શ્રાવણના પ્રથમ દિવસે કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ, 'હર હર મહાદેવ' નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
શ્રાવણના પ્રથમ દિવસે કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ, 'હર હર મહાદેવ' નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
Published on: 25th July, 2025

25 જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થતા, અમદાવાદના કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી. ભક્તો જળ, દૂધ, પુષ્પોથી શિવજીની પૂજા કરી ધન્યતા અનુભવે છે. સેવક વૈભવભાઈના જણાવ્યા અનુસાર, શ્રાવણ માસમાં શિવજી પૃથ્વીનો ભાર હળવો કરે છે, અને ભક્તો પૂજા-અર્ચના કરી પુણ્ય કમાય છે. 'હર હર મહાદેવ'ના નાદથી વાતાવરણ ગુંજી રહ્યું છે.