Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
વિશ્વ વન્યજીવ દિન
વિશ્વ વન્યજીવ દિન

ત્રીજી માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિન.        2013ના 20 ડિસેમ્બર ના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા યોજાઈ હતી. આ સભામાં વિશ્વમાં લુપ્ત થતા વન્યજીવો તેમજ વિવિધ વનસ્પતિ વિશે ઊંડી ચિંતા વ્યક્ત થઈ. અહીં લેવાયેલ નિર્ણય મુજબ વિશ્વમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી કરવી જરૂરી હતી, જે લોકજાગૃતિ વિના સંભવ નહોતી. આ સભાનતા કેળવવા પ્રતિ વર્ષ 3જી માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની સૌપ્રથમ ઉજવણી 2014 માં થઈ હતી.       ઈશ્વરે સૃષ્ટિમાં નિર્માણ કરેલા દરેક જીવનું મહત્વ છે. પર્યાવરણનું ચક્ર કોઈને કોઈ રીતે દરેક સજીવ ઉપર નિર્ભર છે, પરંતુ માનવની આધુનિકતાની આંધળી દોટને લીધે કેટલાક સજીવોનું નિકંદન નીકળવા લાગ્યું. પ્રકૃતિને નુકસાન થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓથી તેમજ વધતા પ્રદૂષણની વિપરીત અસરથી પણ કેટલાક જીવો અને વનસ્પતિનો વિનાશ થવા લાગ્યો. કેટલાંક દુર્લભ વૃક્ષો કે પ્રાણીઓની પ્રજાતિઓની તસ્કરી પણ થવા લાગી આ પ્રકારની અનેક બાબતો વન્યજીવોના વિનાશની સાથે સૃષ્ટિનું સંતુલન પણ ખોરવે છે.       ભારતના સંદર્ભમાં જોઈએ તો આપણો દેશ ભૂપૃષ્ઠ, આબોહવા અને જૈવિક પર્યાવરણની દ્રષ્ટિએ વૈવિધ્યથી ભરપૂર છે. વર્ષઃ 2022 પ્રમાણે જૈવ વૈવિધ્ય ધરાવતા વીસ દેશો પૈકી ભારતનો આઠમો ક્રમ છે, પરંતુ જંગલના ઘટતા પ્રમાણ અને શહેરીકરણની માઠી અસર પર્યાવરણ પર થતી જોવા મળે છે. વન્યજીવોના સંરક્ષણની આહલેક જગાવતા આપણા દેશમાં પણ તેની જાગૃતિની જરૂરિયાત જણાય તે પીડાદાયક છે.   આપણા દેશમાં કારણ વિના ભૂમિ ખોદવી કે કોઈ વનસ્પતિનું પાન તોડવું એ પણ અયોગ્ય ગણવામાં આવે છે, કોઈ પણ પશુપંખીને છંછેડવાનું યોગ્ય ગણવામાં આવતું નથી. કેટલાક જીવો ઝેરીલા હોવા છતાં પણ તેને હણવામાં આવતા નથી, તેવા દેશમાં પણ વન્યજીવોના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આવા સંજોગોમાં વન્યજીવ દિનની ઉજવણી ખૂબ જ જરૂરી થઈ જાય છે. આપણા પ્રસિદ્ધ કવિશ્રી ઉમાશંકર જોષીની પંક્તિઓ યાદ કરીએ - વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !

03rd March

Read more
વિશ્વ વન્યજીવ દિન
03rd March
ત્રીજી માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિન.        2013ના 20 ડિસેમ્બર ના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા યોજાઈ હતી. આ સભામાં વિશ્વમાં લુપ્ત થતા વન્યજીવો તેમજ વિવિધ વનસ્પતિ વિશે ઊંડી ચિંતા વ્યક્ત થઈ. અહીં લેવાયેલ નિર્ણય મુજબ વિશ્વમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી કરવી જરૂરી હતી, જે લોકજાગૃતિ વિના સંભવ નહોતી. આ સભાનતા કેળવવા પ્રતિ વર્ષ 3જી માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની સૌપ્રથમ ઉજવણી 2014 માં થઈ હતી.      ...
Read more
હોળી - ધુળેટી
હોળી - ધુળેટી

     ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે હોલિકાદહનના પ્રસંગે ઈશ્વર પ્રત્યેની તેમની દ્રઢ શ્રદ્ધા અને આસ્થાનાં દર્શન કરાવ્યાં હતાં, જેથી હોળીનું આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ વધી જાય છે.     આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર' પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી'થી ઓળખવામાં આવે છે અને એમાંય આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનનો આ મુખ્ય તહેવાર છે. રાજસ્થાની લોકો હોળી માટે એવું કહેતા હોય છે કે “દીવાળી તો અટેકટે, પણ હોળી તો ઘરે જ.”     માનવમન સદા રંગોની આસપાસ રમતું રહે છે. રંગબેરંગી રંગથી એકબીજાને રંગવાનો તહેવાર એટલે હોળી. ફાગણ, વસંત અને હોળી એમ આ ત્રિવેણી સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને ફાલ્ગુનિક પણ કહે છે. સંસ્કૃતમાં શેકેલા અનાજને હોલક કહે છે. આમ, હોલક પરથી “હોળી” શબ્દ આવ્યો છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને 'શીંગુ' કહે છે.     હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લત્તાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળે છે, આવા લોકોને ઘેરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણાં અને લાકડાં ગોઠવીને હોળી પ્રગટાવવામાં આવે છે.     લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ધાણી, ખજૂર, દાળિયા વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.     ભારતમાં ઉજવાતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે, પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે.     વર્ષનો આ સમય વસંતઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઊઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે, જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને 'દોલયાત્રા' કે ‘વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા મનના દોષો સાથે ખરાબ વાણી અને ખરાબ કર્મોનાં દૂષણો હોમી દેવાય છે. આ પાવન પર્વ પર અહંકાર, અપેક્ષાઓ અને દરેક નકારાત્મક વસ્તુને હોળીના અગ્નિમાં બાળી નાખી અને આ પવિત્ર તહેવારનો આનંદ લોકો દિલથી માણે છે.     રંગોનો આ તહેવાર સૌના પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે છે.

04th March

Read more
હોળી - ધુળેટી
04th March

     ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે...

Read more
રાષ્ટ્રીય સુરક્ષા દિન
રાષ્ટ્રીય સુરક્ષા દિન

દર વર્ષે 4 માર્ચ ને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ અકસ્માતોથી બચવા માટે લેવામાં આવતાં સલામતીનાં પગલાં વિશે જાગૃતિ વધારવાનો છે. આ ઉપરાંત આપણા જીવનના જુદા જુદા સમયે જાગૃતિ કે ધ્યાનના અભાવે થતા અકસ્માતોને રોકવાનો પણ છે.   4 માર્ચ ના દિવસને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાની પહેલ ભારતની 'રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ' (National Safety Council) દ્વારા થઈ હતી. 1972 માં આ સંસ્થાએ 4 માર્ચ ને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. આ દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી ત્યારથી દર વર્ષે ઔદ્યોગિક અને અન્ય પ્રકારની દુર્ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવાં પગલાંથી અને કાયદા નિયમોની જાણકારી અને અમલથી ઉદ્યોગોમાં ઈજાનું પ્રમાણ 1971 માં 1000 કામદાર દીઠ 76 હતું તે ઉત્તરોત્તર ઘટતું રહ્યું છે. નેશનલ સેફ્ટી કાઉન્સિલ, મુંબઈ અને નેશનલ ફાયર સર્વિસ કૉલેજ, નાગપુર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અંગેની તાલીમ પણ આપવામાં આવે છે.   'રાષ્ટ્રીય સુરક્ષા દિન'ની ઉજવણી હવે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ના સ્વરૂપમાં કરવામાં આવે છે, જેનો સમયગાળો દર વર્ષે 4 માર્ચથી 10 માર્ચ હોય છે. આ સપ્તાહ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી ઔદ્યોગિક સહિત વિવિધ પ્રકારની દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો અંગે લોકોને જાણકારી આપવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન આયોજિત થતી બધી જ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ લોકોને પોતાની સુરક્ષા પ્રત્યે સભાન કરવાનો છે.     ‘સુરક્ષા દિન'ની ઉજવણી કેટલીક વિશાળ બાબતોને પણ સ્પર્શે છે. રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી માત્ર સરહદ ઉપર લડતા સૈનિકોની નથી પણ પ્રત્યેક વ્યક્તિ તેમાં સહભાગી બને તે પણ છે. આપણી આસપાસના પર્યાવરણનું સંરક્ષણ કરી સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાની છે. લોકોમાં વિવિધ સંસાધનો વાપરવાની ક્ષમતા વધવાની સાથે દુર્ઘટનાઓ સામે જરૂરી જાગૃતિ કેળવવાની છે. સુરક્ષાના આ વિવિધ આયામો પ્રત્યે લોકોને સભાન બનાવવાની જરૂરિયાત રહે છે. આ દરેક બાબતમાં સફળતા આ દિનની ઉજવણીને સાર્થક કરી શકે.

04th March

Read more
રાષ્ટ્રીય સુરક્ષા દિન
04th March
દર વર્ષે 4 માર્ચ ને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ અકસ્માતોથી બચવા માટે લેવામાં આવતાં સલામતીનાં પગલાં વિશે જાગૃતિ વધારવાનો છે. આ ઉપરાંત આપણા જીવનના જુદા જુદા સમયે જાગૃતિ કે ધ્યાનના અભાવે થતા અકસ્માતોને રોકવાનો પણ છે.   4 માર્ચ ના દિવસને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાની પહેલ ભારતની 'રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ' (National Safety Council) દ્વારા થઈ હતી. 1972 માં આ સંસ્થાએ 4 માર્ચ ને રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું...
Read more
આંતરરાષ્ટ્રીય મહિલા દિન
આંતરરાષ્ટ્રીય મહિલા દિન

શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત થવો એ એક મહત્વની ઘટના છે. 1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો. એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો વિચાર ઑરા કૅટકિન નામનાં મહિલાનો હતો. 1910 માં કૉપન હેગન માં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ માં ક્લેરા એ આ વિચાર રજૂ કર્યો હતો. એ કૉન્ફરન્સમાં હાજર રહેલાં 17 દેશોના 100 મહિલા પ્રતિનિધિઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો. ત્યારથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 માર્ચ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા' દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મહત્વનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.   8 માર્ચ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી કરવા માટે સૌ પ્રથમ સૂચન વર્ષ 1910 માં ‘ઈન્ટરનેશનલ એશિયા લિસ્ટ વુમન કોન્ફરન્સ' દ્વારા કરવામાં આવ્યું હતું.   આંતરરાષ્ટ્રીય મહિલા દિન સાથે જોડાયેલ કેટલીક અગત્યની ઘટનાઓ આ મુજબ છે. ♦ 1911માં 19મી માર્ચે જર્મની, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા અને સ્વિત્ઝર્લેન્ડમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવામાં આવ્યો હતો. ♦ 1914માં 8મી માર્ચે મહિલાઓએ યુરોપમાં રેલી કાઢીને આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવ્યો હતો. ♦ રશિયામાં મહિલાઓ દ્વારા કાઢવામાં આવેલી રેલી અને હડતાલનો મુખ્ય મુદ્દો રોટી અને શક્તિ હતો. ચાર દિવસમાં જ રશિયાના ઝારને સ્થાને સત્તા પર આવેલ કામચલાઉ સરકારે મહિલાઓને વિવિધ અધિકારો આપ્યા. ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે આ દિવસ આઠમી માર્ચ હતો. રશિયામાં વર્ષ 1917 માં મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો.   * સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છેક 8 માર્ચ, 1975 ના દિવસને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન' તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘે 1975 ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. પહેલી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ મેક્સિકો શહેરમાં બોલાવવામાં આવી હતી, જેમાં છ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. આ પરિષદનો મુખ્ય હેતુ સમાનતા, શાંતિ અને વિકાસનો હતો.   * બીજી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ 1980 માં ડેનમાર્કના કોપન હેગન શહેરમાં યોજાઈ હતી. આ પરિષદમાં આઠ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો.   * 1985 માં ત્રીજી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ કેન્યાના નૈરોબીમાં મળી હતી, જેમાં પંદર હજાર મહિલાએ ભાગ લીધો હતો. આ પરિષદમાં સ્ત્રીઓની વિકાસમાં સમાન તકો ન મળવાની ફરિયાદને ધ્યાને લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ 2000 સુધીમાં મહિલાઓને વિકાસ માટે સમાન તકો મળે તેવી વ્યૂહરચના ઘડી કાઢવાનું જણાવ્યું હતું.   * 10 વર્ષ પછી 1995માં ચીનના બૈજિંગ શહેરમાં ચોથી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ મળી, જેમાં ૩૦ હજાર મહિલાઓએ ભાગ લીધો હતો. ચોથી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદનો મુખ્ય મુદ્દો હતો, ‘સ્ત્રીઓની પ્રગતિમાં અવરોધક પરિબળો દૂર કરી પ્રગતિના માર્ગો શોધવા.' બૈજિંગ પરિષદમાં 183 રાષ્ટ્રોની મહિલાઓએ ભાગ લીધો હતો   ભારતમાં આ દિવસે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી નારીશક્તિ ઍવોર્ડ એનાયત થાય છે. વર્ષ 1999 થી આ દિવસે પુરસ્કાર આપવાનો પ્રારંભ થયો હતો.   આજે મહિલા શિક્ષણની ટકાવારી વધતી જાય છે, છતાં મહિલા દિનની ઉજવણી ત્યારે જ સાર્થક લેખાય કે જ્યારે દીકરીના જન્મને આપણે વધાવીએ, મહિલાઓને સ્ત્રી તરીકેની ગરિમા સન્માન અને ગૌરવ સહજપણે પ્રાપ્ત થાય તો જ મહિલા દિવસનું મહત્વ જળવાય અને સમાજનો ઉત્કર્ષ થાય મહિલાઓને સમાનતા અને શિક્ષણ મળે તો જ દેશનો તંદુરસ્ત વિકાસ થઈ શકે.

08th March

Read more
આંતરરાષ્ટ્રીય મહિલા દિન
08th March
શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત થવો એ એક મહત્વની ઘટના છે. 1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો. એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો વિચાર ઑરા કૅટકિન નામનાં મહિલાનો હતો. 1910 માં કૉપન હેગન માં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ માં ક્લેરા એ આ વિચાર...
Read more
વિજય હજારે જન્મજયંતી
વિજય હજારે જન્મજયંતી

વિજય હજારેનો જન્મ ૧૧ માર્ચ,૧૯૧૫ ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સાંગલીના એક શિક્ષકનાં આઠ બાળકોમાંનો એક હતા. જ્યારે હજારે ક્રિકેટમાં આવી રહ્યા હતા,ત્યારે તેમને હિન્દુ જીમખાના દ્વારા ક્રિકેટ રમવા માટે ઓફર કરવામાં આવી હતી. તેમણે શરૂઆતમાં આ ઓફર ફગાવી દીધી હતી. હજારે તેમના જમણા હાથથી બેટિંગ કરતા હતા અને જમણા હાથથી મધ્યમ ગતિ બોલ કરતા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૩૮ મેચ રમી હતી.તેમણે ૫૮.૩૮ ની સરેરાશથી ૧૮૩૪૦ રન બનાવ્યા.  ભારતીય ક્રિકેટમાં આ પ્રથમ વર્ગનો રેકોર્ડ પહેલા સુનીલ ગાવસ્કરે અને ત્યારબાદ સચિન તેંડુલકરે તોડ્યો હતો. પ્રથમ વર્ગમાં ત્રણ સદી ફટકારનાર હજારે પ્રથમ ભારતીય હતા. ટેસ્ટ ક્રિકેટ રમતી વખતે વિજય હજારેએ ૩૦ ટેસ્ટમાં ૪૭.૬૫ ની સરેરાશથી ૨૧૯૨ રન બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૧૬૪ રન છે. જ્યારે ટેસ્ટમાં બોલિંગ કરતા હતા ત્યારે તેમણે ૬૧ ની સરેરાશથી ૨૦ વિકેટ ઝડપી હતી. તેમની શ્રેષ્ઠ બોલિંગ ૪/૨૯ છે. તેમણે ત્રણ વખત મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનની વિકેટ લીધી હતી. તેથી જ કદાચ બ્રેડમેન મધ્યમ ગતિના બોલરોની સામે એટલા સાવચેત હતા. ૧૯૫૧માં ઈંગ્લેન્ડ સામેની ઘરની શ્રેણી માટે તેમને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે દિલ્હીની પ્રથમ ટેસ્ટમાં અણનમ ૧૬૪ રન બનાવ્યા હતા. આ સમયે ભારતીય દ્વારા આ સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. વિજય હજારેની કેપ્ટનશીપ હેઠળ ભારતે પ્રથમ ટેસ્ટ જીતી હતી. ક્રિકેટ પંડિતો માને છે કે કેપ્ટનશીપનું દબાણ તેમના પ્રભાવને અસર કરી ગયું. સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર પહેલા ભારતીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનાવનાર હજારે પહેલા ભારતીય હતા. તેથી, તેમને પ્રથમ ભારતીય વિક્રમાદિત્ય કહેવા જોઈએ. મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેન અને વિજય મર્ચન્ટ દ્વારા વિજય હજારે વિશે ટિપ્પણી કરવામાં આવી હતી.સર વિજય બ્રેડમેન કહે છે, જો વિજય હજારે કેપ્ટન ન બની શક્યા હોત, તો તે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણાત. વિજય મર્ચન્ટ કહે છે, "કેપ્ટનશીપે વિજય હજારેને મહાન બેટ્સમેન બનવા દીધો ન હતો." પદ્મશ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર વિજય હજારેની ઇનિંગ્સ ૧૮ ડિસેમ્બર, ૨૦૦૪ ના રોજ કેન્સર સાથે લાંબી લડાઇ બાદ વડોદરામાં સમાપ્ત થઈ હતી. ભારતના એક ઝોનલ-ક્રિકેટ ટૂર્નામેન્ટને "વિજય હઝારે ટ્રોફી" નામ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

11th March

Read more
વિજય હજારે જન્મજયંતી
11th March

વિજય હજારેનો જન્મ ૧૧ માર્ચ,૧૯૧૫ ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સાંગલીના એક શિક્ષકનાં આઠ બાળકોમાંનો એક હતા. જ્યારે હજારે ક્રિકેટમાં આવી રહ્યા હતા,ત્યારે તેમને હિન્દુ જીમખાના દ્વારા ક્રિકેટ રમવા માટે ઓફર કરવામાં આવી હતી. તેમણે શરૂઆતમાં આ ઓફર ફગાવી દીધી હતી. હજારે તેમના જમણા હાથથી બેટિંગ કરતા હતા અને જમણા હાથથી મધ્યમ ગતિ બોલ કરતા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૩૮ મેચ રમી હતી.તેમણે ૫૮.૩૮ ની સરેરાશથી ૧૮૩૪૦ રન બનાવ્યા. 

ભારતીય ક્રિકેટમાં આ પ્રથમ વર્ગનો રેકોર્ડ પહેલા સુનીલ ગાવસ્કરે અને ત્યારબાદ સચિન તેંડુલકરે તોડ્યો હતો....

Read more
ગૌરીશંકર જોશી પુણ્યતિથિ
ગૌરીશંકર જોશી પુણ્યતિથિ

' મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય ' આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨ના રોજ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં થયો હતો. તેમનું મૂળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી છે. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી -સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન્ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ રહ્યા હતા.  ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય રહ્યા હતા. સાહિત્ય સર્જન ક્ષેત્રે તણખામંડળ ભાગ ૧ થી ૪, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ, આમ્રપાલી, ચંદ્રલેખા, જેવા વાર્તાસંગ્રહો ઉપરાંત અનેક ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ તથા જીવનપંથ અને જીવનરંગ જેવા આત્મકથાનકો લખ્યાં છે. ટૂંકીવાર્તાના ક્ષેત્રે પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા વગેરે આપણી ભાષામાં સર્વાધિક લોકપ્રિય વાર્તાઓ રહી છે. ગુજરાતી સાહિત્યમાં સર્જનાત્મક યોગદાન બદલ ૧૯૩૫માં ધૂમકેતુને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાનું નક્કી થયું હતું પણ તેઓએ તેને પરત કર્યો હતો. ૧૯૫૩માં તેઓને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. ગુજરાતી ટૂંકીવાર્તાના સીમાસ્તંભ અને અત્યંત લોકપ્રિય સાહિત્યકાર ધૂમકેતુનું ૧૧ માર્ચ, ૧૯૬૫ના રોજ ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું.

11th March

Read more
ગૌરીશંકર જોશી પુણ્યતિથિ
11th March

' મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય '

આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨ના રોજ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં થયો હતો. તેમનું મૂળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી છે. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી -સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી.

૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા....

Read more
દાંડીકૂચ દિન
દાંડીકૂચ દિન

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનાં ઈતિહાસમાં દાંડીકૂચનું આગવું સ્થાન છે. બ્રિટિશ શાસનને પડકારવા અને પૂર્ણ સ્વરાજ્યના ધ્યેય માટે અંગ્રેજોએ લાદેલા કર વિરુદ્ધ સવિનય કાનૂનભંગની લડત આપવાનો ઠરાવ કોંગ્રેસ સમિતિમાં 1990 માં થયો હતો. તેમાં ગાંધીજી ને સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવાની સંપૂર્ણ સત્તા આપી હતી. દાંડીકૂચ આ લડતનો એક ભાગ હતો. દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગાંધીજી એ 12 માર્ચ, 1930 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ની પ્રાર્થનાસભામાં જણાવ્યું કે સવિનય કાનૂનભંગની આ લડતમાં વિદેશી કાપડનો બહિષ્કાર, સરકારી નોકરીઓ છોડવી, મહેસૂલ આપવાનું બંધ કરવું, મીઠાના કાયદાનો ભંગ કરવો વગેરે જેવા કાર્યક્રમો કરવાના છે. તેમણે આ સભામાં જણાવ્યુ કે, “મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે. હું કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.” ગાંધીજીએ કૂચ દરમિયાન દરેક સત્યાગ્રહીને ચુસ્ત રીતે નિયમો પાળવાનું જણાવ્યું હતું. દાંડીકૂચ દરમિયાન તેમણે હિંદુ-મુસ્લિમ એકતા અને રચનાત્મક કાર્યક્રમો પર ભાર મૂક્યો હતો. 24 દિવસ સુધી રોજ લગભગ 16 કિ.મી. (10 માઈલ) અંતર કાપીને સત્યાગ્રહીઓ દાંડી ગામે પહોંચ્યા હતા. 370 કિ.મી. જેટલી કૂચ કરી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. કૂચ દરમિયાન દર સોમવારે ગાંધીજી મૌન વ્રત પાળતા, અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવાં નાનાં-મોટાં ગામોમાં સભા ભરી 5 એપ્રિલ ના રોજ સૌ દાંડી પહોંચ્યાં હતાં 6 એપ્રિલ ના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ કહ્યું "મૈને નમક કા કાનૂન તોડ દિયા!" અને દાંડીના દરિયા કિનારે લોકોને સંબોધતાં કહ્યું કે, "હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં આથી લૂણો લગાડું છું." મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવી છે. સમગ્ર ભારત દેશમાં આ કૂચ પછી આવા અહિંસક સવિનય કાનૂનભંગ લડતનાં આંદોલનો શરૂ થયાં. દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજીએ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે અનેક ગામોમાં સભાને સંબોધિત કરી હતી. કોંગ્રેસ પક્ષે ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલાં જ 4 મે ની મધ્યરાત્રીએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી અને તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો. મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ 75,000 જેટલા સત્યાગ્રહીઓ ને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. દાંડીકૂચ સંબંધિત રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક નામનું એક સ્મારક સંગ્રહાલય 30 જાન્યુઆરી, 2019 ના રોજ દાંડી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

12th March

Read more
દાંડીકૂચ દિન
12th March

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનાં ઈતિહાસમાં દાંડીકૂચનું આગવું સ્થાન છે. બ્રિટિશ શાસનને પડકારવા અને પૂર્ણ સ્વરાજ્યના ધ્યેય માટે અંગ્રેજોએ લાદેલા કર વિરુદ્ધ સવિનય કાનૂનભંગની લડત આપવાનો ઠરાવ કોંગ્રેસ સમિતિમાં 1990 માં થયો હતો. તેમાં ગાંધીજી ને સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવાની સંપૂર્ણ સત્તા આપી હતી. દાંડીકૂચ આ લડતનો એક ભાગ હતો.

દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

...
Read more
ગુડી પડવો
ગુડી પડવો

ચૈત્ર સુદ એકમ ભારતના ઘણા વિસ્તારોમાં નવા વર્ષના પ્રારંભનો દિવસ છે. આ દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાડી તરીકે ઊજવવામાં આવે છે. જ્યારે ગોવા અને કેરળમાં કોંકણી સમુદાયના લોકો તેને સંવત્સરી પડવાના નામથી પણ ઊજવે છે. આ દિવસે ઘરની બહાર ગુડી બાંધવાની પરંપરા છે. ગુડી અને પડવો શબ્દમાં ગુડીને પતાકા અથવા ધ્વજ કહેવામાં આવે છે. જ્યારે પડવો શબ્દ પ્રતિપદા (એકમ) તિથિ સાથે સંબંધિત છે. ગુડી પડવાના તહેવારની ઉજવણી પાછળ માત્ર નવા વર્ષની શરૂઆત જ નથી, પરંતુ તેની સાથે કેટલીક દતકથા જોડાયેલી છે. રામાયણની ધાર્મિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, આ દિવસે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામે દક્ષિણ ભારતના લોકોને વાનરરાજ વાલીના શાસનમાંથી મુક્તિ અપાવી હતી. તે સમયે દક્ષિણ ભારતના લોકોએ દરેક ઘરમાં વિજય ધ્વજ લહેરાવ્યો હતો, જે પાછળથી ગુડી પડવાના તહેવારમાં ફેરવાઈ ગયો હતો. જોકે, લોકો નવા પાકની ઉજવણી માટે પણ આ તહેવાર ઊજવે છે. એવું પણ માનવામાં આવે છે કે પુરાણો મુજબ બ્રહ્મદેવે આ સૃષ્ટિ ચૈત્ર સુદ એકમ (પ્રતિપદા)ના દિવસે નિર્માણ કરી હતી. ચૈત્ર સુદ એકમના દિવસનું મહત્વ દર્શાવતી બીજી બાબતો આ મુજબ છે: . આ દિવસે મહાન જ્યોતિષ આચાર્ય અને ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યએ સૂર્યોદય, સૂર્યાસ્ત, દિવસ, મહિના અને વર્ષની ગણતરી કરીને પંચાંગની રચના કરી હતી. . આ દિવસે સતયુગની શરૂઆત થઈ હતી અને શ્રીહરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. . વિશેષમાં ચૈત્ર સુદ એકમે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠિર બન્નેનું રાજ્યારોહણ થયું હતું. . આજ દિવસે ગુપ્તસમ્રાટ વિક્રમાદિત્યે શકોને હરાવીને વિક્રમ સંવતની શુભ શરૂઆત કરી હતી. . શાલિવાહન નામના કુંભારના પુત્રે માટીની સેના બનાવીને તેમાં પ્રાણ પૂરીને શત્રુઓની સામે વિજય મેળવ્યો હતો. આ વિજયના પ્રતીકરૂપે જ આ દિવસથી નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવુ પંચાંગ પણ શરૂ થાય છે. હિંદુ કાળગણના પ્રમાણે શાલિવાહન શકની શરૂઆત આ દિવસથી થાય છે. ગુડી પડવો એ વર્ષનાં સારા ત્રણ મુહૂર્ત પૈકી એક સારું મુહૂર્ત માનવામાં આવે છે. ગુડી પડવાના દિવસે સવારે આંગણામાં ઘરની સામે ગુડી ઊભી કરવામાં આવે છે. વાંસના ઉપરના ખૂણા તરફ સાડી અથવા ઝરીનું વસ્ત્ર, હારડો, ફૂલોની માળા અને લીમડાનાં પાન લગાવીને એની ઉપર તાંબાનો લોટો ઊંધો મૂકવામાં આવે છે. મહારાષ્ટ્રના ગામડાંઓમાં ઘરના આંગણામાં ગાયના છાણથી લીપણ કરીને તેના પર રંગોળી તૈયાર કરી પાંચ પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરાય છે. ગુડીની ષોડશોપચાર (સોળ ઉપચાર) પૂજા કરવામાં આવે છે. આ દિવસે લીમડાનાં કુમળાં પાન ખાવાની પ્રથા છે. તેમજ આ દિવસે લીમડો નાખીને તૈયાર કરવામાં આવેલ પ્રસાદ લેવા પાછળ પણ વિજ્ઞાન છે. લીમડાનાં પાન, ફૂલ, ચણાની પલાળેલી દાળ, જીરુ, હિંગ, આંબલી, ગોળ, મીઠું અને મધ નાખીને પ્રસાદ અને ચટણી તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે આ પ્રસાદ લેવાથી શરીરમાં શક્તિનું નિર્માણ થાય છે. ઊર્જા પ્રાપ્ત થાય છે અને આપણે આખું વર્ષ નિરોગી રહીએ છીએ. આ દિવસે વિવિધ જગ્યા પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. આ જ દિવસે મહારાષ્ટ્રના લોકો નવી વસ્તુઓની ખરીદી કરે છે. જેમકે, વાહન, કપડાં અને સોનું, તેમજ ગૃહપ્રવેશ અને નવો વ્યવસાય કે ઉપક્રમ પણ આરંભ કરવામાં આવે છે. ગુડી પડવો એ વિજય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

19th March

Read more
ગુડી પડવો
19th March
ચૈત્ર સુદ એકમ ભારતના ઘણા વિસ્તારોમાં નવા વર્ષના પ્રારંભનો દિવસ છે. આ દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાડી તરીકે ઊજવવામાં આવે છે. જ્યારે ગોવા અને કેરળમાં કોંકણી સમુદાયના લોકો તેને સંવત્સરી પડવાના નામથી પણ ઊજવે છે. આ દિવસે ઘરની બહાર ગુડી બાંધવાની પરંપરા છે. ગુડી અને પડવો શબ્દમાં ગુડીને પતાકા અથવા ધ્વજ કહેવામાં આવે છે. જ્યારે પડવો શબ્દ પ્રતિપદા (એકમ) તિથિ સાથે સંબંધિત છે. ગુડી પડવાના તહેવારની ઉજવણી પાછળ માત્ર નવા વર્ષની શરૂઆત જ નથી, પરંતુ તેની સાથે કેટલીક દતકથા જોડાયેલી છે. રામાયણની ધાર્મિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, આ દિવસે મર્યાદાપુરુષોત્તમ...
Read more
વિશ્વ જળ દિન
વિશ્વ જળ દિન

જળ એ કુદરત તરફથી મળેલ અણમોલ ભેટ છે. "જળ છે તો જીવન છે" એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પાણી જ આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવસૃષ્ટિ માટે જીવાદોરી છે. પાણી વગર કોઈ પણ સજીવનું જીવન સંભવ નથી. આપણે કદાચ ખોરાક વગર થોડાક દિવસ જીવી શકીએ પણ પાણી વગર નહીં. પૃથ્વી પર જીવ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જળની અનિવાર્યતા અનિયંત્રિતા અને તેનું મહત્વ સમજાવવા વિશ્વમાં 22 માર્ચ ના દિવસે વિશ્વ જળ દિન ઉજવવામાં આવે છે. વિશ્વ જળ દિન ઉજવવાનો મુખ્ય ઊદ્દેશ વિશ્વના લોકોને પાણીનું મહત્વ સમજાવવાનો તેમજ સમગ્ર પૃથ્વી ઉપર તોળાઈ રહેલા જળસંકટ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વર્ષ 1992 માં બ્રાઝિલના રિયો ડી જાનેરો માં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ યોજાઈ હતી, આ દિવસે વિશ્વ જળ દિનનો વિચાર આવ્યો હતો. 1993 ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ, 22 માર્ચ ના દિવસને વિશ્વ જળ દિન ઘોષિત કરેલો છે. 'વિશ્વ જળ દિવસ' (World Water Day) દર વર્ષે 1993 થી ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ પાણીના મૂલ્યને લોકો સમજે અને પાણીની બચત કરે તેવો છે. વરસાદ એ જળનો મુખ્ય સ્રોત છે. નદી, તળાવ, સરોવર, કૂવા, મહાસાગર વગેરે પણ અન્ય જળસ્રોતો છે. પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે, પણ પૃથ્વી પર રહેલા કુલ પાણીના જથ્થામાંથી આશરે 97% પાણી ખારું છે, પીવા યોગ્ય નથી. માત્ર 3% જેટલું પાણી જ પીવા યોગ્ય છે, જેમાંથી આશરે 2% પાણી તો જમીન અને વાતાવરણમાં રહેલા ભેજ સ્વરૂપે તથા બરફ સ્વરૂપે રહેલું છે એટલે ખરેખર જોઈએ તો આશરે 1% પાણી જ ઉપયોગમાં આવે એવું છે. આથી દરેક વ્યક્તિએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને પાણીનો બચાવ કરવો જોઈએ. એક સમય હતો જ્યારે જગ્યાએ  જગ્યાએ નદી, તળાવ, નહેર, કૂવા દેખાતા હતા, પરંતુ ઉદ્યોગીકરણની રાહ પર ચાલી રહેલી દુનિયાએ આ દ્રશ્યને ઘણા અંશે બદલી દીધું છે. તળાવ, કૂવા, નહેર વગેરે સુકાતાં જાય છે. નદીનું પાણી પ્રદૂષિત થવાની સાથે સાથે ઓછું થઈ રહ્યું છે, જળસંકટ વધતું જાય છે. ધરતી પરના જળનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. પૃથ્વી પર ભૂગર્ભ જળનું સ્તર પણ સતત ઘટી રહ્યું છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તેને કારણે જળની અછત સર્જાતી જાય છે. તે બાબતને ધ્યાને રાખીને જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબજ જરૂરી છે. જળ એ મર્યાદિત સંસાધન છે. તેના સ્થાને કોઈપણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. પર્યાવરણ જીવંત છે તો તે જળસંસાધનને કારણે જ, તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે. દુનિયામાં જે જળસંસાધનો ઉપલબ્ધ છે એની જાળવણી કરવા સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશો પોતપોતાને ત્યાં નક્કર પગલાં લે અને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની ભલામણોનો અમલ કરીને વિશ્વ જળ દિન માટે સમર્પિત બને તેવો હેતુ છે. કહેવાય છે કે, ‘ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે' આ ઉક્તિ આમ સાચી પણ લાગે છે. જે રીતે સમગ્ર પૃથ્વી પર પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુદ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ વગેરે જેવા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે. સાંપ્રત સમયમાં પીવાલાયક પાણીની યોગ્ય માવજત, તેનો બચાવ, તેને પ્રદૂષણમુક્ત રાખવું અને જમીનમાં ઘટતા જતા જળસ્તરને બચાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. વરસાદના વહી જતા પાણીને આપણા દરેકના ઘરની જગ્યાએ ઉપલબ્ધ જમીન મુજબ જરૂરી ભૂગર્ભ ટાંકાઓ બનાવવાં, વનવિભાગ તરફથી વિનામૂલ્યે અપાતા વૃક્ષોના રોપાનું વાવેતર કરવું, વૃક્ષોનું  બિનજરૂરી નિકંદન ન કરતાં તેને નિભાવવા વગેરે બાબતો પ્રત્યે લોકો જાગૃત બને તેવા પ્રયત્નો કરવા જોઈએ.

22nd March

Read more
વિશ્વ જળ દિન
22nd March

જળ એ કુદરત તરફથી મળેલ અણમોલ ભેટ છે. "જળ છે તો જીવન છે" એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પાણી જ આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવસૃષ્ટિ માટે જીવાદોરી છે. પાણી વગર કોઈ પણ સજીવનું જીવન સંભવ નથી. આપણે કદાચ ખોરાક વગર થોડાક દિવસ જીવી શકીએ પણ પાણી વગર નહીં. પૃથ્વી પર જીવ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જળની અનિવાર્યતા અનિયંત્રિતા અને તેનું મહત્વ સમજાવવા વિશ્વમાં 22 માર્ચ ના દિવસે વિશ્વ જળ દિન ઉજવવામાં આવે છે. વિશ્વ જળ દિન ઉજવવાનો મુખ્ય ઊદ્દેશ વિશ્વના લોકોને પાણીનું મહત્વ સમજાવવાનો તેમજ સમગ્ર પૃથ્વી ઉપર તોળાઈ રહેલા...

Read more
શહીદ દિન
શહીદ દિન

"शहीदों की चिताओं पर जुड़ेंगे हर बरस मेले,वतन पर मरनेवालों का यही बाक़ी निशाँ होगा। " 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ના બલિદાનની સ્મૃતિમાં ‘શહીદ દિન' ઉજવી તેઓને અંજલિ આપવામાં આવે છે. 23 માર્ચ, 1931 ના રોજ તેઓને અંગ્રેજોએ ફાંસી આપી હતી. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો. તેમનો આશય કોઈની હત્યા કરવાનો નહીં, પરંતુ અંગ્રેજોના બહેરા કાનને ખોલવાનો હતો. આ ઘટના બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા થઈ. આ ત્રણેય ક્રાંતિવીરોએ ભારતને આઝાદી અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની દેશભક્તિની ભાવનાને કારણે તેઓને આજે પણ ભારતનાં યુવાનો માટે પ્રેરણાસ્રોત માનવામાં આવે છે. ખૂબજ નાની ઉંમરે તેમણે હિંમતભેર દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. શહીદ દિન આ ત્રણ ક્રાંતિવીરોના બલિદાનને યાદ કરવા માટે તો છે જ, સાથે સાથે અંગ્રેજોના દમનકારી શાસન સામે માતૃભૂમિનો અવાજ બનેલા અનેક રાષ્ટ્રભક્તો અને તેમના બલિદાનને પણ યાદ કરવાનો છે. આજે આપણે સ્વતંત્રતાનાં મીઠાં ફળ પામ્યા છીએ તે આવા અનેક લોકોના ત્યાગ અને બલિદાનના કારણે છે. રાષ્ટ્રના સપૂતોને વંદન કરીએ અને તેઓએ અપાવેલી આઝાદીનું જતન કરવા સંકલ્પ લઈએ.

23rd March

Read more
શહીદ દિન
23rd March

"शहीदों की चिताओं पर जुड़ेंगे हर बरस मेले,
वतन पर मरनेवालों का यही बाक़ी निशाँ होगा। "

23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ના બલિદાનની સ્મૃતિમાં ‘શહીદ દિન' ઉજવી તેઓને અંજલિ આપવામાં આવે છે. 23 માર્ચ, 1931 ના રોજ તેઓને અંગ્રેજોએ ફાંસી આપી હતી.

ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો. તેમનો આશય કોઈની હત્યા કરવાનો નહીં, પરંતુ અંગ્રેજોના બહેરા કાનને ખોલવાનો હતો. આ ઘટના બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો ભગતસિંહ, રાજગુરુ...

Read more
વિશ્વ હવામાન દિન
વિશ્વ હવામાન દિન

વિશ્વભરમાં દર વર્ષે 23 માર્ચે ‘વિશ્વ હવામાન દિન' અથવા વિશ્વ હવામાનશાસ્ત્ર દિન (World MeteorologicalDay) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને હવામાન વિજ્ઞાનની સાથે તેમાં થઈ રહેલા પરિવર્તન વિશે જાણકારી આપીને જાગૃતિ ફેલાવવાનો, ધરતી પરના વાતાવરણમાં થતા બદલાવને કારણે હવામાનમાં થતા ફેરફારો પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો, લોકોને દૂષિત હવામાનથી વાકેફ કરી તેનાથી થતા નુકસાનથી બચવાનો છે. વિશ્વ હવામાન દિન સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્ત્વનો છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવામાનમાં થતા ફેરફારો માટે હવાનું તાપમાન, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળોનું પ્રમાણ, વરસાદ, ભેજ વગેરે જવાબદાર હોય છે. વાતાવરણનો તાગ મેળવી અને તેની હકારાત્મક અને નકારાત્મક અસરને જાણવાના હેતુથી 1950 ની સાલમાં વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થા (World meteorological organization)ની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્યમથક જિનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. દુનિયાભરમાં લગભગ 191 દેશો વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થાના સભ્ય છે. આ સંસ્થા પૂર અને દુષ્કાળ જેવી પ્રાકૃતિક આફતો વિશે આગાહી કરે છે, જેથી તેનાથી ભવિષ્યમાં થનારા નુકસાનથી બચી શકાય. વિશ્વ હવામાન દિન વિશ્વ હવામાન સંસ્થાની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે ઉજવવામાં આવે છે. પ્રથમ 'વિશ્વ હવામાન દિન' 23 માર્ચ, 1961 ના રોજ યોજાયો હતો. ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર ટેલિવિઝન, રેડિયો, અખબારો અને  વૅબસાઇટ દ્વારા બહાર પાડે છે. તેની સ્થાપના 1875 માં કોલકાતામાં કરવામાં આવી હતી. તેની મુખ્ય કચેરી 1905 માં પૂણેમાં સ્થાપવામાં આવી હતી જે હવે દિલ્લી ખાતે ખસેડવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની કચેરી દરેક રાજ્યના પાટનગરમાં પણ આવેલી હોય છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યાં છે જેના આધારે હવામાનની આગાહી થાય છે. આ દિવસે દુનિયાભરમાં હવામાન દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને લોકોને હવામાનની બાબતો પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત ભારતનું પ્રથમ એવું રાજ્ય છે, જેણે હવામાન અંગેની જાગૃતિ લાવવા ‘ક્લાઇમેટ ચેન્જ' નામનો ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો છે.

23rd March

Read more
વિશ્વ હવામાન દિન
23rd March

વિશ્વભરમાં દર વર્ષે 23 માર્ચે ‘વિશ્વ હવામાન દિન' અથવા વિશ્વ હવામાનશાસ્ત્ર દિન (World MeteorologicalDay) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને હવામાન વિજ્ઞાનની સાથે તેમાં થઈ રહેલા પરિવર્તન વિશે જાણકારી આપીને જાગૃતિ ફેલાવવાનો, ધરતી પરના વાતાવરણમાં થતા બદલાવને કારણે હવામાનમાં થતા ફેરફારો પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો, લોકોને દૂષિત હવામાનથી વાકેફ કરી તેનાથી થતા નુકસાનથી બચવાનો છે. વિશ્વ હવામાન દિન સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્ત્વનો છે.

હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવામાનમાં થતા ફેરફારો માટે હવાનું તાપમાન, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળોનું પ્રમાણ, વરસાદ, ભેજ વગેરે...

Read more
ચેટીચાંદ
ચેટીચાંદ

'ચેટી' એટલે ચૈત્ર અને 'ચંદ' એટલે ચંદ્ર, ચેટીચંદ (ચેટીચાંદ) એટલે ચૈત્ર માસની પ્રથમ ચંદ્ર તિથિ અને સિંધીઓનું નૂતન વર્ષ ચેટીચંદ એ વિશ્વભરમાં સિંધી લોકોનો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક તહેવાર છે. સિંધી એટલે હાલ પાકિસ્તાન (પૂર્વ અખંડ ભારતમાં) સ્થિત સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે. તેમના ઈષ્ટદેવ ઝુલેલાલ છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે. સંવત 1007માં આજના દિવસે અવતારી પુરુષ ઉદયચંદનો જન્મ થયો હતો. જેઓ ભગવાન ઝુલેલાલ તરીકે પણ ઓળખાય છે. તેથી આ મહાન પુરુષની જયંતી તરીકે પણ 'ચેટીચંદ' ઉજવવામાં આવે છે. સિંધી સાહિત્યકારો અને વિદ્વાનોએ ચેટીચંદના તહેવારને સિંધી દિવસ' તરીકે ઊજવવાની સલાહ આપી. તેથી ચેટીચંદના તહેવારને સિંધી દિવસ તેમજ 'દરિયાલાલ જયંતી' પણ કહેવામાં આવે છે. સિંધી સંસ્કૃતિનું અમર પર્વ દર વર્ષે દેશ વિદેશમાં ઉત્સાહ અને ઊમંગથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઝુલેલાલના મંદિર ખાતે ઝુલેલાલ ભગવાનની પૂજા, શ્રી ભેરાણાસાહેબની પૂજા અને મહાપ્રસાદી (ભંડારો) થાય છે. ચેટીચંદના તહેવાર પાછળ વરુણ દેવતા અને ઝુલેલાલની પ્રાગટ્યકથા પણ જોડાયેલી છે. ચેટીચંદના દિવસે સિંધીઓ ભૂતકાળના વિખવાદ ભૂલીને એકબીજાને ખૂબ પ્રેમથી ભેટે છે આ દિવસે તેઓ ઝુલેલાલને ઉડેરોલાલ, દરિયાશાહ, લાલસાઈ, જ્યોતિનવારો, જિંદપીર જેવાં નામોથી પોકારે છે. તેમનો પ્રાગટયદિન યા જન્મદિન હોવાથી સિંધીઓ આ દેવતાની મૂર્તિને શણગારી તેમની જ્યોતિ પ્રગટાવી શહેરના γει વિસ્તારોમાં શોભાયાત્રા કાઢે છે. નાના-મોટા અને ગરીબ- તવંગરના ભેદભાવ ભૂલી જઈને ઝુલેલાલની જય પોકારતા શહેરમાં ફરીને નદી, સાગર કે જળાશયમાં ઝુલેલાલની જ્યોતનું વિસર્જન કરે છે. નૂતન વર્ષના અભિનંદન પાઠવવા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે જેમાં 'બહેરાના' (જ્યોત)ની શોભાયાત્રામાં સિંધી લોકનૃત્ય કે 'છેજ તેમજ 'ઝુમિર'નું આકર્ષણ અનેરું હોય છે. ઝુલેલાલનાં સ્તુતિ ગીતો ‘પંજડો' ગાતા અને દાંડિયારાસ રમતાં 'આયોલાલ ઝૂલેલાલ'ના ગગનભેદી નારા લગાવે છે. સિંધીઓ શોભાયાત્રામાં 'તાહીરી' (મીઠો ભાત)નો પ્રસાદ વહેંચે છે તેમજ કાબુલીચણાના વિતરણ સાથે દૂધનું શરબત પણ પીવડાવવામાં આવે છે. આ દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહભોજનનું આયોજન કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે અગત્યના શુભપ્રસંગો જેવા કે જનોઈ, ગૃહપ્રવેશ વગેરે યોજવામાં આવે છે. આ દિવસ પૂજા આરાધના કરવાનું પર્વ θ.

26th March

Read more
ચેટીચાંદ
26th March
'ચેટી' એટલે ચૈત્ર અને 'ચંદ' એટલે ચંદ્ર, ચેટીચંદ (ચેટીચાંદ) એટલે ચૈત્ર માસની પ્રથમ ચંદ્ર તિથિ અને સિંધીઓનું નૂતન વર્ષ ચેટીચંદ એ વિશ્વભરમાં સિંધી લોકોનો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક તહેવાર છે. સિંધી એટલે હાલ પાકિસ્તાન (પૂર્વ અખંડ ભારતમાં) સ્થિત સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે. તેમના ઈષ્ટદેવ ઝુલેલાલ છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે. સંવત 1007માં આજના દિવસે અવતારી પુરુષ ઉદયચંદનો જન્મ થયો હતો. જેઓ ભગવાન ઝુલેલાલ તરીકે પણ ઓળખાય છે. તેથી આ મહાન પુરુષની જયંતી તરીકે પણ 'ચેટીચંદ' ઉજવવામાં આવે છે. સિંધી સાહિત્યકારો અને વિદ્વાનોએ ચેટીચંદના તહેવારને સિંધી દિવસ' તરીકે ઊજવવાની સલાહ આપી....
Read more
રામનવમી
રામનવમી

ભારતીય પરંપરામાં શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમી મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે. ચૈત્ર માસની શુક્લપક્ષની નોમના દિવસે આ તહેવારની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક થાય છે. રામાયણ જેવા આર્ષગ્રંથ અનુસાર શ્રીરામનો જન્મ અયોધ્યામાં રઘુકુળના યશસ્વી રાજવી દશરથનાં રાણી કૌશલ્યાના રૂખે થયો હતો. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મુજબ શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા. શ્રીરામનું જીવન ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. વિશ્વના સાહિત્ય ઉપર પણ તેની ઊંડી અસર જોઈ શકાય છે. નાની વયમાં જ વિશ્વામિત્ર જેવા ઋષિઓ દ્વારા લોકકલ્યાણના હેતુથી થતા યજ્ઞોનું રક્ષણ કરી પોતાના અવતારકાર્યનો પ્રારંભ કર્યો. જનક રાજાએ યોજેલ સીતાસ્વયંવરમાં શ્રીરામે ધનુષ્યભંગ કર્યો. રાજગાદી ઉપર બેસવાના દિવસે જ કૈકેયીએ 'ભરતને રાજગાદી અને રામને વનવાસ' એવું રાજા દશરથ પાસે વરદાન માગતાં વયન પાલનના હેતુથી રામે વનવાસ સ્વીકાર્યો. સીતામાતાનું હરણ થતા રાવણ ઉપર વિજય મેળવી, તેના અત્યાચારી શાસનનો અંત આણ્યો. આ દરેક કથા ભારતીય સમાજમાં ખૂબ જ જાણીતી છે. શ્રીરામનું જીવન આજે પણ આદર્શ માનવામાં આવે છે. તેમણે પુત્ર તરીકેની હોય કે પિતા તરીકેની દરેક ભૂમિકા આદર્શ રીતે ભજવી હતી. આજે પણ આદર્શ રાજ્યની કલ્પના કરવા 'રામરાજ્ય' શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વનવાસ દરમિયાન કેવટ સાથે મૈત્રીની ઘટના અને શબરીનાં એઠાં બોર ખાવાની ઘટનામાં તેમની સરળતા અને સહજતા જોવા મળે છે. રાવણના અતિશક્તિશાળી ગણાતા સૈન્ય સામે વાનરસેનાને સાથે લઈ યુદ્ધ કરવાનું મહાન કાર્ય તેમણે અદભુત રીતે કરી બતાવ્યું હતું. તેમના આ કાર્યનો જોટો જડવો મુશ્કેલ છે. રાજા તરીકે પોતાનું જીવન તમામ અપવાદોથી મુક્ત હોવું જોઈએ. આ આદર્શની સ્થાપના માટે પોતે દુ:ખ સહન કરીને સીતાનો ત્યાગ કર્યો. તે પછી તેમણે હૃદયમાં કરુણરસ ભરીને લોક આરાધનાનું કાર્ય કર્યું. તેમના આદર્શ 디어에 કારણે આજે पा લોકમાનસમાં નામ તેમનું મર્યાદાપુરુષોત્તમ તરીકે અંકિત થયેલું છે. ભગવાન શ્રીરામના પાવન ચરિત્રનું સ્મરણ કરવા ભારતનાં तमाम રાજ્યોમાં આ ઉત્સવ ભિન્નભિન્ન રીતે ઊજવવામાં આવે છે. ક્યાંક શોભાયાત્રા હોય. ક્યાંક સમલીલા ભજવાય. મંદિરોમાં મહાપૂજા થાય, રામચરિત માનસનું ગાન થતું હોય, દાન, ઉપવાસ, યજ્ઞ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં છે. રામાયણની મુખ્ય મુખ્ય ઘટનાઓને એક શ્લોકમાં સમાવવામાં આવી છે. જેને એક શ્લોકી રામાયણ તરીકે પણ ઓળખવામાં છે. आदी राम तपोवनादि गमनं, हत्वा मूग कांचनं । वैदेहिहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणं ॥ वालि निर्दलनं समुद्रतरण लंकापुरीदाहनम् । पश्चाद रावण कुम्भकर्ण हननं एतद्वि रामायणम्॥ તાજેતરમાં જ રામચંદ્રજીની જન્મભૂમિ અયોધ્યા (ઉત્તરપ્રદેશ)માં 22 જાન્યુઆરી, 2024ના દિવસે શ્રી રામચંદ્રજીની બાળસ્વરૂપની મૂર્તિની સ્થાપના કરવામાં આવી.

26th March

Read more
રામનવમી
26th March
ભારતીય પરંપરામાં શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમી મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે. ચૈત્ર માસની શુક્લપક્ષની નોમના દિવસે આ તહેવારની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક થાય છે. રામાયણ જેવા આર્ષગ્રંથ અનુસાર શ્રીરામનો જન્મ અયોધ્યામાં રઘુકુળના યશસ્વી રાજવી દશરથનાં રાણી કૌશલ્યાના રૂખે થયો હતો. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મુજબ શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા. શ્રીરામનું જીવન ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. વિશ્વના સાહિત્ય ઉપર પણ તેની ઊંડી અસર જોઈ શકાય છે. નાની વયમાં જ વિશ્વામિત્ર જેવા ઋષિઓ દ્વારા લોકકલ્યાણના હેતુથી થતા યજ્ઞોનું રક્ષણ કરી પોતાના અવતારકાર્યનો પ્રારંભ કર્યો. જનક રાજાએ યોજેલ સીતાસ્વયંવરમાં શ્રીરામે ધનુષ્યભંગ કર્યો. રાજગાદી ઉપર બેસવાના દિવસે જ કૈકેયીએ 'ભરતને રાજગાદી...
Read more
વિશ્વ રંગમંચ દિન
વિશ્વ રંગમંચ દિન

દર વર્ષે 27મી માર્ચ ના રોજ ‘વિશ્વ રંગમંચ દિન'ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં રંગમંચને પોતાની અલગ ઓળખ અપાવવા માટે આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય જૂન, 1961 માં યોજાયેલી રંગભૂમિની આંતરરાષ્ટ્રીય પરિષદમાં લેવામાં આવ્યો હતો. રંગમંચ એટલે જ્યાં કલાની પ્રસ્તુતિ કરવામાં આવે તે મંચ (ભૂમિ). તે સમગ્ર વિશ્વમાં કલા, સંસ્કૃતિ અને પરંપરાને પ્રદર્શિત કરવાની અગ્રણી રીતો પૈકીની એક છે. રંગમંચ દ્વારા જ એક નાનો કલાકાર વિશ્વસ્તર પર અભિનય આપતો બને છે. પ્રત્યેક કલાકારના ઘડતરમાં રંગમંચનો ખૂબ મહત્વનો અને પાયાનો ભાગ હોય છે. રંગમંચ એ માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ એથી પણ વિશેષ તે સમાજશિક્ષણ એટલે કે લોકશિક્ષણનું કાર્ય કરી સંસ્કાર ઘડતરનું કાર્ય પણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો રંગમંચ એ પ્રજાના સંસ્કાર ઘડનારી યુનિવર્સિટી છે. રંગમંચ એ એવું સફળ અને મજબૂત માધ્યમ છે કે તે સીધું લોકોના માનસપટ પર અસરકારક રીતે કોઈ પણ સંદેશાને પહોંચાડતું હોય છે. સમાજ સુધારાની સાથે સામાજિક ચળવળો માટે પણ રંગમંચ ખૂબજ મહત્વનું પ્લેટફોર્મ બની રહ્યું છે. રંગલો અને રંગલી જેવાં યાદગાર પાત્રો પણ આપણી વચ્ચે રંગમંચના માધ્યમ દ્વારા જ પહોંચ્યાં છે. કલાના શાશ્વત સ્વરૂપ તરીકે રંગમંચ માનવજીવનના પ્રસંગોને નિરૂપે છે. રંગમંચ નાટકથી લઈને આધુનિક વાર્તા કહેવા સુધી, સ્વાગતથી લઈને સંગીત સુધી, ખુલ્લાં મેદાનોમાં થતા પ્રદર્શનથી લઈ બંધ ઑડિટોરિયમ સુધીની સફર દરમિયાન વિકસિત થયું છે. રંગમંચ માટે કહેવાય છે કે ‘જાણ્યું એટલું ઝાઝું અને માણી એટલી મોજ.' આથી રંગભૂમિ સાથે સંકળાયેલા કલાકારો-નાટ્યકર્મીઓને પ્રોત્સાહિત અને પ્રેરિત કરવા અને નાટ્ય પરંપરાને જાળવી રાખવા માટે આ દિવસ  ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વના સમાજ અને લોકોને રંગભૂમિની સંસ્કૃતિ વિશે માહિતી આપવી નાટ્ય સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં રસ પેદા કરવો અને તેની સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવું વિશ્વભરમાં રંગમંચનો પ્રચાર કરવો, લોકોને રંગમંચની જરૂરિયાતો અને મહત્વ વિશે વાકેફ કરવા, રંગભૂમિનો આનંદ માણવો અને અન્ય લોકો સાથે આ આનંદ વહેંચવો વગેરે જેવા ઉદ્દેશો સાથે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર રંગમંચ સાથે જોડાયેલા કલાકારો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. ભારત સહિત દુનિયાભરમાં ઘણાં સ્થળોએ પ્રખ્યાત કલાકારો દ્વારા લોકપ્રિય નાટકો પ્રસ્તુત કરવામાં આવે છે. આ દિવસે વિશ્વને આંતરરાષ્ટ્રીય રંગમંચ સંદેશ આપવાની પણ પરંપરા છે, જેને માટે દર વર્ષે રંગભૂમિના પ્રખ્યાત કલાકારોમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે છે. વિશ્વ રંગમંચ દિવસનો પ્રથમ સંદેશ 1962 માં જીન કોક્યુટ દ્વારા આપવામાં આવ્યો હતો. આ દિવસ દર વર્ષે એકજ થીમ ‘થિયેટર એન્ડ અ કલ્ચર ઓફ પીસ' પર ઉજવવામાં આવે છે.

27th March

Read more
વિશ્વ રંગમંચ દિન
27th March

દર વર્ષે 27મી માર્ચ ના રોજ ‘વિશ્વ રંગમંચ દિન'ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં રંગમંચને પોતાની અલગ ઓળખ અપાવવા માટે આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય જૂન, 1961 માં યોજાયેલી રંગભૂમિની આંતરરાષ્ટ્રીય પરિષદમાં લેવામાં આવ્યો હતો.

રંગમંચ એટલે જ્યાં કલાની પ્રસ્તુતિ કરવામાં આવે તે મંચ (ભૂમિ). તે સમગ્ર વિશ્વમાં કલા, સંસ્કૃતિ અને પરંપરાને પ્રદર્શિત કરવાની અગ્રણી રીતો પૈકીની એક છે. રંગમંચ દ્વારા જ એક નાનો કલાકાર વિશ્વસ્તર પર અભિનય આપતો બને છે. પ્રત્યેક કલાકારના ઘડતરમાં રંગમંચનો ખૂબ...

Read more
મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક)
મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક)

અહિંસા, દયા, ક્ષમા. શાંતિ, મિત્રતાનું શિક્ષણ આપનાર તેમજ શાંતિથી ક્રોધ પર વિજય મેળવો, દયાથી દૃષ્ટો પર વિજય મેળવો અને અસત્ય પર સત્યનો વિજય થવા દો જેવાં ઉપદેશ આપનાર મહાવીર સ્વામી જૈન સંપ્રદાયના 24માં તીર્થંકર હતા. મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. મહાવીર સ્વામીનો જન્મ વજિજ સંઘના ગણરાજ્ય કુંડગ્રામના ક્ષત્રિય વંશમાં ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. આ દિવસને 'વીરતેરસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેઓ વીર, અતિવીર, સંમતિ, મહાવીર તથા વર્ધમાન તરીકે પણ ઓળખાય છે. તેમના જન્મ પહેલાં ઘણી સારી ઘટનાઓ ઘટી હતી. જેમકે વૃક્ષો પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું અને રાણી ત્રિશલાને સોળ શુભ સ્વપ્નો આવવાં. જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિહ્ન મનાય છે. જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇંદ્ર તીર્થંકરને મેરુપર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઊજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. તેમનો જન્મદિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઊજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્ત્વપૂર્ણ તહેવાર હોય છે. ત્રીસ વર્ષની વયે મહાવીર સ્વામીએ સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ 'જિન' કહેવાયા અને વર્ધમાન મહાવીર' તરીકે જાણીતા થયા. મહાવીર સ્વામીએ ભારતના લોકોને આત્માની મુક્તિનો માર્ગ બતાવ્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર વિહાર કરતા. મહાવીર સ્વામી સંસારને ભય અને દુઃખોથી ભરેલો માનતા તેમના ઉપદેશને 'ત્રિરત્ન સિદ્ધાંત' તરીકે ઓળખવામાં આવે છે. જે અનુક્રમે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચરિત્ર છે. મહાવીર સ્વામીએ પાંચ અમૂલ્ય મહાવતો આપ્યા છે. અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય. કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. 72 વર્ષ અને સાડા ચાર માસની ઉંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં દિવાળીના દિવસે (જૈન વર્ષનો અંતિમ દિવસ) નિર્વાણ પામ્યા. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈન સમુદાય ઉત્સવ મનાવે છે. મહાવીર જયંતીના દિવસે જૈન દેરાસરોમાં ભવ્ય આંગી થાય છે. ભગવાનનો અભિષેક, પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યાર બાદ જૈનબંધુઓ શોભાયાત્રામાં જોડાય છે. જૈન સાધુસાધ્વીનાં પ્રવચનોનું આયોજન થાય છે. જૈનમંદિરમાં મહાવીર સ્વામીના જીવન અને કવન પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે. જૈનબંધુઓ ધર્મકાર્યમાં જોડાઈ મહાવીર જયંતીની ઉજવણી કરે છે.

31st March

Read more
મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક)
31st March
અહિંસા, દયા, ક્ષમા. શાંતિ, મિત્રતાનું શિક્ષણ આપનાર તેમજ શાંતિથી ક્રોધ પર વિજય મેળવો, દયાથી દૃષ્ટો પર વિજય મેળવો અને અસત્ય પર સત્યનો વિજય થવા દો જેવાં ઉપદેશ આપનાર મહાવીર સ્વામી જૈન સંપ્રદાયના 24માં તીર્થંકર હતા. મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. મહાવીર સ્વામીનો જન્મ વજિજ સંઘના ગણરાજ્ય કુંડગ્રામના ક્ષત્રિય વંશમાં ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. આ દિવસને 'વીરતેરસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેઓ વીર, અતિવીર, સંમતિ, મહાવીર તથા વર્ધમાન તરીકે પણ ઓળખાય છે. તેમના જન્મ પહેલાં...
Read more