Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
Trending icon મારું ગુજરાત icon ઈરાન-ઇઝરાયલ યુદ્ધ icon IPL 2026 icon દેશ icon Crime icon દુનિયા icon રાજકારણ icon રમત-જગત icon હવામાન icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon પર્સનલ ફાઇનાન્સ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon Career icon Education icon જાણવા જેવું icon સ્વાસ્થ્ય icon ધર્મ
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ

પરિવહન અને ટેકનોલોજી ક્ષેત્રે સુરત શહેરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનો સૌપ્રથમ બહુપ્રતિક્ષિત 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા આજથી એટલે કે પહેલી મેથી સુરતમાં કાર્યરત થઈ ગયો છે. આ નવી ટેકનોલોજીના અમલીકરણ સાથે હવે વાહનચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં. સુરત અને ભરૂચ વચ્ચે આવેલા મુંબઈ-દિલ્હી હાઈવે (NH48) પર છેલ્લા બે મહિનાથી આ આધુનિક સિસ્ટમનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. NHAI દ્વારા ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરાયેલ ટેસ્ટિંગ સફળ રહેતા હવે સુરતના કામરેજ પાસે આ સુવિધાને આખરી ઓપ આપીને શરૂ કરી દેવામાં આવી છે.

Published on: 01st May, 2026
Read More at ગુજરાત સમાચાર
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ
Published on: 01st May, 2026
પરિવહન અને ટેકનોલોજી ક્ષેત્રે સુરત શહેરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનો સૌપ્રથમ બહુપ્રતિક્ષિત 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા આજથી એટલે કે પહેલી મેથી સુરતમાં કાર્યરત થઈ ગયો છે. આ નવી ટેકનોલોજીના અમલીકરણ સાથે હવે વાહનચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં. સુરત અને ભરૂચ વચ્ચે આવેલા મુંબઈ-દિલ્હી હાઈવે (NH48) પર છેલ્લા બે મહિનાથી આ આધુનિક સિસ્ટમનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. NHAI દ્વારા ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરાયેલ ટેસ્ટિંગ સફળ રહેતા હવે સુરતના કામરેજ પાસે આ સુવિધાને આખરી ઓપ આપીને શરૂ કરી દેવામાં આવી છે.
Read More at ગુજરાત સમાચાર
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક

નેપાળની બાલેન શાહ સરકારે ભ્રષ્ટાચારીઓ સામે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરતા 'સંપત્તિ તપાસ પંચ' (Property Investigation Commission) ની રચના કરી છે. આ પંચ દ્વારા વર્તમાન અને પૂર્વ વડાપ્રધાન, મંત્રીઓ, સાંસદો અને ઉચ્ચ સરકારી અધિકારીઓની સંપત્તિની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રાજેન્દ્ર કુમાર ભંડારીના અધ્યક્ષપદ હેઠળ પાંચ સભ્યોના પંચની રચના કરવામાં આવી છે. પંચે શુક્રવારથી વિધિવત કામગીરી શરૂ કરી દીધી છે. આ પંચનો કાર્યકાળ એક વર્ષનો રહેશે અને તે તબક્કાવાર રીતે પોતાનો રિપોર્ટ સોંપશે.

Published on: 01st May, 2026
Read More at ગુજરાત સમાચાર
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
Published on: 01st May, 2026
નેપાળની બાલેન શાહ સરકારે ભ્રષ્ટાચારીઓ સામે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરતા 'સંપત્તિ તપાસ પંચ' (Property Investigation Commission) ની રચના કરી છે. આ પંચ દ્વારા વર્તમાન અને પૂર્વ વડાપ્રધાન, મંત્રીઓ, સાંસદો અને ઉચ્ચ સરકારી અધિકારીઓની સંપત્તિની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રાજેન્દ્ર કુમાર ભંડારીના અધ્યક્ષપદ હેઠળ પાંચ સભ્યોના પંચની રચના કરવામાં આવી છે. પંચે શુક્રવારથી વિધિવત કામગીરી શરૂ કરી દીધી છે. આ પંચનો કાર્યકાળ એક વર્ષનો રહેશે અને તે તબક્કાવાર રીતે પોતાનો રિપોર્ટ સોંપશે.
Read More at ગુજરાત સમાચાર
 મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ

જો તમારા મોબાઈલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) નો કોઈ મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશમાં એક નવું ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ એટલે કે 'સેલ બ્રોડકાસ્ટ એલર્ટ' (Cell Broadcast Alert) ટેસ્ટ કરી રહી છે. 2 મે, 2026 ના રોજ તમારા વિસ્તારમાં આ ટેસ્ટિંગ કરવામાં આવશે. મેસેજમાં સ્પષ્ટ લખ્યું હશે કે: NDMA તમારા વિસ્તારમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટનું પરીક્ષણ કરશે. આ મેસેજ મળવા પર તમારે કોઈ પગલાં લેવાની જરૂર નથી. કૃપા કરીને ગભરાશો નહીં.

Published on: 01st May, 2026
Read More at ગુજરાત સમાચાર
મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
Published on: 01st May, 2026
જો તમારા મોબાઈલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) નો કોઈ મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશમાં એક નવું ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ એટલે કે 'સેલ બ્રોડકાસ્ટ એલર્ટ' (Cell Broadcast Alert) ટેસ્ટ કરી રહી છે. 2 મે, 2026 ના રોજ તમારા વિસ્તારમાં આ ટેસ્ટિંગ કરવામાં આવશે. મેસેજમાં સ્પષ્ટ લખ્યું હશે કે: NDMA તમારા વિસ્તારમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટનું પરીક્ષણ કરશે. આ મેસેજ મળવા પર તમારે કોઈ પગલાં લેવાની જરૂર નથી. કૃપા કરીને ગભરાશો નહીં.
Read More at ગુજરાત સમાચાર
10 વર્ષ લિવ-ઈનમાં રહી, પણ કોર્ટે ન્યાયના નામે મજાક કરી!
10 વર્ષ લિવ-ઈનમાં રહી, પણ કોર્ટે ન્યાયના નામે મજાક કરી!

૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ હાઈકોર્ટે દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અનિતા અડવાણીના સંબંધો અંગે મહત્વનો ચુકાદો આપતા અનિતાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ સંબંધને કાયદેસરના લગ્ન તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરતા તેને 'લિવ-ઇન રિલેશનશિપ' ગણાવી છે. અનિતા અડવાણીનો દાવો છે કે તેઓ એક દાયકા સુધી સાથે રહ્યા હતા અને ખાનગીમાં લગ્ન કર્યા હતા, જ્યારે રાજેશ ખન્નાના પરિવારે આ દાવાઓને નકારી કાઢ્યા છે. જોકે, અનિતાએ પોતાના સન્માન માટે કાયદાકીય લડત ચાલુ રાખવાની મક્કમતા દર્શાવી છે.

Published on: 01st May, 2026
Read More at ગુજરાત સમાચાર
10 વર્ષ લિવ-ઈનમાં રહી, પણ કોર્ટે ન્યાયના નામે મજાક કરી!
Published on: 01st May, 2026
૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ હાઈકોર્ટે દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અનિતા અડવાણીના સંબંધો અંગે મહત્વનો ચુકાદો આપતા અનિતાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ સંબંધને કાયદેસરના લગ્ન તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરતા તેને 'લિવ-ઇન રિલેશનશિપ' ગણાવી છે. અનિતા અડવાણીનો દાવો છે કે તેઓ એક દાયકા સુધી સાથે રહ્યા હતા અને ખાનગીમાં લગ્ન કર્યા હતા, જ્યારે રાજેશ ખન્નાના પરિવારે આ દાવાઓને નકારી કાઢ્યા છે. જોકે, અનિતાએ પોતાના સન્માન માટે કાયદાકીય લડત ચાલુ રાખવાની મક્કમતા દર્શાવી છે.
Read More at ગુજરાત સમાચાર
કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ!
કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ!

કચ્છમાં ઘોરાડની વિલુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લાવવામાં આવ્યું હતું. માદા ઘોરાડે આ ઈંડાનું ત્રણ દિવસ કુદરતી સેવન કર્યું અને 26મી માર્ચના રોજ તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો હતો. જ્યારે 26મી એપ્રિલના રોજ આ બચ્ચું અચાનક લાપતા થયું હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, 18મી એપ્રિલ બાદ બચ્ચું દેખાયું નથી. હાલ 1600 હેક્ટરના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Published on: 01st May, 2026
Read More at ગુજરાત સમાચાર
કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ!
Published on: 01st May, 2026
કચ્છમાં ઘોરાડની વિલુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લાવવામાં આવ્યું હતું. માદા ઘોરાડે આ ઈંડાનું ત્રણ દિવસ કુદરતી સેવન કર્યું અને 26મી માર્ચના રોજ તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો હતો. જ્યારે 26મી એપ્રિલના રોજ આ બચ્ચું અચાનક લાપતા થયું હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, 18મી એપ્રિલ બાદ બચ્ચું દેખાયું નથી. હાલ 1600 હેક્ટરના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Read More at ગુજરાત સમાચાર
ટ્રમ્પનો માસ્ટર પ્લાન તૈયાર! ઈરાન પર થશે 'નાનો પણ ઘાતક' હુમલો!
ટ્રમ્પનો માસ્ટર પ્લાન તૈયાર! ઈરાન પર થશે 'નાનો પણ ઘાતક' હુમલો!

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મધ્ય એશિયામાં ઈરાન વિરુદ્ધ સંભવિત સૈન્ય કાર્યવાહી માટે સજ્જ થઈ રહ્યું છે. ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર 'યુએસએસ ડેલબર્ટ ડી બ્લેક' પર ઈંધણ અને આધુનિક હથિયારોનો પુરવઠો લોડ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એડમિરલ બ્રૅડ કૂપર વચ્ચેની બેઠકમાં ઈરાનના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 'ડાર્ક ઈગલ' જેવી હાઈપરસોનિક મિસાઈલો દ્વારા શક્તિશાળી હુમલાના વિકલ્પો પર ચર્ચા થઈ છે. અમેરિકી નૌસેના કોઈપણ સ્થિતિનો સામનો કરવા અને લાંબા ગાળાના મિશન માટે પોતાની સૈન્ય તાકાત તહેનાત કરી રહી છે.

Published on: 01st May, 2026
Read More at ગુજરાત સમાચાર
ટ્રમ્પનો માસ્ટર પ્લાન તૈયાર! ઈરાન પર થશે 'નાનો પણ ઘાતક' હુમલો!
Published on: 01st May, 2026
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મધ્ય એશિયામાં ઈરાન વિરુદ્ધ સંભવિત સૈન્ય કાર્યવાહી માટે સજ્જ થઈ રહ્યું છે. ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર 'યુએસએસ ડેલબર્ટ ડી બ્લેક' પર ઈંધણ અને આધુનિક હથિયારોનો પુરવઠો લોડ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એડમિરલ બ્રૅડ કૂપર વચ્ચેની બેઠકમાં ઈરાનના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 'ડાર્ક ઈગલ' જેવી હાઈપરસોનિક મિસાઈલો દ્વારા શક્તિશાળી હુમલાના વિકલ્પો પર ચર્ચા થઈ છે. અમેરિકી નૌસેના કોઈપણ સ્થિતિનો સામનો કરવા અને લાંબા ગાળાના મિશન માટે પોતાની સૈન્ય તાકાત તહેનાત કરી રહી છે.
Read More at ગુજરાત સમાચાર
 મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે!
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે!

મ્યાનમારના સૈન્ય શાસને સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને જેલમાંથી મુક્ત કરીને હવે નજરકેદ (હાઉસ અરેસ્ટ)માં રાખવાનો નિર્ણય કર્યો છે. મ્યાનમારના માહિતી મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, નૈ પિ તાવ જેલમાં સજા કાપી રહેલા 80 વર્ષીય સૂ કીની બાકીની સજાને હવે નજરકેદમાં ફેરવવામાં આવી છે. 80 વર્ષની વયે તેમની નબળી શારીરિક સ્થિતિ અને બૌદ્ધ ધર્મના પવિત્ર દિવસ 'કસૌન પૂર્ણિમા'ને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

Published on: 01st May, 2026
Read More at ગુજરાત સમાચાર
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે!
Published on: 01st May, 2026
મ્યાનમારના સૈન્ય શાસને સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને જેલમાંથી મુક્ત કરીને હવે નજરકેદ (હાઉસ અરેસ્ટ)માં રાખવાનો નિર્ણય કર્યો છે. મ્યાનમારના માહિતી મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, નૈ પિ તાવ જેલમાં સજા કાપી રહેલા 80 વર્ષીય સૂ કીની બાકીની સજાને હવે નજરકેદમાં ફેરવવામાં આવી છે. 80 વર્ષની વયે તેમની નબળી શારીરિક સ્થિતિ અને બૌદ્ધ ધર્મના પવિત્ર દિવસ 'કસૌન પૂર્ણિમા'ને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.
Read More at ગુજરાત સમાચાર
ભુવનેશ્વર કુમારનો ઐતિહાસિક રેકોર્ડ! 350 વિકેટ લેનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર
ભુવનેશ્વર કુમારનો ઐતિહાસિક રેકોર્ડ! 350 વિકેટ લેનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર

IPL 2026માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્વીંગ કિંગ ભુવનેશ્વર કુમારે ઈતિહાસ રચી દીધો. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં સાઈ સુદર્શનની વિકેટ લેતાની સાથે જ ભુવી T20 ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. આ યાદીમાં તે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પછી બીજા ક્રમે છે. બીજી તરફ, જસપ્રીત બુમરાહ 278 મેચમાં 347 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે. જોકે, બુમરાહ સૌથી ઓછી મેચમાં આ આંકડા સુધી પહોંચનારો બોલર છે.

Published on: 01st May, 2026
Read More at ગુજરાત સમાચાર
ભુવનેશ્વર કુમારનો ઐતિહાસિક રેકોર્ડ! 350 વિકેટ લેનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર
Published on: 01st May, 2026
IPL 2026માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્વીંગ કિંગ ભુવનેશ્વર કુમારે ઈતિહાસ રચી દીધો. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં સાઈ સુદર્શનની વિકેટ લેતાની સાથે જ ભુવી T20 ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. આ યાદીમાં તે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પછી બીજા ક્રમે છે. બીજી તરફ, જસપ્રીત બુમરાહ 278 મેચમાં 347 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે. જોકે, બુમરાહ સૌથી ઓછી મેચમાં આ આંકડા સુધી પહોંચનારો બોલર છે.
Read More at ગુજરાત સમાચાર
Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ!
Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ!

nstagramએ કન્ટેન્ટ એગ્રીગેટર્સ એટલે કે એવા એકાઉન્ટ્સ જે વારંવાર પોતે બનાવેલા વગરનું કન્ટેન્ટ રીપોસ્ટ કરે છે અથવા મુખ્યત્વે અન્ય લોકોનું કામ ફોટો અને કેરોસેલ રૂપે શેર કરે છે એ યુઝર્સ માટે મોટો પોલિસી બદલાવ જાહેર કર્યો છે. Metaની માલિકી હેઠળના આ પ્લેટફોર્મે જણાવ્યું છે કે આવા એકાઉન્ટ્સ હવે એપમાં રેકમેન્ડેશન માટે પાત્ર રહેશે નહીં. Instagramએ સ્પષ્ટ કર્યું છે કે ઓછા પ્રયત્નથી કરેલા ફેરફારો જેમ કે વોટરમાર્ક ઉમેરવું અથવા વીડિયોની સ્પીડ બદલવી એને મૂળ કન્ટેન્ટ તરીકે ગણાશે નહીં. એ જ રીતે અન્ય વ્યક્તિના પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને તેનો યુઝરનેમ દેખાડીને પોસ્ટ કરવાથી પણ તે મૂળ ગણાશે નહીં.

Published on: 01st May, 2026
Read More at ગુજરાત સમાચાર
Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ!
Published on: 01st May, 2026
nstagramએ કન્ટેન્ટ એગ્રીગેટર્સ એટલે કે એવા એકાઉન્ટ્સ જે વારંવાર પોતે બનાવેલા વગરનું કન્ટેન્ટ રીપોસ્ટ કરે છે અથવા મુખ્યત્વે અન્ય લોકોનું કામ ફોટો અને કેરોસેલ રૂપે શેર કરે છે એ યુઝર્સ માટે મોટો પોલિસી બદલાવ જાહેર કર્યો છે. Metaની માલિકી હેઠળના આ પ્લેટફોર્મે જણાવ્યું છે કે આવા એકાઉન્ટ્સ હવે એપમાં રેકમેન્ડેશન માટે પાત્ર રહેશે નહીં. Instagramએ સ્પષ્ટ કર્યું છે કે ઓછા પ્રયત્નથી કરેલા ફેરફારો જેમ કે વોટરમાર્ક ઉમેરવું અથવા વીડિયોની સ્પીડ બદલવી એને મૂળ કન્ટેન્ટ તરીકે ગણાશે નહીં. એ જ રીતે અન્ય વ્યક્તિના પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને તેનો યુઝરનેમ દેખાડીને પોસ્ટ કરવાથી પણ તે મૂળ ગણાશે નહીં.
Read More at ગુજરાત સમાચાર
ફિલ્મમાં હિંસા અને ગાળો મુદ્દે રણવીર સિંહનો ફરહાન અખ્તર સાથે ડખો!
ફિલ્મમાં હિંસા અને ગાળો મુદ્દે રણવીર સિંહનો ફરહાન અખ્તર સાથે ડખો!

બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને ડિરેક્ટર ફરહાન અખ્તર વચ્ચે 'ડોન 3' ફિલ્મને લઈને સર્જાયેલો વિવાદ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ હવે મુશ્કેલીમાં મુકાયો હોય તેમ જણાય છે. એક અહેવાલ અનુસાર, રણવીર સિંહ ઈચ્છતો હતો કે 'ડોન 3'માં તેનો નેગેટિવ રોલ આજના સમયના ટ્રેન્ડ મુજબ વધુ હિંસક અને 'ડાર્ક' હોય. રણવીરનું માનવું હતું કે પ્રેક્ષકોને અત્યારે પડદા પર લોહીલુહાણ દ્રશ્યો અને ગાળાગાળીવાળી ભાષા વધુ પસંદ આવી રહી છે. તેણે આગ્રહ રાખ્યો હતો કે ડોનના ડાયલોગ્સમાં ગાળોનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ ફરહાન અખ્તર આ વિચારના સખત વિરોધમાં હતો.

Published on: 01st May, 2026
Read More at ગુજરાત સમાચાર
ફિલ્મમાં હિંસા અને ગાળો મુદ્દે રણવીર સિંહનો ફરહાન અખ્તર સાથે ડખો!
Published on: 01st May, 2026
બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને ડિરેક્ટર ફરહાન અખ્તર વચ્ચે 'ડોન 3' ફિલ્મને લઈને સર્જાયેલો વિવાદ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ હવે મુશ્કેલીમાં મુકાયો હોય તેમ જણાય છે. એક અહેવાલ અનુસાર, રણવીર સિંહ ઈચ્છતો હતો કે 'ડોન 3'માં તેનો નેગેટિવ રોલ આજના સમયના ટ્રેન્ડ મુજબ વધુ હિંસક અને 'ડાર્ક' હોય. રણવીરનું માનવું હતું કે પ્રેક્ષકોને અત્યારે પડદા પર લોહીલુહાણ દ્રશ્યો અને ગાળાગાળીવાળી ભાષા વધુ પસંદ આવી રહી છે. તેણે આગ્રહ રાખ્યો હતો કે ડોનના ડાયલોગ્સમાં ગાળોનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ ફરહાન અખ્તર આ વિચારના સખત વિરોધમાં હતો.
Read More at ગુજરાત સમાચાર
મમતા બેનર્જીના સ્ટ્રોંગ રૂમ પર ગંભીર આરોપ, ચૂંટણી પંચે શું કહ્યું?
મમતા બેનર્જીના સ્ટ્રોંગ રૂમ પર ગંભીર આરોપ, ચૂંટણી પંચે શું કહ્યું?

પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર સીટના સ્ટ્રોંગ રૂમમાં EVM સાથે છેડછાડનો આરોપ લગાવ્યો. તેમણે પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ નહિં સહન કરવાની ચેતવણી આપી. ચૂંટણી આયોગે તમામ આરોપો નકારી કાઢ્યા, EVM સુરક્ષિત હોવાનું જણાવ્યું.

Published on: 01st May, 2026
Read More at સંદેશ
મમતા બેનર્જીના સ્ટ્રોંગ રૂમ પર ગંભીર આરોપ, ચૂંટણી પંચે શું કહ્યું?
Published on: 01st May, 2026
પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર સીટના સ્ટ્રોંગ રૂમમાં EVM સાથે છેડછાડનો આરોપ લગાવ્યો. તેમણે પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ નહિં સહન કરવાની ચેતવણી આપી. ચૂંટણી આયોગે તમામ આરોપો નકારી કાઢ્યા, EVM સુરક્ષિત હોવાનું જણાવ્યું.
Read More at સંદેશ
અટારી બોર્ડર સેરેમનીનો સમય બદલાયો, 6 થી 6:30 સુધી થશે.
અટારી બોર્ડર સેરેમનીનો સમય બદલાયો, 6 થી 6:30 સુધી થશે.

અમૃતસર સ્થિત અટારી બોર્ડર પર પ્રસિદ્ધ રિટ્રીટ સેરેમનીનો સમય બદલાયો છે. હવે તે સાંજે 6 થી 6:30 વાગ્યા સુધી ચાલશે. હવામાન અને પ્રકાશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. દર્શકોને સારો અનુભવ અને સુરક્ષા માટે આ ફેરફાર જરૂરી હતો. દેશભક્તિથી ભરપૂર આ સેરેમની જોવા હજારો લોકો આવે છે. આ નવો સમય 1 મેથી લાગુ કરાયો છે.

Published on: 01st May, 2026
Read More at દિવ્ય ભાસ્કર
અટારી બોર્ડર સેરેમનીનો સમય બદલાયો, 6 થી 6:30 સુધી થશે.
Published on: 01st May, 2026
અમૃતસર સ્થિત અટારી બોર્ડર પર પ્રસિદ્ધ રિટ્રીટ સેરેમનીનો સમય બદલાયો છે. હવે તે સાંજે 6 થી 6:30 વાગ્યા સુધી ચાલશે. હવામાન અને પ્રકાશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. દર્શકોને સારો અનુભવ અને સુરક્ષા માટે આ ફેરફાર જરૂરી હતો. દેશભક્તિથી ભરપૂર આ સેરેમની જોવા હજારો લોકો આવે છે. આ નવો સમય 1 મેથી લાગુ કરાયો છે.
Read More at દિવ્ય ભાસ્કર
બુદ્ધ પૂર્ણિમા: વિષ્ણુ, સત્યનારાયણ, ચંદ્ર, યમરાજ પૂજા અને પિતૃ શ્રાદ્ધ.
બુદ્ધ પૂર્ણિમા: વિષ્ણુ, સત્યનારાયણ, ચંદ્ર, યમરાજ પૂજા અને પિતૃ શ્રાદ્ધ.

વૈશાખ પૂર્ણિમા, જેને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે, આ દિવસે ભગવાન વિષ્ણુ, સત્યનારાયણ, ચંદ્ર દેવ અને યમરાજની પૂજાનું મહત્વ છે. આ દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ થયું હતું, તેથી તેનું ધાર્મિક મહત્વ અનેક ગણું છે. વ્રત અને પૂજાથી સુખ-સમૃદ્ધિ મળે છે અને કષ્ટ દૂર થાય છે. ચંદ્ર પૂજાથી માનસિક શાંતિ મળે છે અને યમરાજ પ્રસન્ન થાય છે. પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું. દાન પુણ્ય કરવું શુભ.

Published on: 01st May, 2026
Read More at દિવ્ય ભાસ્કર
બુદ્ધ પૂર્ણિમા: વિષ્ણુ, સત્યનારાયણ, ચંદ્ર, યમરાજ પૂજા અને પિતૃ શ્રાદ્ધ.
Published on: 01st May, 2026
વૈશાખ પૂર્ણિમા, જેને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે, આ દિવસે ભગવાન વિષ્ણુ, સત્યનારાયણ, ચંદ્ર દેવ અને યમરાજની પૂજાનું મહત્વ છે. આ દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ થયું હતું, તેથી તેનું ધાર્મિક મહત્વ અનેક ગણું છે. વ્રત અને પૂજાથી સુખ-સમૃદ્ધિ મળે છે અને કષ્ટ દૂર થાય છે. ચંદ્ર પૂજાથી માનસિક શાંતિ મળે છે અને યમરાજ પ્રસન્ન થાય છે. પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું. દાન પુણ્ય કરવું શુભ.
Read More at દિવ્ય ભાસ્કર
પાકિસ્તાની મંત્રીની ભારત પ્રશંસા
પાકિસ્તાની મંત્રીની ભારત પ્રશંસા

ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે પાકિસ્તાનના મંત્રીએ ભારતની આર્થિક મજબૂતી અને Strategic Reserves ની પ્રશંસા કરી. ભારતે 60-70 દિવસનો ભંડાર રાખ્યો છે, જ્યારે પાકિસ્તાન 5-7 દિવસ ચાલે તેટલો જ ધરાવે છે. ભારત IMF ના દબાણ હેઠળ નથી, જ્યારે પાકિસ્તાન દેવું ઘટાડવા ટેક્સ લાદવા મજબૂર છે. પાકિસ્તાની મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ભારત પાસે $600 બિલિયનથી વધુનો વિદેશી મુદ્રા ભંડાર છે, જેણે તેને અનેક દેશો પાસેથી તેલ ખરીદવાની શક્તિ આપી છે.

Published on: 01st May, 2026
Read More at સંદેશ
પાકિસ્તાની મંત્રીની ભારત પ્રશંસા
Published on: 01st May, 2026
ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે પાકિસ્તાનના મંત્રીએ ભારતની આર્થિક મજબૂતી અને Strategic Reserves ની પ્રશંસા કરી. ભારતે 60-70 દિવસનો ભંડાર રાખ્યો છે, જ્યારે પાકિસ્તાન 5-7 દિવસ ચાલે તેટલો જ ધરાવે છે. ભારત IMF ના દબાણ હેઠળ નથી, જ્યારે પાકિસ્તાન દેવું ઘટાડવા ટેક્સ લાદવા મજબૂર છે. પાકિસ્તાની મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ભારત પાસે $600 બિલિયનથી વધુનો વિદેશી મુદ્રા ભંડાર છે, જેણે તેને અનેક દેશો પાસેથી તેલ ખરીદવાની શક્તિ આપી છે.
Read More at સંદેશ
ભુજ નગરપાલિકા: નવા હોદ્દેદારોની વરણીની તૈયારી, 4 મેના રોજ નિરીક્ષકો સેન્સ લેશે.
ભુજ નગરપાલિકા: નવા હોદ્દેદારોની વરણીની તૈયારી, 4 મેના રોજ નિરીક્ષકો સેન્સ લેશે.

કચ્છમાં ભાજપની ભવ્ય જીત બાદ ભુજ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની પસંદગી માટે 4 મેના રોજ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ચૂંટાયેલા સભ્યો અને અગ્રણીઓ પાસેથી પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદો માટે અભિપ્રાય મેળવશે. દરેક હોદ્દા માટે 3-3 નામોની પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને મોકલવામાં આવશે, જે અંતિમ નિર્ણય લેશે.

Published on: 01st May, 2026
Read More at સંદેશ
ભુજ નગરપાલિકા: નવા હોદ્દેદારોની વરણીની તૈયારી, 4 મેના રોજ નિરીક્ષકો સેન્સ લેશે.
Published on: 01st May, 2026
કચ્છમાં ભાજપની ભવ્ય જીત બાદ ભુજ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની પસંદગી માટે 4 મેના રોજ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ચૂંટાયેલા સભ્યો અને અગ્રણીઓ પાસેથી પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદો માટે અભિપ્રાય મેળવશે. દરેક હોદ્દા માટે 3-3 નામોની પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને મોકલવામાં આવશે, જે અંતિમ નિર્ણય લેશે.
Read More at સંદેશ
સુરેન્દ્રનગરમાં ગુજરાત સ્થાપના દિવસે 'સેવા દિન'.
સુરેન્દ્રનગરમાં ગુજરાત સ્થાપના દિવસે 'સેવા દિન'.

સુરેન્દ્રનગરમાં ૧લી મે, ગુજરાત સ્થાપના દિન 'સેવા દિન' તરીકે ઉજવાશે. જનસેવા કેન્દ્રો પર નાગરિકોની અરજીઓનો તે જ દિવસે નિકાલ થશે. કલેક્ટર અને અધિકારીઓ રૂબરૂ નિરીક્ષણ કરશે. 'વન ડે ગવર્નન્સ' હેઠળ ATVT દાખલાઓ અને અરજીઓ 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલ પર સ્વીકારાશે. વિશેષ વ્યવસ્થા અને સુવિધાઓ પણ ગોઠવાશે.

Published on: 01st May, 2026
Read More at દિવ્ય ભાસ્કર
સુરેન્દ્રનગરમાં ગુજરાત સ્થાપના દિવસે 'સેવા દિન'.
Published on: 01st May, 2026
સુરેન્દ્રનગરમાં ૧લી મે, ગુજરાત સ્થાપના દિન 'સેવા દિન' તરીકે ઉજવાશે. જનસેવા કેન્દ્રો પર નાગરિકોની અરજીઓનો તે જ દિવસે નિકાલ થશે. કલેક્ટર અને અધિકારીઓ રૂબરૂ નિરીક્ષણ કરશે. 'વન ડે ગવર્નન્સ' હેઠળ ATVT દાખલાઓ અને અરજીઓ 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલ પર સ્વીકારાશે. વિશેષ વ્યવસ્થા અને સુવિધાઓ પણ ગોઠવાશે.
Read More at દિવ્ય ભાસ્કર
ગુજરાતમાં સૂકું વાતાવરણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઘટશે
ગુજરાતમાં સૂકું વાતાવરણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઘટશે

ગુજરાતમાં આજથી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. રાજકોટ 42.4 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીમાં રાહત મળશે, પણ ઉકળાટ વધશે. 6 થી 12 મે દરમિયાન માવઠાની શક્યતા છે, ત્યારબાદ ફરી ગરમી વધશે.

Published on: 01st May, 2026
Read More at સંદેશ
ગુજરાતમાં સૂકું વાતાવરણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઘટશે
Published on: 01st May, 2026
ગુજરાતમાં આજથી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. રાજકોટ 42.4 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીમાં રાહત મળશે, પણ ઉકળાટ વધશે. 6 થી 12 મે દરમિયાન માવઠાની શક્યતા છે, ત્યારબાદ ફરી ગરમી વધશે.
Read More at સંદેશ
રાજકોટ સિવિલમાં હિટવેવ દર્દીઓ માટે ખાસ વોર્ડ
રાજકોટ સિવિલમાં હિટવેવ દર્દીઓ માટે ખાસ વોર્ડ

રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર, હિટવેવના કેસોની ભીતિ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો સ્પેશિયલ વોર્ડ, 24 કલાક તબીબી સેવા. ORS, દવાઓ, લાઈફ સેવિંગ સુવિધાઓ ઉપલબ્ધ. સ્ટાફ ખડેપગે. જનતાને સાવચેતી રાખવા અપીલ.

Published on: 01st May, 2026
Read More at દિવ્ય ભાસ્કર
રાજકોટ સિવિલમાં હિટવેવ દર્દીઓ માટે ખાસ વોર્ડ
Published on: 01st May, 2026
રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર, હિટવેવના કેસોની ભીતિ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો સ્પેશિયલ વોર્ડ, 24 કલાક તબીબી સેવા. ORS, દવાઓ, લાઈફ સેવિંગ સુવિધાઓ ઉપલબ્ધ. સ્ટાફ ખડેપગે. જનતાને સાવચેતી રાખવા અપીલ.
Read More at દિવ્ય ભાસ્કર
કાલોલ પાસે ટેન્કર, ટ્રક, ઈકો કાર વચ્ચે અકસ્માત: ૬ ઈજાગ્રસ્ત.
કાલોલ પાસે ટેન્કર, ટ્રક, ઈકો કાર વચ્ચે અકસ્માત: ૬ ઈજાગ્રસ્ત.

કાલોલના વેજલપુર પાસે ટેન્કર, ટ્રક અને ઈકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો. ઈકો કારમાં સવાર ગોસાઈ પરિવારના ચાર બાળકો સહિત છ લોકો ઘાયલ થયા. પરિવાર વડોદરાથી લુણાવાડા પરત ફરી રહ્યો હતો. જોરદાર ટક્કરમાં ઈકો કારનો કચ્ચઘાણ નીકળી ગયો. ઘાયલોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા.

Published on: 01st May, 2026
Read More at દિવ્ય ભાસ્કર
કાલોલ પાસે ટેન્કર, ટ્રક, ઈકો કાર વચ્ચે અકસ્માત: ૬ ઈજાગ્રસ્ત.
Published on: 01st May, 2026
કાલોલના વેજલપુર પાસે ટેન્કર, ટ્રક અને ઈકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો. ઈકો કારમાં સવાર ગોસાઈ પરિવારના ચાર બાળકો સહિત છ લોકો ઘાયલ થયા. પરિવાર વડોદરાથી લુણાવાડા પરત ફરી રહ્યો હતો. જોરદાર ટક્કરમાં ઈકો કારનો કચ્ચઘાણ નીકળી ગયો. ઘાયલોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
Read More at દિવ્ય ભાસ્કર
મદુરાઈમાં ભવ્ય કલ્લાઝાગર ઉત્સવ.
મદુરાઈમાં ભવ્ય કલ્લાઝાગર ઉત્સવ.

મદુરાઈ શહેર વૈગાઈ નદીના કિનારે ભવ્ય કલ્લાઝાગર ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે. હજારો ભક્તો ભગવાન કલ્લાઝાગરના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા એકત્રિત થયા છે. આ ઉત્સવ ધાર્મિક ઉત્સાહ અને સાંસ્કૃતિક પરંપરાઓનું અનોખું મિશ્રણ દર્શાવે છે. પરંપરા મુજબ દેવતાનો વૈગાઈ નદીમાં આગમન શુભ સંકેત માનવામાં આવે છે. ઉત્સવ દરમિયાન શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાઈ ગયો હતો. ભગવાન કલ્લાઝાગરના દર્શનથી ભક્તોમાં આનંદ અને ભક્તિનો માહોલ સર્જાયો.

Published on: 01st May, 2026
Read More at સંદેશ
મદુરાઈમાં ભવ્ય કલ્લાઝાગર ઉત્સવ.
Published on: 01st May, 2026
મદુરાઈ શહેર વૈગાઈ નદીના કિનારે ભવ્ય કલ્લાઝાગર ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે. હજારો ભક્તો ભગવાન કલ્લાઝાગરના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા એકત્રિત થયા છે. આ ઉત્સવ ધાર્મિક ઉત્સાહ અને સાંસ્કૃતિક પરંપરાઓનું અનોખું મિશ્રણ દર્શાવે છે. પરંપરા મુજબ દેવતાનો વૈગાઈ નદીમાં આગમન શુભ સંકેત માનવામાં આવે છે. ઉત્સવ દરમિયાન શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાઈ ગયો હતો. ભગવાન કલ્લાઝાગરના દર્શનથી ભક્તોમાં આનંદ અને ભક્તિનો માહોલ સર્જાયો.
Read More at સંદેશ
વિજલપોરમાં યુવાનો પર પાઇપ-લાકડા વડે જીવલેણ હુમલો, અદાવતમાં મારામારી.
વિજલપોરમાં યુવાનો પર પાઇપ-લાકડા વડે જીવલેણ હુમલો, અદાવતમાં મારામારી.

નવસારીના વિજલપોરના આંબેડકર નગરમાં રહેતા બે યુવાનો રાત્રિના સમયે પસાર થઈ રહ્યા હતા ત્યારે જૂની દુશ્મની રાખીને બેઠેલા ૬ જેટલા શખ્સોએ તેમને રસ્તામાં ઘેરી લીધા હતા. આ ટોળકીએ ઉશ્કેરાઈને લાકડાના ફટકા અને પાઇપ વડે હુમલો કરતા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું માથું ફૂટી ગયું હતું. બબાલના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિજલપોર વિસ્તારમાં સ્થાનિકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવની જાણ થતા જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

Published on: 01st May, 2026
Read More at સંદેશ
વિજલપોરમાં યુવાનો પર પાઇપ-લાકડા વડે જીવલેણ હુમલો, અદાવતમાં મારામારી.
Published on: 01st May, 2026
નવસારીના વિજલપોરના આંબેડકર નગરમાં રહેતા બે યુવાનો રાત્રિના સમયે પસાર થઈ રહ્યા હતા ત્યારે જૂની દુશ્મની રાખીને બેઠેલા ૬ જેટલા શખ્સોએ તેમને રસ્તામાં ઘેરી લીધા હતા. આ ટોળકીએ ઉશ્કેરાઈને લાકડાના ફટકા અને પાઇપ વડે હુમલો કરતા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું માથું ફૂટી ગયું હતું. બબાલના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિજલપોર વિસ્તારમાં સ્થાનિકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવની જાણ થતા જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
Read More at સંદેશ
ચોરાડ આહિર સમાજની 1600 વર્ષ જૂની પરંપરા જળવાઈ, 500 યુગલોના લગ્ન.
ચોરાડ આહિર સમાજની 1600 વર્ષ જૂની પરંપરા જળવાઈ, 500 યુગલોના લગ્ન.

કચ્છના ચોરાડ પંથકમાં 1600 વર્ષ જૂની પરંપરા મુજબ, 500થી વધુ આહિર યુગલોએ ઢોલ-શરણાઈના સૂર વચ્ચે બળદગાડામાં જાન અને રાત્રે ફેરા સાથે લગ્ન કર્યા. આ લગ્નોમાં પૌરાણિક પહેરવેશ અને સાદગી જાળવવામાં આવી છે, જે સમાજની એકતા અને સંસ્કૃતિ પ્રત્યેના ગૌરવને દર્શાવે છે.

Published on: 01st May, 2026
Read More at દિવ્ય ભાસ્કર
ચોરાડ આહિર સમાજની 1600 વર્ષ જૂની પરંપરા જળવાઈ, 500 યુગલોના લગ્ન.
Published on: 01st May, 2026
કચ્છના ચોરાડ પંથકમાં 1600 વર્ષ જૂની પરંપરા મુજબ, 500થી વધુ આહિર યુગલોએ ઢોલ-શરણાઈના સૂર વચ્ચે બળદગાડામાં જાન અને રાત્રે ફેરા સાથે લગ્ન કર્યા. આ લગ્નોમાં પૌરાણિક પહેરવેશ અને સાદગી જાળવવામાં આવી છે, જે સમાજની એકતા અને સંસ્કૃતિ પ્રત્યેના ગૌરવને દર્શાવે છે.
Read More at દિવ્ય ભાસ્કર
તેલ કંપનીઓએ 2025-26માં રોજ ₹116 કરોડ નફો કમાયો
તેલ કંપનીઓએ 2025-26માં રોજ ₹116 કરોડ નફો કમાયો

2025-26માં તેલ કંપનીઓએ રોજ ₹116 કરોડનો નફો કર્યો, જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં ક્રૂડ ઓઇલની કિંમત કોવિડ પછી સૌથી ઓછી રહી. ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડના ભાવ $126 સુધી પહોંચ્યા હતા, પરંતુ પછી $116 થયા. એજન્સીઓ મુજબ, કંપનીઓને દરરોજ ₹2,400 કરોડનું નુકસાન થયું, પેટ્રોલ પર ₹14 અને ડીઝલ પર ₹18 પ્રતિ લિટર. જોકે, 2025-26માં સરેરાશ ભાવ $71 રહ્યા. સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી અને ડીઝલ નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધારીને આવક મેળવી.

Published on: 01st May, 2026
Read More at દિવ્ય ભાસ્કર
તેલ કંપનીઓએ 2025-26માં રોજ ₹116 કરોડ નફો કમાયો
Published on: 01st May, 2026
2025-26માં તેલ કંપનીઓએ રોજ ₹116 કરોડનો નફો કર્યો, જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં ક્રૂડ ઓઇલની કિંમત કોવિડ પછી સૌથી ઓછી રહી. ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડના ભાવ $126 સુધી પહોંચ્યા હતા, પરંતુ પછી $116 થયા. એજન્સીઓ મુજબ, કંપનીઓને દરરોજ ₹2,400 કરોડનું નુકસાન થયું, પેટ્રોલ પર ₹14 અને ડીઝલ પર ₹18 પ્રતિ લિટર. જોકે, 2025-26માં સરેરાશ ભાવ $71 રહ્યા. સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી અને ડીઝલ નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધારીને આવક મેળવી.
Read More at દિવ્ય ભાસ્કર
વઢવાણ કપ: 65+ ટીમો વચ્ચે 15 રાત્રિ ક્રિકેટ જંગ શરૂ.
વઢવાણ કપ: 65+ ટીમો વચ્ચે 15 રાત્રિ ક્રિકેટ જંગ શરૂ.

વઢવાણ રેલવે મેદાનમાં 29 એપ્રિલે 'વઢવાણ કપ' નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ, જે 13 મે સુધી ચાલશે. ખજૂરીવાળી મેલડી માતાજીના લાભાર્થે આયોજિત, આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની 65થી વધુ ટીમોના 1000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. 10,000થી વધુ દર્શકોની અપેક્ષા છે. કારડીયા રાજપૂત યુવા ગ્રુપ દ્વારા 10મી વખત આયોજિત, રાષ્ટ્રીય ગીત સાથે પ્રારંભ થયો.

Published on: 01st May, 2026
Read More at દિવ્ય ભાસ્કર
વઢવાણ કપ: 65+ ટીમો વચ્ચે 15 રાત્રિ ક્રિકેટ જંગ શરૂ.
Published on: 01st May, 2026
વઢવાણ રેલવે મેદાનમાં 29 એપ્રિલે 'વઢવાણ કપ' નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ, જે 13 મે સુધી ચાલશે. ખજૂરીવાળી મેલડી માતાજીના લાભાર્થે આયોજિત, આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની 65થી વધુ ટીમોના 1000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. 10,000થી વધુ દર્શકોની અપેક્ષા છે. કારડીયા રાજપૂત યુવા ગ્રુપ દ્વારા 10મી વખત આયોજિત, રાષ્ટ્રીય ગીત સાથે પ્રારંભ થયો.
Read More at દિવ્ય ભાસ્કર
ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ: મેમો મળશે, એક મહિના સુધી ચાલશે.
ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ: મેમો મળશે, એક મહિના સુધી ચાલશે.

ગુજરાતમાં અકસ્માતો ઘટાડવા અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ફરીવાર ટ્રાફિક તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યમાં આજથી એક મહિના સુધી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સરકારી અને બિનસરકારી વાહન ચાલકો માટે ડ્રાઈવ યોજાશે. રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓના ગેટ પર વાહન ચેકિંગ અને હેલ્મેટ વિના આવતા વાહન ચાલકોને દંડ ફટકારાશે.

Published on: 01st May, 2026
Read More at સંદેશ
ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ: મેમો મળશે, એક મહિના સુધી ચાલશે.
Published on: 01st May, 2026
ગુજરાતમાં અકસ્માતો ઘટાડવા અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ફરીવાર ટ્રાફિક તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યમાં આજથી એક મહિના સુધી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સરકારી અને બિનસરકારી વાહન ચાલકો માટે ડ્રાઈવ યોજાશે. રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓના ગેટ પર વાહન ચેકિંગ અને હેલ્મેટ વિના આવતા વાહન ચાલકોને દંડ ફટકારાશે.
Read More at સંદેશ
પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા, યુટ્યુબર સહિત 3 સામે ગુનો
પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા, યુટ્યુબર સહિત 3 સામે ગુનો

અમરેલીમાં પરિણીતાને ભગાડી જનાર યુવકની યુટ્યુબર સહિત ત્રણ લોકોએ હત્યા કરી. શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા બાદ, યુટ્યુબર દ્વારા માફી મંગાવતો વીડિયો વાયરલ કરાયો હતો. પોલીસે આ મામલે જાણીતા યુટ્યુબર તરુણ બાંભણીયા સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Published on: 01st May, 2026
Read More at દિવ્ય ભાસ્કર
પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા, યુટ્યુબર સહિત 3 સામે ગુનો
Published on: 01st May, 2026
અમરેલીમાં પરિણીતાને ભગાડી જનાર યુવકની યુટ્યુબર સહિત ત્રણ લોકોએ હત્યા કરી. શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા બાદ, યુટ્યુબર દ્વારા માફી મંગાવતો વીડિયો વાયરલ કરાયો હતો. પોલીસે આ મામલે જાણીતા યુટ્યુબર તરુણ બાંભણીયા સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read More at દિવ્ય ભાસ્કર
ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદીની શુભેચ્છા
ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદીની શુભેચ્છા

આજે સમગ્ર ગુજરાત ૧ મેના રોજ પોતાનો 'સ્થાપના દિવસ' ઉત્સાહભેર ઉજવી રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા રાજ્યની પ્રગતિ અને ગૌરવની પ્રશંસા કરી છે. તેમણે ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા, અથાણ મહેનત અને ગતિશીલતાને વિશ્વભરમાં રાજ્યની આગવી ઓળખ ગણાવી છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે ગુજરાત વિકાસના નવા શિખરો સર કરીને 'વિકસિત ભારત'ના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતું રહેશે. રાજ્યના ભવ્ય વારસા અને આધુનિક વિકાસની તેમણે સરાહના કરી છે.

Published on: 01st May, 2026
Read More at સંદેશ
ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદીની શુભેચ્છા
Published on: 01st May, 2026
આજે સમગ્ર ગુજરાત ૧ મેના રોજ પોતાનો 'સ્થાપના દિવસ' ઉત્સાહભેર ઉજવી રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા રાજ્યની પ્રગતિ અને ગૌરવની પ્રશંસા કરી છે. તેમણે ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા, અથાણ મહેનત અને ગતિશીલતાને વિશ્વભરમાં રાજ્યની આગવી ઓળખ ગણાવી છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે ગુજરાત વિકાસના નવા શિખરો સર કરીને 'વિકસિત ભારત'ના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતું રહેશે. રાજ્યના ભવ્ય વારસા અને આધુનિક વિકાસની તેમણે સરાહના કરી છે.
Read More at સંદેશ
11 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું IMD એલર્ટ.
11 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું IMD એલર્ટ.

ભારત હવામાન વિભાગ (IMD)એ 1 મેના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીઓની ચેતવણી આપી છે. આ દરમિયાન 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આજે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઘણા રાજ્યોમાં ગોળા (ઓલા) પણ પડી શકે છે.

Published on: 01st May, 2026
Read More at સંદેશ
11 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું IMD એલર્ટ.
Published on: 01st May, 2026
ભારત હવામાન વિભાગ (IMD)એ 1 મેના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીઓની ચેતવણી આપી છે. આ દરમિયાન 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આજે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઘણા રાજ્યોમાં ગોળા (ઓલા) પણ પડી શકે છે.
Read More at સંદેશ
સુરેન્દ્રનગર: બચુભાઈ ગઢવી પુસ્તકાલય 1 મેથી કાર્યરત.
સુરેન્દ્રનગર: બચુભાઈ ગઢવી પુસ્તકાલય 1 મેથી કાર્યરત.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ ખાતે બચુભાઈ ગઢવી પુસ્તકાલય 1 મેથી શરૂ થશે. ઉત્તર ઝોન કચેરીના બીજા માળે કાર્યરત આ પુસ્તકાલયનો ઉદ્દેશ વાંચનની ટેવને પ્રોત્સાહન આપવાનો અને ગુણવત્તાયુક્ત સાહિત્ય પૂરું પાડવાનો છે. યુવા વાચકોમાં રુચિ જગાવવાનો પ્રયાસ કરાશે. વાચકો દરરોજ સવારે 9 થી સાંજે 6 સુધી સુવિધાનો લાભ લઈ શકશે.

Published on: 01st May, 2026
Read More at દિવ્ય ભાસ્કર
સુરેન્દ્રનગર: બચુભાઈ ગઢવી પુસ્તકાલય 1 મેથી કાર્યરત.
Published on: 01st May, 2026
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ ખાતે બચુભાઈ ગઢવી પુસ્તકાલય 1 મેથી શરૂ થશે. ઉત્તર ઝોન કચેરીના બીજા માળે કાર્યરત આ પુસ્તકાલયનો ઉદ્દેશ વાંચનની ટેવને પ્રોત્સાહન આપવાનો અને ગુણવત્તાયુક્ત સાહિત્ય પૂરું પાડવાનો છે. યુવા વાચકોમાં રુચિ જગાવવાનો પ્રયાસ કરાશે. વાચકો દરરોજ સવારે 9 થી સાંજે 6 સુધી સુવિધાનો લાભ લઈ શકશે.
Read More at દિવ્ય ભાસ્કર
દેશભરમાં ભારે ગરમી, કર્ણાટક-યુપી-બિહારમાં વાવાઝોડા-વરસાદથી 29નાં મોત.
દેશભરમાં ભારે ગરમી, કર્ણાટક-યુપી-બિહારમાં વાવાઝોડા-વરસાદથી 29નાં મોત.

રાજસ્થાન, મહારાષ્ટ્રમાં 44°C થી વધુ ગરમી યથાવત છે. જોકે, વાવાઝોડા-વરસાદથી યુપી, બિહાર, કર્ણાટકમાં 29 લોકોનાં મોત થયાં છે. દિલ્હી, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં તાપમાન ઘટ્યું છે, પરંતુ વિદર્ભમાં 44.6°C નોંધાયું. આગામી બે અઠવાડિયા ગરમી ઓછી રહેશે. ઓડિશા, સિક્કિમ, અરુણાચલ, કર્ણાટક અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જેમાં 50-60 km/h ની ઝડપે પવન, વીજળી અને કરા પડી શકે છે.

Published on: 01st May, 2026
Read More at દિવ્ય ભાસ્કર
દેશભરમાં ભારે ગરમી, કર્ણાટક-યુપી-બિહારમાં વાવાઝોડા-વરસાદથી 29નાં મોત.
Published on: 01st May, 2026
રાજસ્થાન, મહારાષ્ટ્રમાં 44°C થી વધુ ગરમી યથાવત છે. જોકે, વાવાઝોડા-વરસાદથી યુપી, બિહાર, કર્ણાટકમાં 29 લોકોનાં મોત થયાં છે. દિલ્હી, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં તાપમાન ઘટ્યું છે, પરંતુ વિદર્ભમાં 44.6°C નોંધાયું. આગામી બે અઠવાડિયા ગરમી ઓછી રહેશે. ઓડિશા, સિક્કિમ, અરુણાચલ, કર્ણાટક અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જેમાં 50-60 km/h ની ઝડપે પવન, વીજળી અને કરા પડી શકે છે.
Read More at દિવ્ય ભાસ્કર

Download Our App

Get better experience on our mobile app 🚀

Download from Play Store