આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ: સોમાસરના કારીગરો પટોળાની કલાના વારસાને સાચવે છે.
આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ: સોમાસરના કારીગરો પટોળાની કલાના વારસાને સાચવે છે.
Published on: 07th August, 2025

સુરેન્દ્રનગરના સોમાસર ગામના કારીગરો પટોળા કલાને જીવંત રાખી રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસને સાર્થક કરે છે. 'છેલા જી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો' ગીત પ્રખ્યાત છે. સોમસરમાં 60-70 પરિવારો અને જિલ્લામાં 4000-4500 લોકો પટોળા કલાને જીવંત રાખે છે. સુરેન્દ્રનગરના પટોળા અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કલકતા, હૈદરાબાદ પહોંચ્યા છે.