હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પૂર્વે રામજી મંદિર શણગારાયું.
હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પૂર્વે રામજી મંદિર શણગારાયું.
Published on: 26th March, 2026

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રામનવમીની શોભાયાત્રા હિંમતનગર, ઈડર, પ્રાંતિજ સહિતના સ્થળોએ યોજાશે, જેમાં 2200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે. હિંમતનગરમાં શોભાયાત્રા છાપરીયા રામજી મંદિરથી મહેતાપુરા રામજી મંદિર સુધી જશે. VHP, બજરંગદળ સહિતના સંગઠનો દ્વારા આયોજન કરાયું છે, અને દરેક જગ્યાએ શોભાયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.