GCMMF: અશોક ચૌધરી નવા ચેરમેન બન્યા, આગામી અઢી વર્ષ માટે સંભાળશે સુકાન.
GCMMF: અશોક ચૌધરી નવા ચેરમેન બન્યા, આગામી અઢી વર્ષ માટે સંભાળશે સુકાન.
Published on: 22nd July, 2025

GCMMF (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)ને નવા ચેરમેન તરીકે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયા મળ્યા. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની GCMMFના ચેરમેન તરીકે વરણી થઈ. રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયા વાઇસ ચેરમેન બન્યા. તેઓ આગામી અઢી વર્ષ માટે પદ સંભાળશે. ભાજપ સંગઠનના નિર્ણયથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને નેતૃત્વ મળ્યું.