-
Education
ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સનો ક્રેઝ: દેશ-વિદેશના 3101 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન.
ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સમાં 2026-27 માટે પ્રવેશ શરૂ થયો. 6 કોર્સમાં 3101 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું, 341 વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું. ઓગસ્ટ અને ફેબ્રુઆરીમાં થયેલા પ્રવેશમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સમાવેશ છે. અભ્યાસ અને પરીક્ષા બંને ઓનલાઈન જ લેવાશે.
ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સનો ક્રેઝ: દેશ-વિદેશના 3101 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન.
પાટણ પ્રાદેશિક કેન્દ્રને 'બેસ્ટ પ્રાદેશિક કેન્દ્ર'નો એવોર્ડ મળ્યો.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ના 11મા દીક્ષાંત સમારોહમાં પાટણ પ્રાદેશિક કેન્દ્રને 'બેસ્ટ પ્રાદેશિક કેન્દ્ર'નો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો. આ સમારોહમાં રાજ્યપાલ, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કુલ 22,770 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ, જેમાં 118 વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા. પાટણ કેન્દ્રના વિદ્યાર્થીઓને પણ સન્માન મળ્યું. આ સિદ્ધિ બદલ પાટણ કેન્દ્રના નિયામક અને સહ-નિયામક, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પરિવારનો આભાર માન્યો.
પાટણ પ્રાદેશિક કેન્દ્રને 'બેસ્ટ પ્રાદેશિક કેન્દ્ર'નો એવોર્ડ મળ્યો.
ફાર્મસી પ્રવેશ માટે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026.
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ડિપ્લોમા ફાર્મસી પછી ડિગ્રી ફાર્મસીના બીજા વર્ષમાં પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા ઑફલાઇન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (DDCET 2026) લેવાઈ રહી છે. આજે સવારે 11 થી 1 વાગ્યા સુધી અમદાવાદ, રાજકોટ સહિત 10 કેન્દ્રો પર 200 માર્ક્સની પરીક્ષા યોજાશે. DDCET 2026 ના ગુણના આધારે મેરિટ યાદી બનશે.
ફાર્મસી પ્રવેશ માટે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026.
નવરાત્રિ પછી ધોરણ 9-12ની પરીક્ષા, વિદ્યાર્થી-વાલીઓમાં નારાજગી.
ગુજરાત બોર્ડના શૈક્ષણિક કેલેન્ડર મુજબ, ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રિના ત્રીજા દિવસે અને દશેરા પછી યોજાશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી છે. કેટલાંક શિક્ષકો અને વાલીઓએ શિક્ષણ મંત્રીને પરીક્ષાના સમયમાં ફેરફાર કરવાની માંગણી કરી છે, જેથી વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે. નવરાત્રિ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે અને આ સમયગાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવાની માંગણી વર્ષોથી ઉઠતી રહી છે.
નવરાત્રિ પછી ધોરણ 9-12ની પરીક્ષા, વિદ્યાર્થી-વાલીઓમાં નારાજગી.
દાહોદ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ: ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં પાસ થવું અઘરું.
દાહોદ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 77.35% રહ્યું છે. 2052 વિદ્યાર્થીઓ એક કે બે વિષયોમાં નાપાસ થયા છે, જેમાં ગણિત અને અંગ્રેજી મુખ્ય છે. 3433 વિદ્યાર્થીઓ બે થી વધુ વિષયોમાં નાપાસ થતાં તેમનું શૈક્ષણિક વર્ષ બચાવવા ફરી પરીક્ષા આપવી પડશે.
દાહોદ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ: ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં પાસ થવું અઘરું.
નર્મદાની શાળાઓમાં શિક્ષક ઘટ છતાં ધો-10 માં રાજ્યમાં પ્રથમ.
નર્મદા જિલ્લાએ ધોરણ-10ની પરીક્ષામાં 90.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી ઇતિહાસ રચ્યો છે. 16 વર્ષ બાદ આ સુધારો જોવા મળ્યો છે. આ સફળતાનું કારણ શાળાઓમાં નવી ભરતી કરાયેલાં શિક્ષણ અને જ્ઞાન સહાયકો છે. માધ્યમિક વિભાગમાં 137 શાળાઓમાં માત્ર 5% (15 જગ્યાઓ) શિક્ષકોની ઘટ હોવા છતાં ઉત્તમ પરિણામ આવ્યું છે. ઉચ્ચતર માધ્યમિકમાં 20% ઘટ હોવા છતાં ઉપલબ્ધ શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રયાસોથી જિલ્લાએ ગૌરવ મેળવ્યું છે.
નર્મદાની શાળાઓમાં શિક્ષક ઘટ છતાં ધો-10 માં રાજ્યમાં પ્રથમ.
ધોરણ 12 પછી યોગ્ય કોર્સ પસંદગી માટે માર્ગદર્શન.
ધોરણ 12 પછી કારકિર્દીની દિશા નક્કી કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. આ અંગે યોગ્ય માર્ગદર્શન, પોતાની રસ અને શક્તિને ઓળખી, ઘરનું વાતાવરણ તથા આર્થિક સ્થિતિ ધ્યાનમાં રાખીને, તથા ભવિષ્યલક્ષી વિચારો સાથે કોર્સની પસંદગી કરવી જોઈએ. ઉતાવળમાં કે બીજાને જોઈને નિર્ણય લેવો હિતાવહ નથી. સારી સંસ્થાની પસંદગી પણ જરૂરી છે.
ધોરણ 12 પછી યોગ્ય કોર્સ પસંદગી માટે માર્ગદર્શન.
ધોરણ 10 અને 12 પછી કારકિર્દીની અગણિત શક્યતાઓ.
ગુજરાતમાં ધોરણ 10 અને 12ના પરિણામો ધાર્યા કરતાં સારા આવ્યા છે. હવે પ્રવેશની મોસમ શરૂ થતાં, વિદ્યાર્થીઓ માટે અગણિત કારકિર્દીની શક્યતાઓ ખુલી રહી છે. પરંપરાગત અભ્યાસક્રમોની સાથે-સાથે ટેકનિકલ ડિપ્લોમા, કૃષિ, ડેરી, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર, મેડિકલ, ડિઝાઇન અને વિવિધ સંકલિત અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ પોતાની અભિવૃત્તિ, ક્ષમતા અને રુચિ મુજબ યોગ્ય માર્ગદર્શન મેળવી કારકિર્દી પસંદ કરવી જોઈએ.
ધોરણ 10 અને 12 પછી કારકિર્દીની અગણિત શક્યતાઓ.
બોગસ ડિગ્રીથી નોકરી: મહિલાને 3 વર્ષની કેદ.
નવસારી કોર્ટે બોગસ પ્રમાણપત્રોથી સરકારી નોકરી મેળવનાર મહિલાને ત્રણ વર્ષની જેલ અને દંડ ફટકાર્યો. 2009ના આ કેસમાં, આરોપીએ 'સંગીત વિશારદ' (બી.એ. પદવી) ના બનાવટી ગુણપત્રક રજૂ કરી વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવી હતી. તપાસમાં પ્રમાણપત્રો ખોટા હોવાનું બહાર આવતા કોર્ટે દોષિત ઠેરવી સજા આપી.
બોગસ ડિગ્રીથી નોકરી: મહિલાને 3 વર્ષની કેદ.
ધોરણ 10નું પરિણામ: છોટાઉદેપુર ગ્રામ્ય વિસ્તારનું પ્રદર્શન શહેરી વિસ્તાર કરતાં 12.1% વધુ.
છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ગ્રામ્ય વિસ્તારનું પરિણામ શહેરી વિસ્તાર કરતાં 12.1% વધુ આવ્યું છે, જે શિક્ષણક્ષેત્રે પ્રગતિ દર્શાવે છે. બોડેલીની ખદીજા મો. તૈયબ ખત્રીએ 97.83% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. જિલ્લાનું કુલ પરિણામ 82.42% છે. 10,890 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 8,976 સફળ થયા. A1 ગ્રેડ 91 વિદ્યાર્થીઓએ મેળવ્યો.
ધોરણ 10નું પરિણામ: છોટાઉદેપુર ગ્રામ્ય વિસ્તારનું પ્રદર્શન શહેરી વિસ્તાર કરતાં 12.1% વધુ.
સરકારી શાળાના વિદ્યાર્થીઓનો બોર્ડ પરીક્ષામાં ડંકો, જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની PM શ્રી મોડલ સરકારી શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવી ખાનગી શાળાઓની માન્યતાને ખોટી ઠેરવી છે. આ વિદ્યાર્થીઓ અત્યંત સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવે છે, જેમણે અથાગ મહેનત, ધગશ અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઝળહળતી સફળતા મેળવી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સરકારી શાળાના વિદ્યાર્થીઓનો બોર્ડ પરીક્ષામાં ડંકો, જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે.
પંચમહાલ ધો.10 પરિણામ 2.82% વધ્યું, છતાં રાજ્યમાં છેલ્લું.
પંચમહાલ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 76.42% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 2.82% વધારે છે. A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 229 થી વધી 350 થઈ છે. A2 થી D ગ્રેડ સુધીના તમામ સ્તરે સુધારો જોવા મળ્યો છે. તેમ છતાં, રાજ્યમાં જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો છે. કાલોલ કેન્દ્ર 93.27% સાથે પ્રથમ, જ્યારે ખોજલવાસા 48.48% સાથે સૌથી પાછળ રહ્યું છે. 100% પરિણામ વાળી શાળાઓ 22 થી વધી 26 થઈ છે, જ્યારે 0% પરિણામ વાળી શાળાઓ 7 થી ઘટી 4 થઈ છે.
પંચમહાલ ધો.10 પરિણામ 2.82% વધ્યું, છતાં રાજ્યમાં છેલ્લું.
દાહોદ ધોરણ 10 પરિણામ: ગત વર્ષ કરતાં 3.94% ઘટાડો.
દાહોદ જિલ્લાનું ધોરણ 10નું 77.35% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષ 81.29% કરતાં 3.94% ઓછું છે. કુલ 28,630 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી 22,145 ઉત્તીર્ણ થયા. A-1 ગ્રેડમાં 235 અને A-2 ગ્રેડમાં 1038 વિદ્યાર્થીઓ આવ્યા. ઝાલોદ, રાછરડા, લીમડી જેવા તાલુકા મથકોમાં પરિણામ ઘટ્યું, જ્યારે દેલસર, ચુંદડી, સીંગવડ જેવા ગ્રામ્ય કેન્દ્રોએ પ્રગતિ કરી.
દાહોદ ધોરણ 10 પરિણામ: ગત વર્ષ કરતાં 3.94% ઘટાડો.
નર્મદા અને ભરૂચનું ધોરણ 10નું શાનદાર પરિણામ.
નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ આવ્યો છે, જેનું શ્રેય વડાપ્રધાન મોદીના પ્રોત્સાહન અને શાળાઓ દ્વારા બોર્ડની સ્ટાઇલથી કરાયેલા પ્રશ્નપત્રોના મહાવરાને જાય છે. ભરૂચ જિલ્લાએ 84.15% પરિણામ સાથે ગત વર્ષ કરતાં સુધારો નોંધાવ્યો છે. બંને જિલ્લાઓમાં A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની મહેનત દર્શાવે છે.
નર્મદા અને ભરૂચનું ધોરણ 10નું શાનદાર પરિણામ.
અંધત્વ ધરાવતી કાવ્યાની અદ્ભુત સફળતા, 95.67% પ્રાપ્ત કર્યા.
ભરૂચની નારાયણ વિદ્યાલયની દિવ્યાંગ વિદ્યાર્થીની કાવ્યા ફરસરામે 90% અંધત્વ હોવા છતાં ધોરણ 10માં 95.67% અને 99.50 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી કાવ્યાએ સાંભળીને અને ટેકનોલોજીની મદદથી અભ્યાસ કર્યો. ભવિષ્યમાં કલેક્ટર બનવાનું સ્વપ્ન છે. બીજી વિદ્યાર્થીની ગ્રીષ્માએ પણ 90.66% મેળવ્યા. જિલ્લાનું પરિણામ 84.15% રહ્યું.
અંધત્વ ધરાવતી કાવ્યાની અદ્ભુત સફળતા, 95.67% પ્રાપ્ત કર્યા.
કચ્છ ધો.10 બોર્ડ પરિણામ: 84.64% ઉત્તીર્ણ, 662 A-1 ગ્રેડ.
ગુજરાત બોર્ડ ધો.10 (SSC) પરિણામમાં કચ્છનો 84.64% દેખાવ. રાજ્ય સરેરાશ કરતાં 0.78% વધુ. 17,662 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ. 662 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો, જેમાં 249 સરકારી/અનુદાનિત શાળાના. 47 સરકારી સહિત 112 શાળાઓએ 100% પરિણામ નોંધાવ્યું. ગ્રામીણ વિસ્તારોમાં નોંધપાત્ર સુધારો. A-1 ગ્રેડમાં કન્યાઓની સંખ્યા વિશેષ.
કચ્છ ધો.10 બોર્ડ પરિણામ: 84.64% ઉત્તીર્ણ, 662 A-1 ગ્રેડ.
SSC બોર્ડમાં ભાવનગરનું છેલ્લા 10 વર્ષનું હાઇએસ્ટ 86.06% પરિણામ
ધો-10નું પરિણામ: શિક્ષણ સમિતિની 10 શાળાઓનું પરિણામ 5.24% ઘટ્યું.
વડોદરા ધોરણ 10 પરિણામ: A-1 ગ્રેડ અને 100% સ્કૂલ પરિણામમાં વધારો.
ગુજરાત બોર્ડના ધોરણ 10ના પરિણામમાં વડોદરાનું 78.38% પરિણામ આવ્યું. A-1 ગ્રેડમાં 471 વિદ્યાર્થીઓનો વધારો થયો, કુલ 1582 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો. 44 સ્કૂલોનું પરિણામ 100% આવ્યું, જે ગત વર્ષ કરતાં 13 સ્કૂલ વધારે છે. બેઝિક ગણિતમાં નબળા દેખાવને કારણે કુલ પરિણામ પર અસર થઈ. 2 સ્કૂલોનું પરિણામ 0% આવ્યું, જે ચિંતાનો વિષય છે.
વડોદરા ધોરણ 10 પરિણામ: A-1 ગ્રેડ અને 100% સ્કૂલ પરિણામમાં વધારો.
ખેડા જિલ્લાનું ધો.10નું 77.90 ટકા પરિણામ.
ખેડા જિલ્લામાં ધો .10નું પરિણામ 77.90 ટકા આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 5.35 ટકા વધુ છે. કુલ 25787 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા, જેમાં 593 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. નડિયાદની તુલસી મિતલીયાએ 99.99 PR સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. 345 શાળાઓમાંથી 32 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું.
ખેડા જિલ્લાનું ધો.10નું 77.90 ટકા પરિણામ.
નડિયાદ શારદા મંદિર સ્કૂલના વિદ્યાર્થિનીએ 99.99 PR મેળવ્યા.
નડિયાદ શારદા મંદિરમાં ધો. 10માં અભ્યાસ કરતી તુલસી મિતલિયાએ 99.99 પીઆર મેળવીને શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણીએ એ સમાજ વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 માર્ક અને ગણિત તેમજ વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100માર્ક મેળવ્યા છે. આ વિદ્યાર્થીની સહિત શાળામાં ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી સુનિલભાઇ પંડયા તથા આચાર્ય સહિત શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
નડિયાદ શારદા મંદિર સ્કૂલના વિદ્યાર્થિનીએ 99.99 PR મેળવ્યા.
મોટી ખડોલ ગામના ઓમ જીગરભાઈ પટેલ રાજ્યમાં પ્રથમ.
મહુધા તાલુકાના મોટી ખડોલ ગામના વતની ઓમ જીગરભાઈ પટેલે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.99 પી.આર સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગોંડલ બીએપીએસ સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરનાર ઓમના માતા-પિતા શિક્ષક છે. તેમના પરિવારમાં સમાજ આગેવાન અને વકીલ પણ છે. ઓમ ડોકટર બનવા ઈચ્છે છે અને સફળતા માટે દૈનિક છ કલાક વાંચન અને સખત મહેનત જરૂરી ગણાવે છે.
મોટી ખડોલ ગામના ઓમ જીગરભાઈ પટેલ રાજ્યમાં પ્રથમ.
IITમાં ભણવા ઈચ્છુક ઓમ સોજીત્રાએ રાજયમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
સુરત રતનપરના ઓમ સોજીત્રા, જે વિપુલભાઈ સોજીત્રાના પુત્ર છે, તેણે કોઈપણ ટ્યુશન વિના ધોરણ 10માં 99.99 PR મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. દર્શન વિદ્યાલયમાં અભ્યાસ કરનાર ઓમ, IIT જોઈન કરવા ઈચ્છે છે. માતા-પિતા અને શાળાના માર્ગદર્શનને તે શ્રેય આપે છે.
IITમાં ભણવા ઈચ્છુક ઓમ સોજીત્રાએ રાજયમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
સુરેન્દ્રનગરની એસ.એ.ન.વિદ્યાલયમાં ધો.10ના 257માંથી 251 છાત્રો પાસ.
સુરેન્દ્રનગરની એસ.એન.વિદ્યાલયમાં ધો. 10ના 257માંથી 251 છાત્રો પાસ થયા છે. શાળાના 60 વિદ્યાર્થીઓને A-1 અને 66 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ મળ્યો છે. જયારે 99.98 PR સાથે પ્રીન્સી વરમોરા રાજયમાં દ્વીતીય અને શાળામાં પ્રથમ ક્રમે રહી છે. શાળા સંચાલકો સુરેશભાઈ મોટકા, સુનીલભાઈ મોટકા સહિતનાઓએ ઝળહળતુ પરિણામ મેળવવા બદલ શાળાના શિક્ષકો અને છાત્રોને અભીનંદન આપ્યા હતા.
સુરેન્દ્રનગરની એસ.એ.ન.વિદ્યાલયમાં ધો.10ના 257માંથી 251 છાત્રો પાસ.
માંડલ તાલુકામાં ધો.10નું 94.31% પરિણામ.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ.મા. શૈક્ષણિક બોર્ડ દ્વારા જાહેર થયેલા ધો.10ના પરિણામમાં માંડલ તાલુકાનું 94.31% પરિણામ રહ્યું છે. 950 વિદ્યાર્થીઓમાંથી 896 પાસ થયાં છે. ગત વર્ષ કરતાં 12.62%નો વધારો થયો છે. માંડલ કેન્દ્રમાં મેઘમણી શાળાના 20 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો, જેમાં કલ્પેશ પ્રથમ ક્રમે 96.83% સાથે રહ્યો. દાલોદ અને ટ્રેન્ટ કેન્દ્રમાં પણ શાળાઓએ ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવ્યું.
માંડલ તાલુકામાં ધો.10નું 94.31% પરિણામ.
અમદાવાદ RTE પ્રવેશ: પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 13,622 વિદ્યાર્થીઓને સીટ.
RTE Admission 2026: અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. 38,334 મંજૂર ફોર્મમાંથી 13,622 વિદ્યાર્થીઓને સીટ ફાળવાઈ છે. તેમણે 12 તારીખ સુધીમાં પ્રવેશ લેવાનો રહેશે. ત્યારબાદ ખાલી રહેલી સીટો પર બીજો રાઉન્ડ શરૂ થશે. શાળાઓએ વધારાના ડોક્યુમેન્ટ માંગવા નહીં, માત્ર ફોર્મની વિગતો જ ચકાસવી. DEO રોહિત ચૌધરીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.