જન્માષ્ટમી: ઘરને ‘ગોકુલધામ’ બનાવો - ડેકોરેશન આઈડિયાઝ.
જન્માષ્ટમી: ઘરને ‘ગોકુલધામ’ બનાવો - ડેકોરેશન આઈડિયાઝ.
Published on: 12th August, 2025

જન્માષ્ટમી પર ઘરને પ્રેમ અને કલ્પનાથી શણગારી નંદ ઘેર જેવું બનાવો. આ તહેવાર કૃષ્ણપ્રેમ અને ભક્તિથી ઘરને જીવંત કરવાનો અવસર છે. પ્રવેશદ્વારને તુલસી, ફૂલો, 'શુભ લાભ', 'જય શ્રીકૃષ્ણ' અને કૃષ્ણના પગલાંથી સજાવો. મંદિરને ઝરી, રેશમી કપડાં, મોરપંખ, LED લાઇટ અને ફૂલોથી શણગારો. ફેરી લાઈટ્સ અને પોસ્ટર લગાવો. માટીની કુલડીમાં માખણ-મિસરી મૂકો. બાળકોની મદદથી ગોકુળનું દૃશ્ય તૈયાર કરો. દહીંહાંડી લટકાવો અને ભક્તિ ગીતો વગાડો.