જામનગરમાં રંગમતી નદી પરનો જર્જરિત બ્રિજ : ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ - મહાપ્રભુજી બેઠકથી દરબારગઢ.
જામનગરમાં રંગમતી નદી પરનો જર્જરિત બ્રિજ : ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ - મહાપ્રભુજી બેઠકથી દરબારગઢ.
Published on: 16th July, 2025

જામનગર મનપાનો મહત્વપૂર્ણ નિર્ણય: રંગમતી નદી પરનો બ્રિજ જર્જરિત થતા ભારે વાહનોની અવર જવર બંધ કરાઈ છે. મ્યુનીસીપલ કમિશનર ડી.એન. મોદીએ બી.પી.એમ.સી. એક્ટ હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. નવા બ્રિજ સુધી ભારે વાહનો બંધ રહેશે અને બી.પી.એમ.સી. એક્ટ હેઠળ કાર્યવાહી થશે. વૈકલ્પિક માર્ગ તરીકે મહાપ્રભુજી બેઠકથી અન્નપૂર્ણા સર્કલ થઈને દરબારગઢ જઈ શકાશે.