સોશિયલ મીડિયાથી પ્રેરિત જામનગરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી હળદરની ખેતીથી સારી આવક મેળવી.
સોશિયલ મીડિયાથી પ્રેરિત જામનગરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી હળદરની ખેતીથી સારી આવક મેળવી.
Published on: 23rd February, 2026

જામનગરના યુવા ખેડૂતે રાસાયણિક ખેતીના ખર્ચથી બચવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી. 19 વીઘામાં સિઝનેબલ ખેતી કરે છે અને 4 વીઘામાં હળદરની ખેતીથી વીઘે 150 મણ ઉતારો મેળવે છે, જેનો પાઉડર બનાવી વેચાણ કરે છે. ખેડૂતે 2019થી 19 વીઘા જમીનમાં મગફળી, રાય, ઘઉં, ગુલાબનું વાવેતર કર્યું. ચાલુ વર્ષે જીરૂ, લસણ, ડુંગળીનું પણ વાવેતર કર્યું. હળદરના પાકને તૈયાર કરવા માટે 9 મહિના લાગે છે.