માધવપુર ઘેડનો મેળો: કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ સાક્ષી!
માધવપુર ઘેડનો મેળો: કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ સાક્ષી!
Published on: 27th March, 2026

માધવપુર ઘેડનું ૧૩મી સદીનું આ પ્રાચીન વિષ્ણુ મંદિર સ્થાપત્યકલાનો અદભૂત નમૂનો છે, જ્યાં અગાઉ માધવરાયજી અને ત્રીકમરાયજી બિરાજમાન હતા. મૂળુ અને જોધા માણેકના સાહસો સાથે જોડાયેલા આ ઐતિહાસિક મંદિરની ભવ્ય ગૌરવગાથાને જીવંત રાખવા માટે હાલ રાજ્ય સરકાર દ્વારા તેના રિ-સ્ટોરેશન (પુનઃસ્થાપન) ની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી આગામી પેઢી આ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રીતે નિહાળી શકે.