સોમનાથ શૃંગાર, શ્રાવણનાં છેલ્લાં સોમવારે ભક્તોનું ઘોડાપૂર.
સોમનાથ શૃંગાર, શ્રાવણનાં છેલ્લાં સોમવારે ભક્તોનું ઘોડાપૂર.
Published on: 18th August, 2025

આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે, જે શિવભક્તો માટે મહત્વપૂર્ણ દિવસ છે. ગુજરાતનાં શિવાલયોમાં ભક્તોની ભીડ છે. મંદિરો ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી રહ્યાં છે. ભક્તો શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરે છે. સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ, નિષ્કલંક મહાદેવ, જડેશ્વર, સ્તંભેશ્વર અને ભવનાથ સહિતના મંદિરોમાં ભક્તિનો માહોલ છે.