાં છે.   રાષ્ટ્રીય ટૅક્નોલોજી દિવસ એ સંરક્ષણ, ટેક્નોલોજી, કૃષિ, આરોગ્યસંભાળ, સંદેશાવ્યવહાર અને અવકાશ સંશોધન જેવાં વિવિધ ક્ષેત્રોમાં ભારતીય વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેક્નોલોજીસ્ટસની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને યાદ કરી અને તેની પ્રશંસા કરવા તેમજ દેશની પ્રગતિમાં તેઓના મૂલ્યવાન યોગદાનને સ્વીકારવાનો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિન યુવા પેઢીને STEAM (Science, Technology, Engineering, Art and Mathematics) ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટેનો પ્રેરણાસ્રોત બને છે. આ દિનની ઉજવણીથી રાષ્ટ્રમાં સંશોધન અને નવીનતમ ટેક્નોલોજીને પ્રોત્સાહન મળે છે. પોખરણ પરમાણુ પરીક્ષણ રાજસ્થાનના પોખરણમાં 11 મે, 1998 ના રોજ કરવામાં આવેલા સફળ પરમાણુ પરીક્ષણ દ્વારા ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને સ્વતંત્ર પરમાણુશક્તિ બનાવવાનું સ્વપ્ન સિદ્ધ કર્યું હતું. આ પરીક્ષણ 'પોખરણ-2' તરીકે ઓળખાય છે. આ પરીક્ષણ માટે વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઈજનેરોની એક સમર્પિત ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમણે રાતદિવસ જોયા વિના કાર્ય કર્યું હતું. આ મિશન ખૂબ જ ગુપ્ત હતું. કારણ કે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટીકા-ટિપ્પણનો ભોગ બનવા માંગતું ન હતું.    પોખરણમાં, આ પરમાણુ પરીક્ષણો ભારતીય સેનાની પોખરણ ટેસ્ટ રેન્જમાં હાથ ધરવામાં આવ્યાં હતાં. સફળ પરીક્ષણ કરવા માટે શ્રેણીબદ્ધ પાંચ પરમાણુ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. જેમાં, ભારતના 'મિસાઈલ મેન' તરીકે સુપ્રસિદ્ધ અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ બનેલા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ મુખ્ય માર્ગદર્શક રહ્યા હતા. આ સફળ પરીક્ષણ પૂર્ણ કર્યા પછી, ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને પરમાણુ રાષ્ટ્ર જાહેર કર્યું હતું. વૈશ્વિક સ્તરે 'પરમાણુ કલબ'ના પાંચ સભ્ય રાષ્ટ્રો આ પરીક્ષણનો વિરોધ કરતા હોવાથી આ મિશન એક ખાસ કોડ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ મિશનનો કોડ 'ઑપરેશન શક્તિ' હતો. આ ગુપ્ત મિશનની સફળતાને ભારતની વૈજ્ઞાનિક સફળતાની સફરમાં એક મોટું સીમાચિહ્ન માનવામાં આવે છે. પરીક્ષણ પહેલાંના બે દાયકા અગાઉ, આ મિશન હાથ ધરવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ ન હતું. પોખરણ પરમાણુ પરીક્ષણની સફળતાએ દેશને વિશ્વસ્તરે અગ્રહરોળમાં મૂકી દીધો. ભવિષ્યમાં તકનિકી અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં વધુ પ્રગતિ સાથે સફળતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાના નિર્ધાર સાથે, આપણા દેશમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

11th May

Read more
રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટૅક્નોલોજી) દિન
11th May
દર વર્ષે 11 મે ના રોજ, ભારત દેશના વિકાસમાં વૈજ્ઞાનિકો, ઈજનેરો અને ટૅક્નોલોજીસ્ટસની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવવા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે 'રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટેક્નોલોજી) દિન' ઊજવવામાં આવે છે. 1998 માં આજના દિવસે આપણા દેશ દ્વારા પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ પ્રસંગની યાદમાં આપણા દેશમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિન ઊજવવામાં આવે છે. આઝાદી પછી, ભારતે જે ક્ષેત્રોમાં વિકાસ અને અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેમાંનું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેક્નોલોજી. આ...
Read more
આંતરરાષ્ટ્રીય પરિવાર દિન
આંતરરાષ્ટ્રીય પરિવાર દિન

દર વર્ષે 15 મે ના રોજ 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિન' ની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમ 1994 માં આ દિવસ ઊજવાયો હતો. જો કે આ દિવસની ઉજવણીનો પાયો 1989 માં જ નાંખવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 9 ડિસેમ્બર, 1989 માં લોકોને પરિવારનું મહત્ત્વ સમજાવવાના હેતુસર 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિન' ઊજવવાનું જાહેર કર્યું હતું. 1993 માં યુ.એન.ની જનરલ એસેમ્બલીએ એક ઠરાવમાં 15 મે ની તારીખ આ દિવસ માટે નક્કી કરી. ત્યાર પછીથી દર વર્ષે 15 મે ના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિન ઊજવવાની શરૂઆત કરવામાં આવી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વના લોકોને પરિવાર સાથે જોડાયેલા રાખવા અને કુટુંબ સંબંધિત મુદ્દાઓ પર સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં સંયુક્ત કુટુંબની ભાવના વિસરાતી જાય છે અને લોકો હવે વિભક્ત કુટુંબમાં રહેવાનું વધારે પસંદ કરે છે. હકીકતમાં તો પરિવાર જ સૃષ્ટિનો પાયો છે. કોરોનાની મહામારીએ લોકોને પરિવારનું મહત્ત્વ સમજાવી દીધું છે. સમાજની પરિકલ્પના પરિવાર વગર અધૂરી છે. પરિવાર બનાવવા માટે ઘરના સભ્યોએ હળીમળીને રહેવું ખૂબ જ જરૂરી છે. પરિવાર સાથે રહીને માણસ પોતાનાં સુખ-દુઃખ વહેંચી શકે છે. દુઃખના સમયે પરિવારનો સાથ એક તાકાત બની જાય છે. મનુષ્ય પોતાને મૂંઝવતી બાબતોનો યોગ્ય ઉકેલ પરિવારના વડીલ સભ્યો પાસેથી મેળવી શકે છે અને તણાવમુક્ત રહી શકે છે. પરિવાર સાથે રહીને જ બાળકોમાં સન્માન, ગૌરવ, પ્રામાણિકતા, સહકાર, પ્રેમ, આદર, શિસ્ત, નીડરતા જેવા સદગુણોનો વિકાસ થાય છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય પણ જો તેમાં પરિવારનો સાથ મળી રહે તો મુશ્કેલ પરિસ્થિતિને પણ સરળતાથી હલ કરી શકાય છે. વ્યક્તિ જે પરિવારમાં જન્મ લે છે, તેનાથી જ તેની ઓળખ બને છે અને તે પરિવારમાંથી જ સારી અને નરસી બાબતો શીખે છે. એવું માનવમાં આવે છે કે પરિવારથી વિખૂટી પડેલી વ્યક્તિઓમાં સંસ્કારોનું સિંચન યોગ્ય રીતે થઈ શકતું નથી તેમજ તેમનો સામાજિક વિકાસ પણ યોગ્ય રીતે થઈ શકતો નથી, જ્યારે સંયુક્ત કુટુંબમાં રહેતી વ્યક્તિનો સામાજિક, શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. વિશ્વમાં આજે સમયની સાથે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ટેક્નોલોજીના યુગમાં દુનિયા એકબીજાથી નજીક આવી રહી છે. પરંતુ વ્યક્તિ જાણે એકબીજાથી દૂર જઈ રહ્યા છે. આ સંજોગોમાં વ્યક્તિ અને પરિવારને એકબીજા સાથે જોડી રાખવા અને તેમની વચ્ચેના સંબંધ ગાઢ બની રહે, લાગણીનું બંધન અકબંધ રહે તે ખૂબ જરૂરી છે. વર્તમાન સમયગાળામાં પરિવારનું વિઘટન થવાની ઘટના જ્યારે વારંવાર બની રહી છે, ત્યારે પરિવારનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. લાકોને પરિવારનું મહત્ત્વ સમજાવવા માટે જ આ દિવસ ઊજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિનના પ્રતીક (લોગો)માં લાલ રંગની એક છબી સાથે લીલા વર્તુળનો સમાવેશ થાય છે. જેમાં હૃદય અને ઘર દેખાય છે. આ પ્રતીક સૂચવે છે કે પરિવાર સમાજનું કેન્દ્ર છે અને તમામ વયના લોકોને સ્થિરતા અને મદદ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી 'વસુધૈવ કુટુમ્બકમ્'નો સંદેશ આપી સમગ્ર વિશ્વને પરિવાર ગણવામાં આવ્યો છે, તેથી આગળ વધીને 'અત્ર વિશ્વમ્ ભવતિ એક નીડમ્' અનુસાર વિશ્વને એક માળા (પક્ષીનો માળા) તરીકે ગણવામાં આવ્યો છે. આમ, ભારતીય સંસ્કૃતિમાં 'પરિવારભાવ' નિહિત જ છે.

15th May

Read more
આંતરરાષ્ટ્રીય પરિવાર દિન
15th May
દર વર્ષે 15 મે ના રોજ 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિન' ની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમ 1994 માં આ દિવસ ઊજવાયો હતો. જો કે આ દિવસની ઉજવણીનો પાયો 1989 માં જ નાંખવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 9 ડિસેમ્બર, 1989 માં લોકોને પરિવારનું મહત્ત્વ સમજાવવાના હેતુસર 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિન' ઊજવવાનું જાહેર કર્યું હતું. 1993 માં યુ.એન.ની જનરલ એસેમ્બલીએ એક ઠરાવમાં 15 મે ની તારીખ આ દિવસ માટે નક્કી કરી. ત્યાર...
Read more
વિશ્વ દૂરસંચાર દિન
વિશ્વ દૂરસંચાર દિન

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ વિશ્વ દૂરસંચાર (ટેલિકમ્યુનિકેશન) દિન ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2005 થી આ દિવસને 'વિશ્વ દૂરસંચાર દિન' તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ અને નવી તકનિકી દ્વારા સામાજિક પરિવર્તનની વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે; તેમજ મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા દેશોને માહિતી અને સંચાર તકનિકી ઉપલબ્ધ કરાવી વિશ્વમાં સાર્વત્રિક કનેક્ટિવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા લોકોને જોડી આધુનિક સમાજનું નિર્માણ કરવાનો છે. સામ પિત્રોડા ને ભારતમાં સંચાર ક્રાંતિના પિતા માનવામાં આવે છે. તેમણે સી-ડોટ નામની સંસ્થા શરૂ કરી ભારતમાં સંચાર ક્રાંતિનો પાયો નાખ્યો. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા શરૂ કરાયેલા વર્લ્ડ ટેલના તેઓ પ્રથમ ચેરમેન હતા. આજે ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પ્રોગ્રામ, સેટેલાઇટ નેવિગેશન અને ઓનલાઇન નકશાઓનો ઉપયોગ આપણે સૌ રોજબરોજના જીવનમાં એક અભિન્ન અંગરૂપે કરીએ છીએ. અત્યારના સમયમાં ઇન્ટરનેટ દૂરસંચાર માટેનું અગત્યનું સાધન છે. ઇન્ટરનેટ મનુષ્ય જીવનની પાયાની જરૂરિયાત બની ગયું છે. આજે દુનિયા વિકાસ સાધવા માટે ટેલિકમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી પર આધારિત બની છે. આજે ઇન્ટરનેટ અને દૂરસંચારનાં વિવિધ માધ્યમો વગરના વિશ્વની કલ્પના પણ શક્ય નથી, ત્યારે તેમાં વિવિધ આયામો અને સુધારાવધારા માટે જાગૃતિ અને સંશોધન પણ એટલાં જ મહત્ત્વનાં પાસાં છે. શિક્ષણ, મનોરંજન, તકનિકી, સામાજિક અને સંસ્થાકીય સંચાલનમાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવતા ઇન્ટરનેટનો દુરુપયોગ પણ વિશ્વના લગભગ તમામ રાષ્ટ્રો માટે ચિંતાનો વિષય છે. સોશિયલ મીડિયાની ચર્ચા કરીએ તો એ વેપાર, વિચાર અને સંચાર માટેનું પ્રમુખ સંસાધન બન્યું છે, જેના પ્રાણવાયુ એવા ઇન્ટરનેટને વધુ ઝડપી અને સર્વવ્યાપી સ્વરૂપે સ્થાપિત કરવાની દિશામાં ખાનગી અને સરકારી સંસ્થાઓના પ્રયાસો પ્રશંસનીય છે. ઈન્ફર્મેશન ટેક્નોલોજીની દિશામાં ભારત સમગ્ર વિશ્વમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને પ્રમુખ યોગદાન આપી રહ્યું છે, એ આજે સમગ્ર વિશ્વમાં સ્વીકારાયું છે. આજે વિશ્વના બધા જ દેશોમાં ભારતીય મૂળના આઇટી એન્જિનિયર્સ ડંકો વગાડી રહ્યા છે તેમજ જે તે રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન પણ આપી રહ્યા છે. ખરા અર્થમાં તેઓ ભારતના અઘોષિત રાજદૂતો છે, જે આપણા ગૌરવમાં સતત વધારો કરી રહ્યા છે. આજે ગુજરાત સરકારના ડિઝીટલ ગુજરાત પોર્ટલ દ્વારા રાજ્ય સરકારની મોટા ભાગની કામગીરી ઓનલાઇન કરીને સરકારી સેવાઓને ગતિ આપવામાં આવી રહી છે. જેનો સીધો જ લાભ જાહેર જનતાને થાય છે, તેમને ઘરે બેઠા બેઠા સરકારી સુવિધાઓનો લાભ મળી રહે છે. સંચાર માધ્યમોનો સુયોગ્ય ઉપયોગ માનવજીવનને સુવિધાપૂર્ણ બનાવે એ આવકાર્ય છે, પરંતુ આ સંચાર માધ્યમો માનવ પર હાવી થઈ જાય અને તેને નિયંત્રિત કરે તે ઇચ્છનીય નથી. આ માટે આપણે સૌએ સાથે મળી પ્રયત્ન કરવો જ રહ્યો.

17th May

Read more
વિશ્વ દૂરસંચાર દિન
17th May
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ વિશ્વ દૂરસંચાર (ટેલિકમ્યુનિકેશન) દિન ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2005 થી આ દિવસને 'વિશ્વ દૂરસંચાર દિન' તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ અને નવી તકનિકી દ્વારા સામાજિક પરિવર્તનની વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે; તેમજ મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા દેશોને માહિતી અને સંચાર તકનિકી ઉપલબ્ધ કરાવી વિશ્વમાં સાર્વત્રિક કનેક્ટિવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા લોકોને જોડી આધુનિક સમાજનું નિર્માણ કરવાનો છે.
સામ પિત્રોડા ને ભારતમાં સંચાર ક્રાંતિના પિતા માનવામાં...
Read more
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન

વૈવિધ્યસભર જીવસૃષ્ટિ પૃથ્વીને સ્વર્ગથી પણ સોહામણી બનાવે છે. તેથી તેનું રક્ષણ અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. જૈવ વિવિધતા માનવ સમાજના કલ્યાણ માટેનો પાયો છે. કુદરતમાં સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિની વિવિધતા જળવાઈ રહે તેમજ તેનું સંવર્ધન થાય તે ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મે માસની 22મી તારીખને 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન' તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ 1993માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પહેલાં આ દિવસ 29 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવતો હતો. 2001 થી તે દર વર્ષે 22 મેના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય જૈવ વિવિધતા અંગે લોકોને જાગૃત કરવાનો તેમજ પર્યાવરણીય સ્તરે જૈવ વિવિધતાને જાળવી રાખવાનો છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 80,000થી વધુ પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દૃષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં બારમા સ્થાને છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળાં રીંછ, એક શિંગી ગેંડો, હરણ, ઘુડખર, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાં જ શીતવનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક માત્ર એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ બન્ને તેમના કુદરતી આવાસમાં વિચરે છે. ભારતની વનસ્પતિમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. પીપળો, વડ, લીમડો, કરંજ, ખાટી આંબલી, આસોપાલવ, ગરમાળો, શીમળો. સેવન, મહુડો, સીસમ, અશોક, અર્જુન, આંબળા, પારિજાત, વસંત, પારસ પીપળો, કદમ, બિલીપત્ર, સોપારી, ફણસ, રૂખડો જેવાં વૃક્ષો જોવા મળે છે. સેતુર, બદામ, મીઠી આંબલી, ફાલસા, રાયણ, લીચી, અંજીર, ગુંદી, જામફળ, જાંબુ, ચીકુ, દાડમ, પીલુ, આંબો વગેરે ફળો આપતાં વૃક્ષો પણ જોવા મળે છે. અહીં આપણે ભારતમાં જોવા મળતી વનસ્પતિઓની કેટલીક વિવિધતા વિશે વાત કરી, તો વિચારો સમગ્ર વિશ્વની વનસ્પતિમાં કેટલી બધી વિવિધતા હશે! સમગ્ર વિશ્વની વનસ્પતિમાં, પશુ-પંખીઓમાં, જીવજંતુઓમાં અને દરેકે દરેક સજીવ પ્રજાતિઓમાં અનેક વિવિધતા જોવા મળે છે. આધુનિક સમયમાં જૈવ વિવિધતાના વિષય પર ધ્યાન આપવાની જરૂર છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં વિશેષ પરિવર્તન આવ્યું છે. આ માટે પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકાયો છે. વર્તમાન સમયમાં વનસ્પતિ અને પ્રાણીઓની ઘણી જાતો લુપ્ત થઈ ગયેલી જોવા મળી છે. પર્યાવરણીય સંતુલન માટે પ્રાણીઓનું સંરક્ષણ પણ જરૂરી છે. કુદરતી સંસાધનોનું વિચારવિહીન શોષણ, જેમ કે ગોચર જમીન પર કબજો કરવો, બળતણ માટે જંગલો કાપવાં, પાણીનો બગાડ કે તેનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ કરવો અને જંતુનાશકના ઉપયોગથી જૈવ વિવિધતાને ખૂબ મોટું નુકસાન થાય છે. પર્યાવણીય સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિનું સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે. આપણા મુર્ધન્ય કવિ ઉમાશંકર જોષી એ કહ્યું છે. "વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોને છે વનસ્પતિ।"

22nd May

Read more
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન
22nd May
વૈવિધ્યસભર જીવસૃષ્ટિ પૃથ્વીને સ્વર્ગથી પણ સોહામણી બનાવે છે. તેથી તેનું રક્ષણ અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. જૈવ વિવિધતા માનવ સમાજના કલ્યાણ માટેનો પાયો છે. કુદરતમાં સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિની વિવિધતા જળવાઈ રહે તેમજ તેનું સંવર્ધન થાય તે ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મે માસની 22મી તારીખને 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન' તરીકે ઊજવવામાં આવે છે.
સૌ પ્રથમ 1993માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પહેલાં આ દિવસ 29 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવતો હતો....
Read more
વિનોદ ભટ્ટ પુણ્યતિથિ
વિનોદ ભટ્ટ પુણ્યતિથિ

'તારીખ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ મારા જન્મ સિવાયની બીજી કોઈ દુર્ઘટના દુનિયામાં બની ન હતી.' આટલી હળવાશથી પોતાના જીવનને લેનાર આપણી ભાષાના દિગ્ગજ હાસ્યકાર વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ ગાંધીનગર જિલ્લાનાં નાંદોલ ગામમાં થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓએ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી, જે પાછળથી દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતિયમ તરીકે પ્રસિદ્ધ થઇ હતી. બાળપણમાં તોફાની બાળક તરીકેની છાપ ધરાવતા વિનોદ ભટ્ટ કોલેજની ચૂંટણીમાં ગધેડાના ગળામાં 'હું વિનોદ ભટ્ટને મત નથી આપવાનો 'જેવા રમૂજી તુક્કાઓ પણ કરેલા. ગુજરાતી ભાષાના ગણમાન્ય દૈનિકો અને સામયિકોમાં વિનોદ ભટ્ટ નિયમિતપણે લખ્યું હતું. પરિણામે તેમના ૫૦ થી વધુ પુસ્તકો થયા છે. પહેલું સુખ તે મૂંગી નારથી પોતાની હાસ્ય સર્જન યાત્રા શરૂ કરનાર વિનોદ ભટ્ટે વિનોદના પ્રેમપત્રો, ઇદમ તૃતીયમ, ગ્રંથની ગરબડ, વિનોદ વિમર્શ, ભૂલચૂક લેવીદેવી જેવા પુસ્તકો દ્વારા ગુજરાતી હાસ્ય સાહિત્યને રળિયાત કર્યું છે. વિનોદ ભટ્ટે "એવા રે અમે એવા" શીર્ષકથી આત્મકથા પણ લખી છે. તેમનું ૧૯૭૬માં કુમારચંદ્રક, ૧૯૮૯માં રણજીતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઈ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક વગેરેથી સન્માન થયું હતું. ગુજરાતી હાસ્ય સાહિત્યની વાત જેમના વિના થઇ ન શકે તેવા અને વિશાળ વાચક - ચાહક વર્ગ ધરાવતા આ સાહિત્યકારનું લાંબી બીમારી પછી અમદાવાદ ખાતે ૨૩ મે,૨૦૧૮ ના રોજ અવસાન થયું ત્યારે સ્મશાનયાત્રા નહિ, હાસ્યયાત્રા નીકળી હતી.

23rd May

Read more
વિનોદ ભટ્ટ પુણ્યતિથિ
23rd May

'તારીખ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ મારા જન્મ સિવાયની બીજી કોઈ દુર્ઘટના દુનિયામાં બની ન હતી.' આટલી હળવાશથી પોતાના જીવનને લેનાર આપણી ભાષાના દિગ્ગજ હાસ્યકાર વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ ગાંધીનગર જિલ્લાનાં નાંદોલ ગામમાં થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓએ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા.

૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું...

Read more
વીર સાવરકર જયંતી
વીર સાવરકર જયંતી

"મહાન લક્ષ્ય માટે આપેલું બલિદાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી."- વીર સાવરકર. વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે, 1883 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદર અને માતાનું નામ યશોદા હતું. આઠ વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું હતું. બચપણથી જ એમના મિત્રોએ એમને નેતા તરીકે સ્વીકારી લીધા હતા. જ્યારે ભારતમાં બંગભંગની લડત ચાલતી હતી ત્યારે સાવરકર વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં અગ્રેસર રહેતા. ભારતમાં ગ્રેજ્યુએટ થયા બાદ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા અપાતી શિષ્યવૃત્તિ મેળવીને બૅરિસ્ટરનો અભ્યાસ કરવા વિલાયત ગયા. ત્યાં પરીક્ષામાં પાસ તો થઈ ગયા, પણ ઇંગ્લેન્ડ સરકારને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા તેમણે ન સ્વીકારતાં સાવરકર સરકારની નજરે ચડી ગયા. આ કારણસર તેમને બૅરિસ્ટરની પદવી એનાયત કરવામાં ન આવી. વીર સાવરકરે બોમ્બ બનાવવાની રીત શીખી લીધી હતી. તેમણે ભારતમાં ગુપ્ત રીતે હથિયારો, દારૂગોળો મોકલવાની શરૂઆત કરી હતી. લંડનમાં કર્ઝન વાઇલીને મદનલાલ ધીંગરાએ ગોળીએ દીધા, ત્યારે સાવરકરે ધીંગરાના આ કાર્યને બિરદાવ્યું હતું. ઇંગ્લેન્ડમાં 'ઇન્ડિયા હાઉસ'માં રહીને ક્રાન્તિની જ્વાળા પ્રજ્વલિત રાખનાર સાવરકર ક્રાન્તિકારીઓના મુખ્ય સૂત્રધાર છે, એવી ખાતરી થતાં ઇંગ્લેન્ડ સરકારે તેમની ધરપકડ કરી ને એક સ્ટીમરમાં રવાના કર્યા. સ્ટીમર ફ્રાન્સના માર્સેલ્સ બંદર નજીક હતી, ત્યારે તેઓ સમુદ્રમાં કૂદી પડયા. વિકરાળ લાગે તેવો દરિયો તેમણે હિંમતપૂર્વક ઓળંગ્યો. તેઓ તરતાં તરતાં ફ્રાંસ પહોંચ્યા. ત્યાં તેમની ધરપકડ થઈ. અગાઉ તેમને જનમટીપની સજા થઈ હતી અને હવે ફરી બીજા કેસમાં પણ જનમટીપની સજા થઇ. આમ, બે વાર જનમટીપની સજા સાવરકરે જેલમાં ગાળવાની હતી અને એ પણ આંદામાનની સેલ્યુલર જેલમાં. તેમણે કારાવાસ દરમ્યાન રચેલાં દેશભક્તિ ગીતો જેલની દીવાલ પર કોલસાની મદદથી લખ્યાં. તેમણે કેટલાક ઐતિહાસિક ગ્રંથો લખ્યા હતા. '૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ', 'મારી જનમટીપ' અને 'શીખોનો ઇતિહાસ' એ તેમના જાણીતા ગ્રંથો છે. તેમનું '૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ' પુસ્તક અંગ્રેજોએ જપ્ત કરી લીધું હોવાથી તે સમયે પ્રકાશિત થયું ન હતું. તેમણે મિત્રો સાથે રહીને 'મિત્રમેલા' નામનું એક દેશભક્તિ જૂથ રચ્યું. જે આગળ જતાં 'અભિનવ ભારત' નામે પ્રસિદ્ધ થયું. મહાત્મા ગાંધીજીની હત્યા બાદ, તહોમતદારોમાં તેમનો સમાવેશ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અદાલતમાં તેઓ નિર્દોષ પૂરવાર થતાં તેમને માનભેર મુક્ત કરવામાં આવ્યા. એમણે એમના મરણ બાદ શોક કે ઉત્તરક્રિયા કરવી નહીં તેવી સૂચના આપી હતી. 1966માં એમની તબિયત કથળી. તેમણે સારવાર લેવાની ના પાડી અને અનશન શરૂ કર્યા. 26 ફેબ્રઆરી, 1966ના રોજ આ મહાન ક્રાંતિકારી 83 વર્ષની ઉંમરે દુનિયા છોડી પંચમહાભૂતોમાં વિલીન થઇ ગયા. સલામ છે ક્રાંતિકારી વીર સાવરકરને.....

28th May

Read more
વીર સાવરકર જયંતી
28th May
"મહાન લક્ષ્ય માટે આપેલું બલિદાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી."- વીર સાવરકર.
વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે, 1883 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદર અને માતાનું નામ યશોદા હતું. આઠ વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું હતું. બચપણથી જ એમના મિત્રોએ એમને નેતા તરીકે સ્વીકારી લીધા હતા. જ્યારે ભારતમાં બંગભંગની લડત ચાલતી હતી ત્યારે સાવરકર વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં અગ્રેસર રહેતા. ભારતમાં ગ્રેજ્યુએટ થયા બાદ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા અપાતી શિષ્યવૃત્તિ મેળવીને બૅરિસ્ટરનો...
Read more
વિશ્વ તમાકુ નિષેધ દિન
વિશ્વ તમાકુ નિષેધ દિન

દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન' (World No Tobacco Day) ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે લાખો લોકોનાં મૃત્યુ તમાકુના સેવનથી થાય છે. આ દિવસે લોકોને તમાકુથી થતા નુકસાન વિશે જણાવી તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે. 1987માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'વર્લ્ડ હેલ્થ એસેમ્બલી'એ ઠરાવ પસાર કરીને 7 એપ્રિલ, 1988ને 'વિશ્વ ધુમ્રપાન નિષેધ દિન' (World No Smoking Day) તરીકે જાહેર કર્યો હતો. આ દિવસનો હેતુ વિશ્વભરમાં તમાકુના વપરાશકારોને 24 કલાક માટે તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ ન કરવા વિનંતી કરવાનો હતો. 1988માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ ઠરાવ પસાર કરીને દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન'ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ત્યારથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દર વર્ષે 31 મેના દિવસે 'વિશ્વ તમાકુ નિષેધ દિન' ઊજવે છે. તમાકુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તેમ છતાં લોકો બહોળા પ્રમાણમાં તમાકુનું સેવન કરતા જોવા મળે છે. સિગારેટ, બીડી, ગુટખા અને હુક્કા જેવાં ઘણાં બધાં સ્વરૂપોમાં તમાકુનું સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનું એક અત્યંત નશાકારક તત્ત્વ હોય છે. નિકોટીન લાંબા સમયે તમાકુનું વ્યસન કરનાર વ્યક્તિના હૃદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓને અસર કરે છે. તેના કારણે સ્વાસ્થ્યને ગંભીર અસર થાય છે. વ્યસની વ્યક્તિ માનસિક તાણ અનુભવતો હોવાથી ઘણીવાર કેટલાંક કુટુંબોમાં ઝઘડા પણ થતા હોય છે. ભણેલા લોકો પણ તમાકુના ઉત્પાદન પર લખવામાં આવેલી ચેતવણીને નજરઅંદાજ કરી બેધડક તેનું સેવન કરે છે અને બીમાર થાય છે. તમાકુ અને તેમાંથી બનેલા પદાર્થોના સેવનથી ફેફસાનું કેન્સર, લીવર કેન્સર, મોઢાનું કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આ બીમારીઓ વિશે વિચારતાં, જે લોકો તમાકુ કે તેમાંથી બનનારા પાનમસાલા અને સિગારેટનું સેવન કરી રહ્યાં છે, તેમણે તમાકુનું સેવન છોડી દેવું જોઈએ. આ બાબત માત્ર તેમના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તેમના કુટુંબીજનો માટે પણ વરદાનરૂપ સાબિત થશે. ભારત સરકાર દ્વારા પણ તમાકુની બનાવટો પર તમાકુના સેવનથી થતા રોગોનું મોટું ચિત્ર મૂકવાનો અને મોટા અક્ષરે ચેતવણી લખવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. ભારતમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિનેમાઘરો, સરકારી કચેરીઓ વગેરે જેવાં જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ આ નિયમનો ભંગ કરે તો દંડ પણ વસૂલવામાં આવે છે. આ દિવસે કેટલાંક બિન સરકારી સંગઠનો (NGOs) પણ વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે. તમાકુ છોડવી ખૂબ જ મુશ્કેલ બાબત છે. તે એક જ દિવસમાં છોડી શકાતી નથી પરંતું દ્રઢ નિર્ધારને અંતે એક દિવસ ચોક્કસ તેનાથી મુક્ત થઈ શકાય છે. તમાકુ છોડવા માટે મનોચિકિત્સકની મદદ પણ લઈ શકાય છે. મગજને વધુને વધુ અન્ય દિશા તરફ વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરવાથી વ્યસનમાંથી મુક્તિ મેળવી શકાય છે.

31st May

Read more
વિશ્વ તમાકુ નિષેધ દિન
31st May
દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન' (World No Tobacco Day) ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે લાખો લોકોનાં મૃત્યુ તમાકુના સેવનથી થાય છે. આ દિવસે લોકોને તમાકુથી થતા નુકસાન વિશે જણાવી તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
1987માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'વર્લ્ડ હેલ્થ એસેમ્બલી'એ ઠરાવ પસાર કરીને 7 એપ્રિલ, 1988ને...
Read more
વિશ્વ દૂધ દિન
વિશ્વ દૂધ દિન

આપણે જાણીએ છીએ કે દૂધ એ સંપૂર્ણ અને સમતોલ આહાર છે. તેથી જ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે દૂધ મહત્ત્વનો ભાગ ભજવે છે. સૌ પ્રથમવાર 2001માં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા વિશ્વ દૂધ દિન ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉજવણી માટે 1 જૂનની જ પસંદગી કરવામાં આવી કારણ કે ઘણા દેશો પહેલીથી જ આ દિવસને 'દૂધ દિન' તરીકે ઊજવતા હતા. દૂધને વૈશ્વિક ખોરાક તરીકેનું મહત્ત્વ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિન ઊજવવામાં આવે છે. આ દિનની ઉજવણીનો મુખ્ય હેતુ ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની તક પૂરી પાડવાનો છે. તેમજ પશુપાલન દ્વારા લોકોની આજીવિકામાં ડેરી ક્ષેત્રના યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે. દૂધ એ પૃથ્વી પર સૌથી વધુ વ્યાપકપણે ઉત્પાદિત ખાદ્ય ચીજવસ્તુઓ પૈકી એક છે. દૂધ માનવને જરૂરી 22 પોષક તત્ત્વોમાંથી 18 પોષક તત્ત્વો પૂરાં પાડે છે. ગુજરાતમાં દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલાં એકમોમાં અમૂલ (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ) ડેરી મુખ્ય છે. અમૂલ એક સહકારી દૂધમંડળીઓનો સંઘ છે. જેની સ્થાપના 1946માં થઈ હતી. જે સહકારી ક્ષેત્રે ચાલતી લાંબાગાળાની સફળ સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. આ સંસ્થા સહકારી રીતે દૂધ ઉત્પાદન કરતા લાખો લોકોની માલિકીની સંસ્થા છે. અમૂલ વિશ્વની સૌથી વધુ દૂધના પાઉચ બનાવતી બ્રાન્ડ છે.

01st June

Read more
વિશ્વ દૂધ દિન
01st June

આપણે જાણીએ છીએ કે દૂધ એ સંપૂર્ણ અને સમતોલ આહાર છે. તેથી જ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે દૂધ મહત્ત્વનો ભાગ ભજવે છે.


સૌ પ્રથમવાર 2001માં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા વિશ્વ દૂધ દિન ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉજવણી માટે 1 જૂનની જ પસંદગી કરવામાં આવી કારણ કે ઘણા દેશો પહેલીથી જ આ દિવસને 'દૂધ દિન' તરીકે ઊજવતા હતા. દૂધને વૈશ્વિક ખોરાક તરીકેનું મહત્ત્વ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિન ઊજવવામાં આવે છે.


આ દિનની ઉજવણીનો મુખ્ય હેતુ ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન...

Read more
વિશ્વ સાઇકલ દિન
વિશ્વ સાઇકલ દિન

રોજિંદા જીવનમાં સાઇકલના ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂનને વિશ્વ સાઇકલ દિન (વર્લ્ડ બાઇસિકલ ડે) તરીકે ઊજવવામાં આવે છે. સત્તાવારરૂપે પહેલીવાર વિશ્વ સાઇકલ દિન ૩ જૂન, 2018ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઊજવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાઇકલ ડેની ઉજવણી દ્વારા સાયકલને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ વિકાસ નીતિઓ-કાર્યક્રમોમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ સભ્ય દેશોને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં સાઇકલની સવારીને પ્રોત્સાહિત કરવાનો છે. સાઇકલ શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણ (Environment) અને અર્થવ્યવસ્થા (Economy) માટે પણ અનુકૂળ છે. આ દિવસ બાળકો અને યુવાનોને શારીરિક તંદુરસ્તી જાળવવા, રોગોને થતા અટકાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે સાઇકલના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે. વિશ્વ સાઇકલ દિવસની ઉજવણીનો હેતુ સાઇકલની ઉપયોગિતાને ઓળખ આપવાનો પણ છે. જો શહેરના લોકો પોતાની આસપાસ એટલે નજીકના સ્થળે જવા માટે સાઇકલનો ઉપયોગ કરે તો દરરોજ સેંકડો લિટર પેટ્રોલનો વપરાશ ઘટશે સાથે સાથે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે. સાઇકલ ચલાવવા માટેની વધુ સુગમતા અને સલામતી રહે તે માટે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જેવાં શહેરોમાં અલગ સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક સાઇકલ પણ પ્રદૂષણ ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. સાઇકલ માટે લાઇસન્સઃ1930માં ગોંડલ સ્ટેટમાં સાયકલ ધારકને નવ પાનાની પુસ્તિકાવાળું લાઇસન્સ (પરવાનો) આપવામાં આવતું. જેમાં મહારાજા ભગવતસિંહજીની સહી હતી. સાયકલ ચલાવનારે લાઇસન્સ (પરવાનો)માં દર્શાવેલા 14 નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું હતું. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ દાખલ કરવામાં આવતો હતો અને જો ગુનો સાબિત થાય તો પાંચ રૂપિયા મહત્તમ દંડ કરવામાં આવતો હતો. સાઇકલ ચલાવવાના ફાયદાઃહ્રદય અને ફેફસાં સ્વસ્થ રહે છે.નિયમિત અડધો કલાક સાઇકલ ચલાવવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓછી થાય છે.શરીરના સ્નાયુઓ સ્વસ્થ અને મજબૂત બને છે.મન પ્રફુલ્લિત રહે છે અને હતાશા દૂર થાય છે.શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે.પર્યાવરણની જાળવણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

03rd June

Read more
વિશ્વ સાઇકલ દિન
03rd June

રોજિંદા જીવનમાં સાઇકલના ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂનને વિશ્વ સાઇકલ દિન (વર્લ્ડ બાઇસિકલ ડે) તરીકે ઊજવવામાં આવે છે. સત્તાવારરૂપે પહેલીવાર વિશ્વ સાઇકલ દિન ૩ જૂન, 2018ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઊજવવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાઇકલ ડેની ઉજવણી દ્વારા સાયકલને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ વિકાસ નીતિઓ-કાર્યક્રમોમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ સભ્ય દેશોને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં સાઇકલની સવારીને પ્રોત્સાહિત કરવાનો છે. સાઇકલ શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણ (Environment) અને અર્થવ્યવસ્થા (Economy) માટે પણ અનુકૂળ છે.

આ...

Read more
વિશ્વ પર્યાવરણ દિન
વિશ્વ પર્યાવરણ દિન

આપણે સૌ જાણીએ છીએ તેમ સૌરમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શક્ય હોવાનું માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે જૈવિક સૃષ્ટિ માટે અનુકૂળ પર્યાવરણ અહીં ઉપલબ્ધ છે. પર્યાવરણ માનવજીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલું છે. તેથી કહી શકાય કે પર્યાવરણ વગર માનવજીવન શક્ય નથી. આપણે એ પણ સમજીએ છીએ કે વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો વગેરે પર્યાવરણના વિવિધ ભાગ છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 1972માં સંયુક્ત રાષ્ટ્રના 114 સભ્ય દેશોની મળેલી પરિષદે 5 જૂને એક બહુ મહત્ત્વનો ઠરાવ સર્વાનુમતે સ્વીકાર્યો. ઘોષણાપત્રમાં નક્કી કરવામાં આવ્યું કે....♦  દરેક દેશે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે પગલાં લેવાં. તેમની રહેણીકરણી માટેના પ્રાકૃતિક સંજોગો જાળવવા. પ્રાકૃતિક સંપત્તિની જાળવણી કરવી.♦ ઝેરી પદાર્થોનો હવા-પાણીમાં થતો ફેલાવો રોકવો. જળપ્રદૂષણ અટકાવવું.♦ પર્યાવરણને હાનિ પહોંચવાના પરિણામે ભોગ બનનારને વળતર આપવા તથા તે માટે જવાબદારી નક્કી કરવા યોગ્ય આંતરરાષ્ટ્રીય ધારો વિકસાવવો.♦ પર્યાવરણ સંબંધી શિક્ષણનો પ્રસાર કરવો. સંશોધન કરવું અને તેની સુરક્ષાની વ્યવસ્થા વિકસાવવી.♦ પર્યાવરણની ગંભીર બનેલી સમસ્યા પ્રત્યે લોકોને જાગૃત કરવા. વિશ્વ પર્યાવરણ દિન દર વર્ષે 5 જૂનના રોજ ઊજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ પર્યાવરણ અંગેની જાગૃતિ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવાનો છે. સૌ પ્રથમ વખત વૈશ્વિક કક્ષાએ પર્યાવરણીય મુદ્દાઓ જેવા કે દરિયાઈ પ્રદૂષણ, વસતીવધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ વગેરે પર જાગૃતિ લાવવા માટે ચર્ચા કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિન સરકારી સંગઠનો, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ દ્વારા પ્રદૂષિત પર્યાવરણને સ્વચ્છ કરવા માટે અને તેની જાળવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વર્તમાન સમયમાં વધતી વસતીને રહેવા માટે જગ્યા જોઈએ એટલે વનો કાપી વસવાટ માટે ઘરો બાંધવામાં આવે છે. ખેતીમાં વધુ પાક મેળવવા માટે અને પાકમાં પડતી જીવાતનો નાશ કરવા તેના પર દવા છાંટવામાં આવે છે. આવી દવા ખાદ્યપદાર્થોને હાનિકારક બનાવે છે. એટલું જ નહીં દવાના ઉત્પાદક કારખાનાઓને લીધે તેમાં કામ કરતાં શ્રમિકો તેમજ આસપાસ રહેતા રહીશોના આરોગ્યને નુકશાન પહોંચે છે. ભોપાલ ગેસ દુર્ઘટનાઃ2 ડિસેમ્બર, 1984ની મધ્ય રાત્રિએ ભોપાલમાં યુનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડના કારખાનામાંથી મિથાઇલ સાઈનેટ નામનો ઝેરી વાયુ નીકળતાં ગેસ ગળતરનાં કારણે કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યાં વસતા લોકોના સ્વાસ્થ્ય પર આ ઘટનાની અસર ઘણાં વર્ષો સુધી જોવા મળી. વિશ્વ પર્યાવરણ દિન પર લેવાના સંકલ્પઃપ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માયાળુ બનીશું.કચરો હંમેશાં કચરાપેટીમાં નાખવાનો આગ્રહ રાખીશું અને અન્યને પણ આમ કરવા માટે પ્રોત્સાહિત કરીશું.એક વર્ષમાં ઓછામાં ઓછો એક છોડ વાવીશું અને તેનો ઉછેર કરીશું. વૃક્ષોના સંરક્ષણમાં સહકાર આપીશું.વીજ ઉપકરણો નો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરીશું.પ્લાસ્ટિક/પોલિથિનને બદલે કાગળની અથવા કાપડની થેલીનો ઉપયોગ કરીશું.તળાવ, નદી, કૂવા જેવા જળસ્રોતોને પ્રદૂષિત કરીશું નહીં. પાણીનો બગાડ કરીશું નહીં તેમજ પાણીનો નળ ઉપયોગ પછી બંધ કરીશું.

05th June

Read more
વિશ્વ પર્યાવરણ દિન
05th June

આપણે સૌ જાણીએ છીએ તેમ સૌરમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શક્ય હોવાનું માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે જૈવિક સૃષ્ટિ માટે અનુકૂળ પર્યાવરણ અહીં ઉપલબ્ધ છે. પર્યાવરણ માનવજીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલું છે. તેથી કહી શકાય કે પર્યાવરણ વગર માનવજીવન શક્ય નથી. આપણે એ પણ સમજીએ છીએ કે વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો વગેરે પર્યાવરણના વિવિધ ભાગ છે.

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 1972માં સંયુક્ત રાષ્ટ્રના 114 સભ્ય દેશોની મળેલી પરિષદે 5 જૂને એક બહુ...

Read more
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન

7 જૂનના દિવસને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન તરીકે ઊજવવામાં આવે છે. જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. પરંતુ બે સમયનું જમવાનું મળી રહે એ જ ખાદ્ય સુરક્ષા નથી. ખાદ્ય સુરક્ષામાં નીચેનાં પાસાં સમાવિષ્ટ થાય છે. -ખાદ્ય ઉપલબ્ધતાઃ દેશમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, ખાદ્ય પદાર્થોની આયાત અને સરકારી ભંડારોમાં સંચિત સ્ટોક.-ખાદ્યપદાર્થોની પ્રાપ્યતાઃ ખાદ્યપદાર્થો દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે.-ખાદ્યપદાર્થ મેળવવાનું સામર્થ્ય: દરેક વ્યક્તિ પોતાના માટે પૂરતો અને પૌષ્ટિક ખોરાક મેળવવા સમર્થ હોય. ખાદ્યપદાર્થોના સંતુલિત અને સુરક્ષિત ધોરણો જાળવી રાખવાં, જાગૃતિ ફેલાવવી અને ખરાબ ગુણવત્તાવાળા તથા અપૂરતા પોષણવાળા ખોરાકથી નિપજતા મૃત્યુનો આંક ઘટાડવો તે આ દિવસની ઉજવણીનો હેતુ છે. સમાજનો ગરીબ વર્ગ મોટા ભાગે ખાદ્ય અસુરક્ષાથી પીડિત હોય છે. દેશમાં ભૂકંપ, દુષ્કાળ, પૂર, સુનામી કે માવઠાની પરિસ્થિતિમાં ખાદ્ય અસુરક્ષાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવા સંજોગોમાં સમાજના દરેક વર્ગને અસર થાય છે ત્યારે ખાદ્ય સુરક્ષા જરૂરી છે. ભારતમાં ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) કાર્યરત છે. તેની સ્થાપના 2008માં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને આયાતમાં નિયત કરેલા વૈજ્ઞાનિક ધારાધોરણોનું નિયમન કરવાના હેતુથી થઈ. આ સંસ્થા દ્વારા SFSI (સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ)ની રચના કરવામાં આવી. ખાદ્ય સુરક્ષા માટે નીચે જેવી કેટલીક બાબતોની કાળજી રાખવી જોઈએ. જેવી કે...-જમવામાં પૂરતો સંતુલિત આહાર લેવો જોઈએ. જંક ફૂડ અને વાસી ખોરાક ન ખાવો જોઈએ.-જમતી વખતે ખોરાકનો બગાડ ન થાય તેનું અચૂક ધ્યાન રાખવું જોઈએ.-વિવિધ સામાજિક-ધાર્મિક પ્રસંગો દરમિયાન ખોરાકનો વધુ પડતો બગાડ થતો જોવા મળે છે. પ્રસંગોના આયોજન વખતે આવું ન થાય તે માટે સૌએ જાગૃત બનવું રહ્યું.-એન.જી.ઓ.ની મદદ થકી આવા પ્રસંગે વધેલો ખોરાક વાસી થાય તે પહેલાં ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ સુધી પહોંચે તેવું આયોજન કરી શકાય.

07th June

Read more
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન
07th June

7 જૂનના દિવસને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન તરીકે ઊજવવામાં આવે છે. જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. પરંતુ બે સમયનું જમવાનું મળી રહે એ જ ખાદ્ય સુરક્ષા નથી. ખાદ્ય સુરક્ષામાં નીચેનાં પાસાં સમાવિષ્ટ થાય છે.

-ખાદ્ય ઉપલબ્ધતાઃ દેશમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, ખાદ્ય પદાર્થોની આયાત અને સરકારી ભંડારોમાં સંચિત સ્ટોક.
-ખાદ્યપદાર્થોની પ્રાપ્યતાઃ ખાદ્યપદાર્થો દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે.
-ખાદ્યપદાર્થ મેળવવાનું સામર્થ્ય: દરેક વ્યક્તિ પોતાના માટે પૂરતો અને પૌષ્ટિક ખોરાક મેળવવા સમર્થ હોય.

ખાદ્યપદાર્થોના સંતુલિત અને સુરક્ષિત ધોરણો જાળવી રાખવાં, જાગૃતિ ફેલાવવી અને ખરાબ ગુણવત્તાવાળા તથા અપૂરતા પોષણવાળા ખોરાકથી નિપજતા મૃત્યુનો આંક ઘટાડવો તે આ દિવસની ઉજવણીનો હેતુ છે.

...
Read more
વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન
વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન

નેત્રદાન એટલે આંખોનું દાન. ભારતમાં લાખો લોકો કીકીના અંધાપાથી પીડાય છે. (કીકી એટલે આંખની આગળનું ગોળ પારદર્શક પટલ જેને કોર્નિયા કહેવાય છે.) જો આ પારદર્શક પટલ સફેદ થઈ જાય તો વ્યક્તિને દેખાતું બંધ થઈ જાય. આવામાં જો આપણે મૃત્યુ બાદ નેત્રદાન કરીએ તો કોઈ અંધ વ્યકિતને રોશની મળી જાય. આનાથી સારું માનવીય કાર્ય કયું હોઈ શકે? આ કાર્ય કરવા માટે ચક્ષુબેંક (આઈબેંક) હોય છે જે (આઈબેંક એસોસીએશન ઓફ ઇન્ડિયામાં) રજિસ્ટર્ડ હોય છે. આ ચક્ષુબેંકનો કાર્યભાર સંભાળવા માટે એક કોર્નિયલ સર્જન (કીકીના સુપર સ્પેશ્યાલિસ્ટ) હોય છે. જે કીકીના પ્રત્યારોપણ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ - કેરેટોપ્લાસ્ટી)ના ઓપરેશનમાં નિપુણ હોય છે. આમ નેત્રદાનમાં મળેલી બે આંખોની કીકી લઈ કીકીના અંધાપાથી પીડાતા લોકોને જોવામાં મદદ કરી શકાય. નેત્રદાનથી પ્રાપ્ત થયેલ ચક્ષુઓનો ઉપયોગ કીકીના અંધાપાથી પીડાતા દર્દીઓને કીકી પ્રત્યારોપણ માટે કરવામાં આવે છે. નેત્રદાનની પ્રક્રિયા ફકત 15 થી 20 મિનિટમાં જ પૂર્ણ થઈ જાય એટલી સરળ છે. જેનાથી દાતાના ચહેરા ઉપર કોઈ વિકૃતિ કે વિરૂપતા આવતી નથી તેમજ તેના કારણે મૃતદેહની અંતિમ ક્રિયામાં કોઈ અડચણ કે વિલંબ પણ થતો નથી. નેત્રદાન સ્વીકારવા માટે ચક્ષુબેંકની ટીમ દાતા ગમે તે જગ્યાએ હોય જેમ કે ઘરમાં, હોસ્પિટલમાં, મડદાઘરમાં કે સ્મશાનમાં જઈને નેત્રનું દાન લઈ આવે છે. તે માટે દાતાના શરીરને ચક્ષુબેંક કે હોસ્પિટલ સુધી લાવવાની જરૂર પડતી નથી. આ માટે નેત્રદાતાના વારસદારને કોઈ ખર્ચ થતો નથી. તમામ જરૂરી ખર્ચ ચક્ષુબેંક ભોગવે છે. દાતાના મૃત્યુ બાદ લગભગ 6 કલાકની અંદર નેત્રદાન થવું જરૂરી છે. આપણા ભારત દેશમાં સેંકડોની સંખ્યામાં લોકો અંધાપાથી પીડાય છે, જેમાં યુવાનો અને બાળકોની સંખ્યા વધુ છે. ભારતમાં જરૂરિયાતના પ્રમાણમાં ચક્ષુદાનનું પ્રમાણ ઘણું ઓછું છે. કીકીના પ્રત્યારોપણ માટે ચક્ષુદાન દ્વારા મળતી આંખ-કોર્નિયા ઉપર જ આધાર રાખવો પડે છે અને તો જ કીકીનું પ્રત્યારોપણ શક્ય બને છે. ચક્ષુદાનમાં મળતા ચક્ષુમાંથી સરેરાશ 50 ટકા યક્ષુ જ પ્રત્યારોપણ માટે ઉપયોગી હોય છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ નેત્રદાન કરી શકે છે. વ્યકિત યશ્માં પહેરતી હોય કે મોતિયો ઉતરાવેલ હોય કે તેને ડાયાબિટીસ હોય કે બ્લડપ્રેશરથી પીડાતી હોય તો પણ તે ચક્ષુદાન કરી શકે છે. કોઈ પણ બ્લડગ્રૂપ ધરાવતી કે ગમે તે ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ કે જાતિની વ્યક્તિ નેત્રદાન કરી શકે છે. નેત્રદાન કર્યા બાદ એ નેત્ર આપનાર અને મેળવનારની ઓળખ ખાનગી રાખવામાં આવે છે. અમુક સંજોગોમાં જેમ કે મૃત્યુનું કારણ ઝેરી કમળો, એઇડ્સ, કેન્સર કે અન્ય ચેપી રોગો હોય તો એવા સંજોગોમાં નેત્રદાનમાં આવેલી આંખોનો ઉપયોગ સંશોધન કાર્ય માટે કરવામાં આવે છે. (કીકીના પ્રત્યારોપણ માટે આવા ચક્ષુ ઉપયોગમાં આવતા નથી.) ચક્ષુબેંક સતત 24 કલાક કાર્યરત રહેતી સામાજિક સંસ્થા છે. તેનું કાર્ય મૃત્યુ બાદ દાનમાં મળતા ચક્ષુ મેળવવા, તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી તેમજ યોગ્ય જાળવણી કરવાનું તથા આ ચક્ષુ (કીકી) નિષ્ણાત તબીબો સુધી પ્રત્યારોપણ માટે પહોંચાડવાનું છે. આ ચક્ષુનો લાભચક્ષુબેંકમાં નોંધાયેલ દર્દીઓ લઈ શકે છે. ચક્ષુદાનમાં મળેલ યક્ષુની કાળજીપૂર્વક જાળવણી ખૂબ જ જરૂરી છે. આ ચક્ષુઓની જાળવણી માટે ખાસ પ્રકારના પ્રવાહી ઉપલબ્ધ છે. જેમાં આપણે ચક્ષુ અથવા કીકીને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. આ માટે અત્યાર સુધી આપણે અમેરિકા જેવા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો અને તેની અવેજીમાં મળેલ કીકી ફકત 12 થી 48 કલાકમાં જ પ્રત્યારોપણના ઉપયોગમાં લેવાની ફરજ પડતી હતી. પરંતુ હવે આ પ્રવાહીની ઉપલબ્ધિના કારણે કીકીને 4 દિવસ સુધી જીવંત રાખી શકાય છે. જેથી કીકીના રોગના દર્દીઓને ઓપરેશન પહેલાં જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી. તબીબી ક્ષેત્રે થયેલાં સંશોધનો અને આધુનિક શસ્ત્રક્રિયા તેમજ વિકસિત સારવાર પદ્ધતિને પરિણામે કીકી પ્રત્યારોપણનો સફળતાનો આંક 80 થી 90 ટકા સુધી પહોંચાડી શકાયો છે.

10th June

Read more
વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન
10th June

નેત્રદાન એટલે આંખોનું દાન. ભારતમાં લાખો લોકો કીકીના અંધાપાથી પીડાય છે. (કીકી એટલે આંખની આગળનું ગોળ પારદર્શક પટલ જેને કોર્નિયા કહેવાય છે.) જો આ પારદર્શક પટલ સફેદ થઈ જાય તો વ્યક્તિને દેખાતું બંધ થઈ જાય. આવામાં જો આપણે મૃત્યુ બાદ નેત્રદાન કરીએ તો કોઈ અંધ વ્યકિતને રોશની મળી જાય. આનાથી સારું માનવીય કાર્ય કયું હોઈ શકે? આ કાર્ય કરવા માટે ચક્ષુબેંક (આઈબેંક) હોય છે જે (આઈબેંક એસોસીએશન ઓફ ઇન્ડિયામાં) રજિસ્ટર્ડ હોય છે. આ ચક્ષુબેંકનો કાર્યભાર સંભાળવા માટે એક કોર્નિયલ સર્જન (કીકીના સુપર સ્પેશ્યાલિસ્ટ) હોય છે. જે કીકીના પ્રત્યારોપણ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ...

Read more
વિશ્વ રક્તદાતા દિન
વિશ્વ રક્તદાતા દિન

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂનના રોજ 'વિશ્વ રક્તદાતા દિન' (World Blood Donor Day) ઊજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા, તેમનો આભાર કરવા, રક્તદાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને લોકોમાં રક્તદાનનું મહત્ત્વ સમજાવવા આ દિનની ઉજવણી કરે છે. રક્તદાન કરવું એ માત્ર સમાજ માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કાર્લ લેન્ડસ્ટેઇનરે એબીઓ રક્તસમૂહ પ્રણાલીની શોધ કરી હતી. તેમની આ શોધ માટે તેમને 1930માં નોબલ પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ 14 જૂન 1868ના રોજ થયો હતો. તેથી તેમના સન્માનમાં W.H.O. એ તેમની જન્મ તારીખે વિશ્વ રક્તદાતા દિન ઊજવવાનું નક્કી કર્યું હતું. શરીરને વિવિધ કામગીરી કરવા માટે રક્તની જરૂર પડે છે. રક્તની ઉણપ વ્યક્તિના જીવનને જોખમમાં મૂકી શકે છે. રક્તની જરૂરિયાત હોય ત્યારે સમયસર રક્ત પુરું પાડવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. રક્તદાન કરીને રક્તની ઉણપ પૂરી કરીને દર્દીનું જીવન બચાવી શકાય છે. આ કારણોસર લોકોને રક્તદાન માટે જાગૃત કરવામાં આવે છે. ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત રહે છે તેથી રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. રક્તનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું રક્ત એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે. આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે. આપણા દેશમાં લાખો લોકો ગભીર બીમારીઓનો ભોગ બને છે. જેના કારણે પણ લોહીની માંગમાં સતત વધારો થતો રહે છે. તેથી લોકો પણ અન્ય લોકોનું જીવન બચાવવા રક્તદાન કરે તે જરૂરી છે. રક્તદાન કરવાથી સામાન્ય રીતે કોઈ તકલીફ પડતી નથી તેમજ રક્તદાન કરનારને કોઈ પ્રકારની આડઅસર કે બીમારી પણ થતી નથી. ઘણાં લોકો એવું સમજે છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડે છે અને રક્ત પાછું મેળવવામાં મહિના લાગી જાય છે. એટલું જ નહીં લોકોમાં એ ભ્રમ પણ ફેલાયેલો છે કે નિયમિત રક્ત આપવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આવા ખોટા ભ્રમને કારણે લોકો રક્તદાનનું નામ સાંભળીને જ આંખ આડા કાન કરી દે છે. વિશ્વ રક્તદાતા દિન સમાજમાં રક્તદાનને લઈને ફેલાયેલા ભ્રમને દૂર કરવાનું અને રક્તદાનને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. આજનું આધુનિક વિજ્ઞાન પણ રક્તનું કૃત્રિમ રીતે ઉત્પાદન કરી શક્યું નથી. તેથી રક્તદાતાઓ જે રક્તદાન કરે છે તેના થકી જ લાખો લોકોની જિંદગી બચી રહી છે. આજના ખાસ દિને લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને રક્તની જરૂરિયાતવાળા લોકોની અમૂલ્ય જિંદગીને નવજીવન આપવામાં સહભાગી બનતા હોય છે. રક્તદાન માટે મોટે ભાગે શિબિરો યોજવામાં આવે છે અથવા બ્લડ બેંકમાં જઈને રક્તદાન કરવામાં આવતું હોય છે. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મદિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યું છે જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં સૌના સહિયારા પ્રયાસો હજુ પણ ઓછા પડે છે. જેમાં વધારો થાય અને જરૂર પડે ત્યારે દર્દીને સરળતાથી રક્ત મળી રહે તેવી પરિસ્થિતિ સર્જાય તે જ આદર્શ સ્થિતિ કહી શકાય. માનવીનું લોહી ચાર જૂથ (A, B, AB અને D)માં વહેંચાયેલું હોય છે. જે લોકો રક્તદાન કરવા માગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે, કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. આ ટેસ્ટમાં HIV અને હિપેટાઈટીસ જેવી બીમારીના ટેસ્ટ સામેલ છે. જે લોહી દ્વારા ફેલાતી બીમારીઓ છે. રક્તદાતાને તેની તબિયત વિશે પણ પૂછવામાં આવે છે અને એ પણ પૂછવામાં આવે છે કે તે કોઈ નશીલા પદાર્થનું સેવન કરે છે કે નહિ. જેથી અસુરક્ષિત લોહીથી બચી શકાય. રક્તદાન પછી રક્તદાતાના શરીર પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે એટલા માટે રક્તદાતાના શરીરની શારીરિક તપાસ પણ કરવામાં આવે છે. વજન, બ્લડપ્રેશર, હિમોગ્લોબિન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની તપાસ કરવામાં આવે છે. રક્તદાન કોણ કરી શકે ?ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિશારીરિક રીતે તંદુરસ્ત વ્યક્તિશરીરમાં લોહીની કમી ન હોય તે વ્યક્તિઓછામાં ઓછું 50 કિલો વજન ધરાવતી વ્યક્તિગંભીર રોગ કે લોહીની વિકૃતિ ન હોય તેવી વ્યક્તિ રક્તદાન કોણ ન કરી શકે ?રક્તદાન કરવાનું હોય તેના નજીકના સમયમાં કોઈ પણ પ્રકારનું રસીકરણ કરાવ્યું હોય તેવી વ્યક્તિશારીરિક રીતે અશક્ત કે નબળા વ્યક્તિગંભીર બીમારીથી પીડિત વ્યક્તિબ્લડપ્રેશરની સામાન્ય માત્રા કરતાં ઓછું કે વધુ બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિડાયાબિટીસના દર્દીઓસ્તનપાન કરાવતી માતાઓ18 વર્ષથી નીચેના અને 65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓધૂમ્રપાન, દારૂનું વધુ પડતું સેવન અને માદક દ્રવ્યો/નશીલા પદાર્થોનું સેવન કરતાં લોકો રક્તદાન ન કરી શકે.

14th June

Read more
વિશ્વ રક્તદાતા દિન
14th June

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂનના રોજ 'વિશ્વ રક્તદાતા દિન' (World Blood Donor Day) ઊજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા, તેમનો આભાર કરવા, રક્તદાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને લોકોમાં રક્તદાનનું મહત્ત્વ સમજાવવા આ દિનની ઉજવણી કરે છે. રક્તદાન કરવું એ માત્ર સમાજ માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

કાર્લ લેન્ડસ્ટેઇનરે એબીઓ રક્તસમૂહ પ્રણાલીની શોધ કરી હતી. તેમની આ શોધ માટે તેમને 1930માં નોબલ પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ 14 જૂન 1868ના...

Read more
પી.એન. ભગવતી પુણ્યતિથિ
પી.એન. ભગવતી પુણ્યતિથિ

ભારતના સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ પી.એન. ભગવતીનો જન્મ ૨૧ ડિસેમ્બર,૧૯૨૧ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનું પૂરું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી છે. તેમના પિતા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ નટવરલાલ એચ. ભગવતી હતા. ભગવતીએ મુંબઈમાં શિક્ષણ મેળવ્યું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. બોમ્બે યુનિવર્સિટીમાંથી ૧૯૪૧ માં ગણિત (ઓન.) ની ડીગ્રી લીધી હતી. ૧૯૪૨માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેમની ધરપકડ થઈ હતી અને ચાર મહિના ભૂગર્ભમાં રહ્યા હતા. બાદમાં તેમણે બોમ્બેની સરકારી લો કોલેજમાં અભ્યાસ કર્યા પછી બોમ્બે યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. ભગવતીએ પોતાની કારકિર્દીની શરૂઆત બોમ્બે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા કરી હતી. જુલાઇ,૧૯૬૦માં તેઓને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુક કરવામાં આવ્યા. સપ્ટેમ્બર,૧૯૬૭માં તેઓને તે અદાલતના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૭ ડિસેમ્બર, ૧૯૬૭ થી ૨૫ ડિસેમ્બર, ૧૯૬૭ અને ૧૭ માર્ચ, ૧૯૭૩ થી ૩ એપ્રિલ, ૧૯૭૩ એમ બે પ્રસંગોએ તેમણે ગુજરાતના રાજ્યપાલ તરીકે કામચલાઉ કાર્ય કર્યુ હતું. જુલાઈ,૧૯૭૩માં તેઓ ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થયા. ૧૨ જુલાઇ,૧૯૮૫ ના રોજ તેઓ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. ૧૨ જુલાઈ, ૧૯૮૫ થી ૨૦ ડિસેમ્બર, ૧૯૮૬ સુધી ભારતની સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે, ભગવતીએ ભારતીય ન્યાયિક પ્રણાલીમાં જાહેર હિતની દાવા અને સંપૂર્ણ જવાબદારીની ખ્યાલો રજૂ કર્યા. તેથી તેમને ન્યાયમૂર્તિ વી.આર. કૃષ્ણ ઐય્યર સાથે દેશમાં ન્યાયિક પ્રવૃતિના પ્રણેતા ગણવામાં આવે છે. ૧૯૮૨માં તેઓ કોલંબિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલ અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સના ફેલો તરીકે ચૂંટાયા હતા. તેઓ ૧૯૯૫ થી ૨૦૦૯ સુધી સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર સમિતિના સભ્ય હતા. ૨૦૯૧-૦૩માં તેઓ આ સમિતિના અધ્યક્ષ પણ હતા. તેમણે ૨૭ વર્ષથી વધુ સમય માટે ૨૦૦૬ સુધી આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનની નિષ્ણાતોની સમિતિના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું. તેઓ ૬ મે,૨૦૧૧ ના રોજ શ્રી સત્ય સાઈ ઇન્સ્ટિટટ્યુટ ઓફ હાયર લર્નિંગના કુલપતિ તરીકે નિયુક્ત થયા હતા. ૨૦૦૭માં ભગવતીને જાહેર બાબતોમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ન્યાયાધીશ ભગવતીનું નવી દિલ્હી સ્થિત તેમના ઘરે ટૂંકી બિમારી બાદ ૯૫ વર્ષની વયે ૧૫ જૂન, ૨૦૧૭ ના રોજ અવસાન થયું હતું. તેમની અંતિમ વિધિ ૧૭ જૂને કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારતના કાયદાકીય બંધુત્વનું ગૌરવ ગણાવતાં તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

15th June

Read more
પી.એન. ભગવતી પુણ્યતિથિ
15th June

ભારતના સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ પી.એન. ભગવતીનો જન્મ ૨૧ ડિસેમ્બર,૧૯૨૧ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનું પૂરું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી છે. તેમના પિતા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ નટવરલાલ એચ. ભગવતી હતા. ભગવતીએ મુંબઈમાં શિક્ષણ મેળવ્યું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. બોમ્બે યુનિવર્સિટીમાંથી ૧૯૪૧ માં ગણિત (ઓન.) ની ડીગ્રી લીધી હતી. ૧૯૪૨માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેમની ધરપકડ થઈ હતી અને ચાર મહિના ભૂગર્ભમાં રહ્યા હતા. બાદમાં તેમણે બોમ્બેની સરકારી લો કોલેજમાં અભ્યાસ કર્યા પછી બોમ્બે...

Read more
વિશ્વ સંગીત દિન
વિશ્વ સંગીત દિન

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21મી જૂન નો દિવસ 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી કલાકારોને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમનું સન્માન કરવાનો છે. આ દિવસને 'મેક મ્યુઝિક ડે' અને ફ્રેન્ચમાં 'ફેટ દ લા મ્યુઝિક' તરીકે પણ ઓળખવામાં આવે છે. સંગીતને બધા રોગોની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. સારું સંગીત સાંભળીને હળવાશની અનુભૂતિ થાય છે અને શરીરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર થવાના કારણે આરોગ્ય ખૂબ જ સારું રહે છે. સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને 21મી જૂનને સમગ્ર વિશ્વમાં 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21 જૂન, 1982ના રોજ સૌ પ્રથમ ફ્રાન્સમાં વિશ્વ સંગીત દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને લોકોની સામે ઊજવવાના ફ્રાન્સના મંત્રી મૌરિસ ફ્લુરેટ ના પ્રસ્તાવને 1981ના વર્ષમાં સ્વીકારવામાં આવ્યો હતો. ત્યાર પછી ફ્રાન્સના સંસ્કૃતિ પ્રધાન જેક લેંગે 1982માં વિશ્વ સંગીત દિન ઊજવવાની જાહેરાત કરી વર્ષ 1985માં બીજા દેશોએ પણ આ દિવસની ઉજવણીની શરૂઆત કરી. વિશ્વ સંગીત દિનની ઉજવણી માટે દર વર્ષે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવે છે. આ દિવસે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા મોટા ગાયકો અને સંગીતકારોનું સન્માન કરવામાં આવે છે. સંગીતને લગતા મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર વખતે વિશ્વ સંગીત દિનની ઉજવણીમાં વિશ્વના 120થી વધુ દેશો ભાગ લે છે. સમગ્ર વિશ્વમાં સંગીતપ્રેમીઓ આ દિવસની ઉજવણી કરે છે. જુદા જુદા દેશોના સંગીતકારો વાદ્યો વગાડી પોતાની કલાનું પ્રદર્શન કરે છે. -વિશ્વ સંગીત દિન યુવા અને કલાપ્રેમી સંગીતકારોને તેમની પ્રતિભાનું જીવંત પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.-લોકો સંગીતનું મહત્ત્વ જાણે અને સંગીત પ્રત્યે વધુ રુચિ કેળવે તે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે.-વર્તમાન યુવા પેઢી સંગીતનાં વિવિધ વાદ્યો, સંગીતના વિવિધ રાગ, લય-તાલ વિશે જાણે અને તેમાં રસ કેળવે તે પણ આ દિનની ઉજવણીનો આશય છે. સંગીત મૂળ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ સમુ+ગીત થાય છે. સમ એટલે યોગ્ય રીતે અને ગીત એટલે ગાવું. આમ, સંગીતનો અર્થ થાય છે સારી રીતે કે યોગ્ય રીતે ગાવું. સંગીત કોઈ એકલનો મિત્ર છે. તો કોઈ માટે નવું સર્જન છે. સંગીત કોઈના માટે સાધન તો, કોઈના માટે સાધના છે. સંગીત કોઈના માટે આનંદ તો. કોઈના માટે સમગ્ર જીવન છે. સંગીત એક એવું માધ્યમ છે કે જે આપણા જીવનમાં આપણી જરૂરિયાત પૂરી કરે છે. સંગીત આપણા શરીરની કેટલીય બીમારીઓની સારવાર પણ કરે છે. નિષ્ણાતોના મતે સંગીત યોગનો જ એક ભાગ છે. સંગીત આપણા શરીરમાં હોર્મોનનું સંતુલન જાળવી રાખે છે. આપણા માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. સંગીતમાં એટલી શક્તિ છે કે તેનાથી ઘણા રોગોમાંથી મુક્ત થવાય છે. જેને 'મ્યુઝિક થેરેપી'ના નામે ઓળખવામાં આવે છે. ડિપ્રેશન અને પ્રસવપીડામાં મ્યુઝિક થેરેપીથી અસરકારક પરિણામ મળે છે. મગજને શાંત રાખવા અને જીવનની વ્યથાઓથી બહાર લાવવાની શક્તિ સંગીત ધરાવે છે. બાળક કે મોટા બધાનાં જીવનમાં સંગીત એક અગત્યની ભૂમિકા ભજવે છે. જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગ દ્વારા એવું સાબિત પણ કર્યું છે કે વનસ્પતિ પર પણ સંગીતની અસર થાય છે. મનુષ્ય જીવનમાં સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ વિશ્વ સંગીત દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

21st June

Read more
વિશ્વ સંગીત દિન
21st June

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21મી જૂન નો દિવસ 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી કલાકારોને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમનું સન્માન કરવાનો છે. આ દિવસને 'મેક મ્યુઝિક ડે' અને ફ્રેન્ચમાં 'ફેટ દ લા મ્યુઝિક' તરીકે પણ ઓળખવામાં આવે છે. સંગીતને બધા રોગોની શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. સારું સંગીત સાંભળીને હળવાશની અનુભૂતિ થાય છે અને શરીરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર થવાના કારણે આરોગ્ય ખૂબ જ સારું રહે છે. સંગીતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને 21મી જૂનને સમગ્ર વિશ્વમાં 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવાનું...

Read more