રામ મંદિર દાન કેસમાં મોટો ખુલાસો! SBI અને ટ્રસ્ટની મોટી બેદરકારી, ડ્રાઈવર કનેક્શન પણ ખુલ્યું
રામ મંદિરના ચઢાવામાં થયેલી ઉચાપત કેસની SIT તપાસમાં દાનની ગણતરી માટે બનાવાયેલી SOPનું ઉલ્લંઘન અને સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી સામે આવી છે. આરોપી ટિન્નુ યાદવ પાસે સત્તાવાર મંજૂરી વિના દાનપેટીની ચાવીઓ હોવાનો પણ ખુલાસો થયો છે. કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
રામ મંદિર દાન કેસમાં મોટો ખુલાસો! SBI અને ટ્રસ્ટની મોટી બેદરકારી, ડ્રાઈવર કનેક્શન પણ ખુલ્યું
અમદાવાદમાં લક્ઝુરિયસ સોસાયટી અને શો-રૂમ માલિકો વચ્ચે પાર્કિંગનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો
ગુજરાત હાઇકોર્ટે માલાબાર કાઉન્ટી-2 સોસાયટીમાં પાર્કિંગ વિસ્તારમાં થયેલા ગેરકાયદે કબજા અને સબલેટિંગ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવાની સૂચના આપી છે. સોસાયટીએ વ્યાવસાયિક એકમો સામે રહેવાસીઓને પાર્કિંગમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ કરી હતી. કોર્પોરેશને નોટિસો આપી અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું કોર્ટને જણાવ્યું. હાઇકોર્ટે હાલ વધુ હસ્તક્ષેપ જરૂરી નથી ગણાવ્યો, પરંતુ કાર્યવાહી અધૂરી રહે તો ફરી અરજી કરવાની છૂટ આપી છે.
અમદાવાદમાં લક્ઝુરિયસ સોસાયટી અને શો-રૂમ માલિકો વચ્ચે પાર્કિંગનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો
ક્રૂડ ઓઇલ સસ્તું થયું, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે!
કાચા તેલના ભાવ ઘટ્યા છતાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને LPG પર ભારે નુકસાન થઈ રહ્યું હોવાથી ઇંધણના ભાવમાં તાત્કાલિક ઘટાડાની શક્યતા ઓછી છે. માર્ચથી મે 2026 દરમિયાન કંપનીઓને અંદાજે 1 લાખ કરોડ રૂપિયાની અંડર-રિકવરી થઈ છે. પશ્ચિમ એશિયાના તણાવ, વૈશ્વિક તેલની અછત અને LPGના વધતા આયાત ખર્ચને કારણે ભાવ પર દબાણ યથાવત છે. નિષ્ણાતોના મતે, કાચા તેલના ભાવ ફરી વધી શકે છે અને બજાર સામાન્ય થવામાં સમય લાગશે.
ક્રૂડ ઓઇલ સસ્તું થયું, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે!
અમદાવાદમાં રદ કરાયેલી ₹500ની નોટોનો જથ્થો મળ્યો!
અમદાવાદના રામોલ પોલીસે રબારી કોલોની ચાર રસ્તા પાસેથી 500 રૂપિયાની જૂની 7,800 ચલણી નોટો સહિત રૂ.39 લાખનો જથ્થો જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે નોટો મહારાષ્ટ્રના જલગાંવથી લાવી ગાંધીનગરમાં ગેરકાયદે બદલવાની હતી. પોલીસે બે મોબાઇલ પણ જપ્ત કર્યા છે અને વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર નેટવર્ક અને નોટોના ઉપયોગ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં રદ કરાયેલી ₹500ની નોટોનો જથ્થો મળ્યો!
1 જુલાઈથી 5 મોટા ફેરફારો: ગેસ સિલિન્ડર, કાર, આધાર કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જુલાઈથી તમારા જીવનમાં 5 મોટા ફેરફારો થવાના છે, જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા થશે, જેના પર સૌની નજર રહેશે. ATF (એર ટર્બાઇન ફ્યુઅલ)ના દરોમાં ફેરફારથી હવાઈ મુસાફરી મોંઘી કે સસ્તી થઈ શકે છે. HDFC રેગેલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડના ઘરેલું એરપોર્ટ લાઉન્જ ઉપયોગના નિયમો કડક થશે. KIA અને Tata Motors પોતાની કારોની કિંમતોમાં 2% અને 1.5% સુધીનો વધારો કરશે. આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરવા જેવી સેવા હવે 6 મહિના માટે મફત મળશે.
1 જુલાઈથી 5 મોટા ફેરફારો: ગેસ સિલિન્ડર, કાર, આધાર કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
એપલ પછી માઇક્રોસોફ્ટનો ઝટકો: Xbox ગેમિંગ કન્સોલની કિંમતોમાં ધરખમ વધારો
ગેમર્સ માટે માઇક્રોસોફ્ટે 1 ઓગસ્ટથી Xbox ગેમિંગ કન્સોલની વૈશ્વિક કિંમતોમાં વધારો જાહેર કર્યો છે. 512GB મોડલમાં 100 ડોલર અને 1TB મોડલમાં 150 ડોલર સુધીનો વધારો થશે. કંપનીએ AIના વધતા ઉપયોગને કારણે મેમરી અને સ્ટોરેજ ચિપ્સના ભાવમાં થયેલા ઉછાળાને કારણ ગણાવ્યું છે. ગ્રાહકોને EMI અને ફાઇનાન્સિંગની સુવિધા મળશે. બીજી તરફ, ઇટાલીની એન્ટીટ્રસ્ટ ઓથોરિટીએ Microsoft 365ના ભાવવધારા મામલે કંપની સામે તપાસ શરૂ કરી છે.
એપલ પછી માઇક્રોસોફ્ટનો ઝટકો: Xbox ગેમિંગ કન્સોલની કિંમતોમાં ધરખમ વધારો
IND vs IRE : વૈભવ સૂર્યવંશી ઈતિહાસ રચવાથી ચૂક્યો!
આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નથી, જેના કારણે સૌથી ઓછી ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટતા બચી ગયો. ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે જણાવ્યું કે અનુભવી અને સતત સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. IPL 2026માં વૈભવે 776 રન અને 237થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
IND vs IRE : વૈભવ સૂર્યવંશી ઈતિહાસ રચવાથી ચૂક્યો!
પંચાયતોની મુદત પુરી, સરપંચોને પ્રશાસક બનાવવાનો સરકારનો નિર્ણય, હાઈકોર્ટ લાલઘૂમ.
ઉત્તર પ્રદેશમાં ગ્રામ પંચાયતોની મુદત પુરી થયા બાદ સરપંચોને જ પ્રશાસક તરીકે નિયુક્ત કરવાના સરકારના નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, સરપંચોને પ્રશાસક તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય નહીં, જે ડિવિઝન બેંચના અગાઉના આદેશનું ઉલ્લંઘન છે. કોર્ટે રાજ્ય સરકારને OBC કમિશનનો રિપોર્ટ અને ચૂંટણીની સમયસીમા રજૂ કરવા અંતિમ તક આપી છે. આગામી સુનાવણી 13 જુલાઈએ યોજાશે.
પંચાયતોની મુદત પુરી, સરપંચોને પ્રશાસક બનાવવાનો સરકારનો નિર્ણય, હાઈકોર્ટ લાલઘૂમ.
થ્રી લેંગ્વેજ પોલિસીમાં મોટો ફેરફાર!
CBSEએ નવી શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળની ત્રિભાષીય નીતિના અમલમાં રાહત આપી છે. હાલ ધોરણ 7થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જૂના ભાષા નિયમો યથાવત રહેશે અને તેઓ બે વિદેશી ભાષાઓ સાથે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપી શકશે. નવી ત્રિભાષીય નીતિ, જેમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ ફરજિયાત છે, હવે માત્ર ધોરણ 6માં નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પર લાગુ થશે અને તેઓ આગળના ધોરણોમાં પણ એ જ ભાષા સંયોજન જાળવી શકશે.
થ્રી લેંગ્વેજ પોલિસીમાં મોટો ફેરફાર!
અમરેલીના ચતુરીમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, અર્જુન મોઢવાડીયા પહોંચ્યા પરિવારને મળવા
અમરેલીના ચતુરી ગામમાં સિંહણના હુમલામાં પાંચ વર્ષીય બાળકના મોત બાદ વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પીડિત પરિવારને સાંત્વના આપી અને ગામલોકો સાથે બેઠક કરી. સ્થાનિકોએ સિંહોના વધતા હુમલા અને સુરક્ષાના મુદ્દે રજૂઆતો કરી. છેલ્લા એક મહિનામાં વિસ્તારમાં સિંહ હુમલામાં ચાર લોકોના મોત થયા છે. વનમંત્રીએ માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા નવી SOP તૈયાર કરવાની અને લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે.
અમરેલીના ચતુરીમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, અર્જુન મોઢવાડીયા પહોંચ્યા પરિવારને મળવા
ટ્રમ્પ પ્રશાસનનો OpenAI ને આદેશ!
અમેરિકાની ટ્રમ્પ સરકારે AI કંપની OpenAI ને તેના નવા અને શક્તિશાળી AI મોડલ 'GPT-5.6' ને એકસાથે લોન્ચ કરવાને બદલે 'સ્ટગર્ડ' એટલે કે તબક્કાવાર રીતે રજૂ કરવા જણાવ્યું છે. આ નિર્ણય AI ક્ષેત્રે વધી રહેલી ચિંતાઓ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે. OpenAI ના CEO સેમ ઓલ્ટમેને સરકારની આ વિનંતી સ્વીકારી, પસંદગીના ભાગીદારોને જ પ્રથમ એક્સેસ આપવાની વાત કરી છે. તાજેતરમાં જ એન્થ્રોપિક કંપની પર પણ આવી જ રીતે નિયામકીય દબાણ લાવવામાં આવ્યું હતું.
ટ્રમ્પ પ્રશાસનનો OpenAI ને આદેશ!
સાવધાન! રાત્રિના સૌથી વધુ થાય છે ગંભીર માર્ગ અકસ્માતો!
ભારતમાં વધતા વાહનો સાથે માર્ગ અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. એક રોડ સેફ્ટી રિપોર્ટ મુજબ મોડી રાત્રે, ટ્રાફિક ઓછો હોવા છતાં, સૌથી વધુ અકસ્માતો થાય છે. થાક, ઊંઘ, ઓવરસ્પીડ, ઓછી દૃશ્યતા અને ભારે વાહનોની અવરજવર તેના મુખ્ય કારણો છે. નિષ્ણાતો લાંબી મુસાફરી દરમિયાન વચ્ચે આરામ કરવા, પૂરતી ઊંઘ બાદ જ ડ્રાઇવિંગ કરવા, ગતિ મર્યાદામાં રાખવા, હેડલાઇટનો યોગ્ય ઉપયોગ કરવા અને સીટબેલ્ટ સહિતના સુરક્ષા નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે.
સાવધાન! રાત્રિના સૌથી વધુ થાય છે ગંભીર માર્ગ અકસ્માતો!
કેતન હત્યાકાંડમાં નવો વળાંક: પાપનો ઘડો ફૂટતા જ સિયા અને ચેતનનો પ્રેમ ગાયબ
પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપી સિયા ગોયલ અને કથિત બોયફ્રેન્ડ ચેતન ચૌધરી હવે પૂછપરછ દરમિયાન એકબીજા પર હત્યાનું ષડયંત્ર રચ્યાનો આરોપ લગાવી રહ્યા છે. ચેતનનો દાવો છે કે હત્યાનો નિર્ણય સિયાનો હતો, જ્યારે સિયા સમગ્ર યોજના માટે ચેતનને જવાબદાર ઠેરવે છે. પોલીસે બંનેની ધરપકડ કરી છે અને મજબૂત પુરાવાના આધારે બંનેની સમાન સંડોવણી હોવાનું જણાવ્યું છે. અગાઉની તેમની મુલાકાતો અને કાવતરાની પણ તપાસ ચાલી રહી છે.
કેતન હત્યાકાંડમાં નવો વળાંક: પાપનો ઘડો ફૂટતા જ સિયા અને ચેતનનો પ્રેમ ગાયબ
ઓપરેશન સિંદૂરના 6 શહીદોના નામ નેશનલ વોર મેમોરિયલમાં અંકિત થશે, જાણો વિગતો
દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલમાં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન શહીદ થયેલા 6 વીર જવાનોના નામ હવે કાયમ માટે અંકિત કરવામાં આવશે. દેશની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા આ વીરોને દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકની ગ્રેનાઈટ ઈંટો પર કોતરવામાં આવશે. આ યાદીમાં ભારતીય સેનાના 5 જવાનો અને ભારતીય વાયુસેનાના 1 સાર્જન્ટનો સમાવેશ થાય છે. રાઇફલમેન સુનિલ કુમારને 'વીર ચક્ર' અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને 'વાયુ સેના મેડલ' મરણોત્તર એનાયત કરાયું છે.
ઓપરેશન સિંદૂરના 6 શહીદોના નામ નેશનલ વોર મેમોરિયલમાં અંકિત થશે, જાણો વિગતો
અજય દેવગનની 'ચૌહાણ' ફિલ્મના ડાયલોગથી શાહરૂખ ખાનની 'પઠાન' પર કટાક્ષની ચર્ચા
અજય દેવગનની આગામી ફિલ્મ ‘ચૌહાણ’નું ટાઇટલ અને ફર્સ્ટ લુક જાહેર થયું છે. વીડિયોના અંતે અજય દેવગનનો ડાયલોગ, "પઠાણોને કહી દેજો, ચૌહાણ આવી રહ્યો છે!" સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. યુઝર્સ માની રહ્યા છે કે આ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાન’ પર કટાક્ષ છે. જોકે, નિર્માતાઓએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ ફિલ્મ 1 ઓક્ટોબર 2027ના રોજ રિલીઝ થશે.
અજય દેવગનની 'ચૌહાણ' ફિલ્મના ડાયલોગથી શાહરૂખ ખાનની 'પઠાન' પર કટાક્ષની ચર્ચા
વડોદરામાં કોચિંગ ક્લાસીસ સામે ફાયર બ્રિગેડની ઝુંબેશ
સુરત અને લખનઉમાં કોચિંગ ક્લાસમાં લાગેલી આગની ઘટનાઓ બાદ વડોદરા ફાયર બ્રિગેડે શહેરના ટ્યુશન ક્લાસ, કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટી તપાસ શરૂ કરી છે. સાત ટીમોએ બે દિવસમાં 49 સંસ્થાઓની તપાસ કરી, જેમાં 15 સંસ્થાઓમાં સુરક્ષા સંબંધિત ખામીઓ મળી આવતા નોટિસ ફટકારી સમયમર્યાદામાં સુધારા કરવા સૂચના આપવામાં આવી છે. સાથે સંચાલકોને ફાયર સેફ્ટી અને ઇમરજન્સી દરમિયાન સુરક્ષિત કામગીરી અંગે તાલીમ પણ આપવામાં આવી રહી છે.
વડોદરામાં કોચિંગ ક્લાસીસ સામે ફાયર બ્રિગેડની ઝુંબેશ
વડોદરા નજીક દશરથ ગામે પ્લોટની દેખરેખ રાખતા ત્રણ સંતાનના પિતાની માથું છુંદી હત્યા
વડોદરાના દશરથ ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. ત્રણ સંતાનના પિતા ઉમેદ વસાવા, જેઓ રાત્રે પ્લોટની દેખરેખ રાખવાનું અને દિવસે કાર વોશિંગનું કામ કરતા હતા, તેમની માથું છુંદીને હત્યા કરવામાં આવી છે. તેમના પિતાની જગ્યાએ કામ કરવા ગયેલા ઉમેદની લાશ સવારે મળી આવી હતી. તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને પાસે એક પથ્થર પણ પડ્યો હતો. છાણી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ કરી છે.
વડોદરા નજીક દશરથ ગામે પ્લોટની દેખરેખ રાખતા ત્રણ સંતાનના પિતાની માથું છુંદી હત્યા
41 વર્ષ બાદ આખરે કેનેડા ઝૂક્યું!
વર્ષ 1985ના એર ઈન્ડિયા ફ્લાઇટ 182 બ્લાસ્ટ કેસમાં કેનેડાની ગુપ્તચર એજન્સી CSISએ પ્રથમવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે હુમલો ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાએ કર્યો હતો. આ વિસ્ફોટમાં 82 બાળકો અને 4 નવજાત સહિત 329 લોકોનાં મોત થયા હતા. કેનેડાએ તેને દેશના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકી હુમલો ગણાવ્યો છે. તે જ દિવસે જાપાનમાં થયેલા બીજા બોમ્બ વિસ્ફોટનો સંબંધ પણ આ જ આતંકી સંગઠન સાથે હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
41 વર્ષ બાદ આખરે કેનેડા ઝૂક્યું!
અમદાવાદના દધિચી બ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદવા જતા યુવક માટે 'દેવદૂત' બન્યા MLA!
અમદાવાદના દધીચી બ્રિજ પર એક યુવકે નદીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમની ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને તેનો જીવ બચાવ્યો. ઘટનાની જાણ પોલીસને કરાતા યુવકને કાઉન્સેલિંગ માટે સોંપવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદ અને પત્ની અલગ થઈ જવાથી માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના દધિચી બ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદવા જતા યુવક માટે 'દેવદૂત' બન્યા MLA!
ભક્તોના દાન પર ત્રાટક્યા ચોર! રામ મંદિરમાં 42 દિવસમાં 70 વાર ચોરી!
અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી કેસની SIT તપાસમાં CCTV ફૂટેજ અને આંતરિક ઓડિટ દરમિયાન અનેક ગેરરીતિઓ સામે આવી છે. દાનની ગણતરી, રેકોર્ડ જાળવણી અને સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ મળી આવતા અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેસમાં ચોરી, વિશ્વાસઘાત અને ષડયંત્ર સહિતના ગુનાઓ નોંધાયા છે. તપાસ દરમિયાન ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું છે, જ્યારે SIT વધુ તપાસ આગળ ધપાવી રહી છે.
ભક્તોના દાન પર ત્રાટક્યા ચોર! રામ મંદિરમાં 42 દિવસમાં 70 વાર ચોરી!
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે, જ્યારે ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3થી 4 દિવસમાં ચોમાસું રાજ્યના વધુ વિસ્તારોમાં આગળ વધવાની સંભાવના છે.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
'પહેલા અમારું અનાજ ખરીદો...' ઈરાનને 12 બિલિયન ડોલર આપતા પહેલા ટ્રમ્પની આકરી શરત
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ હવે ફ્રીઝ કરાયેલા 12 અબજ ડોલરના ફંડના ઉપયોગ મુદ્દે મતભેદ સર્જાયો છે. અમેરિકા ઈચ્છે છે કે આ રકમનો ઉપયોગ અમેરિકન ખેડૂતો પાસેથી કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે થાય, જ્યારે ઈરાને આ શરત ફગાવીને સ્પષ્ટ કર્યું છે કે મુક્ત થયેલા નાણાં પર તેનો સંપૂર્ણ અધિકાર રહેશે. બંને દેશોએ સ્વિટ્ઝરલેન્ડમાં આ મુદ્દે ચર્ચા કરી છે, પરંતુ ફંડના ઉપયોગને લઈને વિરોધાભાસી દાવાઓ સામે આવ્યા છે. નિષ્ણાતોના મતે આ આર્થિક વિવાદ અંતિમ શાંતિ કરારના માર્ગમાં મોટો અવરોધ બની શકે છે.
'પહેલા અમારું અનાજ ખરીદો...' ઈરાનને 12 બિલિયન ડોલર આપતા પહેલા ટ્રમ્પની આકરી શરત
અમેરિકા-ઈરાન જંગમાં ઈટાલીની ગુપ્ત એન્ટ્રી?
NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટેના નિવેદન બાદ ઈટાલીમાં રાજકીય વિવાદ સર્જાયો છે. રૂટેએ દાવો કર્યો હતો કે ઈરાન પરના હુમલા દરમિયાન ઈટાલીએ અમેરિકન લડાકુ વિમાનોને પોતાના સૈન્ય મથકોથી ઉડાન ભરવાની મંજૂરી આપી હતી. જોકે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ દાવાને ખોટો ગણાવી સ્પષ્ટ કર્યું કે ઈટાલીએ ઈરાન વિરુદ્ધ કોઈ સૈન્ય કાર્યવાહીમાં ભાગ લીધો નથી. વિવાદ વધતા ઈટાલીના વિદેશ મંત્રીએ ઈરાન સાથે વાતચીત કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી, જ્યારે ઈરાને નાટોના નિવેદનના આધારે હુમલામાં ઈટાલીની જવાબદારી હોવાનો આક્ષેપ કર્યો છે.
અમેરિકા-ઈરાન જંગમાં ઈટાલીની ગુપ્ત એન્ટ્રી?
ઢાઢર-વિશ્વામિત્રી તટ વિસ્તાર માટે "ઇકોરીજનલ પ્લાન" તૈયાર કરવાની ભલામણ
વિશ્વામિત્રી સમિતિએ તેના પાંચમા અહેવાલમાં ઢાઢર અને વિશ્વામિત્રી નદીના સંરક્ષણ, પૂર નિયંત્રણ અને પ્રદૂષણ નિવારણ માટે "ઇકો-રીજનલ પ્લાન" તૈયાર કરવાની ભલામણ કરી છે. નદીના કુદરતી પ્રવાહ મુજબ જમીનનો નવો પ્રોપર્ટી મેપ, ફ્લડ એફેક્ટેડ વિસ્તારોમાં બાંધકામ પર પ્રતિબંધ, ઇકોલોજિકલ પાર્ક અને મનોરંજનલક્ષી પ્રવૃત્તિઓને મંજૂરી, તેમજ અસરગ્રસ્ત જમીન માલિકોને વળતર સૂચવાયું છે. STP પ્લાન્ટની કામગીરી, BOD પરીક્ષણની પદ્ધતિમાં ખામી, કાટમાળ હટાવવા એક્શન પ્લાનનો અભાવ, ભૂગર્ભ જળનું ઘટતું સ્તર અને વધતી ખારાશ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે.
ઢાઢર-વિશ્વામિત્રી તટ વિસ્તાર માટે "ઇકોરીજનલ પ્લાન" તૈયાર કરવાની ભલામણ
યુરોપમાં હિટવેવના કારણે ત્રાહિમામ!
યુરોપમાં ભયાનક હીટવેવના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં ફ્રાન્સ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. દેશના અડધાથી વધુ વિસ્તારોમાં રેડ હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પેરિસમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર અને દક્ષિણ-પશ્ચિમના પિસોસમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. ગરમીના કારણે 40થી વધુ લોકોના મોત, અકસ્માતો અને ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ છે. વૈજ્ઞાનિકો આ સ્થિતિ માટે 'હીટ ડોમ' અને ગ્લોબલ વોર્મિંગને જવાબદાર માની રહ્યા છે, જેના કારણે યુરોપ ઝડપથી ગરમ થઈ રહ્યો છે.
યુરોપમાં હિટવેવના કારણે ત્રાહિમામ!
કલોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના 2 શખશો દબોચ્યા
કલોલ તાલુકા પોલીસે બાઈક મારફતે ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના બે આરોપીઓને ઝડપી પાડીને 5.060 કિલોગ્રામ ગાંજો સહિત કુલ રૂ. 4.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે નશાના કારોબારીઓ ચેકિંગથી બચવા ગામડાંના આંતરિક રસ્તાઓ અને ટૂ-વ્હીલરનો ઉપયોગ કરી રહ્યા હતા. કેસમાં બે મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર નશા નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
કલોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના 2 શખશો દબોચ્યા
આ દેશમાં બુરખા બાદ અઝાન પર પ્રતિબંધની તૈયારી!
ડેનમાર્કમાં હિજાબ અને બુરખા પર પ્રતિબંધ બાદ હવે જાહેર સ્થળોએ અઝાન પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાની યોજના પર ફરી વિચારણા શરૂ થઈ છે. ઇમિગ્રેશન મંત્રી મોર્ટેન બોડસ્કોવે વધતા ઇસ્લામાઇઝેશન અંગે ચિંતા વ્યક્ત કરી આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. સરકાર કાનૂની અને બંધારણીય પાસાઓની તપાસ કરી રહી છે. બીજી તરફ ટીકાકારોનું માનવું છે કે આ પગલું ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે અને માત્ર એક જ ધર્મને નિશાન બનાવે છે.
આ દેશમાં બુરખા બાદ અઝાન પર પ્રતિબંધની તૈયારી!
FIFA વર્લ્ડ કપમાં સદીનો સૌથી મોટો ઉલટફે!
ફિફા વર્લ્ડ કપ 2026માં ઇક્વાડોરે ચાર વખતની ચેમ્પિયન જર્મનીને 2-1થી હરાવી મોટો ઉલટફેર સર્જ્યો છે. શરૂઆતમાં પાછળ પડ્યા છતાં ઇક્વાડોરે શાનદાર વાપસી કરીને નોકઆઉટમાં સ્થાન મેળવ્યું. VARના નિર્ણય બાદ રોડ્રિગેઝના પાસ પર ગોન્ઝાલો પ્લાટાએ નિર્ણાયક ગોલ કર્યો. બીજી તરફ નેધરલેન્ડ્સે ટ્યુનિશિયાને હરાવી ગ્રૂપ Fમાં ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે જાપાન અને સ્વીડન પણ નોકઆઉટમાં પહોંચ્યા. તૂર્કિયેએ અંતિમ ક્ષણે અમેરિકા સામે 3-2થી જીત નોંધાવી.
FIFA વર્લ્ડ કપમાં સદીનો સૌથી મોટો ઉલટફે!
લોકસભામાં NDA 300 પાર થતાં જ INDIA ગઠબંધનમાં ચિંતા વધી
રાજ્યસભા ચૂંટણી અને પ્રાદેશિક પક્ષોમાં થયેલા ફેરફારો બાદ સંસદમાં NDA ગઠબંધનની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે INDIA ગઠબંધનમાં ચિંતા વધી છે. DMKના નિવેદન બાદ તેને ગઠબંધનમાં જાળવી રાખવા પ્રયાસો તેજ બન્યા છે. તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેનાના કેટલાક સાંસદોના સમર્થનથી NDAનું સંખ્યાબળ વધુ મજબૂત બન્યું છે. આગામી ચોમાસુ સત્ર પહેલાં વધુ રાજકીય ફેરફારો અને પક્ષપલટાની અટકળો વચ્ચે સંસદના બદલાતા સમીકરણો પર સૌની નજર છે.
લોકસભામાં NDA 300 પાર થતાં જ INDIA ગઠબંધનમાં ચિંતા વધી
ચંપત રાય અને અનિલ મિશ્રાએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાંથી રાજીનામા આપ્યા
અયોધ્યા રામ મંદિર માટે મળેલા દાનમાં કથિત ઉચાપતના આરોપો બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં મોટી કાર્યવાહી જોવા મળી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કડક વલણ અને તપાસના દબાણને કારણે ટ્રસ્ટના બે અગ્રણી સભ્યો, Champat Rai અને Anil Mishra, એ પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે. આ ઘટનાક્રમ બાદ ઉત્તર પ્રદેશના રાજકારણ અને ધાર્મિક જગતમાં ભારે ચર્ચા જગાવી છે.