અમદાવાદમાં બેફામ વાહનોથી 4 લોકોના મોત: જુદી જુદી ઘટનાઓએ સર્જ્યો અરેરાટીભર્યો માહોલ.
અમદાવાદમાં બેફામ વાહનોથી 4 લોકોના મોત: જુદી જુદી ઘટનાઓએ સર્જ્યો અરેરાટીભર્યો માહોલ.
Published on: 28th July, 2025

અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધી, જેમાં બે વૃદ્ધ સહિત ચાર લોકો ભોગ બન્યા. હાંસોલમાં ભજનથી ઘરે જતા વૃદ્ધ, નાગરવેલ હનુમાન મંદિર પાસે બાઇકથી સિક્યુરિટી ગાર્ડનું, અને ચાંદખેડામાં રિક્ષા નીચે કચડાવાથી યુવકનું મોત થયું. હાંસોલમાં કારની ટક્કરે યુવકનું મોત અને મિત્ર ઘાયલ થયો. પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ હાથ ધરી.