શ્રાવણ માસ અને શિવ તત્વજ્ઞાન પર શાંતિભાઈ ઠક્કરનું રસપ્રદ વક્તવ્ય ફતેહસિંહરાવ પુસ્તકાલયમાં યોજાયું.
શ્રાવણ માસ અને શિવ તત્વજ્ઞાન પર શાંતિભાઈ ઠક્કરનું રસપ્રદ વક્તવ્ય ફતેહસિંહરાવ પુસ્તકાલયમાં યોજાયું.
Published on: 26th August, 2025

પાટણના ફતેહસિંહરાવ પુસ્તકાલયમાં 'મને જાણો' કાર્યક્રમમાં શાંતિભાઈ ઠક્કરે શ્રાવણ માસનું મહત્વ અને શિવ તત્વજ્ઞાન સમજાવ્યું. તેમણે શિવના પ્રતીકો જેવા કે ચંદ્ર, ગંગા, નાગ, ભસ્મ, ત્રિશૂળ અને બીલીપત્રનો આધ્યાત્મિક અર્થ સમજાવ્યો. આ કાર્યક્રમ સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી યોજાયો હતો. ડો.શૈલેષ સોમપુરાએ લાઇબ્રેરીના રીનોવેશન વિશે માહિતી આપી અને નગીનભાઈ ડોડીયાએ પરિચય આપ્યો તથા મહાસુખભાઈ મોદીએ આભારવિધિ કરી.