ભાસ્કર એક્સક્લૂઝિવ: રૂ. 2500થી વધુ કિંમતના ચણિયાચોળી પર 6% વધુ GST, હવે 12%ને બદલે 18% ટેક્સ.
ભાસ્કર એક્સક્લૂઝિવ: રૂ. 2500થી વધુ કિંમતના ચણિયાચોળી પર 6% વધુ GST, હવે 12%ને બદલે 18% ટેક્સ.
Published on: 06th September, 2025

આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ખર્ચ વધશે, કેડિયા તેમજ ચણિયાચોળી મોંઘા થશે. 22 સપ્ટેમ્બરથી રૂ. 2500થી વધુના ચણિયાચોળી પર 6% વધુ GST લાગશે. લગ્નના કપડાં પણ મોંઘા થશે. સુરતના 5250 કરોડના લહેંગાના વેપારમાં 2000થી વધુ વેપારીઓ સક્રિય છે જેમને GST દર વધવાથી માંગ ઘટવાનો ડર છે. લગ્ન અને નવરાત્રીના ચણિયાચોળીની માંગ છે. 50% વ્યવસાય રૂ. 2500થી ઓછી અને બાકીનો વ્યવસાય રૂ. 2500થી વધુ કિંમતના લહેંગાનો છે. નવા GST રિફોર્મ હેઠળ હવે 18% GST લાગશે.