શ્રાવણના પ્રથમ સોમવારે પાટણના શિવાલયો "હર હર ભોલે" ના નાદથી ગુંજી ઉઠ્યા, ભક્તોએ પૂજા કરી.
શ્રાવણના પ્રથમ સોમવારે પાટણના શિવાલયો "હર હર ભોલે" ના નાદથી ગુંજી ઉઠ્યા, ભક્તોએ પૂજા કરી.
Published on: 28th July, 2025

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેરના સિધ્ધનાથ મહાદેવ સહિત અનેક શિવમંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. ભક્તોએ બિલીપત્ર, દૂધ અને જળથી અભિષેક કરી પૂજા અર્ચના કરી. શિવાલયો "હર હર ભોળાનાથ" અને "ઓમ નમઃ શિવાય" ના નાદથી ભક્તિમય બની ગયા, અને ભક્તોએ સેવા-પૂજા કરી ધન્યતા અનુભવી.