શ્રાવણના પ્રથમ દિવસે શિવમંદિરોમાં ભક્તોની ભીડ: પંચનાથ મંદિરે "હર હર મહાદેવ"નો નાદ, મહિનામાં અંદાજે 1 લાખ ભક્તો દર્શન કરશે.
શ્રાવણના પ્રથમ દિવસે શિવમંદિરોમાં ભક્તોની ભીડ: પંચનાથ મંદિરે "હર હર મહાદેવ"નો નાદ, મહિનામાં અંદાજે 1 લાખ ભક્તો દર્શન કરશે.
Published on: 25th July, 2025

આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે રાજકોટના 150 વર્ષ જૂના પંચનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. "હર હર મહાદેવ"ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું. શ્રાવણ માસ દરમિયાન એક લાખથી વધુ ભક્તો દર્શન કરે છે. મંદિરમાં મહાપૂજાનું આયોજન થાય છે. ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અને મફત એજ્યુકેશન જેવી પ્રવૃતિઓ થાય છે.