જામનગરમાં 45મી રામ સવારીનું આયોજન.
જામનગરમાં 45મી રામ સવારીનું આયોજન.
Published on: 27th March, 2026

જામનગરમાં રામનવમી નિમિત્તે 45મી રામ સવારી યોજાઈ. હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય શોભાયાત્રામાં ઐતિહાસિક જનમેદની ઉમટી. આ રામ સવારી બાલા હનુમાનજીના મંદિરેથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જેમાં હજારો રામભક્તો જોડાયા. રામભક્તોએ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો રજૂ કર્યા, અને રામધૂનના નારા લગાવ્યા. અનેક મહાનુભાવોએ રામ સવારીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં BJP, Congress ના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.