દીકરાઓએ પિતાના મોતનો મલાજો ન જાળવ્યો : સરસપુરમાં પ્રોપર્ટી માટે ઝઘડો, પોલીસ બોલાવી, અંતિમ સંસ્કાર 3 કલાક અટક્યા.
દીકરાઓએ પિતાના મોતનો મલાજો ન જાળવ્યો : સરસપુરમાં પ્રોપર્ટી માટે ઝઘડો, પોલીસ બોલાવી, અંતિમ સંસ્કાર 3 કલાક અટક્યા.
Published on: 21st July, 2025

અમદાવાદના સરસપુરમાં વૃદ્ધના અવસાન બાદ તેમના ચાર પુત્રોએ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો. મારામારી થતા પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો. પિતાના મોતનો મલાજો પણ ન જાળવ્યો. જાલુભાઇને ૬ સંતાનો હતા, તેઓએ મહેનતથી પ્રોપર્ટી વસાવી હતી જેના ઉપર ચારેય દીકરાઓની નજર હતી. અંતિમ સંસ્કાર માટે લઈ જતી વખતે ભાઈઓએ મારામારી કરી, પોલીસે બેની અટકાયત કરી. ઘટનાથી સમાજમાં આક્રોશ ફેલાયો. પોલીસને બોલાવવી પડી. અંતિમ સંસ્કાર 3 કલાક સુધી અટક્યા.