બુધવારની બપોરે: શું ‘રોજ’ માથું ચોળીને નહાવું જોઈએ?
બુધવારની બપોરે: શું ‘રોજ’ માથું ચોળીને નહાવું જોઈએ?
Published on: 23rd July, 2025

ભારતમાં શિક્ષિતો રોજ સવારે અને ઉનાળામાં સાંજે બે વાર નહાય છે. મોટા ભાગના મિડલ-ક્લાસના બાથરૂમમાં શૉવરની બાદશાહત આવી છે. શૉવર નીચે નહાવા જેવી લક્ઝરી નથી. કેટલાક બદનસીબોને ફુવારા નીચે નહાતા મચ્છર કરડે છે. પહેલાં ગામડાના તળાવમાં ધુબાકા મારવા જેવું સુખ નહોતું, પણ ભેંસો સાથે નહાવું પડતું. સ્ત્રીઓ આળસને કારણે અઠવાડિયામાં એક વાર માથું ધૂએ છે.