દસાડા: મુક્તિધામનો રસ્તો વરસાદી પાણીથી ભરાયેલો હોવાથી ખેતરના માર્ગે લઈ જવાઈ અંતિમયાત્રા.
દસાડા: મુક્તિધામનો રસ્તો વરસાદી પાણીથી ભરાયેલો હોવાથી ખેતરના માર્ગે લઈ જવાઈ અંતિમયાત્રા.
Published on: 12th August, 2025

સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના મોટા ઉભડા ગામમાં, મુક્તિધામના રસ્તા પર પાણી ભરાતા અંતિમયાત્રા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો. 50 વર્ષીય દેવશીભાઈ ચૌહાણના અવસાન બાદ, રસ્તો બંધ હોવાથી ખેતરના માર્ગે મૃતદેહને લઈ જવાની ફરજ પડી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા રહે છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના લીધે લોકોમાં રોષ જોવા મળ્યો.