પાટણ: સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નવાં નીરના હરખભેર વધામણાં કરાયાં.
પાટણ: સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નવાં નીરના હરખભેર વધામણાં કરાયાં.
Published on: 04th August, 2025

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુરમાં સરસ્વતી નદીના નવા નીરના વધામણાં કર્યા. તેમણે Riverfront ની મુલાકાત લીધી અને અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી. બલવંતસિંહે જણાવ્યું કે સિદ્ધપુરમાં સારા વરસાદથી સરસ્વતી નદીમાં નવા નીર આવતા આનંદ છવાયો છે. PM નરેન્દ્રભાઈ મોદી અને CM ભૂપેન્દ્રભાઈ પટેલનું સપનું છે કે નદીમાં 365 દિવસ પાણી રહે. રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી નદીની ભવ્યતા પુનઃસ્થાપિત કરાશે. APMC ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.