હિન્દુ સેનાનું ઓનલાઈન શિવભક્તિ અભિયાન: 5.25 લાખ લોકો સુધી 'ૐ નમઃ શિવાય' મંત્ર પહોંચાડાયો.
હિન્દુ સેનાનું ઓનલાઈન શિવભક્તિ અભિયાન: 5.25 લાખ લોકો સુધી 'ૐ નમઃ શિવાય' મંત્ર પહોંચાડાયો.
Published on: 28th July, 2025

જામનગરમાં શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સેનાએ ટેકનોલોજીનો ઉપયોગ કરી શિવભક્તિ માટે ઓનલાઇન અભિયાન ચલાવ્યું. જેમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દ્વારા 5.25 લાખ લોકો સુધી 'ૐ નમઃ શિવાય' મંત્રનો સંદેશો પહોંચાડાયો. આ અભિયાનનો હેતુ યુવાનોને મોબાઈલ પર ગેમ્સને બદલે શિવ ભક્તિ તરફ વાળવાનો હતો. ભારત ઉપરાંત નેપાળ, કેનેડા જેવા દેશોમાં પણ મેસેજ મોકલાયા.