Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન

કેન્સર નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી તાત્કાલિક પ્રતિક્રિયા એક ભયની હોય છે. આ મુખ્યત્વે એટલા માટે છે કે આપણે મોટેભાગે કેન્સરને મૃત્યુ સાથે સાંકળીએ છીએ. કેન્સર લગભગ ઘણા લોકો માટે મૃત્યુનો સમાનાર્થી બની ગયો છે. પરંતુ આ ખોટી હકીકત છે. જો વહેલી તકે કેન્સરનું નિદાન કરવામાં આવે તો કેન્સરની સારવાર આસાનીથી કરી શકાય છે. કેન્સરને વહેલું શોધી કાઢવું અને ઈલાજની વધુ સારી તક આપવી તે હંમેશાં વધુ સારું છે.  કેન્સરને વહેલું શોધવા માટે તેમજ આ રોગ વિશે જાગૃતિ કેળવવા માટે 7 નવેમ્બર, 2014 ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 7 નવેમ્બર ને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે નક્કી કરવાનું કારણ એ છે કે તે મેડમ ક્યૂરી નો જન્મદિવસ છે, જેમણે રેડિયમ અને પોલોનિયમ ની શોધ દ્વારા કેન્સરની સારવારમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે કેન્સરના નિદાન માટે રેડિયો થેરાપીનો વિકાસ થયો હતો. તત્કાલીન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધ ને કેન્સર નિયંત્રણના પ્રયાસોની શરૂઆત કરી, જે કેન્સરની સારવાર માટે પ્રારંભિક તપાસ અને સંશોધનને પ્રોત્સાહિત કરે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતમાં કેન્સરના કેસ અને મૃત્યુ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં કેન્સર સંબંધિત ચિંતાનું મુખ્ય કારણ એ છે કે નોંધાયેલા કેસના બે તૃતીયાંશ કેસોનું નિદાન અંતિમ તબક્કામાં થાય છે, જે દર્દીના જીવનને નોંધપાત્ર રીતે અસર કરે છે. અંતિમ તબક્કે નિદાન થવાથી દર્દીના ઈલાજ અને જીવિત રહેવાની શક્યતા ઘટી જાય છે તેમજ સારવાર પછી જીવનની ગુણવત્તાને અસર કરે છે. અંતિમ સ્ટેજના કેન્સરની સારવારમાં ઘણો ખર્ચ થાય છે. કેન્સરના મોટાભાગના કેસો માત્ર અંતિમ તબક્કામાં જ નોંધાય છે તેનું મુખ્ય કારણ કેન્સરનાં લક્ષણો  અને સામાન્ય રીતે કેન્સર અંગે લોકોમાં ઓછી જાગૃતિ છે. જો પ્રારંભિક તબક્કામાં લક્ષણોની જરૂરી તપાસ થાય તો ઝડપી સારવાર કરી શકાય છે, પરંતુ આ માટે લોકોને કેન્સરનાં સામાન્ય લક્ષણો અને તેના માટે કેવી રીતે તપાસ કરવી તે વિશેની જાગૃતિ હોવી જરૂરી છે. કેન્સરનું મુખ્ય કારણ તમાકુનો ઉપયોગ છે. તમાકુથી ઓછામાં ઓછા 14 પ્રકાર નાં કેન્સર થવાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તમાકુના ઉપયોગથી મોઢાનાં કેન્સર, ફેફસાનાં કેન્સર અને પેટનાં કેન્સર થાય છે. સમગ્ર દેશમાં કેન્સરના કેસનું વિશ્લેષણ કરતી વખતે ચોક્કસ ભૌગોલિક પેટર્ન શોધી શકાય છે. તમાકુ સંબંધિત કેન્સર અને સ્ત્રીઓમાં સર્વાંઇકલ કેન્સરની મોટી સંખ્યા મુખ્યત્વે નીચલા સામાજિક-આર્થિક દરજ્જાના લોકોમાં જોવા મળે છે, જ્યારે કેન્સરના અન્ય પ્રકારો જેમ કે સ્તન કેન્સર અને કોલોરેકટલ કેન્સર, જે સ્થૂળતા, વધુ વજન અને ઓછી શારીરિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. તે ઉચ્ચ આર્થિક સ્થિતિના લોકોમાં જોવા મળે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો અને જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં મોટી સંખ્યામાં અન્નનળી અને જરનાં કેન્સર જોવા મળે છે, જે એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે તેમની મસાલેદાર ખોરાક ની આદતો આ રોગ થવામાં મુખ્ય પરિબળ હોઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ખેતીમાં વિશેષ કરીને શાકભાજી, ફળો વગેરેના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં રસાયણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ પણ આમાં કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ખાદ્ય પદાર્થોનું પ્લાસ્ટિકમાં પેકિંગ પણ જવાબદાર પરિબળ છે.એક અભ્યાસ મુજબ લગભગ 40 ટકા દર્દીઓને કેન્સર થવાનું કારણ તમાકુનું સેવન છે. તેથી તમાકુ અને તેની વિશેષ ગુટકા જેવી તમામ બનાવટો અને ધૂમ્રપાન બંધ કરવા ખાસ જનજાગૃતિ લાવવી જરૂરી છે અને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી 7 નવેમ્બર નો દિવસ કેન્સર જાગૃતિ દિન તરીકે ઉજવવામાં આવે છે.         કેન્સર જાગૃતિ વિશે રસપ્રદ તથ્યો કેન્સરના આંકડા અટકાવી શકાય તેવું નિષ્ણાતો માને છે. ભારતમાં કેન્સર માટે જવાબદાર કારણોમાં 40% તમાકુ, બીડી, સિગારેટ, દારુ જેવાં વ્યસનોને કારણે છે, 20% રોગ ચેપ સંબંધિત છે અને બાકીનાં અન્ય પરિબળોને કારણે છે. જે જાગૃતિ દ્વારા રોકી શકાય તેમ છે. ભારતમાં દર 8 મિનિટે સર્વાઇકલ કેન્સરથી એક મહિલાનું મૃત્યુ થાય છે. સ્તન કેન્સરનું નિદાન થયેલી દર 2 મહિલાએ ભારતમાં એક મહિલાનું મૃત્યુ થાય છે. જો કે હાલના સમયમાં સર્વાઈકલ કેન્સર માટેની રસી ઉપલબ્ધ બની છે. જાગૃતિનો અભાવ, નિરક્ષરતા અને ડરના કારણે ભારતમાં લગભગ 50% કેન્સરના કેસોનું નિદાન અંતિમ તબક્કામાં થાય છે.

07th November

Read more
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન
07th November

કેન્સર નામ સાંભળીએ છીએ, ત્યારે આપણી તાત્કાલિક પ્રતિક્રિયા એક ભયની હોય છે. આ મુખ્યત્વે એટલા માટે છે કે આપણે મોટેભાગે કેન્સરને મૃત્યુ સાથે સાંકળીએ છીએ. કેન્સર લગભગ ઘણા લોકો માટે મૃત્યુનો સમાનાર્થી બની ગયો છે. પરંતુ આ ખોટી હકીકત છે. જો વહેલી તકે કેન્સરનું નિદાન કરવામાં આવે તો કેન્સરની સારવાર આસાનીથી કરી શકાય છે. કેન્સરને વહેલું શોધી કાઢવું અને ઈલાજની વધુ સારી તક આપવી તે હંમેશાં વધુ સારું છે.


 કેન્સરને વહેલું શોધવા માટે તેમજ આ રોગ વિશે જાગૃતિ કેળવવા માટે 7 નવેમ્બર, 2014 ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન તરીકે જાહેર કરવામાં...

Read more
ડૉ. સી. વી. રામન જયંતી
ડૉ. સી. વી. રામન જયંતી

શ્રી ચંદ્રશેખર વેંકટ રામન (ડૉ. સી. વી. રામન) મહાન ભૌતિક વૈજ્ઞાનિક હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર (Raman Effect) માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા.  ડૉ. સી. વી. રામન નો જન્મ 7 નવેમ્બર, 1888 ના રોજ ભારતના તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં થયો હતો. એમની માતૃભાષા તમિલ હતી. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે ડૉ. સી. વી. રામનને ઘરમાં જ ભણવાનું યોગ્ય વાતાવરણ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસને કારણે વિદ્યાર્થી આલમમાં તેઓ ખૂબ પ્રિય થયા હતા. ખગોળશાસ્ત્ર માં પણ તેમને ઊંડો રસ હતો. ડૉ. સી. વી. રામને પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નઈમાંથી 1904 માં સ્નાતક ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. 1907 માં એમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ૪૦% થી વધુ ગુણાંક સાથે મેળવી હતી. ત્યારબાદ તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત ઇન્ડિયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ માં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે કોલકાતાથી કરી હતી. 1922 માં કોલકાતા યુનિવર્સિટીએ તેમને ડૉકટર ઓફ સાયન્સની પદવી આપી. તેમજ લંડન રોયલ સોસાયટીએ તેમને ફેલોશીપ પણ આપી.  ડૉ. સી. વી. રામને 1928 ની 28 ફેબ્રુઆરી ના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. જેના આધારે તેમણે રામન ઈફેક્ટની શોધ કરી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે રામન ઈફેક્ટને સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં સૌ પ્રથમ નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં 28મી ફેબ્રુઆરી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. રામન ઈફેક્ટમાં તેમણે પ્રકાશનાં કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે ઊંડું સંશોધન કર્યુ હતું. 1954 માં ડૉ. સી. વી. રામનને “ભારતરત્ન'નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં આટલી ઉચ્ચ સિદ્ધિ મેળવી હોવા છતાં પણ તેમના જીવનમાં સાદગી અને ભારતીય પરંપરા જોવા મળતાં હતાં, જેની નોંધ સમકાલીન લોકોએ લીધી છે.

07th November

Read more
ડૉ. સી. વી. રામન જયંતી
07th November

શ્રી ચંદ્રશેખર વેંકટ રામન (ડૉ. સી. વી. રામન) મહાન ભૌતિક વૈજ્ઞાનિક હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર (Raman Effect) માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા.


 ડૉ. સી. વી. રામન નો જન્મ 7 નવેમ્બર, 1888 ના રોજ ભારતના તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી માં થયો હતો. એમની માતૃભાષા તમિલ હતી. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે ડૉ. સી. વી. રામનને ઘરમાં જ ભણવાનું યોગ્ય વાતાવરણ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા...

Read more
નાનાભાઈ ભટ્ટ જયંતી
નાનાભાઈ ભટ્ટ જયંતી

 નાનાભાઈ કાલિદાસ ભટ્ટનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર, 1882 ના ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો હતો. નાનાભાઈ ભટ્ટના કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. બીલખા આશ્રમ ના મહંત શ્રી નથુરામ શર્મા એ નાનાભાઈને આશ્રમમાં રાખીને તેમના શરૂઆતના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. બાદમાં એમ.એ. સુધીનું શિક્ષણ મેળવીને તેમણે ત્રણેક મહિના મહુવાની હાઈસ્કૂલ માં નોકરી કરી હતી. ત્યાર બાદ તેઓ શામળદાસ કોલેજ માં પ્રોફેસર બન્યા હતા. ભાવનગરની આ કોલેજના પ્રોફેસરે કોલેજમાંથી રાજીનામુ આપીને ભાવનગર રેલવે સ્ટેશન પાસે એક ધર્મશાળામાં 'દક્ષિણામૂર્તિ' નામની સંસ્થા સ્થાપીને તેના પૂર્ણકાલીન શિક્ષક બન્યા હતા. દક્ષિણામૂર્તિના પૂર્ણકાલીન સેવક બનીને તેમણે સંસ્થાને વટવૃક્ષ બનાવી હતી. મહાત્મા ગાંધી ના નિમંત્રણથી 1926 ના અરસામાં તેઓ સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠ ના કુલનાયક બન્યા હતા. ગાંધીજીની નઈ તાલીમ આધારિત ગ્રામ્ય સંસ્કૃતિને ચિતાર આપવા નાનાભાઈ ભટ્ટે 1938 માં આંબલા (સોનગઢ પાસે)માં ગ્રામ કેળવણીના નૂતન પ્રયોગ માટે 'ગ્રામ દક્ષિણામૂર્તિ' નામની લોકશાળા સ્થાપી હતી. તેના પગલે ગુજરાતમાં અનેક લોકશાળાઓ ઊભી થઈ અને ગ્રામ કેળવણીમાં ક્રાંતિ થઈ. બાદમાં તેમણે ઉચ્ચ શિક્ષણ માટે 1953 માં 'લોકભારતી (સણોસરા)' નામની સંસ્થા સ્થાપી હતી. આત્મચરિત્રકાર, કથાલેખક, શિક્ષણવિદ, પ્રયોગશીલ કેળવણીકાર એવા નાનાભાઈ ભટ્ટ સાથે ગિજુભાઈ બધેકા, મનુભાઈ પંચોળી, હરભાઈ ત્રિવેદી જેવા કેળવણીકારો દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા હતા. આઝાદી બાદ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે તેઓ 1948 માં સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણ પ્રધાન બન્યા હતા. 1954 થી1958 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. કેળવણી પ્રદાન માટે ભારત સરકારે તેમને 1960 માં 'પદ્મશ્રી' નો ઇલકાબ આપ્યો હતો. નાનાભાઈ ભટ્ટે આપણા દેશનો ઇતિહાસ', 'હજરત મહંમદ પયગંબર', 'મહાભારતનાં પાત્રો', 'રામાયણનાં પાત્રો', “લોકરામાયણ”, ‘આફ્રિકાનો પ્રવાસ', 'સંસ્કૃત સુભાષિતો, 'દૃષ્ટાંત કથાઓ 1 અને 2', 'કેળવણીની પગદંડી', 'ઘડતર અને ચણતર-1, 2', 'સંસ્થાનું ચરિત્ર', “પથારીમાં પડ્યાં પડ્યાં' વગેરે રચનાઓ આપી છે. નાનાભાઈ ભટ્ટનું અવસાન 31 ડિસેમ્બર, 1961 ના રોજ સણોસરા, ભાવનગર ખાતે થયું હતું. નાનાભાઈ ભટ્ટના વ્યક્તિત્વના અનેક આયામો હોવા છતાં ગુજરાત તેમને 'પાયાના કેળવણીકાર' તરીકે વધારે ગૌરવ આપે છે.

11th November

Read more
નાનાભાઈ ભટ્ટ જયંતી
11th November

 નાનાભાઈ કાલિદાસ ભટ્ટનું મૂળ નામ નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. નાનાભાઈ ભટ્ટનો જન્મ 11 નવેમ્બર, 1882 ના ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો હતો. નાનાભાઈ ભટ્ટના કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. બીલખા આશ્રમ ના મહંત શ્રી નથુરામ શર્મા એ નાનાભાઈને આશ્રમમાં રાખીને તેમના શરૂઆતના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. બાદમાં એમ.એ. સુધીનું શિક્ષણ મેળવીને તેમણે ત્રણેક મહિના મહુવાની હાઈસ્કૂલ માં નોકરી કરી હતી. ત્યાર બાદ તેઓ શામળદાસ કોલેજ માં પ્રોફેસર બન્યા હતા. ભાવનગરની આ કોલેજના પ્રોફેસરે...

Read more
રાષ્ટ્રીય શિક્ષણ દિન
રાષ્ટ્રીય શિક્ષણ દિન

સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન અને શિક્ષણને સમર્પિત એવા મૌલાના અબુલ કલામ આઝાદ ની જયંતીને ભારતમાં દર વર્ષે 11 નવેમ્બર ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ સાઉદી અરબના મક્કામાં 11 નવેમ્બર, 1888ના રોજ થયો હતો. આ દિવસ ઉજવવાની જાહેરાત ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવેમ્બર, 2008 ના રોજ કરવામાં આવી હતી. મૌલાના અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાના પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન હતા. ભારતની શિક્ષણ પ્રણાલીમાં પાયાનું પરિવર્તન લાવવામાં તેમજ રાષ્ટ્ર નિર્માણ, સંસ્થા નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે તેઓએ આપેલા યોગદાનને યાદ કરવા તેમજ શિક્ષણનું મહત્વ સમજાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.         અબુલ કલામ આઝાદે 1912 માં કોલકાતામાં 'અલહિલાલ' નામે ઉર્દૂ સાપ્તાહિક શરૂ કરીને તેમાં પ્રગતિશીલ વિચારોનું પ્રતિપાદન કરેલું. 1920 થી 1945 દરમિયાન તેમણે અનેકવાર કારાવાસ વેઠ્યો હતો. 1940 થી 1946 ના નિર્ણાયક વર્ષોમાં તેઓ કોંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા હતા. 'હિંદ છોડો' ચળવળ તથા કેબિનેટ મિશન સાથેની વાટાઘાટોમાં તેઓ અગ્રેસર રહ્યા હતા. મૌલાના આઝાદ ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિના પ્રશંસક હતા અને તેના પ્રત્યે આદરભાવ રાખતા. પ્રખર રાષ્ટ્રવાદી તરીકે તેઓ બિનસાંપ્રદાયિકતાના પુરસ્કર્તા હતા. તેઓ ગહન ચિંતનશક્તિ ધરાવતા ઉત્કૃષ્ટ આદર્શવાદી હતા.   કોઈપણ દેશના વિકાસમાં શિક્ષણનું પ્રદાન અમૂલ્ય હોય છે. શિક્ષણ થકી જ કોઈપણ દેશ પોતાનો વિકાસ સાધી શકે છે. અબુલ કલામ આઝાદને સ્વતંત્ર ભારતમાં શિક્ષણના મુખ્ય ‘આર્કિટેક્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદ 15 ઓગસ્ટ, 1947 થી 2 ફેબ્રુઆરી, 1958 સુધી ભારતના શિક્ષણપ્રધાન હતા. તેઓએ ગ્રામીણ ગરીબો અને કન્યાઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. તેઓ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની, વિદ્વાન અને જાણીતા શિક્ષણવિદ્ હતા. જેમણે શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.   આ દિવસે સમગ્ર દેશમાં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મૌલાના અબુલ કલામ આઝાદના જીવન તેમજ તેમના શિક્ષણક્ષેત્રમાં પ્રદાન અને સિદ્ધિઓ પર ચર્ચાઓ, વિવિધ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા વર્તમાન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં જરૂરી સુધારાઓ સૂચવવા માટે ચર્ચાસભાઓ અને સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે. જેથી લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને શિક્ષણનું મહત્વ સમજે. તેઓશ્રી રાષ્ટ્રસેવાના કાર્યમાં 2 ફેબ્રુઆરી, 1958 થી મૃત્યુ સુધી કાર્યરત રહ્યા. તેમનાં વિવિધ પ્રકારનાં પ્રદાનોને ધ્યાને લઇ 1992 માં તેઓને મરણોપરાંત ‘ભારતરત્ન'થી નવાજવામાં આવ્યા હતા.

11th November

Read more
રાષ્ટ્રીય શિક્ષણ દિન
11th November
સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન અને શિક્ષણને સમર્પિત એવા મૌલાના અબુલ કલામ આઝાદ ની જયંતીને ભારતમાં દર વર્ષે 11 નવેમ્બર ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ સાઉદી અરબના મક્કામાં 11 નવેમ્બર, 1888ના રોજ થયો હતો. આ દિવસ ઉજવવાની જાહેરાત ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા 11 નવેમ્બર, 2008 ના રોજ કરવામાં આવી હતી. મૌલાના અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાના પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન હતા. ભારતની શિક્ષણ પ્રણાલીમાં પાયાનું પરિવર્તન લાવવામાં તેમજ રાષ્ટ્ર નિર્માણ, સંસ્થા નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે તેઓએ આપેલા યોગદાનને યાદ...
Read more
વિશ્વ ડાયાબિટીસ દિન
વિશ્વ ડાયાબિટીસ દિન

વિશ્વમાં ડાયાબિટીસ (મધુપ્રમેહ)નાં દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેથી આ રોગ અંગે જાગૃતિ અને સાવચેતી કેળવવા માટે 'ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન' અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં 1991 થી દર વર્ષે 14 નવેમ્બરે ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ' ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર નો દિવસ ઈન્સ્યુલિનના સહશોધક સર ફેડરિક બેન્કિંગ નો જન્મદિવસ હોવાથી 'વિશ્વ ડાયાબિટીસ દિન' તરીકે આ દિવસની પસંદગી કરવામાં આવી છે.   ડાયાબિટીસ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ ડાયાબિટીસના ઘણા દર્દીઓ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તેથી આ રોગને કારણે વધતી જતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને અને તેના વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે.   “વિશ્વ ડાયાબિટીસ દિન'ની ઉજવણીના ભાગરૂપે ડાયાબિટીસ સ્ક્રિનિંગ પ્રોગ્રામ્સ, રેડિયો અને ટેલિવિઝન ઝુંબેશ, રમતગમતની ઇવેન્ટ્સ અને અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ડાયાબિટીસની બીમારીને અટકાવવા માટે ફક્ત જાગૃતિ પૂરતી નથી, પણ લોકોની જીવનશૈલી બદલવાની પણ એટલી જ જરૂર છે. અનિયમિત ખાણીપીણી અને શારીરિક શ્રમ કરવાની આળસ, નિયમિત કસરત ન કરવી, જંકફૂડનું વધુ પડતું સેવન, તણાવયુક્ત જીવન, પૂરતી ઊંઘ ન લેવી, વધુ પડતા ગળ્યા પદાર્થોનું સેવન તેમજ આનુવાંશિક કારણોથી વ્યક્તિ ડાયાબિટીસની ઝપેટમાં આવે છે. શું છે ડાયાબિટીસ? ડાયાબિટીસમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં સુગર(ખાંડ)નું પ્રમાણ બહુ જ વધી જતું હોય છે. ડાયાબિટીસ બે પ્રકારનાં હોય છેઃ ટાઈપ-1 અને ટાઈપ-2. શરીરમાંના ઇન્સ્યૂલિન નામના એક હોર્મોન સાથે આ બન્ને પ્રકારનાં ડાયાબિટીસને સંબંધ છે.   ટાઈપ-1 ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા કોષોનો નાશ થાય છે. ટાઈપ-2 ડાયાબિટીસમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે અથવા કોષો ઇન્સ્યૂલિન સંબંધે પ્રતિભાવ આપતા નથી. ડાયાબિટીસનાં લક્ષણો: • વારંવાર તરસ લાગવી • વજન ઘટી જવું. • ખૂબ ભૂખ લાગવી. • શરીરમાં નબળાઈ લાગવી. • વારંવાર પેશાબ આવવો. • ઘા ન રૂઝાવા. • થાક લાગવો. • ખાલી ચડવી, ઝણઝણાટી કે બળતરા થવી. • અંધાપો આવવો કે ઝાંખપ વળવી વગેરે... ડાયાબિટીસનાં ઉપર બતાવેલાં લક્ષણો જણાય તો વહેલી તકે તેની તપાસ કરાવવી જોઈએ. ભૂખ્યા પેટે અને જમ્યા પછી લોહીમાં સુગરની તપાસ જેવાં લોહીનાં પરીક્ષણથી ડાયાબિટીસ છે કે નહીં અને શરીરમાં તેનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. સાવધાની: • બ્લડ સુગર લેવલ જાળવી રાખવા માટે વધુ પ્રમાણમાં ફાઈબર ધરાવતાં ફળો અને શાકભાજીનું સેવન કરવું. • ચોકલેટ, કેન્ડી, કુકી અને સોડા જેવા સુગર ધરાવતા પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું અને ઘરનું ભોજન લેવું. • ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા અને અન્ય રોગોથી બચવા માટે વજન નિયંત્રણમાં રાખવું. • ડૉક્ટર અને ડાયેટિશિયન દ્વારા સૂચવવામાં આવતા વિવિધ ડાયટ પ્લાન વિશે સમજી તેનું પાલન કરવું

14th November

Read more
વિશ્વ ડાયાબિટીસ દિન
14th November
વિશ્વમાં ડાયાબિટીસ (મધુપ્રમેહ)નાં દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેથી આ રોગ અંગે જાગૃતિ અને સાવચેતી કેળવવા માટે 'ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન' અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં 1991 થી દર વર્ષે 14 નવેમ્બરે ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ' ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર નો દિવસ ઈન્સ્યુલિનના સહશોધક સર ફેડરિક બેન્કિંગ નો જન્મદિવસ હોવાથી 'વિશ્વ ડાયાબિટીસ દિન' તરીકે આ દિવસની પસંદગી કરવામાં આવી છે.   ડાયાબિટીસ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ ડાયાબિટીસના ઘણા દર્દીઓ છે અને આ સંખ્યા સતત...
Read more
બાળવાર્તા દિન (ગિજુભાઈ બધેકા જયંતી)
બાળવાર્તા દિન (ગિજુભાઈ બધેકા જયંતી)

બાળવાર્તાઓ બાળગીતો બાળકોને અને બહુ પ્રિય હોય છે. શાળા સમય દરમિયાન વર્ગખંડમાં પુરાઈને ગોખણિયા શિક્ષણના ભાર હેઠળ દબાયેલું ભૂલકું વાર્તા ભૂખ્યું રહી ન જાય તે જરૂરી છે. કુમળી વયના બાળકોની ભાષાશિક્ષણની સફર બાળવાર્તાથી શરૂ થાય એ પણ એટલું જ આવશ્યક છે. તે હેતુથી 2021માં ભાવનગરના દક્ષિણામૂર્તિ ખાતે યુગમૂર્તિ બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકા ના જન્મદિન 15મી નવેમ્બરને સમગ્ર ગુજરાતમાં બાળવાર્તા દિન તરીકે ઉજવવાની જાહેરાત થઈ.   જીવન, સાહિત્ય તેમજ શિક્ષણમાં વાર્તાનું અનન્ય મહત્વ છે. પંચતંત્ર એ શિક્ષણ કે બોધ આપવા માટે રચાયેલી વાર્તાઓ જ છે. બાળકોને વાર્તાનો ખજાનો મળી જાય તો બધું જ ભૂલી જાય. આમ, વાર્તા પણ શિક્ષણનું માધ્યમ બને તો શિક્ષણ પણ અસરકારક બને તે આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય છે.    ગિજુભાઈ બધેકા નો જન્મ 15 નવેમ્બર, 1885 ના રોજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. ગિજુભાઈના પિતાનું નામ ભગવાનજી અને માતાનું નામ કાશીબા હતું. તેમનું બાળપણ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ વલભીપુરની શાળામાં લીધું. શિક્ષણ પૂરું કરી 1907 માં તેઓ વ્યવસાય અર્થે પૂર્વ આફ્રિક્રા અને પછી મુંબઈ ગયા હતા. પોતાના પુત્રના શિક્ષણની શરૂઆત થતાં તેમને શિક્ષણમાં રસ પડવા લાગ્યો. આખરે વકીલાતની ધીકતી કમાણી છોડી. ત્યાર પછી 1920 ના દાયકામાં ભાવનગરમાં આવેલા શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં બાળઅધ્યાપન મંદિર ની સ્થાપના થઈ અને ગિજુભાઈ એના આચાર્યપદે નિયુક્ત થયા.   બાળસાહિત્ય અને બાળકેળવણી જગતમાં આમૂલ પરિવર્તન લાવનાર શ્રી ગિજુભાઈ બધેકાએ પરંપરાગત શિક્ષણ પદ્ધતિને પડકારી બાળકેળવણીની આખી વ્યાખ્યા જ બદલી નાખી હતી. શાળામાં વર્ગખંડમાં પુરાઈ રહેલાં બાળકોને એમણે ખુલ્લા આકાશ નીચે મૂકી દીધાં, ગોખીને ભણતાં બાળકોને ખુલ્લી ક્ષિતિજો સામે જોઇને શીખતાં કર્યાં. ભારતીય શિક્ષણનું પ્રચલિત સૂત્ર 'આચાર્ય દેવો ભવ' બદલીને એમણે 'બાળ દેવો ભવ'નો નૂતન ખ્યાલ આપ્યો ગિજુભાઈએ સાહિત્ય સર્જન, શિક્ષણ, બાળસાહિત્ય અને ચિંતન જેવા વિષયો પર ઘણાં પુસ્તકો લખ્યાં છે. જેમાં 'દિવાસ્વપ્ન પુસ્તક ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. તેમને બાળ કેળવણીમાં ઊંડો રસ હોઇ તેમની કાર્યશૈલીને કારણે તેઓ 'મૂછાળી મા'ના હુલામણા નામે પણ ઓળખાય છે. તેમણે બાળ કેળવણી અને બાળ સાહિત્ય ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેમનું અવસાન 23 જૂન, 1939ના રોજ થયું હતું.   શાળા કક્ષાએ બાળવાર્તાઓ હવે અભ્યાસક્રમ સાથે વણાઈ જ ગઈ છે, છતાં આ દિન વિશેષ પર વાર્તાથી બાળઘડતર તથા ભાષાસમૃદ્ધિ માટેની વિશેષ જરૂરિયાત ધ્યાને લઇ બાળકો માટે આનંદદાયી બનાવવા માટે બાળવાર્તા દિન ઉજવવામાં આવે છે.

15th November

Read more
બાળવાર્તા દિન (ગિજુભાઈ બધેકા જયંતી)
15th November
બાળવાર્તાઓ બાળગીતો બાળકોને અને બહુ પ્રિય હોય છે. શાળા સમય દરમિયાન વર્ગખંડમાં પુરાઈને ગોખણિયા શિક્ષણના ભાર હેઠળ દબાયેલું ભૂલકું વાર્તા ભૂખ્યું રહી ન જાય તે જરૂરી છે. કુમળી વયના બાળકોની ભાષાશિક્ષણની સફર બાળવાર્તાથી શરૂ થાય એ પણ એટલું જ આવશ્યક છે. તે હેતુથી 2021માં ભાવનગરના દક્ષિણામૂર્તિ ખાતે યુગમૂર્તિ બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકા ના જન્મદિન 15મી નવેમ્બરને સમગ્ર ગુજરાતમાં બાળવાર્તા દિન તરીકે ઉજવવાની જાહેરાત થઈ.   જીવન, સાહિત્ય તેમજ શિક્ષણમાં વાર્તાનું અનન્ય મહત્વ છે. પંચતંત્ર એ શિક્ષણ કે બોધ આપવા માટે રચાયેલી...
Read more
બિરસા મુંડા જયંતી
બિરસા મુંડા જયંતી

બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 15 નવેમ્બર, 1875 ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાત ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓએ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો. તે સમયમાં તેમના સમાજમાં ખાસ કોઈ શિક્ષણ મેળવતું ન હતું. તેમ છતાં તેમણે તે સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એમનું મન હંમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી ખરાબ દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા જાતિના લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ કર્યું.   1894 માં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુર માં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી. 1 ઓક્ટોબર, 1894 ના દિને નવયુવાન નેતાના રૂપમાં મુંડાજાતિના લોકોને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં 1895 માં વ્યાપક આંદોલન 'ઉલ ગુલાન' નું નેતૃત્વ બિરસા મુંડા એ લીધું હતું. જે છોટાનાગપુર નજીકના લગભગ 400 ચોરસ માઈલ વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. 1895 માં એમને ગિરફતાર કરી હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગાર (જેલ)માં બે વર્ષ રાખ્યા, પરંતુ બિરસા અને એમના સાથીઓએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન સ્વતંત્રતાની લડત અને આરોગ્યના ક્ષેત્રે લોકસેવા કરવાના કારણે મહાપુરુષનો દરજ્જો મેળવ્યો હતો.    બિરસા મુંડાએ પોતાના આંદોલનમાં જનજાતિને હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ -- જાદુકળામાં વિશ્વાસ ન રાખવો. તેમણે મુંડા જનજાતિના લોકોને ગૌરવપૂર્ણ ભૂતકાળના પ્રમાણે જીવન જીવવા પ્રેર્યા અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું તેમની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો.   ઓગસ્ટ, 1897 ના સમયમાં બિરસા અને એમના ચારસો સાથીઓએ તીરકામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. 1898 ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડા જાતિના લોકોની અંગ્રેજ સેના સાથે લડાઇ થઈ. જાન્યુઆરી, 1900 માં ડોમવાડીના ડુંગરોમાં વધુ એક સંઘર્ષ થયો. ત્યારબાદ બિરસાના કેટલાક સાથીઓની ધરપકડ થઇ હતી. અંતે બિરસાએ જાતે ૩ ફેબ્રુઆરી, 1900 ના દિને ચક્રધરપુર માં ધરપકડ વહોરી લીધી.    બિરસા મુંડાએ 9 જૂન, 1900 ના દિવસે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા. તેમની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતાએ 15 નવેમ્બર, 1988 ના દિને ટપાલટિકિટ બહાર પાડી હતી.

15th November

Read more
બિરસા મુંડા જયંતી
15th November
બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 15 નવેમ્બર, 1875 ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાત ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓએ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો. તે સમયમાં તેમના સમાજમાં ખાસ કોઈ શિક્ષણ મેળવતું ન હતું. તેમ છતાં તેમણે તે સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એમનું મન હંમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી ખરાબ દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા જાતિના લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે...
Read more
વિશ્વ બાળ અધિકાર દિન
વિશ્વ બાળ અધિકાર દિન

"પોતાનાં બાળકોના અધિકારોની રક્ષા કરો, તેઓ આપણા ભવિષ્યની સુરક્ષા કરશે."   વિશ્વભરમાં બાળકોમાં જાગૃતિ અને બાળકોના કલ્યાણમાં સુધારો કરવા દર વર્ષે 20 નવેમ્બરે 'વિશ્વ બાળ અધિકાર દિન' ઉજવવામાં આવે છે.   20 નવેમ્બર એક મહત્વપૂર્ણ દિવસ છે. કારણકે 20 નવેમ્બર, 1959 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળકોના અધિકારોની ઘોષણા સ્વીકારી હતી. 20 નવેમ્બર, 1989 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળ અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1990થી વિશ્વ બાળ અધિકાર દિનની ઉજવણી થાય છે. UN જનરલ એસેમ્બલીએ બાળકોના અધિકારો પર ઘોષણા અને સંમેલન બંનેનું આયોજન કર્યું હતું.   'વિશ્વ બાળ અધિકાર દિન' બાળકોના અધિકારોની હિમાયત, પ્રોત્સાહન અને ઉજવણી કરવા, સંવાદો અને ક્રિયાઓનો અમલ કરવા પ્રેરણાત્મક બને છે. જે બાળકો માટે વધુ સારી દુનિયાનું નિર્માણ કરશે.   ‘વિશ્વ બાળ અધિકાર દિન' એ વાતની યાદ આપે છે કે દરેક બાળક ખાસ છે. બાળકોના સારા ભવિષ્ય માટે એમની મૂળ જરૂરિયાતો અને શિક્ષણ ઉપર ધ્યાન આપવું જરૂરી છે.    વિદ્યાર્થીઓ ઉમદા શિક્ષણ મેળવે તથા બાળમજૂરોનું પ્રમાણ ઘટે તે માટેના પ્રયાસ હાથ ધરવા જોઈએ. જે જગ્યાએ બાળમજૂરી થતી હોય ત્યાંથી આપણે વસ્તુની ખરીદી ન કરીએ. તેમને બાળક પાસે મજૂરી ન કરાવવા માટે સમજ આપીએ.   આ દિવસે બાળકો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.બાળકોના શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય વગેરેની સાથે સાથે શારીરિક અને માનસિક વિકાસ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવે છે. બાળકોની ક્ષમતા અને પ્રતિભા ખીલે એવા પ્રયત્નો સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

20th November

Read more
વિશ્વ બાળ અધિકાર દિન
20th November
"પોતાનાં બાળકોના અધિકારોની રક્ષા કરો, તેઓ આપણા ભવિષ્યની સુરક્ષા કરશે."   વિશ્વભરમાં બાળકોમાં જાગૃતિ અને બાળકોના કલ્યાણમાં સુધારો કરવા દર વર્ષે 20 નવેમ્બરે 'વિશ્વ બાળ અધિકાર દિન' ઉજવવામાં આવે છે.   20 નવેમ્બર એક મહત્વપૂર્ણ દિવસ છે. કારણકે 20 નવેમ્બર, 1959 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળકોના અધિકારોની ઘોષણા સ્વીકારી હતી. 20 નવેમ્બર, 1989 ના દિવસે UN જનરલ એસેમ્બલીએ બાળ અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1990થી વિશ્વ બાળ અધિકાર દિનની ઉજવણી થાય છે. UN જનરલ એસેમ્બલીએ બાળકોના...
Read more
વિશ્વ મત્સ્યપાલન દિન
વિશ્વ મત્સ્યપાલન દિન

વિશ્વ મત્સ્યપાલન દિન (WFD) દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે. વિશ્વભરના તમામ માછીમારો અને તેની સાથે સંકળાયેલા લોકોની સાથે એકતા દર્શાવવા માટેનો આ દિવસ છે.   તેની શરૂઆત વર્ષ 1997 માં કરવામાં આવી હતી, જ્યારે નવી દિલ્હી માં 'વર્લ્ડ ફોરમ ઓફ ફિશહાર્વેસ્ટર્સ એન્ડ ફિશ વર્કર્સ' ની બેઠક યોજાઈ હતી, જેમાં 18 દેશોના પ્રતિનિધિઓ સાથે 'વર્લ્ડ ફિશરીઝ ફોરમ'ની રચના કરવામાં આવી હતી. તેમાં એક ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ ઘોષણાનો હેતુ માછીમારી પ્રથાઓ અને નીતિઓ નક્કી કરવી, અતિશય માછીમારી પ્રવૃત્તિઓ, વસવાટના વિનાશ અને દરિયાઈ સંસાધનોનું ટકાઉપણું જેવા અન્ય ગંભીર જોખમો તરફ ધ્યાન દોરવાનો હતો.   મત્સ્યઉદ્યોગ એ દરિયાકાંઠાના અને અન્ય વિસ્તારોમાં રહેતાં જળચર જીવો સંબંધિત છે. મત્સ્યોદ્યોગ એ જળચર ઉછેર પ્રક્રિયા, માર્કેટિંગ અને વિતરણના આધારે વિશ્વભરના આશરે 800 મિલિયન થી વધુ લોકોને રોજગારીની તકો પૂરી પાડે છે. ઘણા લોકો માટે તે તેમની પરંપરાગત સાંસ્કૃતિક ઓળખનો પણ એક ભાગ છે. વૈશ્વિક મત્સ્ય સંસાધનોના ટકાઉપણા માટે ગેરકાયદેસર અને અનિયંત્રિત માછીમારી એ સૌથી મોટો ખતરો છે.   છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ભારતની માછલીની નિકાસ આશરે છેતાલીસ હજાર કરોડ રૂપિયા ની હતી, જે ભારતની કૃષિ નિકાસના લગભગ 18% છે. ભારતે વર્ષ 2024-25 સુધીમાં 22 મિલિયન મેટ્રિક ટન માછલી ઉત્પાદનનું લક્ષ્ય હાંસલ કરવાનું નક્કી કર્યું છે. સમય સાથે ભારત સરકારે મત્સ્યોદ્યોગ માટેના બજેટમાં ઘણો વધારો કર્યો છે. ભારત વિશ્વમાં જળચર ઉછેર દ્વારા માછલીનું ઉત્પાદન કરતો બીજો અને વિશ્વમાં માછલીની નિકાસ કરતો ચોથો સૌથી મોટો દેશ છે. કારણકે તે વૈશ્વિક માછલી ઉત્પાદનમાં 7.7% ફાળો આપે છે. આ ક્ષેત્ર દેશમાં 2.8 કરોડ થી વધુ લોકોને આજીવિકા પૂરી પાડે છે. માળખાકીય સુવિધાના પડકારો હોવા છતાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેન્દ્ર સરકારનાં પગલાંથી મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વાર્ષિક 10% થી વધુ વૃદ્ધિ દર નોંધાતો રહ્યો છે.   મત્સ્યોદ્યોગને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં વાતાવરણીય ફેરફાર અને જળાશયોમાં પ્લાસ્ટિક તથા અન્ય હાનિકારક પદાર્થો જળચર જીવો માટે વિનાશક બન્યા છે.   મત્સ્યોદ્યોગના વિકાસ માટે સરકાર ઘણા પ્રયાસો કરી રહી છે. આર્થિક પ્રવૃત્તિનાં કેન્દ્રો તરીકે પાંચ મુખ્ય માછીમારી બંદરો (કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઘાટ)નો વિકાસ માછીમારી હાર્બર નામની યોજના અંતર્ગત કર્યો છે. તમિલનાડુ માં બહુહેતુક સીવીડ પાર્ક હબ યોજના અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કેન્દ્ર છે. જેમાં આશરે 15 લાખ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો વગેરેને પ્રત્યક્ષ રોજગારી મળી રહેશે. જે પરોક્ષ રોજગારની તકોના સ્વરૂપમાં આ સંખ્યા લગભગ ત્રણ ગણી હશે. નજીકનાં વર્ષોમાં માછીમારો અને તેની સાથે સંકળાયેલા લોકોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે. આવી તો ઘણી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે. જેના દ્વારા મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન મળી રહે છે.    આપણા ગુજરાત રાજ્યને આશરે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો છે, જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં મત્સ્યોદ્યોગ વિકસ્યો છે.

21st November

Read more
વિશ્વ મત્સ્યપાલન દિન
21st November
વિશ્વ મત્સ્યપાલન દિન (WFD) દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે. વિશ્વભરના તમામ માછીમારો અને તેની સાથે સંકળાયેલા લોકોની સાથે એકતા દર્શાવવા માટેનો આ દિવસ છે.   તેની શરૂઆત વર્ષ 1997 માં કરવામાં આવી હતી, જ્યારે નવી દિલ્હી માં 'વર્લ્ડ ફોરમ ઓફ ફિશહાર્વેસ્ટર્સ એન્ડ ફિશ વર્કર્સ' ની બેઠક યોજાઈ હતી, જેમાં 18 દેશોના પ્રતિનિધિઓ સાથે 'વર્લ્ડ ફિશરીઝ ફોરમ'ની રચના કરવામાં આવી હતી. તેમાં એક ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ ઘોષણાનો હેતુ માછીમારી પ્રથાઓ અને નીતિઓ નક્કી કરવી, અતિશય માછીમારી પ્રવૃત્તિઓ,...
Read more
બંધારણ દિન (રાષ્ટ્રીય કાયદા દિન)
બંધારણ દિન (રાષ્ટ્રીય કાયદા દિન)

આપણાં દેશમાં 26 નવેમ્બર ‘બંધારણ દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે.   બંધારણ દિનને ‘રાષ્ટ્રીય કાયદા દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 19 નવેમ્બર, 2015 ના રોજ 26 નવેમ્બરને ‘રાષ્ટ્રીય બંધારણ દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.   બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન - ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકર હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં ડૉ. ભીમરાવ આંબેડકર નું વિશેષ યોગદાન હતું. તેથી તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે ઓળખવામાં આવે છે.   બંધારણસભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946 ના રોજ મળી હતી. બંધારણસભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા-જુદા દેશના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારત દેશની આઝાદી બાદ 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું. ત્યાર બાદ તેને 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું.   ભારતીય બંધારણની મૂળ નકલો ટાઈપ કે પ્રિન્ટ કરવામાં આવી ન હતી, પણ આ નકલો હાથથી લખીને તૈયાર કરવામાં આવી હતી. હાલમાં બંધારણની મૂળ નકલો સંસદની લાઇબ્રેરીમાં હિલિયમથી ભરેલા બોક્સ/કેસમાં રાખવામાં આવી છે. મૂળરૂપે ભારતનું બંધારણ અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખવામાં આવ્યું હતું. બંધારણની વિશેષતાઓ : (1) લોકશાહી (2) બિનસાંપ્રદાયિક (3) પ્રજાસત્તાક (4) સંઘરાજ્ય સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકારની રચના કરવામાં આવે છે : (A) સંઘ સરકાર અને (B) રાજ્ય સરકાર મૂળભૂત હક : (1) સમાનતાનો હક (2) સ્વતંત્રતાનો હક (3) શોષણ સામે વિરોધનો હક (4) ધાર્મિક સ્વતંત્રતાનો હક (5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક (6) બંધારણીય ઈલાજોનો હક

26th November

Read more
બંધારણ દિન (રાષ્ટ્રીય કાયદા દિન)
26th November
આપણાં દેશમાં 26 નવેમ્બર ‘બંધારણ દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે.   બંધારણ દિનને ‘રાષ્ટ્રીય કાયદા દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 19 નવેમ્બર, 2015 ના રોજ 26 નવેમ્બરને ‘રાષ્ટ્રીય બંધારણ દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.   બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે,...
Read more
ડૉ. વર્ગીસ કુરિયન જયંતી (રાષ્ટ્રીય દૂધ દિન)
ડૉ. વર્ગીસ કુરિયન જયંતી (રાષ્ટ્રીય દૂધ દિન)

ડૉ. વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેતક્રાંતિના પિતા ગણાય છે. તેઓ સામાજિક ઉદ્યોગના દૃષ્ટા હતા. વિશ્વમાં સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ‘ઓપરેશન ફ્લડ' ને કારણે ભારત અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ)ને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો. ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી સ્વરોજગારીવાળો મોટો ઉદ્યોગ બન્યો, જેને કારણે પશુપાલકોની રોજગારી, આવક, રોકાણ, પોષણ, શિક્ષણ અને તંદુરસ્તીમાં વધારો જોવા મળ્યો છે. ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસને દેશમાં ‘રાષ્ટ્રીય દૂઘ દિન' (National Milk Day) તરીકે ઉજવવામાં આવે છે. 2014થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે.   ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર, 1921 ના રોજ કોઝિકોડ, કેરળમાં થયો હતો. તેમના પિતાનું નામ પી. કે. કુરિયન અને માતાનું નામ અણમ્મા હતું. ડૉ. કુરિયને બેચલર ઑફ એન્જીનિયરીંગ (B.E.) તેમજ ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. આ ડિગ્રીઓ બાદ કુરિયને જમશેદપુર સ્થિત ટાટા સ્ટીલ ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. તેઓ સરકારી સ્કોલરશીપ મેળવી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા. જ્યાં તેમણે મિશિગન યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ એન્જીનિયરીંગ (M.E.)ની ડિગ્રી મેળવી હતી. ડૉ. વર્ગીસ કુરિયને સ્નાતક અને ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 13 મે, 1949 ના રોજ આણંદ સ્થિત દૂધની સહકારી સંશોધન સંસ્થામાં આવ્યા. તે સમયે ખેડા જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘ ખાનગી પોલસન ડેરી સામે ઝઝૂમી રહ્યો હતો. આવા કપરા સંજોગોમાં તેઓ ઇજનેરી નોકરી છોડીને ત્રિભુવનદાસ પટેલ સાથે જોડાયા અને દેશ વિદેશમાં પ્રખ્યાત એવી ‘અમૂલ' ડેરીનો જન્મ થયો. AMUL એટલે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. અમૂલની સફળતાના પાયા પર રાષ્ટ્રીય દૂધ વિકાસ બોર્ડ (NDDB) અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેવી સંસ્થાઓ સ્થપાઇ, જેનું સુકાન પણ ડૉ. કુરિયને સફળતાપૂર્વક સંભાળ્યું હતું.   ડૉ. વર્ગીસ કુરિયનને અનેક ઍવોર્ડ મળ્યા હતા. જેમાં સાત જેટલા આંતરરાષ્ટ્રીય એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને વર્લ્ડ ફૂડપ્રાઇઝ, ઓર્ડર ઓફ એગ્રીકલ્ચર મેરિટ, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના ‘મિલ્કમેન ઓફ ઇંડિયા' તરીકે ઓળખાતા ડૉ. વર્ગીસ કુરિયન ટૂંકી માંદગી પછી 90 વર્ષની વયે 9 સપ્ટેમ્બર, 2012 ના રોજ નડિયાદમાં અવસાન પામ્યા હતા. વર્ગીસ કુરિયનનું મોટાભાગનું જીવન ગુજરાતમાં પસાર થયું હતું.   આ દિવસ રાષ્ટ્રીય દૂધ દિવસ પણ છે. કુરિયન જેના પ્રણેતા હતા તે શ્વેતક્રાંતિનાં મધુરાં ફળ આપણે ચાખીએ છીએ. આજથી માત્ર પચાસ વર્ષ પહેલાં ખેતીની સાથે માત્ર ખેતી આધારિત પૂરક ઉદ્યોગ તરીકે પશુપાલન થતું હતું. તેના બદલે હાલ પશુપાલન મુખ્ય વ્યવસાય બન્યો છે. વિશેષ તો ખેડૂતોની આર્થિક સ્થિતિને ઊંચે ઉઠાવી તેમનાં જીવનધોરણને ગુણાત્મક બનાવવામાં ડેરી ઉદ્યોગનો મહત્વનો ફાળો છે.

26th November

Read more
ડૉ. વર્ગીસ કુરિયન જયંતી (રાષ્ટ્રીય દૂધ દિન)
26th November
ડૉ. વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેતક્રાંતિના પિતા ગણાય છે. તેઓ સામાજિક ઉદ્યોગના દૃષ્ટા હતા. વિશ્વમાં સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ‘ઓપરેશન ફ્લડ' ને કારણે ભારત અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ)ને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો. ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી સ્વરોજગારીવાળો મોટો ઉદ્યોગ બન્યો, જેને કારણે પશુપાલકોની રોજગારી, આવક, રોકાણ, પોષણ, શિક્ષણ અને તંદુરસ્તીમાં વધારો જોવા મળ્યો છે. ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસને દેશમાં ‘રાષ્ટ્રીય દૂઘ દિન' (National Milk Day) તરીકે ઉજવવામાં આવે છે. 2014થી આ દિવસની ઉજવણી...
Read more
ડૉ. જગદીશચંદ્ર બોઝ જયંતી
ડૉ. જગદીશચંદ્ર બોઝ જયંતી

બિનતારી (Wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક અને જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિમાં સંવેદના તેની પ્રતીતિ કરનાર મહાન ભારતીય વૈજ્ઞાનિક ડૉ. જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 નવેમ્બર, 1858 માં હાલના બાંગ્લાદેશમાં આવેલા મેમનસિંહના રરૌલી ગામમાં થયો હતો.   ડૉ. જગદીશચંદ્ર બોઝ ના પિતાજી ભગવાનચંદ્ર બોઝ ન્યાયાધીશ હતા. આર્થિક રીતે સંપન્ન તેમના પિતા તેમને સરળતાથી અંગ્રેજી શાળામાં મોકલી શક્યા હોત, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે પુત્ર અંગ્રેજી શિક્ષણ લેતાં પહેલાં તેની માતૃભાષા શીખે અને તેની સંસ્કૃતિને સારી રીતે જાણે. શાળા શિક્ષણ બાદ તેમણે કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય માં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879 માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કર્યા બાદ પ્રખર વિજ્ઞાની લોર્ડ રેલે થી પ્રભાવિત થઈ તેઓ મેડિસિનનું ક્ષેત્ર છોડીને ભૌતિક વિજ્ઞાન તરફ દોરાયા. પ્રાકૃતિક વિજ્ઞાનમાં 'ટ્રાયપોસ'ની પદવી સાથે તેઓ ભારત પાછા ફર્યા.   1885 માં કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજ માં ભૌતિક- વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને 1915 સુધી આ પદ ઉપર રહીને અધ્યાપન કાર્ય કર્યું. 1896 માં લંડન વિશ્વવિદ્યાલયે તેમને ડી.એસસી.ની ઉપાધિ આપી. પ્રેસિડેંસી કૉલેજમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે 1917 માં બોઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને 1937 સુધી તેના નિયામક પદે રહ્યા.   કોલકાતા આવ્યા પછી શરૂઆતમાં ડૉ. જગદીશચંદ્ર બોઝે દ્વિ-વક્રીભવન અંગે સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. પછીથી તેમણે વિદ્યુત ચુંબકીય તરંગો પર પણ કાર્ય કર્યું હતું. તેઓએ સૌ પ્રથમ માઈક્રોવેવ (સૂક્ષ્મ તરંગો)નો ઉપયોગ પદાર્થની સંરચના સમજવા માટે કર્યો. તેમાં તેમણે બનાવેલા ઉપકરણને આપણે વેબગાઈડ તરીકે ઓળખીએ છીએ. રેડિયો તરંગના પ્રસારણ સાથે સંકળાયેલા ઈટલીના વિખ્યાત વૈજ્ઞાનિક અને ઇલેક્ટ્રિક એન્જિનિયર જી. માર્કોની એ તરંગોનો અભ્યાસ હાથ પર લીધો. તેના પહેલાં ડૉ. જગદીશચંદ્ર બોઝે એ કાર્ય હાથ પર લીધું હતું. કહેવાય છે તેમણે શોધેલા વાયરલેસ રેડિયો જેવાં ઉપકરણને લીધે જ રેડિયોનો વિકાસ થયો હતો. પરંતુ તેમના પોતાના નામે પેટન્ટ ન હોવાને કારણે રેડિયોની શોધ નો શ્રેય માર્કોનીને જ મળે છે. પછી તેઓ વનસ્પતિ વિજ્ઞાન ના અભ્યાસમાં લાગી ગયા. ડૉ. બોઝે ક્રેસ્કોગ્રાફ નામના સાધનની શોધ કરી. તે આસપાસના વિવિધ તરંગોને માપી શકતું હતું. તેમણે પ્રયોગો દ્વારા દાવો કર્યો કે વૃક્ષો અને છોડમાં જીવન છે, એ સાબિત કરવાનો પ્રયોગ રોયલ સોસાયટી માં થયો અને સમગ્ર વિશ્વએ તેની શોધની પ્રશંસા કરી. તેમણે છોડની ઉત્તેજનાને એક ચિહ્નના માધ્યમથી મશીનમાં દર્શાવી. આ પછી તેમણે તે છોડના મૂળમાં બ્રોમાઇડ નાખ્યું. જેના કારણે છોડની પ્રવૃત્તિઓ અનિયમિત થવા લાગી. આ પછી છોડમાં ઉત્તેજના માપવાવાળા ક્રેસ્કોગ્રાફ યંત્રે કોઈપણ પ્રવૃત્તિ દર્શાવવાનું બંધ કર્યું. જેનો અર્થ એ થયો કે છોડ મરી ગયો હતો. આમ, તેમણે સિદ્ધ કરી બતાવ્યું કે વનસ્પતિમાં જીવનાં લક્ષણો છે. વનસ્પતિમાં સંવેદનાની પ્રતીતિ કરી. આ શોધે જગતને આંજી દીધું.   કોલકાતામાં આવેલા બોટેનિકલ ગાર્ડનનું નામ "આચાર્ય જગદીશચંદ્ર બોઝ ભારતીય વનસ્પતિ ઉદ્યાન" આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે લંડન રોયલ સોસાયટી એના નિયમ પ્રમાણે એક વ્યક્તિને એક જ વાર વ્યાખ્યાતા તરીકે આમંત્રણ આપતી પણ ડૉ. જગદીશચંદ્ર બોઝ એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા, જેમને રોયલ સોસાયટીએ ત્રણ વાર બોલાવ્યા. બ્રિટિશ સરકારે ડૉ. જગદીશચંદ્ર બોઝ ને 'કમાન્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર' અને 'નાઈટ'ની ઉપાધિ આપી હતી.   જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર તેમજ પુરાતત્વશાસ્ત્રના ઊંડા અભ્યાસી એવા આ મહાન વૈજ્ઞાનિકનું 23મી નવેમ્બર, 1947 ના રોજ બિહારમાં અવસાન થયું.

30th November

Read more
ડૉ. જગદીશચંદ્ર બોઝ જયંતી
30th November
બિનતારી (Wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક અને જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિમાં સંવેદના તેની પ્રતીતિ કરનાર મહાન ભારતીય વૈજ્ઞાનિક ડૉ. જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 નવેમ્બર, 1858 માં હાલના બાંગ્લાદેશમાં આવેલા મેમનસિંહના રરૌલી ગામમાં થયો હતો.   ડૉ. જગદીશચંદ્ર બોઝ ના પિતાજી ભગવાનચંદ્ર બોઝ ન્યાયાધીશ હતા. આર્થિક રીતે સંપન્ન તેમના પિતા તેમને સરળતાથી અંગ્રેજી શાળામાં મોકલી શક્યા હોત, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે પુત્ર અંગ્રેજી શિક્ષણ લેતાં પહેલાં તેની માતૃભાષા શીખે અને તેની સંસ્કૃતિને સારી રીતે જાણે. શાળા શિક્ષણ બાદ તેમણે કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા
Read more
વિશ્વ એઇડ્સ દિન
વિશ્વ એઇડ્સ દિન

વિશ્વભરમાં એચ.આઈ.વી. (એઇડ્સ) સંક્રમણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બર ના રોજ વિશ્વ એઇડ્સ દિન મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સૌ પ્રથમ ઑગસ્ટ, 1987 માં વિશ્વ એઇડ્સ દિનને વૈશ્વિક સ્તરે ઉજવવાની શરૂઆત કરી હતી. એઇડ્સ આધુનિક સમયની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. એચ.આઈ.વી. (એઇડ્સ) એક પ્રકારના જીવલેણ ઇન્ફેક્શનથી થતી ગંભીર બીમારી છે, તેને મેડિકલની ભાષામાં ‘હ્યુમન ઇમ્યૂનો ડેફિશિયન્સી વાયરસ' એટલે કે એઇડ્સ ના નામથી ઓળખવામાં આવે છે. બોલચાલમાં એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમના નામથી ઓળખાય છે. આ રોગમાં જીવલેણ ઇન્ફેક્શન વ્યક્તિના શરીરની ઇમ્યૂન સિસ્ટમ પર હુમલો કરે છે જેના કારણે શરીર સામાન્ય બીમારીઓ સામે પણ લડવામાં સક્ષમ રહેતું નથી. વર્ષ 1986 માં ભારતમાં એઇડ્સનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. ભારતમાં એચ. આઈ. વી. એઇડ્સના દર્દીઓની સંખ્યા લાખોમાં છે. વિશ્વમાં દરરોજ સેંકડો બાળકો એચ.આઈ.વી.ગ્રસ્ત જન્મે છે, જેમાંથી આશરે 30 ટકા જેટલાં મૃત્યુ પામે છે. અન્ય રોગોની સરખામણીએ એઇડ્સના દર્દીઓને સમાજ વચ્ચે જીવવામાં ઘણા માનસિક તણાવોમાંથી પસાર થવું પડે છે, ગામડાંઓમાં આ રોગ વિશે જોઈએ તેટલી માહિતીનો અભાવ હોવાથી આ રોગની લાક્ષણિકતાઓ જલદી જાણી શકાતી નથી પરિણામે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. લોકોમાં આ રોગ વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર થાય અને સમાજમાં આ રોગના દર્દીનો હૂંફ અને લાગણીથી સ્વીકાર થાય. એઇડ્સ થવાનાં કારણોઅસલામત જાતીય સંબંધ, સંક્રમિત લોહી ચઢાવવું. એચ. આઈ. વી સંક્રમિત મહિલાઓનાં બાળકોમાં, એકવાર ઉપયોગમાં લેવાયેલ ચેપી સિરીજ (સોય)નો બીજીવાર ઉપયોગ કરવાથી, ઇન્ફેક્ટેડ (ચેપી) બ્લેડનો ઉપયોગ કરવો વગેરે.એઇડ્સ મહિલાઓ તથા છોકરીઓને વિશેષ અસર કરે છે. જાતીય સમાગમ દરમિયાન આ રોગનો ચેપ સામાન્યતઃ પુરુષો કરતાં મહિલાઓને વધુ ઝડપથી અસર કરતો હોય છે. એઇડ્સગ્રસ્ત માતા દ્વારા જ બાળકને ચેપ લાગવાની વધુ શક્યતા હોય છે.એઇડ્સ એક એવો રોગ છે કે, જેને પોતાનાં આગવાં કોઈ ચિહ્નો નથી. સામાન્યતઃ રોગના કોઈ દેખીતા કારણ સિવાય જ આવી વ્યક્તિના શરીરના વજનમાં માત્ર એક માસ જેટલા ટૂંકા સમયગાળામાં જ 10 ટકા કે તેથી વધુ ઘટાડો થાય છે. કોઈ કારણોસર એક માસથી વધુ સમય માટે તાવ અને ઉધરસ ચાલુ રહેતી હોય છે. ચામડી ઉપર ડાઘ પડે તેમજ ખંજવાળ પણ આવતી હોય છે. જીભ ઉપર છારી બાઝતી હોય છે તથા શરીરની લસિકા ગ્રંથિઓમાં સોજો પણ આવતો હોય છે. એચ.આઈ.વી. (એઇડ્સ)થી બચાવના ઉપાય• કિશોરાવસ્થાથી જ યૌન રોગો અને એઇડ્સ સંદર્ભે જાણકારી આપવી.• યૌન રોગો તથા એઇડ્સ સલાહ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી મળતી સલાહ અને સારવાર સેવાઓનો ઉપયોગ કરવો.• લાયસન્સ ધરાવતી બ્લડ બૅન્કો પાસેથી જ એઇડ્સના પરીક્ષણ બાદ લોહી લેવું જોઈએ.• બીજાએ ઉપયોગ કરેલ હોય તેવાં ટૂથબ્રશ, રેઝર, બ્લેડ જેવાં સાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ.• અસલામત જાતીય સંબંધો ટાળવા જોઈએ.

01st December

Read more
વિશ્વ એઇડ્સ દિન
01st December

વિશ્વભરમાં એચ.આઈ.વી. (એઇડ્સ) સંક્રમણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બર ના રોજ વિશ્વ એઇડ્સ દિન મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સૌ પ્રથમ ઑગસ્ટ, 1987 માં વિશ્વ એઇડ્સ દિનને વૈશ્વિક સ્તરે ઉજવવાની શરૂઆત કરી હતી.

એઇડ્સ આધુનિક સમયની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. એચ.આઈ.વી. (એઇડ્સ) એક પ્રકારના જીવલેણ ઇન્ફેક્શનથી થતી ગંભીર બીમારી છે, તેને મેડિકલની ભાષામાં ‘હ્યુમન ઇમ્યૂનો ડેફિશિયન્સી વાયરસ' એટલે કે એઇડ્સ ના નામથી ઓળખવામાં આવે છે. બોલચાલમાં એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમના નામથી...

Read more
સીમા સુરક્ષા દળ સ્થાપના દિન
સીમા સુરક્ષા દળ સ્થાપના દિન

1 ડિસેમ્બર, 1965 ના રોજ ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની રચના કરવામાં આવી હતી. BSF એ ભારતનું પ્રાથમિક સરહદ રક્ષક દળ છે. આ અર્ધલશ્કરી દળ ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. તેનો ઉદ્દેશ શાંતિકાળ દરમિયાન દેશની ભૂમિ સરહદની રક્ષા કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવાનો પણ છે.  BSF ની સ્થાપના પાકિસ્તાન સાથેના 1965 ના યુદ્ધ પછી કરવામાં આવી હતી. તે સમય સુધી રાજ્ય આર્દ્ર પોલીસ બટાલિયન દ્વારા પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા કરવામાં આવતી હતી. જ્યારે પાકિસ્તાની આક્રમણનો સામનો કરવો પડ્યો ત્યારે તે અપૂરતું સાબિત થયું અને ત્યારે ભારતની સરહદોનું સંચાલન અને રક્ષણ કરવા માટે વિશિષ્ટ સશસ્ત્ર દળની આવશ્યકતા સમજાઈ. સચિવોની સમિતિની ભલામણને આધારે 1 ડિસેમ્બર, 1965 ના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની સ્થાપના કરવામાં આવી. BSF ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. તે હાલમાં વિશ્વનું સૌથી મોટું સરહદ રક્ષક દળ છે. આ સંસ્થાના પ્રથમ વડા અને સ્થાપક કે. એફ. રૂસ્તમજી (IPS) હતા. BSFની સ્થાપના થઈ ત્યારે 25 બટાલિયન હતી. હાલમાં લગભગ 186 બટાલિયન છે અને તેમાં 2 લાખ થી વધુ જવાનો છે. તેની પાસે ઍર વિંગ, મરીન વિંગ, કમાન્ડો યુનિટ અને આર્ટિલરી રેજિમેન્ટ પણ છે. BSF પાસે અધિકારીઓની કેડર છે, પરંતુ મહાનિર્દેશક (ડાયરેક્ટર જનરલ) હંમેશાં ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી હોય છે. BSFનો ધ્યેયમંત્ર છે: "કોઈપણ કાર્ય, કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ." તેનું સૂત્ર છે "જીવન પર્યંત કર્તવ્ય.” ભારતની સરહદોનું સંચાલન અને રક્ષણ કરવા ઉપરાંત, BSF કુદરતી આફતો દરમિયાન રાહત કામગીરીમાં પણ જોડાય છે. તે United Nations (UN) મિશન માટે કર્મચારીઓને પણ મોકલે છે. BSF પાસે પરમાણુ, જૈવિક અને રાસાયણિક (NBC) આપત્તિઓ સહિત તમામ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે વિશેષ બટાલિયન છે. ગુજરાતની પાકિસ્તાન સાથેની નડાબેટ બોર્ડર પર BSF દ્વારા રીટ્રીટ (પરેડ) થાય છે. જેમાં મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહે છે. 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઓપરેશન બ્લ્યુ સ્ટાર, ઓપરેશન બ્લેક થંડર, કારગીલ યુદ્ધમાં ઓપરેશન વિજય અને 2000ના દાયકામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સરહદી અથડામણમાં BSFની મુખ્ય ભૂમિકા રહી હતી. શાંતિના સમયમાં સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવું, સરહદ પર દાણચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવી, ભારતમાં અનધિકૃત પ્રવેશ અથવા બહાર નીકળવા સહિત સરહદ પારના ગુનાઓ અટકાવવા તેમજ ઘૂસણખોરી અટકાવવી અને સરહદ પારની ગુપ્ત માહિતી એકત્રિત કરવી જેવી પ્રવૃત્તિઓ BSF દ્વારા કરવામાં આવે છે. જ્યારે યુદ્ધ દરમિયાન સોંપાયેલ ક્ષેત્રોનો બચાવ, દુશ્મન દળો સામે મર્યાદિત આક્રમક કાર્યવાહીમાં વ્યસ્ત રહેવું, સેના દ્વારા જીતાયેલા દુશ્મન પ્રદેશના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી, સરહદી વિસ્તારોમાં સેનાના માર્ગદર્શક તરીકે કામ કરવું જેવાં કાર્યો પણ કરે છે.

01st December

Read more
સીમા સુરક્ષા દળ સ્થાપના દિન
01st December

1 ડિસેમ્બર, 1965 ના રોજ ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની રચના કરવામાં આવી હતી. BSF એ ભારતનું પ્રાથમિક સરહદ રક્ષક દળ છે. આ અર્ધલશ્કરી દળ ભારતના પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. તેનો ઉદ્દેશ શાંતિકાળ દરમિયાન દેશની ભૂમિ સરહદની રક્ષા કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવાનો પણ છે. 

BSF ની સ્થાપના પાકિસ્તાન સાથેના 1965 ના યુદ્ધ પછી કરવામાં આવી હતી. તે સમય સુધી રાજ્ય આર્દ્ર પોલીસ બટાલિયન દ્વારા પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા કરવામાં આવતી હતી. જ્યારે...

Read more
વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન
વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન

દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓને સમાન ત આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન ઉજવવામાં આવે છે. વ્યક્તિઓના વિકલાંગ માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ ઉજવવાનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનનાં દરેક પાસામાં દિવ્યાંગ વ્યક્તિઓની પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાનો છે. સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓની અવગણના અને તેમના પ્રત્યે પૂર્વગ્રહ રાખવામાં ન આવે. આ વ્યક્તિઓને દયાની નહીં, પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જીવતાં અને કામ કરતાં શીખવે તેવી વિશેષ તાલીમ અને તકની જરૂર છે. દિવ્યાંગ બાળ અધિકાર, 2016 મુજબ દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિને મુશ્કેલી ઊભી ન થાય તે માટે અધિકાર આપવામાં આવ્યા છે. આ અધિકાર મુજબ એસ.ટી. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, વિમાન મથક તથા અન્ય સ્થળોએ દિવ્યાંગ વ્યક્તિ સરળતાથી અવરજવર કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ તેમને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સ્ટીફન હોકિંગ્સ, હેલન કેલર જેવા મહાનાયકો તેમજ ભારતીય મૂળનાં સુધાચંદ્રન, એચ.રામક્રિશ્ન, અરુણિમા સિંહા જેવી મહાન વ્યક્તિઓને કે જેમને પોતાના અંગોમાં કોઈને કોઈ તકલીફો હોવા છતાં પણ તેઓએ સફળતાનાં શિખરો સર કર્યાં છે. તેમનાં ઉદાહરણો લઈને આપણે સૌએ પ્રેરણા મેળવવી જોઈએ અને જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવે તો હિંમત ન હારવી જોઈએ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ વિકલાંગ વ્યક્તિઓને 'દિવ્યાંગ' તરીકે સંબોધીને ખૂબ સન્માન આપ્યું છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પણ દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને તેમને મદદરૂપ થઈ રહી છે. દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓ સમાજનો જ એક ભાગ છે માટે તેમને કાયમ સમાન અને સન્માનની દૃષ્ટિએ જ જોવા જોઈએ.

03rd December

Read more
વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન
03rd December

દિવ્યાંગ (વિકલાંગ) વ્યક્તિઓને સમાન ત આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિન ઉજવવામાં આવે છે. વ્યક્તિઓના વિકલાંગ માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ ઉજવવાનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનનાં દરેક પાસામાં દિવ્યાંગ વ્યક્તિઓની પરિસ્થિતિ વિશે જાગૃતિ વધારવાનો છે.

સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓની અવગણના અને તેમના પ્રત્યે પૂર્વગ્રહ રાખવામાં ન આવે. આ વ્યક્તિઓને દયાની નહીં, પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જીવતાં અને કામ કરતાં શીખવે તેવી વિશેષ તાલીમ અને તકની જરૂર છે.

Read more
ડૉ. રાજેન્દ્રપ્રસાદ જયંતી
ડૉ. રાજેન્દ્રપ્રસાદ જયંતી

ડૉ. રાજેન્દ્રપ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ ૩ ડિસેમ્બર, 1884 ના રોજ બિહારના સીવાન જિલ્લાના જીરાદેઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મહાદેવ સહાય અને માતાનું નામ કમલેશ્વરી દેવી હતું. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા, તેમનાં માતા રાજેન્દ્ર પ્રસાદને રામાયણની વાર્તાઓ સંભળાવતાં હતાં. રાજેન્દ્રપ્રસાદને 5 વર્ષ ની ઉંમરે માતા-પિતાએ એક મૌલવી પાસે મોકલવાનું શરૂ કર્યું, જેથી તે ફારસી, ઉર્દૂ અને હિન્દીનું જ્ઞાન મેળવી શકે. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના જ ગામ જીરાદેઈમાં થયું હતું. તેઓ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે લગાવ ધરાવતા હતા. તેમના ભાઈ મહેન્દ્રપ્રસાદ સાથે તેમણે પટણામાં ટી.કે.ઘોષ એકેડમી માં ભણવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે કોલકાત્તા યુનિવર્સિટી માં પ્રવેશ માટે પરીક્ષા આપી, જેમાં તે પ્રથમ નંબરે પાસ થયા. જેથી તેમને દર મહિને 30 રૂપિયા ની સ્કોલરશિપ મળવા લાગી. તેમના ગામના કોઈ યુવાને પ્રથમ વખત કોલકાત્તા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં સફળતા મેળવી હતી, જે ચોક્કસપણે રાજેન્દ્રપ્રસાદ અને તેમના પરિવાર માટે ગર્વની વાત હતી. 1902 માં પ્રસાદજીએ પ્રેસિડેન્સી કોલેજ માં પ્રવેશ મેળવ્યો, જ્યાંથી તેઓ સ્નાતક થયા. 1907 માં તેમણે કોલકાત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં M.A. કર્યું. તેમણે 1915 માં કાયદામાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી, જેના માટે તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે કાયદામાં ડૉક્ટરેટની ડિગ્રી પણ મેળવી. ડૉ.રાજેન્દ્રપ્રસાદ ખૂબ જ સરળ અને ગંભીર સ્વભાવના વ્યક્તિ હતા. તેઓ દરેક વર્ગના લોકો સાથે સમાન રીતે વર્તતા હતા. 1917 માં મહાત્મા ગાંધીજી બિહાર આવ્યા અને તે દરમિયાન ડૉ. પ્રસાદ ગાંધીજીને મળ્યા. તેઓ તેમની વિચારધારાથી ખૂબ પ્રભાવિત થયા. 1919 માં સમગ્ર ભારતમાં અસહકારની ચળવળ ની લહેર હતી.. ગાંધીજીએ તમામ શાળાઓ અને સરકારી કચેરીઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. તે પછી ડૉ. પ્રસાદે નોકરી છોડી દીધી હતી. ચંપારણ ચળવળ દરમિયાન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ગાંધીજીના વફાદાર સાથી બન્યા હતા. 1931 માં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું. આ દરમિયાન ડૉ. પ્રસાદને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું. 1934માં  તેમને મુંબઈ અધિવેશનમાં કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમણે 1942 માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો, જે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. ભારતને આઝાદી મળી તેના થોડા સમય પહેલાં જ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. ડૉ. રાજેન્દ્રપ્રસાદે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે બંધારણના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતના આ બંધારણ પર હસ્તાક્ષર કરીને ડૉ. પ્રસાદે તેને માન્યતા આપી હતી. 26 જાન્યુઆરી, 1950 ના રોજ તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને 1957 માં બીજી વખત રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા. રાષ્ટ્રપતિ પદની મુદત પૂરી થયા બાદ બિહાર વિદ્યાપીઠ માં રહીને લોકસેવા કરતાં રહ્યા. 1962 માં તેમનાં રાજકીય અને સામાજિક યોગદાન માટે ભારતના શ્રેષ્ઠ નાગરિક સન્માન ‘ભારતરત્ન' થી નવાજવામાં આવ્યા હતા. 28 ફેબ્રુઆરી, 1963 ના રોજ હ્રદય રોગના હુમલાને કારણે 78 વર્ષની વયે ડૉ. પ્રસાદનું અવસાન થયું. ભારતીય રાજકીય ઇતિહાસમાં તેમની છબી એક મહાન અને નમ્ર રાષ્ટ્રપતિની છે. ડૉ. રાજેન્દ્રપ્રસાદજીની યાદમાં પટણામાં ‘રાજેન્દ્ર મેમોરિયલ મ્યુઝિયમ' બનાવવામાં આવ્યું છે.

03rd December

Read more
ડૉ. રાજેન્દ્રપ્રસાદ જયંતી
03rd December

ડૉ. રાજેન્દ્રપ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ ૩ ડિસેમ્બર, 1884 ના રોજ બિહારના સીવાન જિલ્લાના જીરાદેઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મહાદેવ સહાય અને માતાનું નામ કમલેશ્વરી દેવી હતું. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા, તેમનાં માતા રાજેન્દ્ર પ્રસાદને રામાયણની વાર્તાઓ સંભળાવતાં હતાં.

રાજેન્દ્રપ્રસાદને 5 વર્ષ ની ઉંમરે માતા-પિતાએ એક મૌલવી પાસે મોકલવાનું શરૂ કર્યું, જેથી તે ફારસી, ઉર્દૂ અને હિન્દીનું જ્ઞાન મેળવી શકે. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના જ ગામ જીરાદેઈમાં થયું હતું. તેઓ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે લગાવ ધરાવતા...

Read more
ભારતીય નૌસેના દિન
ભારતીય નૌસેના દિન

ભારતીય સેનાના મુખ્ય ત્રણ વિભાગો છે. (1) ભૂમિદળ (2) હવાઈદળ અને (3) નૌકાદળ.   આજના ભારતીય નૌકાદળની સ્થાપના છેક અંગ્રેજી શાસન વખતે 1612 માં સમુદ્રી સેનાના રૂપમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 'ઇસ્ટ ઇન્ડિયા કંપની મરીન'ના નામે કરી હતી. તે પછી તેને1638 માં 'બોમ્બે મરીન', 1830 માં 'હર મેજેસ્ટીઝ ઇન્ડિયન નેવી', 1892 માં 'રોયલ ઇન્ડિયન મરીન' અને 1934 માં 'રોયલ ઇન્ડિયન નેવી' એવાં નામો અપાતાં રહ્યાં. આઝાદી પછી 26 જાન્યુઆરી, 1950 ના રોજ તેનું 'ભારતીય નૌકાદળ' અથવા 'ભારતીય નૌસેના' એવું નામકરણ કરીને પુનઃરચના કરવામાં આવી.   ભારતીય નૌસેના આપણી દરિયાઈ સરહદોનું રક્ષણ કરવામાં અને અન્ય કુદરતી આપત્તિઓ દરમિયાન દેશની સેવા કરવામાં અતૂટ પ્રતિબદ્ધતાથી કાર્ય કરે છે. તેની બહુમૂલ્ય સેવાઓ અને બલિદાનોએ આપણા રાષ્ટ્રને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવ્યું છે. આજે ભારતીય નૌસેના દુનિયાની પાંચમી સૌથી મોટી નૌસેના છે. તેની પાસે અસંખ્ય જહાજો, લડાકુ જળપોત, પનડુબ્બી- સબમરીન, પેટ્રોલ ક્રાફ્ટ, વિમાન વાહક જહાજો અને વિશાળ સેના છે. નૌસેના પાસે શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત છે, જે ભારતના સમુદ્રી ઇતિહાસમાં સૌથી મોટું જહાજ છે તેમાં અત્યાધુનિક સ્વદેશી ઓટોમેશન સુવિધાઓ છે. ભારતની ત્રણ બાજુ સમુદ્ર છે. તેને ઘણી લાંબી દરિયાઈ સીમા છે. આ વિશાળ જળ વિસ્તારની સરહદોની સુરક્ષાનું કામ કપરું છે. છતાં નોંધવું પડે કે ભારતમાં થયેલા બહારના હુમલાઓ જમીન માર્ગે થયા છે, જળ માર્ગે નહીં. આજના મજબૂત ભારતીય નૌકાદળ સામે દુશ્મનોને ટકવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.   ભારતીય નૌસેનાનો ઇતિહાસ ગૌરવમય છે. 1961 માં ગોવાને પોર્ટુગીઝોથી સ્વતંત્રતા અપાવવામાં સેનાને તેણે મહત્વપૂર્ણ મદદ કરી હતી. આ ઉપરાંત સૌથી વિશેષ ઘટના જાણવા જેવી છે. 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું. પાકિસ્તાને 3જી ડિસેમ્બરે ભારતીય એરપોર્ટ ઉપર હુમલો કર્યો. એ વખતે તેને જડબાતોડ જવાબ આપવા નૌસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન ટ્રાયડેન્ટ' (યુદ્ધ કાર્યવાહી)નું આયોજન કર્યું. જેનું નેતૃત્વ કમોડોર ગોપાલ રાવે કર્યું. એડમિરલ એસ. એમ. નંદા, વાઈસ એડમિરલ જી. એમ. હિરાનંદાની ના માર્ગદર્શનમાં નૌસેનાએ ચોથી અને 5મી ડિસેમ્બરે રાત્રે કરાંચી બંદર પર હુમલો કરીને પશ્ચિમી તટ ઉપર પાકિસ્તાનની કાર્યવાહીને નિષ્ફળ કરી દીધી. પાકિસ્તાનનાં ત્રણ યુદ્ધ જહાજો ડૂબાડી દીધાં. તેના સેંકડો નૌસૈનિકોને ઠાર માર્યા. ભારતીય નૌસેનાએ પહેલીવાર જહાજ પર એન્ટિશિપ મિસાઈલ થી હુમલો કર્યો. પાકિસ્તાનનાં સંખ્યાબંધ જહાજો અને ઓઇલ ટેન્કરોના કૂરચા ઉડાવી દીધા. કરાંચીમાં હાર્બર ફ્યુલ સ્ટોરેજ તબાહ થઈ ગયું. 60 કિલોમીટર દૂરથી દેખાય એવી આગની જ્વાળાઓ સાત સાત દિવસ સુધી ભડકતી રહી. પાકિસ્તાનની કમર તૂટી ગઈ. તે દરિયાઈ રસ્તે પૂર્વ પાકિસ્તાનને કશી જ મદદ ન કરી શક્યું. પાકિસ્તાનને કારમો પરાજય મળ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી નૌસેના ક્ષેત્રે વિશ્વે નોંધ લીધી છે તેવી આ સફળ કાર્યવાહી હતી.   ભારતમાં 'રોયલ ઇન્ડિયન નેવી' દ્વારા લોકોને નેવી વિશે જાગૃતિ માટે 21 ઑક્ટોબર, 1944 ના રોજ પહેલીવાર અને તે પછી 1945 થી 1971 સુધી પહેલી ડિસેમ્બરે નેવી ડે ઉજવાતો, પણ પાકિસ્તાન સામેના ભારતના આ ભવ્ય વિજયમાં 'ઓપરેશન ટ્રાઈડેન્ટ' ની ઉપલબ્ધિઓનું જશ્ન મનાવવા તથા નૌકાદળની સિદ્ધિઓને સલામ કરવા તેમજ યુદ્ધમાં પોતાના પ્રાણની આહૂતિ આપનારા બહાદુર સૈનિકોને સન્માન આપવા 1972 થી દર વર્ષે 4 ડિસેમ્બરે 'નૌસેના દિવસ' ઉજવવામાં આવે છે. આ ઉજવણી એક સપ્તાહથી પણ લાંબી ચાલે છે. જેમાં માર્શલ ધૂન, નેવી બેન્ડ કૉન્સર્ટ, હાફ મેરેથોન, બિટિંગ રિટ્રીટ સેરેમની જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. શાળાઓમાં પણ અનુશાસન શીખવવા તથા વિદ્યાર્થીઓમાં હિંમત જગાડી સશસ્ત્ર દળોમાં જોડાવાની પ્રેરણા મળે તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.   આજે ભારતીય નૌકાદળની તાકાત વિશ્વ વિખ્યાત છે, તે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ દુશ્મનોનો સામનો કરવા ખડે પગે તૈયાર છે. આજે નૌસેનામાં મહિલાઓની ભરતી શરૂ થઈ છે. આપણા સ્વદેશી ઉત્પાદનથી નૌકાદળને આત્મનિર્ભર બનાવવાનો પણ આરંભ થઈ ચૂક્યો છે.

04th December

Read more
ભારતીય નૌસેના દિન
04th December
ભારતીય સેનાના મુખ્ય ત્રણ વિભાગો છે. (1) ભૂમિદળ (2) હવાઈદળ અને (3) નૌકાદળ.   આજના ભારતીય નૌકાદળની સ્થાપના છેક અંગ્રેજી શાસન વખતે 1612 માં સમુદ્રી સેનાના રૂપમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 'ઇસ્ટ ઇન્ડિયા કંપની મરીન'ના નામે કરી હતી. તે પછી તેને1638 માં 'બોમ્બે મરીન', 1830 માં 'હર મેજેસ્ટીઝ ઇન્ડિયન નેવી', 1892 માં 'રોયલ ઇન્ડિયન મરીન' અને 1934 માં 'રોયલ ઇન્ડિયન નેવી' એવાં નામો અપાતાં રહ્યાં. આઝાદી પછી 26...
Read more
સશસ્ત્ર સેના ધ્વજ દિન
સશસ્ત્ર સેના ધ્વજ દિન

દેશની સુરક્ષા માટે સરહદો પર બહાદુરીપૂર્વક લડતા સૈનિકો તેમજ શહીદોના સન્માન માટે સમગ્ર દેશમાં 7મી ડિસેમ્બર ના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન' ઉજવવામાં આવે છે. દેશના સીમાડાઓના રક્ષણ કરતા અને પોતાનું જીવન ન્યૌછાવર કરનાર શહીદ સૈનિકોના સન્માન માટે પ્રત્યેક નાગરિક 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' ની ઉજવણીનો ભાગ બને એવા પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો, દેશની સુરક્ષા માટે સેવા આપતા કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ કરવાનો છે. વર્ષોથી, આ દિવસને ભારતના સૈનિકોના સન્માન તરીકે મનાવવાની પરંપરા બની ગઈ છે.   ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ તરત જ, સરકારને તેના સંરક્ષણ કર્મચારીઓના કલ્યાણનું સંચાલન કરવાની જરૂરિયાત ઊભી થઈ. 28 ઑગસ્ટ, 1949ના રોજ સંરક્ષણ પ્રધાન હેઠળ રચાયેલી સમિતિએ દર વર્ષે 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિન (Armed Forces Flag Day) અથવા ભારતીય સૈન્ય ધ્વજ દિન મનાવવાનું નક્કી કર્યું. દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની ભારતીય નાગરિકો જવાબદારી સમજે તે પણ આ દિવસની ઉજવણી માટેનો અન્ય એક હેતુ હતો. આ ધ્વજ યુનાઇટેડ કિંગડમ ના સંરક્ષણ મંત્રાલય જેવો જ છે, જેનો સૌપ્રથમ ઉપયોગ 1956 માં સાથી કોમનવેલ્થ સભ્યો સાયપ્રસ, ભારત, કેન્યા અને નાઇજીરીયા દ્વારા કરવામાં આવ્યો હતો.   ભારતીય સૈન્ય ધ્વજ દિન અથવા સશસ્ત્ર સેના ધ્વજ દિન મુખ્યત્વે ત્રણ મૂળભૂત હેતુઓ પૂરા કરવા માટે મનાવવામાં આવે છે : (1) યુદ્ધ દરમિયાન થયેલી જાનહાનિનું પુનર્વસન  (2) દેશની સુરક્ષા માટે સેવા આપતા કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ (3) ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ.   આ દિવસે ભારતીય ધ્વજ, બેઝ, સ્ટીકરો અને અન્ય વસ્તુઓના વેચાણ દ્વારા ભંડોળ એકત્ર કરીને સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને શહીદ સૈનિકોના પરિવારને સહાયરૂપ થવામાં આવે છે. આ દિવસ ભારતીય નાગરિકો માટે ભારતના લશ્કરી કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રશંસા વ્યક્ત કરવાનો અને દેશની સેવામાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરવાનો પ્રસંગ છે.   સશસ્ત્ર સેના ધ્વજ દિન (Armed Forces Flag Day) પર ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો, ભારતીય ભૂમિસેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના કર્મચારીઓના પ્રયાસોને સામાન્ય જનતાને દર્શાવવા માટે વિવિધ પ્રકારના શો, કાર્નિવલ, નાટકો અને અન્ય મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરે છે. કેન્દ્રિય સૈનિક બોર્ડ કે જે સંરક્ષણ મંત્રાલયનો એક ભાગ છે, તેની સ્થાનિક શાખાઓ દ્વારા સમગ્ર દેશમાં ભંડોળ એકત્ર કરી તેનું સંચાલન કરવામાં આવે છે. આ દિવસે લોકો શહીદો, ભારતના વર્તમાન તેમજ ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને દેશની સેવામાં મૃત્યુ પામેલા સૈનિકોનું સ્મરણ કરી યથાયોગ્ય અનુદાન અર્પણ કરે છે.

07th December

Read more
સશસ્ત્ર સેના ધ્વજ દિન
07th December
દેશની સુરક્ષા માટે સરહદો પર બહાદુરીપૂર્વક લડતા સૈનિકો તેમજ શહીદોના સન્માન માટે સમગ્ર દેશમાં 7મી ડિસેમ્બર ના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન' ઉજવવામાં આવે છે. દેશના સીમાડાઓના રક્ષણ કરતા અને પોતાનું જીવન ન્યૌછાવર કરનાર શહીદ સૈનિકોના સન્માન માટે પ્રત્યેક નાગરિક 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' ની ઉજવણીનો ભાગ બને એવા પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો, દેશની સુરક્ષા માટે સેવા આપતા કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ કરવાનો છે. વર્ષોથી, આ દિવસને ભારતના સૈનિકોના સન્માન તરીકે મનાવવાની પરંપરા બની ગઈ છે.   ભારતે સ્વતંત્રતા...
Read more
વિશ્વ માનવ અધિકાર દિન
વિશ્વ માનવ અધિકાર દિન

સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બર માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. દરેક માનવીને જન્મની સાથે જે અધિકારો પ્રાપ્ત થાય છે તેવા અધિકારોને માનવ અધિકાર કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવ અધિકાર એટલે મનુષ્યને તે તમામ અધિકારો આપવા, જે વ્યક્તિના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવ સાથે સંબંધિત હોય. બીજા વિશ્વયુદ્ધ બાદ 10 ડિસેમ્બર, 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારોની ઘોષણાને માન્યતા આપવામાં આવી હતી અને તેથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10મી ડિસમ્બર ના રોજ વિશ્વ માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે. માનવ અધિકાર દિન લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.   બીજા વિશ્વયુદ્ધમાં દુનિયામાં અમાનવીય અત્યાચારોની પરાકાષ્ટા જોવા મળી. લાખો નિર્દોષ લોકોએ ધૃણાના કારણે અમાનવીય ત્રાસ સહન કર્યો, જેમાંથી વિશ્વ દાયકાઓ સુધી બહાર નીકળી શક્યું નહીં. તેથી જ યુનાઈટેડ નેશન્સે માનવાધિકાર માટે એક ડિકલેરેશન લેટર બહાર પાડ્યો. જેથી વિશ્વ માનવતાના રક્ષણની ખાતરી કરી શકે. માનવ અધિકારો મનુષ્યનું 'મનુષ્ય' તરીકેનું ગૌરવ જાળવી રાખવાના શુદ્ધ હેતુથી ઘોષિત કરાયા છે. માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા 500 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને પ્રાપ્ત થાય તે જરૂરી છે. ઉપરાંત તેનો સર્વાગી વિકાસ સાધી શકે અને સામાજિક વાતાવરણ મળી રહે એનો સ્વીકાર કરીને તેના રક્ષણની બાંહેધરી આપવામાં આવી છે. માનવ અધિકાર એ એવા મૂળભૂત કુદરતી અધિકારો છે કે, જેનાથી જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરેના આધારે મનુષ્યને વંચિત અથવા શોષિત કરી શકાય નહીં. માનવ અધિકારોમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને શિક્ષણના અધિકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.   પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસનપ્રથાની પાયાની ઓળખ છે. આ માનવ અધિકારો ભારતીય બંધારણના ભાગ-3માં મૂળભૂત અધિકારોના નામે છે. અને જેઓ આ અધિકારોનું ઉલ્લંઘન કરે છે તેમને કોર્ટ દ્વારા સજા કરવામાં આવે છે. ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર, 1993 થી લાગુ કરવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર, 1993 ના રોજ 'રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ' ની રચના કરવામાં આવી હતી.   માનવ અધિકાર દિવસ લોકોમાં સામાજિક, સાંસ્કૃતિક અને ભૌતિક અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. જેથી દરેક વ્યક્તિની સુખ-સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય. આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વના દેશોને તમામ લોકો માટે સમાન તકો આપવા માટે પ્રોત્સાહિત કરે છે. આ દિવસે વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી લોકો માનવ અધિકારો પ્રત્યે જાગૃત થાય. આપણે આપણા અને બીજાના માનવ અધિકાર પ્રત્યે જાગૃત થઈએ અને તેનું રક્ષણ કરીએ.

10th December

Read more
વિશ્વ માનવ અધિકાર દિન
10th December
સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બર માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. દરેક માનવીને જન્મની સાથે જે અધિકારો પ્રાપ્ત થાય છે તેવા અધિકારોને માનવ અધિકાર કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવ અધિકાર એટલે મનુષ્યને તે તમામ અધિકારો આપવા, જે વ્યક્તિના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવ સાથે સંબંધિત હોય. બીજા વિશ્વયુદ્ધ બાદ 10 ડિસેમ્બર, 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારોની ઘોષણાને માન્યતા આપવામાં આવી હતી અને તેથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10મી ડિસમ્બર ના રોજ વિશ્વ માનવ અધિકાર દિન ઉજવવામાં...
Read more
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન

વિશ્વની અર્થવ્યવસ્થા ચલાવવા ઊર્જા ખૂબ જ મહત્વ પૂર્ણ માધ્યમ છે. વિવિધ ઉદ્યોગો, ફેક્ટરીઓ અને ગેજેટ્સ ચલાવવા ઊર્જાની ડગલે ને પગલે જરૂર પડે છે. સંસ્કૃતિના વિકાસની સાથે ઊર્જાનું મહત્વ માનવજાતે સમજ્યું છે. તેથી જ વિશ્વના પ્રાચીનતમ સાહિત્ય તેવા ઋગ્વેદનો પ્રારંભ ‘ૐ અગ્નિમિળે પુરોહિતમ્' મંત્રથી થાય છે. ઊર્જા વગરનું જીવન કલ્પી પણ ન શકાય એટલી હદે આપણે વિવિધ ઊર્જાસ્રોતો પર અવલંબિત છીએ. વિશ્વની અર્થવ્યવસ્થા દર વર્ષે વૃદ્ધિ પામી રહી છે. તેની સાથે ઊર્જાની માંગ પણ વધી રહી છે, જ્યારે તેની સામે ઊર્જાના અમુક સ્રોતો પુનઃઅપ્રાપ્ય અને ખૂબ જ મર્યાદિત જથ્થામાં છે. આવા સમયે આવા સ્રોતોનો જંગી વપરાશ તથા તેનો ઝડપથી ઘટી રહેલો જથ્થો જોતાં આગામી સમય માટે ઊર્જા સંરક્ષણ ખૂબ જરૂરી બન્યું છે.   દેશમાં ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા દેશના નાગરિકો ઊર્જા સંરક્ષણમાં સક્રિય ભાગ લે એ જરૂરી છે. પુનઃ અપ્રાપ્ય ઊર્જાસ્રોતોનો વપરાશ ઘટાડી લોકો પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્રોતોનો વધુ ઉપયોગ કરવા પ્રેરાય તે માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે 14મી ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન ની ઉજવણી કરવામાં આવે છે.   ભારતમાં બ્યૂરો ઓફ એનર્જી એફિસિએન્સી (BEE) દ્વારા 2001 માં ઊર્જા સંરક્ષણ કાયદો ઘડવામાં આવ્યો હતો. BEE એક વૈધાનિક સંસ્થા છે. જે ઊર્જા વપરાશ ઘટાડવા માટે નીતિઓ અને યોજનાઓ વિકસાવવામાં મદદ કરે છે.   આ દિવસનો મુખ્ય સંદેશ એ છે કે પુનઃ પ્રાપ્યનો ઉપયોગ વધારી પુનઃઅપ્રાપ્ય ઊર્જાસ્રોતોનું જતન કરવું જોઈએ.

14th December

Read more
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન
14th December
વિશ્વની અર્થવ્યવસ્થા ચલાવવા ઊર્જા ખૂબ જ મહત્વ પૂર્ણ માધ્યમ છે. વિવિધ ઉદ્યોગો, ફેક્ટરીઓ અને ગેજેટ્સ ચલાવવા ઊર્જાની ડગલે ને પગલે જરૂર પડે છે. સંસ્કૃતિના વિકાસની સાથે ઊર્જાનું મહત્વ માનવજાતે સમજ્યું છે. તેથી જ વિશ્વના પ્રાચીનતમ સાહિત્ય તેવા ઋગ્વેદનો પ્રારંભ ‘ૐ અગ્નિમિળે પુરોહિતમ્' મંત્રથી થાય છે. ઊર્જા વગરનું જીવન કલ્પી પણ ન શકાય એટલી હદે આપણે વિવિધ ઊર્જાસ્રોતો પર અવલંબિત છીએ. વિશ્વની અર્થવ્યવસ્થા દર વર્ષે વૃદ્ધિ પામી રહી છે. તેની સાથે ઊર્જાની માંગ પણ વધી રહી છે, જ્યારે તેની સામે ઊર્જાના અમુક સ્રોતો પુનઃઅપ્રાપ્ય અને ખૂબ જ મર્યાદિત જથ્થામાં છે. આવા સમયે...
Read more
રાષ્ટ્રીય ગણિત દિન (શ્રીનિવાસ રામાનુજન જયંતિ)
રાષ્ટ્રીય ગણિત દિન (શ્રીનિવાસ રામાનુજન જયંતિ)

શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગણિત દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈ માં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજન ની 125મી જયંતીના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતાં વર્ષ 2012 ને 'રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજનના જન્મદિવસને 'રાષ્ટ્રીય ગણિત દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતના આ મહાન ગણિતશાસ્ત્રીને સન્માન આપવા 'રાષ્ટ્રીય ગણિત દિન' ઉજવવામાં આવે છે.   શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ચેન્નઈથી 400 કિમી દૂર ઈરોડમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા શ્રીનિવાસ આયંગર અને માતા કોમલ તમ્મલ. તેમને બાળપણથી ગણિતનો શોખ હતો. માત્ર 12 વર્ષની ઉંમરે તેઓ ત્રિકોણમિતિમાં નિપુણ બન્યા. 1904 માં ગણિતમાં વિશેષ યોગદાન બદલ તેમને 'રંગનાથ રાવ' પુરસ્કાર મળ્યો.   તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તે મિત્રો પાસેથી પુસ્તકો ઉછીનાં લઈને વાંચતા હતા. પોતાની નાણાકીય જરૂરિયાતો માટે મદ્રાસ ટ્રસ્ટ પોર્ટ ની ઓફિસમાં તેમણે ક્લાર્ક તરીકે કામ કર્યું. નોકરી દરમિયાન તેઓ ફુરસદના સમયમાં ગણિતના પ્રશ્નો ઉકેલતા હતા. ટૂંકા જીવનકાળ દરમિયાન તેમણે આશરે 3900 જેટલા ગાણિતિક કોયડાના ઉકેલો શોધ્યા હતા. રામાનુજનની વૈશ્વિક પ્રતિભાની ઓળખ કરાવવામાં અંગ્રેજ પ્રો. હાર્ડી નો મોટો ફાળો હતો. રામાનુજનથી પ્રભાવિત થઈને બ્રિટનની રોયલ સોસાયટી એ તેમને વર્ષ 1918 માં ફેલોશિપ આપી. રામાનુજન આ સન્માન મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા. નંબર થિયરી પરના તેમના અદ્દભુત કાર્યને કારણે, તેમને 'સંખ્યાના જાદુગર' કહેવામાં આવે છે. રામાનુજન હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે પ્રો. હાર્ડી તેમને મળવા ગયા. વાતવાતમાં તેમણે કહ્યું, 'હું જે વાહનમાં આવ્યો તેનો નંબર 1729 હતો. બીમારીની કહ્યું, 'અરે! બહુ સરસ નંબર છે. એક માત્ર આંકડો જે બે રીતે બે અલગ અલગ સંખ્યાના ઘનનો સરવાળો છે.   (10×10×10) + (9×9×9)=1729 અને (12×12×12) (1×1×1)=1729 ત્યારથી આ નંબર ગણિતમાં રસ ધરાવનારા માટે અગત્યનો બની ગયો.   રામાનુજનના સંશોધનો મુખ્યત્વે સંખ્યા ગણિત, અપૂર્ણાંકો, પ્રમેયો, વિધેયો વગેરે ક્ષેત્રોમાં હતાં. જ્યારે કમ્પ્યૂટરની શોધ થઈ ત્યારે લાખો દશાંશ સ્થાન સુધીની ગણતરી માટે રામાનુજનનાં જ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રામાનુજને કોઈ મદદ વિના હજારો ગાણિતિક પરિણામોનાં સૂત્રોને સમીકરણોનાં સ્વરૂપે સંકલિત કર્યા. જેમાં ઘણાં મૌલિક હતાં, જેમ કે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થીટા ફંક્શન, વિભાજન સૂત્ર અને મોક થીટા ફંક્શન વગેરે. તેઓએ ડાઈવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ Riemann series, the elliptic integrals, hyper geometric series and Jeta Functionના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. મૃત્યુ પહેલાં પણ માંદગી હોવા છતાં તેઓ ગણિતમાં જ ખૂંપેલા રહ્યા. તે સમયે તેમણે q-series પર કામ કર્યું પણ તેની બહુ મોડેથી ખબર પડી. તેમની એ નોટબુક અચાનક જ મળી અને એનું સંકલન અલગ Lost Notebook ને નામે કરવામાં આવ્યું છે. તેમણે રજૂ કરેલ રહસ્યમય ડેથબેડ થિયરી તેમનાં મૃત્યુનાં 100 વર્ષ બાદ સાચી પડી છે. જેનો ઉપયોગ બ્લેક હોલની થિયરી સમજવા માટે કરવામાં આવ્યો છે. 26 એપ્રિલ, 1920 ના રોજ માત્ર 33 વર્ષ ની વયે કુમ્બનમ ખાતે તેમનું અવસાન થયું હતું.   આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતાના વિકાસ માટે ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની યુવા પેઢીને ગણિત શીખવા માટે પ્રોત્સાહિત કરવા, ઉત્સાહિત કરવા અને તેમનામાં સકારાત્મક વલણ કેળવવા માટે પહેલ કરવામાં આવે છે. આ દિવસે શિબિરો દ્વારા ગણિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવે છે. ગણિત અને સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન માટે શિક્ષણ-પ્રશિક્ષણ સામગ્રી (TLM) ના વિકાસ, ઉત્પાદન અને પ્રસારને પ્રકાશિત કરવામાં આવે છે.

22nd December

Read more
રાષ્ટ્રીય ગણિત દિન (શ્રીનિવાસ રામાનુજન જયંતિ)
22nd December
શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગણિત દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈ માં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજન ની 125મી જયંતીના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતાં વર્ષ 2012 ને 'રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજનના જન્મદિવસને 'રાષ્ટ્રીય ગણિત દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતના આ...
Read more
રાષ્ટ્રીય ખેડૂત દિન
રાષ્ટ્રીય ખેડૂત દિન

દર વર્ષે 23 ડિસેમ્બર ના રોજ આપણાં દેશમાં 'રાષ્ટ્રીય ખેડૂત દિન' (National Farmers Day) ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જયંતી છે. 2001 માં કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 23 ડિસેમ્બરને 'રાષ્ટ્રીય ખેડૂત દિન' ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૌધરી ચરણસિંહનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' તરીકે ઓળખાય છે.   'રાષ્ટ્રીય ખેડૂત દિન' મહત્વપૂર્ણ છે કારણ કે, આ દિવસ કૃષિ ક્ષેત્રની નવીન શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે. આ દિવસ લોકોને ખેડૂતોની સામે આવનારા વિભિન્ન મુદ્દા અંગે જાગૃત કરવાનું કામ કરે છે. પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુરશાસ્ત્રીએ "જય જવાન જય કિસાન" નારો આપ્યો હતો.   ખેડૂતોનું દેશના વિકાસમાં મોટું યોગદાન હોય છે તેથી આપણે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ ખાસ દિવસનો હેતુ ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરવાનો જ છે. દેશમાં આ પ્રસંગે ખેડૂત જાગૃતિથી લઈને અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે. આ દિવસને ઉજવવા પાછળનો એક બીજો ઉદ્દેશ્ય એ છે કે, તે નવીનતમ શિક્ષણ સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનવાનો વિચાર આપે છે. એ જાણવું જરૂરી છે કે, આપણે ખોરાક વગર જીવી ન શકીએ અને મોટાભાગનો ખોરાક ખેડૂતોએ ઉગાડેલાં અનાજ, કઠોળ, ફળ અને શાકભાજી માંથી જ મેળવીએ છીએ. ખેડૂતો ખેતરમાં મહેનત કરીને જે ઉગાડે છે તેનાથી જ આપણું પેટ ભરાય છે. ખેડૂતો ના હોય તો આપણું અસ્તિત્વ જ ના રહે. વિભિન્ન દેશોમાં ખેડૂત દિવસ અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે પરંતુ ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે.   વર્તમાન સમયમાં જગતના તાતને પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃત કરવાની ખૂબ આવશ્યકતા છે. જેથી કરીને તે પોતાના ઉત્પાદનોને શુદ્ધ અને સાત્વિક બનાવી શકે અને તેની સારી કિંમત ઉપજાવી શકે. સાંપ્રત સમયમાં ખેડૂતને કુદરતી ખાતરનો ઉપયોગ કરવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા ઉત્તેજન આપીએ. ઉપરાંત, સજીવ ખેતી જેવી પદ્ધતિઓ અંગે જાગૃત કરીએ, જેથી દેશ હરિયાળી ક્રાંતિ લાવવા સક્ષમ બને. સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માનનિધિ યોજના, પીએમ કુસુમ યોજના જેવી કેટલીય ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરી છે જેનો ખેડૂતોને લાભ મળી રહ્યો છે.   ભારત મુખ્યત્વે ખેતી પ્રધાન દેશ છે. દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં કૃષિ ઉત્પાદનનો ફાળો 14 થી 15 ટકા જેટલો હોય છે. આમ, ‘રાષ્ટ્રીય ખેડૂત દિવસ' દેશની સમૃદ્ધિમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.

23rd December

Read more
રાષ્ટ્રીય ખેડૂત દિન
23rd December
દર વર્ષે 23 ડિસેમ્બર ના રોજ આપણાં દેશમાં 'રાષ્ટ્રીય ખેડૂત દિન' (National Farmers Day) ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જયંતી છે. 2001 માં કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 23 ડિસેમ્બરને 'રાષ્ટ્રીય ખેડૂત દિન' ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૌધરી ચરણસિંહનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' તરીકે ઓળખાય છે.   'રાષ્ટ્રીય ખેડૂત દિન' મહત્વપૂર્ણ છે કારણ કે, આ દિવસ કૃષિ ક્ષેત્રની નવીન શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે. આ દિવસ લોકોને ખેડૂતોની સામે આવનારા...
Read more
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન

ભારત દેશમાં દર વર્ષે 24 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગ્રાહક દિન' અધિકાર ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય રાષ્ટ્રના દરેક ગ્રાહક તેમના અધિકારો પ્રત્યે જાગૃત બને તે છે. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન લોકોને ગ્રાહક અધિકાર ઝુંબેશના મહત્વ વિશે વધુ જાગૃત કરવાની અને દરેક ઉપભોક્તાને તેમના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે વધુ સજાગ બનવાની તક પૂરી પાડે છે. સૌ પ્રથમ 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' વર્ષ 2000 માં ઉજવવામાં આવ્યો હતો.   સંયુક્ત રાષ્ટ્રસંઘે તેમની 16 એપ્રિલ, 1985 ની સભામાં 'યુનાઈટેડ નેશન્સ ગાઈડલાઈન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન'ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારો ઘોષિત કર્યા. તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો અને હિતોના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી હતી. ભારતીય સંસદે 'રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ - 1986' ઘડી કાઢ્યો હતો. જેને રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર, 1986 ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી. ત્યારથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરને 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 1988 ના રોજ 'ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો - 1988' અમલમાં મૂક્યા. તે મુજબ ગ્રાહક સુરક્ષા માટેની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવે છે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2000 માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની જરૂરિયાત આજે પણ જણાય છે.   ગ્રાહક કોણ છે ? ગ્રાહક તે છે, જે વસ્તુઓ અથવા સેવાઓ ખરીદે છે અને તેના બદલામાં ચૂકવણી કરે છે.   ગ્રાહકોના અધિકારો : કાયદા હેઠળ ગ્રાહકોને છ અધિકારો આપવામાં આવ્યા છે. (1) સલામતીનો અધિકાર (2) માહિતી મેળવવાનો અધિકાર (3) પસંદગી કરવાનો અધિકાર (4) રજૂઆત કરવાનો અધિકાર (5) ફરિયાદ નિવારણનો અધિકાર (6) ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર   ગ્રાહકોની ફરજો : ગ્રાહકોની મુખ્ય ફરજો નીચે મુજબ છે. (1) ગ્રાહકોએ ખરીદી વખતે ચીજવસ્તુઓ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. BIS, ISI કે 'એગમાર્ક' જેવા ગુણવત્તાનાં માનકચિહ્નોવાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. (2) ખરીદી સમયે વસ્તુ વિશેની તમામ માહિતીચકાસી ને જ ખરીદી કરવી જોઈએ. (૩) ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે. (4) ગ્રાહકે ખરીદેલા માલનું કે સેવાનું પાકું બીલ તેમજ નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. (5) ગ્રાહકોએ બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને ‘સ્વૈચ્છિક ગ્રાહક મંડળો' કે 'સંગઠનો' રચવાં જોઈએ. તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. (6) ગ્રાહકોએ સાચી ફરિયાદ બાબતે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં રજૂઆત કે ફરિયાદ આપવી જોઈએ. ખરીદેલી વસ્તુ બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય તો તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. (7) ખરીદી વખતે વજનનાં માપિયાં, વજનકાંટો, તોલમાપનાં સાધનો બરાબર છે કે કેમ તેની ખાતરી કરવી જોઈએ.   ફરિયાદ નિવારણના ઉપાયો: ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે થયેલી ફરિયાદ નિવારણના ઉપાયો ચાર પ્રકારે હાથ ધરવામાં આવે છે. જે નીચે મુજબ છે. 1) ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો : રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારા 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ'ની રચના કરી છે. તે જ રીતે રાજ્યકક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. આ કમિશન હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો અને ધારાધોરણો ઘડવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે. જે નીચે મુજબ છે. (A) જિલ્લા મંચ (જિલ્લા ફોરમ) (B) રાજ્ય કમિશન ( રાજ્ય ફોરમ) (C) રાષ્ટ્રીય કમિશન (રાષ્ટ્રીય ફોરમ)   2) ગ્રાહક મંડળો (ગ્રાહક સુરક્ષા પરિષદો)   3) જાહેર વિતરણ પ્રણાલી   4) તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર કોઈપણ ગ્રાહક ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા, કાયદા અંગે વિશેષ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે ગુજરાત રાજ્યના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-114000 પર સંપર્ક કરી શકે છે.   જાગો ગ્રાહક જાગો ઝુંબેશ. માણસ જન્મતાંની સાથે એક ગ્રાહક બની જાય છે. રોજ સવાર પડતાંની સાથે આપણે આપણા ઉપયોગ માટેની વસ્તુઓની ખરીદી કરીએ છીએ, ત્યારે કેટલીક વખતે છેતરપિંડીનો ભોગ પણ બનીએ છીએ. ગ્રાહક સુરક્ષા બાબતોના વિભાગ દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ જાગો ગ્રાહક જાગો પણ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે સરકારે ગ્રાહક માહિતી અને શિક્ષણ માટે પ્રિન્ટ મીડિયા જાહેરાતો, ઑડિયો ઝુંબેશ અને વીડિયો ઝુંબેશ દ્વારા ગ્રાહક જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે.

24th December

Read more
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન
24th December
ભારત દેશમાં દર વર્ષે 24 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગ્રાહક દિન' અધિકાર ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય રાષ્ટ્રના દરેક ગ્રાહક તેમના અધિકારો પ્રત્યે જાગૃત બને તે છે. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન લોકોને ગ્રાહક અધિકાર ઝુંબેશના મહત્વ વિશે વધુ જાગૃત કરવાની અને દરેક ઉપભોક્તાને તેમના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે વધુ સજાગ બનવાની તક પૂરી પાડે છે. સૌ પ્રથમ 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' વર્ષ 2000 માં ઉજવવામાં આવ્યો હતો.   સંયુક્ત રાષ્ટ્રસંઘે તેમની 16 એપ્રિલ, 1985
Read more
નાતાલ
નાતાલ

 "જિંગલ બેલ, જિંગલ બેલ, જિંગલ ઓલ ધ વે...' નાતાલના દિવસોમાં, આ ધૂન બજારો અને ઘરોમાં સંભળાય છે.   ખ્રિસ્તીઓનું મોટામાં મોટું પર્વ નાતાલ 25 ડિસેમ્બર ના રોજ આવે છે. નાતાલ પ્રેમ, આનંદ, પ્રકાશ અને શાંતિનું પર્વ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુનો જન્મદિવસ એટલે નાતાલ. નાતાલને Xmas તરીકે પણ ઓળખવામાં આવે છે. 'X' એ પ્રાચીન ગ્રીક અક્ષર પરથી ઉતરી આવ્યો છે. જે ગ્રીક શબ્દ ક્રિસ્ટોસ નો પ્રથમ અક્ષર છે.   નાતાલ પર્વના ચાર અઠવાડિયા પહેલાંનો સમય 'આગમન ઋતુ' તરીકે ઓળખાય છે. આગમન ઋતુ એટલે પ્રભુના આગમનની તૈયારી કરવાનો સમય. આશા, આનંદ, પ્રેમ અને શાંતિ એવા હેતુઓની પ્રાર્થના કરીને પ્રભુ ઇસુના આગમનની તૈયારી કરવામાં આવે છે. ડિસેમ્બર મહિનાની 25મી તારીખે પ્રભુ ઈસુના જન્મની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર ઇસુના જન્મ માટે ઈશ્વરે માતા તરીકે મરિયમ અને પિતા તરીકે જોસેફને પસંદ કર્યા હતાં. પવિત્ર આત્માના પ્રભાવે મરિયમને ગર્ભ રહ્યો. એ સમયે રોમન બાદશાહ અગસ્તસ દ્વારા આખા રોમન સામ્રાજ્યની વસતી ગણતરી કરવાનું ફરમાન બહાર પાડવામાં આવેલું. સૌને પોતપોતાના વતનમાં નામ નોંધાવવા જવાનું ફરમાન હતું. ઇસુના પિતા જોસેફ અને માતા મરિયમ નામ નોંધાવવા પોતાના વતન બેથલેહેમ જવા રવાના થયાં. આ સમયે મરિયમના ઉદરમાં ઈશ્વરપુત્ર માનવ સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા. તેમનો પ્રસૂતિનો સમય નજીક આવ્યો હતો અને બેથલેહેમમાં તેમને ઉતારા માટે જગ્યા મળતી ન હતી. આખરે બેથલેહેમ ગામની બહાર પશુઓને રાખવાની એક ગમાણમાં જગ્યા મળે છે અને ત્યાં મધરાતે ઇસુનો જન્મ થાય છે.   પરંપરાગત રીતે નાતાલ પર્વની ઉજવણીમાં ગભાણ, ક્રિસમસ ટ્રી, તારો, સાન્તાક્લોઝ, ક્રિસમસ કૅરોલ્સ -નાતાલ ગીતો, ક્રિસમસ કેક સૌને જોવા મળે છે. ગભાણ એ પ્રભુ ઈસુના જન્મસ્થળનું પ્રતીક છે. નાતાલ તહેવાર નિમિત્તે ચર્ચમાં અને સૌ ખ્રિસ્તી ભાઈ બહેનો પોતાના ઘરે ઈસુના જન્મનું દૃશ્ય ગભાણ બનાવે છે. ક્રિસમસ ટ્રી શણગારે છે અને સ્ટાર લગાડે છે. ઈસુના જન્મ સમયે એક તારો પ્રગટ્યો હતો, જે મુક્તિદાતાના જન્મની એંધાણી દર્શાવતો હતો. આ તારો નિહાળીને ઇસુના દર્શને પૂર્વના પુરોહિતો આવ્યા હતા. સેન્ટ નિકોલસ એ 'સાન્તાક્લોઝ' તરીકે ઓળખાયા, જે બાળકોને નાતાલના તહેવાર નિમિત્તે ભેટ આપતા હતા. પશ્ચિમના દેશોમાં અત્યારે પણ માતાપિતા બાળકોને સાન્તાક્લોઝના થેલામાં ભેટ મૂકીને આપે છે. આ દિવસે ખ્રિસ્તીઓ ક્રિસમસ કૅરોલ્સ એટલે નાતાલ ગીતો ગાઇને એકબીજાને શુભેચ્છા પાઠવે છે.   પહેલાંના સમયમાં ક્રિસમસના દિવસે લોકો ઉપવાસ કરતા હતા અને સાંજે ખીર ખાઈને ઉપવાસ છોડતા હતા. 16મી સદીમાં પ્લમની ખીરમાં ઘઉંનો લોટ, બટર, વગેરે મિશ્રણ કરીને વાનગી બનાવવાની શરૂઆત થઈ. સમય જતાં આ સ્વરૂપ કેકમાં ફેરવાઈ ગયું અને આજે નાતાલ પર્વની ઉજવણી પ્લમ કેક વગર અધૂરી ગણાય છે. 24મીની રાત્રે અને 25મી તારીખે ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થના બાદ સૌ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવે છે. નવાં કપડાં, મીઠાઈ અને ક્રિસમસ કેક ખાઈ સૌ નાતાલ પર્વનો આનંદ માણે છે. નાતાલ તહેવાર 25 તારીખ થી લઈને 31 ડિસેમ્બર સુધી ઉજવવામાં આવે છે.

25th December

Read more
નાતાલ
25th December
 "જિંગલ બેલ, જિંગલ બેલ, જિંગલ ઓલ ધ વે...' નાતાલના દિવસોમાં, આ ધૂન બજારો અને ઘરોમાં સંભળાય છે.   ખ્રિસ્તીઓનું મોટામાં મોટું પર્વ નાતાલ 25 ડિસેમ્બર ના રોજ આવે છે. નાતાલ પ્રેમ, આનંદ, પ્રકાશ અને શાંતિનું પર્વ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુનો જન્મદિવસ એટલે નાતાલ. નાતાલને Xmas તરીકે પણ ઓળખવામાં આવે છે. 'X' એ પ્રાચીન ગ્રીક અક્ષર પરથી ઉતરી આવ્યો છે. જે ગ્રીક શબ્દ ક્રિસ્ટોસ નો પ્રથમ અક્ષર છે.   નાતાલ પર્વના ચાર અઠવાડિયા પહેલાંનો સમય 'આગમન ઋતુ' તરીકે...
Read more
મહાશિવરાત્રિ
મહાશિવરાત્રિ

     ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ.     પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા એવું નક્કી થયું. ભગવાન શિવ નિર્ણાયક હતા. શિવલિંગ તેનું સ્વરૂપ હતું. ઘણી મહેનત પછી શિવલિંગનું માપ આદિ-અંત નક્કી કરી શકાયું નહીં. છેવટે બ્રહ્મા-વિષ્ણુએ સ્વીકાર્યું કે ભગવાન શિવ જ મોટા છે. બધા દેવોમાં પણ શિવ ‘મહાદેવ’ કહેવાયા.     મહાશિવરાત્રિ માં શિવલિંગની પૂજા શ્રેષ્ઠ મનાય છે, કારણકે શિવલિંગની પૂજા કરવાથી શિવ અને શક્તિ બંનેની પૂજા એક સાથે થઈ જાય છે. શિવરાત્રિ ના વ્રતની કથા શિવપુરાણમાં રુદ્રસંહિતા અંતર્ગત અધ્યાય 37માં વર્ણવેલી છે. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર મહાશિવરાત્રિ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. એક સમયની વાત છે: એક શિકારી શિકાર માટે જંગલમાં ગયો. જંગલની મધ્યમાં એક બિલીનું વૃક્ષ હતું તેની નીચે શિવલિંગ સ્થાપિત હતું. શિકારી શિકારની વાટ જોતાં જોતાં અજાણતા બીલીનાં પાન તોડી તોડીને નીચે સ્થાપિત શિવલિંગ પર નાખી રહ્યો હતો અને આ ક્રિયા સતત ચાર પ્રહર સુધી ચાલુ રહી. આમ, અજાણતાં જ શિકારીથી રાત્રિના ચાર પ્રહર સુધી શિવલિંગની પૂજા થઈ તેથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા. આ રીતે શિવરાત્રિ ની પૂજા ચાર પ્રહરની પૂજા ગણવામાં આવે છે.     બીજી માન્યતા અનુસાર દરેક મનુષ્યના જીવનમાં ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મહાશિવરાત્રિની રાત્રે ચાર પ્રહર શિવપૂજન કરવાથી મનુષ્યના આ ચાર પુરુષાર્થ સિદ્ધ થાય છે.     મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવના મંદિર પાસે ગિરનારની તળેટીમાં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં દેશના વિવિધ સંપ્રદાયના સાધુઓ અને દિગંબર સાધુઓ આવે છે. આ દિવસે નીકળતા નાગાબાવાઓનુ સરઘસ કે રવાડીમાં હથિયારોના વિવિધ દાવ અને કરતબ પણ દેખાડવામાં આવે છે. આ મેળાનું સમાપન નાગાબાવાઓ સહિત સાધુ સંતોના મૃગીકુંડમાં સ્નાનથી થાય છે. આ સિવાય પણ ગુજરાતમાં ઘણાં શિવાલયોની આસપાસ મેળાનું આયોજન થતું હોય છે.

15th February

Read more
મહાશિવરાત્રિ
15th February

     ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ રૂદ્ર સ્વરૂપે રહેલાં ‘શિવ’નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી ‘મહાશિવરાત્રિ ’નો દિવસ છે, જે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે રુદ્રોમાં હું શંકર છુ. શિવની પૂજા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે થાય છે. ભગવાન શિવનું નિરાકારરૂપ તે શિવલિંગ.
     પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ‘મોટું કોણ?’ તે બાબતે વિવાદ સર્જાયો ઘણી જ ચર્ચા થયા પછી બંને વચ્ચે એક લિંગ સ્વરૂપ પ્રગટ થયું. તેનો આદિ-અંત જાણી આવે તે મોટા એવું નક્કી થયું. ભગવાન શિવ નિર્ણાયક હતા. શિવલિંગ તેનું...

Read more
હોળી - ધુળેટી
હોળી - ધુળેટી

     ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે હોલિકાદહનના પ્રસંગે ઈશ્વર પ્રત્યેની તેમની દ્રઢ શ્રદ્ધા અને આસ્થાનાં દર્શન કરાવ્યાં હતાં, જેથી હોળીનું આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ વધી જાય છે.     આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર' પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી'થી ઓળખવામાં આવે છે અને એમાંય આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનનો આ મુખ્ય તહેવાર છે. રાજસ્થાની લોકો હોળી માટે એવું કહેતા હોય છે કે “દીવાળી તો અટેકટે, પણ હોળી તો ઘરે જ.”     માનવમન સદા રંગોની આસપાસ રમતું રહે છે. રંગબેરંગી રંગથી એકબીજાને રંગવાનો તહેવાર એટલે હોળી. ફાગણ, વસંત અને હોળી એમ આ ત્રિવેણી સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને ફાલ્ગુનિક પણ કહે છે. સંસ્કૃતમાં શેકેલા અનાજને હોલક કહે છે. આમ, હોલક પરથી “હોળી” શબ્દ આવ્યો છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને 'શીંગુ' કહે છે.     હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લત્તાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળે છે, આવા લોકોને ઘેરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણાં અને લાકડાં ગોઠવીને હોળી પ્રગટાવવામાં આવે છે.     લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ધાણી, ખજૂર, દાળિયા વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.     ભારતમાં ઉજવાતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે, પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે.     વર્ષનો આ સમય વસંતઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઊઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે, જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને 'દોલયાત્રા' કે ‘વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા મનના દોષો સાથે ખરાબ વાણી અને ખરાબ કર્મોનાં દૂષણો હોમી દેવાય છે. આ પાવન પર્વ પર અહંકાર, અપેક્ષાઓ અને દરેક નકારાત્મક વસ્તુને હોળીના અગ્નિમાં બાળી નાખી અને આ પવિત્ર તહેવારનો આનંદ લોકો દિલથી માણે છે.     રંગોનો આ તહેવાર સૌના પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે છે.

04th March

Read more
હોળી - ધુળેટી
04th March

     ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે...

Read more
ગુડી પડવો
ગુડી પડવો

ચૈત્ર સુદ એકમ ભારતના ઘણા વિસ્તારોમાં નવા વર્ષના પ્રારંભનો દિવસ છે. આ દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાડી તરીકે ઊજવવામાં આવે છે. જ્યારે ગોવા અને કેરળમાં કોંકણી સમુદાયના લોકો તેને સંવત્સરી પડવાના નામથી પણ ઊજવે છે. આ દિવસે ઘરની બહાર ગુડી બાંધવાની પરંપરા છે. ગુડી અને પડવો શબ્દમાં ગુડીને પતાકા અથવા ધ્વજ કહેવામાં આવે છે. જ્યારે પડવો શબ્દ પ્રતિપદા (એકમ) તિથિ સાથે સંબંધિત છે. ગુડી પડવાના તહેવારની ઉજવણી પાછળ માત્ર નવા વર્ષની શરૂઆત જ નથી, પરંતુ તેની સાથે કેટલીક દતકથા જોડાયેલી છે. રામાયણની ધાર્મિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, આ દિવસે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામે દક્ષિણ ભારતના લોકોને વાનરરાજ વાલીના શાસનમાંથી મુક્તિ અપાવી હતી. તે સમયે દક્ષિણ ભારતના લોકોએ દરેક ઘરમાં વિજય ધ્વજ લહેરાવ્યો હતો, જે પાછળથી ગુડી પડવાના તહેવારમાં ફેરવાઈ ગયો હતો. જોકે, લોકો નવા પાકની ઉજવણી માટે પણ આ તહેવાર ઊજવે છે. એવું પણ માનવામાં આવે છે કે પુરાણો મુજબ બ્રહ્મદેવે આ સૃષ્ટિ ચૈત્ર સુદ એકમ (પ્રતિપદા)ના દિવસે નિર્માણ કરી હતી. ચૈત્ર સુદ એકમના દિવસનું મહત્વ દર્શાવતી બીજી બાબતો આ મુજબ છે: . આ દિવસે મહાન જ્યોતિષ આચાર્ય અને ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યએ સૂર્યોદય, સૂર્યાસ્ત, દિવસ, મહિના અને વર્ષની ગણતરી કરીને પંચાંગની રચના કરી હતી. . આ દિવસે સતયુગની શરૂઆત થઈ હતી અને શ્રીહરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. . વિશેષમાં ચૈત્ર સુદ એકમે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠિર બન્નેનું રાજ્યારોહણ થયું હતું. . આજ દિવસે ગુપ્તસમ્રાટ વિક્રમાદિત્યે શકોને હરાવીને વિક્રમ સંવતની શુભ શરૂઆત કરી હતી. . શાલિવાહન નામના કુંભારના પુત્રે માટીની સેના બનાવીને તેમાં પ્રાણ પૂરીને શત્રુઓની સામે વિજય મેળવ્યો હતો. આ વિજયના પ્રતીકરૂપે જ આ દિવસથી નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવુ પંચાંગ પણ શરૂ થાય છે. હિંદુ કાળગણના પ્રમાણે શાલિવાહન શકની શરૂઆત આ દિવસથી થાય છે. ગુડી પડવો એ વર્ષનાં સારા ત્રણ મુહૂર્ત પૈકી એક સારું મુહૂર્ત માનવામાં આવે છે. ગુડી પડવાના દિવસે સવારે આંગણામાં ઘરની સામે ગુડી ઊભી કરવામાં આવે છે. વાંસના ઉપરના ખૂણા તરફ સાડી અથવા ઝરીનું વસ્ત્ર, હારડો, ફૂલોની માળા અને લીમડાનાં પાન લગાવીને એની ઉપર તાંબાનો લોટો ઊંધો મૂકવામાં આવે છે. મહારાષ્ટ્રના ગામડાંઓમાં ઘરના આંગણામાં ગાયના છાણથી લીપણ કરીને તેના પર રંગોળી તૈયાર કરી પાંચ પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરાય છે. ગુડીની ષોડશોપચાર (સોળ ઉપચાર) પૂજા કરવામાં આવે છે. આ દિવસે લીમડાનાં કુમળાં પાન ખાવાની પ્રથા છે. તેમજ આ દિવસે લીમડો નાખીને તૈયાર કરવામાં આવેલ પ્રસાદ લેવા પાછળ પણ વિજ્ઞાન છે. લીમડાનાં પાન, ફૂલ, ચણાની પલાળેલી દાળ, જીરુ, હિંગ, આંબલી, ગોળ, મીઠું અને મધ નાખીને પ્રસાદ અને ચટણી તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે આ પ્રસાદ લેવાથી શરીરમાં શક્તિનું નિર્માણ થાય છે. ઊર્જા પ્રાપ્ત થાય છે અને આપણે આખું વર્ષ નિરોગી રહીએ છીએ. આ દિવસે વિવિધ જગ્યા પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. આ જ દિવસે મહારાષ્ટ્રના લોકો નવી વસ્તુઓની ખરીદી કરે છે. જેમકે, વાહન, કપડાં અને સોનું, તેમજ ગૃહપ્રવેશ અને નવો વ્યવસાય કે ઉપક્રમ પણ આરંભ કરવામાં આવે છે. ગુડી પડવો એ વિજય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

19th March

Read more
ગુડી પડવો
19th March
ચૈત્ર સુદ એકમ ભારતના ઘણા વિસ્તારોમાં નવા વર્ષના પ્રારંભનો દિવસ છે. આ દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાડી તરીકે ઊજવવામાં આવે છે. જ્યારે ગોવા અને કેરળમાં કોંકણી સમુદાયના લોકો તેને સંવત્સરી પડવાના નામથી પણ ઊજવે છે. આ દિવસે ઘરની બહાર ગુડી બાંધવાની પરંપરા છે. ગુડી અને પડવો શબ્દમાં ગુડીને પતાકા અથવા ધ્વજ કહેવામાં આવે છે. જ્યારે પડવો શબ્દ પ્રતિપદા (એકમ) તિથિ સાથે સંબંધિત છે. ગુડી પડવાના તહેવારની ઉજવણી પાછળ માત્ર નવા વર્ષની શરૂઆત જ નથી, પરંતુ તેની સાથે કેટલીક દતકથા જોડાયેલી છે. રામાયણની ધાર્મિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, આ દિવસે મર્યાદાપુરુષોત્તમ...
Read more
ચેટીચાંદ
ચેટીચાંદ

'ચેટી' એટલે ચૈત્ર અને 'ચંદ' એટલે ચંદ્ર, ચેટીચંદ (ચેટીચાંદ) એટલે ચૈત્ર માસની પ્રથમ ચંદ્ર તિથિ અને સિંધીઓનું નૂતન વર્ષ ચેટીચંદ એ વિશ્વભરમાં સિંધી લોકોનો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક તહેવાર છે. સિંધી એટલે હાલ પાકિસ્તાન (પૂર્વ અખંડ ભારતમાં) સ્થિત સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે. તેમના ઈષ્ટદેવ ઝુલેલાલ છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે. સંવત 1007માં આજના દિવસે અવતારી પુરુષ ઉદયચંદનો જન્મ થયો હતો. જેઓ ભગવાન ઝુલેલાલ તરીકે પણ ઓળખાય છે. તેથી આ મહાન પુરુષની જયંતી તરીકે પણ 'ચેટીચંદ' ઉજવવામાં આવે છે. સિંધી સાહિત્યકારો અને વિદ્વાનોએ ચેટીચંદના તહેવારને સિંધી દિવસ' તરીકે ઊજવવાની સલાહ આપી. તેથી ચેટીચંદના તહેવારને સિંધી દિવસ તેમજ 'દરિયાલાલ જયંતી' પણ કહેવામાં આવે છે. સિંધી સંસ્કૃતિનું અમર પર્વ દર વર્ષે દેશ વિદેશમાં ઉત્સાહ અને ઊમંગથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઝુલેલાલના મંદિર ખાતે ઝુલેલાલ ભગવાનની પૂજા, શ્રી ભેરાણાસાહેબની પૂજા અને મહાપ્રસાદી (ભંડારો) થાય છે. ચેટીચંદના તહેવાર પાછળ વરુણ દેવતા અને ઝુલેલાલની પ્રાગટ્યકથા પણ જોડાયેલી છે. ચેટીચંદના દિવસે સિંધીઓ ભૂતકાળના વિખવાદ ભૂલીને એકબીજાને ખૂબ પ્રેમથી ભેટે છે આ દિવસે તેઓ ઝુલેલાલને ઉડેરોલાલ, દરિયાશાહ, લાલસાઈ, જ્યોતિનવારો, જિંદપીર જેવાં નામોથી પોકારે છે. તેમનો પ્રાગટયદિન યા જન્મદિન હોવાથી સિંધીઓ આ દેવતાની મૂર્તિને શણગારી તેમની જ્યોતિ પ્રગટાવી શહેરના γει વિસ્તારોમાં શોભાયાત્રા કાઢે છે. નાના-મોટા અને ગરીબ- તવંગરના ભેદભાવ ભૂલી જઈને ઝુલેલાલની જય પોકારતા શહેરમાં ફરીને નદી, સાગર કે જળાશયમાં ઝુલેલાલની જ્યોતનું વિસર્જન કરે છે. નૂતન વર્ષના અભિનંદન પાઠવવા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે જેમાં 'બહેરાના' (જ્યોત)ની શોભાયાત્રામાં સિંધી લોકનૃત્ય કે 'છેજ તેમજ 'ઝુમિર'નું આકર્ષણ અનેરું હોય છે. ઝુલેલાલનાં સ્તુતિ ગીતો ‘પંજડો' ગાતા અને દાંડિયારાસ રમતાં 'આયોલાલ ઝૂલેલાલ'ના ગગનભેદી નારા લગાવે છે. સિંધીઓ શોભાયાત્રામાં 'તાહીરી' (મીઠો ભાત)નો પ્રસાદ વહેંચે છે તેમજ કાબુલીચણાના વિતરણ સાથે દૂધનું શરબત પણ પીવડાવવામાં આવે છે. આ દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહભોજનનું આયોજન કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે અગત્યના શુભપ્રસંગો જેવા કે જનોઈ, ગૃહપ્રવેશ વગેરે યોજવામાં આવે છે. આ દિવસ પૂજા આરાધના કરવાનું પર્વ θ.

26th March

Read more
ચેટીચાંદ
26th March
'ચેટી' એટલે ચૈત્ર અને 'ચંદ' એટલે ચંદ્ર, ચેટીચંદ (ચેટીચાંદ) એટલે ચૈત્ર માસની પ્રથમ ચંદ્ર તિથિ અને સિંધીઓનું નૂતન વર્ષ ચેટીચંદ એ વિશ્વભરમાં સિંધી લોકોનો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક તહેવાર છે. સિંધી એટલે હાલ પાકિસ્તાન (પૂર્વ અખંડ ભારતમાં) સ્થિત સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે. તેમના ઈષ્ટદેવ ઝુલેલાલ છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે. સંવત 1007માં આજના દિવસે અવતારી પુરુષ ઉદયચંદનો જન્મ થયો હતો. જેઓ ભગવાન ઝુલેલાલ તરીકે પણ ઓળખાય છે. તેથી આ મહાન પુરુષની જયંતી તરીકે પણ 'ચેટીચંદ' ઉજવવામાં આવે છે. સિંધી સાહિત્યકારો અને વિદ્વાનોએ ચેટીચંદના તહેવારને સિંધી દિવસ' તરીકે ઊજવવાની સલાહ આપી....
Read more
રામનવમી
રામનવમી

ભારતીય પરંપરામાં શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમી મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે. ચૈત્ર માસની શુક્લપક્ષની નોમના દિવસે આ તહેવારની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક થાય છે. રામાયણ જેવા આર્ષગ્રંથ અનુસાર શ્રીરામનો જન્મ અયોધ્યામાં રઘુકુળના યશસ્વી રાજવી દશરથનાં રાણી કૌશલ્યાના રૂખે થયો હતો. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મુજબ શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા. શ્રીરામનું જીવન ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. વિશ્વના સાહિત્ય ઉપર પણ તેની ઊંડી અસર જોઈ શકાય છે. નાની વયમાં જ વિશ્વામિત્ર જેવા ઋષિઓ દ્વારા લોકકલ્યાણના હેતુથી થતા યજ્ઞોનું રક્ષણ કરી પોતાના અવતારકાર્યનો પ્રારંભ કર્યો. જનક રાજાએ યોજેલ સીતાસ્વયંવરમાં શ્રીરામે ધનુષ્યભંગ કર્યો. રાજગાદી ઉપર બેસવાના દિવસે જ કૈકેયીએ 'ભરતને રાજગાદી અને રામને વનવાસ' એવું રાજા દશરથ પાસે વરદાન માગતાં વયન પાલનના હેતુથી રામે વનવાસ સ્વીકાર્યો. સીતામાતાનું હરણ થતા રાવણ ઉપર વિજય મેળવી, તેના અત્યાચારી શાસનનો અંત આણ્યો. આ દરેક કથા ભારતીય સમાજમાં ખૂબ જ જાણીતી છે. શ્રીરામનું જીવન આજે પણ આદર્શ માનવામાં આવે છે. તેમણે પુત્ર તરીકેની હોય કે પિતા તરીકેની દરેક ભૂમિકા આદર્શ રીતે ભજવી હતી. આજે પણ આદર્શ રાજ્યની કલ્પના કરવા 'રામરાજ્ય' શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વનવાસ દરમિયાન કેવટ સાથે મૈત્રીની ઘટના અને શબરીનાં એઠાં બોર ખાવાની ઘટનામાં તેમની સરળતા અને સહજતા જોવા મળે છે. રાવણના અતિશક્તિશાળી ગણાતા સૈન્ય સામે વાનરસેનાને સાથે લઈ યુદ્ધ કરવાનું મહાન કાર્ય તેમણે અદભુત રીતે કરી બતાવ્યું હતું. તેમના આ કાર્યનો જોટો જડવો મુશ્કેલ છે. રાજા તરીકે પોતાનું જીવન તમામ અપવાદોથી મુક્ત હોવું જોઈએ. આ આદર્શની સ્થાપના માટે પોતે દુ:ખ સહન કરીને સીતાનો ત્યાગ કર્યો. તે પછી તેમણે હૃદયમાં કરુણરસ ભરીને લોક આરાધનાનું કાર્ય કર્યું. તેમના આદર્શ 디어에 કારણે આજે पा લોકમાનસમાં નામ તેમનું મર્યાદાપુરુષોત્તમ તરીકે અંકિત થયેલું છે. ભગવાન શ્રીરામના પાવન ચરિત્રનું સ્મરણ કરવા ભારતનાં तमाम રાજ્યોમાં આ ઉત્સવ ભિન્નભિન્ન રીતે ઊજવવામાં આવે છે. ક્યાંક શોભાયાત્રા હોય. ક્યાંક સમલીલા ભજવાય. મંદિરોમાં મહાપૂજા થાય, રામચરિત માનસનું ગાન થતું હોય, દાન, ઉપવાસ, યજ્ઞ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં છે. રામાયણની મુખ્ય મુખ્ય ઘટનાઓને એક શ્લોકમાં સમાવવામાં આવી છે. જેને એક શ્લોકી રામાયણ તરીકે પણ ઓળખવામાં છે. आदी राम तपोवनादि गमनं, हत्वा मूग कांचनं । वैदेहिहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणं ॥ वालि निर्दलनं समुद्रतरण लंकापुरीदाहनम् । पश्चाद रावण कुम्भकर्ण हननं एतद्वि रामायणम्॥ તાજેતરમાં જ રામચંદ્રજીની જન્મભૂમિ અયોધ્યા (ઉત્તરપ્રદેશ)માં 22 જાન્યુઆરી, 2024ના દિવસે શ્રી રામચંદ્રજીની બાળસ્વરૂપની મૂર્તિની સ્થાપના કરવામાં આવી.

26th March

Read more
રામનવમી
26th March
ભારતીય પરંપરામાં શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમી મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે. ચૈત્ર માસની શુક્લપક્ષની નોમના દિવસે આ તહેવારની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક થાય છે. રામાયણ જેવા આર્ષગ્રંથ અનુસાર શ્રીરામનો જન્મ અયોધ્યામાં રઘુકુળના યશસ્વી રાજવી દશરથનાં રાણી કૌશલ્યાના રૂખે થયો હતો. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મુજબ શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા. શ્રીરામનું જીવન ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. વિશ્વના સાહિત્ય ઉપર પણ તેની ઊંડી અસર જોઈ શકાય છે. નાની વયમાં જ વિશ્વામિત્ર જેવા ઋષિઓ દ્વારા લોકકલ્યાણના હેતુથી થતા યજ્ઞોનું રક્ષણ કરી પોતાના અવતારકાર્યનો પ્રારંભ કર્યો. જનક રાજાએ યોજેલ સીતાસ્વયંવરમાં શ્રીરામે ધનુષ્યભંગ કર્યો. રાજગાદી ઉપર બેસવાના દિવસે જ કૈકેયીએ 'ભરતને રાજગાદી...
Read more
મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક)
મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક)

અહિંસા, દયા, ક્ષમા. શાંતિ, મિત્રતાનું શિક્ષણ આપનાર તેમજ શાંતિથી ક્રોધ પર વિજય મેળવો, દયાથી દૃષ્ટો પર વિજય મેળવો અને અસત્ય પર સત્યનો વિજય થવા દો જેવાં ઉપદેશ આપનાર મહાવીર સ્વામી જૈન સંપ્રદાયના 24માં તીર્થંકર હતા. મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. મહાવીર સ્વામીનો જન્મ વજિજ સંઘના ગણરાજ્ય કુંડગ્રામના ક્ષત્રિય વંશમાં ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. આ દિવસને 'વીરતેરસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેઓ વીર, અતિવીર, સંમતિ, મહાવીર તથા વર્ધમાન તરીકે પણ ઓળખાય છે. તેમના જન્મ પહેલાં ઘણી સારી ઘટનાઓ ઘટી હતી. જેમકે વૃક્ષો પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું અને રાણી ત્રિશલાને સોળ શુભ સ્વપ્નો આવવાં. જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિહ્ન મનાય છે. જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇંદ્ર તીર્થંકરને મેરુપર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઊજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. તેમનો જન્મદિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઊજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્ત્વપૂર્ણ તહેવાર હોય છે. ત્રીસ વર્ષની વયે મહાવીર સ્વામીએ સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ 'જિન' કહેવાયા અને વર્ધમાન મહાવીર' તરીકે જાણીતા થયા. મહાવીર સ્વામીએ ભારતના લોકોને આત્માની મુક્તિનો માર્ગ બતાવ્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર વિહાર કરતા. મહાવીર સ્વામી સંસારને ભય અને દુઃખોથી ભરેલો માનતા તેમના ઉપદેશને 'ત્રિરત્ન સિદ્ધાંત' તરીકે ઓળખવામાં આવે છે. જે અનુક્રમે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચરિત્ર છે. મહાવીર સ્વામીએ પાંચ અમૂલ્ય મહાવતો આપ્યા છે. અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય. કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. 72 વર્ષ અને સાડા ચાર માસની ઉંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં દિવાળીના દિવસે (જૈન વર્ષનો અંતિમ દિવસ) નિર્વાણ પામ્યા. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈન સમુદાય ઉત્સવ મનાવે છે. મહાવીર જયંતીના દિવસે જૈન દેરાસરોમાં ભવ્ય આંગી થાય છે. ભગવાનનો અભિષેક, પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યાર બાદ જૈનબંધુઓ શોભાયાત્રામાં જોડાય છે. જૈન સાધુસાધ્વીનાં પ્રવચનોનું આયોજન થાય છે. જૈનમંદિરમાં મહાવીર સ્વામીના જીવન અને કવન પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે. જૈનબંધુઓ ધર્મકાર્યમાં જોડાઈ મહાવીર જયંતીની ઉજવણી કરે છે.

31st March

Read more
મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક)
31st March
અહિંસા, દયા, ક્ષમા. શાંતિ, મિત્રતાનું શિક્ષણ આપનાર તેમજ શાંતિથી ક્રોધ પર વિજય મેળવો, દયાથી દૃષ્ટો પર વિજય મેળવો અને અસત્ય પર સત્યનો વિજય થવા દો જેવાં ઉપદેશ આપનાર મહાવીર સ્વામી જૈન સંપ્રદાયના 24માં તીર્થંકર હતા. મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. મહાવીર સ્વામીનો જન્મ વજિજ સંઘના ગણરાજ્ય કુંડગ્રામના ક્ષત્રિય વંશમાં ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. આ દિવસને 'વીરતેરસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેઓ વીર, અતિવીર, સંમતિ, મહાવીર તથા વર્ધમાન તરીકે પણ ઓળખાય છે. તેમના જન્મ પહેલાં...
Read more