હરણીમાં ગણરાજા ગણેશ યુવક મંડળ દ્વારા નારી શક્તિની થીમ સાથે ગણપતિ બાપાના "વિનાયકી” સ્વરૂપની સ્થાપના.
હરણીમાં ગણરાજા ગણેશ યુવક મંડળ દ્વારા નારી શક્તિની થીમ સાથે ગણપતિ બાપાના "વિનાયકી” સ્વરૂપની સ્થાપના.
Published on: 04th September, 2025

વડોદરાના હરણી વારસિયા રીંગ રોડ પર ગણરાજા ગણેશ યુવક મંડળ દ્વારા 34 વર્ષથી ગણેશજીની સ્થાપના થાય છે. છેલ્લા 7 વર્ષથી ઐતિહાસિક મંદિરોના ગણેશજીના સ્વરૂપો સ્થાપિત થાય છે, જેથી ભક્તોને જાણકારી મળે. આ વર્ષે નારી શક્તિની થીમ સાથે ગણપતિ બાપાનું "વિનાયકી” સ્વરૂપ સ્થાપિત કર્યું છે, જે દેવી સ્વરૂપ છે. માન્યતા મુજબ વિનાયકી માતાની ઉપાસના કરવાથી જીવનમાં ધૈર્ય, વિજય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.