Natural Farming: અમરસિંહ પઢિયાર પ્રાકૃતિક કૃષિથી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા.
Natural Farming: અમરસિંહ પઢિયાર પ્રાકૃતિક કૃષિથી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા.
Published on: 09th September, 2025

પ્રાકૃતિક કૃષિના અનુભવ માટે અમરસિંહ પઢિયારના ખેતરની મુલાકાત લો. ભારે વરસાદમાં પણ પાકને નુકસાન થયું નથી, કારણ કે તેઓ 2017થી પાંચ આયામો અને દેશી ગાય આધારિત ખેતી કરે છે. તેઓ તિથિ અને નક્ષત્રોને પણ ધ્યાનમાં રાખે છે. આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શનથી જન, જમીન અને પર્યાવરણનું સંરક્ષણ કરે છે. Zero budget ખેતીથી વિઘા દીઠ 1 લાખ રૂપિયાનો નફો થાય છે. CRP તરીકે તેઓ પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગ આપી રહ્યા છે.