મોરબીમાં વંદે માતરમ્ @ 150ની ઉજવણી: મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી પદયાત્રા રેલીનું આયોજન કરાયું.
મોરબીમાં વંદે માતરમ્ @ 150ની ઉજવણી: મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી પદયાત્રા રેલીનું આયોજન કરાયું.
Published on: 25th March, 2026

‘વંદે માતરમ્ @ 150’ ફેઝ-2ની ઉજવણી નિમિત્તે મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓ અને મોરબીવાસીઓ જોડાયા હતા. આ રેલીનો હેતુ દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો હતો. મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ભાવવંદના સાથે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને વંદે માતરમ્ના મહત્વ વિશે માહિતગાર કરાયા હતા.