જૂનાગઢ: ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભીડ, ભોળાનાથનો રુદ્રાભિષેક અને મંદિરના ઇતિહાસની માહિતી.
જૂનાગઢ: ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભીડ, ભોળાનાથનો રુદ્રાભિષેક અને મંદિરના ઇતિહાસની માહિતી.
Published on: 04th August, 2025

શ્રાવણના બીજા સોમવારે JUNAGADH ના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી. ભક્તોએ ભજન, શરણાઈ અને ઢોલના તાલે ભગવાન શંકરની આરાધના કરી. મંદિરમાં રૂદ્રાભિષેક, મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ કરવામાં આવી. ઇન્દ્રદેવે અહીં 10 હજાર વર્ષ સુધી તપસ્યા કરી હતી, જેથી મહાદેવ પ્રસન્ન થયા. નરસિંહ મહેતાને પણ અહીં મહાદેવે દર્શન આપ્યા હતા. આ મંદિર ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે.