સોમનાથ-જેતપુર હાઇવે ખરાબ હાલતમાં: ખાડા અને ધૂળથી વાહનચાલકો પરેશાન, ધારાસભ્યની આંદોલનની ચીમકી.
સોમનાથ-જેતપુર હાઇવે ખરાબ હાલતમાં: ખાડા અને ધૂળથી વાહનચાલકો પરેશાન, ધારાસભ્યની આંદોલનની ચીમકી.
Published on: 18th July, 2025

સોમનાથ-જેતપુર નેશનલ હાઇવેની બિસ્માર સ્થિતિથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોમનાથથી ગડુ સુધીના માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય છે, જેના લીધે વાહનચાલકો વિકાસના નામે થતી આવી પરિસ્થિતિથી આક્રોશિત છે. ખાડાને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને ધૂળની ડમરીઓથી મોટરસાયકલસવારોના જીવ જોખમમાં છે. આ બાબતે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આંદોલનની ચીમકી આપી છે, જો હાઇવેનું રિપેરિંગ નહીં થાય તો.