રામ મંદિર દાન ચોરી બાદ બદ્રીનાથ મંદિરમાં મોટી કાર્યવાહી
અયોધ્યા રામ મંદિરના દાન વિવાદ વચ્ચે હવે બદ્રીનાથ ધામમાં પણ ચઢાવાની ગણતરીમાં ગેરરીતિના આરોપો સામે આવ્યા છે. CCTV ફૂટેજના આધારે બદ્રી-કેદારનાથ મંદિર સમિતિએ અધ્યક્ષના પર્સનલ સેક્રેટરી પ્રમોદ નૌટીયાલને સસ્પેન્ડ કરી 48 કલાકમાં જવાબ માંગ્યો છે. સમગ્ર મામલે 4 સભ્યોની તપાસ સમિતિ રચાઈ છે, જે 7 દિવસમાં અહેવાલ આપશે. ગેરરીતિ સાબિત થશે તો કડક કાર્યવાહી થશે. આ મુદ્દે ઉત્તરાખંડમાં રાજકીય વિવાદ પણ ગરમાયો છે.
રામ મંદિર દાન ચોરી બાદ બદ્રીનાથ મંદિરમાં મોટી કાર્યવાહી
રાજ્યમાં આગામી 3 દિવસ અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બનતાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં લો-પ્રેશર સિસ્ટમ અને ઓફ-શોર ટ્રફ સક્રિય હોવાથી આગામી 2-3 દિવસ વરસાદ યથાવત રહેશે. ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ, ગાજવીજ સાથે વરસાદ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી 3 દિવસ અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
સોમાલિયામાં પણ વોટ્સએપ યુઝરનેમ ફીચરનો વિરોધ
વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર ભારત બાદ હવે સોમાલિયા દેશમાં પણ ગંભીર વિરોધ નોંધાયો છે, જેના પગલે મેટાની મુશ્કેલી વધી છે. સોમાલિયા સરકાર ચિંતિત છે કે મોબાઈલ નંબર વિના માત્ર યુઝરનેમથી સંપર્ક થવાથી ગુનેગારોની ઓળખ મુશ્કેલ બનશે. આ ફીચર યુઝરનેમ દ્વારા પ્રાઈવસી વધારવાનો હેતુ ધરાવે છે, પરંતુ સાયબર ફ્રોડના જોખમને કારણે ભારતમાં તેને હાલ પૂરતો રોકી દેવાયો છે. મેટાએ સરકાર પાસે સ્પષ્ટતા માટે વધુ સમય માંગ્યો છે.
સોમાલિયામાં પણ વોટ્સએપ યુઝરનેમ ફીચરનો વિરોધ
મેટા પર બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો ગંભીર આરોપ
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની Meta સામે અમેરિકાના ચાર રાજ્યોએ ૧.૪ ટ્રિલિયન ડોલર (આશરે ૧૨૦ લાખ કરોડ રૂપિયા)ના ઐતિહાસિક દંડની માંગ કરી છે. Meta પર આરોપ છે કે, તેણે જાણીજોઈને બાળકો અને ટીનેજર્સને તેના પ્લેટફોર્મ્સ પર વ્યસની બનાવવા માટે ડિઝાઇન કર્યા છે, જ્યારે સુરક્ષાનો ભ્રમ ફેલાવ્યો. આ કારણે બાળકોમાં ચિંતા, ડિપ્રેશન અને ઊંઘની સમસ્યાઓ વધી રહી છે. આ મામલો ઓગસ્ટમાં કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં સુનાવણી માટે આવશે, જે સમગ્ર ટેક ઇન્ડસ્ટ્રી માટે મોટો વળાંક બની શકે છે.
મેટા પર બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો ગંભીર આરોપ
રામ મંદિર દાન ચોરી કેસ: ચંપત રાયે અનિલ મિશ્રા અને બેંક પર લગાવ્યા 5 ગંભીર આરોપ
અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરી કેસમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે SIT સમક્ષ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમણે ટ્રસ્ટના પૂર્વ સભ્ય અનિલ મિશ્રા અને બેંક અધિકારીઓ સામે 5 ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપોમાં જાણ બહાર થયેલો MOU, સફાઈ કર્મચારીઓ દ્વારા પૈસા ગણતરી, સુરક્ષા નિયમોની અવગણના, CCTV અને લોખંડના દરવાજાનો અભાવ, તથા અધિકારીઓ દ્વારા જાણીજોઈને બેદરકારીનો સમાવેશ થાય છે. ચંપત રાયે દાવો કર્યો છે કે વિવાદિત પત્ર પર તેમની સહી નથી.
રામ મંદિર દાન ચોરી કેસ: ચંપત રાયે અનિલ મિશ્રા અને બેંક પર લગાવ્યા 5 ગંભીર આરોપ
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ PM મોદીની યોજનાઓની કરી પ્રશંસા!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તેમની યોજનાઓ અને કાર્યક્રમોની નકલ કરવાનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, સારી વાત એ છે કે PM મોદીની યોજનાઓ પર કોઈ કોપીરાઈટ નથી. આ વાત સાંભળીને ઉપસ્થિત લોકો હસી પડ્યા. સુબિયાંતોએ જણાવ્યું કે, ભારત અને ઇન્ડોનેશિયાના વિકાસલક્ષી પડકારો સમાન હોવાથી, ભારતમાં સફળ થયેલી યોજનાઓ ઇન્ડોનેશિયા માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત, ઇન્ડોનેશિયામાં IIM બેંગલુરુનું પ્રથમ વિદેશી કેમ્પસ સ્થાપવાનો કરાર પણ થયો છે, જે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું છે.
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ PM મોદીની યોજનાઓની કરી પ્રશંસા!
ચંપત રાયનું મોટું નિવેદન, ‘મારા પર ખોટા આરોપો, સત્ય બહાર લાવીશ’
અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના વિવાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યા બાદ ચંપત રાયએ પહેલીવાર મૌન તોડ્યું છે. તેમણે રામભક્તોને સંબોધીને એક પત્ર જાહેર કર્યો છે, જેમાં તેમના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. ચંપત રાયએ સોશિયલ મીડિયા પર રામચરિતમાનસની ચૌપાઈ સાથે આ પત્ર શેર કર્યો છે. તેમણે કહ્યું છે કે SITના પ્રારંભિક રિપોર્ટ બાદ ફેલાવવામાં આવી રહેલી વાતો પર અંતિમ રિપોર્ટ આવ્યા બાદ તેઓ સ્પષ્ટ જવાબ આપશે અને સત્ય બહાર આવશે.
ચંપત રાયનું મોટું નિવેદન, ‘મારા પર ખોટા આરોપો, સત્ય બહાર લાવીશ’
પાલિતાણાના ગરાજીયા ગામે સિંહે યુવાન પર હુમલો કર્યો, ૧૫ મિનીટ બાદ છૂટકારો
પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે સિંહે એક ભેંસ પર હુમલો કર્યો હતો. પોતાના માલઢોરને બચાવવા ગયેલા માલધારી યુવાન કાળુભાઇ પર સિંહે હુમલો કરી ઇજા પહોંચાડી. જોકે, ગ્રામજનોના પ્રયાસો અને યુવાનની હિંમત તથા ધૈર્યથી સિંહે ૧૫ મિનીટ બાદ તેને છોડી દીધો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભાવનગર રીફર કરાયો છે. વન વિભાગ સિંહને પકડવા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.
પાલિતાણાના ગરાજીયા ગામે સિંહે યુવાન પર હુમલો કર્યો, ૧૫ મિનીટ બાદ છૂટકારો
ભારત-ઈન્ડોનેશિયા બનાવશે પોતાનું ‘હોર્મુઝ’ !
ભારત અને ઇન્ડોનેશિયા હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સબાંગ પોર્ટનો સંયુક્ત વિકાસ કરશે. આ પ્રોજેક્ટ મલક્કા સ્ટ્રેટના પ્રવેશદ્વાર પર સ્થિત છે, જે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીનો એક છે. આ વિકાસ ચીનની 'સ્ટ્રિંગ ઓફ પર્લ્સ' વ્યૂહરચનાનો જવાબ ગણાય છે અને હિંદ મહાસાગરમાં ભારતની દરિયાઈ હાજરી મજબૂત કરશે. બંને દેશો આ ક્ષેત્રમાં સુરક્ષા અને વેપારને વેગ આપવા પ્રતિબદ્ધ છે. ચેન્નાઈના તટથી દક્ષિણ પૂર્વમાં દરિયાઈ માર્ગે આગળ વધીએ તો, જહાજ પહેલા બંગાળની ખાડી પાર કરે છે, પછી આંદામાન સાગર તરફ જઈને મલક્કા સુધી પહોંચે છે.
ભારત-ઈન્ડોનેશિયા બનાવશે પોતાનું ‘હોર્મુઝ’ !
એવરેસ્ટ પરથી 30 વર્ષ બાદ શહીદનો મૃતદેહ પાછો લવાશે
વર્ષ 1996માં માઉન્ટ એવરેસ્ટ પર આવેલા ભયંકર બરફીલા તોફાનમાં ITBP (ભારત-તિબેટિયન બોર્ડર પોલીસ)ના લાન્સ નાયક દોરજે મોરૂપ સહિત ત્રણ ભારતીય પર્વતારોહકો શહીદ થયા હતા. હવે લગભગ 30 વર્ષ બાદ ભારત સરકાર દોરજે મોરૂપના નશ્વર અવશેષોને સન્માનપૂર્વક વતન લાવવા માટે એવરેસ્ટના 'ડેથ ઝોન'માં વિશેષ રેસ્ક્યૂ મિશન શરૂ કરશે. લાંબા સમયથી 'ગ્રીન બૂટ' તરીકે ઓળખાતો મૃતદેહ દોરજે મોરૂપનો હોવાનું ITBPના દસ્તાવેજોએ સ્પષ્ટ કર્યું છે, જ્યારે અન્ય બે શહીદોના અવશેષોની શોધ હજુ બાકી છે.
એવરેસ્ટ પરથી 30 વર્ષ બાદ શહીદનો મૃતદેહ પાછો લવાશે
લખનઉના યુવકે CIA એજન્ટ બનીને ઇન્ડોનેશિયા સાથે અબજોની ડિફેન્સ ડીલ!
ભારતીય મૂળના એક ઉદ્યોગપતિએ CIA એજન્ટ હોવાનો ઢોંગ કરીને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોને છેતર્યા. લખનૌના ગૌરવ શ્રીવાસ્તવે 2020 થી 2022 દરમિયાન નકલી કંપનીઓ દ્વારા અબજો ડોલરના Defense Deals મેળવ્યા. તેણે પ્રબોવોનો વિશ્વાસ જીતવા માટે 'Atlantic Council' માં તેમને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કર્યા અને જૂના ગુનાઓમાં મદદ કર્યાનો દાવો કર્યો. આ માયાવી નેટવર્કનો પર્દાફાશ થયો છે, અને તેના ભૂતપૂર્વ પાર્ટનર નીલ્સ ટ્રુસ્ટે તેના પર છેતરપિંડીનો કેસ કર્યો છે. ગૌરવ શ્રીવાસ્તવની જે 4 કંપનીઓને આ કરારો મળ્યા હતા, તે વાસ્તવમાં માત્ર કાગળ પર ચાલતી 'શેલ કંપનીઓ' હતી.
લખનઉના યુવકે CIA એજન્ટ બનીને ઇન્ડોનેશિયા સાથે અબજોની ડિફેન્સ ડીલ!
પાકિસ્તાન ફરી ધ્રૂજ્યું : બલૂચિસ્તાનમાં પોલીસ પોસ્ટ પર મોટો હુમલો
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પોલીસ પોસ્ટ પર થયેલા ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 9 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા છે. આ ઘટનામાં પાંચ પોલીસકર્મીઓ લાપતા થયા છે, જેમને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલુ છે. ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ક્લીયરન્સ ઓપરેશન શરૂ કર્યું છે. માર્યા ગયેલાઓમાં બે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન Shahbaz Sharif એ આ હુમલાની નિંદા કરી છે.
પાકિસ્તાન ફરી ધ્રૂજ્યું : બલૂચિસ્તાનમાં પોલીસ પોસ્ટ પર મોટો હુમલો
સુરતમાં 'આફત'નો વરસાદ!
સુરત શહેરમાં અવિરત ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. છેલ્લા ૮ કલાકમાં ૧૦ ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં કમરપૂર પાણી ભરાયા છે, જેના પગલે City, BRTS અને ST બસ સેવાઓ ઠપ્પ છે. સરથાણા, જકાતનાકા, લાલદરવાજા અને પાંડેસરા જેવા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે 'Red Alert' જાહેર કર્યું છે.
સુરતમાં 'આફત'નો વરસાદ!
શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ ટીમ ઇન્ડિયા માટે પ્રશ્નાર્થ?
શ્રેયસ અય્યરને સીધા T20 ટીમના કેપ્ટન બનાવવાનો નિર્ણય ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બન્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટનશિપ, ડ્રેસિંગ રૂમની બોન્ડિંગ અને ટીમની અંદરના તાલમેલ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પસંદગીકારોના આ નિર્ણય પર ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની હારથી ટીમની મુશ્કેલીઓ વધી છે. શું આ માત્ર ખરાબ ક્રિકેટનું પરિણામ છે કે નવા કેપ્ટન સાથે ખેલાડીઓની પૂરતી બોન્ડિંગ ન બનવી તે કારણ છે?
શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ ટીમ ઇન્ડિયા માટે પ્રશ્નાર્થ?
રામ મંદિર દાન ચોરી કેસ: 3 આરોપીઓના 24 કલાકના રિમાન્ડ મંજૂર
રામ મંદિર દાન ચોરી કેસમાં અયોધ્યા કોર્ટે ત્રણ આરોપીઓના 24 કલાકના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ તેમને સામસામે બેસાડીને પૂછપરછ કરશે અને પુરાવા એકત્રિત કરશે. આરોપીઓ લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને કરુણેશ પાંડે 24 કલાક પોલીસ કસ્ટડીમાં રહેશે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓને તેમના ઠેકાણા પર પણ લઈ જશે અને કૌભાંડ સાથે સંકળાયેલ સામગ્રી શોધી કાઢશે. SITના રિપોર્ટમાં 6 લોકોની સંડોવણી અને સુરક્ષાના પગલાંના અમલીકરણમાં ખામીઓનો ઉલ્લેખ છે. CCTV ફૂટેજમાં નોટોની થપ્પીઓમાંથી ખુલ્લી નોટો છુપાવતા કર્મચારીઓ દેખાયા હતા.
રામ મંદિર દાન ચોરી કેસ: 3 આરોપીઓના 24 કલાકના રિમાન્ડ મંજૂર
મહારાષ્ટ્રમાં બાઈક-ટેક્સી નહીં ચલાવી શકે બહારના લોકો!
મહારાષ્ટ્ર સરકારે Ola, Uber અને Rapido જેવી બાઇક-ટેક્સી સેવાઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે હેઠળ ચાલકો માટે સ્થાનિક નિવાસી પ્રમાણપત્ર (ડોમિસાઇલ) અને મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત રહેશે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે વિધાનસભામાં જણાવ્યું કે, આગામી ૧ ઓગસ્ટથી આ સેવાઓ માટે નવી પરમિટ જારી કરાશે. બાઇક-ટેક્સી ઓપરેટર્સે સરકારને દરરોજ ₹૫ ફી ચૂકવવી પડશે, જેમાંથી ૨% રકમ વેલફેર ફંડમાં જશે. આ નિર્ણય ગેરકાયદેસર ઓપરેટર્સને નિયંત્રિત કરવા અને ઓટો-ટેક્સી ચાલકોના હિતોના રક્ષણ માટે લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં બાઈક-ટેક્સી નહીં ચલાવી શકે બહારના લોકો!
અમેરિકાની હાર અને બેલ્જિયમનો ફૂટબોલ જગતમાં રાજકીય દબાણ પર કટાક્ષ
FIFA World Cup 2026 માં બેલ્જિયમે અમેરિકાને 4-1 થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કર્યું. મેચ બાદ બેલ્જિયમે સોશિયલ મીડિયા પર અમેરિકાની રાજકીય સિસ્ટમ અને FIFA પર કટાક્ષ કર્યો. અમેરિકાના ખેલાડી ફોલારિન બાલોગુનને મળેલા રેડ કાર્ડ પર રાજકીય દબાણથી પ્રતિબંધ હટાવવાના નિર્ણય સામે બેલ્જિયમે રોમેલુ લુકાકુના ફોટો સાથે "Overturn this" લખી ટિપ્પણી કરી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મુદ્દે FIFA સાથે વાતચીત કરી હતી, પરંતુ મેદાન પર રાજકારણ કામ ન આવ્યું.
અમેરિકાની હાર અને બેલ્જિયમનો ફૂટબોલ જગતમાં રાજકીય દબાણ પર કટાક્ષ
મિડલ ઈસ્ટમાં ફરી તણાવ: હોર્મુઝમાં જહાજો પર હુમલો.
વિશ્વની તેલ જરૂરિયાતના ૨૦ ટકા માટે મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટમાં કમર્શિયલ જહાજો પર થયેલા મિસાઇલ હુમલાના સમાચારથી કાચા તેલની કિંમતોમાં અચાનક ઉછાળો આવ્યો છે. સોમવાર સુધી ૭૧ ડૉલરની આસપાસ ટ્રેડ થતું બ્રેન્ટ ક્રૂડ મંગળવારે વધીને ૭૨.૫૧ ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફેબ્રુઆરીથી ચાલેલું યુદ્ધ અટક્યા બાદ મધ્યસ્થ દેશોની મદદથી શાંતિ વાર્તાના પ્રયાસો ચાલુ હોવા છતાં આ હુમલાએ ચિંતા વધારી છે. ઓમાનના તટ પાસે ઓઇલ ટેન્કર પર થયેલા આ હુમલાથી અમેરિકા-ઈરાન વચ્ચેની આગામી શાંતિ વાર્તા પ્રભાવિત થવાની આશંકા સેવાઈ રહી છે.
મિડલ ઈસ્ટમાં ફરી તણાવ: હોર્મુઝમાં જહાજો પર હુમલો.
'ગરીબ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે', અશનીર ગ્રોવરની પત્ની માધુરી
BharatPeના પૂર્વ કો-ફાઉન્ડર અશનીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈનના વસતી, અમીરી-ગરીબી અને પરિવાર નિયોજન અંગેના નિવેદનો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. માધુરી જૈને કહ્યું કે, "ગરીબ લોકો વધુ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે, જ્યારે અમીર લોકો વધુ બાળકો પેદા કરશે તો અમીરી વધશે." આ નિવેદન પર ઈન્ફ્લુએન્સર નલિની ઉનાગરે અશનીર ગ્રોવરને તેમની 900 કરોડની સંપત્તિ દાન કરવાની સલાહ આપી. અશનીરે પત્નીના નિવેદનની તરફેણ કરતા કહ્યું કે, "ભીખ/ચંદો માંગવાની આ રીત થોડી કેઝ્યુઅલ છે."
'ગરીબ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે', અશનીર ગ્રોવરની પત્ની માધુરી
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ફાંસીની સજા પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ સુપ્રીમમાં જશે
અમદાવાદ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદાના અમલ પર ૩ મહિનાનો સ્ટે આપ્યો છે. આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગ્યો હતો. હાઇકોર્ટે પોતાના હુકમના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે, જેથી આરોપીઓ હવે સજાના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે. આ કેસમાં 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા અને 200થી વધુ ઘાયલ થયા હતા. સ્પેશિયલ કોર્ટે 38 આતંકીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી હતી, જેની પુષ્ટિ હાઇકોર્ટે કરી હતી.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ફાંસીની સજા પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ સુપ્રીમમાં જશે
મલક્કાની ખાડી પાસે ભારતીય મિસાઇલો ગોઠવાશે; ચીનની ઊંઘ હરામ!
ભારતે ઈન્ડોનેશિયા સાથે મહત્વપૂર્ણ સંરક્ષણ ડીલ કરી છે, જેમાં 'બ્રહ્મોસ' અને 'અસ્ત્ર' મિસાઈલોનો સમાવેશ થાય છે. આ કરાર ચીનની ચિંતા વધારનાર છે, કારણ કે આ મિસાઈલો મલક્કાની ખાડી જેવા વ્યૂહાત્મક સ્થળોએ ગોઠવાઈ શકે છે. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં બનેલી 'અસ્ત્ર' મિસાઈલ અન્ય દેશને નિકાસ થઈ રહી છે. આ ડીલ 'મેક ઈન ઈન્ડિયા' અને ભારતીય હથિયારોની નિકાસને વેગ આપશે. લગભગ 3877 કરોડ રૂપિયાની આ ડીલ હેઠળ, ભારત ઈન્ડોનેશિયાને લોન પણ આપી શકે છે.
મલક્કાની ખાડી પાસે ભારતીય મિસાઇલો ગોઠવાશે; ચીનની ઊંઘ હરામ!
ગુજરાતમાં આગામી બે દિવસ 5 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના
ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે, જેના કારણે હવામાન વિભાગે આગામી 2 દિવસ 5 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે. વેલમાર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્રણ ટ્રફ જેવી 5 સિસ્ટમ સક્રિય હોવાથી સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ભાવનગર સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં આગામી બે દિવસ 5 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના
'ભારતની નીતિ વિસ્તારવાદ નહીં વિકાસવાદ..', ઈન્ડોનેશિયામાં PM મોદીનું સંબોધન
PM નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની સંસદને સંબોધતા બંને દેશોના ઐતિહાસિક સંબંધો, લોકશાહી મૂલ્યો અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતની નીતિ વિસ્તારવાદ નહીં પરંતુ વિકાસવાદ પર આધારિત હોવાનું જણાવ્યું. આ દરમિયાન ઈન્ડોનેશિયાએ પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક અને સૈન્ય સન્માન 'બિંતાંગ આદિપૂર્ણ'થી નવાજ્યા. મોદીએ આ સન્માનને 140 કરોડ ભારતીયો, બંને દેશોની મિત્રતા અને વધતા દ્વિપક્ષીય સંબંધોનું ગૌરવ ગણાવી ઈન્ડોનેશિયાની સરકાર અને જનતાનો આભાર વ્યક્ત કર્યો.
'ભારતની નીતિ વિસ્તારવાદ નહીં વિકાસવાદ..', ઈન્ડોનેશિયામાં PM મોદીનું સંબોધન
DSP પાસે 300 કરોડની બેનામી પ્રોપર્ટી!
તેલંગાણાના DSP સંકીરેડ્ડી ભીમ રેડ્ડીની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ બાદ ACBએ મોટી કાર્યવાહી કરી છે. હૈદરાબાદમાં DSPના નિવાસસ્થાન સહિત 16 સ્થળો પર દરોડા પાડ્યા હતા. તપાસમાં જમીન, બંગલા, ફ્લેટ, અઢળક રોકડ, 2 કિલો સોનાના દાગીના અને 20 કિલો ચાંદીની વસ્તુઓ મળી આવી. DSPની અંગત ડાયરીમાંથી બેનામી સંપત્તિ અને દેવાની વિગતો ખુલી છે, જે ચારધામ યાત્રા પહેલા લખાઈ હતી. આ ડાયરી કેસમાં મહત્ત્વનો પુરાવો સાબિત થઈ રહી છે.
DSP પાસે 300 કરોડની બેનામી પ્રોપર્ટી!
વાયનાડમાં ટનલ પ્રોજેક્ટ પર ભૂસ્ખલન: બેના મોત, અનેક દટાયા
કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મોટું ભૂસ્ખલન થયું, જેમાં બે લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટના નિર્માણ સ્થળ નજીક આ દુર્ઘટના ઘટી હતી. મંત્રી ટી. સિદ્દીકે આ ઘટનાને "મેન-મેડ લેન્ડસ્લાઇડ" ગણાવી, રેલવે પ્રશાસનની બેદરકારીનો આરોપ લગાવ્યો. NDRF અને ફાયર સર્વિસની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે.
વાયનાડમાં ટનલ પ્રોજેક્ટ પર ભૂસ્ખલન: બેના મોત, અનેક દટાયા
સુરત ANTM માર્કેટ પાસે વરસાદી પાણીનો દરિયો
સુરતમાં ધોધમાર વરસાદે ANTM માર્કેટને જળબંબાકાર બનાવી દીધું. માર્કેટ બહાર રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાના માલસામાન પર સંકટ તોળાતાં વેપારીઓએ લાકડાં અને અન્ય સામગ્રીથી પાણી રોકવાનો પ્રયાસ કર્યો. રસ્તા પર એટલું પાણી ભરાયું કે ટ્રક સહિત અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા અને વાહનવ્યવહાર ઠપ્પ થયો. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટેક્સટાઇલ માર્કેટ પર તેની માઠી અસર જોવા મળી. પાર્કિંગ અને ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં રહેલો માલસામાન બગડી ન જાય તે માટે વેપારીઓએ ભારે જહેમત ઉઠાવી.
સુરત ANTM માર્કેટ પાસે વરસાદી પાણીનો દરિયો
દમાસ્કસમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખની હોટેલ પાસે બોમ્બ બ્લાસ્ટ
સિરિયાની રાજધાની દમાસ્કસમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન જે હોટેલમાં રોકાયા હતા તેની નજીક શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા છે. આ ઘટનાએ સિરિયાની સુરક્ષા વ્યવસ્થાની નબળાઈ ઉજાગર કરી છે, જોકે રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સુરક્ષિત છે. વિસ્ફોટ સમયે તેઓ સિરિયાના નવા રાષ્ટ્રપ્રમુખ અહેમદ અલ-શરા સાથે મુલાકાત કરી રહ્યા હતા. અસદ શાસનના પતન બાદ EU નેતાની આ પ્રથમ મુલાકાત ઐતિહાસિક હતી. સિરિયામાં સુરક્ષા હજુ પણ મોટો પડકાર છે.
દમાસ્કસમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખની હોટેલ પાસે બોમ્બ બ્લાસ્ટ
અંશુલા કપૂર અને રોહન ઠક્કરના લગ્નમાં જાહ્નવી-ખુશીનો શાનદાર દેખાવ
બોની કપૂરની પુત્રી અંશુલા કપૂરે તેના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે સાત ફેરા લીધા છે. કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છે. અંશુલાના લગ્નમાં તેની નાની બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે પોતાના ફ્લોરલ ડિઝાઇનર લહેંગામાં મહેફિલ લૂંટી લીધી હતી. જાહ્નવીએ અનામિકા ખન્નાનો હેન્ડ-એમ્બ્રોઇડર્ડ આઇવરી લહેંગા પહેર્યો હતો, જ્યારે ખુશીનો લાઈટ પેસ્ટલ ગ્રીન ડિઝાઇનર લહેંગો પણ આકર્ષક હતો. બંને બહેનોએ સગી બહેનોની જેમ લગ્નમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અંશુલા કપૂર અને રોહન ઠક્કરના લગ્નમાં જાહ્નવી-ખુશીનો શાનદાર દેખાવ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, દરિયાકાંઠે 3 નંબર સિગ્નલ
ગુજરાતમાં એકસાથે ત્રણ ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની હાઈ ઍલર્ટ જાહેર કરી છે. આગામી 24 કલાક ખૂબ જ કટોકટીભર્યા રહેશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર અસર જોવા મળી શકે છે. સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી સહિત 8 જિલ્લાઓમાં 'રેડ ઍલર્ટ' જાહેર કરાયું છે. ખરાબ હવામાનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અને પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, દરિયાકાંઠે 3 નંબર સિગ્નલ
વકફ જમીનો પર યોગી આદિત્યનાથના સપા-કોંગ્રેસ પર આકરા પ્રહાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતાપગઢમાં સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે રામ મંદિરના દાનની ચોરીનો ઉલ્લેખ કરી વિપક્ષ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો. મુખ્યમંત્રીએ સવાલ ઉઠાવ્યો કે હિન્દુ આસ્થા પર હુમલો કરતો વિપક્ષ વકફ બોર્ડની જમીનોના મુદ્દે કેમ મૌન છે? તેમણે જણાવ્યું કે વિપક્ષી પાર્ટીઓ ‘કાચિંડા પણ શરમાઈ જાય તેવી રાજનીતિ’ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે વકફના નામે હજારો હેક્ટર જમીન વેચાઈ ગઈ, છતાં કોંગ્રેસ અને સપા મૌન છે.