નવસારીના મોટાબજારમાં લાઈનદોરી માટે મહાનગરપાલિકાની નોટિસ: રોડ પહોળો કરવા પુનઃ સૂચના.
નવસારીના મોટાબજારમાં લાઈનદોરી માટે મહાનગરપાલિકાની નોટિસ: રોડ પહોળો કરવા પુનઃ સૂચના.
Published on: 04th August, 2025

નવસારીના મોટાબજાર વિસ્તારમાં રોડ પહોળો કરવા માટે લાઇનદોરી મૂકવાની નીતિમાં ફેરફાર થતા, મધ્યબિંદુથી 7.5 મીટર લાઇનદોરી મૂકવાની નોટિસ મહાનગરપાલિકાએ જારી કરી છે. અગાઉની લાઈનદોરીમાં રજૂઆતો બાદ ફેરફાર કરાયો છે. અસરગ્રસ્ત મિલકતો ધરાવતા લોકોને એક મહિનામાં વાંધા રજૂ કરવા જણાવ્યું છે. જોકે, પોલીસ ચોકીથી કંસારવાડ તરફના માર્ગ માટે નવી નોટિસ હજુ આવી નથી.