ચૈત્રી નવરાત્રિ સમાપ્ત થતા આજે રામ જન્મોત્સવના વધામણાં: રામજી મંદિરો રોશનીથી ઝળહળશે.
ચૈત્રી નવરાત્રિ સમાપ્ત થતા આજે રામ જન્મોત્સવના વધામણાં: રામજી મંદિરો રોશનીથી ઝળહળશે.
Published on: 26th March, 2026

ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે ગોહિલવાડમાં ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી થશે. રામજી મંદિરોમાં જન્મોત્સવના વધામણાં થશે અને ભાવનગર શહેરમાં શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રાના માર્ગો પર આકર્ષક શણગાર કરાયા છે અને રામલલ્લાની રંગદર્શી શોભાયાત્રા નિકળશે.