સૌરાષ્ટ્રથી અયોધ્યા માટે નવી ટ્રેન શરૂ; 11 ઓગસ્ટથી નિયમિત દોડશે, આજથી બુકિંગ ઉપલબ્ધ.
સૌરાષ્ટ્રથી અયોધ્યા માટે નવી ટ્રેન શરૂ; 11 ઓગસ્ટથી નિયમિત દોડશે, આજથી બુકિંગ ઉપલબ્ધ.
Published on: 03rd August, 2025

ભાવનગર-અયોધ્યા ટ્રેનનો શુભારંભ કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં થયો. આ સાપ્તાહિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી રવિવારે સવારે 11 વાગ્યે અશ્વિની વૈષ્ણવ દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરાઈ. 11 ઓગસ્ટથી ટ્રેન નિયમિત દોડશે. ટિકિટ બુકિંગ IRCTC અને રિઝર્વેશન સેન્ટર પર આજથી શરૂ. ટ્રેન આવતાં-જતાં 23 જગ્યાએ હોલ્ટ કરશે. પોરબંદર, જૂનાગઢ અને રાજકોટને પણ લાભ થશે.