પેટલાદના આશી ગામના ગણેશ પંડાલમાં 'ઓપરેશન સિંદૂર'ની થીમ દેશભક્તિનો અનોખો સંગમ રજૂ કરે છે.
પેટલાદના આશી ગામના ગણેશ પંડાલમાં 'ઓપરેશન સિંદૂર'ની થીમ દેશભક્તિનો અનોખો સંગમ રજૂ કરે છે.
Published on: 04th September, 2025

ભારતની સંસ્કૃતિ અને ઉત્સવોની પરંપરામાં ગણેશોત્સવનું મહત્વ છે. આણંદ જિલ્લામાં ગણેશ પંડાલોમાં દેશની સિદ્ધિઓ અને શૌર્યની ઝાંખી કરાવતી થીમ છે, જેમાં પેટલાદના આશી ગામના યુવાનોએ બનાવેલ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ આધારિત ગણેશ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં દુર્ગમ પહાડો, મિસાઈલ અને સૈન્ય કાર્યવાહીની પ્રતિકૃતિઓ છે. યુવાનોએ ઈકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી છે, અને ઓપરેશન સિંદૂરનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ પંડાલમાં રાષ્ટ્રગીતનું ગાન પણ કરવામાં આવે છે.