સંકષ્ટી ચતુર્થી: મેટ્રો થ્રીની ફેરીમાં વધારો, ભક્તો માટે સુવિધા.
સંકષ્ટી ચતુર્થી: મેટ્રો થ્રીની ફેરીમાં વધારો, ભક્તો માટે સુવિધા.
Published on: 12th August, 2025

સંકષ્ટી ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન માટે ભક્તોની સુવિધા માટે મેટ્રો થ્રી દ્વારા ફેરી વધારવામાં આવી છે. આરેથી વરલી વચ્ચે મેટ્રોની સેવા વહેલી સવારે 5.30 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સિદ્ધિવિનાયક સ્ટેશને ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી વિશેષ એન્ટ્રી-એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણયથી ભક્તોને દર્શન કરવામાં સરળતા રહેશે.