જામનગરમાં વરસાદી પાણીની સમસ્યા CM સુધી પહોંચી; નારાયણ નગર, મોહન નગર સહિતની સોસાયટીઓ પીડિત.
જામનગરમાં વરસાદી પાણીની સમસ્યા CM સુધી પહોંચી; નારાયણ નગર, મોહન નગર સહિતની સોસાયટીઓ પીડિત.
Published on: 23rd July, 2025

જામનગરના ગુલાબ નગર નજીકની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા અંગે CMને રજૂઆત કરાઈ. સ્થાનિક તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા અને નાગરિકોના નિવેદનો લેવાયા. અડચણરૂપ દિવાલ દૂર કરવા સહિતની માંગણીઓ સાથે લોકોએ વરસાદી પાણીનો પ્રશ્ન કાયમી હલ કરવા રજૂઆત કરી. નારાયણ નગર, મોહન નગર અને સત્યમ કોલોની જેવી સોસાયટીઓમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે. આથી લોકોએ CM સુધી રજૂઆત કરી છે.