સુખીડેમનો એક ગેટ ખોલાયો: પાણીની આવક વધતા 1 હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું, 20 ગામોને સાવચેત કરાયા
સુખીડેમનો એક ગેટ ખોલાયો: પાણીની આવક વધતા 1 હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું, 20 ગામોને સાવચેત કરાયા
Published on: 28th July, 2025

પાવી જેતપુરના સુખીડેમમાં પાણીની આવક વધતા, એક ગેટ ખોલી 1 હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું. ચોમાસાના બીજા રાઉન્ડમાં અવિરત વરસાદથી નદી-નાળામાં પાણીની આવક વધી છે. સુખીડેમમાં પાણીની લેવલ 146.50 મીટર નોંધાયું હતું. રૂલ લેવલ જાળવવા માટે ગેટ ખોલવાનો નિર્ણય લેવાયો. નદી કાંઠાના 20 ગામોને સાવચેત કરાયા હતા. સુખીડેમની મહત્તમ સપાટી 147.82 મીટર છે.