કવિ કૃષ્ણ દવેએ રસથી કવિતા પઠન કર્યું: ધ્રુવ તારા કવિ કૃષ્ણ દવેનો કાવ્ય પઠન કાર્યક્રમ.
કવિ કૃષ્ણ દવેએ રસથી કવિતા પઠન કર્યું: ધ્રુવ તારા કવિ કૃષ્ણ દવેનો કાવ્ય પઠન કાર્યક્રમ.
Published on: 04th August, 2025

દ્વારકા પાસે વરવાળાની શ્રી કર્મયોગી હાઈસ્કુલમાં મૌલિકતા અને સર્જનાત્મકતા હેતુથી કવિ કૃષ્ણ દવેના કાવ્ય પઠનનો કાર્યક્રમ યોજાયો. જેમાં સરપંચ, ગામશ્રેષ્ઠીઓ, પી.એમ.શ્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બાળકાવ્યોનો રસાસ્વાદ માણ્યો. આચાર્ય સુજીત ત્રિવેદીએ કવિનું સન્માન કર્યું, સંચાલન બી.એ.રાઠોડે અને આભારવિધિ મનીષ દેલવાડીયાએ કરી. શાળા સ્ટાફે જહેમત ઉઠાવી.