શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના મંદિરોમાં ભક્તોની ભીડ: સુખરાય, દૂધેશ્વર અને કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો.
શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના મંદિરોમાં ભક્તોની ભીડ: સુખરાય, દૂધેશ્વર અને કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો.
Published on: 28th July, 2025

આજે શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના સુખરાય મહાદેવ, દૂધેશ્વર મહાદેવ અને કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વરસાદી વાતાવરણ હોવા છતાં ભક્તો દૂધ, દહીં અને પૂજા સામગ્રી સાથે શિવલિંગ પર અભિષેક કરી ઉપાસના કરતા હતા. મંદિરોના મહંતોએ શ્રાવણ માસમાં ભગવાન શિવજીની પૂજાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રથમ સોમવારનું દ્રવ્ય એ અક્ષત છે.