સાળંગપુર દાદાને હજારીગલ ફૂલોનો શણગાર અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો.
સાળંગપુર દાદાને હજારીગલ ફૂલોનો શણગાર અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો.
Published on: 27th March, 2026

સ્વામિનારાયણ મંદિર સંચાલિત સાળંગપુરધામમાં રામનવમી અને ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી થઈ. કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલના ફૂલોનો શણગાર કરાયો. કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરાઈ અને ડ્રાયફ્રૂટ્સનો અન્નકૂટ ધરાવાયો. મારુતિ યજ્ઞનું આયોજન થયું અને રામ જન્મોત્સવની ભવ્ય આરતી થઈ, જેમાં હજારો ભક્તો જોડાયા. રાત્રે ઘનશ્યામ જન્મોત્સવની આરતી થશે, અને ભક્તો રાસ-ગરબા કરશે.