નર્મદા ડેમની જળસપાટી 135.47 મીટર: 4 લાખ ક્યુસેક પાણીની આવક થતાં 27 ગામોને એલર્ટ.
નર્મદા ડેમની જળસપાટી 135.47 મીટર: 4 લાખ ક્યુસેક પાણીની આવક થતાં 27 ગામોને એલર્ટ.
Published on: 04th September, 2025

નર્મદા ડેમની સપાટી 135.47 મીટર સુધી પહોંચી છે, ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 15 દરવાજા અને આરબીપીએચ, કેનાલ મારફતે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાત્રે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.