મનરેગાનું નામ બદલાઈને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના થશે; કેબિનેટની મંજૂરી, કામના દિવસો વધીને 125 થશે.
મનરેગાનું નામ બદલાઈને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના થશે; કેબિનેટની મંજૂરી, કામના દિવસો વધીને 125 થશે.
Published on: 13th December, 2025

મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટનું નામ હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના થશે. કેન્દ્રીય કેબિનેટે એક્ટનું નામ બદલવા અને કામના દિવસો 100થી વધારીને 125 કરવાના બિલને મંજૂરી આપી. MGNREGA ગ્રામીણ વિસ્તારોમાં રોજી-રોટીની સુરક્ષા વધારવા માટેની સરકારની ખાસ સ્કીમ છે. વિપક્ષે આ નામ બદલવાને હતાશા ગણાવી છે.