જામનગરમાં જંગલેશ્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર, જૂના મંદિરનો હિસ્સો દૂર કરાયો કારણ કે ત્યાંથી રોડ બનાવવામાં આવશે.
જામનગરમાં જંગલેશ્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર, જૂના મંદિરનો હિસ્સો દૂર કરાયો કારણ કે ત્યાંથી રોડ બનાવવામાં આવશે.
Published on: 25th July, 2025

જામનગરમાં જંગલેશ્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કારણ કે મહાનગરપાલિકા દ્વારા આરટીઓથી મિગ કોલોની સુધી નવો રોડ બની રહ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓએ બાજુમાં નવું મંદિર બનાવ્યું, જ્યાં શિવલિંગ અને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ પૂજા શરૂ થઈ ગઈ છે અને જૂના મંદિરને તોડી રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ છે.