શ્રાવણનો પ્રથમ સોમવાર: હિંમતનગરમાં ભક્તોની ભીડ, ચાર સોમવારે ડાયરાનું આયોજન કરાયું.
શ્રાવણનો પ્રથમ સોમવાર: હિંમતનગરમાં ભક્તોની ભીડ, ચાર સોમવારે ડાયરાનું આયોજન કરાયું.
Published on: 28th July, 2025

સાબરકાંઠામાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ, ભોલેશ્વર અને ઝરણેશ્વર મહાદેવ મંદિરે કતારો લાગી. ભક્તોએ શિવલિંગ પર બીલીપત્રો અને દૂધનો અભિષેક કર્યો. શ્રાવણ માસમાં ચાર સોમવારે રાત્રે ડાયરાનું આયોજન કરાયું છે જેમાં મયુર દવે, નિરંજન પંડ્યા, ગોપાલ સાધુ અને શૈલેષ મહારાજ જેવા ભજનીકો ભાગ લેશે.