-
Education
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
અમદાવાદમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફઉન્ડેશન અને શ્રી મહર્ષિ વેદવ્યાસ એકેડમીની 25મી સિલ્વર જ્યુબિલી નિમિત્તે આયોજિત પદવીદાન સમારોહમાં, પાદરા તાલુકાના સાદરા ગામના કેન્દ્ર અધ્યક્ષ આચાર્ય જીગ્નેશભાઈ રમેશભાઈ પંડયા (બાપજી)ને જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને પુરોહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરાયા. તેમને બેસ્ટ જ્યોતિષી-અધ્યાપક, બેસ્ટ વાસ્તુશાસ્ત્રી-અધ્યાપક તથા બેસ્ટ પુરોહિત્ય (કર્મકાંડી)-અધ્યાપક તરીકે પસંદ કરાયા હતા. સિલ્વર મેડલ, ટ્રોફી અને બેસ્ટ ઈન્ડિયન એચીવમેન્ટ એવોર્ડ મળતાં સાદરા ગામ અને પાદરા તાલુકામાં ખુશીનો માહોલ છે.
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણના વિકાસ માટે 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત થયું
નસવાડી તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે ધારાસભ્ય અભેસિંહ તડવીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો. આ પ્રસંગે રૂા. 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત કરાયું. અમરોલી ગામે રૂા. 2.94 કરોડના ખર્ચે આધુનિક કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન થયું, જેનાથી વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ મળશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, અધિકારીઓ, કાર્યકર્તાઓ, ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણના વિકાસ માટે 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત થયું
વડોદરામાં પીએમશ્રી પાદરા જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
પાદરા સ્થિત પીએમશ્રી જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફ્સર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને વૃક્ષારોપણ બાદ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું. આ શૈક્ષણિક વર્ષમાં કુલ 37 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. મહાનુભાવોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારા સંસ્કારોના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસમાં સહયોગી બનવા અનુરોધ કરાયો.
વડોદરામાં પીએમશ્રી પાદરા જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
પંચમહાલની બાલવાટિકાના ૨૦ અને ધો.૧ના ૧૦ સહિત કુલ ૩૦ દીકરીઓને સંદીપસિંહ ગોહિલ દ્વારા પ્રવેશ અપાયો
બોડેલી કન્યાશાળા પીએમશ્રી ગુજરાત ખાતે શાળા પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી થઈ, જેમાં મુખ્ય અતિથિ સંદિપસિંહ એન.ગોહિલ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં કુલ ૩૦ દીકરીઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ અપાયો, જેમાં બાલવાટિકામાં ૨૦ અને ધો.૧માં ૧૦ દીકરીઓનો સમાવેશ થાય છે. દાતાઓ દ્વારા દફ્તર અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું. સંદીપસિંહ ગોહિલે શાળાની પ્રગતિની પ્રશંસા કરી અને દીકરીઓને વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરી, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવા ઉદાહરણો આપ્યા.
પંચમહાલની બાલવાટિકાના ૨૦ અને ધો.૧ના ૧૦ સહિત કુલ ૩૦ દીકરીઓને સંદીપસિંહ ગોહિલ દ્વારા પ્રવેશ અપાયો
ડેસર તાલુકાની વાણિજ્ય કોલેજ બંધ થવાની આશંકા: વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ
ડેસર તાલુકાના નવા શિહોરાની વાણિજ્ય વિનય કોલેજ બંધ થવાની ચર્ચાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. કોલેજ બંધ થશે તો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 35 કિમી દૂર જવું પડશે, જે ખાસ કરીને વિદ્યાર્થિનીઓ અને આર્થિક રીતે નબળા પરિવારો માટે મુશ્કેલીરૂપ બનશે. વાલીઓએ જણાવ્યું કે આ નિર્ણયથી ઉચ્ચ શિક્ષણ પર ગંભીર અસર પડશે અને કોલેજ ચાલુ રાખવા માંગ કરી છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ડેસર તાલુકાની વાણિજ્ય કોલેજ બંધ થવાની આશંકા: વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ
ગોધરાના વેજલપુર અને બેઢીયા ક્લસ્ટરમાં બાળકોને શાળા પ્રવેશ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે કાલોલ તાલુકાના વેજલપુર અને બેઢીયા વિસ્તારની શાળાઓમાં કાર્યક્રમ યોજાયો. ઈન્ડેક્સ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ.એસ. જે. જોશીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવી ઉચ્ચ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણા આપી. તેમણે બાળકોને સપના જોવા અને તેને સાકાર કરવા મહેનત કરવાની શીખ આપી. વેજલપુર ક્લસ્ટરમાં વિવિધ ધોરણોમાં બાળકોને પ્રવેશ અપાયો. જ્યારે બેઢીયા ક્લસ્ટરમાં કરુણેશ વિદ્યામંદિર શાળામાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો.
ગોધરાના વેજલપુર અને બેઢીયા ક્લસ્ટરમાં બાળકોને શાળા પ્રવેશ
દાહોદમાં આદિવાસી યુવાનો ડોક્ટર, પાઈલટ, એન્જિનિયર બની રહ્યા છે: CM
દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. તેમણે કહ્યું કે, રાજ્યના છેવાડાના બાળકોને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું સરકારની પ્રાથમિકતા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદીના શિક્ષણ અભિયાનને કારણે આદિવાસી પટ્ટાના બાળકો ડોક્ટર, એન્જિનિયર અને પાયલોટ બની ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. વાલીઓએ પણ બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.
દાહોદમાં આદિવાસી યુવાનો ડોક્ટર, પાઈલટ, એન્જિનિયર બની રહ્યા છે: CM
સાહોલ ગામના પ્રા. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કારથી સન્માનિત
અંકલેશ્વર તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ડાહ્યાભાઈ સોલંકીને રોટરી ક્લબ ઓફ્ ભરૂચ દ્વારા ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે તેમની નિષ્ઠા, નેતૃત્વ અને પ્રતિબદ્ધતા બદલ તેમને આ પ્રમાણપત્ર અને સન્માન મળ્યું. રાષ્ટ્રની ઉન્નતિ માટે સમર્પિત ભાવે કામ કરતા આવા લોકોનું સન્માન જરૂરી છે. આ પુરસ્કાર બદલ નિલેશભાઈ સોલંકીએ શિક્ષણ વિભાગ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ્ ભરૂચનો આભાર માન્યો.
સાહોલ ગામના પ્રા. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કારથી સન્માનિત
૧૩ વર્ષની જોડિયા બહેનોએ ભગવદ્ ગીતાના પ્રેરણાથી મૂક-બધિર બાળકોને શીખવ્યું ડ્રોઇંગ
ગાંધીનગરની 13 વર્ષીય જોડિયા બહેનો દીયા અને દીવા શાસ્ત્રીએ ભગવદ્ ગીતાના સેવા અને કર્મયોગના સંદેશથી પ્રેરાઈ મૂક-બધિર બાળકો માટે વિશેષ આર્ટ વર્કશોપ યોજી પ્રેરણાદાયી પહેલ કરી છે. વર્ષ 2019થી તેઓ પોતાની બનાવેલી 250થી વધુ ચિત્રો વેચીને ભંડોળ એકત્ર કરે છે અને તેમાંથી બાળકો માટે યુનિફોર્મ, સ્કેચબુક તથા કલર કિટ ખરીદે છે. આ વખતે 55 દિવ્યાંગ બાળકોને ઓઇલ પેસ્ટલ અને એક્રેલિક પેઇન્ટિંગની તાલીમ આપતો વિશેષ કોર્સ પણ શરૂ કર્યો, જેમાં કોર્પોરેટ કંપનીઓ અને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો.
૧૩ વર્ષની જોડિયા બહેનોએ ભગવદ્ ગીતાના પ્રેરણાથી મૂક-બધિર બાળકોને શીખવ્યું ડ્રોઇંગ
અમદાવાદના સિંગરવા ગામનો અનોખો 'મેક ઈન સિંગરવા' પ્રયોગ
કઠવાડા નજીક આવેલા સિંગરવા ગામમાં પંચાયત દ્વારા બાળકોને શાળા જવા માટે અનોખો પ્રયોગ શરૂ કરાયો છે. ગામની મહિલાઓ 'મેક ઈન સિંગરવા' ટેગ સાથે 1600 સાયકલ તૈયાર કરશે. આ યોજનાથી બાળકોને સાયકલ મળશે અને ગામની 500 મહિલાઓને રોજગારી સાથે આત્મનિર્ભર બનવાની તક મળશે. ગામલોકોના લોકફાળાથી 65 લાખના ખર્ચ સામે 45 લાખ એકત્ર થયા છે. મહિલાઓને સાયકલ પાર્ટ્સ જોડવાની તાલીમ આપવામાં આવશે, અને તૈયાર થયેલી સાયકલ પર મહિલાનું નામ અને 'મેક ઈન સિંગરવા' ટેગ હશે. આ 'નવચક્ર યોજના' મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત ઝુંબેશને આગળ ધપાવશે.
અમદાવાદના સિંગરવા ગામનો અનોખો 'મેક ઈન સિંગરવા' પ્રયોગ
NEET પરીક્ષા નિષ્ફળતા, મોંઘવારી અને કૌભાંડ: કોંગ્રેસનો સરકાર પર પ્રહાર
રાજપીપળા અને ભરૂચમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આગેવાનોએ NEET પરીક્ષાની નિષ્પક્ષતા જાળવવામાં સરકારની નિષ્ફળતા, નર્મદામાં મનરેગા અને વિકાસ કાર્યોમાં કૌભાંડ, વધતી જતી મોંઘવારી, ખેડૂતોની જમીનોનું સંપાદન અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ ગેરકાયદેસર ધંધા અને કૌભાંડોની તપાસની માંગ કરવામાં આવી હતી.
NEET પરીક્ષા નિષ્ફળતા, મોંઘવારી અને કૌભાંડ: કોંગ્રેસનો સરકાર પર પ્રહાર
CA ઈન્ટર પરીક્ષાનું પરિણામ
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા લેવાયેલી સીએ ઈન્ટર પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. વડોદરામાંથી કુલ ૧૨૩૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૪૯ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આમ, વડોદરાનું એકંદર પરિણામ ૧૨.૧૦% રહ્યું છે. કુલ ૩૭૯ વિદ્યાર્થીઓએ બંને ગ્રુપની સાથે પરીક્ષા આપી હતી, જેમાં ૨૧ વિદ્યાર્થીઓ સફળ થયા. પ્રથમ ગ્રુપમાં ૪૮ અને બીજા ગ્રુપમાં ૬૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. દેશના સરેરાશ પરિણામની સરખામણીમાં વડોદરાનું પરિણામ ઓછું છે.
CA ઈન્ટર પરીક્ષાનું પરિણામ
ટેકનોલોજી ફેકલ્ટીમાં રાતોરાત 160 હંગામી અધ્યાપકોની નિમણૂકથી વિવાદ
વડોદરાની MS યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂંકની હાલમાં ચાલી રહેલી પ્રક્રિયામાં વિસંગતતાઓ સામે આવી છે.યુનિવર્સિટી રજિસ્ટ્રારે તા.૧૧ જૂને જ તમામ ડીનને વોટસએપ ગુ્રપમાં સૂચના આપીને કહ્યું હતું કે, વર્તમાન હંગામી અધ્યાપકોને તા.૩૦ સુધી એક્સ્ટેન્શન આપવાનું છે અને આ માટે તા.૧૩ જૂનના રોજ તેમણે એક ઓર્ડર પણ કર્યો હતો. આમ છતા ટેકનોલોજી ફેકલ્ટી સત્તાધીશો દ્વારા હંગામી અધ્યાપકોને તા.૧૨ના રોજ છૂટા કરી દેવાયા હતા અને નવા શૈક્ષણિક વર્ષ માટે જેમની પસંદગી થઈ છે તેવા ૧૬૦ જેટલા ઉમેદવારોને નોકરી જોઈન કરવા માટેના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા હતા.જ્યારે અન્ય એક પણ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂંકના ઓર્ડર થયા નથી.
ટેકનોલોજી ફેકલ્ટીમાં રાતોરાત 160 હંગામી અધ્યાપકોની નિમણૂકથી વિવાદ
ડિગ્રી એન્જિનિયરિંગ પ્રથમ રાઉન્ડ: 61,316 માંથી 33,993 બેઠકો ભરાઈ
શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ડિગ્રી એન્જિનિયરિંગના પ્રથમ રાઉન્ડમાં ACPC દ્વારા 33,993 બેઠકો ફાળવવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં 3700 વધુ છે. રાજ્યની કુલ 61,316 બેઠકોમાંથી, સરકારી કોલેજોની તમામ 10,969 બેઠકો 100% ભરાઈ ગઈ છે. પ્રાઇવેટ કોલેજોમાં 48,140 માંથી 20,817 બેઠકો પર પ્રવેશ મળ્યો છે, જેના કારણે ઘણી બેઠકો ખાલી રહી છે. કમ્પ્યુટર સાયન્સ જેવી શાખાઓમાં વિદ્યાર્થીઓનો ક્રેઝ વધુ રહ્યો. 30 જૂન સુધીમાં ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો પડશે. 1 જુલાઈથી બીજા રાઉન્ડ માટે ફરી રજીસ્ટ્રેશન શરૂ થશે.
ડિગ્રી એન્જિનિયરિંગ પ્રથમ રાઉન્ડ: 61,316 માંથી 33,993 બેઠકો ભરાઈ
CA ઇન્ટરમીડિયેટ પરિણામ: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ ઑલ ઇન્ડિયા ટોપ 50 માં, શહેરનું ગૌરવ વધાર્યું
ICAI દ્વારા CA ઇન્ટરમીડિયેટ પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ ઑલ ઇન્ડિયા ટોપ 50 માં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. મોક્ષ રાઠોડ (AIR 5), સ્તુતિ ગોયંકા (AIR 10) અને કનૈયા શર્મા (AIR 40) એ પોતાની સખત મહેનત, શિસ્ત અને યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ ભવિષ્યમાં ટેક્સેશન અને ફાઇનાન્સ ક્ષેત્રે નિષ્ણાત બનવા માંગે છે.
CA ઇન્ટરમીડિયેટ પરિણામ: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ ઑલ ઇન્ડિયા ટોપ 50 માં, શહેરનું ગૌરવ વધાર્યું
RTE પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી
RTE હેઠળ ધોરણ 1 માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયાના ચોથા રાઉન્ડમાં 978 બાળકોને પ્રવેશ ફાળવાયો છે. તેમ છતાં, 5097 બેઠકો ખાલી રહી ગઈ છે, કારણ કે વાલીઓએ ઘણી શાળાઓમાં તેમની પસંદગી આપી ન હતી. આ વર્ષે 83 હજારથી વધુ બેઠકો હતી અને દોઢ લાખથી વધુ અરજીઓ માન્ય થઈ હતી. ત્રણ રાઉન્ડ બાદ 6075 બેઠકો ખાલી હતી. ચોથા રાઉન્ડમાં 73093 વાલીઓએ પુન: પસંદગી આપી હતી, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી છે. આ ખાલી રહેલી બેઠકો હવે ભરાશે નહીં.
RTE પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ
અમદાવાદમાં ફાયર સેફ્ટી અંગે મ્યુનિસિપલ ફાયર વિભાગે વિવિધ વિસ્તારોની 18 શિક્ષણ સંસ્થાઓમાં ચકાસણી હાથ ધરી હતી. ફાયર સેફ્ટી સર્ટિફિકેટની મુદત પૂર્ણ થઈ જતાં નવકાર ડિજિટલ ઇન્સ્ટિટ્યૂટને સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત ફાયર એક્સટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, વિદ્યુત સુરક્ષા અને અવરજવર માર્ગોની ખામીઓ બદલ 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ ચેતવણી આપી છે કે નિયત સમયમર્યાદામાં ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો સંસ્થાઓ સામે સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ
ડૉ. કલામના જીવન ઘડતરમાં પિતાનો અદ્વિતીય ફાળો: પ્રેરણાદાયક પ્રસંગો
ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના જીવનમાં તેમના પિતાનો અનન્ય ફાળો હતો. તેમણે શીખવ્યું કે મુશ્કેલીઓમાં ગભરાવાને બદલે પીડાઓનો સંદર્ભ સમજવો જોઈએ. પિતાએ સાઇકલ શીખવતી વખતે હાથ છોડીને પ્રતિકૂળતામાં આત્મનિર્ભર બનવાનું શીખવ્યું. તેઓ પરિવારને એક રાખવા માટે રડ્યા પણ ક્યારેય સામે નહીં. પિતા સફળતાનો નકશો કોતરી આપે છે અને જીવનના કડવા ઘૂંટ પીવાની પ્રેરણા આપે છે. પિતા તેમના માટે હંમેશા રોલમોડલ રહ્યા.
ડૉ. કલામના જીવન ઘડતરમાં પિતાનો અદ્વિતીય ફાળો: પ્રેરણાદાયક પ્રસંગો
છોટાઉદેપુરના ભીલપુર CRCની અછાલા શ્રોષ્ઠ શાળામાં પ્રવેશોત્સવ ઉજવણી
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ભીલપુર ગ્રુપની અછાલા શ્રોષ્ઠ પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, SMC, ગ્રામજનો અને વાલીઓએ બાળકોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં નવા પ્રવેશ મેળવેલા 14 બાળકોને શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપી પ્રવેશ અપાયો. કાર્યક્રમમાં દીપ પ્રાગટય, પ્રાર્થના, વિદ્યાર્થીઓના વક્તવ્ય અને ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, પ્રથમ ત્રણ ક્રમે આવનાર તેમજ 100% હાજરી ધરાવતા બાળકો અને દાતાઓનું સન્માન કરાયું.
છોટાઉદેપુરના ભીલપુર CRCની અછાલા શ્રોષ્ઠ શાળામાં પ્રવેશોત્સવ ઉજવણી
વડોદરાના કરજણમાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી
મંગળવારથી શરૂ થતાં ત્રણ દિવસીય કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમના ભાગરૂપે કરજણ તાલુકાના વેમાર ખાતે ધારાસભ્ય દ્વારા રૂા.2.40 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત શાળાનું ઉદ્ઘાટનની સાથે પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવનાર બાળકોને પ્રવેશ આપ્યો હતો. ઉપરાંત કરજણ તાલુકાની વિવિધ શાળાઓમા પણ આ કાર્યક્રમ યોજાયો હતો. કરજણ તાલુકાની પીએમશ્રી લીલોડ શાળા રૂા.2 કરોડના ખર્ચે બની હતી. તેનું લોકાર્પણ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરાયું હતું.આજ કંપાઉન્ડમાં નવી મજૂર થયેલ રૂા.80 લાખની ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બિલ્ડિંગનું પણ ખાતમુહૂર્ત જિ.પં. પ્રમુખ જ્યોત્સનાબેન રબારી દ્વારા કરાયું હતું. જેની સાથે બાલમંદિર, ધો.1 અને ધો. 9ના વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો.
વડોદરાના કરજણમાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી
વડોદરાના પાદરાના સાધી ગામે ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો
વડોદરાના પાદરા તાલુકાના સાધી ગામે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની વિશેષ હાજરીમાં સાધી કન્યા પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓને શાળા અને આંગણવાડીમાં વિધિવત પ્રવેશ અપાયો હતો. તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા સરકારની શિક્ષણ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વડોદરાના પાદરાના સાધી ગામે ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો
મોડાસાની શારદા પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના શુભારંભ
ભિલોડા સ્થિત સરસ્વતી શારદા પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના ઉમદા પ્રારંભ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભક્તિપૂર્ણ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે નવનિયુક્ત આચાર્ય લીનાબેનના સફળ કાર્યકાળ તથા તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય, સુખ-સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી. શાળા પરિવાર પર ભગવાનની કૃપા બની રહે અને તમામ વિઘ્નો દૂર થાય તે ઉદ્દેશ્યથી આ કથા યોજાઈ હતી. તેજેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી મિતેશ.વી.ભાવસારે ગોર મહારાજના માર્ગદર્શન હેઠળ શાળાના કલ્યાણ માટે આજીજી વ્યક્ત કરી.
મોડાસાની શારદા પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના શુભારંભ
ખાનપુરના મુડાવડે ગામની શાળામાં બાળકોને પ્રવેશ કરાવાયો
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુડાવડે ગામે વાવો પ્રાથમિક શાળા તેમજ પી એન પંડયા સાર્વજનિક હાઇસ્કુલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો. શિક્ષણ કીટનું વિતરણ અને નાના ભૂલકાઓને ઉત્સાહ ભેર આવકાર્યા હતા, કુમકુમ તિલક કરી ભૂલકાઓનું મ્હોં મીઠું કરાવ્યું હતું. પોલીસ અધિક્ષકે બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
ખાનપુરના મુડાવડે ગામની શાળામાં બાળકોને પ્રવેશ કરાવાયો
લુણાવાડા સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ભવ્ય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
લુણાવાડા સ્થિત શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનેક મહાનુભાવો, શાળાના આચાર્ય, સંચાલક મંડળના પ્રમુખ અને વાલી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઝાંખી રજૂ કરી અને વિજ્ઞાન-ટેકનોલોજી પર વક્તવ્યો આપ્યા. આદર્શ વિદ્યાર્થીઓ, ખેલ મહાકુંભ વિજેતાઓ, ૧૦૦% હાજરી ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.
લુણાવાડા સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ભવ્ય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
ખેડબ્રહ્મા કેળવણી મંડળ દ્વારા બાળકોને પ્રવેશ અપાયો
ખેડબ્રહ્મામાં શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રારંભ થયેલ છે. તે અંતર્ગત ખેડબ્રહ્માની પ્રતિષ્ઠિત સંસ્થા એવી ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ-1થી 5 તથા સ્મિતાબેન સુમનભાઈ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના બાળકોને સંસ્થા ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ જીગ્નેશભાઈ જોષી તથા કેમ્પસ ડાયરેક્ટર કપિલભાઈ ઉપાધ્યાય દ્વારા નાના ભૂલકાઓને મીઠું મોઢું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ખેડબ્રહ્મા કેળવણી મંડળ દ્વારા બાળકોને પ્રવેશ અપાયો
લુણાવાડાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લાના વર્લ્ડ -ક્લાસ કેમ્પસ તરીકે ઓળખાતી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી મનુભાઈ પટેલ, ડિરેક્ટર કાજોલબેન પટેલ તેમજ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ પટેલ અને મનોજભાઈ કાલે તથા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ યોગની વિવિધ મુદ્રાઓ, આસનો તેમજ યોગ અને પ્રાણાયામ આધારિત નૃત્યો અને કરતબો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મનુભાઈ પટેલે યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને નિયમિત યોગને જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપી હતી.
લુણાવાડાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
વડથલી આશ્રામશાળામાં ભવ્ય પ્રવેશોત્સવ, દીકરીઓને પ્રોત્સાહન
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની વિનોબા આશ્રામશાળા વડથલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. આ પ્રસંગે મદદનીશ કમિશ્નર, આદિજાતિ વિકાસ વિભાગ, મોડાસાના ડી.એસ.ચૌધરીના હસ્તે ધોરણ-1 માં 12 અને ધોરણ-2 થી 8 માં 30 બાળકોને પ્રવેશ અપાયો. શાળાને કમ્પ્યુટર, સીલીંગ ફેન, ગાદલા, રજાઇ, થાળી, વાડકી જેવા મહત્વપૂર્ણ દાન મળ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને પ્રોત્સાહક રોકડ ઇનામ અપાયા.
વડથલી આશ્રામશાળામાં ભવ્ય પ્રવેશોત્સવ, દીકરીઓને પ્રોત્સાહન
ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા બાળકોના શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહપૂર્ણ પ્રારંભ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પરવડી વિસ્તારમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાન હેઠળ અનેક શાળાઓમાં ભવ્ય પ્રવેશોત્સવ યોજાયો. જિલ્લા કલેક્ટર અજય દહીયાએ ખુદ ઉપસ્થિત રહી ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો. તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને બાળકોને જીવનમાં ખૂબ આગળ વધવા પ્રેરણા આપી. આ પ્રસંગે આંગણવાડીના 14 બાળકોને કીટ, યુનિફોર્મ અને બેગ આપી પ્રવેશ અપાયો, જ્યારે બાલવાટિકાના 43 બાળકોને પ્રવેશ મળ્યો. શ્રી રામ વિદ્યામંદિર અને એમ. સી. મેમોરિયલ હાઇસ્કૂલમાં પણ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ સંપન્ન થયો.
ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા બાળકોના શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહપૂર્ણ પ્રારંભ
મહીસાગરના ગોધર તાલુકાનાચૂથાના મુવાડા ગામની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાનાં ચુથાના મુવાડા ગામ સ્થિત પ્રવીણ વિદ્યાલય ખાતે આજે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે D.R.D.A.ના નિયામક ચંદ્રિકા બેન ભાભોરતથા C.R.C. પ્રવિણભાઈ, પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રસિંહ સિસોદિયા, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ધોરણ 9 તથા ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનોએ પુસ્તક વિતરણ કર્યું હતું. ત્યાર બાદ વૃક્ષા રોપણ કરાયું હતું.
મહીસાગરના ગોધર તાલુકાનાચૂથાના મુવાડા ગામની શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 402 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સુરક્ષાના શપથ લેવડાવ્યા
ગાંધીનગરના અડાલજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં ત્રણ સરકારી શાળાઓના 402 બાળકોને પ્રવેશ અપાયો હતો. તેમણે શિક્ષકો અને વાલીઓને સહયોગ આપવા, બાળકોને ટ્રાફિક સુરક્ષા વિશે જાગૃત કરવા અને હેલ્મેટ પહેરવા માટે માતા-પિતાને પ્રેરિત કરવા ભાર મૂક્યો. રાજ્યમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવના 24મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે વિદ્યાર્થીઓને બ્રશ કરવા, હાથ ધોવા અને સ્વચ્છતા જેવી ટેવો કેળવવા કહ્યું. ઉપરાંત, બાળકો દ્વારા વાલીઓને હેલ્મેટ પહેરવાની જીદ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા, જેથી અકસ્માતો ટાળી શકાય.