ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે...