ભચાઉ: હિમતપુરામાં વ્યાજબી ભાવની દુકાન ખસેડાતા 900થી વધુ કાર્ડધારકોને હાલાકી, 70 મહિલાઓની રજૂઆત.
ભચાઉ: હિમતપુરામાં વ્યાજબી ભાવની દુકાન ખસેડાતા 900થી વધુ કાર્ડધારકોને હાલાકી, 70 મહિલાઓની રજૂઆત.
Published on: 06th August, 2025

ભચાઉના હિમતપુરા વિસ્તારની વ્યાજબી ભાવની દુકાન જલારામ સોસાયટી ખસેડાતા સ્થાનિકો નારાજ થયા છે. 70થી વધુ મહિલાઓએ મામલતદારને દુકાન યથાવત રાખવા રજૂઆત કરી છે. 900થી 1000 કાર્ડધારકોને તકલીફ થશે, રિક્ષા ભાડાનો ખર્ચ વધશે. 40 વર્ષ જૂની દુકાન ખસેડવા પાછળનું કારણ શંકાસ્પદ છે. નિર્ણય ન બદલાય તો ધરણાંની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ જાણ કરવાની ખાતરી આપી છે.