ત્રણ પેઢીનો સંગમ: 59 વર્ષીય રમેશભાઈ પુત્ર અને પૌત્ર સાથે 43 વર્ષથી અંબાજી પદયાત્રા કરે છે.
ત્રણ પેઢીનો સંગમ: 59 વર્ષીય રમેશભાઈ પુત્ર અને પૌત્ર સાથે 43 વર્ષથી અંબાજી પદયાત્રા કરે છે.
Published on: 05th September, 2025

અંબાજી પૂનમના મેળામાં પાટણના રમેશભાઈ 43 વર્ષથી પદયાત્રા કરે છે, જેમાં તેમના પુત્ર અમિત 15 વર્ષથી અને પૌત્ર ધ્રુત છેલ્લા બે વર્ષથી જોડાયા છે. 59 વર્ષની ઉંમરે પણ રમેશભાઈનો ઉત્સાહ અકબંધ છે અને તેઓ 51 વાર યાત્રા કરવાની ઈચ્છા રાખે છે. આ યાત્રા ભક્તિ અને શ્રદ્ધાનું ઉદાહરણ છે, જેમાં ત્રણ પેઢીઓ માતાના ચરણોમાં જાય છે. આ મેળામાં ગુજરાત સહિત દેશભરના લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે.