પાંડેસરામાં BRTS બસનો અકસ્માત: ડ્રાઈવર દ્વારા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા, જાનહાનિ ટળી.
પાંડેસરામાં BRTS બસનો અકસ્માત: ડ્રાઈવર દ્વારા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા, જાનહાનિ ટળી.
Published on: 25th July, 2025

સુરતના પાંડેસરામાં દક્ષેશ્વર પાસે BRTS બસને અકસ્માત નડ્યો, જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર સાથે અથડાઈ. મુસાફરોથી ભરેલી બસ દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ ઘટના બની. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ BRTS બસને નુકસાન થયું છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.