અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ, 30 લાખ ભક્તો ઉમટશે, અરવલ્લી 'જય અંબે' નાદથી ગૂંજી ઉઠશે.
અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ, 30 લાખ ભક્તો ઉમટશે, અરવલ્લી 'જય અંબે' નાદથી ગૂંજી ઉઠશે.
Published on: 01st September, 2025

Ambaji ખાતે આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ. સાતમી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે. મંદિરને જોડતા માર્ગો પર સંઘો જોવા મળી રહ્યા છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ બાદ દર્શન થઈ શકશે નહીં. દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.