સુરતના 70,254 રત્નકલાકારોને રાહત પેકેજની સહાય ચૂકવાઈ નથી, સરકારે વિધાનસભામાં ખુલાસો કર્યો.
સુરતના 70,254 રત્નકલાકારોને રાહત પેકેજની સહાય ચૂકવાઈ નથી, સરકારે વિધાનસભામાં ખુલાસો કર્યો.
Published on: 09th September, 2025

ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું, પણ સુરતના 70,254 રત્નકલાકારોને સહાય મળી નથી. વિધાનસભામાં જીજ્ઞેશ મેવાણી અને અમિત ચાવડાના પ્રશ્ન બાદ સરકારે જણાવ્યું કે અમદાવાદના 170 રત્નકલાકારોને જ સહાય મળી છે, જ્યારે સુરતમાં એક પણ રત્નકલાકારને સહાય ચૂકવાઈ નથી. રત્નકલાકારોના બાળકોને શિક્ષણ ફી સહાય પણ અમદાવાદ સિવાય મળી નથી.