કચ્છમાં પ્રથમ બગલામુખી યજ્ઞ: ગુનેરી ગુફા ખાતે 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી મહાયજ્ઞ યોજાશે.
કચ્છમાં પ્રથમ બગલામુખી યજ્ઞ: ગુનેરી ગુફા ખાતે 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી મહાયજ્ઞ યોજાશે.
Published on: 30th August, 2025

કચ્છના લખપત તાલુકાની ગુનેરી ગુફામાં પ્રથમવાર બગલામુખી યજ્ઞનું આયોજન, જે 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી ચાલશે. રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી મહારાજના હસ્તે યજ્ઞશાળાનું ભૂમિપૂજન થયું. ગુનેરી ગુફાના મહંત દિગમ્બર અશોક ભારતીજી મહારાજ અને બ્રિજેશગીરીજી મહારાજ (જીમ્મી બાબા) ઉપસ્થિત રહ્યા. સનાતની ચાતુર્માસની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમ યોજાશે. દેવી ભાગવત કથા અને રામચરિત માનસ કથાનું પણ આયોજન થશે.