ગોધરા: શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ વિતરણ, પંચમહાલની માધ્યમિક શાળાઓના 242 શિક્ષકોને નિયુક્તિ પત્ર અપાયા.
ગોધરા: શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ વિતરણ, પંચમહાલની માધ્યમિક શાળાઓના 242 શિક્ષકોને નિયુક્તિ પત્ર અપાયા.
Published on: 28th July, 2025

પંચમહાલના ગોધરામાં શિક્ષણ સહાયકોના નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાની અનુદાનિત શાળાઓના માધ્યમિક વિભાગમાં 242 શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ અપાયા. આ કાર્યક્રમ ગાંધીનગર કમિશનર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની ભરતી થતાં આચાર્યો અને સંચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો, અને અરજદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. હાલમાં 201 બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ કાર્યરત છે.